Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

द्वारका में अवैध इमारतें ध्वस्त, दो धार्मिक साइटें भी बेहाल!

LJLakhani Jaydeep
Sept 13, 2025 18:45:41
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને ગેરકાયદેસર રીતે ચાલતા ભવનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ડિમોલિશનમાં બે ધાર્મિક સ્થળો સહિત અન્ય ગેરકાયદેસર બાંધકામોનો પણ સમાવેશ થાય છે. રહેણાંક વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. WKT
8
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 13, 2025 18:45:52
Ahmedabad, Gujarat:અમદાવાદ બોડકદેવ વિસ્તારમાં આવેલ શાંદીપની ગાર્ડન પાસેનો બનાવ સગુન 2 બિલ્ડીંગ નો કેટલોક ભાગ થયો ધારાશાયી ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બોડકદેવમાં સગુન 2 બિલ્ડીંગનો કેટલોક ભાગ તૂટી ગુરુકૃપા એપાર્ટમેન્ટ સાઈડ બે મકાન ઉપર પડ્યો પહેલા માળે આવેલ 4 નંબર ના મકાન નો શેડ તૂટ્યો જ્યારે બીજા માળના 7 નંબર ના એક રૂમ ની દીવાલ તૂટી 7 નંબર ના મકાનમાં 98 વર્ષના માજી રહેતા હતા તે આજે ન રહેતા મોટી દુર્ઘટના ટડી સગુન 2 બિલ્ડીંગ જર્જરિત અને નોટિસ આપી છતાં ન ઉતારતા બનાવ બન્યાના આક્ષેપ સગુન 2 જર્જરિત બીડલિંગ 15 વર્ષથી બંધ હાલતમાં એક મહિના પહેલા શરદ રામી નામની વ્યક્તિએ બિલ્ડીંગ ઉતારવાનું કામ શરૂ કર્યું આજે બિલ્ડીંગ ઉતારવાનું કામ ચાલતી વખતે બનાવ બન્યાના લોકોના આક્ષેપ ઘટના બની છતાં બિલ્ડીંગ ઉતારનાર વ્યક્તિ હાજર ન થયાના લોકોના આક્ષેપ હાલ કોઈ જાનહાની ના સમાચાર નહિ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડે એસ્ટેટ વિભાગને કરી જાણ એસ્ટેટ વિભાગ બિલ્ડીંગ ઉતારવા માટે મંજૂરી લીધી હતી કે કેમ તેની માહિતી મેળવી જરૂર જણાય ત્યાં કાર્યવાહી કરવા ખાતરી અપાઈ સ્થાનિકોએ સેફટી બાબતે ઉઠાવ્યા સવાલ અનેક નોટિસ મળી છતાં હાલ સુધી કઈ ન કર્યું અને આજે શેફ્ટ ના અભાવે બનાવ બન્યાના લોક આક્ષેપ બપોરે બનેલી ઘટનામાં નુકશાન કારક મકાન ધારકે જ્યારે મકાન ખોલ્યુ ત્યારે ઘટનાની ગંભીરતા જણાઈ ઘટનાના cctv ફૂટેજ પણ આવ્યા સામે ઘટનામાં jcb ને પણ નુકશાન થયું વિઝ્યુલ અને 121 મકાન માંથી 121 અલગ હિન્દી બાઈટ અલગ સલગ. બિલ્ડીંગ કોલેપ્સ ફીડ. લાઈવ કીટ
6
comment0
Report
LJLakhani Jaydeep
Sept 13, 2025 18:45:25
Dwarka, Gujarat:વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં કરુણ મોત થયા છે. માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા મહેમુદ જાફર લુચાણી અને નસિમા સિલેમાન પટેલીયા, જેઓ પરિવારના સભ્યો હતા, તેઓ બાઇક પર ધંધા અર્થે સિક્કા જઈ રહ્યા હતા. આ દરમિયાન, એક બેફામ ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા, જેના પરિણામે ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા. વીઓ 02 :- અકસ્માતની જાણ થતાં જ દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, બંને મૃતકો રૂપેણ બંદરના રહેવાસી હોવાનું અનુમાન છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
8
comment0
Report
GKGovindbhai Karmur
Sept 13, 2025 16:00:24
Khambhalia, Gujarat:*Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* જામ ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં પલટો, અચાનક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જામ ખંભાળિયા લાંબા સમયના વિરામ બાદ જામ ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગત મોડી સાંજે પંથકના ગ્રામીણ વિસ્તારો જેવા કે ભાડથર, લાલુકા, સેઢા ભાડથર સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. ચોમાસાના અંતિમ તબક્કામાં અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ સમય સિંચાઈ માટે અત્યંત મહત્ત્વનો ગણાય છે. હાલમાં ખેતરોમાં ઊભા પાક, જેમ કે કપાસ અને મગફળી, સુકાઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદે પાકને નવજીવન આપ્યું છે. વરસાદના કારણે પાકને સમયસર પાણી મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખેતી પાકને ફાયદો થતાં ખેડૂતો હવે સારા ઉત્પાદનની આશા રાખી રહ્યા છે. જગતના તાત માટે આ વરસાદ ખરેખર જીવતદાન સમાન સાબિત થયો છે.
