Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
जामनगर नवरात्रि पर पुलिस अलर्ट: CCTV से गरबा सुरक्षा कड़ी
MDMustak Dal
Sept 18, 2025 10:03:22
Jamnagar, Gujarat
જામનગર... મુસ્તાક દલ નવરાત્રિને લઈને જામનગર પોલીસ એલર્ટ જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના પોલીસ અધિકારીઓએ નવરાત્રીના આયોજકો સાથે બેઠક અને સ્થળ મુલાકાત લીધી આયોજકોને ગરબીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગરબીને સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને પુરતી સિક્યુરીટી રાખવાની સુચનાઓ અપાઈ નવરાત્રીમાં પોલીસની SHE ટિમ પણ રહેશે કાર્યરત યુનિફોર્મ અને ઓફ ડ્રેસમાં SHE ટિમ બજાવશે ફરજ ગરબા રમવા જતી યુવતીઓ અને મહિલાઓને જરૂરી સુચનાઓનું પાલન કરવા અપીલ નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લાભરમાં પેટ્રોલિંગમાં કરાશે વધારો નવરાત્રીની ઇચ્છાભેર અને શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી થાય તે માટે જામનગર જિલ્લા પોલીસ સતર્ક બની
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MMMitesh Mali
Sept 18, 2025 11:53:56
Vadodara, Gujarat:DATE:18/09/2025 LOCATION:VADODARA APRUVAL BY : VISHAL BHAI પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મ નો આરોપી જય વ્યાસ ના ઘર પર તોડફોડ અને ઘર ની ઘેરાવો કર્યો હતો. વારંવાર આવા કૃત્ય કરનાર ના પરિવારને તેઓને સોંપવા ની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું. પાદરા પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે પાદરા ના પી.આઈ ટોળાને સમજાવી પોલીસે જય વ્યાસના પરિવારને પોલીસ વાનમાં બેસી ખસેડવામાં આવ્યો હતો. વી ઓ પાદરા તાલુકાના ચાણસદ ગામે 2019 માં ગામ ની એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી જે ચકચારિત ઘટનામાં જય વ્યાસ જેલ માં થી છૂટ્યા બાદ પણ આવા કૃતિઓ કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભારે હોબાળોમાં મચાવ્યો હતો, બે દિવસ પૂર્વે જ વડોદરા શહેરના પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં પણ કોઈ બનાવ સંદર્ભે જય વ્યાસ આવી જ પ્રકારની કોઈ ઘટના આચરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા વારંવાર આવા કૃત્ય ની વિકૃત માનસિકતા ધરાવનાર જય વ્યાસ સામે ચાણસદના ગામ ના ગ્રામજનોએ આક્રોશ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને ચાણસદ ગામે આવેલા જય વ્યાસના મકાનમાં રહેતા પરિવાર ગામ નહી રહેવા તેમજ ફાંસી માગ કરી હતી ગ્રામજનો એ ઘર બારી બારણા ના કાચ તોડી ને ગ્રામજનો એ ભારે ઘર નો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો ઘટના ની જાણ થતા પાદરા પોલીસ પણ દોડી આવી હતી જય વ્યાસ ના પરિવાર ને ગ્રામજનો ને સોંપવા ની માંગ કરી હતી ગ્રામજનો એ આક્ષેપ કર્યા હતા કે, જય વ્યાસ ને તેઓ ના પરિવારજનો જ પ્રોત્સાહિત કરતા હોવા ના આક્ષેપો સાથે ઘર ઘેરાવો કર્યો હતો બાઈટ 1 હેતલ પટેલ બાઈટ 2 : WKT ભારે હોબાળા ના પગલે ચાણસદ ગામે પાદરા પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પાદરા પોલીસ મથક ના પી.આઇ વિજય ચારણે ગ્રામજનો અને મહિલાઓ ને સમજાવવાના પ્રયત્ન કરતા, આખરે પોલીસ કોર્ડન કરી ને, જય વ્યાસ ના પરિવારજનો ને સુરક્ષિત રીતે બચાવી પોલીસવાન માં બેસાડી ને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને મામલો શાંત પડ્યો હતો બાઈટ વિજય ચારણ (પી.આઇ પાદરા પોલીસ મથક)
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 11:20:51
