Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315

आरवल्ली में ट्रक-टेम्पो भिड़ंत, राहगीर की मौत की सूचना

PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 07:46:18
Modasa, Gujarat
અરવલ્લી બાયડના માધવકંપા પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર રસ્તો ક્રોસ કરતા રાહદારીનું ટ્રકની ટક્કરે મોત ટ્રક વચ્ચે મૃતદેહ ફસાતા ફાયરની મદદ લેવાઈ ટ્રક ની અંદર લોકો ફસાયા હોવાની શક્યતા મોડાસા પાલિકાનો ફાયરની ટીમે હાથ ધરી કાર્યવાહી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
7
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Sept 11, 2025 11:36:01
Patan, Gujarat:એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદની પગલે સૌથી વધુ અસર મહુવા ગામે થવા પામી હતી ઉપરથી કુદરતી આફત રૂપ વરસાદ અને બાજુ આસપાસમાં આવેલ તળાવનો ફાટતા તેના પાણી ગામમાં ચારે તરફ પરિવર્તન કપરી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું જેને લઈને ગામમાં મોટી નુકસાની થવા પામી હતી તો સાથે જ પશુધન, ઘર વખરી, અનાજ પણ પાણીના પ્રવાહ તણાઈ જવા પામ્યું હતું પાણી નો નિકાલ ત્રણ દિવસ બાદ થતા તારાજી ના દ્રશ્યો સામે આવવા પામ્યા હતા વીઓ સાંતલપુરમાં બે દિવસ ભારે વરસાદની મોટી અસર વહુવા ગામે થવા પામી હતી રાત્રી દરમિયાન ગામમાંથી ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધતો જતા અને ગામ ની બાજુમાં આવેલ ગામ તળાવ ફાટક તેનો પાણી નો પ્રવાહ એકદમ વધી જતા ગામમાં છાતી સુધીના પાણી ફરી વળ્યા હતા જેને લઈને ગામમાં આવેલ કાચા પાકા મકાનો ધારાસભ્ય થવા પામ્યા હતા . રોડ,રસ્તા તૂટી જવા પામ્યા હતા ,કાચી દુકાનો પડી જવા પામી હતી, મકાનોની દિવાલો પડી જવા પામી હતી સાથે જ ગામની જમીનનું ધોવાણ થવા પામ્યું હતું . તો બીજી તરફ ખેડૂતો એ ઘરમાં રાખેલ મહા મુલો પાક જીરુ,બાજરી સહિતનો પાક કેટલોક તણાઈ ગયો તો કેટલોક પાણી મા પલડી ગયો જેને લઇ મોટી નુકશાની થવા પામી છે છેલ્લા ત્રણ દિવસથી ગામમાંથી જ પુરવઠો ખોરવાયેલ હોય લોકોની હાલત કફોડી અને દયનિય બનવા પામી છે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્ર દ્વારા ગ્રામજનોની કોઈપણ મુલાકાતે રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવી નથી જેને લઈને ગ્રામજનોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બાઈટ. Wkt. પ્રેમલ ત્રિવેદી. પાટણ બાઈટ. 1.રતના ભાઈ આહીર. અસરગ્રસ્ત બાઈટ 2.હરખી બેન. અસરગ્રસ્ત બાઈટ 3.સાનું બેન આહીર. અસરગ્રસ્ત
0
comment0
Report
PTPremal Trivedi
Sept 11, 2025 11:35:00
Patan, Gujarat: એન્કર.. સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ બાદ હવે ધીમે ધીમે તાલુકામાંથી પાણી નીકળવા લાગ્યા છે પરંતુ હજુ પણ અનેક ગામોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ જેસે થી ની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગામોમાં અમુક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ રહેવા પામે છે ત્યારે અનરાધાર વરસાદ અને પુર જેવી સ્થિતિમાં પરિવારોએ જે કંઈ અનાજ,ઘરવખરી બચાવી છે તેને સમેટીને અસરગ્રસ્ત પરિવારો ગામોમાંથી સ્થળાંતર કરી સલામત સ્થળે જવાનું શરૂ કર્યું છે વીઓ.. સાંતલપુર તાલુકામાં અનરાધાર વરસાદે અનેક ગામોમાં તારાજી સર્જી છે ત્યારે ચારે તરફ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે સાંતલપુર તાલુકાના બરારા,બકુત્રા મઢુત્રા,પર,કલ્યાણપુરા રોઝૂ સહિતના ગામોમાં