Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383460

વિજયનગર ના હરણાવ ડેમ ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

Sept 03, 2024 06:32:00
Vijaynagar, Gujarat

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકાના ઉપરવાસમાં વધુ વરસાદ વરસવાને લઈને હરણાવ નદી બે કાંઠે વહી હતી.બીજી તરફ હરણાવ ડેમમાં પાણીની આવક વધવાને લઈને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 3200 પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Feb 23, 2026 19:00:20
Junagadh, Gujarat:જૂનાગઢના યુવક પાસે 20 લાખની खંડણી मांगવાના કેસમાં કીર્તિ પટેલ જામીન મુકત કરાઈ, વધુ ગુનામાં ભવનાથ પોલીસ મથકમાં હાજર થવા ફરમાન જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં મુર્ગી કુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલે વિવાદાસ્પદ બન્યા બાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં જુનાગઢના એક યુવક પાસે રૂપિયા 20 લાખની खંડણી માંગવાની અને જાનથી મારી નાખવાની તેમજ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લઈ જૂનાગઢ કોર્ટમાં રિમાન્ડ ની માંગ સાથે હાજર કરી હતી ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતાં કીર્તિ પટેલે જામીન અરજી મુકતા કોર્ટે જામીન અરજી મંજુર કરી કીર્તિ પટેલને જામીન ઉપર મુક્ત કરી હતી તેમજ અન્ય ગુનામાં ભવનાથ પોલીસ મથકમાં સવારે 11 વાગ્યે હાજર થવા ફરમાન કર્યું હતું હાલ કીર્તિ પટેલને 20 લાખની खંડણી માંગવાના કેસમાં જામીન મળતા કીર્તિ પટેલે મીડિયા સામે કાંઈ પણ બોલવા તૈયાર નહોતી અને માત્ર હર હર મહાદેવ અને સનાતન ધર્મની જય આટલું બોલી ગાડીમાં રવાના થઈ ગઈ હતો
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 23, 2026 17:15:47
Surat, Gujarat:સુરત ના કામરેજમાંથી એક ચોંકાવનારો વિશ્વાસઘાતનો બનાવ સામે આવ્યો છે. વિસ્તારમાં એક ટૂર ટ્રાવેલ્સ ઓપરેટરે ધાર્મિક યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. શ્રી જગન્નાથ પુરી ખાતે શ્રીમદ્ ભાગવત કથાના આયોજનના બહانے લાખો રૂપિયા ઉઘરાવી, બાદમાં ટૂર ઓપરેટર ભૂગર્ભમાં ઉતરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. એક કથાકાર દ્વારા શ્રી જગન્નાથ પુરી ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા માટે શ્રદ્ધાળુઓને લઈ જવાની જવાબદારી દર્પણ ટૂર ઓપરેટર દર્પણ સુધીરભાઈ પંડ્યાને સોંપવામાં આવી હતી. કથામાં જોડાવા માટે દરેક શ્રદ્ધાળુ પાસેથી 3500 રૂપિયા લેખે કુલ અંદાજે 3.15 લાખ રૂપિયા ટૂર ઓપરેટરને જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ટૂર ઓપરેટરે ચાર લક્ઝરી બસો કામરેજ ખાતે મોકલી હતી. કામરેજ ખાતેથી નીકળેલી ચારેય લક્ઝરી બસના ચાલકોએ ડીઝલ માટે પૈસાની માંગ કરતા ટૂર ઓપરેટરે મુસાફરો પાસેથી અત્યારે રૂપિયા વસુલવા અને શેરડી પહોંચ્યા બાદ પરત આપી દેવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં આવી શ્રદ્ધાળુઓએ અંદાજે 1.5 લાખ રૂપિયાનું ડીઝલ ભરાવ્યું હતું. પરંતુ શેરડી પહોંચ્યા બાદ ટૂર ઓપરેટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો મોબાઇલ સ્વીچ ઓફ આવતા શ્રદ્ધાળુઓ ચિંતામાં મુકાયા. लामબી રાહ જોવાયા બાદ પણ સંપર્ક ન થતા શ્રદ્ધાળુઓને છેતરપિંડી થયાનો અહેસાસ થયો. આ મામલે અંતે ફરિયાદ કામરેજ પોલીસે મથક ખાતે નોંધાવવામાં આવી. કામરેજ പൊലീസ് ત્વરિત કાર્યવાહી કરી ટૂર ઓપરેટરની ધરપકડ કરી છે અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસને શંકા છે કે આ ભેજાબાજ ટૂર ઓપરેટરે અગાઉ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય લોકોને ઠગ્યા હોઈ શકે છે. હાલ કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 23, 2026 16:01:37
Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલેશન મામલે આજે માનવીય સંવેદનાઓ સામે આવી રહી છે. એક તરફ તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે, તો બીજી તરફ લોકો સ્વેચ્છિક રીતે પોતાના આશિયાના તોડી રહ્યા છે. સ્વેચ્છિક ડિમોલેશન કરનાર પરિવારોને તંત્ર દ્વારા સામાન ખસેડવા માટે વાહનની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારના મેન દરિયાં પરથી એક નવો ટીપી રોડ बनવવામાં આવી રહ્યો છે આ ટીપી રોડમાં આવતા ગેરકાયદેસર બાંધકામોને પાડવા માટે જે નોટિસ આપવામાં આવી હતી તે નોટિસમાં લોકોને મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કોઈ વ્યક્તિ પોતે સ્વેચ્છિક મકાન ખાલી નહીં કરે તો તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે જેવી પણ જાણ કરવામાં આવી હતી. દબાણ દૂર નહીં કરે અને બુલડોઝર ફરશે તો તેને લઈને તેને ખર્ચો ભોગવવો પડશે. તંત્રએ આપેલી સૂચનાઓના અંતિમ નોટિસ બાદ લોકો સ્વેચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરતા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા હતા. આ ડિમોલેશન સોમવારે તારીખથી વહેલી સવારથી શરૂ થવાનો હતો એ પહેલા પારો વિસ્તારમાં અડધાથી વધારે મકાનો ખાલી થઈ ચૂક્યા હતા અને કેટલાક લોકોએ પોતાના મકાનો હથોડા મારી તોડી પાડ્યા હતા. આ સાથે જ ત્યાં કરુણ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ડિમોલેશન કરવા માટે લોકો સહમત હતા પરંતુ સાથે સાથે લોકો વૈકલ્પિક વ્યવસ્થા અંગે ગંભીર માંગ ઉšitાઈ રહ્યા હતા. આસપાસના વિસ્તારોમાં ભાડા અચાનક ડબલ થઈ ગયો છે, જેના કારણે ગરીબ અને મધ્યવર્ગીય પરિવારો પર ભારે આર્થિક બોજ આવ્યો છે. સરકારના સરકારી સહાયની માંગ સામે એક વિશેષ આક્ષેપ છે કે विकલાંગ પરિવારને મદદ મળી રહી નથી. કોરોનરી અને વિરોધી પ્રસંગો વચ્ચે પરિવારો પોતાની બચતને રસ્તા પર ખસેડતા દેખાઈ રહ્યા છે.
0
comment0
Report
NRNidhiresh Raval
Feb 23, 2026 16:00:52
Sadhara, Gujarat:એન્કર : ગાંધીધામમા પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી હોટલના રૂમમાં હત્યા નિપજાવી હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. વીયો : ગાંધીધામ શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી હાલમાં સુંદરપુરી વિસ્તારમાં રહેતા અને મૂળ માથકના ભાવનાબેન જેઠાભાઈ લોચાંની હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસે દોડધામ કરી હતી. હોટેલમાં આ મહિલા સાથે આવેલા શખ્સને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો હતો. માથકમાં રહેનાર મોંઘીબેન જેઠાભાઈ લચ્છાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી મહાદેવ હોટેલના રૂમ નં. 8માંથી મહિલાની લાશ મળી આવી હતી. આ હોટેલમાં ગઇકાલે બપોરે એક શખ્સ અને મહિલા રૂમ નં.-8માં આવ્યા હતા. બાદમાં આ શખ્સ ઊતરીને કયાંક ચાલ્યો ગયો હતો. સાંજના સમયે હોટેલના સ્ટાફ આ દરમિયાન બહેતર કામ અર્થે ઘટનાએ તપાસ હાથધરી હતી. 108 એમ્બ્યુલન્સ બોલાવાતા મહિલાને મૃત જાહેર કરી હતી. બાદમાં મહિલાને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબોએ પી.