Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

રાવલમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સામેનો વિદ્રોહ, શું બદલાશે નગરપાલિકા?

LJLakhani Jaydeep
Aug 12, 2025 02:46:09
Dwarka, Gujarat
વિઓ 01 :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ શહેરમાં કોંગ્રેસ દ્વારા "રાવલ બોલે છે" નામનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને નગરપાલિકાના વહીવટમાં રહેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાવલ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપના ઘણા વર્ષો જૂના કાર્યકર્તાઓ પણ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા, જે આ કાર્યક્રમની સફળતાનો એક મુખ્ય ભાગ રહ્યો. બાઈટ :- સંજયભાઈ મકવાણા, પૂર્વ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વીઓ 02 :- કોંગ્રેસે નગરપાલિકાના વહીવટમાં અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં, શહેરના તમામ રોડના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મુખ્ય હતો. આ ઉપરાંત, થાર વિસ્તારમાં બાળકો માટે હાઈસ્કૂલની સુવિધાનો અભાવ અને ગટર વ્યવસ્થામાં થયેલા છબરડાઓ પણ મુદ્દાઓ તરીકે ઉઠાવવામાં આવ્યા હતા. આ મુદ્દાઓ દ્વારા કોંગ્રેસે સ્થાનિક લોકોની મૂળભૂત જરૂરિયાતોની અવગણના અને બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો. બાઈટ :- પુંજાભાઈ વંશ, ઉના પૂર્વ ધારાસભ્ય વીઓ 03 :- આર્થિક ગેરરીતિઓ પણ આ કાર્યક્રમનો એક મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે, JCB ચલાવવા માટે એક કલાકના રૂ. 850ના બદલે રૂ. 2500 જેવી મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે. આ ઉપરાંત, આઇકોનિક રોડ બનાવવાના નામે દુકાનદારો અને ગેરેજ માલિકોને હેરાન કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે ગુજરાત સરકાર અને ભાજપ શાસિત પાલિકાઓમાં "40% કમિશન"ની પ્રથાથી કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. બાઈટ :- વાલા દુદા પરમાર, પૂર્વ નગર પાલિકા પ્રમુખ વીઓ 04 :- રાવલ બોલે છે કાર્યક્રમનું આયોજન જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાવલના નાગરિકોને સાથે રાખીને નગરપાલિકા અને સરકારને ભ્રષ્ટાચારનો અરીસો બતાવવાનો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને જૂના કાર્યકર્તાઓનું કોંગ્રેસમાં જોડાણ એ દર્શાવે છે કે, રાવલ શહેરની વર્તમાન દુર્દશાથી તેઓ નારાજ છે અને પરિવર્તન ઈચ્છે છે. આ આયોજન દ્વારા કોંગ્રેસે આગામી ચૂંટણીઓમાં સત્તા વિરોધી માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઈટ :- પાલ આંબલિયા, પ્રમુખ જિલ્લા કોંગ્રેસ
14
comment
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Aug 12, 2025 06:33:56
Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર તારીખ : ૧૦/૦૮/૨૦૨૫. સ્ટોરી : પેકેજ. એપ્રુવલ : ડેસ્ક. સ્લગ: ભાવનગરના પાંચ સહીત ગુજરાતનાં 27 પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી. એન્કર: દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા ભાવનગરના પાંચ સહિત ગુજરાતના 27 પરિવારો મેદાને પડ્યા છે. આ તમામ પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી પોતાના જીવનમાં આચરણમાં મૂકી છે. દિવસ ઊગે થી રાત્રે સુવે ત્યાં સુધી આ તમામ પરિવારો ઘરના તમામ કામકાજ દિનચર્યાઓ બધું જ અભ્યાસની સાથોસાથ પોતાના ઘરે પણ વ્યવહારૂ ભાષામાં પણ સંસ્કૃત નો ઉપયોગ કરી રહ્યા છે. હાલ સંસ્કૃત