Surat, Gujarat: સુરતના બેગમપુરા ખાતે રહેતા વૃદ્ધે એસએમસીમાં નોકરી અપાવવા જતા ભેરવાયા બાદ બે વચેટીયાની ધમકીથી કંટાળીને  પોતાના એપાર્ટમેન્ટની અગાસીમાં ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મહિધરપુરા પોલીસે વૃદ્ધે વ્હોટ્સએપ ઉપર લખેલી સેલ્ફ નોટના આધારે બંને વચેટીયાઓ વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરીહતી. વિઓ.1 સુરતના બેગમપુરા દુધારા શેરી અલાયાની વાડી પંચવટી એપાર્ટમેન્ટ  માં રહેતા ૫૯ વર્ષીય ચેતનકુમાર ગુણવંતલાલ પંચાલ અગાઉ કેટરીંગનું કામ કરતા હતા.પણ છેલ્લા સાત વર્ષથી તે પતી હર્ષિદાબેન સાથે નિવૃત્ત જીવન ગાળતા હતા.બી.એ સાયકોલોજીનો અભ્યાસ કર્યા બાદ તેમની દીકરી અંજલી ત્રણ વર્ષથી ઘોડદોડ રોડ ખાતે એક ડોક્ટરને ત્યાં ઇન્ટર્નશીપ કરતી હોય અને બે વર્ષ અગાઉ તેના લગ્ન યુએસએની કંપનીમાં નોકરી કરતા વરીયાવના ક્રિસ વસાણી સાથે થતા બંને વૃદ્ધ માતાપિતાની સાર સંભાળ માટે તેમની સાથેજ રહેતા હતા. અંજલી ગત બપોરે ત્રણ વાગ્યે ક્લીનીક પરથી લંચ માટે ઘરે આવી ત્યારે પિતા ત્યાં હાજર હતા નહિ, હાજર માતાને પૂછતાં તે ફોન આવતા અગાસીમાં ગયા હતા તેમ કહેતા અંજલીએ અગાસીમાં જઈને જોયું તો તેના પિતા બેભાન પડેલા હતા અને નજીકમાં ઝેરી દવાની બોટલ પણ હતી.ચેતનભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ થોડી સારવાર બાદ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ચેતનભાઈને દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિ મળ્યો હતો અને તેણે હું વહીવટ એસએમસીમાં નોકરી અપાવીશ, તમારી પાસે કોઈ પૈસા આપીને નોકરી લેવા માંગતું હોય તો કરી કહેજો તમને બે ત્રણ લાખનો ફાયદો થશે તેવી વાત કરતા ચેતનભાઈએ તેમના મહોલ્લામાં જ રહેતા પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા અને બેગમપુરા મોતી ટોકીઝ પાસે ચેવલી શેરીમાં રહેતા અશોક ઉર્ફે ડોકુ ચંપકલાલ રાણા મારફતે કેટલાક લોકો પાસે રૂ.૨૨ લાખ લઈ તે વ્યક્તિને એસએમસીમાં નોકરી અપાવવા આપ્યા હતા.જોકે, તે વ્યક્તિએ પૈસા લઈ નોકરીનહિ આપતા પરેશ અને અશોક ચેતનભાઈ પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા.આથી તેમણે પત્નીના દાગીના વેચી રૂ.૧૮ લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં બંને ઘરે આવી ધાકધમકી આપતા હતા અને તેમના પત્ની અને દીકરીને પણ ગાળો આપી પૈસા આપી દેવા દબાણ કરતા હતા.આથી ચેતનભાઈએ ગતરોજ આપઘાત કરી લીધો હતો. તે પહેલા તેમણે વ્હોટ્સએપ ઉપર સેલ્ફ નોટ લખી હતી કે જેની પાસેથી રૂપીયા લીધા છે  તેને પરત આપી દીધા છે છતા ટોર્ચર કરતો હોવાથી મારા આપઘાત કરવાનું કારણ આ પરેશ જશવંતલાલ જરીવાલા છે. આ હકીકતના આધારે મહિધરપુરા પોલીસે ગતરાત્રે ચેતનભાઈની દીકરી અંજલીની ફરિયાદના આધારે જરીકામ કરતા પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા  અને બુટલેગર અશોક ઉર્ફે ડોકું ચંપકલાલ રાણા વિરુદ્ધ આપઘાતની દુશપ્રેરનાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. ચેતનભાઈએ જેમની ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો તે પરેશ ઉર્ફે જાડીયો અને અશોક ઉર્ફે ડોકુ પૈકી અશોક બુટલેગર છે. તેના વિરુદ્ધ સુરતના અઠવાલાઈન્સ, મહિધરપુરા, સચીન, લાલગેટ અને ક્રાઈમ બ્રાન્ચમાં દારૂના ૧૯ ગુના, મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસનો ગુનો મળી કુલ ૧૭ ગુના નોંધાયા છે. તેની ત્રણ વખત પાસા હેઠળ પણ અટકાયત થઇ છે. તેણે પોતાના પાંચ થી છ સગાને એસએમસીમાં નોકરી આપવાનું કહી પૈસા લઈને ચેતનભાઈને આપ્યા હતા અને ચેતનભાઈએ આગળના વ્યક્તિને આપ્યા હતા. જોકે, તે વ્યક્તિએ પૈસા લઈ કામ કર્યું નહોતું.