પરિસ્થિતિ વિકટ બનવા પામી છે ત્યારે ઘરવખરી પાણીના પ્રવાહમાં મોટાભાગની તણાઈ જવા પામી છે ત્યારે પરિવારો દ્વારા જે પણ ઘર વખરી બચાવી છે તેને લઈને ગામોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરવાની હવે ફરજ પડી રહી છે જે પ્રકારે ગામોમાં અનેક વિસ્તારો માં પાણી ગરકાવ થતા હવે ત્યાં રહેવું લોકો માટે જોખમ રૂપ બનવા પામ્યું છે અને આ પાણી નો ક્યારે નિકાલ થશે તેનું કોઈ નક્કી ન હોય પરિવારો હવે સલામત સ્થળે સ્થળાંતર કરવાની નોબત આવવા પામી છે ઘરમાં રહેલ અનાજ મોટા ભાગનું તણાઈ જવા પામ્યું છે ત્યારે હવે બાજરી જીરું સહિતનો જે અનાજ છે જે બચ્યું છે તેને લઈને હવે પરિવારો એક બાદ એક સલામત સ્થળે જવા રવાના થયા છે બાઈટ. Wkt. પ્રેમલ ત્રિવેદી પાટણ બાઈટ. 1.ભરત ભાઈ વાદી. અસરગ્રસ્ત બાઈટ. 2.ચેતન ભાઈ વાદી
0
comment0
Report
GPGaurav Patel
Sept 11, 2025 11:34:14
Ahmedabad, Gujarat:* *જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ* સુરત નો હીરા ઉદ્યોગ આજે મંદિમાં છે યુક્રેન યુદ્ધ અને અમેરિકન ટેરિફ ની સ્થિતિ વચ્ચે ઉદ્યોગ રહ્યો છે આ મંદી આજકાલ ની નથી વર્ષ 2019થી આ મંદી ચાલી રહી છે અત્યાર કારીગરો ને રોજગારી નથી મળી રહી 75 રત્ન કલાકારોએ આપઘાત કર્યા ના દાખલાઓ છે આ મંદીના કારણો ઘણા બધા છે ચીનની અર્થ વ્યવસ્થા પણ મંદિ તરફ છે રાજ્ય સરકારે ડાયમંડ વેલફેર બોર્ડ ની રચના ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કર્યું નહીં સુરતમાં ડાયમંડ બુર્જ બનાવવામાં આવ્યું ડાયમંડ વર્કર એસોસિએશન ની માગણીઓ છે.. ટેરિફ થી હીરા ઉદ્યોગ માં કામ કરતા રત્ન કલાકારોએ બેરોજગાર બનશે રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સરકારે સહાય નથી આપી રત્ન દીપ કલ્યાણ યોજના હેઠળ1200 કરોડ ની જાહેરાત કરી હતી તેમાં 6 લોકોને લાભ આપ્યો પછી લાભ આપવામાં નથી આપ્યો ડાયમંડ વર્કર માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ સુરત નો હીરા ઉદ્યોગ ભયંકર આર્થિક તકલીફોમાં છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ તમામ મુદ્દે કેન્દ્ર સરકાર પ્રધાન મંત્રી અને વિત્ત મંત્રીને પત્ર લખ્યો છે PM આજે પ્રાઇવેટ મેન થયા છે જવાબદાર વિરોધ પક્ષને આજે રાજ્યની અને કેન્દ્ર સરકાર જવાબ નથી આપતી ચેમ્બર્સ ઓફ કોમર્સ નું સરકાર સાંભળતી નથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આ વિશેષ પત્ર લખ્યો છે રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ને પગલે સ્થિતિ ગંભીર સરકારની કામગીરી દયાજનક કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા લોકોએ ની સ્થિતિ ખરાબ જાન પહોંચી છે પણ પોંખવા કોઈ આવતું નથી બાઈટ - જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ
0
comment0
Report
AKAshok Kumar
Sept 11, 2025 11:32:27
Junagadh, Gujarat:જુનાગઢ.. સતત બીજા દિવસે જુનાગઢમાં નહીં થાય સફાઈ સફાઈ કર્મચારીઓની હડતાલ નો બીજો દિવસ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ પર સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાલ હજીયાણી બાગ ખાતે એકઠા થયા સફાઈ કર્મચારીઓ સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાલ સફાઈ કર્મચારીઓ પોતાની માંગ સાથે રહ્યા અડગ ડોર ટુ ડોર કામગીરી પણ સફાઈ કામદારો દ્વારા કરાવવામાં આવી બંધ માંગ: સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓ અને સખીમંડળની બહેનોને ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરી છે.
