Back
સુરતમાં પિતા અને પુત્રોની સામૂહિક આપઘાતની ભયાનક ઘટના!
CPCHETAN PATEL
Jul 31, 2025 14:31:49
Surat, Gujarat
સુરત બ્રેકિંગ અપડેટ...
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત ની ઘટના
પિતાએ બંને પુત્રો સાથે કર્યો આપઘાત
જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બની ઘટના
41 વર્ષીય અલ્પેશ કાંતિભાઈ સોલંકી એ પોતાના આઠ અને બે વર્ષના પુત્ર સાથે ટુકાવ્યું જીવન
બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
જ્યારે પોતે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો
પહેલા બાળકો ને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો હોવાની પણ આ શંકા
આઠ વર્ષીય ક્રિશિવ અલ્પેશ સોલંકી અને બે વર્ષીય કર્ણીશ સોલંકી નું મોત
પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે બજાવે છે ફરજ
પત્ની પણ ઘરમાંથી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
સામૂહિક આપઘાત પાછળ નું કારણ અંકબંધ
વોક થ્રુ..ચેતન
બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
બાઈટ..મજુલા બેન..મૃતક માતા
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowAug 01, 2025 11:07:19Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS GUJCITOC AROPI
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 01 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારી જિલ્લામાં આતંક પર્યાય બની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી 42 ગંભીર ગુનાઓ આચરનારી તીસરી ગલી ગેંગના 7 બદમાશો સામે જિલ્લા પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી અમીન શેખ સહિત 6 બદમાશોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
વી/ઓ : નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના તીસરી ગલીમાં રહેતા અમીન અનવર શેખ તેના અન્ય બદમાશ સાથીઓ સાથે મળીને છેલ્લા 10 વર્ષોથી બીલીમોરા સહિત જિલ્લામાં અનેક ગુનાઓ આચરી આતંકનો પર્યાય બન્યા હતા. તીસરી ગલી ગેંગ દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ, મનુષ્ય વધ, અપહરણ, બળાત્કાર, રાયોટિંગ, ધાડ, મારામારી, પ્રોફાબિશન જેવા 42 ગુનાઓ આચરી વિસ્તારમાં ગુંડાગીરી થકી ધાક જમાવી હતી, જેને કારણે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરતા પણ લોકો અચકાતા હતા. જેથી નવસારી જિલ્લા પોલીસે ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગન ટીમનું ગઠન કરી, અમીન શેખ તેમજ તેના સાગરીતો રોનક ઉર્ફે બોબડો પટેલ, કેવિન પટેલ, મનોજ ઉર્ફે પદ શિવાજી પાટીલ, ગૌરવ ચોટલીયા, માઝ શેખ અને મહમદ સાબિર અંસારી વિરૂદ્ધ તલસ્પર્શી તપાસ કરી, ગુનાઓ શોધી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી 10 વર્ષોથી આતંક ફેલાવનારા અમીન સહિતના 7 બદમાશો સામે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ગેંગ ચલાવનાર મુખ્ય આરોપી 42 વર્ષીય અમીન અનવર શેખ, 24 વર્ષીય રોનક ઉર્ફે બોબડો ગિરીશ પટેલ, 27 વર્ષીય કેવીન નિલેશ પટેલ, મનોજ ઉર્ફે પદ શિવાજી ગોવિંદા પટેલ, 30 વર્ષીય ગૌરવ રાજેશ ચોવટિયા અને માઝ ફાકરુદ્દીન શેખની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓને નવસારી કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે ગેંગનો અન્ય એક આરોપી મહમદ સાબિર મહમદ ઇસરાફીલ અંસારીનું પગેરૂ શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.
બાઈટ : સુશીલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક, નવસારી
વી/ઓ : નવસારી જિલ્લાના બીલીમોરાની તીસરી ગલી ગેંગના અમીન શેખના ઇશારે તેના સાગરીતો કોઈને પણ માર મારવો કે હત્યા કરી નાંખવા જેવા ગુનાઓને સરળતાથી અંજામ આપવાથી ખચકાતા નથી. અગાઉ અમીન દ્વારા એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યાની ઘટના ચકચારીત રહી હતી. ત્યારે અમીન જેવા રીઢા અને કુખ્યાત ગુનેગાર અને તેની ટોળકીને ગુજસીટોક હેઠળ ધરપકડ કરતા આ નવસારી જિલ્લાનો બીજો ગુનો નોંધાયો છે.અગાઉ ખેરગામના અસીમ ગેંગના એક જ પરિવારના માથાભારે લોકો ઉપર પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ હતી.
0
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 11:07:07Ahmedabad, Gujarat:
સલગ. બુલેટ પુલ
ફીડ. લાઈવ કીટ
વિઝ્યુલ અને વોકથરુ
અમદાવાદ.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ પુરજોશમાં
સાબરમતી નદી પર બાંધવામાં આવી રહેલો 36 મીટર ઊંચો પુલ 12 માળ ની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે.
