Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Porbandar360575
पोरबंदर महेर गरबा: सोने के दागीनों के साथ नवरात्रि की मिसाल
SBShilu Bhagvanji
Sept 27, 2025 02:01:28
Porbandar, Gujarat
2709 ZK PBR MER FORMAT-PKG DATE-27-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર શેરી ગરબીઓે અને થોડી ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા મળે છે ત્યારે પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની આગવી પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરિક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરનો ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિની ઝાંખી અહીં જરુર થતી જોવા મળે છે. વીઓ-1 શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 24 વર્ષથી પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મહેર સમાજના લોકો માટે નવરાત્રીનુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યુ છે.આજે જ્યારે નવરાત્રીમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાનુ સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યું છે અને ગરબીઓનુ મ્યુઝિક પણ પાર્ટીમય બની ચુક્યુ છે ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરિક પોશાક પહેરીને જ મહિલા અને પુરુષો રમે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.અહી પાંચમાં નોરતે આ વખતે પણ આપણા પરંપરાગત જે જુના ગરબાઓ છે તેની ઝલક જોઈ શકાય છે.મેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે.મહિલાઓ પારંપરિક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરી મણિયારો રાસ રમે છે. બાઈટ-1 વિમલજી ઓડેદરા પ્રમુખ,શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ બાઈટ-2 ભોજા આગઠ આગેવાન,મહેર સમાજ,પોરબંદર વીઓ-2 ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે.આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચૂક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે..મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપરિક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો,કાપડુ,ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરે છે.આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે.ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ લાખો રુપિયાના ઘરેણાં પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાય છે. બાઈટ-3 રમા ભુતિયા ખેલૈયા બાઈટ-4 ખેલૈયા બાઇટ-5 ખૈલેાયા વીઓ-3 પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ પાંચમાં નોરતે જ્યારે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવું અવશ્ય કહી શકાય કે,મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે.આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની અનુભૂતિ અહીં જરૂરથી સૌ કોઈને થાય છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RRRakesh Ranjan
Sept 26, 2025 18:48:18
Noida, Uttar Pradesh:रामपुर गोरखपुर से हत्या व गौकशी के अपराध में 01 लाख का ईनामी अभियुक्त जुबैर उर्फ कालिया के साथ थाना गंज के साथ हुयी पुलिस मुठभेड* थाना गंज क्षेत्रान्तर्गत चाकू चौक से मण्डी को जाने वाले रास्ते पर गोरखपुर से हत्या व गौकशी के अपराध में 01 लाख के ईनामी अभियुक्त हिस्ट्रीशीटर 70B जुबैर उर्फ कालिया पुत्र फिरासत उर्फ नौरंगी निवासी घेर मर्दान खां थाना कोतवाली, रामपुर थाना गंज पुलिस के साथ मुठभेड में जुबैर उपरोक्त गोली लगने से घायल हो गया है, जिसे उपचार हेतु जिला चिकित्सालय रामपुर भेजा गया है । पुलिस मुठभेड में उ0नि0 राहुल जादौन व आरक्षी सन्दीप कुमार घायल हुये हैं । क्षेत्राधिकारी नगर मय पुलिस बल मौके पर मौजूद हैं । शान्ति एवं कानून व्यवस्था की स्थिति सामान्य है । एचएस नं0 70B जुबैर पुत्र फिरासत उपरोक्त का आपराधिक इतिहास- 1. मु0अ0सं0- 493/17 धारा 11 पशु क्रूरता अधि० थाना कोतवाली रामपुर 2. मु0अ0सं0 - 498/17 धारा 11 पशु क्रूरता अधि० थाना कोतवाली रामपुर 3.