સપ્તાહ ચાલે રહ્યું છે ત્યારે સંસ્કૃત ભાષાને દ્વિતીય ભાષા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તેવી આ તમામ પરિવારોને માંગ છે. વિઓ ૧: ભારતમાં સંસ્કૃત ભાષાને દેવ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ સહિતના તમામ પુરાણો પણ સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા છે. હાલ સંસ્કૃત સપ્તાહ ચાલી રહ્યું છે. ત્યારે આ દેવ ભાષાના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતની સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો સંસ્કૃત ભાષાને પણ જીવંત રાખવી જ પડશે, એ માટે સંસ્કૃતના શિક્ષકો અને પ્રાધ્યાપકો પણ કાર્યરત છે. સાથે જ ભાવનગરના પાંચ સહિત ગુજરાતના કુલ 27 પરિવારો સંસ્કૃત ભાષાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. તો ચાલો ભાવનગરના સંસ્કૃત પરિવારોની મુલાકાતે જઈએ. વિઓ ૨: દેવભાષા સંસ્કૃત ને શીખવા માટે ભાવનગરમાં ચાર બાળ કેન્દ્ર છે. જેમાં ૧૦ થી ૧૨ જેટલા તાલીમ બંધ કાર્યકર્તાઓ અલગ અલગ સંસ્કૃતના સંભાષણ વર્ગોનું આયોજન કરે છે. જે પ્રયાસ થકી ભાવનગરના પાંચ જેટલા પરિવારોએ સંસ્કૃત ભાષા બોલતા થયા છે. સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ સંસ્કૃત વિષયને ચોક્કસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે પ્રાદેશિક ભાષાઓમાં આર-૧માં પ્રાદેશિક, આર-૨માં અંગ્રેજી, આર-૩માં હિન્દી અને આર-૪માં સંસ્કૃત ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ ૩ થીજ વિધાર્થી દ્વિતિય ભાષા તરીકે શીખી, બોલી અને વાંચી શકે એ માટે અંગ્રેજીના સ્થાને આર-૨માં સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિઓ ૩: ભાવનગર શહેરમાં માત્ર એકલ દોકલ વ્યક્તિએ જ નહીં પૂરા પાંચ પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી છે. જેમાં નાના મોટા સહુ સંસ્કૃતના અભ્યાસની 707 પોતાના ઘરે અને વ્યવહારુ ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. હાલ સંસ્કૃત ભાષા આ પાંચે પરિવારની પારિવારિક ભાષા બની ગઈ છે. સંસ્કૃત એ વ્યાકરણની દ્રષ્ટિએ થોડું અઘરું લાગે છે. પરંતુ વ્યવહારુ ઉપયોગમાં અને બોલવામાં અંગ્રેજી ભાષા કરતા પણ સરળ છે. આ પાંચેય પરિવારો પોતાનો પરિવાર સંસ્કૃત પરિવાર હોવાનું ગૌરવ અનુભવે છે. વિઓ ૪: ઝી મીડિયાની ટીમે ભાવનગરના પાંચ સંસ્કૃત પરિવારો પૈકી પ્રણવભાઈ રાજ્યગુરુ અને ઊર્મિબેન જાની પરિવારની મુલાકાત લીધી હતી, જેના પરિવારને સંસ્કૃત પરિવારનું બિરુદ મળ્યું છે. એવા પ્રણવભાઈ રાજ્યગુરુ પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેમના પત્ની ભાર્ગવિબેન રાજ્યગુરુ, ધોરણ ૯માં અભ્યાસ કરતો પુત્ર અને ધોરણ પ માં અભ્યાસ કરતી પુત્રી, પ્રણવભાઈના પિતા સહિત આખો પરિવાર સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે. ભાર્ગવિબેનનો પરિવાર ગુજરાતી ભાષા બોલે છે. તેમણે જણાવ્યું હતું કે લગ્ન બાદ પોતે પણ પતિ પ્રણવભાઈની મદદથી સંસ્કૃત ભાષાને આત્મસાત કરી લીધી છે. અને તેઓ પણ પતિ અને બાળકો સાથે સંસ્કૃત ભાષામાંજ વાતચીત કરે છે. જ્યારે ઊર્મિબેન જાની ૧૯૯૭ થી સંસ્કૃત સાથે જોડાઈ ગયા છે. સંસ્કૃત શીખવા પાછળ ઊર્મિબેન જાની એ એક વર્ષ ગૃહ ત્યાગ કર્યો હતો, હાલ તેના માતા-પિતા સાસુ સસરા ભાઈ ભાભી તમામેં સંસ્કૃત ભાષાને આત્મસાત કરી પારિવારિક ભાષા બનાવી લીધી છે. જ્યારે એ સિવાયના માધવીબેન ઉપાધ્યાય, યોગેશભાઈ પંડ્યા અને ધનેશ્રીબેનના પરિવારોએ પણ સંસ્કૃત ભાષાને પારિવારિક ભાષા બનાવી સંસ્કૃત પરિવાર તરીકેનું બિરુદ મેળવ્યું છે. બાઈટ: પ્રણવભાઈ રાજ્યગુરુ, પતિ (હિન્દી અને ગુજરાતી) બાઈટ: ભાર્ગવિબેન રાજ્યગુરુ, પત્ની. બાઈટ: ઊર્મિબેન જાની (સંસ્કૃત અને ગુજરાતી) બાઈટ: વિરાટભાઈ જાની(હિન્દી)