નદી પર બનાવમાં આવેલ પુલની છે વિશેષ ખાસિયત
પિલર બન્યા બાદ હાલ પિલરો વચ્ચે બ્લોક બનાવવાનું કામ પુરજોશમાં
મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો
પાણીને અડચણ રૂપ પુલ ન બને તે પ્રકારે બનાવાઈ રહ્યો છે પુલ
પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે,
આ પદ્ધતિ ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે
એન્કર.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે. જે લગભગ 14.8 મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક જોડાણના પ્રતિક રૂપે ઊભો રહેશે અને હાઈ સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેના સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
અમદાવાદ જિલ્લામાં, બુલેટ ટ્રેનની લાઈનદોરી અનેક નિર્માણ જેમ કે ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કરિડોરને પાર કરે છે. આઈઆરસી (ઈન્ડિયન રોડ્સ કૉન્ગ્રેસ) માર્ગદર્શિકા અનુસાર ટોચના બાંધકામ બિંદુથી 5.5 મીટર ની ફરજિયાત ઊભી ક્લિયરન્સ જાળવવા માટે, સાબરમતી નદીના પુલના થાંભલાની વધારેલી ઊંચાઈ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
નદીમાં કુલ આઠ (8) વર્તુળાકાર થાંભલા, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે. બનાવવામાં આવ્યા છે. તેમામાંથી ચાર (4) નદીના પટમાં છે. બે (2) નદીના કિનારાઓ પર (દરેક બાજુએ એક) છે. અને બે (2) નદીના કિનારા બહાર આવેલ છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે થાંભલાની વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપનાથી નદીના પાણી ના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે.
આ પુલમાં કુલ 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ હોય છે. જે સાઇટ પર કાસ્ટ ઈન-સિતુ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ સેગમેન્ટનું કાસ્ટિંગ અત્યંત ચોકસાઈથી કરવું જરૂરી છે. જેમાં દરેક તબક્કે ઊંચું કૌશલ્ય ધરાવતું કર્મચારી દળ અને એક પ્રતિબદ્ધ ટીમની જરૂર પડે છે. જેથી નિર્માણની મજબૂતાઈ અને ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.
આ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે. જે ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુના સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે.
પુલના બાંધકામ દરમિયાન સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સુનિશ્ચિત કરવા માટે, ખાસ કરીને ઊંચાઈએ કામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે મજબૂત સલામતી પ્રોટોકોલ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. કાર્ય સ્થળ ઉપર કડક જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સ્ટ્રક્ચર્ડ વર્ક પરમિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તમામ કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઈ.) જેમાં ફુલ-બોડી હાર્નેસ પણ શામેલ છે. સતત પહેરવી ફરજિયાત છે. ઊંચાઈમાંથી પડવાનું જોખમ ઘટાડવા માટે ફોર્મ ટ્રાવેલર/પુલ બિલ્ડર માળખાની નીચે કેચ નેટ્સ લગાવવામાં આવ્યા છે. બાંધકામ પ્રક્રિયાની રિયલ-ટાઈમ મોનીટરિંગ માટે સીસીટીવી કેમેરા સ્થાપવામાં આવ્યા છે.
પુલના બાંધકામના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તમામ ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે થાંભલાના માથાનું બાંધકામ અને સેગમેન્ટ કાસ્ટિંગ હાલ ચાલી રહી છે.
પુલના મુખ્ય લક્ષણો:
• પુલની લંબાઈ 480 મીટર
• નદીની પહોળાઈ 350 મીટર
• આમાં 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના સામેલ છે
• થાંભલાની ઊંચાઈ 31 મીટરથી 34 મીટર
• 6 મીટર અને 6.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર થાંભલા (કુલ 8)
• આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત છે, જે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર છે
• આ નર્મદા અને તાપ્તી સાથે ભારતની મહત્વપૂર્ણ પશ્ચિમ પ્રવાહી નદીઓમાંની એક છે, જે અરવલ્લી પર્વતમાળા પરથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રના ખંભાતની ખાડીમાં જઈ મળે છે
વધારાની માહિતી:
એમએએચએસઆર કોરિડોરમાં કુલ 25 નદીના પુલનો સમાવેશ થાય છે. જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં આવેલ છે.
ગુજરાતમાં યોજના મુજબના 21 નદીના પુલોમાંથી 16 પુલ પૂર્ણ થઈ ચૂક્યા છે. જેમાં: પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોથા (વલસાડ જિલ્લો) અને દમણ ગંગા (વલસાડ જિલ્લો) નો સમાવેશ થાય છે.
0
Report
Vadodara, Gujarat:
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ :
આખરે 23 દિવસે લટકતા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આણંદ કલેકટરને ગુજરાત સરકારે ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી સોંપી હતી, ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમ સુરક્ષા સેફટી ના સાધનો સાથે ઘટના સ્થળ પર પહોંચી છે.