मु0अ0सं0 - 266/19 धारा 379/411 भादवि चालानी थाना पटवई जिला रामपुर 4. मु0अ0सं0- 98/2020 धारा 380/457 भादवि चालानी थाना मिलक रामपुर 5. मु०अ०सं०- 99/20 धारा 3/5/8 सीएस एक्ट चालानी थाना मिलक रामपुर 6. मु0अ0सं0-100/2020 धारा 3/25 ए एक्ट चालानी थाना मिलक रामपुर 7. मु0अ0सं0-188/2020 धारा 3(1) गैंगस्टर एक्ट चालानी थाना मिलक रामपुर 8. मु०अ०सं०-150/20 धारा-3/25 ए एक्ट चालानी थाना कैमरी रामपुर 9. मु0अ0सं0-151/20 धारा 420/468/471 भादवि चालानी थाना कैमरी रामपुर 10. मु0अ0सं0-96/22 धारा 3/5/8 सीएस एक्ट चालानी थाना गंज रामपुर 11. मु0अ0सं0- 143/22 धारा 3(1) गैंगस्टर एक्ट चालानी थाना गंज रामपुर 12.मु0अ0सं0-298/22 धारा 3/5/8 सीएस एक्ट चालानी थाना गंज रामपुर 13. मु0अ0सं0- 01/23 धारा 3(1) गैंगस्टर एक्ट चालानी थाना गंज रामपुर 14. मु0अ0सं0- 02/25 धारा 109 बीएनएस व 3/25/27(1) ए एक्ट चालानी थाना शहजादनगर रामपुर 15. मु0अ0सं0-201/24 धारा 3/5ए 18 सीएस एक्ट व धारा 11 पशु क्रूरता अधि० व धारा 109/121(1)/61(2) बीएनएस चालानी थाना तुलसीपुर जिला बलरामपुर 16. मु0अ0सं0 377/24 धारा 3/5ए/8 सीएस एक्ट व धारा 11 पशु क्रूरता अधि व धारा 109 बीएनएस चालानी थाना सिकरी गंज जनपद गोरखपुर 17.मु0अ0सं0 403/24 धारा 3/5ए/8 सीएस एक्ट व धारा 11 पशु क्रूरता अधि चालानी थाना मनका पुर जनपद गौण्डा 18. मु0अ0सं0- 705/25 धारा-103(1),140(1),312,109,115(2),125(5),3(5) बीएनएस व 3/5ए/8 सीएस एक्ट व धारा 11 पशु क्रूरता अधि0 थाना पिपराइच जनपद गोरखपुर
14
comment0
Report
AKAshok Kumar
Sept 26, 2025 18:47:59
Junagadh, Gujarat:જુનાગઢ... ગુજસિટોક કેસનો આરોપી રાજુ સોલંકી ફરી વિવાદમાં જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ ભેસાણમાં કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ કરી ટિપ્પણી જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર પર કર્યા આક્ષેપ મહિલાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ રાજુ સોલંકી અને વિડિયો પોસ્ટ કરનાર પિયુષ બોરીચા સામે ફરિયાદ નોંધાઈ જુનાગઢના ''ગુજસીટોક'' આરોપી રાજુ સોલંકી વિરુદ્ધ ફરિયાદ, કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી,ફેસબુક પર લાઇવ કરીને બદનામ કરવાનો પ્રયાસ, રજૂ સોલંકી સહિત બે આરોપી સામે ગુનો દાખલ એક મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ધોરાજી તાલુકાના એક ગામના મહિલા સરપંચે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જુનાગઢના રાજુ સોલંકી અને પિયુષ બોરીચા નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ અને બદનક્ષી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજસી ટોકનો આરોપી રાજુ સોલંકી છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતો અને થોડો સમય પહેલા જ તે છૂટી બહાર આવ્યો છે. જાહેર સંબોધનમાં અભદ્ર ભાષાનો ઉપયોગ અને ઘટનાક્રમ ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ તેમને સમાજના આગેવાન વસંતભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો, જેમણે માહિતી આપી કે 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ડો.આંબેડકરની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં રાત્રીની સભા દરમિયાન રાજુ બાવજીભાઈ સોલંકી (રહે. જુનાગઢ) એ તેમના વિરુદ્ધ અભદ્ર ભાષામાં અપશબ્દો બોલી તેમના ચારિત્ર્ય પર આળ મૂક્યું હતું. આ કાર્યક્રમનો ઉપયોગ ફરિયાદી મહિલાને જાહેર મંચ પરથી બદનામ કરવાના બદઈરાદાથી કરવામાં આવ્યો હતો. રાજુ સોલંકીએ માત્ર સરપંચના ચારિત્ર્ય પર જ નહીં, પણ તેમના પતિના મિત્રને પણ બદનામ કર્યા હતા. ​સહ-આરોપી દ્વારા ફેસબુક લાઇવ કરીને ગુનામાં મદદગારી ​ફરિયાદી કિરણબેને જ્યારે આ વિડીયો ફેસબુક પર જોયો, ત્યારે જાણવા મળ્યું કે પીયૂષ બોરીચા (રહે. સરગવાડા, જુનાગઢ) નામની આઇ.