આ વ્યક્તિ કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બાઈટ..રાઘવ જૈન..ડીસીપી ..... સુરત બ્રેક મ્યુનિ.માં નોકરી અપાવવામાં ભેરવાયેલા વૃધ્ધે બે વચેટીયાની ધમકીથી આપઘાત કરી લીધો બેગમપુરાના ૫૯ વર્ષીય ચેતનભાઈ પંચાલે ઝેરી દવા ગટગટાવી પરેશ ઉર્ફેજાડીયો જરીવાલા, બુટલેગર અશોક ઉર્ફે ડોકુ રાણાની દુસ્પ્રેરણાના ગુનામાં ધરપકડ ગુનાઈત ઇતિહાસ ધરાવતા બુટલેગર અશોક ઉર્ફે ડોકુએ તેના પાંચ થી છ સગાને એસએમસીમાં નોકરી આપવાનું કહી પૈસા લઈને આપ્યા હતા રૂ 22 લાખની રકમ પચાવી પાડી હતી દાગીના વેચી રૂા. ૧૮ લાખ ચૂકવ્યા બાદ પણ ધમકી આપતા હતા મહિધરપુરા પોલીસે વૃદ્ધે વ્હોટ્સએપ ઉપર લખેલી સેલ્ફ નોટના આધારે બંને વચેટીયાઓ વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી
3
comment0
Report
HBHimanshu Bhatt
Sept 18, 2025 11:08:23
Morbi, Gujarat: Slug 1809ZK_MRB_CAS_STADI Format PKG Reporter HIMANSHU BHATT Feed 1809ZK_MRB_CAS_STADI Date 18/9/25 Location MORBI APPROVAL: VISHALBHAI એન્કર ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતો દ્વારા રાત દિવસ જોયા વગર પરસેવો પાડીને પોતાના ખેતરમાં મગફળીનો પાક તૈયાર કરવામાં આવ્યો છે જોકે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે તેમ છતાં પણ ટાકાના ભાવે તેઓની મગફળીનું વેચાણ કરવા માટે કરવામાં આવેલા રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવેલ છે. જેથી કરીને ખેડૂતોની હાલમાં સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. વીઓ સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાના અમલીકરણમાં અનેક વિસંગતતાઓ જોવા મળતી હોય છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતો સાથે પણ થયો હોય તેવું સામે આવી છે ખેડૂતોએ બે દિવસ સુધી ધક્કા ખાઈને ૭/૧૨ ના દાખલા મેળવ્યા હતા ત્યારબાદ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે બે દિવસ સુધી ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરાવ્યું અને તેઓના ખેતરની અંદર મગફળીનો પાક અત્યારે તૈયાર થવાની અણી ઉપર છે ત્યારે ટેકાના ભાવે તેઓના મગફળીનું વેચાણ કરવા માટેના રજીસ્ટ્રેશન ને કેન્સલ કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓએ મગફળીનું વેચાણ ક્યાં કરવું તે સવાલ ઉઠી ગયો છે બાઇટ ૧: વિભાભાઇ લામકા, ખેડુત હીરાપર વીઓ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર મગફળીનું ચોમાસામાં વાવેતર કરવામાં આવ્યું હતું અને ચોમાસુ મગફળીનો પાક લેવા માટે થઈને રાત દિવસ જોયા વગર મજૂરી કરવામાં આવી છે અને પરસેવો પાડવામાં આવે છે આટલું જ નહીં પરંતુ ખાતર બિયારણ અને મજૂરીના ખર્ચા પણ ચડાવવામાં આવ્યા છે તેમ છતાં પણ તેઓના ખેતરની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું નથી તેવું સેટેલાઈટ મેકિંગમાં બતાવે છે જેથી કરીને ખેડૂતોની મગફળી લેવામાં નહીં આવે તેવો ઘાટ અત્યારે સર્જાયો છે પરંતુ જો ટેકાના ભાવે તેઓની મગફળીનું વેચાણ ન થાય તો ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે તેવી શક્યતાઓ છે કારણ કે ટેકાના ભાવે જે મગફળીનું વેચાણ થતું હોય છે તેના કરતાં ખુલ્લા બજારમાં ઓછી કિંમતે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે છે આમ ખેડૂતોને ખોટ ખાઈને પોતાની મગફળી બજારમાં વેચવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે બાઇટ ૨: પ્રકાશભાઇ સવસાણી, ખેડુત, હીરાપર વીઓ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રૂટીન ખેતી છોડીને