Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत पांडेसरा में डॉक्टर पर हमला; CCTV फुटेज सामने आया
CPCHETAN PATEL
Sept 15, 2025 07:23:24
Surat, Gujarat
પાંડેસરા ડોક્ટર હુમલો સુરત ના પાંડેસરામાં ડોક્ટર પર હુમલો ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ ના ડોક્ટર પર હુમલો ડ્રીમ હોસ્પિટલ્સના માલિક ડો ડ્રીમ પટેલે માહિતી આપી આસિસ્ટન્ટ ડો મનોજ પ્રજાપતિ પર જીવલેણ હુમલો કરાયો ઉંદર મારવાની દવા ખાઈ આવેલ બાળકને દાખલ થવા કહેતા વાલીએ હુમલો કર્યો ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી એકબાદ એક લાફો મારી દીધો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ડોક્ટર હુમલો કરવો નીંદનીય છે આ પ્રમાણે હુમલો કરવો અયોગ્ય છે આ બાબતે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ બાઈટ.. ડો ડ્રીમ પટેલ - માલિક ડ્રીમ હોસ્પિટલ સુરત
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 15, 2025 09:01:30
Ahmedabad, Gujarat:રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે કોંગ્રેસના પ્રહાર ૪૮ કલાકમાં શહેરમાં બનેલી બે જઘન્ય હત્યાઓએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન રાજ્યનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનાં શહેર અમદાવાદ અને સુરત ક્રાઈમ કેપિટલ બન્યા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી: જનતાની સલામતી ભગવાન ભરોશે રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ભાજપ સરકાર છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં બળાત્કારની ૧૫૪ ઘટનાઓ છેડતીની ૯૦, છેતરપિંડીનાં ૨૭૬,લૂંટની ૪૨, મારામારીની ૮૦૪, ચોરીની૧૮૦૩,જુગારના ૭૦૦ કિસ્સા સુરત શહેરમાં બળાત્કારની ૧૮૮ ઘટનાઓ, છેડતીની ૭૮, છેતરપીંડીના ૨૯૦, લૂંટની ૨૭, મારામારીની ૩૧૮,ચોરીની ૭૪૦,જુગારના ૪૧૮ કિસ્સા વડોદરા શહેર બળાત્કારની ૬૧ ઘટનાઓ છેડતીની ૪૮, છેતરપિંડીના ૬૯, મારામારીની ૨૪૧, ચોરીની ૩૭૧, જુગારના ૧૨૩ કિસ્સા રાજકોટ શહેરમાં બળાત્કારની ૬૦ ઘટનાઓ, છેડતીની ૧૧, છેતરપિંડીના ૧૧૦, મારામારીની ૧૪૮, ચોરીની ૩૮૩, જુગારના ૩૩૩ કિસ્સા રાજ્યમાં નશીલા પદાર્થોનો ચાલી રહ્યો છે કાળો કારોબાર ગુંડા અને ગુન્હેગારોને બદલે તંત્ર વિપક્ષના નેતાઓ આગેવાનો પાછળ નજર રાખવામાં વ્યસ્ત ગુંડા-અસામાજિક તત્વોને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ બંને હત્યાઓની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, આરોપીઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા આપવામાં આવે, રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સુધારા કરવામાં આવે પોલીસની સક્રિયતા અને કડક કામગીરી દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી કાંગ્રેસની માંગ બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 09:00:27
Surat, Gujarat:શિક્ષક વિરોધ સુરત શેક્ષિક મહાસંઘ દ્વારા પ્રધાનમંત્રી ને અરજ શિક્ષકોની સેવા-સુરક્ષા સંબંધિત કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિનંતી કરવામાં આવી ટેટ પરીક્ષા તમામ શિક્ષકો માટે ફરજિયાત કરાઈ તેનો વિરોધ ૨૦૧૦ પહેલાંના શિક્ષકો ને પણ ટેટ પરીક્ષા ફરજિયાત કરાઈ એ યોગ્ય નથી તેમાં સુધારો કરવામાં આવે તેવી માંગ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET), સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરાઈ છે પ્રધાનમંત્રી મોદી આ બાબતે પુનઃ વિચારણા કરે તેવી શિક્ષકોની માંગ ટેટ ફરજિયાત કરવાથી શિક્ષકો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે આર ટી એક્ટ ૨૦૦૯ અંતર્ગત ૨૦૧૦ થી સેવા માં ભરતી થઈ તેવા શિક્ષકો ટેટ પરીક્ષા ફરજિયાત છે નામદાર સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી વિટંબણા ઊભી થઈ છે આ નિર્ણયના કારણે દેશભરના ૨૦ લાખ શિક્ષકોની સેવા-સુરક્ષા તથા આજિવિકા સંકટમાં મુકાઈ છે. એ.બી.આર.એસ.એમ. ની માનનીય પ્રધાનમંત્રી આ વિષયમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરાઈ બાઈટ :- મહેશ ભાઈ પટેલ - અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 15, 2025 08:36:53
Morbi, Gujarat: Slug 1509ZK_MRB_RAMKO_MANG Format PKG Reporter HIMANSHU BHATT Feed 1509ZK_MRB_RAMKO_MANG Date 15/9/25 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં વર્ષોથી લોકો રહે છે તેમ છતાં પણ આજની તારીખે રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી કોઈ પ્રાથમિક સુવિધા તે લોકોને મળતી નથી અને સ્થાનિક સરપંચથી લઈને ધારાસભ્ય સુધી તમામને રજૂઆતો કરવા છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને નાછૂટકે સુવિધાઓના અભાવ વચ્ચે લોકોને રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વીઓ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે ગામ રામકો સોસાયટી આવેલ છે અને વર્ષ 2009 માં આ સોસાયટીનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં ત્યાં બાંધકામ થયું છે જોકે, સોસાયટી બની તેને આજે 15 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજની તારીખે આ વિસ્તારની અંદર રહેતા લોકોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે બાઇટ 1: હિતુભા રાઠોડ, સ્થાનિક આગેવાન, રામકો સોસાયટી, ઘૂટું બાઇટ 2: કાંતાબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું વીઓ રામકો સોસાયટીના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે થઈને ઘુટુ ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન ઉકેલતો નથી અને જ્યારે રજૂઆત કરવા માટે અધિકારી કે પદાધિકારી પાસે જાય ત્યારે પ્રાથમિક સુવિધા મળશે તેવી ખાતરી આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ જાણે કે સરપંચ કે ધારાસભ્યનું કંઈ ઉપજતું ન હોય તેમ સ્થાનિક લોકોનો પ્રશ્ન ઉભો જ રહે છે. બાઇટ 3: લક્ષ્મીબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું બાઇટ 4: કોકિલાબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું વીઓ સરકાર દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે પરંતુ આ વિસ્તારની અંદર ખુલ્લા માલિકીના પ્લોટ અને કોમન પ્લોટમાં ખરાબ ગંદા પાણી ભરેલા હોય છે જ્યાંથી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ રોડ રસ્તા ઉપર પણ ગટરના ગંદા પાણી વહેતા હોય છે જેથી રોગચાળો ફેલાય અને ઘરે ઘરે માંદગીના ખાટલા થાય તેવો માહોલ આ સોસાયટીનો છે તેમ છતાં પણ આ લોકોનો પ્રશ્ન ઉકેલાય તે માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. બાઇટ 5: ગેલભાઈ ટોળિયા, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું વીઓ કોઈપણ જગ્યાએ ખેતીની જમીનને બિલ્ડર દ્વારા બિનખેતી કરાવવામાં આવે ને ત્યાર બાદ ત્યાં બાંધકામ કરવામાં આવે ત્યાર પછી પ્રથમ બિલ્ડરની જવાબદારી હોય છે કે તેને લાઇટ, પાણી, રોડ રસ્તા ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડે અને ત્યારબાદ રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયત, પાલિકા કે મહાપાલીકાને સોંપવામાં આવે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાની જવાબદારી હોય છે પરંતુ 15 વર્ષ પછી પણ આ સોસાયટીના રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયતની સુપ્રત કરવામાં આવી નથી જેથી કરીને પંચાયત ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા આપી શકે નહીં. બાઇટ 6: ભાવેશભાઈ કસૂન્દ્રા, તલાટિ મંત્રી, ઘૂટું ગામ વીઓ આમ વર્ષો પહેલાં બિલ્ડર દ્વારા બિનખેતી કરાવીને પ્લોટનું વેચાણ કરી નાખવામાં આવ્યું અને ત્યારબાદ જુદા જુદા બિલ્ડરો દ્વારા ત્યાં મકાન બનાવવામાં આવ્યા છે જોકે આજની તારીખે 80 વીઘાની આ સોસાયટીની અંદર 800 જેટલા લોકો રહે છે તેમ છતાં પણ તે લોકોને વિકસિત ભારતની વાતો વચ્ચે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ રજળપાટ કરવો પડે છે ત્યારે આ લોકોને સારી સુવિધા ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે.
