Back
રાજકોટમાં તિરંગા યાત્રા: પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી!
GDGaurav Dave
Aug 12, 2025 05:46:28
Rajkot, Gujarat
SLUG - 1208ZK_LIVE_RJT_TIRANGA_YATRA
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બહુમાળી ચોક ખાતેથી જયુબેલી ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થા સાથે સંકળાયેલા લોકો તેમજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ એનસીસી અને સ્કાઉટના કેડેટ્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો સાથો સાથ તિરંગા યાત્રા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં શરૂ કરાઈ હતી. તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્થાનિક ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાયા હતા. ત્યારે તિરંગા યાત્રા સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમા રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેર ભાજપમાં કોઈ જૂથવાદ નથી. રામભાઈ મોકરીયાનું સન્માન જળવાઈ રહે તે અમારા સૌની જવાબદારી છે. હાલ સંસદીય સત્ર દિલ્હી ખાતે ચાલતું હોવાથી રામભાઈ તિરંગા યાત્રામાં ઉપસ્થિત નથી રહી શક્યા. તિરંગા યાત્રાને લઇ રામભાઈ મોકરીયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બાઈટ : રાઘવજી પટેલ, પ્રભારી મંત્રી
વોક થ્રુ - ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા સાથે ગૌરવ દવે
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowAug 12, 2025 08:38:02Vapi, Gujarat:
એન્કર -
રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ ની કચીગામ વિસ્તારમાં રૂપિયા 59 લાખ ભરેલું એક ATM મશીન તોડવાના નિષ્ફળ પ્રયાસ મામલે દ્વારા પોલીસને ગણતરીના દિવસોમાં જ મોટી સફળતા મળી છે.આ મામલે માસ્ટર માઈન્ડ એક આરોપીની ધરપકડ કરી છે ..જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો હજુ ફરાર છે.. શું હતી આખી ઘટના..?? પોલીસની સતર્કતાને કારણે કેવી રીતે બચી ગયું લાખો રૂપિયા ભરેલું એટીએમ મશીન ..???જોઈએ આ અહેવાલ...
વિઓ :1
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કચીગામના કલેરીયા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક મોટી બેંકના એટીએમ મશીન નવા તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગમાં આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ ને એક તસ્કર ટોળકી એ નિશાન બનાવ્યું હતું.. અને આ એટીએમ ને તોડી લાખો રૂપિયા ની ચોરી મો પ્રયાસ કર્યો હતો.. જોકે તશ્કરો ઇરાદાઓમાં નિષ્ફળ રહ્યા હતા. સવારે એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોતા જ બેંક દ્વારા કચી ગામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચતા જ એટીએમ મશીનમાં ભરેલા 59 લાખ રૂપિયા સુરક્ષિત મલી આવ્યા હતા . આથી બેંક અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે તસ્કર ટોળકી સુધી પહોંચવા એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર હકીકત બહાર આવી હતી. સીસીટીવી માં બે સગીરો એટીએમ મશીનમાં પ્રવેશ કરી આ એટીએમ મશીન ને તોડવાનો પ્રયાસ કરે છે. અન્ય એક આરોપી એટીએમ મશીન ની બહાર ઉભો રહી અને ચોકી કરી રહ્યો હતો. આથી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી હતી.. આરોપીઓ સુધી પહોંચવા કચીગામ પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. અને આખરે ગણતરીના દિવસોમાં જ મૂળ રાજસ્થાનના પાલીના હિતેશ કંડારા નામના એક આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે આ ચોરીમાં સામેલ મૂળ રાજસ્થાનના બે સગીરો હજુ પોલીસ પકડથી દૂર છે..