એમ. કરી તેની ગળેટૂંપો દઇ હત્યા કરી દીધી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. પોલીસ આ બનાવ અંગેолня વિગતો મેળવતા હોવા જણાવ્યું હતું કે આ મહિલાએ અગાઉ અંતરજાળ ખાતે સન્ની રાણા (ભીલ) સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નગાળો દરમ્યાન દીકરીના જન્મ બાદ સન્નીનું મૃત્યુ થયું હતું અને દીકરી સન્નાના ભાઈના ઘરે છે. આ મહિલાના કુકમા ખાતે લગ્ન થયા હતા. થોડા દિવસ બાદ છૂટાછેડા થયા હતા. દોરણમાં આ મહિલા સુંદરપુરી બાજુ રહેતા હતા જ્યાં દોઢેક વર્ષથી આરોપી દિલીપ રેવા રાઠોડ સાથેનું વ્યવહાર બન્યું હતું. આ શખ્સના છૂટાછેડા થયા હતા. આગલી દિવસ આ મહિલાએ મહાદેવ હોટેલમાં ગયા હતા જ્યાં કોઇ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ગળેટૂંપો આપી હત્યા કરી નાંસો ગયો હતો. આ શખ્સને રાઉન્ડઅપ કરી લીધા હોવાનો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી પીઆર ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અને ભોગ બનનાર યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આરોપીને યુવતીના અન્ય સાથે સંબધ હોવાનો શક હોય ગળટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. બાઈટ : પી. આર. ચૌધરી (ડીવાયએસપી)
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 23, 2026 15:15:48
:એંકર : ડાંગ જિલ્લામાં રહેતા પાંચ રાજાઓની હાજરીમાં સમસ્ત ભીલ સમાજનું sínેઝ મિલન યોજાયું, જંગલ બચાવવા સાથે સંમેલનમાં સંસ્કૃતિ બચાવવા માટે સમાજને અપીલ કરી, વી/ઓ : ડાંગમાં જંગલની રક્ષા માટે અંગ્રેજો સાથે યુદ્ધ કરી જનગલમાંથી ભગડવામાં આવ્યા હતા, ઇતિહાસમાં લખાયેલ ભીલ રાજાઓના આ સાહસિક પ્રસંગને લઈને આજે પણ દેશમાં માત્ર ડાંગના ભીલ રાજાઓનું રાજ્યપાલ ના હસ્તે જાહેરમાં સન્માન કરવામાં આવે છે, આ સાહસિક ભીલ રાજાઓ દ્વારા જંગલના રક્ષણ માટે અગાઉ ચાલતી પોલીસ પટેલની પ્રથા યથાવથ રાખવા માટે ભીલ સમાજ સ્નેહ મિલન સંમેલનમાં સરકારને રજુઆત કરવામાં આવી, સહિત ભીલ સમાજની પરંપરાગત સંસ્કૃતિ જળવાઈ રહે, અને ગામમાં રૂઢિગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ જંગલમાં લાગતી આગને જોઈ પોલીસ પટેલ અને કારભારીઓ ગામમાં લોકોને જાગૃત કરી જંગલને નુકશાન થતું અટકવતા હતા જે પ્રથા ચાલુ રાખવા અપીલ કરવામાં આવી હતી. બાઈટ : ધનરાજસિંહ સૂર્યવંશી ( રાજા વાસુરણા સ્ટેટ )
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 23, 2026 15:15:34
Ghorahi, Lumbini Province:સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક ડાંગ જિલ્લા પ્રવાસે રેમવીર સિંહ દ્વારા ડાંગ જિલ્લા 2026નું વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું પોલીસ ಪ್ರead દરમિયાન આંતકવાદી હુમલાના બનાવ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના આંગણવાડી ખાતે આંતકવાદીઓએ સ્થાનિક લોકોને બંધક બનાવી ડેમ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ચાલતા આંદોલન સાથે પોલીસ ઘર્ષણ નો અભ્યાસ રજૂ કર્યો નિરીક્ષણ બાદ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે જિલ્લા નાગરિકો સાથે લોકસંવાદ પણ કરવામાં આવ્યું હતો જેમાં જિલ્લાના આગેવાનો વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં તેરા તୁઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ મોબાઇલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 23, 2026 14:37:31
