Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002

सूरत के अस्पताल में 78वां अंगदान, ब्रेन डेड के बाद जीवनदान

PDPRASHANT DHIVRE
Sept 12, 2025 13:03:45
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE ​એંકર:સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના કાર્યનું સાક્ષી બની છે. નવસારીના એક પરિવારે સ્વૈચ્છિક રીતે બ્રેઇન ડેડ જાહેર થયેલ મહિલાના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ અન્ય લોકોને નવું જીવન આપ્યું છે. આ અંગદાન સુરત સિવિલ હોસ્પિટલનું 78મું અંગદાન છે. ​વીઓ:1 મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં રહેતા 52 વર્ષીય શકુંતલાબેન કિશોરભાઈ બાગલે પોતાના ઘરે અચાનક પડી ગયા હતા. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તબીબોએ શકુંતલાબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. પરિવારે સ્વયંભૂ રીતે અંગદાન કરવાની ઈચ્છા દર્શાવતા, તેમના પરિવારની સંમતિ બાદ હોસ્પિટલ દ્વારા અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાઈટ: ઈકબાલ કડીવાલા (સુરત સિવિલ હોસ્પિટલ) બાઈટ:વિશાલ ભાઈ (સંબધી) ​વીઓ:2 આ અંગદાનમાં શકુંતલાબેનની બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપશે. આ કાર્યએ સાબિત કરી દીધું કે અંગદાન મહાદાન છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Sept 12, 2025 15:00:59
Sadhara, Gujarat:મુંદરાના ભોરારા નજીક નર્મદા કેનાલમાં ત્રણ માસૂમ સહોદરના ડૂબી જતા મોત, માનો બચાવ મુંદરા નજીક ભોરારા ગામ પાસે નર્મદા કેનાલમાં ત્રણ પુત્રો સહિત માતા ખાબકતાં ત્રણે બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનો બનાવ બન્યો છે. આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘટના ઘટી હતી. નજીકના સોઢા કેમ્પમાં રહેતી સૂરજબા બહાદુરસિંહ સોઢા અને તેના ત્રણ બાળકો નર્મદા કેનાલમાં ડૂબી રહ્યાં હોવાની માહિતી મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. માતાને બચાવી લેવાઈ હતી. જો કે, ત્રણે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. મૃતક બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૧૨), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૮) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૫)નો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મુંદરા સહિત સમગ્ર કચ્છમાં ભારે અરેરાટી સર્જી દીધી છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 12, 2025 14:46:40
Surat, Gujarat:NOTE : FOR SAVJI BHAI & MARKETING નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ઓલપાડ સ્લગ :-1209ZK_AANGANWADI_1 એન્કર... સરકાર દ્વારા આંગણવાડી માં બાળકોને આપવામાં પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. બાળકો માનસિક શારિરીક રીતે પોષિત વિકસિત થઈ રહ્યા છે. વિઓ... સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આંગળવાડી માં બાળકોને આપવામાં આવેલ પોષતી અલ્પાહાર યોજના બાળકો માટે ખુબજ ફળદાયી નીવડી રહી છે. સાપ્તાહિક ક્રમઅનુસાર આપતા અલ્પાહાર બાળકોની શારીરિક માનસિક રીતે પોષિત વિકસિત થઈ રહ્યા છે. બાળકો ને લીલા શાકભાજી, ફળફરાદી તેમજ પોષકતત્વો યુક્ત આહાર આપવામાં આવે છે. બાળકો માં ને આપતા અલ્પાહાર માં ફોર્તિફાઇડ અનાજ, તેમજ તેલ આપવામાં આવે છે જેને લોધે બાળકો માં શારીરિક તેમક માનસિક પોષિત વિકસિત થાય છે. ગુણવત્તા સભર આહાર ના કારણે બાળકો કુપોષિત થતા અટકે છે. સરકાર દ્વારા પોષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત આપવામાં આવતા આહાર નાના બાળકો માટે આશીર્વાદ રૂપ માની રહ્યા છે. બાઈટ :- દક્ષા બેન કોસમીયા (આંગણવાડી સંચાલીકા)
