Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા

Sept 04, 2024 04:34:45
Anand, Gujarat
ઉપરવાસમાં ભારે વરસાદ થતા કડાણા ડેમમાંથી 2.68 લાખ કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા નદી કિનારે આવેલા આણંદ જિલ્લાનાં 26 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે,તેમજ નદીકાંઠાનાં ગામોમાં રહેતા લોકોએ નદીનાં નિચાણવાળા વિસ્તારમાં ભાઠામાં નહી જવા તેમજ પોતાનાં પશુઓને પણ નહી જવા દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.કલેકટર પ્રવિણ ચૌધરી દ્વારા તમામ અધિકારીઓને નદી કાંઠાનાં ગામોમાં રહેતા લોકોને સુચના આપવા આદેશ આપ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Mar 20, 2026 08:17:56
Patan, Gujarat:પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતીના પાક નુ સુથ વાળ્યો અને ફરી એક વાર કુદરતી આફતો નો સામનો કરવો પઢ્યો છે. પાટણ જિલ્લા મા હવામાન વિભાગ ની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચા કરી તમાકુના પાકનો વાવેતર કર્યો અને ઉનાળાની કાળજીાળ ગરમી ની શરૂઆત થતા ખેતરોમાં તમાકુની કાપણી કરી ખેતર મા તડકે ચૂકવવા મુકતા અને અચાનક છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા તમાકુના પાકનો શોથ વળી જવા પામી ગયું છે. મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનમા ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર કર્યું અને હાલ કુદરતી મારરૂપે કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂત બિચારો અને બાપડો બની રહેવા પામ્યો છે. પાક વાવેતર સમયે ખેડૂત ને આશાઓ હતી કે તમાકુના ભાવ 1800 થી 2000 રૂપિયા મળશે પણ કમોસમી વરસાદ ને લઇ તમાકુના પાક ને ભારે नुकसान થયું છે સાથે જ તમાકુના પાન પર થી નિકોટિન પાણીમાં ધોવાઈ જતા હવે 700 થી 800 નો ભાવ મળે તો પણ ઘણું ખોટું લાગી રહ્યું છે. આ કારણે ખેડૂતોએ સરકાર સામે મીટ કરીને સર્વે કરવામાં આવીને યોગ્ય વળતર આપવાનું બેંકી રાખ્યું છે. પાટણ જિલ્લા મા તમાકુ નું વાવેતર 9,235 હેક્ટર મા ઊતરાવ્યું હતું. બાઈટ 1 મથુરજી ઠાકોર. ખેડૂત બાઈટ 2 અમૃતજી ઠાકોર. ખેડૂત બાઈટ 3.દીવેન્જી ઠાકોર. ખેડૂત
681
comment0
Report
DRDarshal Raval
Mar 20, 2026 07:19:39
Ahmedabad, Gujarat:ईरान इज़रायिल युद्ध की अगरबत्ती पर असर घरों और मंदिरों में प्रकट होती अगरबत्ती महंगी हो सकती है ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચર એન્ડ ડીલર એસોસિએશન દ્વારા કરાઈ જાહેરાત युद्ध शुरू होने पर 1 अप्रैल से एसोसिएशन अगरबत्ती के भाव में 20 प्रतिशत वृद्धि करेगा ईरान इज़रायल युद्ध 20 दिनों से चल रहा है और भारतीय उद्योग पर असर अलग-अलग उद्योगों के बाद अब अगरबत्ती उद्योग में भी असर युद्ध के कारण ईरान से आने वाला रॉ मटेरियल की कमी और कीमत बढ़ने से अगरबत्ती उद्योग पर असर असर के चलते व्यापारियों ने आज और कल दो दिन बंद की घोषणा एसोसिएशन की घोषणा के चलते व्यापारियों ने बंद किया हुआ अलग-अलग रॉ मटेरियल में कीमत बढ़ने से कारोबार बंद हो सकता है अहमदाबाद में 300 से अधिक गुजरात के 700 से अधिक व्यापारी एसोसिएशन में रजिस्टर्ड जबकि 700 सहित लगभग 2000 व्यापारी और 55 हजार से अधिक कारीगर प्रभावित अगरबत्ती उद्योग में सबसे अधिक महिलाएं काम करती हैं व्यापारियों ने युद्ध रोकने की मांग की अगर युद्ध शुरू हुआ तो 1 अप्रैल से अगरबत्ती एसोसिएशन अगरबत्ती के भाव बढ़ाने की घोषणा
1083
comment0
Report
NBNARESH BHALIYA
Mar 20, 2026 06:52:39