0
comment0
Report
PTPremal Trivedi
Sept 11, 2025 11:01:08
Patan, Gujarat:એન્કર સાંતલપુર તાલુકામાં બે દિવસ ભારે વરસાદ થતા ગામે ગામ પાણીથી તરબોળ બની જવા પામ્યા હતા . જેમાં ખાસ કરીને સાંતલપુર તાલુકાના મહુવા ગામને મોટી અસર થતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા . પાણીના પ્રવાહમાં ગામના અનેક મકાનો ધરાસાઈ તેમજ નુકસાની થવા પામી છે જેને લઈને પરિવારોને ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે નિર્માણ થવા પામ્યું છે ત્યારે હવે સરકાર વાહરે આવે અને સહાય જાહેર કરે તો પરિવારોને કોઈ સહારો મળે તેમ છે વીઓ.. પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ વરસાદ સરહદી સાંતલપુર અને રાધનપુર તાલુકાઓમાં ખાબકતા આ વિસ્તારના ગ્રામીણ લોકોની હાલત કફોડી બની છે. બે દિવસ ખાબકેલા અતિ ભારે વરસાદને પગલે વૌવા ગામ ના તબાહી ના દ્રશ્યો ઝી 24 કલાક ના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મા સામે આવ્યા હતા બે દિવસ ભારે વરસાદ મા સાંતલપુર તાલુકા ના વૌવા ગામે ભારે વરસાદી પાણી તેમજ આસ પાસ ના તળાવો ફાટતા ધસ મસતો પાણીનો પ્રવાહ ગામમાં ધીમે ધીમે રાત્રિના સમયે વધવા લાગ્યો હતો અને જોત જોતા માતો આખું ગામ પાણીના ઘેરાવવામાં આવી જવા પામ્યું હતું ત્યારે ગામ ના જાગૃત સરપંચ સહિત આગેવાનોએ સતર્ક બની ગામમા લોકોને બૂમો પાડી ઘરની બહાર નીકળી જવા દોડધામ કરી હતી ત્યારે ગામમાં છાતી સમા પાણી ફરી વળતા લોકોએ જીવ બચાવવાં નાસ ભાગ મચાવી હતી ત્યારે ગામમા પાણી નો ભારે પ્રવાહ વહેતા અનેક પાકા, કાચા મકાનો પડી જવા પામ્યા હતા ઘર મા રહેલ તમામ સર સમાન કેટલોક દબાઈ ગયો તો કેટલોક પાણી મા તણાઈ ગયો જેને લઇ પરિવારો ઘર વિહોણા બનવા પામ્યા છે ઉપર આકાશ અને નીચે ધરતી રહેવા પામી છે ત્યારે આવા અસરગ્રસ્ત પરિવારો ની હાલત કફોડી બનવા પામી છે આ પરિવારો ને રહેવું કયા અને ખાવુ શું તેની વિમાસણ મા મુકાઈ જવા પામ્યા છે ત્યારે હવે સરકાર તાત્કાલિક ધોરણે નુકશાન ની નું સર્વે કરાવી સહાય કરે તો જ આ પરિવારો ફરી પગ ભર બને અને પરિવારના માથે છત મળી શકે તેમ છે બાઈટ. 1 to 1. અસરગ્રસ્ત મકાન માલિક સાથે બાઈટ. 1 to 1 અસરગ્રસ્ત મકાન માલિક સાથે બાઈટ. 1 બાબુભાઇ આહીર. સરપંચ વૌવા ગામ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 11, 2025 10:18:32
Vapi, Gujarat:એન્કર: વાપીના ચલા રોડ પર એક અઠવાડિયા અગાઉ રાત્રે એક કાર ચાલકે નશામાં એક બાઈક સવાર અને રોડની બાજુમાં ઉભેલા પોલીસના હોમગાર્ડને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક નું મોત નિપજ્યું હતું..સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી... વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં જ ફરાર કારચાલક ની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. કોણ હતો આ રફતાર નો રાક્ષસ કારચાલક...?? અને શું હતી આખી ઘટના...?? જોઈએ આ અહેવાલ... વી ઓ:1 રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રફતરના રાક્ષસો કહેર વર્તાવી રહ્યા છે.. દારૂના નશામાં બેફામ વાહનો હંકારી અને રોડ પરથી પસાર થતા અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.. રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે.. ત્યારે આવી જીવલેણ હીટ એન્ડ રનની વધુ એક ઘટના વાપીમાં બની હતી. વાપીમાં ત્રીજી સપ્ટેમ્બરના રોજ અડધી રાત્રે વાપીના ચલા રોડ પર એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી.. આ દરમિયાન ચલાના પોલીસ ચેકપોસ્ટ નજીકથી પસાર થતાં એક બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ત્યારબાદ રોડની બાજુમાં ઉભેલા પોલીસના એક હોમગાર્ડને પણ ટક્કર મારી અને ઘટના સ્થળ થી ફરાર થઈ ગયો હતો ..આ ઘટનામાં બાઈક ચાલક પિયુષ શાહનું મોત નિપજ્યું હતું.. જ્યારે હોમગાર્ડ જયેશ નાયકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.. આથી પોલીસે આ ફરાર કાર ચાલકને શોધવા તપાસ શરૂ કરી હતી .અને ગણતરીના દિવસોમાં જ વાપી ટાઉન પોલીસને સફળતા મળી છે.. અને અકસ્માત સર્જી એકનું મોત નીપજાવી અને હોમગાર્ડને ઇજાગ્રસ્ત કરી ફરાર થનાર કારચાલક વિજય રાયની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો... બાઇટ:1 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:2 પોલીસના હાથે ઝડપાયેલો આરોપી વિજય રાય પોતે લેબર કોન્ટ્રાક્ટર નું કામ કરે છે .અને તેણે જ ત્રીજી તારીખે બેફામ કાર ચલાવી અને આ ઘટના માં એક નું મોત નીપજાવી અને ફરાર થઈ ગયો હતો.. પોલીસે કારની શોધ કરતા આખા અકસ્માત સર્જનાર કાર બીજા દિવસે વલસાડના પારડી ના ઉમરસાડી ગામ નજીક રોડ પરથી મળી આવી હતી .આથી પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ કરી આરોપી વિજય રાય સુધી પહોંચી હતી. અને આરોપી કાર ચાલક વીજય રાય ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.. બાઇટ:2 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ: 3 પોલીસે ફરાર કારચાલકને શોધવા ઘટનાસ્થળ ની આસપાસના અને કાર જ્યાંથી પસાર થઈ હતી તે રોડ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ કાર ચાલક વિજય રાય બનાવના દિવસે દમણના એક બારમાં દારૂનો નશો કરી અને અડધી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો.. ત્યારે ચલા રોડ પર પોલીસ ચેકપોસ્ટ નજીક તેણે બેફામ કારને દોડાવી હતી.. અને રોડ પર થી પસાર થતા બાઈક ચાલકને ટક્કર મારી હતી અને રોડની બાજુમાં ઉભેલા પોલીસના હોમગાર્ડને પણ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.. પોલીસે આ તપાસમાં સીસીટીવી ની તપાસ કરતાં દમણ ના એક બાર માં આરોપી કાર ચાલક દારૂનો નશો કરતો હોવાનું પણ દેખાયું હતું..અને દારુ નો નશો કરી અને કાર ચલાવી રહ્યો હતો.. આથી કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે આરોપી વિજય રાય વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. બાઇટ:3 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:4 રફતારના રાક્ષસોના કહેરથી અસંખ્ય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નશો કરી અને બેફામ વાહનો દોડાવતા આવા નશાબાજ રફતારના રાક્ષસો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.. નિલેશ જોશી ઝી મીડીયા વાપી. લોકેશન: વાપી FTP/VAPI/SEP25/11.9.25/ZK_VAPI_HIT_AND_RUM/6 VISUL/2BITE.
