Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
अहमदाबाद ग्रामीण पुलिस ने नशा तस्करों पर कड़ी कार्रवाई; 2 गिरफ्तार
URUday Ranjan
Sept 23, 2025 13:50:11
Ahmedabad, Gujarat
નશા સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની કડક કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની નશા વિરૂધ્ધ ની કડક કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય ની બગોદરા પોલીસે કોડેનયુક્ત નશાકારક કફસીરપની બોટલ નંગ ૯૩૭ ની હેરાફેરી કરતા બે આરોપીઓને પકડી પાડી વધુ તપાસ બગોદરા પોલીસે હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સુચના અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા તમામ પોલીસ ને આપવા માં આવી હતી જેના પગલે બગોદરા પોલીસે સ્ટેશન ના પીઆઈ યુ.બી.જોગરાણા અને બગોદરા પોલીસ ની ટીમ દ્વારા બાતમી ના આધારે હકીકત મળેલ કે શિયાળ બગોદરા રોડ પર ના શિયાળ બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્મશાનની ઓરડીમાં બે ઇસમોએ નશાકારક કોડેઇનયુક્ત કફશીરપની બોટલોનો જથ્થો ચોરી છુપીથી રાખી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખ્યું હોય જે નશાકારક કોડેઇનયુક્ત કફ સીરપની બોટલોનો જથ્થો ત્યાંથી લઇ બીજી જગ્યાએ વેચાણ કરવા માટે હેરફેર કરવાના હતા જે બાતમી આધારે જગ્યાએ રેઇડ કરતા બંન્ને આરોપીઓ સુમીત ઉર્ફે સુમો જયંતીભાઇ સોલંકી અને રવિભાઇ રાજુભાઇ ભાલોડીયા બાઇક ઉપર નશાકારક કકશીરપની પેટીઓની હેરાફેરી કરતા રંગે હાથ બગોદરા પોલીસ ના પકડાયેલ ગયા હતા ત્યારે બગોદરા પોલીસ દ્વારા એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં ચકાસણી કરાવતા NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત નશાકારક કફશીરપની બોટલો નંગ ૯૩૭ જેની કિંમત ૧,૬૫,૮૪૯ સહિત મોબાઇલ ફોન નંગ ૨ તથા બાઇક સહિત કુલ ૨,૨૫,૮૪૯ મુદ્દામાલ કબ્જે કરવા માં આવ્યો છે ત્યારે બગોદરા પોલીસ ની સામે આવ્યું હતું કે વધુ બે આરોપીઓ શ્રવણભાઇ ઉર્ફે સલ્લુ ભરતભાઇ ગોહેલ , અજયભાઇ ઉર્ફે ભોલી પ્રભુભાઇ સોલંકી હજી ફરાર છે ત્યારે બગોદરા પોલીસે ફરાર બંને આરોપી ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે ત્યારે બગોદરા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ NDPS એકટ ક.૮(સી), ૨૧ (સી), ૨૯ મુજબ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગનો દાખલ કરી કફ સીરપ ક્યાં થી લાવ્યા અને ક્યારે લાવ્યા તે દિશા માં વધુ તપાસ હાથ ધરી છે નશા ના શું શું મુદામાલ કબ્જે કર્યો ? Windlas Rx Codeine Phosphate & Triprolidine Hydrochloride Syrup WINROF-T Cough Syrup ની બોટલો નંગ ૯૩૭| કિ.રૂ.૧,૬૫,૮૪૯-| મોબાઇલ ફોન નંગ ૨ એક બાઇક ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Sept 23, 2025 15:18:15
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૩/૦૯/૨૦૨૫. સ્ટોરી: એબીબીબી. એપ્રુવલ: અસાઈમેન્ટ. સ્લગ: ભાવનગરમાં નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા છ ઇસમો ઝડપાયા. એન્કર: ભાવનગર જિલ્લામાં ચાલતા નશાના કાળા કારોબારનો પોલીસે કર્યો પર્દાફાસ, ભાવનગર પોલીસે અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી કોલન વોટરની 20,000 થી વધુ નંગ બોટલ ઝડપી લીધી છે. પોલીસે 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિઓ ૧: ભાવનગર જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક ની નિમણૂક થયા બાદ બૂટલેગરો પર કડક કાર્યવાહી હાથ ધરી શહેર જિલ્લામાં ચાલતા દારૂ, જુગારના અડ્ડાઓ બંધ કરાવી દીધા છે. પરંતુ બુટલેગરો પણ પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેમ ગેરકાયદેસર ધંધો કરવાના નવા નવા કીમિયા ગોતી જ લેતા હોય છે. અને આવા જ એક નશાના કાળા કારોબારનો ભાવનગર પોલીસે પર્દાફાશ કરતા અલગ અલગ 4 તાલુકામાં રેડ કરી 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે છ ઇસમોને ગેરકાયદેસર નશાકારક પ્રવાહી તરીકે કોલન વોટરનું વેચાણ કરતા ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસને શહેર જિલ્લામાં નશાકારક પીણા તરીકે કોલન વોટર નું મોટાપાયે ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાની ગુપ્ત માહિતી મળી હતી, જે માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તપાસ હાથ ધરી હતી, જે બાતમીને આધારે વરતેજ પોલીસની હદમાં આવતા સીદસર ગામે આવેલી