Back
પોરબંદરમાં 19 લાખની લૂંટ: શખ્સોએ ઘરમાં ધાડા માર્યા!
SBShilu Bhagvanji
Jul 31, 2025 01:15:37
Porbandar, Gujarat
3107 ZK PBR LOOT
FORMAT-PKG
DATE-31-07-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
રાજ્યમાં અવારનવાર ચોરી તથા લૂંટફાટના બનાવો બનતાં આપણે જોઈએ છીએ પરંતુ પોરબંદર જિલ્લામાં બનેલ લૂંટના બનાવે ભારે ચર્ચા જગાવી છે.અહી સગા બનેવીએ જ સાળાના ઘરમાં લૂંટ ચલાવવા એવી ચાલ ચાલી કે પોલીસ સહિત સૌ કોઈ આશ્ચર્યમા પડી ગયા.ચાલો જોઇએ શુ છે બનેવીએ પડાવી સાળાના ઘરમાં ધાડનો સમગ્ર મામલો.
વીઓ-1
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ ખીજદળ ગામની વાડી વિસ્તારમાં આરોપીઓએ છરીની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.ફરિયાદી કરશન દેવાણંદ નંદાણીયા ઉંમર વર્ષ 60 રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 28 જુલાઇ 2025ના રોજ બપોરના પોણા પાંચ વાગ્યાના અરસામાં ખીજદળ ગામે આવેલ તેઓની વાડી પર 6 બુકાનીધારીઓ કારમાં સવાર થઈ હથિયારો સાથે ધસી આવ્યા હતા.આરોપીઓએ સૌ પ્રથમ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી સાહેદ જશુ નંદાણીયા તથા પમી નંદાણીયાના મોઢે મુંગો દઇ ફરિયાદીના આઠ વર્ષના પરપોત્રના ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાળકના ગળે છરી જોતા પમી નંદાણીયાએ બાળકને બચાવવા પ્રયત્ન કરતા આરોપીઓએ બે આંગળીઓમા છરીના ઘા ઝીંકી દીધા હતા.આરોપીઓએ ફરિયાદી સહિત તમામને એક રુમમાં બંધ કરી બહારથી દરવાજાને બંધ કરી લૂંટ કરવાનું શરુ કર્યું હતું.આરોપીઓએ બંને રુમમાં રહેલ કબાટોના લોક તોડી તથા ચાવી વડે ખોલી સોનાના દાગીના જેવા કે 4 જોડી મંગલસૂત્ર 3 પેન્ડલ સેટ,2 સોનાના ચેન સોનાની 4 વિંટી તથા લકી તથા સોનાની બુટ્ટી સહિત કુલ 27 તોલા સોનું તથા 80 હજાર રોકડ કુલ 19 લાખ 70 હજારની ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
બાઇટ-1
ધ્રુવલ સુતરીયા
નાયબ પોલીસ અધિક્ષ,રાણાવાવ ડિવિઝન
વીઓ-2
લૂંટ કરી નાસી જનાર આરોપીઓને એમ કે તેઓએ મોટી લૂંટને અંજામ આપી દીધો છે હવે તેઓને કોઈ નહીં પકડી શકે પરંતુ ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક તથા પોરબંદર એલસીબી પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ઘટનાની ગંભીરતાને જોતા પોરબંદર જિલ્લા પોલીસવડાએ પોરબંદર એલસીબી, એસઓજી,પેરોલ ફર્લો તથા રાણાવાવ પોલીસ સ્ટેશનની એમ કુલ ચાર અલગ અલગ ટીમો બનાવી હતી.પોરબંદર એલસીબી પીઆઇ કાંબરીયા સહિત ટીમને સીસીટીવી ફુટેજ તપાસતા કારની વિગત મળતા બંનેનો આ કાર રાણાવાવ ટી પોઇન્ટથી ભાણવડ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવતા GJ-03-MH-4759 નંબરની બલેનો કાર પસાર થતા તેને રોકાવી કારમાં બેઠેલા લોકોને નીચે ઉતારી કારની ઝડતી લેતા સોનાના દાગીના તથા રોકડ મળી આવ્યા આ અંગે પુછપરછ કરતા આ મુદામાલ ખીજદળ ગામેથી લૂંટનો હોવાની આરોપીઓએ કબુલાત આપતા તમામ આરોપીઓને પોરબંદર એલસીબી કચેરી ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતાં આ લૂંટનો મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા દ્વારા અપાયેલ કબુલાતને સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આરોપીએ એવી કબુલાત આપી હતી કે, ફરિયાદીને ત્યાં ચોરી કરવાનું રાજકોટમા રહેતા તેના સગા બનેવી દિલીપ માલદે સાંજવા તથા પ્રફુલ્લ પ્રભુદાસ ચરાડવાએ માહીતી આપી હતી.