icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow7 Sept 2024, 02:28 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आर्थिक मदद पैकेज से अहमदाबाद के कारोबार चमकेंगे; कई योजनाओं से शहर में तेज़ पुनरुत्थान

Gandhinagar, Gujarat:કેબિનેટ બ્રિફિંગ (સંક્ષિપ્ત) ૧. અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ :Heavy વરસાદથી થયેલા نقصان સામે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને સુરતની જેમ જ મદદ કરવાનો निर्णय. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના આધારે પારદર્શી રીતે સર્વે હાથ ધરાશે. સહાય પેકેજથી વેપાર-રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે. ૨. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના ઈન્ટાંર રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ (C.C.) ના બનશે: વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે નિર્ણય. રોડ‑મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા જરૂરીયાત મુજબ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરીયાત મુજબ C.C. રોડની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે. ૩. ભારે વરસાદ વચ્ચે ઊર્જા વિભાગની ઝડપી મરામત કામગીરી: તાજેતરમાં જ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલાં ૨,૫૭૫ ફીડર, ૧,૪૬૪ વીજ પોલ અને ૫,૦૦૦ ટ્રાન્સફોર્મરને પૂર્વવત કરવાની કામગીરી ૩,૪૦૦થી વધુ વીજ કર્મચારીઓની ૯૦૦થી વધુ ટીમોએ યુદ્ધધોરણે હાથ ધરી. વીજ પુરવઠો ખોરવાયેલા તમામ ૧,१९७ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી જનજીવન થાળે પાડવામાં આવ્યું. *૪. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ:* અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં અવિરત વીજ પુરવઠો ચાલુ રાખતા વીજ કર્મચારીઓની સલામતી પર મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો. કાર્ય દ્વારા સલામતીનાં નિયમોનું કડક પાલન કરવાનો અને જરૂર જણાય ત્યાં વધુ સારા તથા આધુનિત સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી. *૫. રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાનનું આહ્વાન:* મુખ્યમંત્રીશ્રીએ અગાઉ કરેલા આહ્વાનના પગલે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે રાજ્યના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને ઓછામાં ઓછી ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરશે. વડાપ્રધાનશ્રીના 'સ્વચ્છ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. ૬. પૂર-અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા मृतકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ:* કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ આખા મંત્રીમંડળે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્મ crescે વિવિધ કારણોસર જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ૭. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવાયું:* સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી 'કોમનવેલ્થ ગેમ્સ'માં ૨ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૩ 브ોન્ઝ મળી કુલ ૧૦ મેડલ જીતનાર ભારતીય રમતવીરો તથા તેમના કોચને ગુજરાત સરકાર વતી હાર્દિક અભિનંદન અને આગામી રમતો માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
0
0
Report

जामनगर में 25 करोड़ लागत सहकार भवन का उद्घाटन अमित शाह ने वर्चुअल से किया

Jamnagar, Gujarat:જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના નવા સહકાર ભવનનું આજે ભવ્ય લોકાર્પણ થયું. મહાપ્રભુજી બેઠક રોડ પર રૂ. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ આધુનિક સહકાર ભવનનું કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને જામનગરના સાંસદ पूનમબેન માડમ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યોમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રની ജીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, ಜಿಲ್ಲಾ વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક રોડ પર રૂ. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સહકાર ભવનમાં ખેડૂતો અને સહકારી સંસ્થાઓને আধુનિક અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ થશે. જામનગર જિલ્લાના ભાગમાંથી મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
0
0
Report
Advertisement