વધુ કમાણી મેળવવા માટે થઈને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે જો મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ આવી રીતે ખેડૂતોના રજીસ્ટ્રેશન ડિજિટલ મેપિંગના આધારે રદ કરવામાં આવશે તો ખેડૂતો તેમના પાકનું પૂરતું વળતર મેળવી શકતા નથી અને તે લોકોને ના છૂટકે રૂટીન ખેતી છોડવી પડે અથવા તો ખેતીને જ છોડવી પડે આવો ઘાટ સર્જાય તો નવાઈ નથી જેથી ખેડૂતોની મુશ્કેલી અને વેદના ને સમજીને સરકાર દ્વારા વાસ્તવિક રીતે જે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને જો તેના રજીસ્ટ્રેશન કેન્સલ થયા હોય તો તેનું સમયસર વેરિફિકેશન કરીને તેઓની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે બાઇટ ૩: પ્રવિણભાઇ ફેફર, ખેડુત હીરાપર વીઓ એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની છેલ્લા ઘણા વર્ષોથી વાતો કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોની જણસ તૈયાર થાય ત્યારે કાંતો જણસના ભાવ તળિયે બેસી જાય છે અને જો ટેકાના ભાવે સરકારે માલ લેવાનો હોય તો તેમાં કેટલાક ખેડૂતોના ટંકારાના હીરાપર ગામની જેમ રજીસ્ટ્રેશન રદ થાય છે અને તેના કારણે ખેડૂતોને ના છૂટકે ખુલ્લા બજારમાં પોતાનો માલ પાણીના ભાવે વેચવો પડે અને મોટી ખોટ સહન કરવી પડે આવો ઘાટ સર્જાય છે ત્યારે ખેડૂતો દ્વારા ડિજિટલ મેપિંગ એટલે કે સેટેલાઈટ મેટિંગના બદલે સ્થળ ઉપર વાસ્તવિકતા જોઈને જે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે તેની મગફળી ટેકાના ભાવે લેવી જોઈએ તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
0
comment0
Report
CJChirag Joshi
Sept 18, 2025 11:07:45
Dabhoi, Gujarat:SLUG: ZK BRD LUNT CRIME REPORTER: CHIRAG JOSHI FORMAT: PKG FEED: WETRANSFER LOCATION: DABHOI VADODARA APPRUVAL: DESK બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ વડોદરા જિલ્લા એલસીબી ને મળી મોટી સફળતા વેગા ચોકડી ખાતે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઈમ બ્રાન્ચે મૂળ એમપીના દયારામ મોહનિયા નામના આરોપીની કરી ધરપકડ એક મહિના પહેલા શ્રીરામ ટિમ્બર્સના માલિકને માર મારી ચલાવી હતી લૂંટ પોતાના શેઠને લૂંટવા માટે એમપીથી બોલાવ્યા હતા માણસો અન્ય ત્રણ આરોપીઓની શોધ કોડ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર એંકર: વડોદરાના ડભોઇ વેગા ચોકડી ખાતે આવેલ રામ ટિમ્બર્સમાં 1 મહિના પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૂળ એમપીના ખૂંખાર આરોપી દયારામ મોહનિયા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહીં આરોપીની પૂછપરછ દરમિયાન લૂંટ અને મર્ડરના એવા ગુના બહાર આવ્યા હતા કે પોલીસ પણ ચોકી ઉઠી હતી વીઓ વડોદરા ગ્રામ્યમાં આવેલા ડભોઇ વિસ્તારમાં લૂંટની ઘટના બાદ એલસીબીની ટીમો ત્વરિત ગતિવિધી સાથે તપાસમાં લાગી હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે જુનાગઢ જિલ્લાના વિસવદર તાલુકાના મહુડા ગામેથી દયારામ ભૂરા મોહનિયા નામના આરોપીને પકડી પાડ્યો હતો કડકાઇપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. તેણે કબુલાત કરી કે, ડભોઇના વેગા ચોકડી પાસે ડભોઇ વેગા ચોકડી ખાતે મજૂરી કામ કરતો હતો. ત્યાંથી જ તેણે લૂંટની યોજના ઘડી હતી. તેણે સહઆરોપી સાથે મળી ફરિયાદીને લોખંડની કોદાળી અને લાકડાના દંડા વડે હુમલો કરી મરી ગયા હોવાનું માની ઓરડીમાં નાખી દીધા હતા. બાદમાં રોકડા રૂપિયા 47 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યો હતો પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી લૂંટના પૈસામાંથી રૂ. 