Jetpur, Gujarat:એન્કર:-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઈ કાલે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને જેતપુર શહેર અને તાલુકાના વિરપુર, પીઠડીયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મોટોંા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાકો જમીન પર ઢળી પડ્યા છે. જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ........ વિઓ:-જેતપુર પંથકમાં ગઈ કાલે બપોર બાદ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ખેતરોમાં ઊભેલો ઘઉંનો પાક ઢળી પડ્યો છે. સાથે ચણાનો પાક કાપીને પાથરા ખેતરમાં મુકાયો હતો, ત્યારે અચાનક વરસાદ ખાબકતા ચણો પલળી ગયો અને ભારે પવનના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં ફેલાઈ ગયા હતા.ઘઉં, ચણા, જીરું, ધાણા અને મકાઈ જેવા પાકોમાં ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ જ્યારે લણણીનો સમય આવ્યો હતો, ત્યારે કુદરતના આ પ્રહારે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે ઢળી પડેલો અને પલળી ગયેલો પાક સડી જવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ........ વિઓ:-કમોસમી માતથાના કારણે ચણાનો પાક સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે,ખેડૂતોએ ચણાની કાપણી કરીને પાથરા ખેતરમાં મુક્યા હતા, પરંતુ વરસાદ પડતા ચણો બગડી ગયો,વાવાઝોડાના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં જતાં રહ્યા અને ઘણા સ્થળોએ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.ખેડૂતે એક વિઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક બગડતા હવે મોઢે આવેલા કોળિયો છીનવાઈ ગયો है. ...... બાઈટ:- સંજયભાઈ વાઘસિયા (ખેડૂત), ....... વિઓ:-ઘઉંના પાકમાં પણ ભારે નુકસાન નોંધાયું છે,ખેડુતોના કહેવા મુજબ ઘઉંનો પાક તૈયાર હતો અને હવે માત્ર લણણી બાકી હતી. પરંતુ વાવાઝોડા સાથે માવઠું પડતા પાક જમીન પર ઢળી ગયો છે.ખેડુતોએ એક વિઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચ થયો હતો, પરંતુ હવે પાક પલળી જવાથી ઘઉં કાળા પડી જવાની ભીતિ છે. આવી સ્થિતિમાં મજૂરી ખર્ચ પણ નિકલે તો નથી અને ખેડૂતોએ પલળી ગયેલા પાકને ખાતર બનાવવાનું વારો આવ્યો છે. .... બાઈટ:- મુકેશભાઈ (ખેડૂત), ...... વિઓ:-ખેડેતુરો સરકાર પાસે તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આ આર્થિક સંકટમાંથી તેમને થોડી રાહત મળી શકે. ,..... વૉક થ્રુ નરેશ ભાલીયા
993
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 06:16:17
Surat, Gujarat:સુરત મીની વાવાઝોડા ને લઇ તારાજી સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન જંગલમાં વૃક્ષો તૂટી પડયા સુરત તેમજ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં અને ડાંગ જિલ્લામાં સાપુતારા,આહવા, વઘઈ અને સુબિર વિસ્તારોમાં નુકશાન ગઈકાલ ગુરુવારે રાત્રિના લગભગ ૯ વાગ્યાના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક ગામડાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે ખાસ કરીને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવુ પડયુ છે. આંબા સહીત ફળફળાદી પાકો માટે આ સમય અગત્યનો હોય છે ત્યારે ઝાડ પર લાગેલા કાચા આંબા પવનનાં જોરે તૂટિ પડતા ખેડૂતોને આર્થિક રીતે ઝટકો પાકનો મોટો નાશ થયો. આ પ્રકારનું અચાનક વાવાઝોડું આવતા વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠા પર પણ અસરસ અસર પડી હોવાનું જાણવા મળે છે, જ્યારે જાંગલ વિસ્તાર ઝાડો અને નાના માળખાઓને પણ નુકસાન થયું છે. વાતાવરણમાં થયેલા આ અચાનક ફેરફારને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગની આગાહીની घटनાએ ફરી એક વાર કુદરતની આપત્તિ સામે ખેડૂતોની નાજુક પરિસ્થિતિને उजાગર કરી सरकारले યોગ્ય વળતર આપવા માંગ
1089
comment0
Report
CPCHETAN PATEL
Mar 20, 2026 06:16:06