0
comment0
Report
DRDarshal Raval
Sept 15, 2025 08:33:44
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાશે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 નું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરાશે આયોજન અખિલ ભારતીય તેરાપંથના 62 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને એજ દિવસે પ્રધાનમંત્રીનો જન્મમ દિવસનો સમન્વય જેની ઉજવણી કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાશે 17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ. મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક કાર્યક્રમમાં 75 હજાર યુવાનો. 4 હજાર બ્લડ બેન્ક. 5 હજાર ડોકટર. 2500 ટેક્નિશિયન. 1 લાખ સ્વયંસેવક અને 3 લાખ રક્તદાતા જોડાશે 75 દેશમાં નેપાળ. શ્રીલંકા. દુબઇ. ઓસ્ટ્રેલિયા. યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાશે કેમ્પમાં ભાગ લેવા લોકોએ https://amd.abtypmbdf.org/mbdd/register પર નોંધણી કરવાની રહેશે કેમ્પ યોજનાર સંસ્થાએ 2014માં સૌથી મોટા રક્તદાન માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકી છે 2020 કોરોના સમયે 3 હજ રકર્તા વધુ પલાઝમાં એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થા એ 10 લાખ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું લોકોમાં જાગૃતિ આવે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન. મેરેથોન અને વોકાથોન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત યુનિવર્સીટી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. Gcci. Vhp. Abvp. ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાશે પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રહેશે સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિત ની પણ વ્યવસ્થા રહેશે મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે માં આમંત્રણ વગર લોકો એકત્ર થાય તેના કરતાં વધુ લોકો બ્લડ કેમ્પમાં આવે તેવો આયોજકોનો લોકોને આગ્રહ કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે કેમ્પમાં પ્રથમ વખત બલ્સ બેન્ક દ્વારા વિશેષ આયોજન બાઈટ. મુકેશ ગુગલીયા. આયોજક બાઈટ. રાજેશ સુરાણા. આયોજક. હિન્દી બાઈટ બાઈટ. ડો. પરેશ વ્યાસા. બ્લડ બેન્ક સલગ. બ્લડ કેમ્પ ફીડ. લાઈવ કીટ સ્ટેડિયમના અને બ્લડ કેમ્પના ફાઇલ વિઝ્યુલ એડ કરી શકાશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 08:21:33
Surat, Gujarat:બ્રેકીંગ સુરત પ્રશ્ચિમ વિધાબસભામાં 17 સપ્ટેમ્બરની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરાશે સુરતમાં પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર એક દિવસ માટે અપાય છે હોસ્પિટલ, ઇલેક્ટ્રીક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટ, રીક્ષા ભાડું, કરીયાણા શોપ, ફરસાણ શોપ, રેસ્ટોરન્ટ, જ્યુસ શોપ, હેર કટિંગની દુકાનોમાં 5થી લઈને 100 ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળશે આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલ બાળકીનો જન્મ થાય તો પ્રસુતિ ચાર્જ માફ કરવામાં આવશે આ સાથે જ વય વંદના કાર્ડનો લાભ મેળવેલા 3000 લાભાર્થી અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે અંબાજીથી વડનગરની મુલાકાત વડિલોને આપવામાં આવશે વડનગરમા હાટકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારા યજ્ઞમાં ભાગ લેશે ત્યારબાદ આ તમામ વડીલો પરત સુરત આવશે બાઈટ :- પુરણેશ મોદી ( પૂર્વ મંત્રી અને પ્રશ્ચિમ વિધાનસભા Mla )
