Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत पांडेśरा हादसा: डॉक्टर पर हमला, पुलिस ने आरोपी धर लिया
CPCHETAN PATEL
Sept 15, 2025 12:20:07
Surat, Gujarat
સુરત બ્રેક સુરત પાંડેસરા વિસ્તાર ઘટના ડ્રિમ હોસ્પિટલના તબીબ હુમલાનો મામલો પોલીસે આરોપી કરી ધરપકડ આરોપી પોતાના બાળક સારવાર બાબતે વિલબ થતા આવેશ માં ભર્યું હતું પગલું આરોપીએ ઉપરા છાપરી તબીબને તમાચા મારી દીધા હતા સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીને શોધી કાઢ્યો આરોપી પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Sept 15, 2025 14:15:29
Sadhara, Gujarat:Rajendra Thacker kutch Approved assignment Location Bhuj FTP KUTCH 1509ZK_SHIKSHKMANG_PDYATRA કચ્છમાં શિક્ષક ભરતી માટે મુંદ્રાથી ભુજ સુધી પદયાત્રા શિક્ષકોની ઘટ મુદ્દે આશાપુરા ટ્રસ્ટે કલેક્ટરને આવેદન આપ્યું આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટે કચ્છમાં શિક્ષકોની ભરતી માટે આજે મહત્વનું પગલું લીધું છે. ટ્રસ્ટના સમર્થકોએ મુંદ્રાથી ભુજ સુધી પદયાત્રા કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગઈકાલે મુંદ્રા ધોરીમાર્ગ પર મોખા ટોલગેટ નજીક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ આંદોલનો છતાં કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરી થઈ નથી. જિલ્લામાં શિક્ષકોની 4100 જગ્યાઓ ખાલી છે. આ સમસ્યા બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહી છે. અગાઉ 'સ્પેશિયલ ભરતી'ના નામે કચ્છના લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું છે. આ મુદ્દો તાલુકા શિક્ષણાધિકારી થી લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો SMC, સ્થાનિક સમુદાયો અને વાલીઓના સમર્થનથી ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. બાઈટ : ગજેન્દ્રસિંહ જાડેજા આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના સંયોજક બાઈટ : રૂપલ પ્રજાપતિ ઉમેદવાર સાથે સ્થાનિકો અને કેડી જાડેજા, ઉમર સેરા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report
MDMustak Dal
Sept 15, 2025 14:15:08
Jamnagar, Gujarat:જામનગર.... મુસ્તાક દલ જામનગર શહેરમાં આઝાદી સમયમાં બનેલી ઈમારતના બે માળના રવેશ તૂટી પડતા ભાગદોડ મચી જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગીતા લોજમાં આજે સાંજે ઈમારતના અમુક ભાગ ધરાશાહી થયા ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનમાં 15 થી 20 જેટલા કર્મચારીઓ કામ કરતા ઘટના સમયે ભાગદોડ મચી મહાનગરપાલિકા દ્વારા જર્જરીત ઈમારતોને નોટિસ આપવામાં આવી હોવા છતાં હજુ પણ અમુક ઈમારતો કાર્યરત આજની ઘટનામાં મોટી જાનહાની ટળી... ઈમારતનો જર્જરીત રીત ભાગ દૂર કરવા તંત્રની કવાયત મહાનગરપાલિકાની ફાયર , એસ્ટેટ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાઈટ : એન આર દીક્ષિત, મનપા અધિકારી બાઈટ : ઓ. પી. મહેશ્વરી, દુકાનદાર WKT.... મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર
0
comment0
Report
MMMitesh Mali
Sept 15, 2025 14:05:04
Vadodara, Gujarat:DATE:15/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI કરજણ શહેરમાં આવેલ જિલ્લાના સૌથી મોટા સ્મશાન એટલે કે કૈલાશ ધામમાં હાલ વિકાસની કામગીરી ચાલી રહી છે તંત્ર દ્વારા સ્મશાન નું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત રોજ રાતરું દરમિયાન એક પરિવાર માં મોત થયું હતું જેની અંતિમ વિધિ માટે સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સ્મશાનમાં લાઈટ ની વ્યવસ્થા ન હોવાના કારણે ડાધુઓ ને ભારે હાલાકી વેઠવું પડી હતી જ્યાં લોકો ને કાર ની હેડ લાઈટ ચાલુ કરી અને અંતિમ વિધિ કરી હતી જ્યાં કરજણ શહેરના કૈલાસધામ સ્મશાનમાં વીજ પુરવઠાની અછતને લઇને Z 24 કલાકે અહેવાલ રજૂ કર્યો હતો. સ્મશાનમાં લાઈટની કોઈ સુવિધા ન હોવાથી અંતિમ સંસ્કાર સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અંધારામાં લોકો કારની લાઈટનો સહારો લઇને અંતિમવિધિ કરી રહ્યાં હતાં. વિકાસના દાવા વચ્ચે કૈલાશધામ સ્મશાનમાં વીજ પુરવઠાનો પોઇન્ટ જ ન હોવા મુદ્દો ઉઠ્યો હતો.Z 24 કલાકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે હાઇમ્સ ટાવર ઉભું કરી સ્મશાનમાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લડ લાઈટ લગાવીને હવે અંતિમ સંસ્કાર માટે આવતા લોકો મુશ્કેલીમાંથી મુક્તિ અનુભવી રહ્યાં છે. BITE 1 – પિન્ટુ પટેલ, સ્થાનિક સમગ્ર મામલે સ્થાનિકોએ Z 24 કલાકનો આભાર માન્યો હતો અહેવાલ બાદ તરત જ લાઈટની વ્યવસ્થા થઈ હતી હવે લોકો મુશ્કેલી વગર અંતિમવિધિ કરી શકશે. અહેવાલની અસરના પગલે કરજણના કૈલાશધામ સ્મશાનમાં અંધકારને અલવિદા મળી છે. WKT
3
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 15, 2025 13:48:05
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કુડસદ જી.આઈ.ડી.સી (ઓલપાડ ) સ્લગ :-1509ZK_HATYA_DITECT_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લા ના બારડોલી ના તેન ગામ ની સિમ માં હત્યા ની ઘટના બની હતી. તેન ગામે શેરડી ના ખેતર માંથી એક મહિલા ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાંજ હત્યારાને રાજસ્થાન થી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. પ્રેમ સંબંધ માં મતભેદ ઉભા થતા હત્યા કરી હોવાનું સામેં આવ્યું. વિઓ... સુરત જિલ્લા ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે. ગત ૧૨ મી સપ્ટેમ્બર ના રોજ બારડોલી ને અડી ને આવેલ તેન ગામ ની સિમ માં એક શેરડી ના ખેતર માંથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. સાથે જ જિલ્લા એલ સી બી ની ટિમ પણ દોડતી થઈ હતી. સાથે સાથે સુરત જિલ્લા ના પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હત્યારા ને ઝડપી પાડવા માટે ડૉગ સ્કવોર્ડ તેમજ એફ.એસ.એલ ની પણ મદદ લેવામાં આવી હતી. બનાવ સંદર્ભે ઘટના સ્થળે પોહચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મહિલા બારડોલી ની અને હાલ થોડા સમય થી તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું હતું. અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી, એફએસએલ ની મદદ લેવાય હતી. પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરીહતી .પોલીસને સ્થળ પરથી મળેલા પુરાવા અને હ્યુમન રીસોર્સના આધારે આરોપી કોમલ ભીલ ને રાજસ્થાન ના ઉદયપુર નજીક થી ઝડપી પાડવામાં સફળતા મળી હતી . બાઈટ :- વી.એ.દેસાઈ (પી.આઈ : બારડોલી ટાઉન) વિઓ... આરોપી કોમલ અને મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીની જસોદા હોટલમાં સાથે કામ કરતા હતા . બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો .આરોપી કોમલ ને જ્યોતિ રાઠોડનો બીજા સાથે પ્રેમ સબંધ છે તેવો શક હોય થોડા દિવસો પહેલા આ બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી આરોપી કોમલે જ્યોતિ રાઠોડની હત્યા કરી રાજસ્થાન જવા નીકળી ગયો હતો. જીલ્લા ગ્રામ્ય પોલીસે આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુર થી ઝડપી પાડી આગળની કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ કરી રહી છે. બાઈટ :- વી.એ.દેસાઈ (પી.આઈ : બારડોલી ટાઉન) વિઓ... ક્ષણીક આવેશમાં આવી હત્યારા પ્રેમી એ શંકા ના આધારે પ્રેમિકા ની હત્યા કરી દીધી હતી. જોકે પ્રેમ સંબંધ માં કરૂર અંજામ એક શંકા આધારે આવ્યો છે. હાલ તો પોલીસે હત્યારા પ્રેમી ને ઝડપી પાડી ગુના કોઈ અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કારણો અંગે વધુ તપાસ હાથધરી છે.
