Back
गढड़ा के मुख्य मार्ग पर खड्डे: यातायात बुरी तरह बेहाल
RMRaghuvir Makwana
Sept 13, 2025 06:32:05
Botad, Gujarat
SLUG-1309 ZK BTD ROD RASTA KHARAB
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-STORY IDEA
એન્કર.
ગઢડા શહેરનાં હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા વિસ્તારનાં મુખ્ય ધોરીમાર્ગ આવેલો છે. આ ધોરીમાર્ગ પર વરસાદ બાદ રસ્તો ધોવાયો છે અને ખાડાઓ પડ્યાં છે. જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક આ મુખ્ય માર્ગ પર ખાડાઓ બુરવામા આવે તેવી વાહનચાલકો અને લોકો માંગ કરી રહ્યા છે. જો રસ્તાનું સમારકામ નહિ કરાયતો વિપક્ષ નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી.
વીઓ.
બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ છે. પરંતુ ગઢડાના રસ્તાઓની સ્થિત ખખડધજ હાલતમાં છે. ગઢડા શહેરમાંથી ધોરીમાર્ગ પસાર થાય છે. જે ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં અને મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને અકસ્માતો થવાનો ભય સતાવી રહ્યો છે. અગાઉ તંત્ર દ્વારા માટી કામ કરીને ખાડાઓ પૂરવામાં આવેલા પરંતુ વરસાદ થતાં રસ્તો ધોવાયો જેથી ફરીવાર ખાડાઓ પડ્યા છે.
વીઓ.
ગઢડા થીઅમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો ધોરીમાર્ગ ગઢડાથી પસાર થાય છે. જ્યારે ગઢડામાં પ્રવેશતાં મુખ્ય માર્ગ જે હાઈસ્કુલ ચાર રસ્તા થી જીનનાકા વિસ્તારમાંથી પસાર થવું પડે છે. જે આ મુખ્ય ધોરીમાર્ગ વરસાદ બાદ ફરીવાર ધોવાયો છે જેના કારણે ખાડાઓ પડ્યા છે. ત્યારે આ રસ્તો મુખ્ય માર્ગ છે અને આ રસ્તા પરથી રાજ્યના તમામ શહેરોને જોડતો રસ્તો છે. જેથી હજ્જારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. તેમજ ગઢડામાં બે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરો આવેલાં છે. જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો પણ ઘસારો રહે છે. પરંતુ મુખ્ય માર્ગ ખખડધજ અને ખાડાઓના કારણે વાહનચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તાત્કાલિક આ ખાડાઓ બુરવામા આવે તેવી વાહનચાલકો અને લોકો માંગ કરી રહ્યા છે.
વીઓ.
ગઢડા હાઈસ્કુલ ચાર રસ્તા થી સામાકાંઠા વિસ્તાર સુધીનો રસ્તો છે જે ગઢડાનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા પર થી અનેક શહેરોમાં તેમજ ગામડાઓમાં જવા આવવા માટે નો મુખ્ય રસ્તો છે જેથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. પરંતુ વરસાદ બાદ આ રસ્તો ફરીવાર ધોવાયો છે અને ખાડા પડ્યા છે અને રસ્તો ખખડધજ થયો છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેમ નગરપાલિકા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે જો રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી વિપક્ષ નેતા મીતભાઈ ડાંગરઉચ્ચારી છે.
બાઈટ-મિત ડાંગર-વિપક્ષ નેતા
બાઈટ-ચેતન ભાઈ ત્રિવેદી-સ્થાનિક
બાઈટ-અજય ભાઈ ઝાલા-સ્થાનિક
11
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:506
Report