#Gujarat #Vadodara #BreakingNews #News
1
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:52:40Ahmedabad, Gujarat:
કિસાન સંઘના આક્ષેપ પર કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી ની પ્રતિક્રિયા
સમગ્ર દેશમાં 2014માં ચૂંટણીમાં ખેડૂતની આવક બમણી કરવાનું ભાજપે વચન આપ્યું
ખેડૂતોને બરબાદ કરવા ના કાયદા ભાજપ લાવી
રાહુલ ગાંધીએ સંસદથી ગામ સુધી ખેડૂત માટે લડયા અંશ કાયદા પરત લેવા પડ્યા
હાલ સીઝનમાં ખેડૂતને ખાતરની જરૂર હોય તે સમયે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવી રહ્યા છે
ભાજપના મળતીયાઓ કંપનીમાં ખાતર સગેવગે કરી રહ્યા છે
ખાતર ના ઉત્પાદનની નવી કોઈ કંપની ભાજપ રાજમાં બની નથી
પ્રધાનમંત્રી સીધો હસ્તક્ષેપ કરે અને ખેડૂતોને ખાતર અપાવે
ખાતર સગેવગે થઈ રહ્યું છે
ગુજરાતના બદલે જ્યાં ચૂંટણી છે તે રાજ્યમાં ખાતર સગેવગે થઈ રહ્યું છે
થોડી પણ શરમ હોય તો ખેડૂતોને ખાતર અપાવે
બાઈટ. મનીષ દોશી. પ્રવકતા. કોંગ્રેસ
3
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:51:33Ahmedabad, Gujarat:
અમદાવાદ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની પ્રેસ કોન્ફ્રાન્સ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવાનું નક્કી કરાયું
બુથ સંગઠન ની સમીક્ષા કરી કમીઓનો સુધાર અને સંગઠન ને મજબૂત કરવાનો પ્રયાસ
નવા લોકોની નિમણૂક કરવાનું પણ કરાશે
દરેક ના પ્રશ્ન ઉઠાવી સડક થી સંસદ સુધી લડવાની તૈયારી
પહેલી શરૂઆત ગુજરાત થી કરવામાં આવી
રાહુલ ગાંધીએ ગુજરાત આવી કાર્યકરો વચ્ચે આવી અભિયાન શરૂ કરાયું
ગુજરાતમાં દરેક જિલ્લામાં સિનિયર આગેવાનોને નિરીક્ષક ની જવાબદારી સોપાઈ
પ્રક્રિયાના અંતે 4 જિલ્લા ના પ્રમુખ ની નિમણૂક કરાઈ
આનંદ ખાતે 3 દિવસ પ્રશિક્ષણ શિબિર યોજાઈ
આણંદમાં રાહુલ ગાંધી પણ જોડાયા
રાહુલ ગાંધી 4 કલાક રોકાઈ લોકોને મળી માર્ગદર્શન આપ્યું
અનેક મુદ્દે ચર્ચાઓ શિબિરમાં થઈ
જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ની પસંદગી ની પ્રક્રિયા કરાઈ તેજ રીતે તાલુકા અને નગરપાલિકા ના પ્રમુખો ની પસંદગી સંગઠન સૃજન રીતે કરાશે
જેના ભાગ રૂપે 2 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી તમામ તાલુકા. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 2 નિરીક્ષક જશે અને સર્વે કરશે
અમિત ચાવડા નું મોટું નિવેદન
જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ની પસંદગી ની પ્રક્રિયા કરાઈ તે જ રીતે તાલુકા અને નગરપાલિકા ના પ્રમુખો ની પસંદગી સંગઠન સૃજન રીતે કરાશે
જેના ભાગ રૂપે 2 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી તમામ તાલુકા. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 2 નિરીક્ષક જશે અને સર્વે કરશે
દરેક દિવસમાં 2 થી 3 તાલુકા માં નિરીક્ષક જશે અને પ્રક્રિયા કરશે
પ્રમુખોમાં નવા લોકોને તક મળે તેવું કોંગ્રેસનું આયોજન
55 વર્ષથી નિચેનાને અગ્રીમતા અપાશે
5 વર્ષ કોંગ્રેસમાં કોઈ પણ પદે કામ કર્યું હોય તેને અને શિક્ષિત ને અગ્રીમતા અપાશે.
5 વર્ષથી વધુ સમયથી આગેવાન કે પ્રમુખ તરીકે હશે તેની જગ્યા પર નવા ને તક અપાશે
10 થી 20 ઓગસ્ટમાં કમિટીમાં રિપોર્ટ રજૂ કરશે જે બાદ તેમાં મંજૂરી અપાશે
તાલુકા અને જિલ્લા માં બધાની સમીક્ષા કરશે.
તાલુકા માંથી જિલ્લામાં જવાબદારી સોંપી શકાય તેવા નું લિસ્ટ બનાવી કામ કરાશે
ગુજરાતમાં આ પ્રક્રિયા પ્રથમ વાર થઈ રહ્યું છે
ગુજરાતના લોકોને વિનંતી કે સ્વતંત્રતાની સાથે સમાનતા અને બંધુતા મળે
ગુજરાતના લોકોને ખાસ કહેવા માગું છું કે જાતિ પ્રાંત ના ભેદભાવ વગર કોંગ્રેસ બધાની છે
જે લોકો નાત જાતને છોડી લડવા માંગે છે તેવા નવા લોકોને કોંગ્રેસમા જોડાવવા આમંત્રણ
દરેકના ઘરે ઘરે જઈને લોકોને જોડવાનું કામ કરીશું
ગુજરાતના વિકાસ માટે કાર્યક્રમો અને વિરોધ કાર્યક્રમ પણ કરીશું
સંગઠન સૃજન અભિયાન ની આજથી શરૂઆત
નિરીક્ષણ જશે તેમને માર્ગદર્શન અપાયું છે
2 થી 10 ઓગસ્ટમાં પ્રક્રિયા પૂર્ણ થાય અને 20 ઓગસ્ટ પદ સોપાય અને આ મહિનામાં સંગઠન બનાવી આગળ વધવાનું આયોજન
અમિત ચાવડા નિવેદન
પ્રવાસન વિકાસ પ્રજાના ટેક્સના પૈસા રાજકીય મેળાવડા માટે વાપરે છે
માનીતી એજન્સી અને લોકો માટે નાણાં વપરાય છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ ખરાબ છે
સરકારના ગેરવહીવટ ના કારણે પ્રવાસી ઘટયા છે
વિદેશ નીતિ માં પણ આપણે પાછળ છે
ટ્રમ્પ ના દેશમાંથી ગુજરાતીઓને પાછા મોકલ્યા
હાઉડી મોદી કહેતા તે ટ્રેમ્પ સિઝફાયર કર્યું તરવા બળગા ફૂંકે છે
25 ટકા ટેરીફ ઘટાડવાની વાત કરી તો 56 ની છાતી હોય તો પીએમ એ તેનો જવાબ આપ્યો હોય
માટે જ વિદેશ નીતિની નિષફળતા દેશ પર પડી રહી છે
રોડ. ટ્રાફિક. અને અન્ય મુદ્દે કોંગ્રેસનું નિવેદન
ગુજરાતમા જે પ્રશ્ન છે ત્યાં કોંગ્રેસ ઉભી રહી છે અને કાર્યક્રમ કર્યા છે
રસ્તામાં પડેલા ખાડાની પૂજા અને ગરબા સહિતના કાર્યક્રમ કર્યા
તાપી રિવર ની જાહેરાત કરાઈ જ્યાં આદિવાસી રસ્તા પર ઉર્ય ત્યારે પ્રોજેકટ મુલતવી રાખ્યો અને હવે ચૂંટણી ગઈ અને પ્રોજેકટ જાહેર કરાયો
પ્રોજેકટ બંધ કરાવવા કોંગ્રેસ ગામના લોકો સાથે ઉભા રહી લડાઈ લડીશું
આવનાર દિવસમાં અન્ય કાર્યક્રમ પણ કરીશું
ખેડુતો અને પશુ પાલકોના અન્યાય માટેના કાર્યક્રમો અપાશે..