ચોરી લૂંટમાંથી રકમમાંથી 50 ટકા મેળવવાની લાયમા આ બંને આરોપીઓએ મુખ્ય આરોપી રવિન્દ્રસિંહ જાડેજાને એવી જાણકારી આપી હતી કે,આ વાડીમા 60 થી 70 તોલા સોના તથા 10 થી 12 લાખ રોકડા રહેલ છે લૂંટ માટે તમામ લોકેશન તથા જાણકારી ફરિયાદીના બનેવી સહિત શખ્સે આરોપીઓને આપી હતી.આ ઘટનાને અંજામ આપવા માટે રવિન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત બહારથી 5 આરોપીઓને આ કામને બોલાવ્યા હતા જે તમામના નામની વાત કરીએ તો મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા,જતીન પાલ,સિધ્ધેશ્વર પરમાર,સાહિલ યાદવ,નીરજ ચૌહાણ તથા વિશાલ ચૌધરી આ તમામ આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો હતો.તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોય તેમ તમામનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં રવિરાજસિંહ જાડેજા પર આ સિવાય 4 જેટલા આ પ્રકારના ગુનાઓ રાજકોટ જિલ્લામા નોંધાયેલ છે તો સિધ્ધેશ્વર પરમાર વિરુદ્ધ અમદાવાદ જિલ્લામા 3 ગુનાઓ નોંધાયેલ છે સાહિલ યાદવ સામે પણ અમદાવાદમા ગુનાઓ બોલે છે જ્યારે નીરજ ચૌહાણના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેના વિરુદ્ધ પણ અમદાવાદમા 7 ગુનાનો નોંધાયેલ છે.
બાઇટ-2
ધ્રુવલ સુતરીયા
નાયબ પોલીસ અધિક્ષ,રાણાવાવ ડિવિઝન
વીઓ-3
પોરબંદર જિલ્લામાં ધોળા દિવસે લૂંટ કરી પોલીસને ચેલેન્જ આપનારા શખ્સો પોરબંદર જિલ્લાની હટ વટાવે તે પૂર્વે માત્ર 8 કલાકમાં તમામ આરોપીઓને પોરબંદર જિલ્લામાંથી ઝડપી પાડી સરહાનીર કામગીરી કરી છે.આ મામલે પોલીસે ફરિયાદીના બનેવી તથા અન્ય શખ્સ કે જેઓએ ફિલ્મી ઢબે પ્લાન બનાવ્યો હતો તેઓને પણ ઝડપી પાડ્યા છે ટુંકમાં પોરબંદર એલસીબીએ જે ગતીએ આ કેસનું ડીટેક્શન કર્યું છે તે કામગીરીને લોકો પણ બિરદાવતાં જોવા મળી રહ્યા છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowJul 31, 2025 17:47:04Vadodara, Gujarat:
DATE:31/07/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
મુજપુર નજીકના ગંભીરા નદી પર આવેલા બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાને આજે 22 દિવસ પૂરાં થયા છે. છતાં પણ હજી સુધી ટેન્કર બ્રિજ પર લટકેલું છે અને તંત્ર દ્વારા કામગીરી અટકાવવામાં આવી છે.
આ ઘટના દરમિયાન 21 લોકોને ભયાનક મોત થયું હતું. શરૂઆતમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નદીમાં એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં અમુક દિન કામગીરી અટકાવી દેવામાં આવી છે.
સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે 22 દિવસ બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. બ્રિજ પર હજુ ટેન્કર લટકી રહ્યું છે અને સમગ્ર ઘટનાસ્થળ પર અકૃતિ જેવી સ્થિતી સર્જાઈ છે. તંત્ર હવે જલ્દી કાર્યવાહી કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
WKT
14
Report
JBJayendra Bhoi
FollowJul 31, 2025 17:46:58Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ ::
પંચમહાલ માં ફરી એક વાર તાલિબાની સજા નો વિડિઓ થયો વાયરલ
બે યુવાનો ને ઝાડ સાથે દોરડા થી બાંધી માર મારતા હોવા નો વિડિઓ થયો વાયરલ
આસપાસ ઉભી રહેલી બે યુવતીઓ ને પણ માર મારતા વિડિઓ માં જોઈ શકાય છે
વિડિઓ જોતા યુવતીઓ ના પ્રેમીઓ હોવા નું અનુમાન
યુવતીઓ ના પરિવારજનો એ યુવકો ને ઢોર માર માર્યો હોવા ની પ્રાથમિક માહિતી
શહેરા ના તાળવા વિસ્તાર નો વિડિઓ હોવા નું પ્રાથમિક દ્રષ્ટિ એ અનુમાન
14
Report
GDGaurav Dave
FollowJul 31, 2025 17:46:53Rajkot, Gujarat:
એંન્કર-પવિત્ર શ્રાવણ મહિનામાં લોકોના ઉપવાસ ન તૂટે તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે.રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય ના દરોડા કર્યા હતા.શ્રાવણ માસમાં પણ ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ફરાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.ફરાળી પેટીસમાં ભેળસેળ છે કે કેમ તે બાબતે નમુના લેવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગના અધિકારી કેતનભાઇ રાઠોડ જણાવ્યું હતું કે દાઝ્યા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.ફૂડ વિભાગ ના નિયમ મુજબ TPC 22 કે 23 હોવી જોઈએ.અહીં TPC 30 જેટલી જોવા મળી છે.જેથી દાજયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.તો બીજી બાજુ ફરસાણ ના કારીગરે કહ્યું દાજયા તેલ નો ઉપયોગ કરતા નથી.પેટીસ માં લોટ હોવાથી તે બળી જાય છે જેથી લોટ દાજ્યું તેલ દેખાય છે.. સૌથી મોટો સવાલ એ છે કે દર વખતે શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગ નમૂના તો લે છે પરંતુ શ્રાવણ મહિનો પૂરો થયા બાદ આ નમૂનાનું પરિણામ આવે છે.. બહારની પેટીસ ખાતા પહેલા લોકોએ પણ વિચાર કરવાની જરૂર છે.
બેન્ડ
- રાજકોટ આરોગ્ય વિભાગ એ શ્રાવણ મહિનામાં દરોડા કર્યા.
- પેટીસના ઉત્પાદકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા...
- પેટીસમાં દાઝીયા તેલનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું..
- વેપારીએ કહ્યું તપકીર ના લોટ ના કારણે દાજ્યું તેલ જોવા મળે છે.
- લોટ અને બટેટાના માવા સહિતના વસ્તુના નમૂના લેવામાં આવ્યા.
- શ્રાવણ મહિનો પૂરો થયા બાદ નમુના પરીક્ષણ થઈને આવશે..
- બહારની પેટીસ ખાતા પહેલા ઉપવાસનો તૂટે તેનું શહેરીજનો ધ્યાન રાખે...
ટિકટેક - ગૌરવ દવે
બાઈટ - કેતન રાઠોડ, આસિ. અધિકારી, ફૂડ વિભાગ
બાઈટ - ડો.હાર્દિક મેતા, ફૂડ અધિકારી,મનપા રાજકોટ
14
Report
GDGaurav Dave
FollowJul 31, 2025 17:46:47Rajkot, Gujarat:
એંન્કર-રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગની તપાસનો મામલે 30 લાખ થી વધુના દસ્તાવેજો નોંધણીની વિગતો મેળવી છે.ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મેળવી હતી.મોડી રાત સુધી તપાસ કરી માહિતી એકત્ર કરી હતી.સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા દસ્તાવેજ નોંધણીની વિગતો મેળવી હતી.મોટા બિલ્ડરો સામે આવકવેરા વિભાગ તપાસ કરે તેવી શકયતા છે.મોટા મવા વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ, નાના મવા અને કાલાવડ રોડ પરના જમીન-મકાન અને ફ્લેટની વિગતો મેળવી હતી.TDS અને ઇન્કમટેક્સ ચોરી અંગેની વિગતો એકત્ર કરી હતી.બિલ્ડરો ઉંચા ભાવે વેંચાણ અને જંત્રી મુજબના દસ્તાવેજો કરતા હોવાથી તપાસ કરવામાં આવી હતી ગઈકાલની તપાસને લઈને રજીસ્ટાર વિભાગના અધિકારીનો ખુલાસો કર્યો હતો.ગઈકાલે આઈ.ટી વિભાગ દ્વારા અમારી કચેરી ખાતે ટીમ મોકલવામાં આવી હતી.આઈ.ટી વિભાગ દ્વારા કેટલીક વિગતો માંગવામાં આવી હતી.નાનામવા સહિતના વિસ્તારો અંગે ની વિગતો મેળવી હતી.એસ.એસ.ટી અંગેની વિગતો માટે આ તપાસ ટીમ આવી હતી.છેલ્લા કેટલાક સમયના ડેટા તેઓએ મેળવ્યા છે.
બેન્ડ
- રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી
- રજીસ્ટાર કચેરી ખાતે અલગ અલગ દસ્તાવેજોની તપાસ.
- રજીસ્ટાર કચેરી 6 મા તપાસ કરવામાં આવી..
- અલગ અલગ દસ્તાવેજોમાં કર ચોરી હોવા અને લઈને માહિતી મેળવી..
- દસ્તાવેજોની વિગત અને લિસ્ટ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી...
વોક થ્રુ - ગૌરવ દવે
બાઈટ-અજય કુમાર ચારોલ
અસી,આઈ.જી.આર રજિસ્ટ્રાર રાજકોટ..
14
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 14:31:49Surat, Gujarat:
સુરત બ્રેકિંગ અપડેટ...
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત ની ઘટના
પિતાએ બંને પુત્રો સાથે કર્યો આપઘાત
જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બની ઘટના
41 વર્ષીય અલ્પેશ કાંતિભાઈ સોલંકી એ પોતાના આઠ અને બે વર્ષના પુત્ર સાથે ટુકાવ્યું જીવન
બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
જ્યારે પોતે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો
પહેલા બાળકો ને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો હોવાની પણ આ શંકા
આઠ વર્ષીય ક્રિશિવ અલ્પેશ સોલંકી અને બે વર્ષીય કર્ણીશ સોલંકી નું મોત
પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે બજાવે છે ફરજ
પત્ની પણ ઘરમાંથી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
સામૂહિક આપઘાત પાછળ નું કારણ અંકબંધ
વોક થ્રુ..ચેતન
બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
બાઈટ..મજુલા બેન..મૃતક માતા
14
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 13:30:20Surat, Gujarat:
સુરત બ્રેકિંગ અપડેટ...
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત ની ઘટના
પિતાએ બંને પુત્રો સાથે કર્યો આપઘાત
જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બની ઘટના
41 વર્ષીય અલ્પેશ કાંતિભાઈ સોલંકી એ પોતાના આઠ અને બે વર્ષના પુત્ર સાથે ટુકાવ્યું જીવન
બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
જ્યારે પોતે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો
પહેલા બાળકો ને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો હોવાની પણ આ શંકા
આઠ વર્ષીય ક્રિશિવ અલ્પેશ સોલંકી અને બે વર્ષીય કર્ણીશ સોલંકી નું મોત
પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે બજાવે છે ફરજ
પત્ની પણ ઘરમાંથી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
સામૂહિક આપઘાત પાછળ નું કારણ અંકબંધ
વોક થ્રુ..ચેતન
14
Report
AKArpan Kaydawala
FollowJul 31, 2025 13:15:09Ahmedabad, Gujarat:
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની મળી બેઠક
બેઠકમાં લેવાયો વિવાદિત નિર્ણય
સુરત કોર્પોરેશન દ્વારા કરાયેલી છેતરપિંડીની પોલીસ ફરિયાદ બાદ પણ અમદાવાદમાં શક્તિ એજન્સીને કામ સોંપવામાં આવ્યું
વાર્ષિક 50 કરોડનો ખર્ચ સુરક્ષાકર્મીઓ
બાઉન્સર અને ગનમેન માટે ખર્ચવામાં આવશે
સમગ્ર મામલ વિપક્ષ કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા શાબ્દિક પ્રહારો
લોકોની સુવિધા માટે બેસતા અધિકારીઓ વટ પાડવા બાઉન્સર રાખે છે - વિપક્ષ
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ, amc
વિપક્ષના આરોપ સામે સાશક પક બચાવની મુદ્દામાં જોવાયા
જે કોઈ એજન્સી વિવાદિત હશે એની સામે તપાસ કરી કામ નહીં સોંપવામાં આવે - ભાજપ
સુરતમાં થયેલી પોલીસ ફરિયાદ હાલ સબ જ્યુડિશિયલ છે, તપાસના અંતે આગળનો નિર્ણય કરીશું - ડે.કમિશનર
બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી , amc
બાઈટ : દજયેશ ઉપાધ્યાય , ડે. કમિશનર , amc
-- -- -- -- -- -- -- -- -- -- -- -- -
Amc ની સાપ્તાહિક કારોબારી સમિતિમાં અન્ય કેટલાક નિર્ણય પણ કરવામાં આવ્યા. જેમાં દશામાં વિસર્જન વ્યવસ્થા, ગણેશ મંડપ સ્થાપન અને વિસર્જન મામલે પણ નિર્ણય કરવામાં આવ્યા. જ્યાં ગાયબના ગોબરમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આગામી સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત તિરંગા યાત્રા સહીત તમામ સ્થળે રોશની કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો શહેરમાં આવેલા તળાવોમાં જતા ડ્રેનેજના પાણીને રોકવા માટે તંત્રને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા. તપાસ દરમ્યાન ડ્રેનેજના કનેક્શન મળશે તો તેના ગટર સહિત પાણીના કનેક્શન દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા.
બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc
14
Report
AKArpan Kaydawala
FollowJul 31, 2025 12:18:05Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં લબરડેકર amts ના ફાઇલ શોટ પણ લેવા.
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વધુ 4 ડબલડેકર બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેમાં 4 નવી બસ ખરીદવા માટે પ્રજાના ટેક્ષના 8 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયમાં સૌથી ગંભીર બાબત એ છે કે બસ ખરીદીને તેને ચલાવવા માટે માનીતી ખાનગી એજન્સીઓને આપી દેવામાં આવશે. આજ બાબતને લઈને વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિપક્ષી નેતાએ ભાજપના માનીતા કોન્ટ્રક્ટરો માટે પ્રજાના નાણાંનો વેડફાટ કરાતો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ amts દ્વારા 6 ડબલડેકર બસ વસાવીને તેને ખાનગી એજન્સીઓને સોંપી દેવામાં આવી છે. નવી 4 બસ આવતા આ આંકડો 10 પર પહોંચશે.
બાઈટ : ધરમસિંહ દેસાઈ, ચેરમેન - amts
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc
14
Report
ARAlkesh Rao
FollowJul 31, 2025 11:46:53Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે.
FTP -3107 ZK BNK KHATAR TANGI PKG
સ્લગ-ખાતર તંગી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.પહેલા લાખણી,કાંકરેજ,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તો બીજી બાજુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ક્યાંક ખાતરની અછત ન હોવાનું નિવેદન આપતા ખેડૂતો રોષે ભરાયા છે અને કૃષિ મંત્રીને ખાતર માટે લાગતી લાઈનો આવીને જોવાનું કહીને ખેડુતોને ખાતર આપવાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ,એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .લાખણી,કાંકરેજ, દિયોદર,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે ,અન્ય તાલુકાઓની જેમ હવે ધાનેરામાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે,જોકે ખેડૂતોને જરૂર ન હોવા છતાં પણ યુરિયા ખાતરની જગ્યાએ નેનો યુરિયા ખાતર અપાઈ રહ્યું છે,ખેડૂતોને હાલ ખાતરની ખુબજ જરૂર હોવાથી તેવો પોતાના તમામ કામો છોડીને વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ,
બાઈટ-1-દેવાભાઈ પટેલ- ખેડૂત
( છેલ્લા 10 દિવસથી ખાતરની બહુ તકલીફ છે સવારના વહેલા આવીને લાઈનોમાં લાગીએ પણ ખાતર નથી મળતું.)
બાઈટ-2-પ્રકાશભાઈ-ખેડૂત
( હું 7 વાગ્યાનો લાઈનમાં ઉભો છું ખાતર લેવા માટે પણ હવે કહે છે કે ખાતર નથી ઘરે જાઓ..બહુ તકલીફ છે)
બાઈટ-3-સુરેશભાઈ -ખેડૂત
(હું 20 કિલોમીટર દૂરથી ખાતર લેવા 7 વાગ્યાથી લાઈનમાં ઉભો રહ્યો પણ ખાતર ન મળ્યું..અમારે ધક્કા પડે છે અને ખર્ચ થાય છે.)