1
comment0
Report
AKArpan Kaydawala
Sept 15, 2025 13:47:40
Ahmedabad, Gujarat:અમદાવાદ વિરાટનગર ફ્લાયઓવર પાસે મળેલા વેપારીની હત્યા કરાયેલા મૃતદેહનો મામલો ઓઢવ પોલીસે કર્યું ઘટનાસ્થળે પંચનામું ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા 2 આરોપીઓને લવાયા ઘટનાસ્થળે વિરાટનગર ફલાયઓવર નીચે પાર્ક થયેલી કાર માંથી મળ્યો હતો બિલ્ડર હિંમતભાઇ રૂડાણીનો મૃતદેહ હત્યાની સોપારી આપનાર આરોપી મનસુખ લાખાણીને કરાશે કોર્ટમાં રજૂ સોપારી લઇ હત્યાને અંજામ આપનાર બે આરોપીઓને પંચનામા માટે લવાયા હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલ નામના આરોપીઓને સ્થળ પર લવાયા મનસુખ લાડાણી નામના બિલ્ડરની નિકોલમાં હત્યા કરી લાશ સહિતની કારણે વિરાટનગર ફ્લાયઓવર નીચે મૂકી દેવાઈ હતી Wkt
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 15, 2025 13:47:32
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કુડસદ જી.આઈ.ડી.સી (ઓલપાડ ) સ્લગ :-1509ZK_VIRODH_BANNER_3 ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... નર્ક કી ગલી મેં આપકા સ્વાગત હૈ નું લાગ્યું બોર્ડ , ઓલપાડ ની કુડસદ જી આઈ ડી સી માં લાગ્યું બોર્ડ , જી આઈ ડી સી માં ભરાઈ રહેતા સતત કેમિકલ યુક્ત પાણી થી ત્રસ્ત કોઈ અજાણ્યા વ્યક્તિએ લગાવ્યું બોર્ડ , સ્થાનિક પ્રશાસન પાણી નિકાલ ની વ્યવસ્થાની પોલ ખુલી. વીઓ... નર્ક કી ગલી મેં આપકા સ્વાગત હૈ નું આ જે બોર્ડ દેખાઈ રહ્યું છે એ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આવેલી જી આઈ ડી સી નું છે , ગત રાત્રીના કે વહેલી સવારે આ બોર્ડ કોઈ અજાણ્યા વ્યક્તિ એ બોર્ડ લગાવ્યું છે , બોર્ડ લગાવવા પાછળ નું કારણ છે કે આ જી આઈ ડી સી માં જવાના રોડ પર સતત દોઢ થી ૨ ફૂટ જેટલા પાણી ભરાયેલા રહે છે ,આ પાણી માત્ર વરસાદી પાણી નથી પરંતુ આમાં જી આઈ ડી સી ના કેમિકલ યુક્ત પાણી પણ ભળેલા છે , આ રોડ પર અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોવાના કારણે રોજિંદા હજારો કામદારો આ રસ્તા પર થી અવરજવર કરે છે , અને તેઓ નર્ક માં જતા હોઈ તેવી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે , આ રોડ ગટર લાઈન થી નીચે હોવાના કારણે ગટરના પાણી પણ આ રોડ પર સતત ભરાયેલા રહે છે , જોકે આ પરિસ્થિતિ માટે જવાબદાર જેટલું પ્રશાશન છે તેટલા જ મિલ માલિક પણ છે જેઓ મિલ માંથી નીકળતું કેમિકલ યુક્ત ગંદુ પાણી ગતરો માં વહેવડાવી દેતા હોઈ છે. જેને લઈ ને લોકો ને ચામડી ના રોગો થવાના પણ બનાવી સામે આવી રહ્યા છે. બાઈટ :- સરોજ બેન - (મહિલા કામદાર) બાઈટ - જીતેન્દ્ર પટેલ - (કામદાર બાઈટ - હરિભાઈ - (દુકાનદાર) વિઓ... નર્ક કી ગલી મે આપકા સ્વાગત હે , આ બોર્ડ જેને પણ લગાવ્યું છે એ ખોટું પણ થી કારણ કે આ રોડ પરથી રોજિંદા પસાર થતા કામદારો, દુકાદારો, રાહદારીઓ, ચામડીના રોગનો શિકાર થઈ ચૂક્યા છે , પરંતુ પેટનો ખાડો પૂર્વ માટે તેમની પણ મજબૂરી છે કે તેમને આ રોડ પર થી પસાર થવું પડે છે , રાજ્ય ધોરી માર્ગ સાથે આ રોડ જોડાયેલા હોવાને કારણે અહીં શોપિંગ સેન્ટર પણ આવેલા છે પરંતુ આ ગંદા ગોબરા પાણી ને કારણે દુકાનદારો પણ દુકાન ખોલી નથી સકતા. જેના કારણે શોપિંગ સેન્ટર ની મુખ્યત્વે દુકાનો આજે પણ બંધ હાલત માં જોવા મળી રહી છે. વોક થ્રુ :- સંદીપ વસાવા (કુડસદ જી.આઈ.ડી.સી : ઓલપાડ)