2
comment
Report
RTRAJENDRA THACKER
Aug 12, 2025 06:32:41
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch Location Bhuj bsf camp Approved: assignment FTP KUTCH 1208ZK_BSF_TIRNGAYATRA એંકર : આખા એ ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું અને ઘર ઘર તિરંગાની વાત વહેતી થઈ અને એક દેશ પ્રેમનો જુવાળ જાગી ઉઠ્યો છે ત્યારે સરહદના સંત્રી એવા બીએસએફના જવાનો પણ સાયકલ રેલી કાઢી અને ઘર ઘર તિરંગા ને પહોંચાડવા માટે કટિબંધ બનેલા છે આજે વહેલી સવારે ભુજ બીએસએફ હેડક્વાર્ટર કોડકી રોડથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાડી ખેતરના સેઢા સુધી પણ આ સાયકલ રેલી પહોંચી અને ઘર ઘર તિરંગાનો સંદેશ આપ્યો હતો. બીએસએફના ડીઆઈજી સહિતના અધિકારીઓએ પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. તારીખ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આ ક્રમ ચાલુ રાખવામાં આવશે. લગભગ 40 જેટલા ઓફિસરો અને અધિકારીઓ તેમજ બીએસએફના જવાનો જોડાયા હતા. હેડ ક્વાટરથી થઈને સોસાયટી વિસ્તારથી છેક વાડી ના શેઢાઓ સુધી આ યાત્રા અંદાજિત 10 કિલોમીટર સુધી કાઢવામાં આવી હતી. બાઈટ : અનંતસિંઘ ડીઆઈજી બીએસએફ
3
comment
Report
GDGaurav Dave
Aug 12, 2025 05:46:28
Rajkot, Gujarat:
SLUG - 1208ZK_LIVE_RJT_TIRANGA_YATRA REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બહુમાળી ચોક ખાતેથી જયુબેલી ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થા સાથે સંકળાયેલા લોકો તેમજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ એનસીસી અને સ્કાઉટના કેડેટ્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો સાથો સાથ તિરંગા યાત્રા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં શરૂ કરાઈ હતી. તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્થાનિક ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાયા હતા. ત્યારે તિરંગા યાત્રા સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમા રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેર ભાજપમાં કોઈ જૂથવાદ નથી. રામભાઈ મોકરીયાનું સન્માન જળવાઈ રહે તે અમારા સૌની જવાબદારી છે. હાલ સંસદીય સત્ર દિલ્હી ખાતે ચાલતું હોવાથી રામભાઈ તિરંગા યાત્રામાં ઉપસ્થિત નથી રહી શક્યા. તિરંગા યાત્રાને લઇ રામભાઈ મોકરીયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાઈટ : રાઘવજી પટેલ, પ્રભારી મંત્રી વોક થ્રુ - ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા સાથે ગૌરવ દવે
11
comment
Report
MSManish Shanker
Aug 12, 2025 05:15:32
Sahibzada Ajit Singh Nagar, Punjab:
Manish Shanker Mohali जिसे सांई राखे, उसे कोई मार नहीं सकता। अगर यह पेड़ पांच मिनट पहले गिर जाता, तो एक बड़ा हादसा हो सकता था। क्योंकि पांच मिनट पहले ही एक एक्टिवा सवार ने अपनी एक्टिवा बाहर खड़ी करके दुकान के अंदर सामान लेने गया था, और तभी तेज बारिश के कारण वह दुकान के अंदर ही रुक गया। फिर एक बड़ा हादसा हो गया। इस घटना की तस्वीरें सीसीटीवी में कैद हो गईं। यह घटना मोहाली के फेज दो में हुई। सीसीटीवी फुटेज
14
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 04:48:29
Surat, Gujarat:
સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદ ની એન્ટ્રી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે વરસાદ ની આગાહી સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી છાંટા ઝાપટા અઠવા ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી
14
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 04:48:25
Surat, Gujarat:
સુરત બ્રેક સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના બંગાળીઓને મકાન ભાડે આપવાને લઈ હંગામો રૂઢનાથપુરામાં પાડોશી યુવતી સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા દલાલને મહિલા સહિત પાંચ શખ્સોએ માર મારી તેની આંગળી ફેક્ચર કરી બચાવ કરવા આવેલા દલાલ ના પિતા અને બહેનને પણ મારવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મહિધરપુરા પોલીસે પાંચ વિરુદ્ધ રાયોટિગનો ગુનો નોંધ્યો
14
comment
Report
NJNILESH JOSHI
Aug 12, 2025 04:47:16
Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર આગની ઘટના ઔદ્યોગિક નગરી વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ મધરાતે ગોડાઉનમાં આગ લાગતા દોડધામ એક ગોડાઉનમાં લાગેલી આગ એક પછી એક બાર ગોડાઉનમાં પ્રસરી ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વેલન્સીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો વાપી ફાયરની 6 ટીમ આગ પર કાબુ મેળવવાના હાથ ધર્યા હતા પ્રયાસ લાંબી જહેમત બાદ અંતે આગ પર મેળવાયો કાબુ
13
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 04:00:34
Surat, Gujarat:
એકર સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યારાઓને સુરત છોડીને ભાગી જાય તે પહેલા જ લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, મૃતક અને આરોપીઓ સગાં સબધી હતા અને નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી. વિઓ.1 આ બનાવ લીંબાયત આસ્તીક નગર વિસ્તારમાં આવેલ નિરંકારી કિરાણા જનરલ સ્ટોર પાસે બન્યો હતો. 21વર્ષીય રવીન્દ્ર પાટીલ નામના યુવકનો તેના બે સાથીઓ દેવીદાસ ઉર્ફે દાદુ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ હલવાઇ સાથે ઝઘડો થયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો. આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીઓએ રવીન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. આરોપીઓએ રવીન્દ્રની પીઠના ભાગે, ડાબી બાજુ બગલના ભાગે અને ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે રવીન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ દેવીદાસ ઉર્ફે દાદુ ઉર્ફે ડેવીડ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ મોદનવાલનો ગુનાહિત ઇતિહાસ પણ છે. દેવીદાસ પાટીલ વિરુદ્ધ અગાઉ લિંબાયતમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. જ્યારે સન્ની હલવાઇ વિરુદ્ધ હત્યાની કોશિશ, પાંડેસરામાં પ્રોહિબિશન અને લિંબાયતમાં જુગારનો ગુનો નોંધાયેલો છે. આ ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કે આરોપીઓ અગાઉ પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા.તપાસ દરમિયાન આ ઘટનામાં મૃતક અને આરોપીઓ સગા સબધી હોવા અંગે પણ જાણકારી મળી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય વચ્ચે બે દિવસ પહેલા પણ બોલાચાલી થઈ હતી. બાઈટ..ભગીરથ ગઢવી..ડીસીપી
14
comment
Report
URUday Ranjan
Aug 11, 2025 15:02:39
Ahmedabad, Gujarat:
અમદાવાદ શિવરંજની નજીક થયેલા અકસ્માતનો મામલો અકસ્માત કરનાર કાર ચાલક રોહન પરેશ સોનીની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી અકસ્માત બાદ રોહન સોની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો રોહન ઓવર સ્પીડ માં કાર ચલાવી ને એક્ટિવા ચાલક બે યુવકોને અડફેડે લેતા બંનેના મોત થયા હતા રોહનની પૂછપરછમાં હકીકતો આવી સામે આરોપી રોહન સોની માણીનગર ખાતે મિત્ર ના જન્મ દિવસ ની ઉજવણી કરી આવ્યો હતો જન્મ દિવસ ની ઉજવણી બાદ દક્ષ અને ભવ્ય સાથે નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો રોહન અને તેના મિત્રો કાર ની રેસ લગાડતા હતા કે નહીં તેની તપાસ કરાય રહી છે અત્યાર સુધી ના સીસી ટીવી માં ત્રણ કાર આગળ પાછળ ચાલતી હોવા નું સામે આવ્યું છે રેસ હતી કે કેમ તેને લઈ ને નિવેદન અને સીસી ટીવી ના આધારે તપાસ શરૂ કરાય રોહન સોની અક્સ્માત બાદ કાર છોડી રિક્ષા માં તેના મામા ના ઘરે ગયો હતો બાઈટ : એસ જે મોદી , એસીપી ટ્રાફિક પોલીસ
14
comment
Report
GPGaurav Patel
Aug 11, 2025 14:47:09
Ahmedabad, Gujarat:
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનુ વોટ ચોરી મુદ્દે નિવેદન ભારત દેશના ઇતિહાસમાં પહેલી વાર વોટ ચોરીની ઘટના બની ભારતીય જનતા પાર્ટીએ ચુંટણી પંચના ઉપયોગથી વોટચોરી કરી રાહુલ ગાંધીએ પુરાવ સાથે વોટચોરીની વાત રજુ કરી રાહુલ ગાંધીના દાવા બાદ દેશના નાગરિકોને ચુંટણી પંચ પર ભરોસો નહી ગુજરાતમાં અનેક વાર માહોલથી વિપરીત પરિણામ આવ્યા વોટચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસે અભિયાન ચલાવશે એક એક પરિવારના ઘરે જઇ મતદારની ચકાસણી કરશે રાહુલ ગાંધીની ધરપકડ અને નોટીસ દર્શાવે છે કે ઇસી જવાબ આપવા નથી માંગતુ રાજ્યના નાગરિકોને અપિલ કે તમારી આસપાસ ખોટા મત હોય તો અવાજ ઉપાડો બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
14
comment
Report
CPCHETAN PATEL
Aug 11, 2025 13:30:32
Surat, Gujarat:
સુરત :: સુરત ટ્રાફિક પોલીસ ની બેદરકારી. શહેરના પુણાગામ વિસ્તાર ની ઘટના. એક્ટિવા ચાલક નું એક્ટિવા ધરે છતાં મેમો આવ્યો. ઘરે બેઠા બેઠા ત્રણ ઓનલાઇન મેમો આવતા ફરિયાદી ચિંતામાં મુકાયો. ફરિયાદી વજારામભાઇ નું એક્ટિવ ધરે છતાં કોઈ બીજા એક્ટિવાનો મેમો તેમના ધરે પહોંચ્યો. સુરત પોલીસમાં અરજી કરી છતાં કોઈ નિકાલ નહીં. ટ્રાફિક પોલીસ ની બેદરકારી છતાં કોઈ નિકાલ નહીં. પોલીસ તપાસ કરે તો આવા અનેક મેમાનો બીજાના નામે ચાલ્યા જતા હોય છે બાઇટ..વજ્રરામ..ફરિયાદી
14
comment
Report
HBHimanshu Bhatt
Aug 11, 2025 13:17:12
Morbi, Gujarat:
Slug 1108ZK_MRB_MAUN_RELI Format PKG Reporter HIMANSHU BHATT Feed 1108ZK_MRB_MAUN_RELI Date 11/08/2025 Location MORBI APPROVAL DAY PALN એન્કર મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 46 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નિશ્ચિત છે ત્યારે 46 વર્ષ વીતી ગયા હોવા છતાં હોનારતનો દિવસ હોય ત્યારે લોકોની નજરની સામે તાજીના દ્રશ્યો આવી જાય છે અને તેવી જ રીતે આજે હોનારતની તારીખે અનેક લોકોની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. અને મહાપાલિકા કચેરીએથી યોજાયેલ મૌન રેલીમાં ધારાસભ્યો, માજી મંત્રી, કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વીઓ 11 મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 46 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11 મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી જો કે, મચ્છુના પાણીએ મોટા પ્રમાણમા તારાજી સર્જી હતી અને હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 46 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી આજે મોરબી મહપાલિકા કચેરીએથી મૌન રેલી યોજાઇ હતી જેમાં માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી બાઇટ 1: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માજી મંત્રી, ગુજરાત બાઇટ 2: કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય, મોરબી બાઇટ 3: કે.