icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow8 Sept 2024, 04:18 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

0
0
Report

पटण के आबू रोड होटल में किंजल पटेल ने आत्महत्या कर दी; पुलिस ने पोस्टमार्टम किया

Abu Road, Rajasthan:અંબાજી પાટણમાં રહેતી કિંજલ પટેલે આબુ રોડની તળેટીમાં આવેલી એક ખાનગી હોટલમાં ગળેફાંસી લગાવીને આત્મહત્યા કરીভিডિઓ વાયરલ થયો માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાશનો કબજો લીધો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો મૃતકના પરિવારને ઘટનાની જાણ કરાતાં, મૃતકના મોટા ભાઈ મિતુલ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા અને સદર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો. મિતિુલ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, Kenneth શુક્રવારે ઘોડા ખરીદવા માટે પંજાબથી નીકળ્યો હતો. તે પાટણથી ટેક્સી દ્વારા આબુ રોડ પહોંચ્યો હતો. તેણે તેના પરિવારને કહ્યું હતું કે તેણે આબુ રોડથી ટ્રેન રિઝર્વેશન કરાવ્યું છે અને તે પંજાબ જશે. મૃતક કિંજલ પટેલ પાટણમાં ઘોડા ફાર્મ ધરાવતો હતો. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમો અને શુખ માટે ઘોડા રાખતા હતા. અને તેઓ વારંવાર ઘોડા ખરીદવા માટે પંજાબ જતા હતા અને આબુ રોડ પર રોકાયા પછી, મહારાષ્ટ્રના અન્ય ઉદ્યોગપતિઓ તેમની સાથે જોડાયા હતા. મિતુલ પટેલના જણાવ્યા મુજબ, કિંજલના પરિવારમાં તેની પત્ની, એક પુત્ર અને તેના માતાપિતાનો સમાવેશ થાય છે. તે ઘોડાનો ફાર્મ ચલાવતો હતો. પોલીસ પોસ્ટમોર્ટમ પછી मृतદેહ પરિવારને સોંપી કેસની વધુ તપાસ રહી છે. બાઈટ.... મિતુલ પટેલ..... મુર્તક किंજલપતેલ નો ભાઈ પાટણ
0
0
Report
Advertisement
Advertisement

भाजपा का सशक्त बूथ कार्यक्रम, मुख्यमंत्री पटेल की उपस्थिति; अमित शाह नहीं पहुंचे

Ahmedabad, Gujarat:અમદાવાદ ભાજપ દ્વારા હાલમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત મારું બૂથ સશક્ત બૂથ કાર્યક્રમ યોજાયો. ચાંદલોડિયાના વિશ્વકર્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અન્ય ભાજપી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગમ્ય કારણોસર ઉપસ્થિત ન રહ્યા. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહંત્રી અમિત શાહ દ્વારા પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અતિ મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવાની ઝુંબેશ શરુ કરી છે. આજ ઝુંબિશને વધુ વેગવાન બનાવવાના હેતુથી કાર્યકરોને વિવિધ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. બદલાતા જતા વાતાવરણ અને પર્યાવરણને સમતોલ કરવા આ વૃક્ષારોપણ અભિયાનને વધુ તેજ બનાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.Blocklyભાજપ હંમેશા اپنے કાર્યકરોને દેવતુલ્ય ગણતો હોવાથી વિવિધ કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. સ્પીચ : ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
0
0
Report

अरवल्ली में चेन स्नैचिंग: दो गिरफ्तार, 97 हजार माल जब्त, 43 केस

Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે સાગરીતોઆખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અરવલ્લી એલસીબીએ મોડાસાના કોલેજ રોડ વિસ્તારેથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા અને દાગીના ઝૂંટવી ફરાર થઈ જતા હતા. પોલીસ તપાસમાં મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા બે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સલમાનખાન પઠાણ અને વિક્રમ દાંતાણી નામના બંને આરોપીઓ પાસેથી રૂ. 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બંને સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 43 ગુનાઓ નોંધાયેલા છે અને અમદાવાદ તેમનું મુખ્ય ઓપરેશન સેન્ટર હતું. હવે સમગ્ર મામલે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ શું જણાવ્યું, સાંભળીએ.
0
0
Report
Advertisement

राजकोट के सिविल अस्पताल में दान दी गई ई-रिक्शा बेकार, व्यवस्था पर सवाल

Rajkot, Gujarat:રાજકોટની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાને લઈને વધુ એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દાતાઓ દ્વારા હોસ્પિટલને ભેટ સ્વરૂપે આપવામાં આવેલી આધુનિક ઈ-રિક્ષા આજે ઉપયોગના અભાવે હોસ્પિટલ પરિસરમાં ધૂળ ખાઈ રહી છે. આ ઈ-રિક્ષા ખાસ કરીને અશક્ત, વૃદ્ધ અને ગંભીર દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે હેતુથી આપવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ તંત્રની ઉદાસીનતાના કારણે દર્દીઓ માટેની આ મહત્વપૂર્ણ સુવિધા બિનઉપયોગી બની ગઈ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વખત એવા દ્રશ્યો સામે આવે છે જેમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને સ્ટ્રેચર માટે લાંબી રાહ જોવી પડે છે અથવા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ દર્દીઓની અવરજવરને સરળ બનાવી શકાય તેવી ઈ-રિક્ષા ખૂણામાં ઊભી રહી ધૂળ ખાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં કરવામાં આવ્યા નથી. દર્દીઓના હિત માટે દાતાઓએ આપેલી સુવિધાનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના કારણે હવે હોસ્પિટલતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. દર્દીઓને રાહત આપવા માટે મળેલી ઈ-રિક્ષા આખરે ક્યારે રસ્તા પર દોડશે અને દર્દીઓના ઉપયોગમાં આવશે તે જોવું રહ્યું.
0
0
Report

राजकोट नगरपालिका के डिमोलिशन खर्च विवाद पर कांग्रेस का घेराव: उच्चस्तरीय जांच की मांग

Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલેશન અભિયાનને લઈને હવે એક પછી એક નવા ખુલાસાઓ અને આક્ષેપો સામે આવી રહ્યા છે. ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે તેના ખર્ચના બિલોને લઈને શહેરમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવા જોવા મળી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડિમોલેશન દરમિયાન વિવિધ વ્યવસ્થાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આંકડા સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. સૌથી વધુ ચર્ચા માત્ર મિનરલ વોટર પાછળ દર્શાવવામાં આવેલા અંદાજે 23 લાખ રૂપિયાના ખર્ચને લઈને થઈ રહી છે. આ ઉપરાંત ભોજન, નાસ્તા અને લીંબુ પાણી પાછળ 27 લાખ 20 હજાર રૂપિયા, વિડીયોગ્રાફી પાછળ 24 લાખ રૂપિયા, મંડપ સર્વિસ પાછળ 8 લાખ 50 હજાર રૂપિયા અને લાઇટિંગ પાછળ અંદાજે અઢી લાખ રૂપિયાાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વિવિધ ખર્ચને ઉમેરતા કુલ ખર્ચાનો આંકડો દોઢ કરોડ રૂપિયાની આસપાસ પહોંચતો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર મામલો સામે આવતા હવે વિરોધ પક્ષ કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. જંગલેશ્વર વિસ્તાર આવતો વોર્ડ નંબર 16ના કોંગ્રેસ કોર્પોરેટરોએ રાજકોટ મહાનગરપાલિકા સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કહેવું છે કે ડિમોલેશન જેવી સંવેદનશીલ કામગીરીના નામે જનતાના પૈસાના બેફામ વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે એક તરફ લોકો વર્ષો જૂના પોતાના આશિયાના ગુમાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ লাখો રૂપિયાના ભોજન, પાણી અને અન્ય ખર્ચના બિલો કેવી રીતે તૈયાર થયા તે મોટો પ્રશ્ન છે. કોંગ્રેસના કોર્પોરેટરોના જણાવ્યા મુજબ ડિમોલેશન દરમિયાન અનેક સેવાભાવી અને સામાજિક સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે પાણી, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. ત્યારે મનપાના ખર્ચમાં આટલા મોટા આંકડા કેવી રીતે ઉમેરાયા તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વિઓ 2 કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે જો ખરેખર આટલો ખર્ચ કરવામાં આવ્યો હોય તો તેની સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ. કેટલા લોકોને ભોજન આપવામાં આવ્યું, કેટલા પાણીના બોટલનો વપરાશ થયો, વિડીયોગ્રાફી માટે કેટલા કેમેરા અને કેટલો સ્ટાફ કાર્યરત હતો, મંડપ અને લાઇટિંગની વ્યવસ્થા ક્યાં અને કેટલા દિવસ માટે કરવામાં આવી હતી, તેની તમામ માહિતી જનતા સમક્ષ મુકવી જોઈએ. જનતાના ટેક્સના પૈસાથી થતી દરેક કામગીરીમાં પારદર્શિતા હોવી જરૂરી છે અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ. વોર્ડ નંબર 16ના કોંગ્રેસ કોર્પોરેટર ઈબ્રાહિમ સોરા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા અને સુરેશભાઈ ગરૈયા એકસ્વરે જણાવ્યું છે કે તેઓ આ સમગ્ર બિલનો સખ્ત વિરોધ કરશે. કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું છે કે જ્યાં સુધી સમગ્ર ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ નહીં થાય અને હકીકતો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવતા રહેશે. સાથે જ તેમણે માંગ કરી છે કે વિવાદાસ્પદ બિલોને તાત્કાલિક મંજૂરી ન આપવામાં આવે અને સમગ્ર બાબતની સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
0
0
Report