બાઈટ:1 શશી કુમાર સિંગ
પીએસઆઇ, કચીગામ પોલીસ સ્ટેશન
વી ઓ:2
પોલીસે આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી હિતેશ કંડારા ની આગવી ઢબે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હિતેશ કંડારા છેલ્લા કેટલાક સમયથી દમણના કચી ગામ વિસ્તારમાં રહે છે.. અને તેણે જ આ ચોરી ના પ્રયાસને અંજામ આપ્યો હતો. તેના માટે તેણે રાજસ્થાનના પાલીથી ગુનાખોરીની દુનિયામાં ડગ માંડી રહેલા બે સગીરોને ચોરી કરવાના પ્લાનના ભાગરૂપે જ રાજસ્થાનથી બોલાવ્યા હતા.. બે દિવસ સુધી તેમને પોતાના ઘરમાં રાખી અને કચિગામ અને આસપાસના વિસ્તારની રેકી કરી હતી.. ત્યારબાદ આ એટીએમ મશીન ને નિશાન બનાવવા માટેનો પ્લાન કર્યો હતો. અને પ્લાન મુજબ જ તેઓ રાત્રે એટીએમ મશીન પર પહોંચ્યા હતા.. આરોપી હિતેશ કંડારા એટીએમ મશીનની બહાર ચોકી કરી રહ્યો હતો.. જ્યારે કાયદાના સંઘર્ષ માં આવેલા બે સગીરો એટીએમ મશીનમાં જઈ અને મશીન તોડી અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા હતા.. જોકે આ તસ્કરોની કમનસીબી કે એ જ સમયે દમણ પોલીસની એક પેટ્રોલિંગ વાન ત્યાંથી પસાર થતાં જ આરોપીઓ પોતાનો પ્લાન મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.. જોકે સવારે એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોવા મળતા બેંકે ફરિયાદ દાખલ કરતા જ દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો સામે પણ કાયદાકીય પગલાં માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યુ છે કે આ ચોરીમાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીરો પર પાલી પોલીસ સ્ટેશનના આસપાસના વિસ્તારમાં અનેક ગુનાઓમાં નામ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે ..આથી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે..
બાઈટ :2 શશી કુમાર સિંગ
પીએસઆઇ , કચી ગામ પોલીસ સ્ટેશન ,દમણ
વી ઓ:3
અત્યારે તો પોલીસે ઝડપાયેલા આરોપી હિતેશ કંડારાની ધરપકડ કરે તેના ગુનાહિત ભૂતકાળ તપાસવા માટેની તપાસ હાથ ધરી છે. જોકે આ ગુનામાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો હજુ પોલીસ પકડથી દૂર છે ..ત્યારે આટલી નાની ઉંમરે આવી ગુનાખોરીમાં ડગ માંડતા આવા સગીરોને સાચી દિશા મળે તે જરૂરી છે..
નિલેશ જોશી ઝી મીડીયા દમણ.
લોકેશન દમણ
ftp/vapi/August25/12.8.25/zk1208_daman_atm_loot/2visual/2bite.
4
Report
URUday Ranjan
FollowAug 12, 2025 08:37:30Ahmedabad, Gujarat:
Slug : 1208ZK_LIVE_AHD_GHARFOD_CHOR
Reporter : UDAY RANJAN
Injgst Feed : 1208ZK_LIVE_AHD_GHARFOD_CHOR
Date : 12 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ :
સ્ટોરી ને લગતા સીસીટીવી સેન્ડ કરેલ છે
એન્કર :
ઓનલાઈન ગેમ રમવા માટે થી ઘરફોડ ચોરી કરનાર એક ચોર ની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી ... ચોર આપસે થી ચોરી માં ગયેલ મુદામાલ કબ્જે કરી અમદાવાદ ની ત્રણ ચોરી ના ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો છે ....