ડી. પરથી પણ આ સંબોધનને લાઇવ કરવામાં આવ્યું હતું અથવા પોસ્ટ કરવામાં આવ્યું હતું. ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ બદનામીના ઈરાદાથી કરવામાં આવ્યું હતું. આમ, રાજુ સોલંકી અને પીયૂષ બોરીચાએ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો. ફરિયાદી મહિલાએ તેમના પતિ અન્ય સમાજના આગેવાનો સાથે પોલીસ સ્ટેશનમાં આવીને આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ​પોલીસ અધિકારીનું નિવેદન અને ગુનાહિત ઇતિહાસ ​આ સમગ્ર મામલે જુનાગઢના ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરના પ્રતિમા અનાવરણ કાર્યક્રમ દરમિયાન રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર્ય પર આળ મૂકતા તેમજ બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી ગુનો કરેલો. ​પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 79, 296, 351, 352, 356 અને 54 હેઠળ ગુનો દાખલ કરેલ છે. બાઈટ રવિરાજ પરમાર ડીવાયએસપી જુનાગઢ ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું કે આ ગુન્હાનો મુખ્ય આરોપી રાજુ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવે છે. તે ગુજસીટોક (GCTOC) નો આરોપી છે અને હાલમાં જ જેલમાંથી છૂટેલ છે. પોલીસે કાયદાને અનુસરીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 18:00:18
Ahmedabad, Gujarat:ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બહિયલ ગામે મા અંબાની આરતીનો લાભ લીધો બહિયલ ગામે થયેલ કોના હુલ્લડ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન બહિયલ ગામમાં મા અંબાના ભક્તો સાથે મળી માતાજીની આરતી કરવાનો લ્હાવો મળ્યો બહિયલ ગામે અમુક દંગાઇયો દ્વારા હુમલો કરવામાં આવ્યો માં અંબાજીની માંડવીમાં હુલ્લડ કરવામાં આવ્યું ગાંધીનગર પોલીસે ઘરમાં અને અભરાઈએ છુપાયેલા દંગાઇયોને શોધ્યા ગાંધીનગર પોલીસે ઘરના દરવાજા તોડી એક એક દંગાઇઓને પકડ્યા જે દંગાઇઓએ આ ગામમાં નુકસાન પહોંચાડ્યું છે તેમની પાસે થી તે વસુલવા માટે કાર્યવાહી કરવામાં આવશે જે કોઇ પાસે પણ આ ઘટનાની વિડિયો હોય તે પોલીસને આપે જેથી એ દંગાઇઓની ઓળખ થાય અને નુકસાન વસુલાય જે લોકો ભાગી રહેલા છે તેને બચાવનાર અને છુપાવનાર લોકોને ગુનેગાર ગણી કાર્યવાહી કરાશે બાઇટ હર્ષ સંઘવી , ગૃહ રાજ્યમંત્રી
5
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 17:00:39
Dwarka, Gujarat:વીઓ 01 :- જ્યાં એક તરફ શેરબજારમાં રોકાણ કરીને લોકો પૈસા કમાવાની આશા રાખે છે, ત્યાં જ કેટલાક ઠગબાજો આ જ ક્ષેત્રનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કલ્યાણપુરના એક વ્યક્તિને ફેસબુક પર શેરબજારમાં 100% નફો આપવાની લાલચ આપવામાં આવી. આરોપીઓએ શરૂઆતમાં ભોગ બનનાર વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે તેમના પ્રોફાઈલમાં 2 કરોડનો ખોટો નફો દર્શાવ્યો. આ લોભામણી જાહેરાતમાં ફસાઈને પીડિતે રોકાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ, આરોપીઓ સતત નવા નવા બહાના હેઠળ પૈસા પડાવતા રહ્યા અને આખરે કુલ 41 લાખની માતબર રકમની છેતરપિંડી કરી. આ ઘટના બાદ પીડિતે તુરંત દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. વીઓ 02 :- સાયબર ક્રાઈમ પોલીસ ને કલ્યાણપુરના એક ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ મળી હતી. જેમની સાથે ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડી થઈ હતી. અમે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી. સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનેગારોને ટ્રેસ કર્યા અને મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે પંકજ ઉર્ફે પિયુષ રાઠોડ અને બસંત સોલંકી આ બંને મામા ભાણેજ ની ઠગ જોડીએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.. વીઓ 03 :- સાયબર ક્રાઈમ બ્રાંચે પકડાયેલા આરોપીઓ પાસેથી 6,91,000 રોકડ રકમ, 7 મોબાઈલ ફોન, એક લેપટોપ તેમજ 13 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિત 8 લાખ 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. પોલીસની આ સફળ કામગીરીએ સાબિત કરી દીધું છે કે સાયબર ગુનેગારો ગમે તેટલા દૂર હોય, કાયદાના હાથથી બચી શકતા નથી. ત્યારે આ સમગ્ર ઘટના એક ગંભીર ચેતવણી છે. જ્યારે પણ તમને ઓનલાઈન કોઈ રોકાણની લોભામણી જાહેરાત મળે, ત્યારે તેની ખરાઈ કર્યા વિના ક્યારેય પૈસા ન મોકલો.. બાઈટ :- વિસ્મય માનસાતે, DYSP, દેવભૂમિ દ્વારકા