જય ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં પોલીસે દરોડો કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન કોલન વોટર ની 56 જેટલી બોટલો મળી આવી હતી, પોલીસે બોટલો કબજે કરી ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી હતી, જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા તપાસનો દોર ગારીયાધાર સુધી લંબાયો હતો. સીદસર ખાતે જય ચામુંડા પ્રોવિઝન સ્ટોર ધરાવતો વેપારી અબૂધ લોકોની અજ્ઞાનતા ના લાભ લઈ કોલન વોટર નું નશાકારક પીણા તરીકે વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી અને વરતેજ પોલીસે સંયુક્ત રેડ કરતા નશા ના સમગ્ર રેકેટનો પર્દાફાસ થયો હતો. વિઓ ૨: ભાવનગર જિલ્લામાં નશાકારક પ્રવાહીનું પીણા તરીકે વેચાણ કરતા ઇસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વરતેજ ના સીદસર ગામેથી પ્રોવિઝન સ્ટોર ધરાવતા જીગર ચાવડા નામના ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન પાલીતાણાના જીલન પારેખનું નામ સામે આવ્યું હતું, જીલન પારેખ આખા રેકેટમાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતો હતો, પોલીસે જીલન પારેખને ઝડપી લઈ વધુ પૂછપરછ કરતા ગારિયાધાર ખાતે બે સગા ભાઈઓ કોલન વોટરની ફેક્ટરી ચલાવતા હોવાની વિગતો બહાર આવી હતી, જેને લઈને પોલીસે ગારિયાધાર ખાતે રેડ કરતા કોલન વોટર નો મસમોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ખુશાલ માણીયા અને જીગ્નેશ માણીયા નામના બે ઇસમો ફેક્ટરીમાં જથ્થાબંધ કોલન વોટરને અલગ અલગ પ્રકારના સુગંધના લેબલો લગાવી બોટલોમાં કોલન વોટર ભરી વેચાણ કરતા હતા, તપાસ દરમ્યાન કોલન વોટરની 10932 બોટલ મળી આવી હતી, પોલીસે આ મામલે બંને ભાઈઓને ઝડપી લઈ વધુ પૂછપરછ કરતા પાલીતાણા અને મહુવામાં પણ કોલન વોટર નું નશાકારક પ્રવાહી તરીકે વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે બંને સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસ રેડ દરમ્યાન પાલિતાણામાં જીલન પારેખના તાબા માંથી કોલન વોટરની 9360 બોટલો મળી આવી હતી, તેમજ મહુવા ખાતેથી પણ મોહન રાઠોડ અને ભાવેશ ચાવડાના ઇસમો પાસેથી કોલન વોટરની 123 બોટલો મળી આવી હતી, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી, મહુવા ખાતે નોંધાયેલ ગુન્હામાં પ્રદીપ નામના આરોપી નું પણ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. વિઓ ૩: ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ચાલતો હતો નશાનો કાળો કારોબાર, જેમાં ખુશાલ માણીયા અને જીગ્નેશ માણીયા નામના બે ઇસમો ફેક્ટરીમાં જથ્થાબંધ કોલન વોટર મંગાવી તેને નાની નાની બોટલોમાં ભરી 70 રૂપિયાના ભાવે વેચાણ કરતા હતા, જેમાં પાલીતાણા નો જીલન પારેખ નામનો ઇસમ જે ભાવનગર, પાલીતાણા અને મહુવામાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે કોલન વોટર સપ્લાય કરતો હતો, બાકીના આરોપીઓ જીલન પારેખ પાસેથી નશાકારક કોલન વોટર મંગાવી 100 થી વધુના ભાવે વેચાણ કરતા હતા, પોલીસે અલગ અલગ ત્રણ ગુન્હામાં સંડોવાયેલા જીલન પારેખ સામે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી દરમ્યાન 20 લાખથી વધુ કિંમતની કોલન વોટરની 20 હજારથી વધુ બોટલો મળી આવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી તમામ ઇસમોને જેલ હવાલે કરી દીધા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અન્ય જિલ્લામાં પણ નશાના કાળા કારોબાર અંગે તપાસ હાથ ધરતા સુરત અને ભાવનગર માંથી વધુ બે શંકાસ્પદ ઇસમોની માહિતી મળતા વધુ તપાસ હાથ ધરી છે. વિઓ ૪: કોલન વોટરના આલ્કોહોલનું પ્રમાણ 63 થી 67 ટકા જેટલું હોય છે, મોટાભાગે તેને પરફ્યુમ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે પીવા લાયક હોતું નથી, તેમજ તેના સેવનથી લીવર, જઠર અને કિડની પર ગંભીર અસરો થતા તેનું સેવન કરનાર વ્યક્તિનું ટૂંકા ગાળામાં મોત પણ થઈ શકે છે, ગારિયાધારના બંને ઇસમો આ કેમિકલ મેળવવામાં કોઈ લાયસન્સ ની જરૂર ના હોય તેને નશાકારક પ્રવાહી તરીકે વેચાણ કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા હતા. પોલીસે નશાકારક પ્રવાહીના વેચાણના રેકેટનો પર્દાફાસ કરી છ આરોપીની ધરપકડ કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરતા તમામ ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બાઈટ: નિતેશ પાંડે, પોલીસ અધિક્ષક, ભાવનગર. (૧ અને ૨) હિન્દી બાઈટ સાથે.