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 10:05:12
Surat, Gujarat:સુરત બ્રેક OTT બાદ હવે AI સમાજ માટે દુષણ પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર AI દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી youtube ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની કરી માગણી પત્રમાં તેમને ઉલ્લેખ કર્યો કે, કેટલીક youtube ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષા વાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે લખ્યું કે, વડાપ્રધાનના પણ કેટલા કાલ્પનિક પાત્ર ઊભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે તેમને પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે આવા AI વિડીયોના કારણે યુવાનો બાળકો માતા અને બહેનો ઉપર ગંભીર દૂષપ્રભાવ પડે છે આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું આવી તમામ ચેનલોને આઈડેન્ટીફાય કરી તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે બાઈટ : મથુર સવાણી - પદ્મશ્રી
3
comment0
Report
MDMustak Dal
Sept 11, 2025 10:05:02
Jamnagar, Gujarat:તા.11-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : કુટણખાનું ઝડપાયું Slug : 1109 ZK JMR KUTANKHANU ફોર્મેટ : SAVDHAN GUJARAT લોકેશન : જામનગર એન્કર : જામનગરમાં અંધઆશ્રમ આવાસના ૪૫ નંબરના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું અને એક મહિલા સંચાલક દ્વારા બહારથી રૂપલલનાઓને બોલાવીને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડયો હતો, અને કુટણખાનામાંથી એક પુરુષ ગ્રાહક અને ત્રણ મહિલાઓને શોધી કાઢી હતી. ઉપરાંત કુટણખાના સંચાલક મહિલાની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા ૬,૩૦૦ ની રોકડ રકમ અને ૫૦૨ નંગ કોન્ડમના પેકેટ વગેરે કબજે કર્યા છે. વિઓ : 01 આ દરોડા ની વિગત એવી છે કે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા ને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં બ્લોક નંબર ૪૫ માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની લુહાર જ્ઞાતિની મહિલા દ્વારા પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પોતાના ઘરમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દઈ કુટણખાનું ચલાવાઇ રહ્યું છે. જે બાતમી ના આધારે સીટી ડીવાયએસપી જે.એન ઝાલા, ઉપરાંત મહિલા પી.એસ.આઇ ટી.ડી.બુડાસણા એ અન્ય પોલીસ ટુકડી ને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન એક રૂમની અંદરથી એક સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે રૂમમાં અમદાવાદ અને રાજકોટની સ્ત્રીઓ હાજર મળી આવી હતી, અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે ની વ્યવસ્થા કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વિઓ : 02 આ સમગ્ર કાર્યવાહી બાદ મહિલા પીએસઆઈ ટી.ડી. બુડાસણાં સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કુટણખાનું ચલાવનાર સંચાલક નીતાબેન મહેન્દ્રભાઈ વાળા (૫૫) સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩(૧),૩ (૨એ),૪ (૧), ૪(૨સી),૫ (૧,એ) અને ૫ (૧.ડી.) મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે પુરુષ ગ્રાહકો માટેની એકત્ર થયેલી રૂપિયા ૬૩૦૦ ની રોકડ રકમ ઉપરાંત ૫૦૨ નંગ કોન્ડોમના બોક્સ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે. સિલાઈ કામ કરતી મહિલા શહેરના પુરુષ ગ્રાહકોના ટાંકા ભીડવવા ૧,૦૦૦ રૂપિયા ઉઘરાવતી હતી જામનગરના અંધ આશ્રમ વિસ્તારના રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની મહિલા કે જે પોતે સિલાઈ નું કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવાના ભાગરૂપે પોતાના ઘરમાં કુટણખાનું ચલાવવાનું નક્કી કરી લીધું હતું, અને શહેરના લગ્નના જીવનસાથી ન હોય તેવા પુરુષો, તેમજ સ્ત્રીઓ સાથે મૈત્રી સંબંધ ન હોય તેવા પુરુષ ગ્રાહકોને શરીર સુખ માણવા માટે ની વ્યવસ્થા કરવામાં આવતી હતી. વિઓ : 03 જેના માટે અમદાવાદથી બે અને રાજકોટ થી એક મળી ત્રણ સ્ત્રીઓને પુરુષોની હવસ સંતોષવા માટે બોલાવવામાં આવી હતી. જેમાં પોતે પ્રત્યેક પુરુષ ગ્રાહક પાસે ૧૦૦૦ ઉઘરાવતી હતી. અને તેમાં પોતાની પાસે ૫૦૦ રૂપિયા રાખી લેતી, અને ૫૦૦ રૂપિયા બહારથી આવેલી મહિલાને આપવામાં આવતી હતી. આખરે પોલીસે તે અંગેની બાતમીના આધારે દરોડો પાડયો હતો, અને કુટણખાનું પકડી પાડ્યું હતું. આ કાર્યવાહીને લઈને અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે, અને મોડે સુધી સ્થાનિક રહેવાસીઓ ટોળા સ્વરૂપે એકત્ર થઈ ગયા હતા. બાઈટ : જ્યવીરસિંહ ઝાલા ( dysp જામનગર શહેર )
1
comment0
Report
SBShilu Bhagvanji
Sept 11, 2025 10:00:36
Porbandar, Gujarat:1109 ZK PBR AROPI FORMAT-PKG DATE-11-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- વિદેશમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડીના અવાર-નવાર બનાવો બનતાં રહે છે.ગત 24 જુનના રોજ પોરબંદરમા પણ 19 જેટલા લોકોને વિદેશમાં સારી નોકરીની લાલચ આપી 57 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી જે ગુનાના એક આરોપીને પોરબંદર એલસીબીએ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. વીઓ-1 વિદેશમાં સારી જોબ મળે તે ખુબજ જ સારી બાબત કહેવાય અને આવી તક મળે તો જવુ પણ જોઇએ પરંતુ જોબ અંગે પુરતી ખરાઈ કરવી અને જાગૃતતા દાખવવી પણ એટલી જ જરૂરી છે અન્યથા વિદેશમાં ગયા છે બાદ અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.પોરબંદરના યુવાઓને પણ બેંગકોક પટાયામા હોટલમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી વિદેશ મોકલવામાં આવ્યા હતા.એક વ્યક્તિદીઠ પ્રમાણે સાડા ત્રણ લાખ જેટલા રૂપિયા આ માટે તેઓએ આરોપીઓને આપ્યા હતા.ગત તારીખ 24 જુન 2025ના રોજ પોરબંદરના જયમલ અરજણ મકવાણા તથા સાહેદોએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મુળ પોરબંદરના અને હાલમાં સાયપ્રસ ખાતે રહેતા તુશાલ કીશોર સાદિયા તથા પંજાબના અમિતકુમાર અરોડાએ તેઓને સારી નોકરીની લાલચ આપી રૂપિયા 57 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.ફરિયાદી જયમલ સહિત સાહેદોને બેંગકોક પટાયામા હોટલમાં 50 હજાર રૂપિયા મહિનેની નોકરીની લાલચ આપી બેંગકોક પટાયા મોકલવામાં આવ્યા હતા.ફરિયાદી સહિત 19 સાહેદો જેમાં 9 જેટલી લેડીઝ પણ હતી તેઓએ 57 લાખથી વધુની રકમ આરોપીઓને આપી ત્યાં પહોંચ્યા હતા...ત્યા પહોચી 2 મહિના જેટલો સમય કોઇ નોકરી વગર અને કોઇપણ યોગ્ય વ્યવસ્થા વગર ફરિયાદી તથા સાહેદોએ ત્યાં કપરો સમય વિતાવવો પડ્યો હતો.આ ગુનાનો આરોપી અમીત કુમાર અરોડા કે જે મુળ પંજાબનો વતની હોય પરંતુ દિલ્હીમાં આવ્યો હોવાની બાતમી પોરબંદર એલસીબીને મળતા પોરબંદર એલસીબીએ આરોપીને દિલ્હી ખાતેથી દબોચી લીધો હતો. બાઇટ-1 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-2 પોરબંદર એલસીબીએ આરોપી અમીત કુમાર અરોડાની દિલ્હી ખાતેથી ધરપકડ કરી જેમા આરોપી પાસેથી 5 લાખ રૂપિયા જેટલી રોકડ પણ મળી હોવાનું જણાવ્યું છે હાલ તો આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.