Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Anand388001

બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક ખેત પેદાશ વેંચાણ કેન્દ્

BPBurhan PathanMar 10, 2026 13:57:22
Anand, Gujarat:આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર ખાતે શરૂ થયા બાદ પ્રાકૃતિક પોઝિટિવ મીલેટ્સ એટલે કે હરી કાંગ, કાંગ, કોદરી, મોરૈયો અને સામો આ ઉપરાંત કૃષ્ણ કમોદ ચોખા, કણકી, લોટ અને પાપડી તથા ટોમેટો કેચઅપ, મરચું પાવડરના વેચાણ માટે બોરસદ તાલુકાના વિરસદ ગામ ખાતેથી આવતા મિહિર અમીને જણાવ્યું હતું કે ગ્રાહકો ધીરે ધીરે વધી રહ્યા છે અને વેચાણ પણ સારું થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના નિમેષભાઈ પટેલે જણાવ્યું કે હું દેશી ગાયનું ઘી, ચોખા, બાજરી, પ્રાકૃતિક શાકભાજી, લીલી ડુંગળી, ધાણા, ફુદીનો વગેરેનું વેચાણ કરું છું, ઉમરેઠ તાલુકાના નાગજીપુરા ગામના પિનાકીનભાઈ પટેલે જણાવ્યું કે મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી છે અને 2018 થી હું 40 ગુંઠામાં ઘઉં, બાજરી પ્રાકૃતિક રીતે કરું છું. આ ઉપરાંત ઉમરેઠ તાલુકાના ઝાખલા ગામના મહેશભાઈ પટેલ એ જણાવ્યું કે હું પાંચ વીઘામાં શાકભાજી રીંગણ મરચી દૂધી પપૈયાની પ્રાકૃતિક ખેતી કરીને એટેક સેન્ટર ખાતે મંગળવારે વેચાણ માટે આવું છું. તેવી જ રીતે બોરસદ તાલુકાના કસુંબાડ ગામના રણજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક શાકભાજી તુવેર, પાપડી, ટીંડોળા, મરચા, સરગવો નું વેચાણ સરસ રીતે થાય છે, તેમ જણાવ્યું હતું. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના રણજીતસિંહ ચૌહાણ એ જણાવ્યું કે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ભીંડી, મરચાં, પાલક, રીંગણ ઉપરાંત સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર અને બિયારણ એટીક સેન્ટર ખાતે દર મંગળવારે નિયમિત વેચું છું જેનું વેચાણ ધીરે ધીરે વધી રહ્યું છે.
0
comment0
Report
Anand388001

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને સલામતપૂર્વક ખસેડાયું

BPBurhan PathanAug 05, 2025 15:46:30
Anand, Gujarat:પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીએ બલૂન પદ્ધતિથી ટેન્કરને બહાર કાઢ્યું એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ક્રેઇનની મદદથી માત્ર ૩૦ મિનિટમાં ટેન્કરને ઉતારાયુ ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કરને સફળતાપૂર્વક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યું છે. સુરક્ષાના તમામ માપદંડોને અનુસરીને ટેન્કરને ખસેડવામાં બે એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ની મદદ લેવામાં આવી હતી. ટેન્કર સફળતાપૂર્વક ખસેડતા જિલ્લા વહીવટી તંત્રની સાથે સૌએ રાહત અનુભવી હતી. ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બ્રિજ ના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકીને તેમાં હવા ભરવામાં
0
comment0
Report
Advertisement
Advertisement
Back to top