0
comment0
Report
ARAlkesh Rao
Sept 23, 2025 14:30:10
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે FTP-2309 ZK BNK FORM PKG સ્લગ - ફોર્મ ચકાસણી બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણીને લઈ આજે ઉમેદવારોની ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની ચૂંટણી માટે 35 ઉમેદવારોના ફોર્મ મંજુર થયા છૅ. જો કે બનાસ ડેરી માટે 6 બેઠકો બિન હરીફ જાહેર થઈ છૅ.જોકે ફોર્મ ચકાસણી દરમ્યાન પાલનપુર બેઠક પર રાજકારણમાં ગરમાવો લાવતી ઘટના બની.પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના હરીફ ઉમેદવાર ભરત પટેલે વાંધો રજૂ કર્યો. પરંતુ ગણતરીના કલાકોમાં જ વાંધો પરત ખેંચી દેતા ભરત પટેલ પર પાર્ટી દબાણની વાતો વહેતી થઈ છૅ... એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયાને લઇ આજે ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે તે તમામ ઉમેદવારો આજે ફોર્મ ચકાસણી માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જોકે આ ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી બનાસ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવનાર પૂર્વ કેન્દ્રિય મંત્રી હરી ચૌધરી ના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત પટેલે વાંધો રજૂ કર્યો હતો. ભરત ચૌધરી એ ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધો રજૂ કરતા રાજકારણ ગરમાયું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમો અનુસાર ન કર્યો હોવાનો વાંધો રજૂ કર્યો હતો પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધો ભરત પટેલે પરત ખેંચી લીધો છે જોકે વાંધો પરત ખેંચવા મામલે ભાજપે ભરત પટેલને પ્રેશર કર્યું હોવાનું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે. જોકે પોતાનો વાંધો પરત ખેંચ્યા બાદ ભરત પટેલ મીડિયાથી બચવા ઉભી પૂંછડીએ ભાગ્યા. જ્યારે ભરત પટેલને વાંધા બાબતે પૂછ્યું તો ભરત પટેલે "નો કોમેન્ટ" નું નિવેદન આપી ચાલતી પકડી લીધી. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં છ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ 10 બેઠકોની ચૂંટણી માટે 29 ઉમેદવારો મેદાને રહયા છૅ. જોકે આવતી કાલથી ફોર્મ પરત ખેંચવાની શરૂઆત થશે ત્યારે કયા નેતા મેદાન છોડે છે અને ક્યાં નેતા મેદાનમાં રહે છૅ તે જોવું રહેશે... બાઈટ - પી જે ચૌધરી (દાંતીવાડા) ( આજે મારી ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. પાર્ટી જે નિર્ણય કરશે...) બાઈટ - તેજાભાઈ ભુરીયા (લાખણી) ( મેં મારું ફોર્મ આજે ચકાસણી કરાવી દીધી છે. લાખણીમાંથી બે ફોર્મ ભરાયા છે પાર્ટી જે નિર્ણય કરશે...) બાઈટ - બાબુભાઈ ચૌધરી(કાંકરેજ) ( કાંકરેજ માંથી મેં પાર્ટી પાસે ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી પાર્ટીનું મને ફોન આવ્યો છે...) બાઈટ-ભરત પટેલ-ઉમેદવાર -પાલનપુર વિભાગ (હું કઈ નહિ બોલું તમે અધિકારીને પૂછી લો) બાઈટ - મિહિર પટેલ (કલેકટર બનાસકાંઠા) ( બનાસ ડેરીની ચૂંટણીમાં છ બેઠકો બિનહરીફ થઈ છે હવે 35 ઉમેદવારોના..) અલકેશ રકવ - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 23, 2025 14:21:53
Porbandar, Gujarat:2309 ZK PBR TOPI FORMAT-PKG DATE-23-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો અન ખેલૈયાઓ ખાનગી ગરબીઓમાં રમવા જવાનુ પસંદ કરી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 101 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ખોટા ઘોંઘાટ વગર માત્ર દેશી ઢોલ અને મંઝીરાના નાદ સાથે ગરબા રમવામાં આવે છે.આ ગરબાની સૌથી મહત્વની વાત એ છે કે,અહી માત્ર પુરુષો જ ગરબી રમે છે છે અને ગરબે રમતી વખતે સૌ કોઈએ ટોપી પહેરવી ફરજીયાત છે.તો ચાલો જોઈએ પોરબંદરની આ અનોખી અને પ્રાચિન ગરબીની અન્ય શુ વિશેષતાઓ છે. વીઓ-1 રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી ખાનગી ગરબીઓનુ ચલણ વધ્યુ હોય અને યુવાનોમાં પણ આવી ગરબીઓમાં જવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે પોરબંદરમાં હજુ પણ એવી પ્રાચીન ગરબીઓનુ અસ્તીત્વ છે કે જેણે આજે પણ આપણી જુની સાંસ્કૃતિક અને પ્રાચિન પરંપરાને જાળવી રાખી છે.પોરબંદર શહેરમાં પ્રાચિન ગરબીની વાત આવે ત્યારે સૌ કોઈના મુખેથી એક જ નામ નીકળે છે અને તે છે ભ્રદ્રકાલીની ગરબી.