Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સરકારી દુકાનનો પરવાનેદાર કેનેડા ભાગ્યો, રેશનકાર્ડ ધારકોને ઠગ્યા!

PRASHANT DHIVRE
Jun 30, 2025 11:36:05
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ. PACAKGE FEED_LIVE_U FOLDER_SRT_RATION_FRAUD એંકર: સુરતના પાંડેસરા શિવ નગરમાં સરકારી અનાજની દુકાનનો પરવાનેદાર દુકાન ભાડે આપી બે મહિના પૂર્વે કેનેડા ઉપડી ગયો છે.સરકારી દુકાનનો પરવાનેદાર દુકાનનો હવાલો તોલાટને સોંપી દીધો હતો.જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે.પરવાનેદારની ગેરહાજરીમાં સરકારી અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હતું.વિતરણ કરવા માટે પરવાનેદારના જમણા અંગૂઠાની ડુપ્લિકેટ છાય બનાવવામાં આવી હતી.આ સાથે જઈ તુવેરદાળના જથ્થાની ઉઘટતપાસમાં લપઘટ સામે આવી હતી.કુપ્લિકેટ અંગુઠલની છાપ સહિતની ગેરરીતિ સામે આવી હતી.ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. વીઓ:1 સુરત શહેરના ઉધનામાં યુ-૫૧ નંબરની દુકાનનો પરવાનો પાંડેસરાની શિવનગર સોસાયટીમાં રહેતા અલ્પેશકુમાર મનહરભાઈ સોનીના નામે છે. હવે પુરવઠા અધિકારીને મળેલી ફરિયાદને આધારે યુ-૫૧ નંબરની દુકાનમાં ગત ૨૩મી જૂનના રોજ તપાસ કરી હતી. આ દરમિયાન દુકાનમાં સુનિલ શ્યામલાલ સુયલ અને ઘનશ્યામ તુલીરામ બોરીવાલ દુકાનનું સંચાલન કરી રહ્યા હતા. તેઓને પૂછવામાં આવતા સુનિલે પોતે તોલાટ હોવાનું કબૂલ્યું હતું. જ્યારે ઘનશ્યામ હેલ્પર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પરવાનેદાર સંદર્ભે પૂછતાછ કરાતા તે બીમાર હોવાથી ઘરે હોવાનું જણાવ્યું હતું. પુરવઠા અધિકારીને શંકા જતાં તેમણે પરવાનેદારના ઘરે તપાસ કરાવતા તે બે મહિને પહેલા કેનેડા ઉપડી ગયા હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું. બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર) વીઓ:2 હવે પરવાનેદાર કેનેડા ગયો તો પછી કૂપનનું સોફ્ટવેર કોની મદદથી ઓપરેટ કરો છે તે અંગે પૂછતા તોલાટ તરીકે કામ કરતા સુનિલે કહ્યું હતું કે, પરવાનેદારના જમણા હાથના અંગૂઠાની ડુપ્લિકેટ છાપ બનાવી છે. આ છાપને આધારે સોફ્ટવેર ઓપરેટ કરાઈ રહ્યું છે. દુકાનદારને ફાળવેલા જથ્થાની ઊલટતપાસ કરતા જથ્થામાં વધઘટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ વીતેલા બે મહિનામાં ઈશ્યૂ કરેલો જથ્થો ખરેખર કાર્ડધારકોને આપ્યો કે બારોબાર વગે કરી દેવાયો તેની ચકાસણી કરવા માટે ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર) વીઓ:3 યુ-૫૧ નંબરની દુકાનનો પરવાનેદાર વીતેલા બે મહિનાથી ઘર બંધ કરીને કેનેડા ઉપડી ગયો હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું. દરમિયાન વીતેલા બે મહિનામાં યુ-૫૧ નંબરની દુકાનમાં રેશનકાર્ડ ધારકોને આપવામાં આવેલા ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ અને ચણાની જથ્થાની કુલ કિંમત ૬,૨૯,૨૫૦ રૂપિયા થાય છે. ત્યારે આ જથ્થો ખરેખર રેશનકાર્ડ ધારકોને આપવામાં આવ્યો છે કે પછી બારોબાર વગે કરી દેવાયો તેની ઊલટતપાસ કરાશે. આ ઉપરાંત દુકાનદારને કમિશન પેટે માસિક ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ત્યારે બે મહિનાનું ૪૦,૦૦૦ રૂપિયા કમિશનર ચૂકવાયું છે. દરમિયાન પરવાનેદારે સરકાર સાથે ૭.૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ તો ઉધના મામલતદાર દ્વારા આ દુકાનને સીલ મારી પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર) WKT: પ્રશાંત ઢીવરે (દુકાન બતાવતા) વીઓ:4 સુરત શહેરના ઉધના વિસ્તારમાં યુ-૫૧ નંબરની દુકાન ભાડે આપી પરવાનેદાર કેનેડા ગયો હોવાની ફરિયાદ થતાં પુરવઠા અધિકારીએ તપાસ કરી હતી. જોકે, સુરત જિલ્લાના પુરવઠા અધિકારી સુરત શહેરની વ્યાજબી ભાવના દુકાનદારને ત્યાં આકસ્મિત તપાસ કરે તો ૩૦ ટકા દુકાન પરવાનેદારે ભાડેપટ્ટે આપી દીધી છે.પરવાનેદારને બદલે ત્રાહિત વ્યક્તિ જ દુકાનનું સંચાલન કરતા મળી આવશે.ઉધના, પાંડેસરા, સચિન, લિંબાયત, પુણા, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં મોટાભાગની દુકાનો વર્ષોથી ભાડાપટ્ટે ધમધમી રહી છે.અનાજ વિતરણના કાળા કારોબારમાં ચોક્કસ સમાજનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement