Back
भावनगर के भंडारिया में नवरात्रि की गरबा धूम, 300 साल पुरानी परंपरा
NDNavneet Dalwadi
Sept 22, 2025 10:45:51
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૨/૦૯/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: ભંડારીયા ગામે પરંપરાગત માતાજીની ગરબીના સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ.
એન્કર :
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં વર્ષો જૂની પરંપરાને ગામલોકો નથી ભૂલ્યા, આજે ભંડારિયા ગામના માણેકચોકમાં ગરબી પધરાવી માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ભંડારીયા ગામમાં ડિસ્કો દાંડિયા ને સ્થાન નથી, નવ દિવસ દરમિયાન ભક્તિભર્યા માહોલ વચ્ચે ભવાઈ, નાટકો, ધાર્મિક આખ્યાન થકી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
વિઓ ૧:
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે શાસ્ત્રોકત વિધિ અનુસાર ઉજવાતા નવરાત્રી ઉત્સવની પરંપરા કાયમ રહી છે. અહીં બહુચરાજી માતાજીના મંદિરે આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભંડારીયા ગામના માણેકચોકમાં માતાજીની ગરબી પધરાવવામાં આવી હતી. આ પ્રસંગે નિજ મંદિરેથી ભૂંગળ અને ઢોલનગારાના તાલે વાજતે ગાજતે, અબીલ ગુલાલ અને ફૂલોની છોળો ઉડાડતા માતાજીની ગરબીને માણેકચોકમાં લઈ જવામાં આવી હતી. અહીં પહોંચી વિધિ વિધાન અનુસાર માતાજીની ગરબીને ચોકમાં પધરાવવામાં આવી હતી. ભંડારીયા ગામે આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. અહીં માણેકચોકમાં નવ દિવસ માતાજીના ભજન, કીર્તન, ભવાઈ અને નાટકો ભજવામાં આવે છે. અહીં દર્શને આવતા કોઈપણ વ્યક્તિને ઊંચું સ્થાન નથી મળતું, માણેકચોકમાં કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છે. અહીં દરેક વ્યક્તિ જમીન પર બેસી ભજવવામાં આવતા ભવાઈ, નાટકોને નિહાળે છે. બગદાણાના સંત બજરંગદાસ બાપા પણ આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા, આ ભવાઇ, નાટકોને લઈને રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં લેવાતો મૂંડકી વેરો માફ કર્યો હતો. ભંડારિયા ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના મંદિરે ૩૦૦ વર્ષ કરતા પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી મહોત્સવ આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતીની મહેક આવે છે. અહીં માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ભજવાતા ધાર્મિક, ઐતિહાસીક નાટકો, ભવાઇ ખુબ જાણીતા અને લોકપ્રીય છે. જેનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.
વિઓ ૨:
આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતા હતા, ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ''ગોખ'' પાસે ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું હતું. એ સમયે ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો, કે બ્રાહ્મણ હોય તેજ વ્યક્તિ માતાજીનાં વેશમાં ગોખની સામે પટમાં ભવાઈ રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે. ભંડારિયાના લોકો એ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાના રાજવીઓને ખુશ કર્યા ત્યારે ત્યાના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરૃષ, અબાલ વૃધ્ધ બાળકોનો ''મુંડકાવેરો'' ન લેવાનો આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન કરી નવાજ્યાં હતાં. ત્યારે ભંડારિયા માં આજે પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ, મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને નાટક ભજવવાનું શરુ કરે છે.
વિઓ ૩:
ભંડારિયાના ગામના માણેકચોકમાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઇનાં સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ ગામે ગામથી લોકોની ભીડ જામે છે. ભવાઈની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. અને ચોકમાં માતાજીની ગરબી પધરાવતા સમયે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે. આમ પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ, નાટક ભજવવામાં આવે છે. સરકારી, ખાનગી કંપનીના નોકરિયાત, બિજનેશમેન કે પછી ઉદ્યોગપતિ સહુ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઇપણ સેહ શરમ વિના ધારણ કરી નાટકો કે ભવાઈ ભજવે છે.
વિઓ ૪:
ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી. નાટક દરમિયાન“વન્સ મોર”ને અહિયાં સ્થાન નથી. મંદિરમાં ડાકલા વગાડવા કે ભુવા ધુણાવવામાં આવતા નથી. અહિં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર ''અંબે માતકી જય...'' સાથે બોલી વધાવવામાં આવે છે. અને નાટકના અંતે માતાજીનો “મુજરો” (સ્તુતિ) કરવામાં આવે છે. જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘુંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે. એ સમયે ઉપસ્થિત સહુ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમનાં દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.
બાઈટ: પ્રેમભાઈ કંડોલીયા, કલાકાર, ભાવનગર.
બાઈટ: ધર્મેન્દ્રભાઈ બુધેલીયા, કલાકાર, ભંડારીયા.
બાઈટ: ટેમભા જાડેજા, શ્રદ્ધાળુ, ભાવનગર.
બાઈટ: વિનોદભાઈ લૂંભાણી, શ્રદ્ધાળુ, ભંડારીયા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 13:33:480
Report
URUday Ranjan
FollowSept 22, 2025 13:32:420
Report
SSSapna Sharma
FollowSept 22, 2025 13:31:340
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 12:21:040
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 12:20:290
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 11:50:461
Report
ARAlkesh Rao
FollowSept 22, 2025 11:50:332
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 11:47:080
Report
PTPremal Trivedi
FollowSept 22, 2025 11:45:100
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 10:46:520
Report
NJNILESH JOSHI
FollowSept 22, 2025 10:46:460
Report
ASAjay Shilu
FollowSept 22, 2025 10:03:120
Report
GKGovindbhai Karmur
FollowSept 22, 2025 10:02:030
Report
NBNARESH BHALIYA
FollowSept 22, 2025 10:01:320
Report