દૂધ સંઘ અને ડેરીઓ માં ભાજપના મળતીય દ્વારા ભ્રષ્ટચાર કરાય છે..
સભાસદ મલિક છે જેના દીકરાને નોકરી નથી મળતી પણ 50 લાખ આપે એને નોકરી મળે
મશીનરી માં પણ ભ્રષ્ટચાર થાય છે
ખોટી જમીન માપની નો મુદ્દો અને પાક નુકશાન ના મુદ્દે કાર્યક્રમ કરાશે
મહિલા સુરક્ષા . દારૂબંધી અને અધિકારી અને કમિશન રાજ સામે કોંગ્રેસ લડશે
3
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:50:34Ahmedabad, Gujarat:
અમદાવાદ
શ્રાવણ માસ દરમિયાન કોર્પોરેશનનું શહેરમાં ચેકિંગ
કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં વિવિધ ફરસાણોની દુકાનો પણ નાખ્યા ધામાં
શ્રાવણ માસમાં મળતી ફરાળી વાનગી હાઇજિન છે કે નહીં તેની તપાસ માટે ટીમો કામે લાગી
વિવિધ દુકાનોમાં ફરાળી વાનગીના સેમ્પલ લઈને amcનું ફૂડ વિભાગ કરશે રિપોર્ટ
રિપોર્ટમાં ફૂડ અનહાઇજેનિક જણાશે તો વેપારી સામે દંડકીય સહિતની કરાશે કાર્યવાહી
એમસીના ફૂડ વિભાગે નવરંગપુરા ખાતે દાસ ખમણ અને ગ્વાલિયા ખાતે ધામા નાખી લીધા સેમ્પલ
શહેરના વિવિધ ઝોનોમાં એમસીના ફૂડ વિભાગે કરી કાર્યવાહી
ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન પારદર્શિતા જળવાઈ માટે બોડી ઓન કેમેરા સાથે કરવામાં આવી કાર્યવાહી
વિઝ્યુલ અને 121
હિન્દી વોકથરુ
સલગ. ફૂડ સેમ્પલ
ફીડ. લાઈવ કીટ
3
Report
SSSapna Sharma
FollowAug 01, 2025 10:50:13Ahmedabad, Gujarat:
આપણે અવાર નવાર મહિલાઓ સામે થતી અપરાધિક ઘટનાઓ સાંભળીયે છીએ. ઘણી વખત મહિલાઓ સામે થતા હુમલાઓ એટલા હ્નદયદ્રવક હોય છે કે તેને સાંભળીને આપણે હચમચી જઈએ છીએ. એવામાં ક્યાંક આપણા ઘરની બેન કે દીકરી સાથે આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જરૂરી છે કે નાની વયથી દીકરીઓને આત્મરક્ષા કરતાં શીખવાડવું.....
Wkt
ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયુ દીકરીઓની સુરક્ષાને સમર્પિત છે. દરેક જિલ્લાના કલેકટરને પોતાના જિલ્લાઓમાં આ માટેનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે. જોકે આપણા માથી કેટલાય માતા પિતા તેમની દીકરીઓને સેલ્ફ ડિફેન્સના ક્લાસ માં મોકલે છે. રાજ્યની મોટાભાગની શાળાઓમાં સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડવામાં આવી રહ્યા છે. અમે એક એવી જ શાળા એટલે કે અમદાવાદની તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહોંચ્યા. અહીંના ટ્રસ્ટીએ અમને જણાવ્યું કે શાળામાં બાળકોને અઠવાડિયાના ત્રણ દિવસ કરાટે શીખવાડવામાં આવે છે....
બાઈટ- તેજશ શ્રીધર, ટ્રસ્ટી, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ
નાની વયથી જ બાળકીઓ તેમની આસપાસના માહોલ અને સામાપક્ષની વ્યક્તિને પારખી શકે, વ્યક્તિના સારા નરસા વ્યવહારને સમજી શકે એ ખુબ જરૂરી છે. આ માટે બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે પણ શિક્ષકો માહિતી આપે છે. તેઓ તાલીમ લઇ રહી છે કે સમય આવતા ન માત્ર પોતાની પણ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની પણ મદદ કરી શકે.
બાઈટ- માહી પાંડે, વિદ્યાર્થીની
બાઈટ- વિધિ કારાબારા, વિદ્યાર્થીની
શાળા માં બાળકીઓને સેલ્ફ ડિફેન્સની તાલિમ આપતાં કોચ અભિષેક બંસલે જણાવ્યું કે તેઓ માત્ર કરાટે જ નહી પણ બાળકોને જુદી જુદી રીતે પકડતા લોકો પાસેથી કઈ રીતે છૂટવું અને હુમલો કરવો તેની પણ તાલીમ આપવામાં આવે છે.