9
comment0
Report
DRDarshal Raval
Sept 13, 2025 15:45:37
Ahmedabad, Gujarat:भारत-पाकिस्तान एशिया कप मैच को लेकर विरोधकल दुबई में होने वाले मैच से पहले विरोध अहमदाबाद में AIMIM पार्टी का विरोध कल होने वाले इंडिया वर्सेज पाकिस्तान क्रिकेट मैच का बहिष्कार करने के लिए विरोध प्रदर्शन बैनर और नारों के साथ दर्ज किया विरोध पाकिस्तान मुरदाबाद और हिंदुस्तान जिंदाबाद के लगाए नारे पाकिस्तान द्वारा किए गए आतंकी हमलों के बाद पाकिस्तान के साथ मैच नहीं खेलना चाहिए, ऐसी मांग पाकिस्तान के साथ कोई संबंध नहीं रखना चाहिए, ऐसी AIMIM पार्टी की मांग अंबेडकर दारवाजा पर सड़क रोककर नारे लगाकर दर्ज किया विरोध विजुअल: 121 और हिंदी बाइट ભારત પાકિસ્તાન એશિયા કપ મેચને લઈને વિરોધ આવતી કાલે દુબઈમાં મેચ યોજય તે પહેલાં વિરોધ અમદાવાદમાં AIMIM પાર્ટી નો વિરોધ કાલે યોજાનારી ઇન્ડિયા vs પાકિસ્તાન ક્રિકેટ મેચ નો બાયકોટ માટે વિરોધ પ્રદર્શન બેનરો અને સુત્રોચાર સાથે નોંધાવ્યો વિરોધ પાકિસ્તાન મુરદાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદ ના લાગ્યા નારા પાકિસ્તાને કરેલા આતંકી હુમલા બાદ પકીસ્તાન સાથે મેચ ન રમાવી જોઈએ તેવી માંગ પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ તેવી aimim પાર્ટીની માંગ આસ્ટોડીયા દરવાજા પર રસ્તો રોકી સુત્રોચાર કરી નોંધાવ્યો વિરોધ વિઝ્યુલ. 121 અને હિન્દી બાઈટ સલગ. Ahd પ્રોટેસ્ટ ફીડ. લાઈવ કીટ
11
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 13, 2025 15:45:30
Sadhara, Gujarat:માંડવીમાં સોડાએશ માટે GHCLની પર્યાવરણ મંજૂરીને પડકારતી અપીલ NGT સાંભળશે પર્યાવરણ મંજૂરીને પડકારવા થયેલી અપીલ ફગાવી દેવાની GHCLની માગ ફગાવાઈ કચ્છના માંડવીમાં બાડા ગામે સોડાએશ અને સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદનનો પ્રોજેક્ટ છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (GHCL)ને કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે સોડાએશ અને સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરવા કેન્દ્ર સરકારે આપેલી પર્યાવરણીય મંજુરીને પડકારતી અપીલ સાંભળવા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ(NGT)ની પૂણે ખાતેની પશ્ચિમ ઝોનની ખંડપીઠે બહાલી આપી છે અને આવી અપીલ ફગાવી દેવાની જીએચસીએલની માગ ફગાવી તેને કોઈ જ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અધ્યક્ષ, જસ્ટીસ દીનેશ કુમાર સિંઘ ન્યાયિક સભ્ય અને ડૉ. વિજય કુલકર્ણી, નિષ્ણાત સભ્યની ખંડપીઠે પોતાના વિસ્તૃત હુકમમાં તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ જીએચસીએલ સામે થયેલી આવી અપીલ કરવાનો અરજદારને કોઈ હક જ નથી બનતો તે માત્ર આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના પ્રયાસરૂપ હોવાની રજૂઆત ફગાવી દીધી હતી અને અગાઉ આ જ મુદ્દે થયેલી અપીલ સાથે જ ૧૭મી નવેમ્બર, ૨૦૨૫ના દિવસે આ અપીલની સુનાવણી યોજવાનો હુકમ કર્યો હતો. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડનો એવો દાવો હતો કે, આ જ પ્રકારની દલીલો, ગ્રાઉન્ડ રજૂ કર્યાની સાથે બીજી પણ આવી જ અપીલ ફાઈલ કરવામાં આવી છે. આથી જો આ અપીલ પણ સાંભળવામાં આવશે તો ટ્રિબ્યૂનલની કાર્યવાહી બેવડાશે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ અપીલ માત્ર કંપનીના આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના ઈરાદે થયેલી છે અને કોડ ઑફ સિવિલ પ્રોસિજર, ૧૯૦૮ના ઓર્ડર ૨, નિયમ ૨ અન્વયે પણ જે સિદ્ધાંત નિશ્ચિત કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખી ટકી શકે તેમ નથી અને અપીલ આ તબક્કે જ ફગાવી દેવી જોઈએ. જો કે, સામે અપીલ કરનાર પક્ષે એવી દલીલ કરી હતી કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ એક્ટ, ૨૦૧૦ની કલમ ૧૬ મુજબ, કોઈપણ અસરગ્રસ્ત વ્યક્તિને કલમ ૧૬ હેઠળ થયેલા હુકમને પડકારતી અપીલ કરવાનો સંપૂર્ણ અધિકાર મળેલો છે. આ અપીલ કલમ ૧૬(એચ) હેઠળ મળેલી પર્યાવરણીય મંજુરીને પડકારતી હોવાની હકીકત બિનવિવાદિત હોવાથી અપીલની સુનાવણી થવી જ જોઈએ. बाइट : लक्ष्मण के गढ़वी सामाजिक अग्रणी National Green tribunal मै अपील करता બાઈટ : વાંકાજી રાઠોડ ડેરીની વ્યવસાય બાઈટ : બાબુલાલ ખેડૂત અને પૂર્વ સરપંચ બાળા ગ્રામ પંચાયત બાઈટ : લક્ષ્મણ ગઢવી સામાજિક અગ્રણી અને એન.જી.ટીમાં ghcl સામે અપીલ કરતા
6
comment0
Report
GKGovindbhai Karmur
Sept 13, 2025 14:48:20
Bhanvad, Gujarat:*Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દ્વારકા જિલ્લાના ભાણવડ અને આસપાસના વિસ્તારમાં મેઘમહેર મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને તેની આસપાસના ગામોમાં આજે સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું. ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ખાસ કરીને મગફળીના પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત હતી. આ વરસાદને કારણે મગફળીના પાકને જીવતદાન મળ્યું છે અને ઉત્પાદન સારું થવાની આશા વધી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદ ન થવાને કારણે પાક હાલ પાણી જરૂર હોઈ વરસેલા વરસાદથી આ ચિંતા દૂર થઈ છે. આ વરસાદે ફક્ત ખેડૂતોના ચહેરા પર જ નહીં, પરંતુ તેમની મહેનત પર પણ સ્મિત લાવ્યું છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો હતો
10
comment0
Report
PTPremal Trivedi
Sept 13, 2025 14:46:13
Patan, Gujarat:એન્કર.. પાટણના પદ્મનાભ ચાર રસ્તાથી અંદરના ભાગે જવાના માર્ગ ઉપર 20થી વધુ સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓને જોડતો એકમાત્ર રોડ છે જે રોડ ઉપર મસ મોટા ખાડાઓ પડવા પામ્યા છે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રને ખાડાઓ પુરવા માટે રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ ન કરાતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે ત્યારે વિસ્તારના રહીશોએ આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી જે સંદર્ભે આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના કાર્યકરો સાથે પદ્મનાથ ચાર રસ્તાથી અંદરના ભાગે આવેલ વોર્ડ 11 જે પાલિકા પ્રમુખ અને ચેરમેન નો વિસ્તાર છે જેમાં સદુર વીલા, યસ ગ્રીન સોસાયટી સહિતની અનેક સોસાયટીઓનો મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને ઉતર્યા હતા તેઓએ હાથમાં પાવડો લઈ આરસીસી ટ્રી મિક્સ થી ખાડાઓનું પુરાણ કર્યું હતું ધારાસભ્યની આ કામગીરીની આ વિસ્તારની સોસાયટીના રહીશોએ સરાહના કરી હતી તો આ મામલે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે પાટણ પાલિકા એ ઠરાવ કર્યો છે કે સાંસદ કે ધારાસભ્ય ની 20% થી વધુ ની ગ્રાન્ટ ન સ્વીકારવી જો પાલિકા તૈયાર હોય તો હું મારી ગ્રાન્ટ આ વિસ્તાર ના રોડ રીપેર કરવા આપવા તૈયાર છું બાઈટ. 1 to 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ સાથે બાઈટ. 1. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ બાઈટ. 2.વિજય રાજગોર. સ્થાનિક બાઈટ 3.પિયુષ દરજી. સ્થાનિક