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા હોવાથી ખેડૂતોને ખાતર તો નથી મળતું પરંતુ ઉલ્ટાનો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે તો બીજી બાજુ કૃષિ મંત્રીએ રાજ્યમાં ક્યાંક ખાતરની અછત ન હોવાનું નિવેદન આપતા ખેડૂતોમાં કૃષિ મંત્રી સામે ભારે રોષ ફેલાયો છે.ખેડૂતોનું કહેવું છે કે કૃષિમંત્રીના નિવેદન ઉપર અમને હસું આવે છે જો ગુજરાતમાં ખાતરનો પૂરતો સ્ટોક હોય તો ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો કેમ લાગી રહી છે.ખેડૂતોને લાઈનોમાં ઉભા રહેવાની મજબૂરી છે કોઈ શોખ નથી,રાઘવજી ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જોશે તો એમને ખેડૂતોની તકલીફ નહિ દેખાય એમને અહીં બનાસકાંઠામાં આવીને જોવું પડશે ત્યારે ખબર પડશે કે ખેડૂતોની કેટલી લાંબી લાઈનો લાગી રહી છે.ખેડૂતો ખાતર માટે દુકાને દુકાને ભટકી રહ્યા છે જો 5 -6 દિવસમાં ખાતર નહિ મળે તો ખેડૂતોને આ સિઝન ફેલ થશે અને ખેડૂતો બરબાદ થઈ જશે.
બાઈટ-4-દોલાભાઈ ખાગડા -ખેડૂત આગેવાન
( કૃષિ મંત્રી ખોટા બયાનો કરી રહ્યા છે તેવો અહીં આવીને જુએ તો ખબર પડે કે ખાતર માટે ખેડૂતો કેટલા હેરાન થઈ રહ્યા છે..)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
RTRAJENDRA THACKER
FollowJul 31, 2025 11:46:44Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment
location Bhuj
FTP : KUTCH
3107ZK_CONG_HLABOL_INKJP
એંકર :
કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત ની સભામાં હલ્લાબોલ કરાયું હતું
કચ્છમાં શિક્ષકની મોટા પ્રમાણમાં ઘટ ને લઈને કોંગ્રેસી આંકરા પાણીએ થયા હતા.
ભાજપ હાય હાય નારા સાથે કોંગ્રેસીઓ પહોંચ્યા હતા
કચ્છની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો
ભાજપવાળા સામે કોંગ્રેસીઓએ માઇકો તોડ્યા સામ સામે ગાળા ગાળી ઓ પણ થઈ
અને હાકલા ડાકોલા સાથે સામાન્ય સમયમાં થયો ડખો હતો
સામાન્ય સભામાં પોલીસ બોલાવવામાં આવી
પોલીસ કાફલો જિલ્લા પંચાયતમાં પહોંચી પરિસ્થિતિ વણસતા અટકાવી હતી.
કોંગ્રેસ કાર્યકર્તાઓ જે રજૂઆત કરી રહ્યા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓ જ્યારે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે પ્રમુખએ વચ્ચેથી વાત કાપી અને મીડિયામાં આવી ગયું એવી કોમેન્ટ કરતા કાર્યકર્તાઓ ભર્યા હતા અને અફડા તફડી માહોલ પર સર્જાયો હતો
બાઈટ : જનકસિંહ જાડેજા
પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત
અપડા તપડી વચ્ચે ભાજપ સરકાર અને ઘણા બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા હતા
હરસ-પરસ બોલા ચાલી અને ગરમા ગરમી નો માહોલ પણ જોવા મળ્યો હતો તો જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા ચાલુ હતી એના જે માઈક છે એ માઇકને ખેંચતા માઈક તૂટી ગયો હતો
બાઈટ : રામદેવસિંહ જાડેજા અગ્રણી કોંગ્રેસ કચ્છ
14
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 11:34:44Surat, Gujarat:
સુરત
હજીરાની ખાનગી કંપનીમાંથી લાખોની કિંમતના પ્લાસ્ટિક દાણાનો માલ સગેવગે કરવાનો મામલો
ચૌદ વર્ષથી ફરાર આરોપીની યુપીના રાયબરેલી થી ધરપકડ
એલસીબી ઝોન - 6 ની ટીમ દ્વારા ધરપકડ
આરોપી મુનતખાન ઉર્ફે મુન્ના ઝહિરખાન ની ધરપકડ
વર્ષ 2011 માં આરોપી અને તેના સાગરીત નાનું ઉર્ફે રાજુ તોતારામ સોનાર સહિત પ્રફુલભાઈ અમૃતભાઈ પટેલે 16 ટર્ન પ્લાસ્ટિક દાણા નો માલ સગેવગે કર્યો હતો