6
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 17:00:27
Dwarka, Gujarat:વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે આવેલી સરકારી જમીન પરના મોટા પાયેના ગેરકાયદેસર દબાણને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. જલાલશા પીરની દરગાહ નજીક આવેલી આ સરકારી જમીન પર બાંધવામાં આવેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર માટેનો હોલ અને ૭ ઓરડા સહિતના બાંધકામો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વીઓ 02 :- અંદાજિત ૧૩,૪૭૬ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ બાંધકામને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણમુક્ત કરાયેલી સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. ૪૨ લાખ જેટલી ગણવામાં આવી રહી છે.સરકારી જમીનોને દબાણમુક્ત કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે તંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
3
comment0
Report
SBShilu Bhagvanji
Sept 26, 2025 17:00:15
Porbandar, Gujarat:2509 ZK PBR MANDAVIYA FORMAT-PKG DATE-29-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલન તથા વોકલ ફોર લોકલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તથા વેપારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. વીઓ-1 કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયા પોરબંદરમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત પોરબંદરમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ ગોઢાણીયા કોલેજ ખાતે આયોજીત આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલનમાં હાજરી આપી યુવાઓ સાથે ચર્ચા કરી હતી તો ચોપાટી ખાતે આયોજીત વોકલ ફોર લોકલ માર્કેટને ખુલ્લુ મુકી લોકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી. બાઇટ-1 ડો.મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી વીઓ-2 પોરબંદર પહોંચેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત પણ કરી હતી જ્યાં ડો.માડવીયાનુ વેપારીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
6
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 17:00:09
5
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:20:02
Dwarka, Gujarat:વીઓ 01:- દ્વારકામાં છેલ્લા ૧૫૧ વર્ષથી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અડીખમ રીતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીની સ્થાપના ઈ.સ. ૧૮૭૪ના ઓક્ટોબર માસમાં ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. હોળી ચોકમાં માતાજીની નવ મૂર્તિઓ સાથેના મંડપનું સુશોભન કરીને આ પરંપરા શરૂ થઈ હતી. આધુનિક સમયમાં જ્યાં ગરબીનું સ્વરૂપ ઘણું બદલાયું છે. ત્યાં આ ગરબી આજે પણ પોતાની પ્રાચીન પરંપરાને જાળવી રાખીને તેની આગવી ઓળખ ઊભી કરે છે. બાઈટ :- વત્સલ પુરોહિત, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ વીઓ 02 :- આ ગરબીની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે. ગરબે રમવા આવતા પુરુષો માટે ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડી જેવા પરંપરાગત પોશાક પહેરવાનું ફરજિયાત છે. અહીં કોઈ જ્ઞાતિનો કે ઊંચ-નીચનો ભેદભાવ નથી. ઢોલ-નગારાના તાલે અને માતાજીના પ્રાચીન છંદો ગાઈને