0
comment0
Report
URUday Ranjan
Sept 15, 2025 12:45:09
Ahmedabad, Gujarat:Slug : 1509ZK_LIVE_AHD_KHOKHARA_MURDERReporter : UDAY RANJAN Injgst Feed :1509ZK_LIVE_AHD_KHOKHARA_MURDER Date : 11 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ખોખરામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધા નું ગળું દબાવી કોઈ એ હત્યા કર્યાનો બનાવ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ખોખરા પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે વીઓ-1 વૃદ્ધાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઅમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં હરીપુરા ની ચાલીમાં બાજુ માં આવેલ ફ્રુટ વાળી ચાલી માં એકલવાયું જીવન જીવતા વૃદ્ધા નું ગઈ તારીખ 11મી સપ્ટેમ્બર ના એકાએક મોત નીપજ્યું હતું. 95 વર્ષીય ધનીબેન રામાભાઇ વાઘેલા છેલ્લા ઘણા વર્ષોથી ફ્રુટ વાળી ચાલી માં ભાડેથી મકાન રાખીને રહેતા હતા. જો કે તેમનો દીકરો ખોખરા વિસ્તારમાં જ તેના પરિવાર સાથે રહેતો હોવાથી ધનીબેન ના મોત અંગેની જાણ પાડોશીએ તેમના દીકરા બીપીનભાઈ વાઘેલા ને કરતા તે દોડી આવ્યો હતો. મૃતક માતાને પોતાના ઘરે લઈને ગયો હતો. અંતિમ ક્રિયા કરવાની તૈયારી કરતા જ દીકરા બીપીનભાઈ ને માતાના ગળાના ભાગે ઈજાના નિશાન થયેલાનુ દેખાયુ હતુ. તેથી દીકરા એ આ અંગે ખોખરા પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ આવી પહોંચી હતી.અને પોલીસે પોસ્ટમોટર્મ કરવાનું નક્કી કરતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રાથમિક રિપોર્ટ માં સામે આવ્યું હતુ. કે વૃદ્ધા નું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે ત્યારે ખોખરા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા ની કલમ હેઠળ ફરિયાદ નોંધી ને હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે ત્યારે પોલીસે ઘર ની તપાસ કરતા દરેક કિંમતી ચીજ વસ્તુ સહીસલામત મળી આવી હતી જેના કારણે પોલીસ એ ત્રણ પાર પોહચી છે કે આ હત્યા કોઈ લૂંટ માટે નથી થઇ ત્યારે આ હત્યા ક્યાં કારણે થઇ તેને લઇ ને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન , ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 15, 2025 12:31:03
Navsari, Gujarat:એપ્રુવડ બાય : હમીમ સર સ્લગ : NVS POSCO AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 15 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના વિજલપોર વિસ્તારની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ, તેની સાથે દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય આરોપીને વિજલપોર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બાજીપુરા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. વી/ઓ : નાની બાળાઓને યેનકેન પ્રકારે લાલચ આપી, નરાધમો તેમની સાથે બદકામ કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આવી જ એક ઘટનાં નવસારીના વિજલપોરમાં સામે આવી છે. જ્યાં 10 માં ધોરણની 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે પરપ્રાંતીય અને વિજલપોરના રામનગરમાં રહેતા 20 વર્ષીય અજય નિષાદે 6 મહિના પૂર્વે વિજલપોર વિસ્તારમાં કોઈ કાર્યક્રમમાં ગરબા