3
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 12, 2025 14:15:34
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ઓલપાડ સ્લગ :-1209ZK_KHEDUT_RELLY_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... ૯૦ દીવસ નહેર બંધ કરવાના નિર્ણય ને લઇ ખેડૂતો આકરા પાણી એ , સિંચાઈ વિભાગ ના નિર્ણય ને તુઘલખી નિર્ણય ખેડૂતો એ ગણાવ્યો , નિર્ણય પાછો નહિ ખેંચવામાં તો આવનારા દિવસો માં સિંચાઈ વિભાગ નો ખેડૂતો કરશે ઘેરાવ , આજરોજ ઓલપાડ ખાતે મળેલી ખેડૂતો ની મીટીંગ માં લેવાયો નિર્ણય , વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ લેવાયો નિર્ણય એક વીજ ટાવર દીઠ ૨ કરોડ રૂપિયા ચુકવવાની કરી માંગ , ૨૮ તારીખ કામરેજના ગાયપગલા ખાતે મળશે ૧૦ હજાર ખેડૂતો ની મીટીંગ , દેશના ખેડૂત નેતા આપશે હાજરી. વીઓ... સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જ એક મીટીંગ બોલાવી એક નિર્ણય લેવામાં આવ્યો હતો , આ મળેલી મીટીંગ માં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ની હાજરી માં ૧ ડીસેમ્બર થી ૨૮ ફેબ સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલ ને રીપેરીંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો , જોકે આ નિર્ણય લેવાતા જ ખેડૂતો માં આક્રોશ ફાટી નીકળ્યો છે જેનું કારણ છે કે ખેડૂતો છેલ્લા ચાર વર્ષ થી કુદરતનો માર સહન કરી રહ્યા છે , કમોસમી વરસાદ , વાવાઝોડા ના કારણે ખેડૂતો ને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું છે ,દક્ષિણ ગુજરાત ના ખેડૂતો કરાપર જમના કાંઠા અને ડાબા કાંઠા ની કેનાલ ના પાણી થી સિંચાઈ કરે છે , શેરડી ની વાવણી ઓક્ટોબર થી શરુ થાય છે અને માર્ચ સુધી ચાલે છે બીજી તરફ શિયાળુ ડાંગર ની રોપણી પણ જાન્યુઆરી થી શરુ થઇ જાય છે , અને સિંચાઈ વિભાગ દ્વારા જે સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ ખેડૂતો પાયમાલ થવાનો વારો આવી શકે એમ છે , ખેડૂતો ની માંગ છે કે ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ કેનાલ બંધ રાખવામાં આવે ,જેથી કરી ખેડૂતો સમય સર ખેતી કરી શકે , બાઈટ :- બાઈટ - વલ્લભ પટેલ - ખેડૂત આગેવાન હાંસોટ વીઓ... દક્ષીણ ગુજરાત માં આશરે ૩ લાખ જેટલા ખેડૂત પરિવારો છે અને ખેતી પર નભે છે , સરકાર ધ્વારા ૯૦ દિવસ કેનાલ બંધ રાખી આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ને આ કેનાલ ની નવીનીકરણ કરી રહી છે , જોકે એકતરફ સરકાનો ૨૦૦ કરોડ ની ખર્ચ થઇ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો ને ૧૦૦૦ કરોડ નું નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે , જોકે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કારણે કે આજ કેનાલ થી આટલીજ કેપેસીટી થી છેલ્લા ૨૫ વર્ષ થી તમામ ખેડૂતો ને પાણી પહોંચી રહ્યું છે તો પછી કેપેસીટી વધારવાની ક્યાં જરૂર છે ? ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા વ્હાઈટ આઆઈ પર નાખવામાં આવેલી ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી ના કારણે સરકાર ખેડૂતો ને ડાંગર બનવા દેવા માંગતી નથી અને જેને લઇ કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાઈટ :- સંદીપ માંગરોળ - ઉપ પ્રમુખ - વટારીયા સુગર મિલ વીઓ... જોકે ફરી એકવાર ખેડૂતો ની વહારે ખેડૂત સમાજ આવ્યો છે અને ખેડૂતો ના પ્રશ્નો ને લઇ આજરોજ ઓલપાડ તાલુકા મથક ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું , મોટી સંખ્યામાં દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એ આ મીટીંગ માં ભાગ લીધો હતો , ખેડૂત સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કેનાલ નું રોટેશન ૯૦ દિવસ ની જગ્યા એ 45 દિવસ નહિ કરવામાં આવે તો સુરત ખાતે આવેલી સિંચાઈ ભવન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી સિંચાઈ ભવન નો ઘેરાવ કરવામાં આવશે , ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઈન મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર જમીન સંપાદન ના કાયદા માં સુધાર કરે અને જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી વીજ પોલ ઉભા કરવા હોય તો એક વીજપોલ દીઠ ૨ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવે ,જોકે સરકાર દ્વારા ખેડૂતોની માંગ પૂરી નહિ કરવામાં આવે તો આવનારા દિવસો માં સંસદ , ધારાસભ્ય ને ગામડા માં જતા ખેડૂતો દ્વારા અટકાવવામાં આવશે , અને સમગ્ર મામલે દેશના વડા પ્રધાન ને પણ સમગ્ર મામલે ખેડૂત સમાજ ધ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે , મીટીંગ બાદ તમામ ખેડૂતો એ મીટીંગ સ્થળ થી મામલતદાર કચેરી ઓલપાડ સુધી એક રેલી કાઢી હતી અને સમગ્ર મામલે ઓલપાડ મામલતદાર ને પણ આવેદન પાઠવ્યું હતું. બાઈટ :- જયેશ પટેલ - પ્રમુખ - ખેડૂત સમાજ ગુજરાત
6
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 14:07:58
12
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:48:55
8
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:48:45
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના મોરસર ગામમાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું... મોરસર ગામની ભોગાવા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન અને વોશ પ્લાન પર રેડ કરવામાં આવી... ચોટીલા sdm અને ચોટીલા મામલતદાર ની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી... ભોગાવવા નદીમાંથી ખનન કરી અને પ્રાથમિક સ્કુલની બાજુમાં વોચ પ્લાનમાં રેતી લાવવામાં આવતી હતી... રેડ દરમિયાન 16 ટ્રેક્ટર એક જેસીબી એક લોડર વોશ પ્લાન ની મશીનરી સહીતનો મુદામાલ સીઝ કર્યો... રેડ બાદ તમામ મુદ્દા માલ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી... ગેરકાયદેસર ખનન અને વાહન કરતાં ટ્રેક્ટરો લોડર સહિતનો વાહન હાઇવે પર લાબી લાઈનો પસાર થતા રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું રેડ દરમિયા સ્ટોક કરેલ રેતી અને ગેરકાયદેસર વીજ કનેક્શન સહિત કુલ રૂપિયા 7 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.... ખનન કરતા ભવાન લકુ શિયાળીયા અને ભરતભાઈ લીબળિયા સામે કાર્યવાહી હાથ ધરી.....
8
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 12, 2025 13:45:35
5
comment0
Report
NBNARESH BHALIYA
Sept 12, 2025 13:38:17
Jetpur, Gujarat:SULG:- ZK RJT JASDAN PATIDAR SAMAJ RELI.... FORMANT:- PKG..... 1209ZK_RJT_KRANTI_RALLY (આ પાથમાં છે ઉપયોગમાં લેશો STORY GANVA MATE SCRIPT CHHE..... એન્કર:- રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર ભવન ખાતેથી પાટીદાર સમાજની રેલી નીકળી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. હાથમાં વિવિધ બેનરો સાથે ની આ રેલી નીકળી હતી.. જે જસદણ ના નવા બસ સ્ટેશન જુના બસ સ્ટેશન મેન બજાર થી નીકળીને સેવા સદન સુધી પહોંચી હતી.. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી હતી આ રેલીમાં પાટીદાર સમાજના લોકોએ તેમની માંગ સ્વીકારવા સરકારને કહ્યું હતું.. જસદણમાં પાટીદાર સમાજની રેલી યોજાઇ હતી આ રેલીને સંબોધતા પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા એ નિવેદન આપ્યું હતું કે પ્રેમ લગ્નમાં વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે...પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે..અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઉંચી કરીને જોતા નથી..કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાટીયા ભાગી જશે.. કેટલાક વકીલો કેટલાક દલાલો લાખ રૂપિયામાં આવા લગ્ન કરી આપે છે દીકરીઓ ત્યાં જાય કે ન જાય તેમના ડોક્યુમેન્ટ પહોંચી જાય એટલે લગ્ન થઈ જાય છે રેલીને સંબોધતા પાટીદાર નેતા વરૂણ પટેલે પણ તીખા તેવર બતાવ્યા હતા તેમણે રેલીને સંબોધતા કહ્યું હતું કે જ્યારે જ્યારે સરદારના નારા સાથે પાટીદારો માંગણી માટે નીકળ્યા છીએ ત્યારે ત્યારે તેમાં માંગણી પૂરી થઈ છે ફરી એક વખત પાટીદારો સર્વ સમાજની પીળા આપવા માટે ભેગા થઈને નીકળી રહ્યા છીએ.. પટેલની વાડીએ જો કોઈ પાવડો લઈને ચાહ વાળવા નીકળે તો તેને પાડી દઈએ છીએ ત્યારે દીકરીએ આપણી સંપતિ છે.. આવારા તત્ત્વો દ્વારા કરવામાં આવે છે તેના વિરુદ્ધ ની લડાઈ છે.. ગુજરાતી સરકાર હોશિયાર છે તેમની પાસે આવી છે આઈ બી છે ઇનપુટ છે સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે.. આ ટોળું આજે આવડું છે કાલે ગુજરાતમાં થશે ભૂતકાળની ચૂંટણીમાં ગુજરાતની સરકાર અને વિપક્ષે જોયું છે.. પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનોએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું.... સ્પીચ :- મનોજ પનારા, સ્પીચ :- વરૂણ પટેલ...... જસદણમાં આ માંગ સાથે પાટીદાર સમાજની રેલી નીકળી •પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે.. •લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે- •લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉથી નોટિસથી કરવામાં આવે- •સાક્ષી પક્ષ પણ એજ વિસ્તારના હોવા જોઈએ- વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો- ........ પાટીદાર સમાજના આગેવનો એ આપેલ બાઈટ મુદાઓ..... રોમિયોગીરી,લુખ્ખા ગુરી,આવરા તત્વો,છોકરીઓને ફોસલાવી લલચાવી જિંદગી બરબાદ કરે છે,સાથે દીકરીઓની જિંદગી બરબાદ થયાં બાદ ક્યાયની રહેતી નથી,તેવી સમસ્યાઓ અમારી પાસે આવી છે,જેથી 21 વર્ષની વય મર્યાદા કરવામાં આવે,તેવો કાયદો બનાવવાની માંગ કરી હતી,નહીંતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, બાઈટ:- મનોજ પનારા, વિવિધ મુદાઓને લઈને રેલીનું આયોજન કરાયું હતી જેમાં,ગેમીંગ જોન પણ મુદ્દો હતો પરંતુ,તેના ઉપર કેન્દ્ર સરકારનું બિલ પણ આવ્યું છે,જે પાછું પણ ખેંચાશે,સાથે જે વિસ્તારમાં આધારકાર્ડ છે તેજ વિસ્તારમાં લગ્ન નોંધણી થાય,જેવી વિવિધ માંગણી ઓ છે,સાથે હાર્દિક પટેલ હવે ધારાસભ્ય છે તો તેને પણ મુદ્દો વિધાનસભામાં ઉઠાવો જોઈએ,પરંતુ કદાચ,તેને પાર્ટી ના પ્રોટોકોલ મુજબ રજુઆત ન પણ કરી શકતા હોય,સાથે આવનારા દિવસોમાં સરકાર કંઈ વિચારશે નહિ તો જિલ્લા તાલુકા મથકે પણ આંદોલન થશે, બાઈટ:- ગીતા બેન પટેલ... વરૂણ પટેલે મીડિયા સાથે ની વાતમાં કહ્યું હતું,ગુજરાત સરકારે આ મુદ્દે કાયદો બનાવો જોઈએ,સાથે વ્યાજખોરી મુદ્દે પણ સરકાર કાયદામાં સુધારા કરે તેવી પણ માગ છે, બાઈટ:- વરૂણ પટેલ,... જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી દિનેશ બાભણીયા એ મીડિયા સાથેની વાત જણાવ્યું હતું,ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ આ સમસ્યાથી પીડાય રહ્યા છે,સરકાર આ મુદ્દે કાયદો બનવે તેથી સમર્થન યાત્રાનું આયોજન કરાયું છે,સાથે મુખ્યમંત્રી પણ આ બાબતે એક ડ્રાફટિંગ આપીશું,....
8
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 13:19:02
Surat, Gujarat:એન્કર : શહેરમાં એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ તેઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કીમતી ચીજ વસ્તુઓની લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ ની પૂછપરછમાં વરાછા પોલીસ ચોપડે નોંધાયેલા લુટ ના ગુનાઓ ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. જ્યાં આરોપીઓ પાસેથી ઓટો રીક્ષા, ઘાતક હથિયાર સહિત રોકડ રકમ જપ્ત કરી આગળની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. વી ઓ 1 :સુરત શહેરમાં ઓટો રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે.ઓટો રીક્ષામાં પેસેન્જરો ને બેસાડી ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.વરાછા પોલીસે આપેલી માહિતી મુજબ,વરાછા પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન માહિતીના આધારે વરાછા ના કુબેરનગર ખાતેથી ઓટો રિક્ષામાં સવાર આરોપી મુસ્તુફા ખાન પઠાણ અને અરબાઝ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને ઘાતક હથિયાર મળી આવ્યા હતા.આરોપીઓની પૂછપરછમાં ગત 10સપ્ટેમ્બરના રોજ વરાછા ઉમિયાધામ સર્કલ થી ખાંડ બજાર જવાના રસ્તે ઓટો રીક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી ચપ્પુની અણીએ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી.જે અંગે પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી બચતની ઓટો રિક્ષા,મોબાઈલ સહિત અંદાજિત 70 હજારની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી મોહિતભાઈ દસલાણિયા વાહનોના સ્પરપાર્ટસ ના ધંધા સાથે સંકળાયેલા છે.દસ સપ્ટેમ્બરમાં રોજ તેઓ સુરતના વરાછા ખાતે કામ અર્થે આવ્યા હતા.વરાછા હીરાબાગ જવા તેઓ ઉમિયાધામ સર્કલ પાસે ઊભા હતા.જે વેળાએ એક ઓટો રીક્ષા ત્યાં આવી ચઢી હતી.જે ઓટો રીક્ષામાં પહેલાથી ચાલક સહિત અન્ય ત્રણ ઇસમો સવાર હતા.જે ઓટો રીક્ષામાં બેસી તેઓ ખાંડ બજાર તરફ જવાના રસ્તે થી હીરા બાગ જવા રવાના થયા હતા.જે વેળાએ ઓટો રીક્ષામાં બેઠેલા ત્રણ ઈસમોએ ઘાતક હથિયાર બતાવી તેઓ પાસે રહેલા રોકડા રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી. ઓટો રિક્ષા ગેંગ દ્વારા ચપ્પુની અણીએ મોહિતભાઈ પાસેથી રૂપિયા 30 હજાર પડાવી લીધા બાદ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી.જે બાદ ઘટનાનો ભોગ બનેલા મોહિતભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ ના આધારે વરાછા ના કુબેરનગર ખાતેથી ગેંગના બે માણસોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. વરાછા પોલીસના હાથે ઝડપાયેલા ઓટો રિક્ષા ગેંગના સભ્યો મુસ્તુફા ખાન પઠાણ અને અરબાઝખાન પઠાણ બંને રીઢા આરોપીઓ છે.જે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પંકાયેલો છે.પોલીસ તપાસમાં આરોપી મુસ્તુફા ખાન પઠાણ વિરુદ્ધ અગાઉ 16 જેટલા ગંભીર પ્રકારના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે બે વખત પાસા હેઠળ સજા પણ ભોગવી આવ્યો છે.તેવી જ રીતે આરોપી અરબાઝ ખાન પઠાણ વિરુદ્ધ પણ હત્યા સહિત બાર જેટલા ગુન્હા પોલીસ ચોપડે અગાઉ રજીસ્ટર થઈ ચૂક્યા છે.