Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

कच्छ में भारी बारिश से किसानों की फसल बर्बाद, रेड अलर्ट जारी

RTRAJENDRA THACKER
Sept 12, 2025 16:45:17
Sadhara, Gujarat
આ પાથથી આપ્યુ છે રાપર અને વાગડ વિસ્તારમાં વરસાદે સર્જી તારાજી, કચ્છમાં અનેક પાકને નુકસાન એંકર: હવામાન વિભાગ દ્વારા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છના રાપરમાં 17 ઇંચ અને ભચાઉમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છમાં અતિભારે વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. રાપર અને વાગડ ના રામવાવ, ખેંગારપર, મનફરા, ભરૂડીયા, એકલવાઢ, ચોબારી, રામવાવ સહીત અનેક ગામડાઓમાં ખેડૂતોના એરંડા જુવાર, બાજરી, મગ, અડદ, ગોવારના પાકને ભારે નુક્સાન થયું છે. પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક બળી ગયા છે. જ્યારે જુવાર, બાજરીના પાક તોફાની પવન ફૂંકાતા આડા પડી ગયા હતા. ખેડૂતોના લાખો રૂપિયાના પાકને નુકસાન થયું છે. કચ્છમાં ચારે તરફ ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેડૂતોની એક જ માંગણી છે કે, જો સરકાર સહાય કરશે નહી તો આવનારા સમયમાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ ઉભી થશે. બાઈટ હરેશ આહિર બાઈટ પ્રવિણ ઠાકોર બાઈટ ડાયાભાઈ આહિર બાઈટ :કાયાભાઈ કરસન ખેડૂત ખેંગારપર બાઈટ પ્રભુભાઈ મહાદેવ ખેડૂત ખેંગારપર
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Sept 12, 2025 18:15:27
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- તેન ગામ (બારડોલી) સ્લગ :-1209ZK_MAHILA_HATYA_3 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં આજે સવારે એક મહિલાની લાશ મળવાની ઘટના સામે આવી છે. ચપ્પુના ઘા વડે મહિલાની રહસ્યમય હત્યા મામલે સુરત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટિમોએ હત્યારા ને શોધી કાઢવા ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા. વિઓ... સુરત જિલ્લા માં છાસવારે ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. ચોરી, હત્યા, લૂંટ, દુષ્કર્મ, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં આજે સવારે એક મહિલાની લાશ મળવાની ઘટના સામે આવી છે. મૃતક મહિલાની ઓળખ જ્યોતિબેન રાઠોડ તરીકે થઈ છે. તેઓ મૂળ બારડોલીના વતની હતા અને કેટલાક સમયથી તેન ગામમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત એલસીબી અને અન્ય પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નવનિયુક્ત સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત એલસીબી અને અન્ય પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જણાયું કે જ્યોતિબેનની હત્યા ચપ્પુના ઘા મારીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) વિઓ... પોલીસે હત્યારાની શોધખોળ માટે ચાર અલગ-અલગ ટીમો બનાવી છે. જેમાં એલસીબીની બે ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની એક ટીમનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. પોલીસ વડા ગઢિયાએ જણાવ્યું કે આ ગંભીર ઘટના છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પુરાવો છૂટી ન જાય તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. મૃતકના સંબંધીઓની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા મૂળ બારડોલી રહેવાસી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેન ગામ ખાતે એકલી રહેતી હતી. મહિલા ના મૃતદેહ નજીક થી પોલીસ ને હત્યા ના કામ માં વપરાયેલું ચાકુ મળી આવ્યું હતું અને મહિલા ના મોબાઈલ સિવાય અન્ય એક એમ કુલ બે મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે અન્ય મોબાઈલ કોનો છે તેની તપાસ શરુ કરી દીધી છે. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) વિઓ... હાલ તો ઘટના ની ગંભીરતા ને લઇ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યારા ને પકડવા માટે સૂચનો કર્યા હતા. હાલ પોલીસ ની ચાર ટીમો હત્યારા ને પકડવા માટે કામે લાગી છે. પોલીસને શંકા છે પ્રેમ સબંધ ને લઇ મહિલા ની હત્યા હતી હોઈ શકે છે. ત્યારે હત્યારો ઝડપાયા બાદ કોણે શા માટે હત્યા કરી છે તે રહસ્ય બહાર આવશે.
14
comment0
Report
AKArpan Kaydawala
Sept 12, 2025 18:15:09
Ahmedabad, Gujarat:એંકર સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી સ્ટોરી અમદાવાદના નવરંગપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળી... 15 વર્ષ પહેલા પરિવારથી છુટા પડેલા એક યુવકને તેનાજ મિત્રએ હાથ પર કરેલા છુંદણા એટલે કે ટેટુના સહારે ઓળખી લીધો અને આખરે તે યુવકનો ભેટો થઇ ગયો તેના પરીવાર સાથે..... જેમાં અમદાવાદ પોલીસની અત્યંત સરાહનીય કામગીરી સામે આવી છે. વીઓ વાત એમ છે કે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામથી આજથી 16 વર્ષ પહેલા પંકજ ઉર્ફે રાહુલ સદલ ઉગદેવના યાદવ, ઘર માંથી કોઇ બાબતે ઠપકો મળતા ઘર છોડીને નિકળી ગયો હતો. ગામથી ઉપડતી ટ્રેનમાં બેસીને તે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને પહોંચી ગયો હતો. થોડા દિવસ રેલ્વે સ્ટેશને ભટક્યા બાદ રેલ્વે પોલીસની તેના ઉપર નજર પડી હતી. દુઃખદ બાબત એ છે કે આ પંકજ, પોતે સાંભળી કે બોલી શકતો નથી. જેથી તે સમયે રેલ્વે પોલીસે પંકજને નવરંપુરા પોલીસ સ્ટેશન નજીક જ આવેલી બહેરા મુંગાની શાળામાં દાખલ કર્યો હતો. પરંતુ થોડા વર્ષ ત્યા રહ્યા બાદ તે ત્યાંથી નિકળી ગયો હતો અને કોઇ રીતે નજીકમાં આવેલા નવરંપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.ત્યારથી લઇને આજદિન સુધી પંકજને નવરંગપુરા પોલીસના સ્ટાફે જ ઉછેર્યો છે.... છેલ્લા સાત વર્ષથી પંકજ નવરંગપુરો પોલીસ સ્ટેશનમાં રહીને મોટો થયો છે. તેના ખાવા પીવા અને કપડા સહીતનો તમામ ખર્ચ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ ઉપાડી રહ્યો છે. બાઇટઃ કે એ ગઢવી, પીઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન દરમ્યાન પોલીસ કમિશ્નર જી એસ મલીકના આદેશ મુજબ નવરંગપુરા પોલીસ ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન થાય એ બાબતે કામગીરી કરી રહી હતી. જ્યાં થોડા દિવસ પહેલા નવરંપુરાની જ મુસ્લીમ સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા પંકજના જ નાનપણના દોસ્ત નિરજ યાદવે પંકજને નવરંગપુરા પોલીસ સ્ટેશન બહાર જોયો હતો. જ્યા તેની નજર પંકજના જમણા હાથે દોરાવેલા રામ સિતા લખેલા આ ટેટુ ઉપર પડી હતી. બસ, નિરજે આ ટેટુ જોયુ એ સાથે જ તેના હોશકોશ ઉડી ગયા. ટેટુ જોયા બાદ નિરજે પંકજ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કુદરતે પંકજને અવાજ આપ્યા નહતો. આ વાતની ખરાઇ થતા જ નિરજની ખુશીનો પાર ન રહ્યો. કારણ કે નિરજે જેને જોયો એ અન્ય કોઇ નહી પરંતુ પોતાનો નાનપણનો મિત્ર પંકજ હતો. કે જેઓઓ એક સાથે ગામના મેળામાં આ ટેટુ કરાવ્યા હતા. જુઓ બન્નેના હાથ પર આ એક સરખા ટેટુ.... નિરજે પંકજને ઓળખી તો લીધો, પણ પંકજ પોલીસસ્ટેશનમાં રહેતો હોવાથી 10 દિવસ સુધી નિરજ પોલીસનો સંપર્ક કરતા ખચકાયો. આખરે નિરજે આત્મવિશ્વાસથી નવરંગુપાર પોલીસને આખી વાત જણાવી.. જે બાદ પોલીસે પંકજના પરિજનનો સંપર્ક કર્યો અને વીડીયો કોલ થકી ખરાઇ પણ કરી કે આ પંકજ જ છે, જે 16 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી ઘર છોડી અમદાવાદ પહોંચી ગયો હતો.... આખરે પોલીસે પરીજનોને અમદાવાદ બોલાવ્યા, જ્યા પંકજના મોટા ભાઇ નથ્થુ યાદવ તેને લેવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા... બાઇટઃ કે એ ગઢવી, પીઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન પંકજને લેવા આવેલા નથ્થુ ભાઇ જેવા પંકજને મળ્યા એ સાથે જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા... જુઓ પોતાના નાના ભાઇને 16 વર્ષ પછી મળી રહેલા આ મોટા ભાઇ અને તેનો નાનપણનો મિત્ર.... બાઇટઃ નિરજ યાદવ, પંકજનો નાનપણનો મિત્ર વીઓ ભલે એક ટેટુની મદદથી મિત્રએ પોતાના નાનપણના મિત્રને ઓળખી લીધો હોય. પરંતુ સમગ્ર કિસ્સામાં નવરંગપુરા પોલીસની માનવતા પણ ઓછી નથી. કે જેઓએ છેલ્લા 7 વર્ષથી પંકજને ઉછેરીને મોટો કર્યો છે... નોંધઃ પોલીસની હિન્દી બાઇટ પણ છે.... અર્પણ કાયદાવાલા. ઝી મીડીયા. અમદાવાદ
13
comment0
Report
LJLakhani Jaydeep
Sept 12, 2025 16:15:54
Dwarka, Gujarat:વીઓ 01:- યાત્રાધામ દ્વારકા ખાતે ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની મોટી કાર્યવાહી ફરી શરૂ થઈ છે, જેમાં ખાસ કરીને યાત્રાળુઓ માટે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ભવનોને નિશાન બનાવવામાં આવ્યા છે. તંત્રએ આ કાર્યવાહી કરતા પહેલા ગેરકાયદેસર બાંધકામ ધરાવતા માલિકોને નોટિસ આપીને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા માટે જણાવ્યું હતું. જોકે, મોટાભાગના બાંધકામ ધારકોએ સ્વૈચ્છિક રીતે દબાણ ન હટાવતા, તંત્રએ આ કડક પગલું ભર્યું છે. આ પગલાથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં નહીં આવે. WKT વીઓ 02 :- આ ડિમોલિશન ડ્રાઇવમાં દ્વારકાના SDM, નગરપાલિકા, પોલીસ અને PGVCLની ટીમોએ સાથે મળીને કામગીરી કરી હતી. બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ત્રણ અલગ-અલગ સ્થળોએથી 6,652 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, આ ખુલ્લી કરાયેલી જમીનની બજાર કિંમત આશરે ₹18.3 કરોડ જેટલી આંકવામાં આવી છે, જે આ દબાણોની વ્યાપકતા દર્શાવે છે. આ કાર્યવાહી સ્થાનિક તંત્રની કડકતાનો પુરાવો છે. બાઈટ :- અમોલ આવતે,પ્રાંત અધિકારી,દ્વારકા વીઓ 03 :- આ સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. તંત્રના આ અચાનક અને કડક પગલાથી દ્વારકાના ભૂમાફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ડિમોલિશન ડ્રાઇવ ભવિષ્યમાં આવા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર લગામ કસવા માટે એક દાખલારૂપ બની રહેશે. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
14
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 12, 2025 15:00:59
Sadhara, Gujarat:મુંદરાના ભોરારા નજીક નર્મદા કેનાલમાં ત્રણ માસૂમ સહોદરના ડૂબી જતા મોત, માનો બચાવ મુંદરા નજીક ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં ત્રણ પુત્રો સહિત માતા ખાબકતાં ત્રણે બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનો બનાવ બન્યો છે. આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘટના ઘટી હતી. નજીકના સોઢા કેમ્પમાં રહેતી સૂરજબા બહાદુરસિંહ સોઢા અને તેના ત્રણ બાળકો નર્મદા કેનાલમાં ડૂબી રહ્યાં હોવાની માહિતી મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. માતાને બચાવી લેવાઈ હતી. જો કે, ત્રણે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. મૃતક બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૧૨), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૮) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૫)નો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મુંદરા સહિત સમગ્ર કચ્છમાં ભારે અરેરાટી સર્જી દીધી છે.
14
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 12, 2025 14:46:40
Surat, Gujarat:NOTE : FOR SAVJI BHAI & MARKETING નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ઓલપાડ સ્લગ :-1209ZK_AANGANWADI_1 એન્કર... સરકાર દ્વારા આંગણવાડી માં બાળકોને આપવામાં પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. બાળકો માનસિક શારિરીક રીતે પોષિત વિકસિત થઈ રહ્યા છે. વિઓ... સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આંગળવાડી માં બાળકોને આપવામાં આવેલ પોષતી અલ્પાહાર યોજના બાળકો માટે ખુબજ ફળદાયી નીવડી રહી છે. સાપ્તાહિક ક્રમઅનુસાર આપતા અલ્પાહાર બાળકોની શારીરિક માનસિક રીતે પોષિત વિકસિત થઈ રહ્યા છે. બાળકો ને લીલા શાકભાજી, ફળફરાદી તેમજ પોષકતત્વો યુક્ત આહાર આપવામાં આવે છે. બાળકો માં ને આપતા અલ્પાહાર માં ફોર્તિફાઇડ અનાજ, તેમજ તેલ આપવામાં આવે છે જેને લોધે બાળકો માં શારીરિક તેમક માનસિક પોષિત વિકસિત થાય છે. ગુણવત્તા સભર આહાર ના કારણે બાળકો કુપોષિત થતા અટકે છે. સરકાર દ્વારા પોષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત આપવામાં આવતા આહાર નાના બાળકો માટે આશીર્વાદ રૂપ માની રહ્યા છે. બાઈટ :- દક્ષા બેન કોસમીયા (આંગણવાડી સંચાલીકા)
14
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 12, 2025 14:15:34
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ઓલપાડ સ્લગ :-1209ZK_KHEDUT_RELLY_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... ૯૦ દીવસ નહેર બંધ કરવાના નિર્ણય ને લઇ ખેડૂતો આકરા પાણી એ , સિંચાઈ વિભાગ ના નિર્ણય ને તુઘલખી નિર્ણય ખેડૂતો એ ગણાવ્યો , નિર્ણય પાછો નહિ ખેંચવામાં તો આવનારા દિવસો માં સિંચાઈ વિભાગ નો ખેડૂતો કરશે ઘેરાવ , આજરોજ ઓલપાડ ખાતે મળેલી ખેડૂતો ની મીટીંગ માં લેવાયો નિર્ણય , વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ લેવાયો નિર્ણય એક વીજ ટાવર દીઠ ૨ કરોડ રૂપિયા ચુકવવાની કરી માંગ , ૨૮ તારીખ કામરેજના ગાયપગલા ખાતે મળશે ૧૦ હજાર ખેડૂતો ની મીટીંગ , દેશના ખેડૂત નેતા આપશે હાજરી. વીઓ... સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જ એક મીટીંગ બોલાવી એક નિર્ણય લેવામાં આવ્યો હતો , આ મળેલી મીટીંગ માં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ની હાજરી માં ૧ ડીસેમ્બર થી ૨૮ ફેબ સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલ ને રીપેરીંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો , જોકે આ નિર્ણય લેવાતા જ ખેડૂતો માં આક્રોશ ફાટી નીકળ્યો છે જેનું કારણ છે કે ખેડૂતો છેલ્લા ચાર વર્ષ થી કુદરતનો માર સહન કરી રહ્યા છે , કમોસમી વરસાદ , વાવાઝોડા ના કારણે ખેડૂતો ને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું છે ,દક્ષિણ ગુજરાત ના ખેડૂતો કરાપર જમના કાંઠા અને ડાબા કાંઠા ની કેનાલ ના પાણી થી સિંચાઈ કરે છે , શેરડી ની વાવણી ઓક્ટોબર થી શરુ થાય છે અને માર્ચ સુધી ચાલે છે બીજી તરફ શિયાળુ ડાંગર ની રોપણી પણ જાન્યુઆરી થી શરુ થઇ જાય છે , અને સિંચાઈ વિભાગ દ્વારા જે સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ ખેડૂતો પાયમાલ થવાનો વારો આવી શકે એમ છે , ખેડૂતો ની માંગ છે કે ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ કેનાલ બંધ રાખવામાં આવે ,જેથી કરી ખેડૂતો સમય સર ખેતી કરી શકે , બાઈટ :- બાઈટ - વલ્લભ પટેલ - ખેડૂત આગેવાન હાંસોટ વીઓ... દક્ષીણ ગુજરાત માં આશરે ૩ લાખ જેટલા ખેડૂત પરિવારો છે અને ખેતી પર નભે છે , સરકાર ધ્વારા ૯૦ દિવસ કેનાલ બંધ રાખી આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ને આ કેનાલ ની નવીનીકરણ કરી રહી છે , જોકે એકતરફ સરકાનો ૨૦૦ કરોડ ની ખર્ચ થઇ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો ને ૧૦૦૦ કરોડ નું નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે , જોકે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કારણે કે આજ કેનાલ થી આટલીજ કેપેસીટી થી છેલ્લા ૨૫ વર્ષ થી તમામ ખેડૂતો ને પાણી પહોંચી રહ્યું છે તો પછી કેપેસીટી વધારવાની ક્યાં જરૂર છે ? ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા વ્હાઈટ આઆઈ પર નાખવામાં આવેલી ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી ના કારણે સરકાર ખેડૂતો ને ડાંગર બનવા દેવા માંગતી નથી અને જેને લઇ કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાઈટ :- સંદીપ માંગરોળ - ઉપ પ્રમુખ - વટારીયા સુગર મિલ વીઓ... જોકે ફરી એકવાર ખેડૂતો ની વહારે ખેડૂત સમાજ આવ્યો છે અને ખેડૂતો ના પ્રશ્નો ને લઇ આજરોજ ઓલપાડ તાલુકા મથક ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું , મોટી સંખ્યામાં દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એ આ મીટીંગ માં ભાગ લીધો હતો , ખેડૂત સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કેનાલ નું રોટેશન ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ નહિ કરવામાં આવે તો સુરત ખાતે આવેલી સિંચાઈ ભવન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી સિંચાઈ ભવન નો ઘેરાવ કરવામાં આવશે , ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર જમીન સંપાદન ના કાયદા માં સુધાર કરે અને જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી વીજ પોલ ઉભા કરવા હોય તો એક વીજપોલ દીઠ ૨ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવે ,જોકે સરકાર દ્વારા ખેડૂતોની માંગ પૂરી નહિ કરવામાં આવે તો આવનારા દિવસો માં સંસદ , ધારાસભ્ય ને ગામડા માં જતા ખેડૂતો દ્વારા અટકાવવામાં આવશે , અને સમગ્ર મામલે દેશના વડા પ્રધાન ને પણ સમગ્ર મામલે ખેડૂત સમાજ ધ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે , મીટીંગ બાદ તમામ ખેડૂતો એ મીટીંગ સ્થળ થી મામલતદાર કચેરી ઓલપાડ સુધી એક રેલી કાઢી હતી અને સમગ્ર મામલે ઓલપાડ મામલતદાર ને પણ આવેદન પાઠવ્યું હતું. બાઈટ :- જયેશ પટેલ - પ્રમુખ - ખેડૂત સમાજ ગુજરાત