8
comment0
Report
DRDarshal Raval
Sept 13, 2025 12:21:53
Ahmedabad, Gujarat:અમદાવાદ પ્રધાનમંત્રીના જન્મ દિવસ પહેલા શરૂ થઈ ઉજવણી ગાંધીનગર અમિયાપુર ખાતે તપોવન સંસ્કાર પીઠ ખાતે કરાઈ ઉજવણી તપોવન સંસ્કાર પીઠ ખાતે મોદી સંકલ્પ યાત્રા કાઢી બાળકોના વક્તવ્ય સાથે કરાઈ ઉજવણી યાત્રામાં 400 થી વધુ બાળકો જોડાયા યાત્રા દરમિયાન ગ્રેટિંગ કાર્ડ લખી બાળકોએ હૃદયના ભાવ પ્રગટ કર્યા રાષ્ટ્ર એકતા. Pm કાર્ય અને ટેરીફ સહિતના મુદા કાર્યક્રમમાં આવરી લેવાયા ઇલેક્શન માટે નહીં પણ જનરેશન માટે pm એ કામ કર્યું. આયોજક ઓનલાઈન ગેમ બેન્ડ અને ott પ્લેટફોર્મ બેન્ડ સાથે મોટા નિર્ણય લીધા. આયોજક સેવ કલચર સેવ ભારત અને તપોવન સંસ્કાર પીઠ સંસ્થાનું સંયુક્ત આયોજન ફોરેન પોલિસી રાષ્ટ્રીય સૂરક્ષા સહિત અનેક સિદ્ધિ અપાવતા pm એ કામ કર્યું. આયોજક Pm ના 11 વર્ષ કાર્યકાળમાં ભારતને એક આગવું સ્થાન મળ્યું. આયોજક વડનગરના સપૂત દેશના સપૂત બન્યા છે. આયોજક Pm ના કાર્ય અને સીધી લોકો સુધી પહોંચે તે માયે કરાયું મોદી સંકલ્પ યાત્રા નું કરાયું હતું આયોજન બાઈટ. ઉદય માહુરકર. આયોજક ગુજરાતી અને હિન્દી બાઈટ બાઈટ. અભય શાહ. આયોજક સલગ. તપોવન યાત્રા ફીડ. લાઈવ કીટ
13
comment0
Report
NDNavneet Dalwadi
Sept 13, 2025 12:16:40
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૩/૦૯/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: વડાપ્રધાન મોદીના ભાવનગરમા આગમન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ. એન્કર/વિઓ: આગામી 20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મેરી ટાઈમ બોર્ડ અંગે જહાજના બ્રેકિંગ, રિસાયક્લિંગ અને રીપેરીંગ તેમજ શિપ બિલ્ડીંગ સહિતના વિષયો માટે નવી પોલીસની જાહેરાત કરે એવી શક્યતા છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન સીએનજી પોર્ટનું ખાતમુહૂર્ત, વ્હીકલ સ્ક્રેપયાર્ડ તેમજ મથાવડા નજીક નવું શિપ બ્રેકિંગ યાર્ડ બનાવવાની જાહેરાત કરી શકે છે. ભાવનગરના વિશાળ દરિયાકાંઠાની જમીન પર પર્યટન ઉદ્યોગ વિકાસ પામે તેમ જ ધોલેરા સરને અનુલક્ષીને સાગરમાલા પ્રોજેક્ટ નીચે રેલવે સુવિધા ને અદ્યતન બનાવવાની જાહેરાત પણ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાવનગર ખાતે 1.50 લાખ કરોડના જુદા જુદા એમ.ઓ.યુ થવાના છે. જેમાં શિપ બિલ્ડીંગ, શિપ બ્રેકિંગ, શિપ રીપેરીંગ, વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને મીઠા ઉદ્યોગને લગતા એમ.ઓ.યુ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે થવાના છે. આ સાથે ભાવનગર શહેરમાં ચાલતા વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થવાના છે. ભાવનગરનો પ્રથમ ફ્લાય ઓવર શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે સત્તાવાર રીતે ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, વડાપ્રધાનના આગમન સમયે મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધીનો રોડ શો યોજવા સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં માત્ર ભાવનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પંથક સહિત પાંચ જિલ્લાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને દિલ્હીથી ખાસ અધિકારીઓ દોડી આવ્યા હતા, તેમજ સભા સ્થળની મુલાકાત લઈ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા, તેમજ સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી કાર્યક્રમ અંગે જીણવટ પૂર્વકની માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. ખાસ તો એરપોર્ટથી સભા સ્થળ જવાહર મેદાન સુધીના તમામ રોડ નવા બનાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંગે ભાવનગર કલેક્ટર મનીષકુમાર બંસલે માહિતી આપી હતી. બાઈટ: મનીષકુમાર બંસલ, કલેકટર, ભાવનગર. વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