राजकोट के मेगा डिमोलिशन बिल पर भारी विवाद, 24 लाख के वीडियो बिल पर सवाल

Rajkot, Gujarat:એંકર: રાજકોટના જંગલેશ્વર علاقےમાં થયેલા મેગા ડિમોલેશન બાદ હવે 24 લાખ રૂપિયાના વિડિઓગ્રાફીના બિલને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વિડિઓ શૂટિંગ માટે મૂકવામાં આવેલા કેમેરાની સંખ્યા અને તેના ખર્ચને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે Zee 24 કલાકની צוות કોન્ટ્રાક્ટ મેળવનાર હિતેષ ભાયાણીની ઓફિસે પહોંચી હતી. પરંતુ ઓફિસ બંધ હોવાથી તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. હિતેષ ભાયાણીએ દાવો કર્યો કે ડિમોલેશન દરમ્યાન અલગ-અલગ દિવસોમાં કુલ 150થી વધુ કેમેરા તૈનાત કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ 21 અને 22 તારીખે 45 કેમેરા, 23 અને 24 તારીખે 93 કેમેરા, 25 અને 26 તારીખે 13 કેમેરા તેમજ 27 તારીખે 3 કેમેરાuvo મૂકવામાં આવ્યા હતા. ઉપરાંતો સામાન્ય કેમેરાનો પ્રતિ કલાક 658 રૂપિયા અને DSLR કેમેરાનો પ્રતિ કલાક 900 રૂપિયાનો દર વસૂલવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું. જોકે આટલી મોટી સંખ્યામાં કેમેરા વાસ્તવમાં સ્થળ પર કાર્યરત હતા કે નહીં, તેમજ બિલમાં દર્શાવાયેલો ખર્ચ યોગ્ય છે કે નહીં તે અંગે હવે ચર્ચા તેજ બની છે. સમગ્ર મામલાની હકીકત સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે, પરંતુ હાલ 24 લાખના આ બિલે ડિમોલેશન કરતાં વધુ ચર્ચા جگાવી છે. વોકથ્રુ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report
Advertisement

राजकोट जंगलेश्वर डिमोलेशन पर पानी की बोतल खर्च को लेकर नया विवाद: 24 लाख रुपये के वीडियो बिल के बाद बहस

Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે 24 લાખ રૂપિયાના વીડિયોગ્રાફીના બિલ બાદ હવે પાણીની બોટલના ખર્ચને લઈને પણ વિવાદ ઉભો આવ્યો છે. સામાજિક આગેને પરસોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખર્ચના હિસાબ પર સવાલો ઊઠાવયા છે. તેમણે હરિસિંગ સુચરીયાની સાથેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો પણ જાહેર કરી છે. ઓડિયોમાં હરિસિંગ સચુરીયાએ ડિમોલેશન દરમિયાન 5 હજાર જેટલી પાણીની બોટલ વિતરણ કરવામાં આવી હોવાનું કહેવાયું છે. સાથે જ 200 એમએલની પાણીની બોટલ બે રૂપિયાથી પણ ઓછા ભાવે મળતી હોવાનો અને સારી ગુણવત્તાની બોટલ પણ ત્રણ રૂપિયામાં મળી જતી હોવાનો દાવો કર્યો છે. પીપળીયાએ મનપાના રેટ કોન્ટ્રેક્ટર અને શ્રી ઉમિયા મંડપના માલિક શૈલેષdesાઈ પર પણ આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ બોટલ દીઠ વધુ રકમ વસુલવામાં આવી હોવાની શક્યતા છે. સમગ્ર મામલે પરસોત્તમ પીપળીયાએ તટસ્થ તપાસની માંગ કરી છે.
0
0
Report

दिल्ली-मुंबई एक्सप्रेसवे हादसा: सास-ससुर पर बेटी ने लगाए गंभीर आरोप, बीमा क्लेम के चक्कर में विवाद

Vadodara, Gujarat:વડોદારા ... દિલ્હી માંબઇ એક્સપ્રેસ વે પર કાર અકસ્માત મામલો... હાલોલના કોન્ટ્રાક્ટરનું કારમાં આગ લાગીતા મોત થયું હતું... કોન્ટ્રાક્ટર સમીર પંચાલના મોત બાદ સસરિયાઓ પર સમીરની પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ... વીમાના પૈસા પાછળ ભાગતા સાસરિયાઓ સામે વહુનો આક્રોશ... પતિના બળેલા અંગો લઈને પહોંચી નદી કિનારે... મહિલાએ તેના સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓ માત્ર વીમા ક્લેમના પૈસા મેળવવા માટે દોડી રહ્યા છે... મૃતુકના અવશેષોની અંતિમ વિધિ માટે પણ આગળ આવ્યા નથી... સમીરની આ અસ્થિઓ કે તેની આત્મા ક્યાં ભટકે છે તેની તેમને કોઈ ચિંતા નથી." — પીડિત વહુ વિડીયો સોસીયલ મીડિયા માં વાઇરલ...
0
0
Report
Advertisement
Advertisement
Back to top