भावनगर में आधार कार्ड सुधार के लिए 3 हजार रिश्वत लेते BMC ऑपरेटर गिरफ्तार

Bhavnagar, Gujarat:Breaking.. ભાવનગર. આધાર કાર્ડમાં સુધારો કરાવવા રૂ. 3 હજારની લાંચ લેતા BMCનો આધાર ઓપરેટર અને ખાનગી વ્યક્તિ ACBના છટકામાં ઝડપાયા ભાવનગર एન્ટी करप्शन બ્યુરો (ACB)એ આજે સફળ ડીકોય કામગીરી કરી ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનની આખલોલ જકાતનાકા સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાંથી આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી અને સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ ચલાવતા અશ્વિન બાંભણિયાને રૂ. 3,000ની લાંચ લેતા ઝડપ્યા છે. ACBને મળેલી હકીકત મુજબ આરોપી અશ્વિન બાંભણિયા પોતાની ઓફિસ મારફતે આધાર કાર્ડ, પાન કાર્ડ તથા અન્ય ઓનલાઈન સેવાઓના કામકાજ કરતો હતો અને ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર સાથે મળતાવળ રાખી આધાર કાર્ડમાં સુધારો-વધારા કરાવી આપવા બદલ રૂ. 2 હજારથી રૂ. 3 હજાર સુધીની લાંચ વસૂલતો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ACBએ ડીકોફાય ગોઠવ્યો હતો. ડીકોયરે આધાર કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે આરોપી અશ્વિન બાંભણિયાને મોકલ્યા હતા. ત્યારબાદ ડીકોયરને BMC પશ્ચિમ ઝોનના આધાર કાર્ડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં આધાર ઓપરેટર વિજય ડાભીએ આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો હતો. ત્યારબાદ आरोपીએ અશ્વિન બાંભણિયા સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ રૂ. 3,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
0
0
Report
Advertisement

गांव में GIDC जमीन सर्वे के विरोध पर पुलिस ने लाठीचार्ज किया

Dahod, Gujarat:દાહોદ જિલ્લામાં ગોવિંદ ગુરુ લિમડી તાલુકાના કચલધરા ગામમાં GIDC માટેની જમીન સર્વેની કામગીરી દરમિયાન મામલો ગરમાયો છેલ્લા ઘણા સમયથી GIDC માટે જમીન संपાદનના મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે કચલધરા ગામ ખાતે તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી શરૂ કરવાની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને સર્વેનો વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતી જોઈ પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ. લાઠીચાર્જ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભારે रोष જોવા મળ્યો હતો.ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો. જમીન સંપાદન અને GIDC મુદ્દે ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો છે. અને GIDCમાં જમીન સંપાદનને લઈને આગળ પણ ઊગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી.
0
0
Report
Advertisement

नवसारी में भारी बारिश से किसानों के खेत नुकसान, सरकार से तुरंत सर्वे की मांग

Navsari, Gujarat:નવીસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી નદી કિનારાના ગામોની ખેતીને મોટાપાયે અસર થઈ છે. જિલ્લામાં ૨૧,૦૦૦ હેક્ટરથી વધુ ખેતીની જમીનમાં પાણી ભરાવાથી १८,૦૦૦થી વધુ ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને શેરડી છે. હાલ ડાંગરની રોપણી ચાલી રહી હતી ત્યારે ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા છે. જેથી ખેડૂતોએ ફરીથી ડાંગર રોપણી માટે મહેનત કરવી પડી રહી છે. બીજી બાજુ, શેરડીના પાકમાં ફેરરોપણી કરવી શક્ય નથી. આ ઉપરાંત, બાગાયતી પાકો જેવા કે આંબાવાડી અને ચીકુવાડીમાં અનેક ઝાડ પડી ભાંગ્યા છે અને વાડીઓમાં પાણી ભરાઈ રહેવાથી વૃક્ષો સડી જવાની પણ પૂરી શક્યતા છે. નિયમ મુજબ ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ સરકારી સહાય કે વળતર મળતું હોવાથી નાના અને સીખીમય ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે. ખેતી પાકોની સાથે શાકભાજીના પાકમાં પણ જીવાત અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક સર્વે કરાવીને નાના ખેડૂતોને પણ યોગ્ય વળતરો આપે તેવી ખેડૂત આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. બીજી તરફ, નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા ખેતી અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરી દેવાયો છે. અત્યાર સુધીમાં ૨૧,૦૦૦ હેક્ટર જમીનમાં નુકસાનીનો અંદાજ મેળવાયો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. છતાં આગામી ૪ થી ૫ દિવસમાં આ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવશે. બાઈટ (૧): પિનાકીન પટેલ, ખેડૂત આગેવાન, નવસારી બાઈટ (૨): ડૉ. અતુલ ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નવસારી
0
0
Report