ઉલેખ્ખનીય છે કે આ ગુનાનો મુખ્ય આરોપી તુશાલ સાદિયા હાલ સાયપ્રસ દેશમાં છે. બાઇટ-2 ઋતુ રાબા સિટી ડીવાયએસપી,પોરબંદર વીઓ-3 સરકાર દ્વારા અવારનવાર વિદેશ જતા લોકો માટે જરૂરી પગલાંઓના અવેરનેસ માટે જાગૃતતા કાર્યક્રમો યોજવામાં આવે છે આમ છતાં છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે.પોરબંદરના લોકો પણ જે રીતે મહા મહેનતે મુશ્કેલીઓનો સામનો કરી પોતાના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેઓએ પણ વિદેશ જતા લોકોને તમામ જરૂરી તપાસ અને સતર્કતા રાખવા લોકોને અપીલ કરી હતી. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
1
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 09:38:19
Modasa, Gujarat:અરવલ્લી ભિલોડાના મઉ ગામમાં ડેમના પાણીના કારણે નુકશાન હાથમતી - ઇન્દ્રાસી જલાગાર યોજના ના પાણી ખેતરોમાં ફરી વળ્યા ગામની ૩૦૦ વિઘાથી વધુ ખેતીની જમીન ડેમમાં ડૂબી મકાઈ,કપાસ,મગફળી,સોયાબીનનો પાકમાં મોટું નુકશાન ખેતીની જમીન બે સીઝન પાણીમાં રહેતા મોટી મુશ્કેલી 10 હજારથી 15 હજાર રૂપિયાનો ખેતી ખર્ચ પડ્યો માથે ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવા આપી ચીમકી સિંચાઈ અને ખેડીવાડી વિભાગની મદદ નહીં મળતા નિરાધાર બન્યા ગ્રામજનો અન્ય કોઈ વ્યવસાય ન હોઈ ગામમાં છોડવાની ઊભી થશે મજબૂરી એન્કર - આ વર્ષે સીઝનમાં અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડા તાલુકામાં આવેલા હાથમતી - ઇન્દ્રાસી જલાગર યોજના ના પાણી મઉ ગામના ખેતરોમાં ફરી વળ્યા છે.જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જો પરિસ્થિત આ પ્રમાણે રહેશે તો ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. વીઓ -01- મઉ ગામ નજીક હાથમતી - ઇન્દ્રાસી જલાગાર યોજના આવેલી છે જેમાં ચાલુ વર્ષ ઉપરવાસ માં તેમજ ભિલોડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવર ફલો થયો હતો જેના મઉ ગામ ના ખેડૂતો ની વાવેતર કરેલી જમીન ડૂબી જતા ખેડૂતોના વાવેતર પર પાણી ફરી વળ્યા હતા. વીઘે દસ થી પંદર હજાર રૂપિયા નો કરેલો ખર્ચ પાણી માં જતા ખેડૂતો ના હાલ બેહાલ થયા છે.પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે પશુઓ માટે ઘાસ ચારો પણ લાવી શકતા નથી જેના કારણે ગ્રામજનો મુસિબત માં મુકાયા છે.વોટર વર્કસ માં પણ વરસાદી પાણી ઘૂસી જવાના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે.ખેતરો બેટ માં ફેરવાઈ જતા મકાઈ , કપાસ , મગફળી , સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે.ગ્રામજનો પાસે એક જ માત્ર ખેતી અને પશુપાલન આજીવિકાનો વ્યવસાય છે એની કોઈ ધંધા રોજગાર કે વ્યવસાય ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બાઈટ - વિષ્ણુ ભાઈ પટેલ - ખેડૂત બાઈટ - મગનભાઇ સોલંકી ગ્રામજન વીઓ- 02- મઉ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાના કારણે ખેતી ની સાથે સાથે પશુપાલન ના વ્યવસાય પર પણ અસર પડી છે.આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી જેના કારણે ગામ માંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. બાઈટ - જયંતિ ભાઈ પટેલ - ખેડૂત બાઈટ - મોકમ ભાઈ પટેલ - ગ્રામજન વિઓ - 03- મઉ ગામના ખેડૂતો એ સિંચાઈ વિભાગ તેમજ પાણી પૂરવઠા વિભાગમાં પણ રજુઆત કરી છે પરંતુ હજુ સુધી તંત્ર મઉ ગામના ખેડૂતો ની વહારે હજુ સુધી પહોંચ્યું નથી ત્યારે તંત્ર સત્વરે ગ્રામજનોની મદદે પહોંચે તેવી આશ લગાવી ને બેઠા છે. વોક થ્રુ મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