13
comment0
Report
AKArpan Kaydawala
Sept 13, 2025 12:01:21
Ahmedabad, Gujarat:1309ZK_AHD_ASALALI_MURDER એન્કર ઘરકંકાસથી તંગ આવીને પતિએ પત્નીની કરી હત્યા. ગળે ટુંપો આપીને હત્યા કર્યા બાદ પોલીસને જાતે જ ફોન કરી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવા માટેનો પ્રયત્ન કર્યો. જો કે શરૂઆતથી જ પતિની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસની ઉલટ તપાસમાં પતિની કરતુતોનો ભાંડો ફુટી ગયો હતો. અને તેણે જ ગળે ટુંપો આપીને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે..અસલાલી પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.. વીઓ અસલાલીના ભાત ગામમાં 11મી સપ્ટેમ્બરના દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. વિક્રમ રાવળ નામના યુવકએ તેની પત્નીની ગળે ટુંપો આપી દઇ હત્યા કરી દીધી છે. જો કે હત્યા કર્યા બાદ વિક્રમરાવળએ જ પોલીસને ફોન કરીને તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અસલાલી પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. પોલીસને યુવતીનો મૃતદેહ નિવર્સ્ત્ર હાલતમાં ખાટલા પર જોવા મળ્યો હતો. અને તેના ગળાના ભાગે સામાન્ય ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતાં. જેથી પોલીસને આત્મહત્યાની વાત ગળે ઊતરતી ના હતી. શરૂઆતથી જ પોલીસને વિક્રમ રાવળ શંકાસ્પદ લાગતો હતો. જેથી પોલીસએ ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં વિક્રમની કરતુતોનો પર્દાફાશ થઇ ગયો હતો.અને તેણે આ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. બાઇટ - તપનસિંહ ડોડિયા, ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય વીઓ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંન્નેએ ચારેક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં..લગ્ન જીવન દરમિયાન એક ત્રણ વર્ષની દીકરી અને પાંચ મહીનાનો પુત્ર પણ છે..જો કે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં. જેથી યુવતી કર્યારેક રિસાઇ તેના પિતાને ત્યાં પણ આવતી હતી. પોલીસની પૂછપરછમાં વિક્રમનું કહેવું છે કે તેની પત્નીને માનસિક બીમારી હતી. અને અવાર નવાર ઝઘડા કરતી હતી. ક્યારેક ઝઘડો થાય ત્યારે તે જાતે જ નિવર્સત્ર થઇ જતી હતી. તેના પાંચ મહીનાના પુત્રની પણ હત્યા કરી દેવાની અનેક વખત ધમકી આપતી હતી. એક વખત તેને છરીના ઘા મારવાના પણ પ્રયત્ન કર્યા હતાં. જેથી અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે. તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી વિક્રમ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. અને અવાર નવાર તેની સાથે મારજુડ કરીને ત્રાસ આપતો હતો. બાઇટ - મનુભાઇ રાવળ, ફરીયાદી વીઓ હાલમાં પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી વિક્રમ રાવળની પોલીસે ધરપકડ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકે છે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા , અમદાવાદ
13
comment0
Report
DPDhaval Parekh
Sept 13, 2025 11:46:20