બાઈટ - અભિષેક બંસલ, કોચ
પોતાની દીકરીને સંભવિત ઘટનાઓ સામે પહેલાથી સાવચેત રહેવા અને સમય આવતા કઈ રીતે તેની સામે લડવું તેની તાલીમ લેતા જોઈ તેમના માતા પિતા પણ અંશિક નિશ્ચિતતા અનુભવી રહ્યા છે. આજના સમયમાં કે જ્યારે બાળક શાળા સહીત ઘણી બધી અન્ય પ્રવૃતિઓ માટે તાલીમ લેવા ઘરની બહાર નીકળે છે. જુદા જુદા ચહેરાઓ અને વ્યક્તિઓ સાથે મુલાકાત લઇ રહ્યો હોય ત્યારે ટે જાતે જોખમ સાથે લડી શકે તે માટેની તાલીમ લેતા જોઈ વાલીઓ પણ સંતોષ અનુભવી રહ્યા છે.
બાઈટ - વાલી 1
બાઈટ - વાલી 2
1
Report
URUday Ranjan
FollowAug 01, 2025 10:01:23Ahmedabad, Gujarat:
અમદાવાદ
પ્રેરણા તીર્થ દેરાસર નજીક અકસ્માત
ડિવાઇડર ની ડિઝાઇન યોગ્ય ના હોવાથી થઈ રહ્યા છે અકસ્માત
દરરોજ ના ચાર થી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનું સ્થાનિકો કહેવું છે
ડિવાઈડર પાસે ઝાડ ના કારણે યુ શેપ મા ડિવાઇડર બનાવવામાં આવ્યું છે
પહેલા આ રીતે ડિઝાઇન ના હોવાથી અકસ્માત થતા ન હતા
સ્થાનિકો રોષ જોવા મળી રહ્યો છે કે આ ડિવાઇડર પાસે કોઈ બમ્પ કે કલર કરી ને સાઈન બોર્ડ મૂકવામાં આવે
આજે બપોર ના સમયે એક કાર ચાલકને ડિવાઈડર ન દેખાતા કાર પલટી ખાઈ ગઈ
સમગ્ર સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે
10
Report
AKAshok Kumar
FollowAug 01, 2025 09:48:18Junagadh, Gujarat:
એન્કર...
ભવનાથના મંહત હરીગીરીની મુદત પૂર્ણ થાય તેના એક દિવસ પૂર્વે તેમની ભ્રષ્ટાચારના આરોપસર મહંત તરીકેથી હકાલ પટ્ટી કરવામાં આવી છે તેવો ગંભીર આરોપ મહેશગીરીએ લગાવ્યો છે.
વીઓ-1
આજે ભવનાથ મંદિરનો તંત્રએ વિધિવત વહીવટ સંભાળ્યા બાદ ભૂતનાથના મહંત મહેશગીરીએ તેમની પ્રતિજ્ઞા મુજબ ભવનાથ મહાદેવને જળ ચડાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો અને તેણે ચેલેન્જ કરી છે કે જ્યાં સુધી ભવનાથના પૂર્વ મહંત હરિગીરીને જેલમાં નહીં મોકલુ ત્યાં સુધી હું શાંતિથી જંપીશ નહીં.
ભવનાથના મંહત હરીગીરી સામે ભુતનાથના મહંત મહેશગીરીએ ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હરીગીરીને ભવનાથમાંથી કાઢીશ નહીં ત્યાં સુધી હું ભવનાથ મહાદેવના દર્શન નહીં કરૂ અને તનસુખગિરીની સમાધિ પુષ્પ નહીં ચડાવું. ત્યારથી અનેક વિખવાદ ચાલી રહ્યા હતા. હરીગીરીની ભવનાથ મંદિરના મહંત તરીકેની મુદત પૂર્ણ થાય તે પહેલા જ તેમને પ્રેમગીરી અતિથિભવનના ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાના એમની હકાલ પટ્ટી કરવામાં આવી હોવાનો મહેશગીરીએ આક્ષેપ લગાવ્યો છે. તેમની મુદત પૂર્ણ થાય તેના એક દિવસ પહેલા હકાલ પટ્ટી કરી કાઢવામાં આવ્યા છે. હજુ આ લડાઈ પૂર્ણ થઇ નથી જ્યાં સુધી હરીગીરીને કૌભાંડ-સબબ જેલમાં નહીં મોકલે ત્યાં સુધી હું શાંતિ છે જંપીશ નહિ. હરીગીરીએ અનેક સાધુઓ સાથે અન્યાય કર્યો છે. હવે અખાડાએ પણ હરીગીરી સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી મહેશગીરીએ માંગ કરી છે. આજે ભવનાથ મંદિરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાધુ સંતો વચ્ચે કોઇ ડખ્ખો ન થાય તે માટે આજે ભવનાથ મંદિર આસપાસ અને મંદિરમાં પોલીસના ધાડેધાડા ગોઠવી દેવામાં આવ્યા હતા. મહેશગીરીએ ભવનાથ મહાદેવનને જળ ચડાવી ત્યારબાદ તેમના ચોટી ગુરૂ તનસુખગિરીની સમાધીએ દર્શન કરી સંકલ્પ પૂરો કર્યો છે....
બાઈટ...1 મહેશગીરી, મંહત ભુતનાથ મંદિર
અશોક બારોટ
જુનાગઢ
14
Report
PTPremal Trivedi
FollowAug 01, 2025 09:00:16Patan, Gujarat:
\\BFOR MARKETING & SAVJIBHAI
\\B
\\Bએન્કર..\\B
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વ્યવસાયો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેને લઈને ધંધા રોજગારોને વેગ મળી રહે સાથે જ ગુજરાત મા હસ્તકલા જીવંત રાખવા માટે સરકાર દ્વારા અનેક યોજના તેમજ એક્ઝિબિશન અંતર્ગત તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
વીઓ..