6
comment0
Report
TDTEJAS DAVE
Sept 11, 2025 09:37:19
Mehsana, Gujarat:મહેસાણા મુકામે જાગો ખેડૂતો મહારેલી ધોબીઘાટ થી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો ની મહારેલી જમીનો ના યોગ્ય વળતર માટે થતા અન્યાય મુદ્દે ખેડૂતો ની રેલી જંત્રી ના યોગ્ય ભાવ મુજબ વળતર આપવા ખેડૂતો ની માંગ ભારતમાલા,સ્ટેટ હાઇવે,ઓએનજીસી, જેટકો સહિત ના પીડિત ખેડૂતો એ રેલી યોજી એન્કર;-મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત માં ખેડૂતો ને જમીનો નું વળતર ઓછું મળતું હોવાનો સુર ઉઠવા પામ્યો છે.ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગો ના નવીન ડેવલોપમેન્ટ માટે ખેડૂતો ની જમીનો સંપાદન કરવા માં આવે છે પણ યોગ્ય જંત્રી મુજબ ખેડૂતો ને જમીનો નું યોગ્ય વળતર મળતું નથી..આ સંજોગો માં મહેસાણા ધોબીઘાટ થી કલેક્ટર કચેરી સુધી જાગો ખેડૂતો ના બેનર હેઠળ મહારેલી યોજવા માં આવી હતી.સરકાર ના ભારત માલા,સ્ટેટ હાઇવે,જેટકો,રેલવે અને ઓએનજીસી માં જમીન સંપાદન માં ખેડૂતો ને થતો અન્યાય દૂર કરવા મહેસાણા ખાતે રેલી યોજવા માં આવી હતી..એક તરફ ખેડૂતો એ જમીનો ના વધુ વળતર માટે માંગ કરાઈ છે અને સરકાર દ્વારા નવીન જંત્રી ના ભાવો નિયત પણ કર્યા હતા,પણ જમીનો નો વેપાર કરનાર અને મકાનો બાંધનાર લોકો ના દબાવ માં જંત્રી ના ભાવ દબાવી દીધા હોવાનું ખેડૂત અગ્રણી એ નિવેદન કર્યું હતું..આથી જમીન ની જંત્રી ના યોગ્ય ભાવ થી વળતર મેળવવા ના ખેડૂતો ના વિરોધ થી ખેડૂતો અને બિલ્ડરો આમને સામને આવે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે...તો ખેડૂત અગ્રણીઓ જમીનો નું યોગ્ય અને વધુ વળતર મળી રહે એ માટે મહેસાણા કલેક્ટર કચેરી એ આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી છે. બાઈટ;-પૂંજાભાઈ ચૌધરી-------ખેડૂત બાઈટ;- અમરાભાઈ ચૌધરી-------ખેડૂત આગેવાન વોક થ્રુ ટિક ટેક તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
6
comment0
Report
DRDarshal Raval
Sept 11, 2025 08:32:54
Ahmedabad, Gujarat:સુઇગામ પૂરની પરિસ્થિતિ વચ્ચે બે નવી જિંદગી ખીલી વાવાઝોડા અને પૂર્વ વચ્ચે બે મહિલાઓની થઈ ડિલિવરી ગામ માંથી મહિલાઓનું રેસ્ક્યુ કરી સુઇગામ આરોગ્ય કેન્દ્ર લવાયા ગામમાં બોટ માંથી રેક્સ્યુ કરી એમ્બ્યુલન્સમાં લવાયા કેડ સમાં પાણી માંથી મહિલાઓને આરોગ્ય કેન્ડ લાવી ડિલિવરી કરાઈ બને મહિલાઓની ડિલિવરી થતા બે બાળકીઓ જન્મી ગર્ભસ્થ મહિલાઓને પૂરના કારણે શુ થશે શુ નહી તેનો ભય હતો જોકે ભય વચ્ચે મહિલાઓનું રેસ્ક્યુ થયું અને નવી બે જિંદગી ખીલી સુઇગામ આરોગ્ય કેન્દ્ર માં લાઈટ નહિ હોવા છતાં હેમખેમ ડિલિવરી કરવામાં આવી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ડિલિવરી કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ Z 24 કલાકની આરોગ્ય કેન્દ્ર અને મહિલાઓ સાથે ખાસ વાત વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ વૈશાલી નાઈ. સ્ટાફ 10 સપ્ટેમ્બર જલોયા ગામ પાયલબેન ઠાકોર બેબી આવી 9 સપ્ટેમ્બર નવાપુરા ગામ કેશરબેન મકવાણા બેબી આવી
3
comment0
Report
Advertisement
Back to top