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS ADIVASI RELY નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : ગુજરાત સહિત ગુજરાતના આદિવાસીઓના અધિકારની માંગ સાથે આજે નવસારીના ગ્રીડથી લુન્સીકુઈ સુધી આદિવાસી સંગઠનોની આગેવાનીમાં આદિવાસીઓએ રેલી કાઢી, આદિવાસીઓને થતી કનડગત, નવા પ્રોજેક્ટને કારણે વિસ્થાપિત થવાનો ડર તેમજ બોગસ આદિવાસી પ્રમાણપત્રો જેવા પ્રશ્નોને લઇ આદિવાસીઓને જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો હતો. વી/ઓ : સમગ્ર વિશ્વ 13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવે છે. ત્યારે પોતાના હક્ક અને અધિકાર માટેની લડાઈ માટે પોતાના માણસોને જાગૃત કરવા માટે આજે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, સાચા આદિવાસી બચાવ અધિકાર સમિતિ, ગુજરાત રાજ્ય અને આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારીના સંયુક્ત ઉપક્રમે આદિવાસી અધિકાર દિવસ ઉજવાયો હતો. પ્રથમ નવસારીના ગ્રીડથી બિરસા મુંડા સર્કલ સુધી રેલી કાઢી, આગેવાનોએ ભગવાન બિરસા મુંડાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ આદિવાસીઓના હક્ક અને અધિકારીઓની માંગ સાથેનું એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યું હતુ. ત્યાંથી રેલી આગળ વધી અને નવસારીના લુન્સીકુઈ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. જ્યાં બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પ્યા બાદ રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. સભામાં આદિવાસી આગેવાનોએ આદિવાસીઓને થતા અત્યાચારો, કનડગત, અન્યાય વગેરેની વાતો સાથે આદિવાસીઓને એક જૂથ થઈ પોતાના અધિકાર માટે લડત ચલાવવા આહ્વાન કર્યુ હતુ. ખાસ કરીને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ, નવસારી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરી આદિવાસીઓના વિસ્થાપન, ભારતમાલા પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ થકી આદિવાસીઓને થતા અન્યાય મુદ્દે આદિવાસી આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ આદિવાસીઓના હક્ક અધિકાર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે પડખે રહેવાનું આશ્વાસન પણ આપ્યું હતુ. બાઈટ : પ્રદીપ ગરાસિયા, પ્રમુખ
11
comment0
Report
RMRaghuvir Makwana
Sept 13, 2025 11:30:41
Botad, Gujarat:DATE-13-09-2025 SLUG-1309 ZK BTD PC FARIYAD FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK બોટાદમાં પોલીસ દ્વારા સગીરને ઢોરમાર મારવાના મામલે ૪ પોલીસ કર્મચારી સહિત ૫ સામે નોંધાઈ ફરીયાદ. પોલીસ કર્મચારીઓ કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી, કુલદિપસિહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરીયાદ. ૧૯ ઓગસ્ટ બોટાદમાં રહેતા એક ૧૭ વર્ષીય બાળકને પોલીસે ચોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવેલ.. પોલીસ દ્વારા સગીર ને ઢોરમાર મારવામાં આવતા ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડેલ.. સગીરાના અને તેના પરીવારના આક્ષેપો ને લઈ બોટાદ પોલીસે ૪ પોલીસ કર્મચારી અને અન્ય એક વ્યક્તિ સામે ફરીયાદ દાખલ.. પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ BSN ની વિવિધ કલમો, ૧૨૦-૧, ૨૭,૮.તથા જુવેનાઈલ જસ્ટીએક્ટ ૭૫, ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બાબતની કલમો હેઠળ ફરીયાદ નોંધી.. સમગ્ર મામલે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે આપી માહિતી.. બાઈટ-મહર્ષિ રાવલ-dysp બોટાદ
7
comment0
Report
Advertisement
Back to top