વીઓ : 01
અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સીજી રોડ પર આવેલ સિટીન્સેન્ટર કોમ્પલેક્ષ માં આવેલ એક ઓફિસ માંથી એક અઠવાડીયા પહેલા 8 લાખ ના સોના ચાંદી ના દાગીના સહિત ની રોકડ રકમ ચોરાય હતી આ બનાવ બનતા ની સાથે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબી ની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં કોમ્પલેક્ષ માં લાગેલા એક સીસી ટીવી માં શંકાસ્પદ નજરે પડ્યો હતો જેની વધુ તપાસ કરતા અમદાવાદ ની એક હોટલ અને હોટેલ થી સુરત સુધી તપાસ પહોંચી હતી અને જેની ઓળખ રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત થઈ હતી ત્યારે પોલીસ દ્વારા રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત ને લઇ ને વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે ચોરી ની ટેવ કરવા વાળો છે જેના વિરુધ્ધ વર્ષ 2016 માં અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ચોરી કરવા ના ગુના હેઠળ ધરપકડ થઈ ચૂકી છે અને વર્ષ 2019 માં સુરત ના અઠવાલાઇન્સ, અડાજણ, પુણા, ઉમરા , ડુમસ સહિત ના પોલીસ સ્ટેશન માં 9 ફરિયાદ ચોરી ની થઈ ચૂકી છે અને ધરપકડ પણ કરવા માં આવી હતી ત્યારે આરોપી રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત સુરત માં જ રહેતો હોવા ની બાતમી આધારે ઝોન1 એલસીબી અને નવરંગપુરા પોલીસ ની ટીમે સુરત ખાતે થી નવરંગપુરા ના ચોરી ના કેસ માં ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરી હતી
બાઈટ : અમિત દેસાઈ , પીઆઈ , નવરંગપુરા પોલીસ સ્ટેશન
વીઓ : 02
આરોપી ચોર ની પૂછ પરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે નવરંગપુરા વિસ્તાર સહિત અમદાવાદ ના આનંદનગર અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પણ ચોરી ના ગુના ને અંજામ આપી ચૂક્યો છે જેમાંથી નવરંગપુરા માં થયેલ ચોરી માં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછ પરછ હાથ ધરી જેમાં વિગતો સામે આવી હતી કે આરોપી બસ કે ટ્રેન મારફતે અમદાવાદ ખાસ ચોરી કરવા માટે થી આવતો હતો અને અમદાવાદ માં અલગ અલગ વિસ્તારની હોટેલ માં રોકાય જતો હતો બાદ માં દિવસે બંધ મકાન કે બંધ ઓફીસ ની રેકી કરી ચોરી કરવા ના સ્થળ પર છુપાય જતો અને રાત્રે ના સમયે મોઢે રૂમાલ બાંધી ચોરી ના ગુના ને અંજામ આપી ને ફરાર થઈ જતો હતો
બાઈટ : અમિત દેસાઈ , પીઆઈ , નવરંગપુરા પોલીસ સ્ટેશન
વીઓ : 03
ત્યારે આરોપી ની વધુ પૂછ પરછ કરતા ચોરી કરવા પાછળ નું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે આ ચોરને ઓનલાઇન ગેમ રમવા ની આદત હતી જેમાં પૈસા લગાડવા ના કારણે ચોરી કરતો હતો અને ચોરી કરેલ તમામ મુદામાલ વેચી ને જે રોકડ મળતી તે ઓનલાઇન ગેમિંગ માં લગાડી દેતો હતો ત્યારે આ આરોપી રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત મૂળ નેપાળ નો રહેવાસી છે અને બે પત્નીની નો પરીવાર છે જે બંને પત્નીઓ ચોરી ની ટેવ થી કંટાળી ઘર માં હાંકી કાઢ્યો છે ત્યારે પોલીસે હાલમાં એ તપાસ શરૂ કરી છે કે ઓનલાઇન ગેમિંગ માં અત્યાર સુધી માં કેટલા પૈસા રોક્યા છે અને આ સહિત ની કોઈ ચોરી ના ગુના ને અંજામ આપ્યો છે કે કેમ
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
2
Report
AKArpan Kaydawala
FollowAug 12, 2025 08:37:16Ahmedabad, Gujarat:
અમદાવાદ
ભારત દેશમાં જન્મદર નોંધનીય રીતે ઘટતી ગયો છે. જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. હમ ડો હમારે દો અને કેટલાય કિસ્સામાં લગ્ન બાદ દંપતી બાળક જ ન ઇચ્છતું હોવાથ aa પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ઝી 24 કલાકે આ અંગે કેટલીક મહિલાઓ સાથે વાત કરી, જેમાં સામાજિક થી લઇ આર્થિક બાબતો કારણભૂત હોવાનું તેઓએ જણાવ્યા. ખાસ કરીને વર્તમાન સમયમાં યુવાઓ કરિયર ઓરિએન્ટેડ એટલકે પોતાની વ્યવસાયિક કારકિર્દીને વધુ મહત્વ આપતા હોવાનું કારણ સામે આવ્યું. કેટલાકના મતે હવે સંયુક્ત પરિવાર રહ્યા ન હોવાથી બાળકોના જન્મ બાદ તેમના ઉછેરનો મોટો પ્રશ્ન પણ જવાબદાર છે. તો કોઈકના મતે સતત વધતી મોંઘવારી વચ્ચે બાળકોનો ઉછેર અને પરિવારનું ભરણપોષણ પણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું.