ટ્રક મારફતે રૂપિયા 13 લાખથી વધુની કિંમતનો માલ સગેવગે કરી ફરાર થઈ ગયા હતા,
જે કેસમાં અગાઉ આરોપીના બંને સાગરિત 5 ટર્ન માલ સાથે ઝડપાઈ ગયા હતા
જ્યારે ફરાર આરોપી મુનતખાન ને એલસીબી ઝોન - 6 ની ટીમે ચૌદ વર્ષ બાદ ઝડપી પાડ્યો
આરોપી રાયબરેલી માં આધુનિક રેલ ડબ્બાના કારખાનામાં કામ કરતો હતો,
જ્યાં સત્તત ત્રણ દિવસ સુધી સ્થાનિક પહેરવેશ ધારણ કરી 50 ટ્રક ચાલકોને ચેક કર્યા હતા,
જ્યાં અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી
વધુ તપાસ હજીરા પોલીસે હાથ ધરી
બાઈટ : દીપ વકીલ (એસીપી જે ડિવિઝન સુરત)
14
Report
RTRAJENDRA THACKER
FollowJul 31, 2025 11:17:31Sadhara, Gujarat:
નોંધ - વિશાલ જોષી હાલ ફરાર છે તેનો ફોટો મંગાવ્યો છે
કચ્છ
ભુજ તાલુકા પંચાયતમાં બે કર્મચારી ૪૦ હજારની લાંચ લેતા ACB ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા
ભુજ તાલુકા પંચાયતમાં ACBએ ટ્રેપ ગોઠવીને બે સરકારી કર્મચારીને ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં
સરકારી કચેરીના કામકાજ સમયે ACBએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ
ભુજ તાલુકાના મોટા દિનારા ગામે પીએમ આવાસ યોજનાના લાભાર્થીને સહાયની રકમ મંજૂર કરવા સબબ લાંચ માંગી હતી
ગ્રામ સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટે ૪૦ હજારની લાંચ માગી હતી
ભુજ તાલુકાના મોટા દિનારા ગામે પીએમ આવાસ યોજનાના લાભાર્થીને સહાયની રકમ મંજૂર કરવા સબબ લાંચ માંગી હતી
ગ્રામ સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટે ૪૦ હજારની લાંચ માગી હતી
ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામતાં મકાનોની સહાય માટેની અરજીઓમાં જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારી રંગેહાથ ઝડપાઈ ગયો છે.
ભુજ તાલુકા પંચાયતમાં ACBએ ટ્રેપ ગોઠવીને ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારીત) વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી ૪૦ હજારની લાંચ લેતા દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવક ને રંગેહાથ ઝડપી પાડ્યો છે. વિશાલ સ્થળ પર હાજર ના મળતાં તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
સરકારી કચેરીના કામકાજ સમયે ACBએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજ તાલુકાના મોટા દિનારા ગામના એક અરજદારે પીએમ આવાસ યોજના હેઠળ તેના અને સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરેલી. જે અંતર્ગત આ લાંચ માગવામાં આવી હતી. એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી.
RAJENDRA
14
Report
HShakimuddin shabbirbhai
FollowJul 31, 2025 11:17:11Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જગ્યાએ ગાયો ફરતી નજરે પડી છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રખડતા શ્વાન અને ગયો નજરે પડતા દર્દીઓને ભારે હાલાકી
વી.ઓ
છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ જોવા મળ્યો છે હોસ્પિટલના વોર્ડ રૂમ અને લેબ રૂમ પાસે ગાયો ફરતી નજરે પડી છે ગાયો અને શ્વાનના ત્રાસ થી દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હોસ્પિટલમાં બિન્દાસ ગાયો ફરે છે અને કમ્પાઉન્ડમાં રખડતા શ્વાન ફરે છે જેને લઈને દર્દીઓને કે અન્ય કોઈને ઇજા પોહચાડે તો જવાબદાર કોણ હોસ્પિટલ સિક્યુરિટી ગાર્ડ મૂકે તેવી લોક માગ ઉઠી છે.