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હસ્તકલા ને જીવંત અને તેને પ્રોત્સાહન આપવા માટે અનેક વિધ યોજનાઓ અમલી બનાવી છે તેને લઇ હસ્તકલા ના ક્ષેત્રને આજે વેગ મળવા પામ્યો છે જેને લઇ હસ્તકલા નો વ્યવસાય આજે દેશ વિદેશ સુધી પહોંચવા પામ્યો છે ત્યારે પાટણ મા વર્ષ પરંપરગત રીતે સાલવી પરિવાર પેઢી દર પેઢી થી પટોળાની કામગીરી કરી રહ્યા છે અને પાટણના પટોળા ભારત સહિત વિદેશોમાં પણ તેની ખૂબ જ માંગ રહેવા પામી છે પટોળા બનાવવા માટે લગભગ ચાર થી છ મહિના જેટલો સમય લાગતો હોય છે અને આ પટોળુ ઊંધું અને સીધું એમ બંને તરફથી તેને ડિઝાઇન કરવામાં આવે છે અને તેમ પ્રમાણે તેને પહેરવામાં આવે છે પટોળાની માંગ ખાસ કરીને પ્રસંગો ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેવા પામે છે સાથે જ રાજકીય આગેવાનો રાજા રજવાડા પટોળા પ્રિન્ટ ને વધુ પસંદ કરે છે ત્યારે આ હસ્ત કલા સાથે વર્ષો થી જોડાયેલ સાલવી પરિવાર ની મુલાકાત કરી સરકાર દ્વારા કેવા પ્રકાર નું પ્રોત્સાહન તેમજ વિવિધ યોજનાઓ પૂરી પાડવામાં આવે છે તે અંગે વાર્તાલાપ કરતા રાહુલ ભાઈ સાલવી એ જણાવ્યું હતું કે
અમારો પરિવાર પટોળાની હસ્તકલા સાથે 900 વર્ષથી જોડાયેલો છે આ પરંપરા ને વર્ષો સુધી કાર્યરત રહે તે એ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ મૂકવામાં આવી છે જેનો લાભ પણ અમે લઈએ છીએ રો મટીરીયલ સિલ્ક જે પટોળા બનાવવામાં ઉપયોગ થાય છે તે મટીરીયલ પર 15% ની સબસીડી આપવામાં આવે છે સાથે જ પટોળા ઉપર કોમ્પ્યુટર રાઈઝ ડિઝાઇન શીખવી હોય તો તેના કોર્સ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો સાથે સરકારની ગુર્જરી સંસ્થા દ્વારા સારા વિવર્સ ની હસ્ત કલા ને ખરીદી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે સાથે જ સ્ટોલ પણ આપવામાં આવે છે તો હસ્ત કલા સાથે વર્ષો થી જોડાયેલ ભરત ભાઈ સાલવી ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પટોળા તેમજ અન્ય હસ્ત કલાઓને સરકાર દ્વારા સારુ એવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે સરકારની યોજનાઓ થકી કલાકના કારીગરોને ખૂબ જ મોટો ફાયદો થવા પામ્યો છે જેમાં કારીગરો ને વીમા યોજના નો લાભ, રેશમ ની ખરીદી માટે 15 ટકા સબસીડી નો લાભ લઇ ઉત્પાદન વધારી શકાય છે આવી યોજનાઓ થકી કારીગરોના જીવનમાં મોટો ફેરફાર આવા પામ્યો છે સાથે જ સારા કારીગરો ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે જેને લઇ અમારા જેવા કારીગરો ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે જેને લઇભારત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો..
બાઈટ 1.રાહુલ ભાઈ સાલવી. હસ્તકલા કારીગર. પટોળા
બાઈટ. 2.ભરત ભાઈ સાલવી.
હસ્તકલા કારીગર. પટોળા
12
Report
SDShankar Dan
FollowAug 01, 2025 08:34:19Jaisalmer, Rajasthan:
जिला-जैसलमेर
विधानसभा-जैसलमेर
खबर की लोकेशन-जैसलमेर
रिपोर्टर-शंकर दान
मोबाइल-9799069952
जैसलमेर में रामगढ़ की रातडिया री डेरी में मिले हड़प्पा सभ्यता से जुड़े 4500 साल पुराने अवशेष
बर्तनों के साथ ही मिले भट्टी के अवशेष
स्थानीय खोजकर्ताओं की खोज क्रेडिट ले गई आर्कियोलॉजिकल टीम
जैसलमेर (शंकर दान, जैसलमेर)
जैसलमेर जिले में हड़प्पा सभ्यता के अवशेष मिले हैं। यह हड़प्पा कालीन टीला जैसलमेर जिले के रामगढ़ तहसील से 60 किलोमीटर एवं सादेवाला से 17 किलोमीटर उत्तर पश्चिमी में ''''रातडिया री डेरी'''' नाम स्थान पर है। जिसकी खोज इतिहासकार व शोधविद प्रदीप कुमार गर्ग, राजस्थान विश्वविद्यालय के इतिहास एवं भारतीय संस्कृति विभाग के शोधार्थी दिलीप कुमार सैनी,
इतिहासकार पार्थ जगाणी, चतरसिंह जाम रामगढ़, इतिहास एवं भारतीय संस्कृति विभाग के रिसर्च असिस्टेंट डॉ रविंद्र देवरा ने की है। यह पुरास्थल अपने आप में एक अनूठा एवं हड़प्पा सभ्यता में खोजे गए पुरास्थलों में महत्वपूर्ण साबित हो सकता है। शोधकर्ताओं का दावा है कि यह 4500 साल पहले की हड़प्पा सभ्यता के अवशेष है। जहां यह सभ्यता बस्ती थी। रिसर्च के बाद यह भी अंदेशा लगाया जा रहा है कि सिंधु नदी जैसलमेर के इन इलाकों से होकर गुजरती थी जिसे अब एक आधार मिल गया है।
शोधकर्ता प्रदीप कुमार गर्ग ने संबंध में जानकारी देते हुए बताया है कि इस पुरास्थल पर भारी मात्रा में मिट्टी के बर्तनों के टुकड़े जगह-जगह बिखरे हुए हैं। जिसमें हड़प्पा सभ्यता के नगरीय स्तर से संबंधित लेप से बने लाल बर्तन, कटोरे, घडे, परफोरेटेड जार के टुकड़े हैं। पाकिस्तान में स्थित रोहड़ी से प्राप्त होने वाले चार्ट पर निर्मित लगभग 8 से 10 सेमी तक लंबाई के अनेक ब्लेड यहां से प्राप्त हो रही है। इसके साथ ही यहां से मिट्टी से निर्मित चूड़ियां, शंख से निर्मित चूड़ियां, त्रिकोणकार, गोलाकार, इडली नुमा टेराकोटा केक मिल रहे है। इस हड़प्पा सभ्यता के पुरा स्थल के दक्षिणी ढलान पर एक भट्टी भी मिली है, जिसके बीच में एक कॉलम बना हुआ है। इस प्रकार की भट्टियां गुजरात के कानमेर, मोहनजोदड़ो से प्राप्त होती है।