Rajkot, Gujarat:રાજકોટ શહેરના રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે. સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝરો ગેરકાયદેસર બાંધકામો પર ચાલતા જોવા મળ્યા છે.જંગલેશ્વર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં 144ની ધારા લગુ કરવામાં આવી છે,અને સ્થાનિક લોકોને ઘરોની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.પ્રશાસનના જણાવ્યા મુજબ આ ડિમોલેશનની કાર્યવાહી ત્રણ દિવસ સુધી સતત ચાલશે.એક તરફ તંત્ર કાયદાની અમલવારીની વાત કરી રહ્યું છે,તો બીજી તરફ સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કામગીરી પર શહેરભરની नजर ટકેલી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 23, 2026 14:37:21
Ahmedabad, Gujarat:અમદાવાદ Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી Monthsમાં દૂધ અને દૂધની બનાવટના સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી. ૨૨ ફેબ્રુઆરી સુધી કુલ ૪૪૯ નમૂના લેવામાં આવ્યા. જેમાંથી પનીરના ૧૦ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થય્યા છે. સબસ્ટાન્ડર્ડ સાબિત થયેલા સેમ્પલમાં ક્યાંક કુદરતી ચરબીનું પ્રમાણ ઓછું તો ક્યાંક વેજિટેબલ ફેટનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. હાલમાં મોટાભાગના વેપારીઓ એનાલોગ પનીર કે જેનો વપરાશ કાયદેસર છે, પણ વપરાશ સમયે તેનો ખાસ ઉલ્લેખ કરવાનું ટાળતા હોવાનું amc હેલ્થ વિભાગના ધ્યાને આવ્યું છે. જેથી amc એ જેવા વેપારીઓને નિયમનું પાલન કરવા માટે સૂચના આપી છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 23, 2026 14:37:09
Ahmedabad, Gujarat:અમદાવાદમાં શહેરકોટલા વિસ્તારમાં વોરાના રોજા પાસે આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. એક તરફ ચાર ફેરા શરૂ હતા, ત્યારે બીજી તરફ DJ અને લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે થયેલા જૂથ અથડામણમાં કેસમાં પોલીસલે વધુ 4 આરોપી સોહિલ ઉર્ફે જમાઈ રાઠોડ, બદરુદ્દીન અન્સારી, મોસીનખાન, અને અબ્દુલ મજીદની ધરપકડ કરી છે.. જયારે અગાઉ એક સગીર સહિત 7 આરોપીની ધરપકડ કરી છે.. જેમાં સુરસપુરમાં સુલેમાન વોરાની ચાલીમાં રહેતા મોહમ્મદ શાકир શેખાનો પુત્ર મોહમ્મદ યુનુષ શેખ, ઇલિયાસ પઠાણ, ઇ ib્રાહિમ શેખ, ફારૂખ ખાન પઠાણ, અને મૌઇદુદ્દીન અબ્દુલ અન્સારીનો સમાવેશ થાય છે.. આ આરોપીઓને DJ જોરથી વાગતું હોવાથી વિરોધ કરીને વાહનોમાં તોડફોડ કરી હતી..
0
comment0
Report
SSSapna Sharma
Feb 23, 2026 11:37:07
Ahmedabad, Gujarat:ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો વિરોધ શેક્ષણિક સંસ્થાઓમાં રાજનૈતિક પાર્ટીની વિચારધારા થોપવાને લઇ આક્ષેપો કેમ્પસમાં રાજનૈતિક પાર્ટીની विचारધારાઓને લઇ લગાડવામાં આવેલા બેનર હટાવવામાં આવ્યા અધૂરું સત્ય બતાવી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના આક્ષેપો ગુજરાત યુનિવર્સિટીમાં RSS ની પ્રદર્શનિનો વિરોધ અટલ કલામ બિલ્ડિંગમાં RSS આંબેડકર અને સરદાર પટેલ સાથેના ઇતિહાસને રજૂ કરતા પોસ્ટર RSS એ અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર લગાવ્યા હોવાના NSUI ના આક્ષેપ NSUI કાર્યકરોએ અટલ કલામ બિલ્ડિંગ પાસે કર્યા દેખાવો શૈક્ષણિક સંસ્થામાં RSS ની પ્રદર્શિની કરી વિચારધારા થોપવાના આક્ષેપ આંબેડકર-સરદાર પટેલ સાથે RSS નો અધૂરો ઇતિહાસ દર્શાવાયો:NSUI RSS નો સાચો ઇતિહાસ અંગ્રેજોની માફી માંગવાનો રહ્યો છે:NSUI સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂક્યો એ એમનો ઇતિહાસ:NSUI ગુજરાત યુનિવર્સિટીમાં તોડી મરોડીને સત્ય બતાવવામાં આવતા હોવાની રજુઆત RSS મનુ સ્મૃતિ માં માનવા વાળી પાર્ટી છે જયારે બાબા સાહેબ આંબેડકરે તો મનુ સ્મૃતિનું દહન કરીને ફરી NSUI
0
comment0
Report
Advertisement
Back to top