છેલ્લા 101 વર્ષથી યોજાતી આ ગરબીની ખાસીયત એવી છે કે,આ ગરબીમાં ફક્ત પુરુષો ગરબે જ રમે છે અને તે પણ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ઈલેકટ્રોનિક યંત્રોના ઉપયોગ વગર.હાર્મોનીયમ અને દેશી ઢોલ અને મંજીરાના નાદ સાથે અહી ગરબા રમવામાં આવે છે.આ ગરબીમાં રમતા પુરુષો ભ્રદ્રકાલી માતાજીના ગરબા સ્વમુખે ગાય છે તો સામે યુવાનો પણ ગરબે ઘુમતા-ઘુમતા આ ગરબાને સ્વમુખે ઝીલતા જાય છે અને રમતા જાય છે.આ ગરબીની સૌથી વધુ આશ્ચર્ય વાત જો કોઈ હોય તો તે છે ટોપી.જી હા ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે.અહી ગરબા રમવા માટે ટોપી પહેરી ફરજીયાત છે અને ટોપી પહેરાવાની પરંપરા અંગે ગરબીના આયોજકેએ એવુ જણાવ્યુ હતુ કે,પહેલાના સમયમાં જ્યારે કોઈ શુભકાર્ય થતુ ત્યારે લોકો ટોપી પહેરતા તેથી અહીની ગરબીમાં પણ માતાજીની અમાન્યા જળવાઈ રહે તેવા હેતુથી ગરબીમાં ટોપી પહેરવી ફરજીયાત હોવાનુ આયોજક રામજી બામણીયાએ જણાવ્યુ હતુ.આ સિવાય આ ગરબીની અન્ય વિશેષતાઓ અંગે પણ જુઓ શુ કહ્યુ તેઓએ. બાઈટ-1 રામજી બામણીયા આયોજક,ભદ્રકાલી ગરબી મંડળ વીઓ-2 આજે ખાનગી ગરબીઓમાં મોંઘી ટીકીટો ખર્ચીને ગરબા રમવા જતા મોટા ભાગના યુવાનોમાં નિસ્વાર્થ અને દેશી પરંપરાગત ગરબે રમવાને બદલે તેઓને પ્રિન્સ-પ્રિન્સેસનો ખિતાબ મળે તે માટે રમતા જોવા મળે છે.ત્યારે પોરબંદરની ભદ્રકાલી ગરબીમાં દરકે વયના લોકો ખાનગી ગરબીઓમાં રમવા કે જોવા જવાને બદલે પોરબંદરની ભદ્રકાલી મંદિર જેવી પ્રાચિન ગરબીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી રમતા જોવા મળી રહ્યા છે.અને અહી રમીને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે તો આ જ પરંપરાને આગળ પણ જાળવી રાખશે તેવુ તેઓ જણાવતા જોવા મળી રહ્યા છે. બાઈટ-2 કેયુર વાજા ખેલૈયા,પોરબંદર બાઈટ-3 ચેતન બામણીયા ખેલૈયા,પોરબંદર વીઓ-3 આપણી સંસ્કૃતિની ધરોહર સમાન ભદ્રકાલી ગરબીને નિહાળતા એટલુ જરુર કહી શકાય કે,અહી ખેલૈયાઓ ગરબી રમાવાની સાથે માતાજીની આરાધના પણ કરતા હોય તેવી અનુભુતી થાય છે તેથી આવી સાંસ્કૃતિક ગરબીઓ આવનારી પેઢી જોઈ શકે તે માટે આવી ગરબીઓ ચાલુ રહે તેમજ યુવાનો પણ ખાનગી ગરબીઓનો મોહ થોડો ઓછા કરી આ ગરબીમાં રમીને આપણો વારસો જાળવે તે જરુરી છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 23, 2025 12:46:30
Gandhinagar, Gujarat:ગાંધીનગર સામાન્ય રીતે કોઈપણ રાજયકીય પદ અધિકારી, અધિકાર હોય તેનો ફોન ઉપાડવો જોઈએ કોઈ પરિપત્ર કરીને ફોન ઉપાડવા માટે‌ જણાવી તો એ જો હુકુમી કહેવાય સામન્ય રીતે પ્રોટોકોલ મુજબ ઉપરના અધિકારીનો ફોન આવે તો ઉપાડવો જોઈએ મુખ્યમંત્રી કાર્યાલય,મંત્રી કાર્યાલય માંથી સીધા જે તે અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય છે ઘણા અધિકારીઓ ફોન ગમે ત્યારે આવે ત્યારે ના ઉપાડવા જોઈએ તેવું માનતા હોય છે પરંતુ આપણે અધિકારી તરીકે ફોન ઉપાડવો જોઈએ અત્યારના સમયમાં પદાધિકારીઓનું સ્ટાન્ડર્ડ એવું થઈ ગયું છે કે લોકોમાં રૂવાબ પાડવા માટે ગમે તે ભાષામાં અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય છે એટલે ફોન નથી ઉપાડતા હોતા પદઅધિકારીઓએ કામની અગત્યતા અને સમય સંજોગ જોઈને ફોન કરવા જોઈએ પદઅધિકારીઓને ખબર જ નથી હોતી કે તેમનો પ્રશ્ન કયા વિભાગમાં આવે છે બાઈટ અનિલ પટેલ બાઈટ, નિવૃત્ત IAS અધિકારી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 12:09:13
Surat, Gujarat:એન્કર :અબોલ પશુ પક્ષીઓ અને માનવ જીવ માટે પણ પ્રાણઘાતક એવા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા બનાવતી ફેક્ટરી સુરત sog દ્વારા ઝડપી પાડવામાં આવી છે.સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આવેલી ફેક્ટરી પર દરોડા પાડી રૂપિયા 2.18 કરોડનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો શહેર sog દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.જ્યાં પાંડેસરા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.sog દ્વારા દોરીના સેમ્પલ તપાસ અર્થે fsl માં મોકલવામાં આવ્યા છે.જ્યાં રિપોર્ટ આવ્યા બાદ આગળનો વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. વી ઓ 1 :સુરતમાંથી ફરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું ઉત્પાદન કરતી ફેક્ટરી સુરત sog દ્વારા ઝડપી પાડવામાં આવી છે.sog દ્વારા માહિતીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 272 એ, ના એન્જલ મોનો ફિલામેન્ટ નામની કંપનીમાં સોમવારના રોજ છાપો માર્યો હતો.