स्थानीय खोजकर्ताओं की खोज क्रेडिट ले गई आर्कियोलॉजिकल टीम
वही इस संबंध में प्रदीप कुमार गर्ग ने बताया कि इस स्थल की खोज को लेकर बीते लंबे समय से शोधकार्य कर रहे है। स्थानीय वाशिंदों के सहयोग से 27 जुलाई को ही इस स्थल की खोज कर दी। यह सब इस स्थल पर मिलने से जैसलमेर सिंधु घाटी सभ्यता के प्लेटफार्म पर आ गया था। सिंधु घाटी सभ्यता के मैप पर एक नया इतिहास जुड़ेगा। कोई सरस्वती नदी के बहाव क्षेत्र को भी अब आधार मिल गया है।
अब आर्कियोलॉजिकल सर्वे ऑफ़ इंडिया सहित और जिम्मेदार संस्थाएं इस पर सर्वे करेगी।
27 जुलाई को स्थानीय खोजकर्ताओं द्वारा यह स्थान खोजा गया था। इसकी खोज में स्थानीय खोजकर्ताओं का ही योगदान था। तीन और भी स्थान है जिन पर अभी शोध कार्य किया जा रहा है। लेकिन षड्यंत्र के कारण स्थानीय वाशिंदों को इसकी खोज में कोई स्थान नहीं दिया गया है।
स्थान बताने के बाद 29 जुलाई को आर्कियोलॉजिकल की एक टीम इन स्थानों पर पहुंचती है और सारा क्रेडिट अपने नाम करती है जो सरासर गलत है। सभ्यता की खोज का क्रेडिट स्थानीय खोजकर्ताओं को दिया जाए।
बाईट- प्रदीप कुमार गर्ग-इतिहासकार व खोजकर्ता
14
Report
HBHimanshu Bhatt
FollowAug 01, 2025 08:30:36Morbi, Gujarat:
Slug 0108ZK_MRB_TERIF_VOR
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 0108ZK_MRB_TERIF_VOR
Date 01/08/2025
Location MORBI
APPROVAL TAPANBHAI
એંકર
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફના નવા દર લાગુ કરવા માટેની જાહેરાત કરી છે તેને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થઈ ગયો છે કારણ કે અમેરિકાના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. અને દર વર્ષે મોરબીમાંથી 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ અમેરિકામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં નવા ટેરિફ દરના લીધે મોટો કાપ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલમાં યુએસના ઘણા ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા તેઓના ઓર્ડર કેન્સલ કરીને કન્ટેનર શિપમેન્ટને રોકી દેવામાં આવ્યા છે.
વીઓ
મોરબીમાં બનતી ટાઇલ્સને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે. જો ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ 1400 થી 1500 જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને 12 મહિને લગભગ 1500 કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે જોકે, 25 ટકા ટેરિફ લાગવાના કારણે મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે આજની તારીખે અમેરિકામાં જે માલ જાય છે તેના ઉપર 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી તથા 3 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી આમ 12 ટકા ડ્યુટી અને છેલ્લા ત્રણ મહિનાથી 10 ટકા ટેરીફ મળીને 22 ટકા જેટલો ટેક્સ તો લાગે જ છે જો અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી જાહેરાત મુજબ 25 ટકાનો નવો દર લાગુ થશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ 15 ટકા લાગશે જેથી કુલ 37 ટકા જેટલો ટેક્સ અમેરિકાને આપવો પડશે.
બાઇટ 1: મુકેશભાઇ ઉઘરેજા. માજી પ્રમુખ મોરબી સિરામિક એસો.
વીઓ
આજની તારીખે મોરબીના જે સીરામીક ઉદ્યોગકારો અમેરિકામાં વેપાર કરે છે તેમના યુએસના ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા ટેરિફના નવા દર લાગુ કરવાની જાહેરાત થતાની સાથે જ તેઓના ઓર્ડરને કેન્સલ કરીને કન્ટેનરના શીપમેન્ટને રોકી દીધા છે. કેમ કે, અમેરિકા દ્વારા જે રીતે જુદા જુદા દેશ ઉપર ટેરિફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેમાં જો ખાસ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય તેવા દેશની વાત કરીએ તો ભારત ઉપર 25 ટકા લાગુ કરવામાં આવી રહ્યો છે જોકે, સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરતા દેશમાં તર્કીમાં 10 ટકા, ઈટલી અને સ્ટેનમાં માત્ર 15 ટકા અને વિયેતનામમાં 20 ટકા ટેરિફના નવા દર લાગુ કરવામાં આવ્યા છે જે ભારત કરતાં ઓછા જોવાના લીધે ત્યાંની સિરામિક પ્રોડક્ટ સસ્તી થશે જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. અને અમેરિકામાં મોરબીનું સિરામિક માર્કેટ તૂટે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.