જે ગુનામાં અગાઉ તેઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. આરોપીઓ પાસેથી મળી આવેલી ઓટો રિક્ષા પણ બચતની છે.જે ઓટો રિક્ષા બચત પર ફેરવવાના બહાને આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપે છે.આરોપીઓ એ ઓટો રિક્ષા લઈ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાંડ બજાર સ્થિત ગરનાળા પાસે ઊભા રહે છે.જ્યાં સુરત રેલ્વે સ્ટેશનથી બહાર આવતા પેસેન્જરો ને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા.એકલ દોકલ દેખાતા પેસેન્જર ને ઓટો રીક્ષામાં બેસાડતા.ત્યારબાદ ચાલું રીક્ષામાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડા રૂપિયા સહિતની લૂંટ ચલાવતા હતા. બાઈટ :આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ) વી ઓ 2 :મહત્વની વાત છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષા ગેંગનો આતંક ચાલી આવ્યો છે.જે ગેંગ દ્વારા પેસેન્જરો ને ઓટો રીક્ષામાં બેસાડી નજર ચૂકવી અથવા ચપ્પુ ની અણીએ ધમકાવી લુંટ ચલાવતી આવી છે.ત્યારે હાલ ઝડપાયેલી ગેંગના બંને શખ્સો ની પૂછપરછ.માં વધુ ગુના ઉકેલાવાની શક્યતા ઓ રહેલી છે.જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. સુરત બ્રેકિંગ વરાછા વિસ્તારમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ વરાછા પોલીસે ભેસ્તાન આવાસના કાલીયા પઠાણ અને ગબ્બા પઠાણને ઝડપી પાડ્યા વરાછાના વેપારીને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આગળ લઇ જઈ ચપ્પુની અણીએ 30 હજાર ની લૂંટ ચલાવી હતી પકડાયેલા આરોપી માંથી એક પર 17 ગંભીર ગુના તો બીજા પર 12 જેટલા ગંભીર ગુના પોલીસે આરોપીઓ પાસેથી 29 હજાર થી વધુ ની મત્તા કબ્જે કરી સુરત શહેરમાં આ ગેંગનો આંતક બાઈટ - આલોક કુમાર ,DCP
8
comment0
Report
ARAlkesh Rao
Sept 12, 2025 12:32:34
Vaghrol, Gujarat:નોંધ-ફીડ LIVEU થી આપેલ છે. સ્લગ-પાણીમાં ગામ વરસાદે વિરામ લીધાના છ દિવસ વીતી ગયા બાદ પણ સુઇગામનું ભરડવા ગામ અત્યારે પણ પાણીના ભરડામા સમાયેલું જોવા મળી રહ્યું છે .ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.ગામના રસ્તાઓ ઉપરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે .ગામમાં જવું મુશ્કેલ હોવાથી અમારી ટિમ મહામુસીબતે ટ્રેક્ટરમાં બેસીને ભરડવા ગામ પહોંચી તો ગામની પરિસ્થિતિ ખુબજ ભયાનક જોવા મળી .ગામમાં હજુ સુધી તંત્ર ન પહોંચ્યું હોવાના ગામલોકોએ આક્ષેપ કર્યા તો ગામમાં વીજળી ન હોવાથી પીવાના પાણીની મુશ્કેલી વચ્ચે ગામના સરપંચ પરિવાર દ્વારા પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરાઈ તો ગામના અનેક પરિવારો માટે ગામમાં જ દેશી જુગાડ કરીને દળવાની ઘંટી બનાવીને ગામના લોકોનો લોટ દળી આપવામાં આવી રહ્યો છે તો ગામની પ્રાથમિક શાળામાં નાના બાળકો સાથે આશરો લઈ રહેલા અનેક પરિવારો સરકારી ફૂડ પેકેટની રાહ જોઇને બેઠા છે પરંતુ તંત્રને તેમની દરકાર લેવાની પડી જ નથી તો સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ આપવા આવે તો પડાપડીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ગામમાં અનેક પશુઓના મોત થતાં રસ્તાઓ ઉપર સડી ગયેલી હાલત ભયાનક દુર્ગંધ મારતા પશુઓથી કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ગામના લોકો જ જેસીબીની મદદથી પશુઓના મૃતદેહોને દાટી રહ્યા છે .