જ્યાં કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલા ગોડાઉનમાં રેડ કરી કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડળ ની અટકાયત કરવામાં આવી હતી.મેનેજર ને સાથે રાખી કંપની માં તપાસ કરતા ચાઈનીઝ દોરી નું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.જ્યાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો મટીરિયલ મળી કુલ 2.18 કરોડનો મુદ્દામાલ શહેર sog દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત એસઓજી દ્વારા માનવ જીવ અને અબોલ પક્ષીઓના જીવનને જોખમમાં મૂકે તેવા પ્રાણઘાતક અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.અહીં દસથી પંદર જેટલી મશીનરી પણ મળી આવી હતી.જ્યાં ફેક્ટરીમાં 60 જેટલા શ્રમિકો મશીનરી પર કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના જથ્થા અંગે જીપીસીબી, વન વિભાગ અને જીએસટી વિભાગને પણ શહેર sog દ્વારા જાણ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ તો મળી આવેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરા ની મજબૂતાઈ કેટલી છે,સિંથેટિક દોરો છે કે પછી અન્ય કોઈ અથવા કેટલો પ્રાણઘાતક દોરો છે કે કેમ ? તેની પણ ખરાઇ કરવામાં આવશે.તમામનો રિપોર્ટ આવ્યા બાદ BNS ની વિવિધ કલમ અને મનુષ્યવધ અંગેનો ગુન્હો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવશે. શહેર SOG ની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ ફેક્ટરીના માલિક કતારગામ વિસ્તારમાં રહેતા સંજય ઠાકરસિંહ ડુંગરાની છે.જે ફેક્ટરી માલિકના અન્ય એક ગોડાઉનમાં પણ lcb ઝોન 4 ની ટીમ દ્વારા અગાઉ છાપો મારી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યાં હવે શહેર sog ની ટીમે છાપો મારી કરોડોની કિંમતની ચાઈનીઝ દોરી સહિત મટીરિયલ નો મુદ્દામાલ કબ્જે કરી સંપૂર્ણ ફેક્ટરી શીલ કરી છે. બાઈટ :રાજદ્દીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog ) વી ઓ 2 :હાલ તો સુરત sog દ્વારા કરોડોની કિંમતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો સહિત મટીરીયલનો જથ્થો જપ્ત કર્યો છે.જ્યાં ત્રણ વિભાગોના રિપોર્ટ ની હવે વાટ જોવાઈ રહી છે.જે રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિક સહિત મેનેજર સામે મનુષ્ય વધ સુધીની કાર્યવાહી થઈ પણ થઈ શકે છે.જો કે શહેર sog ની સતર્કતાના પ્રાણઘાતક ચાઈનીઝ દોરાનો એ જથ્થો અન્ય રાજ્ય બહાર અથવા શહેરમાં સપ્લાય થાય તે પહેલાં ઝડપી પાડવામાં સફળતા મળી છે.જ્યાં ફેક્ટરી માલિક અમે કાર્યવાહી કરવાની દિશામાં પોલીસે તજવીજ હાથ ધરી છે. સુરત :- SOG ની સૌથી મોટી કાર્યવાહી. પાંડેસર વિસ્તાર માંથી ચાઈનીઝ દોરી નું મોટું કરાખાનું ઝડપી પાડ્યું. કરોડો રૂપિયા નો ચાઈનીઝ દોરીનો મુદામાલ જપ્ત કર્યો. SOG દ્વારા પાંડેસરામાં રેડ કરી ચાઈનીઝ દોરી ઝડપી રૂ 2.18 કરોડની ચાઈનીઝ દોરી કબ્જે કરાય SOG પોલીસ દ્વારા FSL ની મદદ લઈ કાર્યવાહી શરૂ કરી. ચાઈનીઝ દોરી પકડાઈ ત્યાં અગાઉ પોલીસે પકડ્યું હતું ગોડાઉન. DCP દ્વારા રેડ કરી ઉતરાણ પહેલા ચાઈનીઝ દોરી નો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાઈટ..રાજદીપસિંહ નકુમ..ડીસીપી
3
comment0
Report
TDTEJAS DAVE
Sept 23, 2025 12:01:02
Mehsana, Gujarat:મહેસાણા-પાટણના ખેડૂતોની ONGC અને કલેક્ટર સાથે બેઠક. જમીન સંપાદન, ભાડું અને રોજગારીના મુદ્દે રજૂઆત. ખેડૂતોએ ONGCના અધિકારીઓ સાથે બેઠક યોજી. ટેલિકોમ કંપની કરતાં 10 ગણું ઓછું ભાડું મળતું હોવાનો આક્ષેપ. ખેડૂતોના સંતાનોને નોકરી અને કોન્ટ્રાક્ટ આપવાની માંગ. એન્કર;- મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે ONGC સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી જમીન સંપાદન અને યોગ્ય વળતરના મુદ્દે શોષણ થતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટરની હાજરીમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોએ પોતાની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. વિઓ;-1 મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો આજે એક થયા અને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો. ONGC દ્વારા જમીન સંપાદન, ભાડું, પાઇપલાઇન અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને વર્ષોથી ચાલતા અન્યાયનો અંત લાવવા માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી. ખેડૂત નેતા અલ્પેશકુમાર પટેલના જણાવ્યા મુજબ, ONGC દ્વારા 30-40 વર્ષથી જે જમીનો હંગામી ધોરણે સંપાદિત કરાઈ છે. તેને કાયમી કરવી જોઈએ. આ ઉપરાંત, વર્તમાનમાં ONGC પ્રતિ ચોરસ મીટર ₹36.40નું નજીવું ભાડું ચૂકવે છે. જ્યારે ટેલિકોમ ટાવર કંપનીઓ આના કરતાં દસ ગણું વધારે ભાડું આપે છે. ખેડૂતોની માંગ છે કે આ ભેદભાવ દૂર થવો જોઈએ અને તેમને યોગ્ય ભાડું મળવું જોઈએ. બાઈટ;-અલ્પેશ પટેલ--------ખેડૂત આગેવાન વિઓ;-2 આ ઉપરાંત, ખેડૂતોએ પાઇપલાઇનના વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો. ખેતરોમાંથી પસાર થતી પાઇપલાઇનને કારણે જમીનની કિંમતમાં મોટો ઘટાડો થાય છે. તેથી, ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે પાઇપલાઇનવાળી જમીન માટે પણ ONGC પાસેથી ભાડું મળવું જોઈએ. એટલું જ નહીં, ખેડૂતોએ રોજગારીનો મુદ્દો પણ ભારપૂર્વક રજૂ કર્યો. તેમની માંગ છે કે જે ખેડૂતોની જમીન ONGC દ્વારા સંપાદિત કરવામાં આવી છે. તેમના લાયકાત ધરાવતા સંતાનોને ONGCના કોન્ટ્રાક્ટમાં નોકરી આપવામાં આવે. આ ઉપરાંત, લેન્ડ લુઝર ખેડૂતોની સંસ્થાઓને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે જેથી વધુમાં વધુ લોકોને લાભ મળી શકે. સમગ્ર મામલે યોગ્ય કરવા કલેક્ટર અને ONGC એ ખેડૂતોને સાંત્વના આપી હતી. બાઈટ;-સુનિલકુમાર-------ED ONGC બાઈટ;-એસ કે પ્રજાપતિ------કલેક્ટર આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર હાજર રહ્યા હતા. આ મુદ્દે ONGC દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ખેડૂતોને આશા છે કે આ બેઠકમાંથી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે અને વર્ષોથી ચાલી આવતા શોષણનો અંત આવશે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 11:51:37
Surat, Gujarat:એકર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લોભામણી લાલચ આપી નાના વરાછાના ડોક્ટર સહિત તેમના પરિવાર-મિત્રોને ૪.૨૩ કરોડનો ચૂનો ચોપડવાના કેસમાં ઈકો સેલે કચ્છ-અંજારના ભાદાણી દંપતીની ધરપકડ કરી હતી. વિઓ.1 નાના વરાછામાં ગંગાજમના સોસાયટી પાસે માતૃછાયા સોસાયટીમાં રહેતા વિકાસ વલ્લભ કાકડિયા હોમિયોપેથિક ડોક્ટર છે. કચ્છમાં રહેતા મિત્ર હસ્તક જયેશ પટેલ સાથે પરિચય થયો હતો. જયેશ પટેલે મોટાપાયે દેશભરમાં પરફ્યુમનો બિઝનેસ કરતો હોવાની પણ વાત કરી હતી. જયેશે બહારથી ૨૦૦૦-૨૫૦૦માં પરફ્યુમ મંગાવી ૧૦-૧૨ હજારમાં વેચે છે એવી પણ પણ ડંફાશ મારી હતી. તેઓની KKP Ring ટ્રેડર્સ નામની કંપની છે. જેમાં ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો બિઝનેસ ચાલે છે. રોકાણ કરશો તો દર મહિને ૪થી ૫ મહિને નફો મળશે એવી લાલચ આપી હતી. ડો. કાકડિયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૮૫ સ્લીપ થકી ૩.૭૮ કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે ૨.૭૧ કરોડ મળી જયેશ પટેલને ૬.૫૦ કરોડ રોકાણ પેટે આપ્યા હતા. જેમાંથી પ્રોફિટના ૨.૩૧ કરોડ આપ્યા હતા બાકીના ૪.૨૩ કરોડ ચૂકવવામાં આનાકાની કરાઈ હતી. જયેશે એમઆઈ કંપનીનો ફોન આપી ઓફલાઈન બિટકોઈન વોલેટમાં ૫ બિટકોઈન સિક્યોરિટી પેટે આપ્યા હોવાનો ઝાંસો આપ્યો હતો. જે એપ ચેક કરાવતા ફેક હોવાનું માલૂમ પડયું હતું. ગત વર્ષે નવરાત્રિમાં જયેશના ઘરે જઈ ઉઘરાણી કરી તો જયેશ, તેની માતા અને પત્નીએ એલફેલ બોલી ધાક-ધમકી આપી તેઓને તગેડી મૂક્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા ડો. કાકડિયાએ ક્રાઈમ બાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં જયેશ પટેલ, તેની પત્ની દીપા અને માતા કસ્તુરબેન સામે રૂપિયા ૪.૨૩ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં ઈકો સેલે ગતરોજ જયેશ હસમુખ પટેલ (ભાદાણી) અને તેની પત્ની દીપાની ધરપકડ કરી હતી. બાઈટ..કરણરાજ વાઘેલા. ડીસીપી
3
comment0
Report
GPGaurav Patel
Sept 23, 2025 10:33:47
0
comment0
Report
MDMustak Dal
Sept 23, 2025 10:32:57
