Back
मांगरोल के किसानों के केले का भाव 350 से 60 पर
SVSANDEEP VASAVA
Sept 15, 2025 10:16:25
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- ગિજરમ (માંગરોળ )
સ્લગ :-1509ZK_KERA_PAAK_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જીલ્લાના કેળા પકવતા ખેડૂતોની હાલત થઇ કફોડી, વ્યાપારીઓ અને દલાલો ની મિલી ભગત ના કારણે ખેડૂતો નું થઇ રહ્યું છે શોષણ. કેળા નો એક કિલો નો બજાર ભાવ ૩૦ થી ૪૦ રૂપિયા જયારે ખેડૂતો ના કેળા નો ભાવ માત્ર ત્રણ કે ચાર રૂપિયા કિલો. ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં બગડી રહ્યો છે, છતાં કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી. માંગરોળ તાલુકામાં કેળા મંડળી ન આભાવે ખેડતો અવઢવ માં મુકાયા, યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા ખેડૂતો ની માંગ.
વીઓ...
જગત ના તાત ખેડૂતો ના માથે એક ને એક મુશ્કેલી આવી ને ઉભીંજ રહે છે. ધરતી પુત્રો એક મુશ્કેલ માંથી બહાર નીકળે તો બીજી ફસાય છે. ક્યારે કમોસમી વરસાદ, ક્યારે સિંચાઈ ના પાણી નો પ્રશ્ન. કયારેક જમીન સંપાદન નો પ્રશ્ન. અને જો બધું બરાબર હોય તો ખેડૂતો ને પોષણક્ષમ ભાન ન મળવા નો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગીજરમ ગામના યુવા ખેડૂત યશ પ્રજાપતિ કેળા ની ખેતી કરે છે , ચાલુ વર્ષે પણ યશ એ ચાર વીઘા આશરે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરી કેળ ના ૩ હજાર રોપા નું વાવેતર કર્યું હતું , પાક ચાલુ થયો ત્યારે ૩૫૦ રૂપિયા મણ કેળા નો ભાવ હતો ,યુવા ખેડૂત ખુશ હતો કે ચાલુ વરસે કેળા ના સારા ભાવ આવશે અને ૨ પૈસા ની બચત થશે પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. કેમકે કેળા ના ભાવ સીધા ૩૫૦ રૂપિયા મણ થી ૬૦ થી ૭૦ રૂપિયા મણ થઇ ગયા છે. જેને લઇ ખેડૂત ને રોપણી નો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. ખેતર માંથી કેળા ની લૂમ રોડ પર લાવવાની મજુરી એક લૂમ દીઠ ૧૦ રૂપિયા જેટલી થઇ ગઈ છે. ખેડૂતો ને પોતાના રોકાણ નું ૨૫ ટકા વળતર પણ હજુ મળ્યું નથી ત્યાં ખેડૂત પાક ને જમીન દોસ્ત કરવા મજબુર બની ગયો છે.
બાઈટ :- યશ પ્રજાપતિ - (ખેડુત ગીજરમ ગામ : માંગરોળ)
વીઓ...
આ હાલત માત્ર એક યશ પ્રજાપતિ ની નથી. માંગરોળ તાલુકામાં છેવાડે આવેલા ગીજરમ, આંક્ડોદ, કોસાડી, કંટવા સહિત તમામ કેળા પકવતા ખેડૂતોની હાલત છે, ખેડૂતો ને પાક ની રોપણી થી લઇ પાક તૈયાર થાય ત્યાં સુધી ૧૩૦ રૂપિયા જેટલો એક છોડ નો ખર્ચ થાય છે, એક લૂમ પર એવરેજ ૨૨ થી ૨૫ કિલો કેળા નો પાક થાય છે, હવે ખેડૂત બિચારો કરે તો શું કરે, આટલું કર્યા પછી પણ કેળા લેવા કોઈ વ્યાપારી તૈયાર નથી. કેળા ખરીદી કરતા સમયે વ્યાપારીઓ કેળા ની ગુણવત્તા પર સવાલ ઉભા કરી દેતા હોઈ છે અને ખેડૂતો ને આપવું હોય તો આપો નહીં તો રહેવા દો જેવા જવાબ આપે છે, ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે આ વ્યાપારીઓ અને દલાલો સાથે મળી ખેડૂતો નું શોષણ કરી રહ્યા છે,
બાઈટ :- ગુલામ સિંધા - ખેડૂત (આંકડોદ ગામ : માંગરોળ)
બાઈટ :- રામસિંહ આડ્માર - (ખેડૂત : ગીજરમ ગામ) માંગરોળ
વીઓ...
ખેડૂતોનું શોષણ એ નવી વાત નથી , એ પી એમ સી હોય કે માર્કેટ હોઈ તમામ જગ્યા પર વ્યાપારીઓ અને દલાલો નું રાજ ચાલે છે , પાક ની ખરીદી કરતા સમયે આ તમામ વ્યાપારીઓ અને અને દલાલો સંગઠિત થઈ પોતાની મનમાની કરે છે , અને પોતાને યોગ્ય ભાવે પાક નું વેચાણ કરવા ખેડૂતો ને મજબુર કરે છે , બાપડો ખેડૂત મજબૂરી માં આ વ્યાપારીઓ અને દલાલો ના તાબે થઈ જતો હોઈ છે , જોકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર આ બાબતો માં હસ્તક્ષેપ કરે અને આ વચેટિયા પ્રથા બંધ કરે
બાઈટ :- કેતન ભટ્ટ - (ખેડૂત આગેવાન : માંગરોળ )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:562
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 10:48:253
Report
KBKETAN BAGDA
FollowSept 15, 2025 10:48:184
Report
PTPremal Trivedi
FollowSept 15, 2025 10:37:572
Report
PDPRASHANT DHIVRE
FollowSept 15, 2025 10:37:503
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:33:400
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 10:33:290
Report
RMRaghuvir Makwana
FollowSept 15, 2025 10:15:540
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 10:15:360
Report
RARavi Agrawal
FollowSept 15, 2025 10:06:411
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:01:000
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 10:00:070
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 09:30:540
Report