જોકે ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે તંત્ર કે કોઈ વેટેનરી ડોકટરો અહીં પહોંચ્યા નથી જેથી અમારે મૃતક પશુઓનો નિકાલ કરવો પડી રહ્યો છે જોકે ગામમાં દરેક જગ્યાએ તબાહી જ તબાહી જોવા મળી રહી છે ખેતીમાં તો મોટું નુકસાનનો કોઈ આંકડો મળે તેમ જ નથી.. તંત્રના અનેક દાવાઓને આ ગામની વરવી વાસ્તવિકતા પોકળ સાબિત કરી રહી છે.હાલ પણ ગામમાં પુર જેવી જ પરિસ્થિતિ હોવાથી ગામલોકો તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. વોક થ્રુ-1-અલકેશ રાવ (અમારી ટિમ ટ્રેકટરમાં બેસીને ભરડવા ગામમાં જઈ રહી છે આપ જોઈ રહ્યા છો તમામ રસ્તાઓ ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.) વોક થ્રુ-2-વિથ ટિકટેક -ફૂડપેકેટ માટે પડાપડી -આમાં અવાજ આવ્યો નથી તો ફકત આના વિઝ્યુઅલ જ લેવા (ગામમાં કોઈ તંત્ર પહોંચ્યું નથી ,સેવાભાવી લોકો ફૂડ પેકેટ આપવા પહોંચ્યા હતા જોકે ભારે પડાપડી થતાં ટ્રેક્ટર જતું રહ્યું છે લોકોને ફૂડ પેકેટ મળ્યું નથી તેમની સાથે વાત કરીશું.) બાઈટ-1-ખાનભાઈ -સ્થાનિક (અમે અહીં શાળામાં આશરો લીધો છે કોઈ જ તંત્ર પહોંચ્યું નથી વિકટ પરિસ્થિતિ છે.) બાઈટ-2-લક્ષ્મીબેન -સ્થાનિકમહિલા ( નાના બાળકોને લઈને સ્કૂલમાં બેઠા છીએ ભૂખ્યા અને તરસ્યા છીએ ખૂંબજ હાલત ખરાબ છે.) વોક થ્રુ-3-અલકેશ રાવ ( સામાન્ય રીતે શાળામાં બાળકોના દફતર જોવા મળે છે પણ અહીં તો આશરો લઈ રહેલા લોકોના કપડાં સુકાઈ રહ્યા છે.આ લોકો મદદની આશ લગાવીને બેઠા છે.) બાઈટ-3-બાલાજી રાજપૂત-સ્થાનિક વોક થ્રુ-4-અલકેશ રાવ ( ગામમાં વીજળી નથી અનેક પરિવારના ઘરોમાં લોટ ખૂટી જતા ગામના સરપંચે જુગાડ કરીને જનરેટરની મદદથી ચાલતી અનાજ દળવાની ઘંટી ઉભી કરી છે.આપ જોઈ રહ્યા છો.) વોક થ્રુ-5-વિથ ટિકટેક સરપંચ પિતા (ભરડવા ગામમાં લોકો ઢીંચણથી પણ ઉપરના પાણી માંથી પસાર તજી રહ્યા છે ખુબજ કપરી પરિસ્થિતિ છે આપણી સાથે સરપંચના પિતા અને આગેવાન છે તેમની સાથે વાત કરીશું.) વોક થ્રુ-6-અલકેશ રાવ (ભરડવા ગામમાં અસંખ્ય પશુઓના મોત થયા છે તંત્ર હજુ અહીં પહોંચ્યું નથી મૃત પશુઓના મૃતદેહો અસહ્ય દુર્ગંધ મારી રહ્યા છે મોટો રોગચાળો ન ફેલાય તે માટે ગામલોકો જેસીબીની મદદથી મૃત પશુઓને દાટી રહ્યા છે.) બાઈટ-4-થાનાજી રાજપૂત -ગ્રામજન ( પશુઓના મોત મોટા પ્રમાણમાં થયા છે રસ્તાઓ ઉપર પડેલા પશુઓ દુર્ગંધ મારતા હોવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત છે કોઈ આવ્યું નથી તો કેવી રીતે પશુના ફોટા પડાવીયે અને પોસ્મોર્ટમ કરીયે જેથી જાતે દાટી રહ્યા છીએ) બાઈટ--5-નાગજીભાઈ રાજપૂત -પશુમાલિક ( ખુબજ ભયંકર પરિસ્થિતિ છે કોઈ મદદે આવ્યું નથી પશુઓ મરી ગયા છે કોઈ મદદ કરે તેમ નથી અમારે શુ કરવાનું .) બાઈટ-6-દુધાજી રાજપૂત -આગેવાન (અહીં કોઈએ મદદ કરી જ નથી તંત્ર અને નેતાઓ ખોટા દાવાઓ કરે છે અહીં આવે તો ખબર પડે કે શું પરિસ્થિતિ છે લોકો તડપી રહ્યા છે.) બાઈટ-7-અલકેશ રાવ (ભરડવા ગામના રસ્તાઓ તો પાણીમાં છે પણ રોડ પણ ધોવરાયો છે જેથી નદી જેવું વહેણ વહી રહ્યું હોવાથી રોડ ઉપર થાંભલા આડા પાડીને તેની ઉપરથી લોકો પસાર થઈ રહ્યા છે..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