2
comment0
Report
URUday Ranjan
Sept 15, 2025 08:20:59
Ahmedabad, Gujarat:નિકોલ ના બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસ મામલો ઓઢવ પોલીસે મુખ્ય બિલ્ડર આરોપી મનસુખ લાખાણી ઉર્ફે જેકી ની ધરપકડ કરી આરોપી બિલ્ડર મનસુખ લાખાણી એ દોઢ કરોડ રૂપિયા રોકડા અને એક મકાન આપવાની હત્યાં માટે સોપારી આપી હતી હત્યા કરનાર આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતક બિલ્ડર નો ફોટો વોટ્સએપ થી મનસુખ લાખાણી ને મોકલ્યા હતા બિલ્ડર આરોપી મનસુખ લાખાણી એ વોટ્સએપ ડેટા ડિલીટ કર્યા છે હત્યા બાદ ઓઢવ પોલીસે પુરાવા એકત્ર કરવા માટેથી આરોપીઓના મોબાઇલ એફએસએલ માં મોકલ્યા હત્યા કરવા પાછળનું કારણ વર્ષ 2024 માં દોઢ કરોડ અને 16 દુકાન વેચી દેવાનની છેતરપિંડીની ફરિયાદ હોવા નું સામે આવ્યું બંને બિલ્ડર વચ્ચે વર્ષ 2016 થી ભાગીદારી હતી બિલ્ડિંગ કન્ટ્રકશન સાઇટ માં વર્ષ 2020 થી દોઢ કરોડ રૂપિયા અને 16 દુકાન નો વિવાદ ચાલી રહ્યો હતો હત્યા માટે બાઈક આપનાર મિત્રને પોલીસે સાક્ષી તરીકે લીધો બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન
0
comment0
Report
ARAlkesh Rao
Sept 15, 2025 08:20:01
Vaghrol, Gujarat:નોંધ-ફીડ LIVEU થી આપેલ છે સ્લગ-ઘાસચારો બનાસકાંઠાના સરહદીય વિસ્તાર સુઇગામ, વાવ,અને થરાદ સહિત ભાભરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે ,જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાઈ જતા ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે તો પશુઓ માટે સૂકોઘાસ ચારો પલળી ગયો હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ઘાસ વગર પશુઓની હાલત ગંભીર બનતા મુખ્યમંત્રીએ સૌપ્રથમ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી તે બાદ સરકાર અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પશુઓ માટે ઘાસચારો સરહદી વિસ્તારોમાં મોકલવાની શરૂઆત કરાઈ છે જેને લઈને આજે 47 જેટલી ટ્રકો ઘાસચારો ભરીને થરાદના દૂધ શીત કેન્દ્ર આગળ આવી પહોંચી હતી જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ સાંસદ પરબત પટેલની ઉપસ્થિત ઘાસચારાની ટ્રકો અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરાઈ હતી જેમાં સૌ પ્રથમ થરાદના ભરડાસર, તાખુંવા અને કાસવી ગામમાં સૌપ્રથમ ઘાસચારો રવાના કરાયો હતો ,ગામડે ગામડે પશુઓ માટે સૂકો ઘાસચારો રવાના કરતા પશુપાલકોમાં ખુશી છવાઈ છે. બાઈટ-1-શંકરભાઈ ચૌધરી -વિધાનસભા અધ્યક્ષ બાઈટ-2-પરબતભાઇ પટેલ-પૂર્વ સાંસદ બનાસકાંઠા બાઈટ-3-ગણેશભાઈ -પશુપાલક અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
TDTEJAS DAVE
Sept 15, 2025 08:16:26