દરમિયાન મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેની સાથે વાત કરવાની તકો મેળવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 10 સપ્ટેમ્બરના રોજ અજય સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સગીરાને એક દિવસ અજયે પોતાના રૂમ ઉપર રાખી હતી ત્યારબાદ તેને 11 સપ્ટેમ્બર ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ગામે પોતાના સંબંધીને ત્યાં લઈ ગયો હતો અને આ બે દિવસો દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતું. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. પરંતુ સગીરા ન મળતા અંતે પરિવારે વિજલપોર પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સગીરાને શોધખોળ શરૂ થઈ હોવાનું જાણતા જ આરોપી અજય નિષાદ તેને ગત 12 સપ્ટેમ્બરે બપોરના સમયે ફરી વિજલપોર મુકી ગયો હતો. ફરિયાદ મળતા જ એક્શનમાં આવેલી વિજલપોર પોલીસે અજયના વિસ્તારમાં પૂછપરછ કરવા સાથે તેના મોબાઈલ ફોનને ટ્રેકિંગ ઉપર લગાવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી અજય બાજીપુરા હોવાનું જણાતા જ પોલીસે તેને બાજીપુરાથી દબોચી, તેની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે. બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
4
comment0
Report
GDGaurav Dave
Sept 15, 2025 12:30:38
Rajkot, Gujarat:SLUG - 1509ZK_LIVE_RJT_VOKLO_MOT REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & WHATSAPP એન્કર - રાજકોટ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા ગવલીવાળના વોંકળામાં ખાબકી જવાથી 28 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકનું નામ સર્જીલ સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતક રાત્રિના સમયે વોંકળામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. કારણ કે છેલ્લા 4 મહિનાથી આ વોંકળાનું કામ અધૂરું પડ્યું હતું. એક તરફથી વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરવામાં આવી છે કે, તેમની પાસે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી છે. સ્થાનિકોને પોતાના વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્યો સૂચવવા પોસ્ટ કરવામાં આવી છે. તો બીજી તરફ જૂના કામો 4 મહિના બાદ પણ હજુ અપૂર્ણ છે. ત્યારે આ દુઃખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું હતું કે, આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મેં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, અને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવા અને અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કાયદાકીય પ્રક્રિયાનો અભ્યાસ કરીને કડક પગલાં પણ લેવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે, અને તેઓ વહેલી તકે આવા અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતો ન બને. ટિકટેક : સ્થાનિકો સાથે ગૌરવ દવે બાઈટ : જયમીન ઠાકર, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, મનપા, રાજકોટ
3
comment0
Report
URUday Ranjan
Sept 15, 2025 12:30:22