765 केवी लाइन के मुद्दे पर किसानों का उग्र प्रदर्शन, सुरेंद्रनगर में महा-रैली

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોની વિશાળ મહારેલી યોજાઈ હતી. મേളના મેદાનથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જેમાં જેતપર સહિત જિલ્લાના ઘણા ગામોના મહિલા અને પુરુષ ખેડૂત મોટી સંખ્યામાં જોડાયા હતા. વી.ઓ. – 1 સુરેડ્રનગર શહેરમાં યોજાયેલી ખેડૂતોની મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાન, મહિલા ખેડૂત બહેનો અને યુવાનો જોડાયા હતા. ખેડૂતોના હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીજ પોલ અને 765 કે.વી. વીજ લાઇન માટે જમીન અને પાકને થનારા નુકસાન અંગે ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વી.ઓ. – 2 ખેડૂતોએ સરકારના તાજેતરના પરિપત્રને ખેડૂતોના હિત વિરુદ્ધ ગણાવી તેનો કડક વિરોધ કર્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે, ખેતીની જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને ખેડૂતોની સંમતિ વગર કામગીરી ન કરવામાં આવે તેવી માંગ સાથે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. વી.ઓ. – 3 રેલી બાદ ખેડૂતો પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે સંવેદનશીલતા દાખવે અને 765 કે.વી. વાય લાઇન મામલે ખેડૂતોને ન્યાય મળે તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. 765 કે.વી. વીજ લાઇન મુદ્દે સુરേന്ദ്രનગરમાં ખેડૂતોનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતખેડૂતની ભાગીદારી સાથે યોજાયેલી આ મહારેલી બાદ હવે જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર રહેશે. બાઈટ 1. શક્તિસિંહ ઝાલા (ગામ કોઢ) 2. અર્જુનસિંહ ઝાલા (ગામ કોઢ) 3. મેહુલભાઈ પટેલ (ગામ જેતપર) 4. નિર્મળાબેન પટેલ (ગામ જેતપર) 5. ચંદ્રિકાબેન (ગામ જેતપર) 6. વર્ષાબેન (ગામ જેતપર)
0
0
Report

आनंद में घरफोड़ चोर गिरफ्तार: चांदी-गोल्ड समेत भारी माल बरामद

Anand, Gujarat:આણંદ શહેરની વિદ્યાનગર રોડ પર આવેલી શીતલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આણંદ ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઉકેલી કાઢ્યો અને બે ધરફોડ ચોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી ચાંદીની કિંમતની ચીજવસ્તુઓ, કોચ અને રાડો કંપનીની ઘડિયાળો, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂ. 2,45,620ના મુદ્દામાલ કબજે કર્યો છે. આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર આવેલી શીતલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને છેલ્લાં દસ વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા રાકેશભાઈ ઉર્ફે લાલાભાઈ પટેલના બંધ મકાનમાં ગત તા. 8 જુલાઈ, 2026ના રોજ મધરાત્રીના આશરે 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યાની વચ્ચે તસ્કરોએ પાછળના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરીમાંથી ચાંદીની વિવિધ ચીજવસ્તુઓ, પૂજામાં ઉપયોગી સામગ્રી તેમજ બે કિંમતી ઘડિયાળા મળી કુલ રૂ. 1.40 લાખની માલમત્તીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ રાકેશભાઈ પટેલના ભાગીદાર તથા મકાનની દેખરેખ રાખતા હેમલકુમાર પ્રવીણભાઈ પટેલને થતાં તેમણે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. કંડોરિયા તથા સર્વેલન્સ પીએસઆઈ એસ. বি. ઝાલાએ ખાસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ હઠુભા, પોલીસ કોન્સ્ટેબલ રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વલુભાઈ ગંધુભાઈએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તૈયાર તપાસ કરી હતી. ઉપરાંત હ્યુમન સોર્સના આધારે બે શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવામાં મળી હતી. આણંદ ટાઉن પોલીસના તપાસમાં મનસુખભાઈ ઉર્ફે મનિષ વિષ્ણુભાઈ મનજીભાઈ ગોદારીયા દંતાણી (મૂળ રહે. ઉમરેઠ, હાલ માંજલપુર, વડોદરા) તથા દીલીપભાઈ ઉર્ફે પાપો ભગવતભાઈ ચીમનભાઈ દંતાણી (રૂહે. ઉમરેઠ)ને ઝડપી પાડી પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉથી સત્યાપિત માલમાં ચાંદીની ગણપતિ-લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીની ઘંટડી, શ્રી યંત્ર, વાટકી, ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, કંદોરી, ઝુમખું, ચમચી, કંકાવટી, પેન્ડલ, કડલી તથા 12 ચાંદીના સિક્કા મળી કુલ 479.400 રૂપિયાની ચાંદીની ચીજવસ્તુઓ, કોચ કંપનીની રોઝ ગોલ્ડ કલરની ડાયમંડ જડિત લેડીઝ ઘડિયાળ, રાડો કંપનીની કાળા અને ગોલ્ડન કલરની ઘડિયાળ, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ કબજે કરી હતી. કબજે કરાયેલ મામલા મુજબ ચાંદીની ચીજવસ્તુઓની કિંમત રૂ. 75,620, બે ઘડિયાળોની કિંમત રૂ. 65,000, મોબાઇલ ફોનની કિંમત રૂ. 5,000 અને મોટરસાયકલની કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 2,45,620ના મુદ્દામાલ તરીકે લઇ જવામાં આવ્યો. પોલીસના તપાસથી պարզ થયું કે મુખ્ય આરોપી મનસુખભાઈ ઉર્ફે મનિષ વિરુદ્ધ કપડવંજ અને વડોદરા શહેર પોલીસ મથકોમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલો છે. જ્યારે દીલીપભાઈ ઉર્ફે પાપો વિરુદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુન નોંધાયેલો છે.
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से खेती को बड़ा नुकसान, किसानों ने मुआवजे की मांग तेज