10 હજાર રિકવર કર્યા છે. બાકીના પૈસાની શોધખોળ ચાલી રહી છે આરોપી ટુંકા સમય માટે અલગ અલગ જગ્યાએ મજૂરી નોકરી કરતો હતો. આ દરમિયાન શેઠ દુકાનદારનો વિશ્વાસ જીતતો અને પરિસ્થિતિની માહિતી મેળવી લેતો અને થોડા સમય બાદ નોકરી છોડી દેતો અને પોતાના સાગરિતો સાથે પરત આવીને લૂંટ કે ધાડ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતો. આરોપી દયારામનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તેના વિરુદ્ધ 7 ફરિયાદો નોંધાયેલી છે. આરોપી મધ્યપ્રદેશમાં 10 વર્ષ પહેલા હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે. જામનગરના કાલાવાડ પોલીસ મથકમાં પણ તે નાસતો ફરતો હતો આરોપી દયારામના પકડાઈ જવાથી વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પરંતુ તેના અન્ય સાગરિતો અને બાકી રહેલા લૂંટના પૈસા અંગેની તપાસ હજુ ચાલુ છે હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડભોઇ પોલીસને આરોપીનો કબજો આપવામાં આવ્યો છે ત્યારે ડભોઈ પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી આગળ તપાસ હાથ ધરી છે બાઈટ 1 સુશીલ અગ્રવાલ જિલ્લા એસ પી વડોદરા 2 પી ટુ સી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 10:48:11
Surat, Gujarat:એન્કર સુરત ના અલગ અલગ વિસ્તારોમાં ફરી નોટોના બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતારી લઈ છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપીની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ચોક બજાર પોલીસે આ ગેંગના એક મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી વિઓ.1 સુરત ચોક બજાર પોલીસે થોડા દિવસ પહેલા જ નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના ઘરેના ઉતારનારી ગેંગ ના ત્રણ સદસ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે . આ ગેગ ફૂટપાથ પર રહી ગ્રાહકોને નિશાન બનાવતા હતા તેઓ સોનાના ઘરેના પહેરેલ મહિલાઓને નિશાન બનાવી તેમને નોટોની ગડ્ડી બતાવી તેમના દાગીના ઉતારી લઈ ત્યાંથી ભાગી જતા હતા. મહિલાને નિશાન બનાવી એક ચેન અને વિટી લઈ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી. ચોક બજાર પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાંથી ને પોતાનું નામ મનોજ બાવરી જણાવ્યું હતું. મનોજ અને ગેંગના સદસ્યો શાક માર્કેટ, ખરીદીના માર્કેટ તેમજ સોસાયટીમાં રહેતી ,એકલી જતી આવતી મહિલાઓને ટાર્ગેટ કરતા હતા ત્યારબાદ મહિલાઓ સાથે વાતચીત કરી પૈસાની એક સાચી નોટ ઉપર રાખી તેની નીચે આ કાગળની ગડ્ડી રાખી તે ગડ્ડી એકલી જતી આવતી મહિલાને બતાવી વિશ્વાસમાં લઈ પૈસા કોઈ લઈ જશે જેથી પૈસા ની ગડ્ડી તમે રાખો તેમ કહી પૈસાની ગડ્ડી મહિલાને આપી મહિલાને તમારા ઘરેના પણ ઉતારી નાખો તેમ કહી તે ઘરેના ઉતારાવી છેતરપિંડી થી મેળવતા હતા. ગુનો આચર્યા બાદ આ ગેગ અમદાવાદ ,અરવલ્લી જિલ્લામાં નાસી જતા હતા. આરોપી વિરુદ્ધ ભિલોડા ,તલોદ અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય ચુક્યો છે બાઈટ..રાઘવ જૈન..ડીસીપી
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 18, 2025 10:07:44