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 14:07:58
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:48:55
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:48:45
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના મોરસર ગામમાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું... મોરસર ગામની ભોગાવા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને વોશ પ્લાન પર રેડ કરવામાં આવી... ચોટીલા sdm અને ચોટીલા મામલતદાર ની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી... ભોગાવવા નદીમાંથી ખનન કરી અને પ્રાથમિક સ્કુલની બાજુમાં વોચ પ્લાનમાં રેતી લાવવામાં આવતી હતી... રેડ દરમિયાન 16 ટ્રેક્ટર એક જેસીબી એક લોડર વોશ પ્લાન ની મશીનરી સહીતનો મુદામાલ સીઝ કર્યો... રેડ બાદ તમામ મુદ્દા માલ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી... ગેરકાયદેસર ખનન અને વાહન કરતાં ટ્રેક્ટરો લોડર સહિતનો વાહન હાઇવે પર લાબી લાઈનો પસાર થતા રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું રેડ દરમિયા સ્ટોક કરેલ રેતી અને ગેરકાયદેસર વીજ કનેક્શન સહિત કુલ રૂપિયા 7 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.... ખનન કરતા ભવાન લકુ શિયાળીયા અને ભરતભાઈ લીબળિયા સામે કાર્યવાહી હાથ ધરી.....
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:45:35
14
comment0
Report
NBNARESH BHALIYA
Sept 12, 2025 13:38:17
Jetpur, Gujarat:SULG:- ZK RJT JASDAN PATIDAR SAMAJ RELI.... FORMANT:- PKG..... 1209ZK_RJT_KRANTI_RALLY (આ પાથમાં છે ઉપયોગમાં લેશો STORY GANVA MATE SCRIPT CHHE..... એન્કર:- રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર ભવન ખાતેથી પાટીદાર સમાજની રેલી નીકળી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. હાથમાં વિવિધ બેનરો સાથે ની આ રેલી નીકળી હતી.. જે જસદણ ના નવા બસ સ્ટેશન જુના બસ સ્ટેશન મેન બજાર થી નીકળીને સેવા સદન સુધી પહોંચી હતી.. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી હતી આ રેલીમાં પાટીદાર સમાજના લોકોએ તેમની માંગ સ્વીકારવા સરકારને કહ્યું હતું.. જસદણમાં પાટીદાર સમાજની રેલી યોજાઇ હતી આ રેલીને સંબોધતા પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા એ નિવેદન આપ્યું હતું કે પ્રેમ લગ્નમાં વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે...પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે..અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઉંચી કરીને જોતા નથી..કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાટીયા ભાગી જશે.. કેટલાક વકીલો કેટલાક દલાલો લાખ રૂપિયામાં આવા લગ્ન કરી આપે છે દીકરીઓ ત્યાં જાય કે ન જાય તેમના ડોક્યુમેન્ટ પહોંચી જાય એટલે લગ્ન થઈ જાય છે રેલીને સંબોધતા પાટીદાર નેતા વરૂણ પટેલે પણ તીખા તેવર બતાવ્યા હતા તેમણે રેલીને સંબોધતા કહ્યું હતું કે જ્યારે જ્યારે સરદારના નારા સાથે પાટીદારો માંગણી માટે નીકળ્યા છીએ ત્યારે ત્યારે તેમાં માંગણી પૂરી થઈ છે ફરી એક વખત પાટીદારો સર્વ સમાજની પીળા આપવા માટે ભેગા થઈને નીકળી રહ્યા છીએ.. પટેલની વાડીએ જો કોઈ પાવડો લઈને ચાહ વાળવા નીકળે તો તેને પાડી દઈએ છીએ ત્યારે દીકરીએ આપણી સંપતિ છે.. આવારા તત્ત્વો દ્વારા કરવામાં આવે છે તેના વિરુદ્ધ ની લડાઈ છે.. ગુજરાતી સરકાર હોશિયાર છે તેમની પાસે આવી છે આઈ બી છે ઇનપુટ છે સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે.. આ ટોળું આજે આવડું છે કાલે ગુજરાતમાં થશે ભૂતકાળની ચૂંટણીમાં ગુજરાતની સરકાર અને વિપક્ષે જોયું છે.. પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનોએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું.... સ્પીચ :- મનોજ પનારા, સ્પીચ :- વરૂણ પટેલ...... જસદણમાં આ માંગ સાથે પાટીદાર સમાજની રેલી નીકળી •પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે.. •લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે- •લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉથી નોટિસથી કરવામાં આવે- •સાક્ષી પક્ષ પણ એજ વિસ્તારના હોવા જોઈએ- વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો- ........ પાટીદાર સમાજના આગેવનો એ આપેલ બાઈટ મુદાઓ..... રોમિયોગીરી,લુખ્ખા ગુરી,આવરા તત્વો,છોકરીઓને ફોસલાવી લલચાવી જિંદગી બરબાદ કરે છે,સાથે દીકરીઓની જિંદગી બરબાદ થયાં બાદ ક્યાયની રહેતી નથી,તેવી સમસ્યાઓ અમારી પાસે આવી છે,જેથી 21 વર્ષની વય મર્યાદા કરવામાં આવે,તેવો કાયદો બનાવવાની માંગ કરી હતી,નહીંતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, બાઈટ:- મનોજ પનારા, વિવિધ મુદાઓને લઈને રેલીનું આયોજન કરાયું હતી જેમાં,ગેમીંગ જોન પણ મુદ્દો હતો પરંતુ,તેના ઉપર કેન્દ્ર સરકારનું બિલ પણ આવ્યું છે,જે પાછું પણ ખેંચાશે,સાથે જે વિસ્તારમાં આધારકાર્ડ છે તેજ વિસ્તારમાં લગ્ન નોંધણી થાય,જેવી વિવિધ માંગણી ઓ છે,સાથે હાર્દિક પટેલ હવે ધારાસભ્ય છે તો તેને પણ મુદ્દો વિધાનસભામાં ઉઠાવો જોઈએ,પરંતુ કદાચ,તેને પાર્ટી ના પ્રોટોકોલ મુજબ રજુઆત ન પણ કરી શકતા હોય,સાથે આવનારા દિવસોમાં સરકાર કંઈ વિચારશે નહિ તો જિલ્લા તાલુકા મથકે પણ આંદોલન થશે, બાઈટ:- ગીતા બેન પટેલ... વરૂણ પટેલે મીડિયા સાથે ની વાતમાં કહ્યું હતું,ગુજરાત સરકારે આ મુદ્દે કાયદો બનાવો જોઈએ,સાથે વ્યાજખોરી મુદ્દે પણ સરકાર કાયદામાં સુધારા કરે તેવી પણ માગ છે, બાઈટ:- વરૂણ પટેલ,... જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી દિનેશ બાભણીયા એ મીડિયા સાથેની વાત જણાવ્યું હતું,ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ આ સમસ્યાથી પીડાય રહ્યા છે,સરકાર આ મુદ્દે કાયદો બનવે તેથી સમર્થન યાત્રાનું આયોજન કરાયું છે,સાથે મુખ્યમંત્રી પણ આ બાબતે એક ડ્રાફટિંગ આપીશું,....
14
comment0
Report
Advertisement
Back to top