Surat, Gujarat:સુરતમાં 80 લાખની વસ્તી સામે સુરક્ષા વ્યવસ્થાનો ચિંતાજનક ચિત્ર બોમ્બ શોધવા માટે સમગ્ર શહેરમાં માત્ર એક જ સ્નિફર ડોગ ‘ગેલોપ’ સક્રિય બ્લાસ્ટની ધમકીઓ વચ્ચે એકલા ગેલોપ પર વધતો ભાર 2008ના સીરિયલ બомб કાંડની યાદો આજે પણ તાજી શાળાઓ અને સરકારી કચેરીઓને સતત બોમ્બ ધમકીઓ મળી રહી સુરત જેવા મેગા સિટીમાં સુરક્ષા તંત્રની મર્યાદાઓ બહાર આવી બોમ્બ ડિટેક્શન માટેના બે ડોગમાંથી એક ટ્રેનિંગમાં ગેલોપ પર આખા શહેરની એક્સપ્લોઝિવ શોધવાની જવાબદારી 38 પોલીસ સ્ટેશન સામે ડોગ્સની સંખ્યા અત્યંત ઓછી નિયમ મુજબ 12 ડોગ્સ જોઈએ જ્યાં માત્ર 4 જ કાર્યરત ટ્રેકર ડોગ ‘પ્રિન્સી’ એકલી જ ચોરીના કેસોમાં દોડે છે કરીડોની ચોરીમાં પણ પ્રિન્સી પર જ નિર્ભરતા નાર્કોટિક્સ કેસોમાં ‘ડ્રેક’ એકલો જ લડે છે શહેરમાં રોજ 2 થી 3 ડ્રગ્સ કેસ સામે માત્ર એક ડોગ ડોગ સ્ક્વોડ પર વધતું કામનું દબાણ ચિંતાજનક બોમ્બ ડિસ્પોઝલ ટીમ હોવા છતાં સ્નિફર ડોગ મહત્વપૂર્ણ એક સમયે બે સ્થળે કોલ આવે તો પડકાર વધે પોલીસ ડોગ્સનું આયુષ્ય 10 થી 12 વર્ષ, ક્ષમતા પર અસર શક્ય સુરક્ષા મજબૂત કરવા નવા ડોગ્સની તાત્કાલિક જરૂર સુરતની સુરક્ષા હાલમુઠ્ઠીભર વફાદાર શ્વાનો પર નિર્ભર
1037
comment0
Report
NDNavneet Dalwadi
Mar 20, 2026 02:15:24
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૦૩/૨૦૨૬. સ્ટોરી: ઍવીબી. એપ્રુવલ: અસાઈમેન્ટ. ભાવનગરના ઇતિહાસમાં અશાંતધારા ભંગનો પ્રથમ ગુન્હો નોંધાયો. એન્કર : અશાંતધારા ને લઈને ગુજરાતમાં અમદાવાદ બાદ ભાવનગર શહેરમાં બીજો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. શહેરના ક્રેસંટ વિસ્તારમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર સાટાખત કરી મિલ્કતનુ વેચાણ કરાયું છે. જયારે ખરીદનાર પણ રૂપિયા ચૂકવી કબ્જો મેળવવા આવી જતા બંને સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. હિન્દૂ વ્યક્તિએ રહેણાંકી મકાનના સાટાખત કરી રૂપિયા 93 લાખમાં વિધર્મી ને મિલ્કત વેચી અશાંતધારાનો ભંગ કર્યો હતો. જે બાબતે સીટી મામલતદારાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પંચનામું કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વિઓ ૧: અશાંતધારા ના અમલ બાદ ભાવનગર શહેરમાં કોઈને કોઈ રીતે અશાંત મિલ્કતોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર અશાંતધારો લાગુ હોવા છતાં શહેરના 크ેસંટ વિસ્તારમાં મિલ્કતના સોદામાં થયેલી ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે. અશાંતધારાના નિયમોની એસીતેસી કરી એક મિલ્કતનું વેચાણ કરાયું અને સંપૂર્ણ ચુકવણી બાદ ખરીદદારે કબ્જો પણ મેળવી લીધો હતો, સમગ્ર મામલે એક્ષિક્યુટીવ મેજીસ્ટ્રેટેર દ્વારા ફરિયાદાર નોંધાવવામાં આવતા ઘોઘારોડ પોલીસે વેચનાર તેમજ ખરીદનાર બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જે બાબતેની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા એલસીબી પોલીસના તપાસનો ધણઘમાટ શરુ થયો છે. વિઓ ૨: ભાવનગર શહેરના 크ેસંટ વિસ્તારમા રહેતા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલે પોતાની માલિકીના પ્લોટ નં. 567-A નો અશांतધારો લાગુ હોવા છતાં ગેરકાયદેસર રીતે તંત્રની પૂર્વ મંજૂરી લીધા વગર અલારખભાઈ કાદરભાઈ ગીગાણી નામના વિધર્મી વ્યક્તિને સાટાખત કરી 93 લાખ રૂપિયામાં મિલ્કતનું વેચાણ કર્યું હતું, એટલું જ નહિ અશાંતધારા અમલી હોયા છતાં અલારખભાઈ ગીગાણી તેમના પરિવાર સાથે અહીં રહેવા આવી ગયા છે. તેમણે આ મકાન તા. 26/08/2025 ના રોજ ખરીદ્યું હતું અને સાટાખત પણ કરાવ્યા હતા, જોકે આ વિસ્તારમાં અશાંતધારા લાગુ હોવાનું છતાં મકાનના દસ્તાવેજો નથી બનાવાયા, પરંતુ પ્રાપ્ત કુલ કિંમત 93 લાખ મળ્યા બાદ મકાનનો કબ્જો અલારખભાઈ ગીગાણીને સોપી દેવામાં આવ્યો હતો. જે બાબતે અરજી મળતા પોલીસાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કરતા આ બાબતની વિધિવત મંજૂરી લેવામાં નહીં આવી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મો દ્વારા ખરીદનાર અને વેચનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રક્રિયામાં ગાંધીનગરના પબ્લિક ઓફિસર દ્વારા દસ્તાવેજોની તપાસ થતા અશાંતધારા ભંગના બે ગુન્હા નોંધાયા હોવાનું જાહેર થયું છે. આ બધાની તપાસ ચાલી રહી છે. બાઈટ : આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