9
comment0
Report
NBNARESH BHALIYA
Sept 12, 2025 12:31:35
12
comment0
Report
AKArpan Kaydawala
Sept 12, 2025 12:18:53
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવતા વાહન ડીલરો સામે તંત્રની લાલ આંખ ગ્રાહકને વાહન વેચાણ સમયે amc માં વેહિકલ ટેક્સ ન ભરતા ડીલરો આવશે amc ની ઝપટે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય પ્રાથમિક તબક્કે amc દ્વારા 50 મોટા ફોર વહીલર વાહનોની યાદી જાહેર કરવામાં આવશે 25 લાખથી મોંઘી ગાડી હોય અને ટેક્સ બાકી હોય એવા વાહનોની યાદી પાસિંગ નંબર સાથે મીડિયામાં જાહેર કરવામાં આવશે આગામી સમયમાં ટુ વહીલરના મામલામાં પણ બાકીદારોની યાદી જાહેર કરવામાં આવશે આ ઉપરાંત amc ની હદથી 10 km ની ત્રિજ્યામાં રહેતા વાહન ધારકોનો પણ સર્વે કરાઈ રહ્યો છે Amc હદની બહારનું રહેઠાણ બતાવી અન્ય સ્થળે વાહન રજીસ્ટ્રેશન કરાતું હોવાથી amc શરૂ કર્યો સર્વે આવું કરવાથી amc ને વાહન વેરા પેટે મોટી ખોટ સામે આવી રહી છે બાઈટ : અનિરુદ્ધસિંહ ઝાલા, ચેરમેન - રેવન્યુ કમિટી , amc
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 12, 2025 12:18:10
Surat, Gujarat:​અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE નોંધ: ENTRY એંકર:સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે ચોથા વર્ગના કર્મચારી અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ ઘટનાના વિરોધમાં કર્મચારીઓએ કામકાજ બંધ રાખી પોલીસ ચોકી બહાર ધરણા કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ​ ​વીઓ:1 બનાવ અંગે મળતી માહિતી મુજબ, હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સફાઈ કર્મચારી કલ્પનાબેન ફ્લોર પર પોતું મારી રહ્યા હતા. તે દરમિયાન, એક દર્દીના સગા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કલ્પનાબેને તેમને ત્યાંથી ન જવાની વિનંતી કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મારામારી સુધી પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને દર્દીના સગાને પકડી પોલીસને હવાલે કર્યા. બાઈટ:કલ્પના (સિવિલ સફાઈ કર્મચારી) બાઈટ:(સફાઈ કર્મચારી) ​વીઓ:2 ઘટના બાદ, ચોથા વર્ગના તમામ કર્મચારીઓએ પોતાનું કામ છોડીને હોસ્પિટલની પોલીસ ચોકી બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમણે જ્યાં સુધી આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી ત્યાંથી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે ફરજ દરમિયાન તેમની સાથે આવી રીતે ખરાબ વર્તન અને મારામારી થવી તે અયોગ્ય છે અને આરોપીઓને સખત સજા મળવી જોઈએ. ​વીઓ:3 પોલીસે હાલમાં આ મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના કામકાજ પર થોડી અસર થઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
12
comment0
Report
Advertisement
Back to top