ભક્તિ કરવામાં આવે છે. આનાથી એક ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે. બાઈટ :- કપિલભાઈ વાયડા, મંત્રી, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ વીઓ 03 :- દરરોજ રાત્રે યોજાતી આરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ખાસ કરીને અષ્ટમીના દિવસે ૧૦૮ વ્યક્તિઓ દ્વારા સમૂહ મહાઆરતીનું આયોજન થાય છે. આ આરતીમાં અત્યાર સુધીમાં અનેક ધાર્મિક અગ્રણીઓ, જેમ કે શંકરાચાર્યજી, પૂજ્ય ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, અને મા કનકેશ્વરીજી જેવા મહાનુભાવોએ હાજરી આપી છે. જે આ ગરબીના મહત્વને દર્શાવે છે. વીઓ 04 :- આ ગરબીમાં લાકડાની કોતરણીથી બનેલી સુંદર મૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં સ્વર્ગસ્થ મંગલ દેવજી દવેનો મોટો ફાળો છે. જેમણે ૫૦ વર્ષ સુધી મધુર કંઠે છંદ ગાયા. હાલમાં તેમના પુત્રો વિનય, નંદન, અને જયેશ દવે તથા પૌત્ર રવિ દવે આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેમને વેપારીઓ પણ પૂરતો સહયોગ આપી રહ્યા છે. જેના કારણે દોઢસો વર્ષથી પણ જૂની આ પરંપરા આજે પણ અડીખમ ઊભી છે.
8
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:19:40
Dwarka, Gujarat:વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખળભળાટ મચાવનાર સિરપકાંડના મુખ્ય આરોપી બ્રિજેશ જાદવને આખરે પોલીસે દબોચી લીધો છે. પોલીસની સર્વેલન્સ ટીમે આ ગુનાના માસ્ટરમાઇન્ડ જાદવને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. પોલીસ ચોપડે નાસતો ફરતો આ આરોપી પોતાના જીએસટી નંબરના આધારે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી બ્રિજેશ જાદવ ''''સંગીતા આયુર્વેદિક કેર'''' નામની કંપની ચલાવતો હતો. જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાનું માનવામાં આવે છે. દ્વારકા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હવે આ કેસની વધુ તપાસમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે. અગાઉના એક મોટા સિરપકાંડમાં, આયુર્વેદિક સિરપના નામે દારૂનો વેપલો કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી. હાલમાં ઝડપાયેલો આરોપી બ્રિજેશ જાદવ કયા સિરપકાંડ (કેફી સિરપ કે પછી કેફી હેન્ડ સેનિટાઈઝર કેસ) સાથે સંકળાયેલો છે. તે પોલીસની વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.
7
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:16:14
Dwarka, Gujarat:વીઓ 01:- યાત્રાધામ દ્વારકામાં પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. જેમાં રખડતા ઢોરના આતંકે ફરી એકવાર પ્રશાસનની બેદરકારીને ઉજાગર કરી છે. શહેરના હોળી ચોક વિસ્તારમાં આવેલા મંદિર નજીક, જ્યાં ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પરંપરાગત ચાલી ગરબીની આરતી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક એક આખલો લોકોની ભીડમાં ધસી આવ્યો હતો. વીઓ 02 :- આરતીના સમયે હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો અને ભક્તો ઉપસ્થિત હતા. અચાનક જ ગરબીના મુખ્ય સ્થળે આખલો ઘૂસી આવતા લોકોમાં ભારે ભાગદોડ અને નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ આખલાના આ આતંકના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીઓ 03 :- આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ લાખો લોકોની ભીડ વચ્ચે રખડતા ઢોરના આતંકના કિસ્સાઓ અને વીડિયો સામે આવ્યા છે. વારંવારની ચેતવણીઓ છતાં તંત્ર આ મામલે કોઈ નક્કર પગલાં લેતું નથી. લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે ધાર્મિક તહેવારમાં જ્યાં હજારો લોકો એકઠા થાય છે. ત્યાં સુરક્ષા અને સલામતી માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી. રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરના લોકોને ક્યારે મુક્તિ મળશે અને તંત્ર ક્યારે જાગીને નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું.