5 બાઈટ
2
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 08:37:08Surat, Gujarat:
સુરત - સુરતમાં ટ્રાફિક ઈ ચલણની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો
ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલન નો અભાવ
સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો ચોકાવનારો કિસ્સો
પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયેલી મોપેડ ના ટ્રાફિક પોલીસ હજુ પણ મૂળ માલિકને આપી રહી છે મેમો
કતારગામના નરેશભાઈ ધોળાની એકટીવા વર્ષ 2021માં ચોરી થઈ હતી
ચોરી થયેલી એકટીવાના અલગ અલગ ચાલક સાથેના બે વખત આવ્યા મેમો
ફરી એક મેમો તો હાલ ત્રણ મહિના પહેલા જ આવ્યો
ઓનલાઇન મેમોની પોલીસને જાણ કરવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહીં
પોલીસની નિષ્ક્રિયતાને કારણે આજે ચોરાયેલી મોપેડ પણ માલિકને પરત મળતી નથી
ચોરાયેલી મોપેડ શહેરમાં બિન્દાસ ફરી રહી છે કયા વિસ્તારમાં ફરે છે તે તમામ વિગત મળી જવા છતાં પણ પોલીસ પકડતી નથી
શહેરમાં ખોટી રીતે ઘરે આવતા ઈ ચલણના અનેક કિસ્સાઓની ફરિયાદ છતાં પોલીસની નિષ્ક્રિયતા
ગતરોજ પણ પુણા વિસ્તારમાં મોપેડ ઘરે છતાં વાહન માલિકને આવતા હતા મેમો
પોલીસની કામગીરી સામે લોકોએ ઠાલવ્ય રોષ
પોલીસની ઈચ્છા શક્તિ હોય તો ધારે તે કરી શકે
બાઈટ: નરેશભાઈ ધોળા, વેપારી
2
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 07:01:36Surat, Gujarat:
સુરત...
પિયર ચાલી ગયેલી પત્નીને પરત લાવવા સાઢુભાઈ ના બાળકનું અપહરણ
સચિન વિસ્તારની ઘટના
ત્રણ વર્ષના બાળકના અપહરણ નો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો
આરોપીની સચિન પોલીસે કરી ધરપકડ
રિયાઝ અબ્દુલહક મન્સૂરી ની ધરપકડ
દસ ઓગસ્ટ સચિન સુડા સેક્ટર 3 માંથી બાળક નું અપહરણ કરાયું હતું
બાળકના પિતા રહીમ મન્સુરી દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરતા ,
બાળકનું અપહરણ સાઢુ ભાઈ કર્યું હોવાનું બહાર આવ્યું
પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
જ્યાં અંતે આરોપી ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી,
પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી,
બાળકના પિતા આરોપીનો સગામાં સાઢુભાઈ
પત્ની પિયરે ચાલી જતા બાળકના પિતાને મધ્યસ્થિતિ કરવા આજીજી કરી હતી
પરંતુ બાળકનો પિતા મધ્યસ્થિતિ કરવા તૈયાર નહોતો
જેથી બાળકનું અપહરણ કર્યાની કબુલાત આરોપીને પોલીસ તપાસમાં કરી
સચિન પોલીસે બાળકનો કબજો પરિવારે સોંપી વધુ તપાસ હાથ ધરી
13
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 07:01:30Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતના વિયરની સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો
કોઝવેના નુકશાન ના દ્રશ્યો આવ્યા સામે
કોઝવે ડાઉન સ્ટ્રીમ એરિયાને ભારે નુકશાન
ગત વર્ષે આ નુકશાન થયું હતું
એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી
પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ ચોમાસુ શરૂ થઈ ગયું
ઉપરવાસમાં આ વર્ષે પણ લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું
કોઝવેને ભારે નુકશાન થવા પામ્યું
મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી
રાંદેર-સિંગણપોર જતા લોકોને ચકરાવો નહી લેવો પડે
૨૩ જુને ઓવરફલો થતા કોઝવે બંધ કરાયો હતો
આ વર્ષે ચોમાસા દરમિયાન ૫૦ દિવસ કોઝવે બંધ રહ્યો હતો
ઉપરવાસમાં વરસાદ નું જોર ઓછું થતા કોઝવે ઓવર ફૂલો થતા બંધ થયો હતો
વોક થ્રુ..ચેતન
14
Report
GPGaurav Patel
FollowAug 12, 2025 07:01:24Ahmedabad, Gujarat:
માણસા રાજવીએ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહને રોકડું પરખાવ્યું
જયરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઈતિહાસ બોલી ભ્રમિત કરી રહ્યા હોવાનો દાવો
માણસા કોલેજમાં વિદ્યાર્થીઓનો ઇતિહાસ અંગેનો હતો સેમિનાર
જયરાજસિંહ પરમાર ક્ષત્રિયોના ઇતિહાસ વિશે વાત કરતા અંગ્રેજોની ગુલામી સંદર્ભે કર્યો હતો ઉલ્લેખ
અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ થતા જ માણસા દરબાર યુવરાજસિંહે વાંધો ઉઠાવ્યો
સ્ટેજ પર જ જયરાજસિંહને ખોટો ઇતિહાસ પીરસી રહ્યા હોવાનું પરખાવ્યું
14
Report
NDNavneet Dalwadi
FollowAug 12, 2025 06:33:56Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૧૦/૦૮/૨૦૨૫.
સ્ટોરી : પેકેજ.
એપ્રુવલ : ડેસ્ક.
સ્લગ: ભાવનગરના પાંચ સહીત ગુજરાતનાં 27 પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી.
એન્કર:
દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા ભાવનગરના પાંચ સહિત ગુજરાતના 27 પરિવારો મેદાને પડ્યા છે. આ તમામ પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી પોતાના જીવનમાં આચરણમાં મૂકી છે. દિવસ ઊગે થી રાત્રે સુવે ત્યાં સુધી આ તમામ પરિવારો ઘરના તમામ કામકાજ દિનચર્યાઓ બધું જ અભ્યાસની સાથોસાથ પોતાના ઘરે પણ વ્યવહારૂ ભાષામાં પણ સંસ્કૃત નો ઉપયોગ કરી રહ્યા છે. હાલ સંસ્કૃત સપ્તાહ ચાલે રહ્યું છે ત્યારે સંસ્કૃત ભાષાને દ્વિતીય ભાષા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તેવી આ તમામ પરિવારોને માંગ છે.
વિઓ ૧:
ભારતમાં સંસ્કૃત ભાષાને દેવ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ સહિતના તમામ પુરાણો પણ સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા છે. હાલ સંસ્કૃત સપ્તાહ ચાલી રહ્યું છે. ત્યારે આ દેવ ભાષાના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતની સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો સંસ્કૃત ભાષાને પણ જીવંત રાખવી જ પડશે, એ માટે સંસ્કૃતના શિક્ષકો અને પ્રાધ્યાપકો પણ કાર્યરત છે. સાથે જ ભાવનગરના પાંચ સહિત ગુજરાતના કુલ 27 પરિવારો સંસ્કૃત ભાષાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. તો ચાલો ભાવનગરના સંસ્કૃત પરિવારોની મુલાકાતે જઈએ.