બાઈટ :અસલમ પઠાણ, દર્દીના સગા
14
Report
AKAshok Kumar
FollowJul 31, 2025 11:17:02Junagadh, Gujarat:
Anchor:
જૂનાગઢમાં વાઘ બકરી ચા નો નકલી જથ્થો પકડાયો જેને લઇ પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલુ છે.2,50, 000કિંમત ની નકલી ચાનો જથ્થો મળી આવતા પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Vio: જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે આવેલી આપાગીગા કરિયાણા સ્ટોરના માલિક દિપક લાલવાણી વાઘ બકરી ચા ના નકલી અઢીસો ગ્રામના પેકેટ બનાવી બજારમાં વેચી રહ્યા હોવા અંગે જૂનાગઢના વાઘ બકરી ચા ના ડીલર જૈમીન સાહેબ ફરિયાદ નોંધાવી હતી. Dysp હિતેશ ધાંધલિયા એ જણાવ્યું હતું કે પોલીસે તપાસ કરતા નકલી ચાનો 417 પેકેટ જથ્થો મળી આવ્યો છે જેની અંદાજિત કિંમત 2 લાખ પચાસ હજાર થાય છે. જેમાં નકલી બ્રાન્ડિંગ અને પેકેજીંગ કરી બજારમાં વેચવામાં આવી રહ્યો હતો પોલીસે હાલ આ તમામ જથ્થો જપ્ત કરેલ છે તેમજ નકલી બ્રાન્ડ નું વેચાણ કરનાર દિપક લાલવાણી નામના શખ્સની પણ ધરપકડ કરી છે આ સાથે જ આ આ શખ્સની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોડાયેલ હોય મયુર પુરોહિત નામની આ વ્યક્તિને પોલીસ શોધી રહી છે.
પોલીસે આ ગુનામાં સંતોવાયેલ અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ અને અત્યાર સુધીમાં ક્યાં ક્યાં થયું છે તેમજ કયાર થી આવેચાણ થઈ રહ્યું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે વધુ તપાસ કરી છે
બાઈટ હિતેશ ધાંધલીયા
ડી વાય એસ પી જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
AKAshok Kumar
FollowJul 31, 2025 11:16:18Junagadh, Gujarat:
એન્કર... જાફરાબાદ વિસ્તારમાં સિંહ બાળના મૃત્યુ અમુક પ્રકારના ન્યુમોનિયા અને વાયરસથી થયા હોવાની આશંકા
વિઓ....અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં તાજેતરમાં કેટલાક સિંહ બાળના મૃત્યુ અંગે વાઈલ્ડ લાઈફ રિચર્સસર ડો. જલપન રૂપાપરાએ જણાવ્યું કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે જેથી સામાન્ય પણે અમુક પ્રકારના ન્યુમોનિયા અને કેટલાક વાયરસ થી સિંહ બાદ રોગોના કારણે મોત નિપજ્યા હોઈ, જે સામાન્યપણે માનવમાં પણ અમુક આવા રોગો થતા હોય છે. આજે 900 જેટલા સિંહો છે જેનાથી પ્રજાતી ઉપર કોઈ ચિંતાનો વિષય નથી. કુદરતી મોત નીપજે તો ચિંતા કરવા જેવું નથી કે નથી ડરવાનું, એશિયાઈ સિંહોના બચ્ચાઓ અહીં સારી રીતે રહી શકે છે. ત્યારે આ નેગેટિવ ન લઈ સરકાર ઉપર પ્રેસર લાવવું યોગ્ય નથી. બીજી બાજુ મોટી સંખ્યામાં સિંહબાળ ના જન્મ થાય છે ત્યારે અમુક સિંહોના મોત કુદરતી નીપજે તે ચિંતાનો વિષય નથી
બાઈટ,1, ડો. જલપન રૂપાપરા
વાઈલ્ડ લાઈફ રિચર્સસર
વિઓ....આ મુદ્દે ડીએફઓ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગિરનાર વિસ્તારમાં સિંહો સલામત છે અમારી ટિમ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટેઇનગ થતું રહે છે છતાં પણ આવી કોઈ ઘટના બને તો સક્કરબાગ જુ ના વેટરનરી ટિમ દ્વારા તેનું રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવે છે, પરંતુ હાલ જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહો સલામત છે
બાઈટ અક્ષય જોશી
ડીસીએફ જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
14
Report