icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
388001
BPBurhan PathanFollow29 Mar 2026, 02:43 am

પેટલાદની બંધ સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાની માંગ તેજ, સાંસદે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો

Anand, Gujarat:આણંદ જિલ્લાના પેટલાદ શહેર નજીક આવેલી વર્ષોથી બંધ પડેલી સુગર ફેક્ટરીને ફરી શરૂ કરવાની માંગ હવે તેજ બની રહી છે. આ મુદ્દે સાંસદ મિતેષ પટેલએ લોકસભામાં અવાજ ઉઠાવી કેન્દ્ર સહકાર મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. પેટલાદ પાસે ચરોતર સહકારી ખાંડ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને શેરડી પકવવા પ્રોત્સાહન આપવામાં આવતું અને યોગ્ય ભાવ મળે તે માટે સહકારી મોડલ અપનાવવામાં આવ્યું હતું. આ સંસ્થામાં સ્થાનિક ખેડૂતો દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ કારણોસર આ ફેક્ટરી બંધ હાલતમાં છે. હવે આ બંધ ફેક્ટરીને ફરી શરૂ કરવા માટે સાંસદ મિતેષ પટેલ દ્વારા લોકસભામાં વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલી આ સુગર મિલને ફરી કાર્યરત કરવામાં આવે તો વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકોને સીધો લાભ મળશે. સાથે જ તેમણે સૂચન કર્યું છે કે ફેક્ટરીનું સંચાલન જાણીતી સહકારી સંસ્થા Amul ને સોંપવામાં આવે, જેથી વધુ કાર્યક્ષમ રીતે સંચાલન શક્ય બને. પેટલાદ અને આસપાસના વિસ્તારોમાં શેરડી પકવતા ખેડૂતો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે. હાલ ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય બજાર મળવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જો સુગર મિલ ફરી શરૂ થાય તો તેમને નજીકમાં જ સ્થિર બજાર મળશે અને આવકમાં વધારો થશે. ઉપરાંત, ફેક્ટરી શરૂ થવાથી સ્થાનિક બેરોજગાર યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે. આથી સમગ્ર વિસ્તારની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે. યોગ્ય પગલાં લેવામાં આવે તો પેટલાદની આ સુગર ફેક્ટરી ફરી એકવાર ધમધમતી બની શકે છે. સાંસદ મિતેષ પટેલએ લોકસભામાં રજુઆત કરતા કહ્યું હતું કે ચરોતર સહકારી ખાંડ ઉદ્યોગના પુનરુદ્ધારના અત્યંત મહત્વપૂર્ણ વિષય પર હું સદનનું ધ્યાન દોરવા માંગુ છું. આ સહકારી શુગર મિલ વર્ષો પહેલા સ્થાપિત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આસપાસના વિસ્તારના ખેડૂતોની શેરડીની ઉપજ ખરીદીને તેમને યોગ્ય અને પોષણક્ષમ ભાવ અપાવવાનો હતો. પરંતુ, કમનસીબે આ એકમ અત્યારે સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આ વિષયમાં અમૂલ ડેરીના ચેરમેન અને તેમના નિર્દેશકો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે. સર્વસંમત સૂચન એ છે કે આ બંધ એકમને અમૂલ સંસ્થા દ્વારા ખરીદી લેવામાં આવે. અમૂલ તેના વિવિધ ઉત્પાદનો, ચોકલેટથી લઈને અન્ય પ્રોસેસ્ડ ખાદ્ય સામગ્રીમાં મોટા પાયે ખાંડનો ઉપયોગ કરે છે, તેથી નવી મશીનરી અને આધુનિક ટેકનોલોજી સાથે અમૂલ આ એકમને ફરીથી શરૂ કરે.જેથી કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે કે સહકારિતાની ભાવનાથી ઉભી થયેલી આ ઉપેક્ષિત સંસ્થાને પુનઃજીવિત કરવા માટે તેને અમૂલના મેનેજમેન્ટને સોંપવાની દિશામાં જરૂરી પગલાં લેવામાં આવે.
0
0
Report
Pinewz
388540
BPBurhan PathanFollow21 Mar 2026, 10:44 am