વિઓ ૨:
દેવભાષા સંસ્કૃત ને શીખવા માટે ભાવનગરમાં ચાર બાળ કેન્દ્ર છે. જેમાં ૧૦ થી ૧૨ જેટલા તાલીમ બંધ કાર્યકર્તાઓ અલગ અલગ સંસ્કૃતના સંભાષણ વર્ગોનું આયોજન કરે છે. જે પ્રયાસ થકી ભાવનગરના પાંચ જેટલા પરિવારોએ સંસ્કૃત ભાષા બોલતા થયા છે. સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ સંસ્કૃત વિષયને ચોક્કસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે પ્રાદેશિક ભાષાઓમાં આર-૧માં પ્રાદેશિક, આર-૨માં અંગ્રેજી, આર-૩માં હિન્દી અને આર-૪માં સંસ્કૃત ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ ૩ થીજ વિધાર્થી દ્વિતિય ભાષા તરીકે શીખી, બોલી અને વાંચી શકે એ માટે અંગ્રેજીના સ્થાને આર-૨માં સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિઓ ૩:
ભાવનગર શહેરમાં માત્ર એકલ દોકલ વ્યક્તિએ જ નહીં પૂરા પાંચ પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી છે. જેમાં નાના મોટા સહુ સંસ્કૃતના અભ્યાસની 707 પોતાના ઘરે અને વ્યવહારુ ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. હાલ સંસ્કૃત ભાષા આ પાંચે પરિવારની પારિવારિક ભાષા બની ગઈ છે. સંસ્કૃત એ વ્યાકરણની દ્રષ્ટિએ થોડું અઘરું લાગે છે. પરંતુ વ્યવહારુ ઉપયોગમાં અને બોલવામાં અંગ્રેજી ભાષા કરતા પણ સરળ છે. આ પાંચેય પરિવારો પોતાનો પરિવાર સંસ્કૃત પરિવાર હોવાનું ગૌરવ અનુભવે છે.
વિઓ ૪:
ઝી મીડિયાની ટીમે ભાવનગરના પાંચ સંસ્કૃત પરિવારો પૈકી પ્રણવભાઈ રાજ્યગુરુ અને ઊર્મિબેન જાની પરિવારની મુલાકાત લીધી હતી, જેના પરિવારને સંસ્કૃત પરિવારનું બિરુદ મળ્યું છે. એવા પ્રણવભાઈ રાજ્યગુરુ પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેમના પત્ની ભાર્ગવિબેન રાજ્યગુરુ, ધોરણ ૯માં અભ્યાસ કરતો પુત્ર અને ધોરણ પ માં અભ્યાસ કરતી પુત્રી, પ્રણવભાઈના પિતા સહિત આખો પરિવાર સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે. ભાર્ગવિબેનનો પરિવાર ગુજરાતી ભાષા બોલે છે. તેમણે જણાવ્યું હતું કે લગ્ન બાદ પોતે પણ પતિ પ્રણવભાઈની મદદથી સંસ્કૃત ભાષાને આત્મસાત કરી લીધી છે. અને તેઓ પણ પતિ અને બાળકો સાથે સંસ્કૃત ભાષામાંજ વાતચીત કરે છે. જ્યારે ઊર્મિબેન જાની ૧૯૯૭ થી સંસ્કૃત સાથે જોડાઈ ગયા છે. સંસ્કૃત શીખવા પાછળ ઊર્મિબેન જાની એ એક વર્ષ ગૃહ ત્યાગ કર્યો હતો, હાલ તેના માતા-પિતા સાસુ સસરા ભાઈ ભાભી તમામેં સંસ્કૃત ભાષાને આત્મસાત કરી પારિવારિક ભાષા બનાવી લીધી છે. જ્યારે એ સિવાયના માધવીબેન ઉપાધ્યાય, યોગેશભાઈ પંડ્યા અને ધનેશ્રીબેનના પરિવારોએ પણ સંસ્કૃત ભાષાને પારિવારિક ભાષા બનાવી સંસ્કૃત પરિવાર તરીકેનું બિરુદ મેળવ્યું છે.