Surat, Gujarat:સુરત બ્રેકિંગ અતિવૃષિટે ખેડૂતોની કમર તોડી સુરત શહેર-જિલ્લામાં એક જ પખવાડિયામાં બે વખત થયેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત્યું. ખાડી પૂરથી શહેરના વેપારીઓ અને સેંકડો પરિવારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જિલ્લાના ખેડૂતો પર પણ અતિવૃષ્ટિનો મોટો માર પડ્યો છે. ભારે વરસાદથી કેળાના પાકને અંદાજે 80 ટકા સુધી નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે. કપાસ, ડાંગર અને શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાતા ઉભા પાક નાશ પામ્યા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને આર્થિક સંકટ ઊભો થયું છે. ખેડેતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરવાની માંગ કરી છે. સરકાર તરફથી વહેલી તકે સહાય જાહેર કરવાની માંગ ઉઠી છે. જુલાઈ महिनામાં દક્ષિણ ગુજરાતમાં અસામાન્ય વરસાદ નોંધાયો છે. એક પખવાડિયામાં બે વખત આવેલા ભારે વરસાદે ખેતીને ભારે ફટકો આપ્યો છે. ખેડૂતોને હવે આગામી સિઝનની પણ ચિંતા સતાવી રહી છે. કૃષિ વિભાગ નુકસાનનું મૂલ્યાંકન કરે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. વહેલી તકે સહાય નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.
0
0
Report

आनंद जिले बोर्सद में बारिश से धान की फसल डूब गई, किसानों को नुकसान

Anand, Gujarat:એંકર:આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં ભારે વરસાદ ખેડૂતો માટે આફત બની રહ્યો છે. રાસ ગામની સીમમાં આવેલી એક હજારથી વધુ વિઘા જમીનમાં ભરાયેલા વરસાદી પાણી પાંચ દિવસ બાદ પણ નહીં ઓસરતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીઓ-બોરસદ પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રાસ નજીકનો કાંસ ઓવરફ୍લો થયું હતો. જેના પગલે રાસ ગામની સીમમાં ડાલી રોડ વિસ્તારની એક હજારથી વધુ વિઘા જમીનમાં વરસાદી અને કાંસના પાણી ફરી વળ્યાં હતાં. ખેતરો જળબંબાકાર બનતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. છેલ્લા પાંચ દિવસથી પાણી નહીં ઓસરતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને હજારો વિઘામાં કરેલો પાક નિષ્ફળ ગયો છે. વીઆ-પાણી હજુ સુધી નહીં ઓસરતાં ડાંગરના ધરુ પણ કહોવાઈ ગયા છે. પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ફરી રોપણી પણ કરી શકશે નહીં. નવી રોપણી માટે ધરુ ક્યાંથી લાવવું અને મોડી રોપણીથી ઉત્પાદન કેટલું મળશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પરિણામે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. સ્થાનિક ખેડુતોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન રાસ ગામની સીમમાં એક હજારથી વધુ વિઘા જમીનમાં પાણી ભરાઈ જવાનો સમસ્યા સર્જાય છે. જો પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારના ખેડુતોને દર વર્ષે પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top