आनंद की आयत ने 8 साल की कम उम्र में रमजान के 30 रोजे रख कर अल्लाह की इबादत की

Borsad, Gujarat:રમજાન માસ એટલે મુસ્લિમ સમાજ માટે ઇબાદત, સબર અને અલ્લાહ પ્રત્યેની અખંડ શ્રદ્ધાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર સમયમાં આણંદ શહેરની આઠ વર્ષની નાની બાળકીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે. આણંદ શહેરમાં નીલકંઠ સોસાયટીમાં રહેતી માત્ર 8 વર્ષની આયત હારૂનભાઈ વ્હોરાએ નાની ઉંમરમાં જ મજબૂત ઈમાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં મોટા લોકો માટે પણ કઠિન રોઝા રાખવું પડકારરૂપ બને છે, ત્યાં આયતે સતત સમગ્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા છે. મહેબૂબભાઈ કેળા વાળાની ભત્રીજી અને હારૂનભાઈ વ્હોરાની પુત્રી આયત નાની ઉંમરથી જ અલ્લાહની ઇબાદત તરફ આગળ વધી રહી છે. તડકો હોય કે થાક, ભૂખ હોય કે તરસ—તેણે ક્યારેય હિંમત હારેલી નથી.આયતની આ લાગણી અને સમર્પણ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. એક માસના રોજા પૂર્ણ કરવા બદલ આયતને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.
0
0
Report
Pinewz
388001
BPBurhan PathanFollow10 Mar 2026, 01:57 pm

બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક ખેત પેદાશ વેંચાણ કેન્દ્

Anand, Gujarat:આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર ખાતે શરૂ થયા બાદ પ્રાકૃતિક પોઝિટિવ મીલેટ્સ એટલે કે હરી કાંગ, કાંગ, કોદરી, મોરૈયો અને સામો આ ઉપરાંત કૃષ્ણ કમોદ ચોખા, કણકી, લોટ અને પાપડી તથા ટોમેટો કેચઅપ, મરચું પાવડરના વેચાણ માટે બોરસદ તાલુકાના વિરસદ ગામ ખાતેથી આવતા મિહિર અમીને જણાવ્યું હતું કે ગ્રાહકો ધીરે ધીરે વધી રહ્યા છે અને વેચાણ પણ સારું થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના નિમેષભાઈ પટેલે જણાવ્યું કે હું દેશી ગાયનું ઘી, ચોખા, બાજરી, પ્રાકૃતિક શાકભાજી, લીલી ડુંગળી, ધાણા, ફુદીનો વગેરેનું વેચાણ કરું છું, ઉમરેઠ તાલુકાના નાગજીપુરા ગામના પિનાકીનભાઈ પટેલે જણાવ્યું કે મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી છે અને 2018 થી હું 40 ગુંઠામાં ઘઉં, બાજરી પ્રાકૃતિક રીતે કરું છું. આ ઉપરાંત ઉમરેઠ તાલુકાના ઝાખલા ગામના મહેશભાઈ પટેલ એ જણાવ્યું કે હું પાંચ વીઘામાં શાકભાજી રીંગણ મરચી દૂધી પપૈયાની પ્રાકૃતિક ખેતી કરીને એટેક સેન્ટર ખાતે મંગળવારે વેચાણ માટે આવું છું. તેવી જ રીતે બોરસદ તાલુકાના કસુંબાડ ગામના રણજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક શાકભાજી તુવેર, પાપડી, ટીંડોળા, મરચા, સરગવો નું વેચાણ સરસ રીતે થાય છે, તેમ જણાવ્યું હતું. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના રણજીતસિંહ ચૌહાણ એ જણાવ્યું કે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ભીંડી, મરચાં, પાલક, રીંગણ ઉપરાંત સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર અને બિયારણ એટીક સેન્ટર ખાતે દર મંગળવારે નિયમિત વેચું છું જેનું વેચાણ ધીરે ધીરે વધી રહ્યું છે.
0
0
Report
Advertisement
Pinewz
388001
BPBurhan PathanFollow5 Aug 2025, 03:46 pm

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને સલામતપૂર્વક ખસેડાયું

Anand, Gujarat:પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપનીએ બલૂન પદ્ધતિથી ટેન્કરને બહાર કાઢ્યું એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ક્રેઇનની મદદથી માત્ર ૩૦ મિનિટમાં ટેન્કરને ઉતારાયુ ગંભીર બ્રિજ પર લટકતા ટેન્કરને સફળતાપૂર્વક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યું છે. સુરક્ષાના તમામ માપદંડોને અનુસરીને ટેન્કરને ખસેડવામાં બે એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) ની મદદ લેવામાં આવી હતી. ટેન્કર સફળતાપૂર્વક ખસેડતા જિલ્લા વહીવટી તંત્રની સાથે સૌએ રાહત અનુભવી હતી. ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બ્રિજ ના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકીને તેમાં હવા ભરવામાં
0
0
Report
Advertisement
Back to top