Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Burhan Pathan
Anand388001

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને સલામતપૂર્વક ખસેડાયું

BPBurhan PathanAug 05, 2025 15:46:30
Anand, Gujarat:
પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીએ બલૂન પદ્ધતિથી ટેન્કરને બહાર કાઢ્યું એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ક્રેઇનની મદદથી માત્ર ૩૦ મિનિટમાં ટેન્કરને ઉતારાયુ ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કરને સફળતાપૂર્વક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યું છે. સુરક્ષાના તમામ માપદંડોને અનુસરીને ટેન્કરને ખસેડવામાં બે એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ની મદદ લેવામાં આવી હતી. ટેન્કર સફળતાપૂર્વક ખસેડતા જિલ્લા વહીવટી તંત્રની સાથે સૌએ રાહત અનુભવી હતી. ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બ્રિજ ના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકીને તેમાં હવા ભરવામાં
15
comment0
Report
Anand388520

ગંભીરા બ્રિજ પરથી લટકતી ટેન્કર ઉતારવા ઓપરેશન હાથ ધરાયું

BPBurhan PathanAug 05, 2025 07:06:11
Gujarat:
આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે 27 દિવસથી બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ટેન્કરનો નીચે બલૂન ગોઠવી ટેન્કરને ખેંચવા માટે લોખંડના 900 મીટર લાંબા કેબલોથી ખેંચવામાં આવશે તે માટે હાઇડ્રોલિક સિસ્ટમ સાથે કેબલોને જોડવામાં આવ્યા છે. અને 900 મીટર દૂર એપ્રોચ રોડ પર બનાવેલા કંટ્રોલરૂમમાંથી સમગ્ર ઓપરેશનનું સંચાલન થશે. અને આગામી બે ત્રણ દિવસમાં ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
14
comment0
Report
Anand388001

વલ્લભવિદ્યાનગરમાં 51 કિલોના ચોકલેટના ગણેશજી

BPBurhan PathanSept 08, 2024 02:01:28
Anand, Gujarat:

વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.

0
comment0
Report
Anand388001

બદલપુર ગામમાં 12 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી

BPBurhan PathanSept 08, 2024 01:59:38
Anand, Gujarat:
બદલપુર ગામમાં ભારે વરસાદનાં કારણે ભરાયેલા પાણી આજે 15 દિવસ બાદ પણ ઓસર્યા નથી જેનાં કારણે ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા છે,ગ્રામજનોને પાણી ડહોળીને અવરજવર કરવી પડી રહી છે,તેમજ શાળામાં જતા બાળકોને પણ પાણીમાં રહીને અવરજવર કરવી પડી રહી છે,જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોસ પ્રવર્તી રહ્યો છે.અને આ અંગે ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી જોવા મળી રહી છે.
0
comment0
Report
Advertisement
Anand388620

ગુડેલ ગામમાં હજારો વિઘા જમીનમાં ભરાયેલાં વરસાદી પાણી

BPBurhan PathanSept 08, 2024 01:58:10
Khambhat, Gujarat:
ખંભાતનાં ગુડેલ ગામમાં ભારે વરસાદ બાદ હજારો વિધા જમીનમાં પાણી ભરાયા હતા જે આજે બાર દિવસ બાદ પણ પાણી નહી ઓસરતા ડાંગરનાં પાકને ભારે નુકશાન થતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે,અને તંત્ર દ્વારા આ ભરાયેલા પાણીનાં નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
0
comment0
Report
Advertisement
Back to top