Jamnagar, Gujarat:તા.23-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં સાંસદ દ્વારા સેવા યજ્ઞ Slug : 2309 ZK JMR MP POONAM MADAM ફોર્મેટ : AVBB લોકેશન : જામનગર એન્કર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો આજે જન્મદિવસ હોય ત્યારે આ બંને કાર્યક્રમોની સેવા યજ્ઞ સાથે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે જામનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. વિઓ : 01 જામનગર શહેરમાં આવેલ ઓસવાળ સેન્ટર ખાતે આજે હાલારના સૌથી મોટા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. જ્યારે મહારક્તદાન કેમ્પનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ રક્તદાન કર્યું છે. વિઓ : 02 સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત આ મહા સેવા યજ્ઞમાં આજે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભવો રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. વિઓ : 03 જ્યારે હાલારમાં અતિ લોકપ્રિય બનેલ સાંસદ ખેલ મહોત્સવને પણ આજે સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આગામી દિવાળી સમયથી આ સાંસદ ખેલ મહોત્સવ શરૂ થવાનો હોય અને અત્યાર સુધીમાં 35,000 થી પણ વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂકેલો હોય ત્યારે આજે સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે અને ખાસ સેવા સપ્તાહ અંતર્ગત આજે સાંસદ ખેલ મહોત્સવને પણ ખુલ્લો મુકવામાં આવ્યો. બાઈટ : સાંસદ પુનમબેન માડમ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 10:04:47
Surat, Gujarat:2309ZK_SRT_WHEAL_MACHHALI એન્કર :સુરતમાંથી ફરી એક વખત ફ્લોટિંગ ગોલ્ડ સાથે ત્રણ આરોપીઓને શહેર SOG એ ઝડપી પાડ્યા છે.આંતરાષ્ટ્રીય બજારમાં એ ફ્લોટિંગ ગોલ્ડ ની કિંમત કરોડો માં આંકવામાં આવી રહી છે.જ્યાં રૂપિયા પાંચ કરોડથી વધુની કિંમતના ફ્લોટિંગ ગોલ્ડ (સ્પર્મ વહેલ માછલીની ઉલટી) કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં બે વેરાવળ ના વતની છે, જે લોકોને વેરાવળ ના દરિયા કાંઠેથી આ ગોલ્ડ ફ્લોટિંગ મળ્યું હતું.જ્યારે ત્રીજો આરોપી નવસારી નો વતની છે.જે સુરત વેચવા આવતા શહેર sog એ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વી ઓ 1 :આજકાલ સ્પર્મ વહેલ માછલી ની ઊલટી ની બજારમાં કરોડો ની કિંમત આંકવામાં આવે છે.જે કારણ છે કે કેટલાક તત્વો સ્પર્મ વહેલ માછલી ની ઊલટી વેચી રોકડી કરવાના ઇરાદા સાથે ગ્રાહકોની શોધમાં ફરતા હોય છે.આવું જ કંઈક જોવા મળ્યું છે ડાયમંડ સિટી સુરતમાં.જ્યાં ફરી એક વખત શહેર sog એ કરોડોની કિંમતની સ્પર્મ વહેલ માછલી ની ઊલટી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.જેમાં બે આરોપીઓ મૂળ વેરાવળ ના વતની છે. સુરત sog ની માહિતી મળી હતી કે મૂળ વેરાવળ થી સ્પર્મ વહેલ માછલીની ઉલટી (ફ્લોટિંગ ગોલ્ડ) વેચવા ત્રણ શખ્સો અડાજણ ના પાલ વિસ્તારમાં ફરી રહ્યા છે.જે માહિતીના આધારે sog ની ટીમે વોચ ગોઠવી મૂળ વેરાવળના વતની મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ મુલાઉ સહિત નવસારી મરોલીના ઉસામાં ખાન પઠાણ ને ઝડપી પાડ્યા હતા.જે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તલાશી લેતા સ્પર્મ વહેલ માછલી ની ઊલટી મળી આવી હતી.fsl અને વન વિભાગને સાથે રાખી તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ પદાર્થ સ્પર્મ વહેલ માછલીની ઉલટી ( ગોલ્ડ ફ્લોટિંગ )હોવાનું સામે આવ્યું હતું.જેની આંતરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત 5 કરોડથી વધુની હોવાનું સામે આવ્યું હતું. સ્પર્મ વહેલી માછલી ની ઊલટી વેચવા આવેલા ત્રણેય સખાઓ ને ઝડપી પાડી શહેર sog એ વધુ પૂછપરછ હાથ ધરી હતી.જ્યાં આરોપી મોઇનુદ્દીન મન્સૂરી અને વસીમ મુલાઉ ને આ ઉલટી વેરાવળ ના દરિયા કાંઠેથી મળી હોવાની કબુલાત કરી હતી.વેરાવળ.માં કોઈ ગ્રાહક ન મળતા નવસારી રહેતા આરોપી ઉસામાં ખાન પઠાણ નો સંપર્ક કર્યો હતો.જે આરોપીએ સુરત ખાતે ગ્રાહક કરી ઊલટી વેચી આપવાનું કહેતા બંને વેરાવળ થી સુરત આવ્યા હતા.જ્યાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ તપાસ શહેર sog એ હાથ ધરી હતી. બાઈટ :રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog ) વી ઓ 2 સ્પર્મ વહેલ માછલી ની ઊલટી ની ગેરકાયદે તસ્કરી મામલે સુરત sog દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં આ બીજો ગુન્હો દાખલ કરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમ હમણાં સુધી દસ કરોડથી વધુ ની કિંમત ધરાવતી સ્પર્મ વહેલ માછલીની ઉલટી (ગોલ્ડ ફ્લોટિંગ )કબ્જે કરવામાં આવી છે.