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_VISHALBHAI BYTE_1 AND P2C VISUAL એંકર જિલ્લા પંચાયત કચેરીને જિલ્લા પંચાયત ચોકથી જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સ્થાનાંતર કરવામાં આવ્યું હતું આ સ્થાનાંતરમાં ૭૫ લાખ જેટલી મોટી રકમો ખર્ચ દર્શાવામાં આવ્યો હતો .જેને લઈને વિરોધપક્ષ ના નેતા મનસુખ સાકરીયા દ્વારા કોંભાડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિઓ 1 વિરોધપક્ષ નેતા મનસુખભાઈ સાકરીયા દ્વારા કોંભાડ થયું હોવાના આક્ષેપ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા બેન રંગાણી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પી જી કિયાડા દ્વારા ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોડી ગ્રાન્ડ આપવામાં આવે છે જેના કારણે અમારે બજાર કિંમત કરતા ઊંચો ભાવ આપવો પડે છે અત્યારે સુધીમાં ૧૭ લાખ જેટલી રકમના બિલો પાસ કરવામાં આવ્યા છે જ્યારે હવે આ કોંભાડ આક્ષેપ થયા છે તો તપાસ કમિટી બનવામાં આવશે અને તપાસ કરવામાં આવશે વિઓ ૨ જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના મામલે કુલ રૂ. 17 લાખ ચૂકવવામાં આવ્યા છે. વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી. આ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ડીડીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ વિઓ ૩ ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સમગ્ર જવાબદારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે. બીજી તરફ, ડીડીઓનું કહેવું છે કે, કચેરી ટ્રાન્સફરનો ખર્ચ રૂ. 75 લાખ સુધી પહોંચી ગયો હોવાના આક્ષેપો થયા છે. પણ તેની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી. આરએન્ડબી પાસેથી જે બિલ મળ્યા છે. તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત રૂ. 17 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે. ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે, તે જોવું રહ્યું. બાઈટ: ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે P2C
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 10:03:31
Surat, Gujarat:1809ZK_SRT_PANDESARA_AROPI એકર શહેરમાં ગુનાખોરીના વધતા પ્રમાણ વચ્ચે નજીવી બાબતમાં વધુ બે હત્યા સામે આવતાં સનસની મચી ગઈ છે. પાંડેસરામાં જન્મદિવસની ઉજવણી માટે પૈસાની માંગણી કરવા મુદ્દે, તો અમરોલીમાં ગાળ બોલવાનું ના કહેવાની સામાન્ય બાબતમાં હત્યા સુધી મામલો પહોંચી ગયો હતો. પોલીસે બંને ગુનાઓમાં હત્યારાઓને ઝડપી લીધા છે. પાંડેસરામાં પકડાયેલ હત્યારો ચંદન રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળેલ છે. વિઓ.1 પાંડેસરા રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં માતા, ભાઈ-બહેનો સહિતના પરિવારમાં રહેતો ભગતસિંહ નરેન્દ્ર સિંગ જીઆઇડીસીમાં વિર્યાન કંપનીમાં જેટ મશીન ઓપરેટર છે. મંગળવારે રાતે મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંગના જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જન્મદિવસ હોવાથી તેણે મિત્રો સાથે અલથાણની હોટલમાં જવાનું નક્કી કર્યુ હતું. તેઓ પાંડેસરાના તિરુપતિ પ્લાઝામાં પાનના ગલ્લે ઊભા હતા અને અનિલ રાજભરે બિટ્ટુ પાસે જન્મદિવસની પાર્ટીના ખર્ચ માટે શેરિંગના ધોરણે પચાસ રૂપિયાની માંગણી કરી હતી. આ વાતે બિટ્રુએ ગાળાગાળી કરતાં ભગતસિંહે વાયપરનો સળિયો ચંદનના માથા પર મારી દીધો હતો. બિહુએ વળતા હુમલામાં ભગતસિંહની પીઠ પર ચાકુના થા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઝપાઝપીમાં અનિલને પણ ચાકુના થા લાગતાં તેને ગંભીર ઈજા થઈ છે. બનાવ અંગે મૃતક ભગતસિંગના ભાઈ નાગેન્દ્ર સિંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે મુળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા અને ચંદન કરુણાશંકર દુબેની ધરપકડ કરી છે. હત્યારા ચંદન દુબે વિરુધ્ધ લુંટ, મારામારી જેવા ચાર ગુનામાં સંડોવણી બહાર આવી છે.
