હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા શોભાયાત્રા યોજાઈ
Himatnagar, Gujarat:સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી.સાથે આર્યિકા માતાજી,સમાજના ભાઈઓ,બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરુ થયા હતા.અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુકડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલ શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરુ થઇ હતી જેમાં આર્યિકા માતાજી, ભાઈઓ, બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા.
હિંમતનગરમાં ફરજ સાથે બે ફરજ બજાવતી મહિલા
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આજે એક શોભાયાત્રામાં ફરજ પરની મહિલા બે ફરજ બજાવતી જોવા મળી હતી. હિંમતનગરમાં આજે પર્યુષણ પર્વે જૈનોની શોભાયાત્રા નીકળી હતી જેમાં GRD માં ફરજ બજાવતી મહિલા શીતલ મકવાણા તે પોતાની બંદોબસ્તની ફરજ બજાવતી જોવા મળી હતી સાથે એક માતાની ફરજ બજાવતી જોવા મળી હતી.આમ એક સાથે બે ફરજ બજાવતી જોવા મળી હતી.બંદોબસ્તમાં દીકરાને સાથે રાખીને ફરજ બજાવતી જોવા મળી હતી.સલામ છે એક સાથે બે ફરજ બજાવતી મહિલા.ખેડબ્રહ્મા નાના અંબાજીમાં લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાંસદએ માતાજીના દર્શન કર્યા
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા નાના અંબાજીમાં આજે મોડી સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદએ માતાજીના દર્શન કર્યા હતા. સાબરકાંઠા પોલીસ વડા વિજય પટેલ,કલેકટર રતનકંવર ગઢવીચારણ જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પહોચ્યા હતા અને વાજતે ગાજતે 52 ગજની ધજા સાથે મંદિરે પહોચ્યા હતા જ્યાં પૂજન અર્ચન કરી ધજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. તો અંબાજીથી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્માની ખાનગી હોટલમાં ભોજન લીધું હતું.
હિંમતનગરના ગાંભોઈ પંથકમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો
Himatnagar, Gujarat:સાબરકાંઠા જીલ્લામાં અસહ્ય બાફ વચ્ચે આજે મોડી સાંજે હિંમતનગરના ગાંભોઈ પંથકમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યા હતા તો પાકોને જરૂરી સમયે પાણી મળતા રાહત થઇ હતી. તો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં 49 ઇંચ અને સૌથી ઓછો વડાલી તાલુકામાં 26 ઇંચ વરસાદ નોધાયો છે. છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે બીજી ભાદરવા માસમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના ગાંભોઈ સહિત ખેડ, રૂપાલ પંથકના ભાવપુર, સઢા, મનોરપુર।
ઇડર તાલુકાના બરવાવ ગામે શ્યામગોર વીર બાવજીનો એક દિવસીય મેળો પૂર્ણ થયો
Himatnagar, Gujarat:ઇડરમાં બરવાવ શ્યામગોર વીર દાદાના આશીર્વાદ રૂપે દુધેલીના પાન મેળવે છે એક માન્યતા પ્રમાણે જે પશુપાલક પોતાના પશુ ગાય કે ભેંસ ને સ્થાનકની પહાડી પર ઉગતા દુધેલીના પાન ખવડાવે તો ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે છે અને પોતાના પશુ નીરોગી રહે છે એવી શ્રદ્ધા ધરાવે છે તથા પશુઓની આરોગ્ય અને સુખકારી માટે માનેલી માનતાઓ અહી આવી પૂર્ણ કરે છે. ત્યારબાદ પશુપાલકો પોતાના ઘર પરિવાર સાથે બરવાવ ગામમા ભરતા મેળામાં જઈ ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરે છે.