Ahmedabad, Gujarat:Slug : 1509ZK_LIVE_AHD_BUILDER_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed :1509ZK_LIVE_AHD_BUILDER_AROPI Date : 15 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : આ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસીટીવી નો ઉપયોગ કરવો એન્કર : નિકોલ ના બિલ્ડર હત્યા કેસમાં સોપારી આપનાર બિલ્ડર આરોપી ની ઓઢવ પોલીસ ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે કન્ટ્રક્શન ભાગીદારીમાં જુના હિસાબ ની લેતીદેતી મામલે આપી બિલ્ડરે હત્યારો ને એક કરોડ રૂપિયા સોખડા અને એક મકાન માં હત્યા ની સોપારી આપ્યા ની વિગતો સામે આવી છે વીઓ-1 અમદાવાદ ની ઓઢવ પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે વ્યવસાયે તો અમદાવાદ ના પૂર્વ વિસ્તાર ના નામચીન બિલ્ડર છે જેને કામ કર્યું છે એક કુખ્યાત ગુનેગાર જેવું કેમ કે નિકોલ ના મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ની હત્યા કરવા માટે થી હિમાંશુ રાઠોડ ઉર્ફે રાહુલ ને એક કરોડ રોકડા અને એક મકાન આપવા ના બદલા માં હત્યા કરવા ની સોપારી આપી હતી અને આ વિગતો સામે આવી છે આરોપી હિમાંશુ રાઠોડ ઉર્ફે રાહુલની પોલીસ પૂછ પરછ માં આ વિગતો સામે આવતા ની સાથે જ ઓઢવ પોલીસે હત્યારા બિલ્ડર મનસુખ લાખાણી ની કાયદેસર ધરપકડ કરી ને પૂછપરછ હાથ ધરી હતી બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન વીઓ-2 ઓઢવ પોલીસે મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ના હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ મુખ્ય આરોપી એ બિલ્ડર આરોપી મનસુખ લખાણી ઉર્ફે જેકી ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી તો વિગતો સામે આવી છે કે આરોપી બિલ્ડર મનસુખ લખાણી એ હત્યારો ને એક કરોડ રૂપિયા રોકડા અને એક મકાન ની સોપારી આપી હતી હત્યા કરનાર આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતક બિલ્ડર નો ફોટો વોટ્સએપ થી મનસુખ લાખાણી ને પણ મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ બિલ્ડર આરોપી મનસુખ લખાણી એ વોટ્સએપ ડેટા ડિલીટ કરી નાખી હતો જેને લઇ ને ઓઢવ પોલીસે પુરાવા એકત્ર કરવા માટે થી બધા જ આરોપીઓના મોબાઇલ એફએસએલમાં મોકલ્યા છે જેમાં વધુ માહિતી બહાર આવશે કે સોપારી લેનાર આરોપી અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી વચ્ચે હત્યા સબંધે શું શું વાતચીત થયેલ છે સાથે જ આ હત્યા કરાવવા પાછળ ની કારણ પાછળનું કારણ બંને બિલ્ડરની ભાગીદારી માં નિકોલ માં કેન્સ કોર્નર નામ નું એક કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવા આ આવ્યું હતું જેમાં વર્ષ 2024 માં બોગસ સહીથી આરોપી બિલ્ડર ના પુત્ર કિંજલ લાખાણી એ દોઢ કરોડ રૂપિયા બેન્ક માંથી ઉપાડી લીધા હતા અને સાથે જ 16 દુકાન વેચી દેવાની છેતરપિંડીની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાંન્ચ માં નોંધાઈ હતી અને ભાગીદારી માં ચાલતા કન્ટ્રક્શન ના વ્યસાય ની પૈસા ની લેતીદેતી હોવા નું પોલીસ તપાસ માં સામે આવ્યું છે આ બંને બિલ્ડર વચ્ચે વર્ષ 2016 થી બિલ્ડીંગ કન્ટ્રક્શન ની ભાગીદારી હતી બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન વીઓ-3 ત્યારે ઓઢવ પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપી અને બિલ્ડર આરોપી મનસુખ લાખાણી ની રિમાન્ડ મેળવી ને વધુ તપાસ હાથ ધરી છે સાથે જ હત્યા કરનાર આરોપીઓ ને સાથે રાખી ને ઓઢવ પોલીસે ઘટના સ્થળ પર નું પંચનામું કર્યું હતું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 12:20:00