બી.ઝવેરી, કલેક્ટર મોરબી બાઇટ 4: બ્રિજેશભાઈ મેરજા, માજી મંત્રી, ગુજરાત
14
comment
Report
CPCHETAN PATEL
Aug 11, 2025 13:02:50
Surat, Gujarat:
સુરત - CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષાનું પરિણામ થયું જાહેર સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો. CMA ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો CMA ઇન્ટરમિડીયેટમાં ઓલ ઇન્ડિયા પ્રથમ અને દ્રિતીય ક્રમાંક સુરતના વિધાર્થીઓએ મેળવ્યો સુજલ શરાફ 800 માંથી 647 ક્રમાંક પ્રાપ્ત કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો સચિન ચૌધરીએ 800 માંથી 600 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો CMA ફાયનલમાં ઓલ ઇન્ડિયામાં સુરતના વિદ્યાર્થી પ્રથમ ક્રમ મેળવ્યો હંસ જૈનએ 800 માંથી 612 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો ત્રણેવ વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્રિતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું સમગ્ર દેશમાં CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી ત્રણેવ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કરવા રોજ 8 થી 10 કલાકની પ્રેક્ટિસ કરતા પરીક્ષાના અંતિમ ત્રણ થી ચાર મહિના સોશિયલ મીડિયા અને મોબાઈલથી સદંતર દૂર રહેતા.. બાઈટ..વિદ્યાર્થી બાઈટ..સંચાલક
14
comment
Report
CPCHETAN PATEL
Aug 11, 2025 11:35:06
Surat, Gujarat:
એન્કર : શહેરમાં મોબાઈલ,સોનાની ચેન,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા બે રીઢા આરોપીઓને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસ તપાસમાં ચોકબજાર પોલીસ ચોપડે નોંધાયેલા પર્સ સ્નેચિંગ ના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.જ્યાં આરોપીઓ પાસેથી રોકડ રકમ,મોબાઈલ, દિહાર્મ સહિત 39 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના ચૌદ જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચુક્યા છે.જ્યારે અન્ય એક આરોપી વિરુદ્ધ પણ ગંભીર પ્રકારના ગુનાઓ શામેલ છે. વી ઓ 1 : શહેરમાં સ્નેચરો નો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે.સ્ટેશન થી ઓટો રીક્ષામાં દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું.જે વેળાએ મોટર સાયકલ પર આવી ચઢેલા બે ઈસમોએ દંપતીના હાથમાંથી રોકડ રકમ,બે મોબાઈલ,દિહાર્મ સહિત 39 હજારની મત્તા ભરેલ પર્સ ની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા.5 ઓગસ્ટના રોજ બનેલી ઘટના ને લઈ ચોકબજાર પોલીસ મથકમાં દંપતીએ ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટ ની મોટર સાયકલ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી.જો કે હ્યુમન સોર્સ ના આધારે બે સ્નેચરો ને ભેસ્તાન આવાસ થી પોલીસે ઝડપી પાડ્યા હતા. ભેસ્તાન આવાસમાંથી પોલીસે અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ કરી હતી.