6
comment0
Report
URUday Ranjan
Sept 26, 2025 16:15:31
Ahmedabad, Gujarat:Slug : 2509ZK_LIVE_AHD_DUSHKARM_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 2509ZK_LIVE_AHD_DUSHKARM_AROPI Date : 25 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : શહેરના શાહીબાગ વિસ્તારમાં ગેંગરેપની ચકચારી ઘટના સામે આવી છે..ચાર મિત્રોએ ભેગા મળીને સગીરા ને કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો છે. એટલું જ નહીં જો કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સગીરા છેલ્લા ત્રણ મહિનાથી શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. અને ગુમ સુમ રહેતા સમગ્ર મામલો સામે આવ્યો છે... વીઓ : 01 શાહિબાગમાં નરાધમ યુવકો એ 15 વર્ષીય સગીરાને તારો મોબાઇલ નંબર મારી પાસે તારે જાણવુ હોય તો ઉપર મારા ઘરે આવ. જેથી સગીરા ત્યાં ગઈ હતી. બાદમાં શખ્સે તેને શરબતમાં કેફી પીણું પીવડાવીને અર્ધબેભાન કરીને તેના ત્રણ મિત્રો મળીને ગેંગરેપ કર્યો હતો. તેમજ આ અંગે કોઇને જાણ કરીશ તો મારી નાખીશ અને તારી બહેન સાથે પણ આવ. કરીશ કહેતા સગીરાએ ચાર મહિના સુધી કોઈને કહ્યું ન હતું. પરંતુ સ્કૂલે જતી ન હતી અને ગુમસુમ રહેતા માતા-પિતા એ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ચારેય શખ્સો સામે એટ્રોસિટી અને પોક્સો સહિતની કલમ હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા શાહીબાગ પોલીસે આરોપી ઓની ધરપકડ કરીને વધુ તપાસ એસટી, એસસી સેલને સોંપી છે. બાઈટ - દીપ પટેલ, એસીપી, એસસી એસટી સેલ વીઓ : 02 જો સમગ્ર બનાવ ની વાત કરવા માં આવે તો ગત 19 મી મેના દિવસે સગીરા તેના ઘરે હાજર હતી તે દરમિયાન અક્ષય ઉર્ફે સેંધો વસંતભાઇ મહેરીયા એ ફોન કરી કહ્યું કે, તારો નંબર મારી પાસે છે તે ક્યાંથી આવ્યો તે જાણવું હોય તો હું કહ્યું ત્યાં આવી જા. જેથી સગીરા અક્ષયને મળવા માટે પહોંચી હતી. ત્યારે પહેલાંથી જ ત્યાં પાર્થ ઉર્ફે ભોટીયો ધરમશીભાઇ પરમાર હાજર હતો. બાદમાં અક્ષયે સગીરાને શરતમાં કેફી પીણુ નાખી ને આપ્યુ હતુ. જે પીતા સગીરાને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ અક્ષય અને પાર્થે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમ્યાન અક્ષયના મિત્રો દશરથ ઠાકોર અને અવિનાશ પરમાર પણ આવ્યા હતા. તેમને પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આમ ચારેયે ગેંગરેપ કર્યો હતો. જ્યારે સગીરા અર્ધબેભાન હોવાથી બૂમાબૂમ કરતા અક્ષયે લાફો મારી દીધો હતો ત્યારબાદ સગીરાને ઘરે જવા મોકલી દીધી હતી અને કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની અને તારી બહેન સાથે પણ આવુ કરવાની ધમકી આપી હતી. જે બાદ સગીરા ઘરમાં ગુમસુમ રહેતી અને સ્કુલે જતી ન હતી. જેથી માતા-પિતા એ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે માતા એ અક્ષય મહેરીયા, પાર્થ પરમાર, અવિનાશ પરમાર અને દશરથ ઠાકોર સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી ઓની ધરપકડ કરી છે. બાઈટ - દીપ પટેલ, એસીપી, એસસી એસટી સેલ વીઓ : 03 હાલમાં પોલીસે ચારેય આરોપીઓ ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..જો કે ચાર આરોપી પૈકી અક્ષય સાઇકો કિલર વિપુલ પરમાર સાથે અગાઉ બાપુનગર થી રખિયાલ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની પોલીસને શંકા છે.. જે બંને એ સાથે મળીને બાઇક ચોરી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે બાઈક ચોરીમાં વિપુલ પરમાર સાથે સંડોવણી છે કે નહિ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
4
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top