0
comment0
Report
MDMustak Dal
Sept 18, 2025 10:02:47
Jamnagar, Gujarat:જામનગર...મુસ્તાક દલ જામનગર સહિત અલગ-અલગ જીલ્લાઓમાંથી મોટર સાયકલ ચોરી કરતી ટોળકી પોલીસ સંકજામાં બે શખ્સોને જામજોધપુર પોલીસે દબોચ્યા વિજય ઉર્ફે ડીગ્રી સાડમીયા અને રામકુ ઉર્ફે રામકો વાઘેલા નામના શખ્સોની ધરપકડ મોરબી, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જીલ્લાઓમાં ચોરીને આપતા અંજામ બંને આરોપીઓએ બાઇક ચોરી, લૂંટ-ધાડ, અપહરણ તેમજ પ્રોહીબીશનના ગુન્હાઓ આચરેલ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે બંને આરોપીઓ પાસેથી અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કરેલ વણશોધાયેલ કુલ 4 ગુન્હાઓ પોલીસે શોધી કાઢ્યા ઝાડી ઝાખરાઓ તથા પાણીના વોકળામાંથી મોટર સાયકલ પોલીસે રીકવર કરી કુલ રૂ.1.15 લાખનો મુદામાલ જપ્ત કરાયો ટોળકીના અન્ય બે શખ્સોને નામ ખુલ્યા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી *આરોપીઓનો MO* મજુરી કામ અર્થે જે તે ગામડાઓમા બળદ ગાડા તથા બકરા લઇ દંગા પડાવ નાખી રોકાઈને આજુબાજુના ગામોમાં રેકી કરી મોટર સાયકલ ચોરી જંગલ વિસ્તાર તથા ઝાડી ઝાખરાઓ તથા પાણીના વોકળામાં સંતાડી રાખી દસ થી પંદર દિવસ પછી જે તે જગ્યાઓએથી ચોરી કરી મુદામાલ કાઢી વહેંચી નાખતા હતા આરોપીઓ
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 18, 2025 09:16:31
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C AAPROVED_VISHALBHAI BYTE_1_AND_WT_VISUAL એંકર રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગના સ્થાનાંતરને લઈ જિલ્લા પંચાયત દ્વારા મસ મોટો ખર્ચો દર્શાવામાં આવ્યો પરંતુ જિલ્લા પંચાયતનું હાલત એવી ને એવી.. જિલ્લા પંચાયતનું સ્થાનાંતર જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું ત્યાં ફાયર સેફ્ટીનો મોટો અભાવ જોવા મળ્યો ... જિલ્લા પંચાયતના ફાયરના સેફટીના સાધનો એક્સપાયર થઈ ચૂક્યા છે જ્યારે એ વાતને લઈ અધિકારીઓ નિંદ્રામાં વિઓ 1 જો જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં આગ લાગે તો આ એક્સપાયર થયેલ સાધનો એક પણ રીતે એવા નથી લાગી રહ્યા કે આગ બુઝાવી શકે રાજકોટ શહેરમાં જ્યારે trp અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ શહેરના રહેણાંક, આધોગિક આવા તમામ પ્રિમાયસીસમાં ફાયર સેફ્ટીના નિયમો કડક કરવામાં આવ્યા પરંતુ તંત્ર ક્યાંક સરકારી બિલ્ડિંગોમાં તપાસ કરતા ભૂલી જતી હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થવા પામ્યું છે રાજકોટની જિલ્લા પંચાયત કે જે જૂની કોર્ટ ખાતે સ્થાનાંતર કરવામાં આવી ત્યાં રાખેલ ફાયર સેફ્ટીના બાટલાની તારીખ એક્સપાયર થઈ ચૂકી છે જ્યારે એ બાબતે તંત્ર હજુ નિંદ્રામાં છે એક તરફ જિલ્લા પંચાયત 85 લાખ જેટલી રકમનો ખર્ચ દર્શાવી રહી છે જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયત મોટી બેદરકારીઓ દાખવી રહી છે વિઓ 2 જિલ્લા પંચાયતના કર્મચારીઓ રામ ભરોસે કેમ કે અહીંયા ફાયર સેફ્ટી મોટો અભાવ જોવા મળી રહ્યો છે કેટલી ફાયર સેફ્ટીની બોટલ 2023 તો કેટલીક બોટલો ગત મહિને એક્સપાયર થઈ ચૂકી છે સાથે જ જિલ્લા પંચાયત કચેરીમાં એક તરફ પાન માવાની પિચકારી મારવી નહીં આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીમાં દીવાલો ઉપર પાન માવાની પીચકારિ મારેલ ગંદકી જોવા મળી જ્યારે જિલ્લા પંચાયત દ્વારા સ્વછતાના નામે 12 લાખ જેટલી રકમનો બિલ મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે વિઓ 3 ફાયર સેફ્ટીના સાધનોને લઈને જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ ને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે એ બાબતે તપાસ કરવામાં આવશે જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે આવશે બાઈટ : અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ વિઓ ૪ ફાયર વિભાગ દ્વારા થોડા સમય પેહલા ઝુંબેશ ચલાવી ઔધોગિક બિલ્ડિંગો ને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ કરવામાં આવ્યા હતા દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ને દંડ ફટકારવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બાઈટ: અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ WT
2
comment0
Report
HBHimanshu Bhatt
Sept 18, 2025 09:05:19
Morbi, Gujarat: Slug 1809ZK_MRB_TEKA_RADD Format PKG Reporter HIMANSHU BHATT Feed 1809ZK_MRB_TEKA_RADD Date 18/9/25 Location MORBI APPROVAL: VISHALBHAI એંકર મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા માટે થઈને ખેડૂતો દ્વારા ઉજાગરા કરીને અને ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમાંથી ઘણા ખેડૂતોના રજીસ્ટ્રેશન સેટેલાઈટ મેપિંગના કારણે કેન્સલ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના ખેડૂતો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને આજે ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓના ખેતરમાં મગફળી હોવા છતાં પણ તેમના રજીસ્ટ્રેશન કેમ કેન્સલ થયા છે તેઓ સવાલ કર્યો હતો વિયો સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. જોકે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને ઉજાગરા કરવા પડ્યા હતા અને વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા ત્યાર પછી તેઓની મગફળી ટેકાના ભાવે વેંચવા માટે રજીસ્ટ્રેશન થઈ શક્યા હતા જોકે છેલ્લા દિવસોમાં સેટેલાઈટ મેપિંગ કરીને મોરબી જિલ્લાના ઘણા બધા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે જેથી કરીને આજે ટંકારા તાલુકા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું તેમ છતાં પણ તેઓના રજીસ્ટ્રેશન કેમ કેન્સલ કર્યા છે તેવો સવાલ કર્યો હતો અને અને જે ખેડૂતોના રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે તેઓની પાસેથી ફોર્મ માંગવામાં આવે છે તેનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ અગાઉ તેના રજીસ્ટ્રેશન કર્યા ત્યારે તમામ પ્રકારના પુરાવો આપ્યા હતા અને ભૂલ સરકારની છે તો ખેડૂતો કેમ હેરાન થાય એવા આક્રોશ સાથે કોંગ્રેસે ખેડૂતોના હિતમાં તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે અને જો 48 કલાકમાં જે ખેડૂતોની મગફળીનુ રજીસ્ટ્રેશન કેન્સલ થયેલ છે તેમનું વેરિફિકેશન કરીને ઓકે કરવામાં નહીં આવે તો ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉતારવામાં આવી છે વધુમાં ખેતીવાડી વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં કુલ મળીને 19234 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે થઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાંથી 4,544 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે જેથી હવે તે લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યા બાદ તેમની મગફળી ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ તે આગામી સમય જ બતાવશે. બાઈટ 1 ભુપતભાઈ ગોધાણી, વિપક્ષના નેતા, મોરબી જિલ્લા પંચાયત બાઈટ 2 કાંતિલાલ પટેલ, ખેડૂત, હરબટીયાળી બાઈટ 3 અશોકભાઈ હડિયલ, વિસ્તરણ અધિકારી, ટંકારા
0
comment0
Report
Advertisement
Back to top