જે આરોપીઓની આકરી ઢબે પૂછપરછ કરતા ચોકબજાર પોલીસે ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી 250 દિહાર્મ ,બે મોબાઈલ સહિત 39 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી અશપાક વિરુદ્ધ મારામારી,ચોરી,સ્નેચિંગ સહિત ચૌદ ગુન્હા ભુતકાળમાં શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.જ્યારે ત્રણ વખત પાસા ની કાર્યવાહી પણ થઈ ચૂકી છે.આ સાથે આરોપી મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી,સ્નેચિંગ સહિત 6 ગુન્હા પણ શામેલ છે. ઉધના,ડીંડોલી,પાંડેસરા,ભેસ્તાન,પુણા જેવા પોલીસ સ્ટેશનોમાં આરોપીઓ વિરુધ સ્નેચિંગ ના વિવિધ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જે ગુન્હામાં અગાઉ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે,આરોપીઓ રાત્રિ દરમ્યાન સોસાયટી અથવા રોડ પર પાર્ક કરેલી મોટર સાયકલની ની ચોરી કરતા હતા.ચોરીની મોટર સાયકલની આગળ ની નંબર પ્લેટ તોડી નાખતા હતા.જ્યારે પાછળ ની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા હતા.જેથી કરી ખાનગી અથવા શહેર પોલીસ ન cctv કેમેરાથી પણ બચી શકાય.જે બાદ ચોરીની મોટર સાયકલ પર મોબાઈલ,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા હતા.ગુનાને અંજામ આપી જે જગ્યાએથી મોટર સાયકલની ચોરી કરતા,ત્યાં ફરી મોટર સાયકલ મૂકી ફરાર થઈ જતા હતા. બાઈટ :પિનાકીન પરમાર (ડીસીપી સુરત પોલીસ) વી ઓ 2 : મહત્વનું છે કે ઝડપાયેલા બંને સ્નેચરોનો ગુનાહિત ઇતિહાસ પંકાયેલો છે.અશપાક વિરુદ્ધ ભૂતકાળમાં શહેર પોલીસ ચોપડે ચૌદ જેટલા સ્નેચિંગ ના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જ્યાં વધુ ગુન્હા ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.જે આરોપીઓ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.જ્યાં રિમાન્ડ દરમ્યાન અન્ય ગુન્હા.ઉકેલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. .... સુરત બ્રેક સુરત માં સ્નેચરો નો આતંક, 5 ઓગસ્ટ ના રોજ ચોકબજાર વિસ્તારમાં થયેલી પર્સ સ્નેચિંગ નો ગુન્હો ઉકેલાયો, દંપતી ઓટો રીક્ષામાં સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, જે વેળાએ મોટર સાયકલ પર આવેલ બે ઈસમોએ પર્સ ની સ્નેચિંગ કરી હતી,. જે પર્સમાં 250 દિહાર્મ,મોબાઈલ,પાસપોર્ટ સહિત રોકડ રકમ શામેલ હતી, ગુનાને ઉકેલી કાઢવા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી હતી, તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટ ની મોટર સાયકલ લઈ આવ્યા હતા, જે આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી, જો કે હ્યુમન સોર્સ ના આધારે બે સ્નેચરો ને ભેસ્તાન આવાસ થી પોલીસે ઝડપી પાડ્યા અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ આરોપી અશપાક વિરુદ્ધ મારામારી,ચોરી,સ્નેચિંગ સહિત ચૌદ ગુન્હા શામેલ ત્રણ વખત પાસા ની કાર્યવાહી મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી,સ્નેચિંગ સહિત 6 શામેલ આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી, રાત્રિ દરમ્યાન સોસાયટી અથવા રોડ પર પાર્ક મોટર સાયકલની ની ચોરી કરતા, ચોરીની મોટર સાયકલની આગળ ની નંબર પ્લેટ તોડી નાખતા, પાછળ ની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા, જે બાદ ચોરીની મોટર સાયકલ પર મોબાઈલ,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા, જે જગ્યાએથી મોટર સાયકલની ચોરી કરતા,ત્યાં ફરી મોટર સાયકલ મૂકી ફરાર થઈ જતા, વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી બાઈટ :પિનાકિન પરમાર (ડીસીપી સુરત પોલીસ)
14
comment
Report
Advertisement
Back to top