1087
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 19, 2026 18:31:52
Surat, Gujarat:સુરત જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ અને બારડોલી સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે. અનેક જગ્યાએ વીજપોલ, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. વિઓ... સુરત જિલ્લામાં અચાનક આવેલા પવન સાથેના વાવાઝોડાએ જનજીવનને અસરગ્રસ્ત બનાવી દીધું છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ અને બારડોલી વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો મૂળથી ઉખડી ગયા હતા અને રોડ પર ધરાશાયી થયા હતા. કેટલાક વિસ્તારોમાં મોટા હોર્ડિંગ્સ તૂટી ને વાહનો પર પડતા નુકસાનની ઘટનાઓ પણ سامنے આવી છે. સાથે જ ઘણા સ્થળોએ વીજપોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે અચાનક આવેલા પવનથી લોકો અચંબિત થઈ ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે જાનહાનિના કોઈ મોટી સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ શરૂઆત કરવાની તૈયારી છે.
915
comment0
Report
LJLakhani Jaydeep
Mar 19, 2026 18:31:35
Dwarka, Gujarat:એંકર :- દ્વારકાના વાતાવરણમાં જોરદાર પલટો..ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો..વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત..દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોર બાદ યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં ઓચિંતાનો પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડતા ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો અહેસાસ થઈ રહ્યો છે.iklા કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથકો જેવા કે રાવલ, કલ્યાણપુર અને ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને કડાકા-ભડાકા સાથે હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અચાનક આવેલા કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વાદળછાયા વાતાવરણ અને પવનના સુસવાટા વચ્ચે હજુ પણ વરસાદની શક્યતા વર્તાઈ રહી હતી.
999
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 19, 2026 17:00:15
Surat, Gujarat:વરાછા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી માત્ર બે વર્ષની માસૂમ દીકરી પર ઉશ્કેરાયેલી માતાએ વેલણ અને સાવરણી વડે એવો અમાનુષી હુમલો કર્યો કે બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માથામાં ગંભીર ઈજાને કારણે બાળકીને બ્રેઈન હેમરેજ થયું હતું. போலீઝે હત્યારી માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા વરાછા પોલીસ ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માતા છેલ્લા એક અઠવાડિયાથી બાળકીને પટ્ટા અને લાકડીથી ટોર્ચર કરતી હતી. પાડોશીઓના નિવેદન મુજબ પણ મહિલા સતત બાળકી પર અત્યાચાર ગુજારતી હતી. વરાછા પોલીસ આ મામલે આરોપી મહિલા અને તેણીની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. tecla આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. ભારતમાં બાળકોના રક્ષણ માટે કડક કાયદાઓ હોય છે. જુવનાઇલ જસ્ટિસ (JJ) એક્ટ મુજબ જો કોઈ sગીર બાળક પર શારીરિક કે માનસિક ત્રાસ કરે તો જવાબદારી તો ત્રણ વર્ષ સુધી ની ജയ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો બાળકને ગંભીર ઈજા પહોંચાડવામાં આવે તો IPC હેઠળ હત્યા અથવા હત્યાના પ્રયાસ જેવી કલમો લાગુ પડી શકે છે. બાળકના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે તેની જાણ આ જીવંત પુરાવા વડે થાય છે. برخی કેસમાં માતા-પિતા શિસ્તના નામે બાળકોને મારતા હોય છે પરંતુ કાયદાના ધારે તે ગુનાનો મામલો બની શકે છે. વરાછા પોલીસ આ મામલે આરોપી મહિલાની સાથે તેની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. પ્રસાશાંત ઢિવરે - સુરત
1038
comment0
Report
Advertisement
Back to top