જેની તસ્કરી કરવી વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ કાયદેસરનો ગુન્હો બને છે.જેમાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ છે.ભારતમાં સ્પર્મ વહેલ માછલીની તસ્કરી અને વેચાણ પર પ્રતિબંધ છે.જેના કારણે શહેર sog દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.આ સાથે જ sog દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જો આવી કોઈ તસ્કરી લોકો કરતા હોય તો સામેથી આવી પોલીસને જાણ કરે.અન્યથા પોલીસ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. સુરત બ્રેકિંગ સુરત એસોજીને મળી મોટી સફળતા વેલ માછલી ની ઉલટી (એબરગ્રીસ ) ઝડપી પાડવામાં આવ્યું SOG પોલીસે પાલ વિસ્તાર માંથી 3 લોકો કરી ધરપકડ પોલીસે 5 કિલો અદાજીલ 5 કરોડ મુદ્દામાલ કર્યો કબ્જે આરોપી આ એબરગ્રીસ વેરાવળ લઇને સુરત વેચવા આવ્યા આ સમગ્ર ઘટના પોલીસ કમિશનર તેમના બાતમીદર બાતમી આપી હતી અને પોલીસ કમિશનર sog પોલીસ રેડ કરી આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા બાઈટ.. રાજદીપ સિંહ નકુમ. ડીસીપી
0
comment0
Report
MDMustak Dal
Sept 23, 2025 10:02:48
Jamnagar, Gujarat:તા.23-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : શાળાઓની તાનાશાહી Slug : 2309 ZK JMR SCHOOL VIVAD ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગર શહેરમાં એક ખાનગી અને એક સરકારી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે તાનાશાહી કરી હોય તેવી ઘટના સામે આવી છે. જેના પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે. જામનગર નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સ્પોટ ટીચરે તેમજ નવાનગર હાઇસ્કુલના શિક્ષકે વિદ્યાર્થીના શિસ્ત ભંગના પગલે માથાના વાળ કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. વિઓ : 01 જામનગર નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે ત્યારે જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરની તાનાશાહીના પગલે શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વાળમાં તેલ નહીં નાખવાના શિસ્ત ભંગના કારણે સ્પોર્ટ શિક્ષક ધનંજયે એ બ્લેડથી વાળ કાપ્યા નાખ્યા હતા. વિઓ : 02 જ્યારે આ સમગ્ર ઘટનાના પગલે વિદ્યાર્થીના વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી અને આ મામલે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી શાળાના શિક્ષક અને સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. જોકે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓએ મીડિયા સમક્ષ આવવા માટે ઇન્કાર કર્યો હતો. વિઓ : 03 જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વાલીઓની ફરિયાદના આગલે આ સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરવાનું આશ્વવાસન આપ્યું છે અને જે રીતે શિક્ષકો દ્વારા શિષ્ત ભંગના પગલે વિદ્યાર્થીઓને માથાના વાળ કાપી નાખવા સહિતની જે સજા આપવામાં આવી છે તેની નિંદા કરી હતી અને આ મામલે વિદ્યાર્થીઓ અને તેના વાલીને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વિઓ : 04 જામનગરનું સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. Zee 24 કલાક દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ માં સરેઆમ વિદ્યાર્થીઓને ચોરી કરવામાં આવતી હોવાની ઘટનાને ઉજાગર કરવામાં આવી હતી. જોકે આ વખતે પણ ચોથા ધોરણમાં અભ્યાસ કરતા એક બાળક સાથે શિક્ષકે તાનાશાહી કરતા સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલના સ્કૂલના ડાયરેક્ટર સસીબેન દાસે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે જે સ્પોટ શિક્ષકે વિદ્યાર્થી સાથે આ પ્રકારનું કાર્ય કર્યું છે તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને અન્ય શિક્ષકો સાથે પણ મિટિંગ યોજી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. બાઈટ : વિપુલ મહેતા, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જામનગર બાઈટ : શશીબેન દાસ, ડાયરેક્ટ ઓફ એજયુકેશન, સ્વામીનારાયણ ગુરુકુળ, જામનગર
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top