બાઇટ 2: કે.જી.કુંડારિયા, માજી પ્રમુખ મોરબી સિરામિક એસો.
વીઓ
અમેરિકા ટેરીફના નવા દરને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે અને મોટાભાગે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવે તેવું હાલમાં દેખાઈ રહ્યું નથી ત્યારે ભારતના સિરામિક પ્રોડક્ટના ઉત્પાદકો માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે કારણ કે, ભારત ઉપર જે ટેરીફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેના કરતાં અન્ય દેશો કે જ્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે ત્યાં ટેરિફના નવા દર ઓછા લાગુ થઈ રહ્યા છે જેની સીધી અસર મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ ઉપર થવાની છે અને અહીના માલની માંગ ઘટે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
નોંધ: મુકેશભાઇ ઉઘરેજા. માજી પ્રમુખ મોરબી સિરામિક એસો. ની હિન્દી બાઇટ પણ સેન્ડ કરેલ છે
13
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 08:16:32Surat, Gujarat:
સૂરત બિગ બ્રેકીંગ...
વડોદ ખાતે પાણીની ટાંકી સંપૂર્ણ જર્જરિત હાલતમાં...
21/08/2015ના રોજ લોકાર્પણ કરેલી પાણીની ટાંકી 10વર્ષમાં જ જર્જરિત થઇ...
જર્જરિત પાણીની ટાંકીમાંથી પાણી નીકળતા સ્થાનિકોએ વિડીયો બનાવ્યો...
જર્જરિત પાણીની ટાંકીના દાદરના સળિયા દેખાયા...
તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે...
14
Report
AKAshok Kumar
FollowAug 01, 2025 08:03:45Junagadh, Gujarat:
જુનાગઢ....આજથી ભવનાથ મંદિરનો કબજો સાંભળતું તંત્ર
SDM ચરણસિંહ ગોહિલ ભવનાથ મંદિર પહોંચી કબજો સંભાળ્યો
આજ સાંજે મહા આરતી પછી તંત્ર કાયદેસર કબજો સંભાળી લેશે
મંદિરની સાફ સફાઈ અને કામગીરી નું નિરીક્ષણ કરવામા આવ્યું
વહીવટી તંત્ર દ્વારા મોબાઈલ નંબર જાહેર કરવામાં આવશે
તે નંબર પર જ હવે ભક્તો દ્વારા દાન ,પૂજા કે ભેટ આપવામાં આવે
ભક્તો માટે જાહેર કરેલ નંબર પર જ તમામ વહીવટ કરવામાં આવશે
પૂજારીઓ દ્વારા નિયમિત પૂજા આરતી તથા સાધુ સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવશે
બાઈટ ચરણસિંહ ગોહિલ SDM
જુનાગઢ
અશોક બારોટ
જૂનાગઢ
13
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 08:03:38Ahmedabad, Gujarat:
અમદાવાદ
1 ઓગસ્ટથી વિવિધ ક્ષેત્રે આવ્યા ઘણા ફેરફાર
1 ઓગસ્ટ બાદ નોકરી મેળવનાર માટે સરકારે બનાવી નવી યોજના
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત નવા કર્મચારીઓને મળશે આર્થિક લાભ
યોજના અંતર્ગત 1 ઓગસ્ટ બાદ epfo માં રજીસ્ટર કરાવનાર નવા નોકરિયાત કર્મચારીને મળશે લાભ
કર્મચારીઓનું માસિક વેતન 1 લાખ સુધી હશે તેઓ જ પાત્ર રહેશે
યોજના અંતર્ગત કેમચારીઓને વર્ષમાં 2 વાર ઇનસેન્ટિવ અપાશે
પહેલુ ઇનસેન્ટિવ નોકરીના 6 મહિના બાદ 15 હજાર અને બીજુ ઇનસેન્ટિવ 12 મહિના બાદ 15 હજાર મળશે
આ લાભ મેળવવા કર્મચારીઓએ કંપનીમાં સતત સેવા આપવી પડશે
યોજના અંતર્ગત રજીસ્ટર થયેલ કંપનીઓને પણ ઇનસેન્ટિવ મળશે
કર્મચારી દીધી 3 હજાર કંપની ને 4 વર્ષ સુધી ચૂકવાશે
50 થી ઓછા કર્મચારી ધરાવનાર કંપનીએ વધુ બે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું રહેશે
જ્યારે 50થી વધુ કર્મચારી ધરાવતી કંપનીએ 5 એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું રહેશે
કર્મચારી અને કંપની umang એપ કે ઓનલાઈન રજીસ્ટર કરાવી યોજનાનો લાભ મેળવી શકશે
યોજનાની અવેરનેસ માટે epfo ઓફિસ દ્વારા ઠેર ઠેર કરાઈ રહ્યા છે કાર્યક્રમ
આ યોજનાથી રોજગાર વધશે તેવું સરકારનું માનવું
વિઝ્યુલ અને બાઈટ
બાઈટ. યોગેશ કુમાર. Pf કમિશનર. નરોડા બ્રાન્ચ
સલગ. પીએફ સ્ટોરી
ફીડ. લાઈવ કીટ
14
Report