Surat, Gujarat:સુરત.... વેતન ને લઇ આશા વર્કર બેહનો નો મનપા કચેરી બહાર વિરોધ... બેહનો ને 2022 PMMVY યોજના હેઠળ કામનું વેતન ચુકવામાં આવ્યું નથી એક ફોર્મ દીઠ 150 ચુકવાના હતા જે ચૂકવા આવ્યા નથી.. 150 થી વધુ બેહનો વેતન થી ચિંતિત .. ઓનલાઇન કામગીરી હોવા છતાં મોબાઈલ નથી આપ્યા ખાલી સીમકાર્ડ આપ્યા છે જે પણ ચાલતા નથી... TB અને મોટ્યો ચેક કરવાની કામગીરી સોંપી છે જે હમે ડોકટર નથી તો પણ સોંપવામાં આવી .. વધારામાં આધાર કાર્ડ માંથી આભા કાર્ડ બનાવાની વધારાની કામગીરી સોંપાઈ છે.. મેલેરિયા ની કામગીરી પણ સોંપાઈ ANC PNCની કામગીરી નું મહેન્તાણુ મળે છે પરંતુ આ તમામ વધારા ની કામગીરી સોંપવામાં આવે છે મનપા ના આરોગ્ય અધિકારી ને મળી પગાર વધારો કા તો કાયમી કરવામાં આવે તેવી માંગ...
1
comment0
Report
SBShilu Bhagvanji
Sept 15, 2025 12:19:44
Porbandar, Gujarat:1509 ZK PBR ASHA FORMAT-AVBB DATE-15-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી ફરજ બજાવતી આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત કચેરી ખાતે 400 કરતા વધારે આશા વર્કર અને ફેસિલેટર બહેનો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર સાથે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આશા વર્કર બહેનોએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે,સરકાર દ્વારા એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે,જ્યારે બીજી તરફ મહિલાઓનું શોષણ થતું હોય તે પ્રકારની કામગીરી આશા વર્કર બહેનો સાથે કરવામાં આવી રહી છે.સરકારની જન્મ-મરણથી લઈને તમામ પ્રકારની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે,તેમ છતા પણ માત્ર બે હજાર રૂપિયા જ ચુકવાય છે.તો સાથે જ હવે સરકાર દ્વારા તમામ કામગીરી મોબાઈલના માધ્યમથી ઓનલાઈન કરી દેવામાં આવતા મોબાઈલ કે ડેટા માટે પણ કોઈ ચુકવણું કરવામાં ન આવતું હોવાનું જણાવ્યું હતું.ત્યારે આશા વર્કર બહેનો દ્વારા સ્થાનિક અને રાજ્ય વ્યાપી પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બાઈટ-1 રાણી ખુંટી આશા વર્કર,સુભાષનગર બાઈટ-2 શાંતિ કેશવાલા આશા વર્કર,દેવડા
2
comment0
Report
DPDhaval Parekh
Sept 15, 2025 11:32:27
Navsari, Gujarat:એપ્રુવડ બાય : હમીમ સર સ્લગ : NVS GHAR VAPASI એંકર : ધર્મ પરિવર્તન એ ગ્રામ્ય વિસ્તારનો મહત્વનો અને સળગતો પ્રશ્ન બની બની ગયો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે ગુજરાત અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા 30 જેટલા પરિવારોની ઘર વાપસી કરવામાં આવી છે. વિવિધ પ્રલોભનો ને પગલે હિન્દુમાંથી ખ્રિસ્તી બની ગયેલા પરિવારોને પોતાના મૂળ પ્રવાહમાં લાવવા માટે અગ્નિવીર હિંદુ સંગઠન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 30 જેટલા પરિવારોને પોતાના મૂળ ધર્મ માં લાવીને વટાળવૃત્તિ પર રોક લગાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. બાઈટ : રામુ, ઘર વાપસી કરનાર બાઈટ : મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પ્રમુખ, અગ્નિવીર હિંદુ સંગઠન ગુજરાત
0
comment0
Report
Advertisement
Back to top