Mehsana, Gujarat:મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપવા માં આવ્યું સરકારી સ્કૂલો અને સરકારી શિક્ષકો વિરુદ્ધ આવેદનપત્ર આપવા માં આવ્યું ગેરકાયદેસર ટ્યુશન,ગેરકાયદેસર ડે સ્કૂલ,ડમી સ્કૂલો ના વિરોધ માં આવેદનપત્ર ટ્યુશનિયા શિક્ષકો નું લીસ્ટ અપાયું છે પણ કોઈ કાર્યવાહી નહીં જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા માં આવશે- શિક્ષણાધિકારી એન્કર;-ગુજરાત માં હવે ટ્યુશન કલાસ ના સંચાલકો એ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો અને સ્કૂલો ના શિક્ષકો સામે મોરચો માંડ્યો છે..ત્યારે આજે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ને ગેરકાયદેસર ટ્યુશન કલાસ,ગેરકાયદેસર ડે સ્કૂલ અને ડમી સ્કૂલ બંધ કરાવવા આવેદનપત્ર આપવા માં આવ્યું છે.ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશન ના નેજા હેઠળ ગુજરાત માં ટ્યુશન કલાસ ચલાવતા સંચાલકો અને અગ્રણીઓ ટ્યુશનિયા શિક્ષકો ના ગેરકાયદેસર ટ્યુશન,ગેરકાયદેસર ડે સ્કૂલ ની સાથે ડમી સ્કૂલો ની બદી ને દૂર કરવા ની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું..આ ઉપરાંત મહેસાણા ટ્યુશન કલાસ સંચાલકો એ અગાઉ ટ્યુશનિયા શિક્ષકો નું લીસ્ટ શિક્ષણ વિભાગ ને આપ્યું છે તેની સામે તાત્કાલિક કાર્યવાહી ની પણ ટ્યુશન કલાસ સંચાલકો એ માંગણી કરી છે..તો બીજી તરફ શિક્ષણાધિકારી એ જવાબદાર ટ્યુશનિયા શિક્ષકો અને સ્કૂલો માં દંડનીય કાર્યવાહી ઉપરાંત માન્યતા રદ્દ કરવા સુધી ની કાર્યવાહી કરવા ની હૈયાધારણા આપી છે. બાઈટ;-હેમાંગ રાવલ-------- પ્રમુખ, ફેડરેશન ઓફ એકેડેમિક બાઈટ;-બી.એન.પટેલ------- શિક્ષણાધિકારી,મહેસાણા જિલ્લા તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 07:51:13
3
comment0
Report
URUday Ranjan
Sept 15, 2025 07:03:51
0
comment0
Report
BPBurhan pathan
Sept 15, 2025 07:02:30
Anand, Gujarat:FEED SEND BY FTP AND_SUCIDE એન્કરઃ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામનાં યુવકે પત્નીનાં પ્રેમી દ્વારા અપાતી ધમકીઓ અને અસહ્ય ત્રાસથી કંટાળીને ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરતા ભાલેજ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર પત્નીનાં પ્રેમી સહીત બે વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે, વીઓઃ દાગજીપુરા ગામમાં રહેતા 35 વર્ષીય ભરત ઠાકોરના લગ્ન દસેક વર્ષ અગાઉ એક યુવતી સાથે થયાં હતાં. તેઓને સંતાનમાં બે દિકરીઓ એક દિકરો છે. ભરત આણંદ ખાતે ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ભરતના પત્નીને ગામમાં જ રહેતા વિરલ ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.અંગેની જાણ થોડા સમય અગાઉ ભરતને થઈ હતી. જેથી ભરત અને તેમના નાના ભાઈએ આ બાબતે વિરલને બે-ત્રણ વખત ઠપકો આપ્યો હતો અને પ્રેમ સંબંધનો અંત લાવવા જણાવ્યું હતું. જોકે, આ વિરલના વર્તનમાં કોઈ સુધારો થયો ન હતો. જેથી ભરત છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતો હતો. વીઓઃ વિરલ અને તેના મિત્ર ભાવેશ ઠાકોરે ચાર દિવસ પૂર્વે સવારના સમયે એકાએક ભરતના ઘરે જઈ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રેમસંબંધ તો રહેશે, તું અમારા પ્રેમ સંબંધમાં આડખીલી બનીશ તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી બન્ને જણાં જતા રહ્યાં હતાં જેથી ભરત ગભરાઈ ગયો હતો અને આબરૂ જવાની બીકે તે ઘરેથી કોઈને કાંઇ કીધા વિના નીકળી ગયાં હતાં અને ગામ નજીક રેલવે ટ્રેક પર પસાર થતી માલગાડી નીચે પડતું મુકી આપઘાત કરી લીધો છે. પુરપાટ ઝડપે પસાર થતી ટ્રેનની અડફેટે આ ભરતના શરીરના બે કટકા થઈ ગયાં હતાં.ધટનાની જાણ થતા ભાલેજ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવતા અંતિમક્રિયા કરવામાં આવી હતી આ બનાવ અંગે મૃતક ભરતના ભાઈ રાજેશ ઠાકોરની ફરીયાદને આધારે ભાલેજ પોલીસે બે યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બન્ને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. બાઈટઃ જે એન.પંચાલ (ડીવાયએસપી) બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
0
comment0
Report
GKGovindbhai Karmur
Sept 15, 2025 07:02:22
Khambhalia, Gujarat:* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દેવભૂમિ દ્વારકાની એલસીબી ટીમે ખંભાળિયા તાલુકાના ભારાબેરાજા ગામમાં એક વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને નવ પુરુષો અને એક સ્ત્રીને રંગે હાથ પકડ્યા. પોલીસે સ્થળ પરથી ₹૬,૬૩,૨૦૦/- રોકડા, ૧૩ મોબાઇલ ફોન, જુગાર રમવાના સાધનો અને ચાર કાર સહિત કુલ ₹૧૩,૩૯,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ભારાબેરાજા ગામમાં એક વાડીના મકાનમાં મોટા પાયે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે, એલસીબી ટીમે તરત જ દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, પોલીસે વાડીના માલિક સહિત કુલ ૧૦ લોકોને જુગાર રમતા પકડ્યા. પોલીસે તમામને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ: રોકડ: ₹૬,૬૩,૨૦૦/- મોબાઇલ ફોન: ૧૩ નંગ (કિંમત ₹૧,૧૫,૦૦૦/-) જુગાર રમવાના સાધનો (ટીન, પાના) ચાર કાર: (કિંમત ₹૫,૬૧,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ₹૧૩,૩૯,૨૦૦/
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 15, 2025 06:51:19
Karantha, Gujarat:VIVAD_AVBB_SCRIPT LOCATION-NARMADA NARMADA નોંધ આ સ્ટોરી ftp ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે.ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ બાબતે ભરૂચ સાંસદે પણ લાલ આંખ કરી છે અને દુધધારા ની ચૂંટણી લઈ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે આ થઈ રહ્યું છે એ ગણું ખોટું થઈ રહ્યું છે આવનારા દિવસો માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પાર્ટી ને મોટો ફટકો પડશે જોકે આ બાબતે ભરૂચ નર્મદા ના સંકલન ને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોટ તો આ વિવાદ જ ન થાત પરંતુ આ કોઈના મહ્ત્વકાંસા ને કારણે પ્રદેશ ને ગેરમાર્ગે દોરી છે પ્રદેશ ને ખબર ન હોઈ કે કોણ ભાજપ ના છે અને કોન નહિ પરંતુ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશ ને ખબર પડી કે આમાં કેટલાક લોકો કોંગ્રેસ ના છે અને મેન્ડેટ આપ્યા પછી ચિન્હ બદલવામાં આવ્યા આ પ્રક્રિયા જે થઈ એ તદ્દન ખોટી થઈ છે અને આ પાર્ટી ને ભવિષ્ય માં બોવ મોટું નુકસાન થવા જય રહ્યું છે જો મેન્ડેટ આપવામાં આવ્યા તો ચિન્હ કેમ બદલવામાં આવ્યા કારણ કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે જેને લઈ સાંસદે ભાજપ નાજ નેતાઓ ને આડે હાથે લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો બીજી બાજુ અરૂણસિંહ રણા પણ આ પેનલ ને લઈ પ્રથમવાર મીડિયા સામે પ્રતિક્રિયા આપી અને એમને પણ પોતાનો રોષ ઠાલવ્યો બાઈટ....મનસુખ વસાવા (સાંસદ ભરૂચ ) બાઈટ...અરૂણસિંહ રણા (ધારાસભ્ય વાગરા )
3
comment0
Report
Advertisement
Back to top