બાઈટ: પ્રણવભાઈ રાજ્યગુરુ, પતિ (હિન્દી અને ગુજરાતી)
બાઈટ: ભાર્ગવિબેન રાજ્યગુરુ, પત્ની.
બાઈટ: ઊર્મિબેન જાની (સંસ્કૃત અને ગુજરાતી)
બાઈટ: વિરાટભાઈ જાની(હિન્દી)
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 12, 2025 06:32:41Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Location Bhuj bsf camp
Approved: assignment
FTP KUTCH
1208ZK_BSF_TIRNGAYATRA
એંકર : આખા એ ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું અને ઘર ઘર તિરંગાની વાત વહેતી થઈ અને એક દેશ પ્રેમનો જુવાળ જાગી ઉઠ્યો છે ત્યારે સરહદના સંત્રી એવા બીએસએફના જવાનો પણ સાયકલ રેલી કાઢી અને ઘર ઘર તિરંગા ને પહોંચાડવા માટે કટિબંધ બનેલા છે આજે વહેલી સવારે ભુજ બીએસએફ હેડક્વાર્ટર કોડકી રોડથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાડી ખેતરના સેઢા સુધી પણ આ સાયકલ રેલી પહોંચી અને ઘર ઘર તિરંગાનો સંદેશ આપ્યો હતો.
બીએસએફના ડીઆઈજી સહિતના અધિકારીઓએ પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. તારીખ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આ ક્રમ ચાલુ રાખવામાં આવશે.
લગભગ 40 જેટલા ઓફિસરો અને અધિકારીઓ તેમજ બીએસએફના જવાનો જોડાયા હતા. હેડ ક્વાટરથી થઈને સોસાયટી વિસ્તારથી છેક વાડી ના શેઢાઓ સુધી આ યાત્રા અંદાજિત 10 કિલોમીટર સુધી કાઢવામાં આવી હતી.
બાઈટ : અનંતસિંઘ
ડીઆઈજી બીએસએફ
14
Report
MSManish Shanker
FollowAug 12, 2025 05:15:32Sahibzada Ajit Singh Nagar, Punjab:
Manish Shanker Mohali जिसे सांई राखे, उसे कोई मार नहीं सकता।
अगर यह पेड़ पांच मिनट पहले गिर जाता, तो एक बड़ा हादसा हो सकता था। क्योंकि पांच मिनट पहले ही एक एक्टिवा सवार ने अपनी एक्टिवा बाहर खड़ी करके दुकान के अंदर सामान लेने गया था, और तभी तेज बारिश के कारण वह दुकान के अंदर ही रुक गया। फिर एक बड़ा हादसा हो गया।
इस घटना की तस्वीरें सीसीटीवी में कैद हो गईं। यह घटना मोहाली के फेज दो में हुई।
सीसीटीवी फुटेज
14
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 04:48:29Surat, Gujarat:
સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદ ની એન્ટ્રી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે વરસાદ ની આગાહી
સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી છાંટા ઝાપટા
અઠવા ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી
14
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 04:48:25Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના
બંગાળીઓને મકાન ભાડે આપવાને લઈ હંગામો
રૂઢનાથપુરામાં પાડોશી યુવતી સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા
દલાલને મહિલા સહિત પાંચ શખ્સોએ માર મારી તેની આંગળી ફેક્ચર કરી
બચાવ કરવા આવેલા દલાલ ના પિતા અને બહેનને પણ મારવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
મહિધરપુરા પોલીસે પાંચ વિરુદ્ધ રાયોટિગનો ગુનો નોંધ્યો
14
Report
NJNILESH JOSHI
FollowAug 12, 2025 04:47:16Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર આગની ઘટના
ઔદ્યોગિક નગરી વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
મધરાતે ગોડાઉનમાં આગ લાગતા દોડધામ
એક ગોડાઉનમાં લાગેલી આગ એક પછી એક બાર ગોડાઉનમાં પ્રસરી
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વેલન્સીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો
વાપી ફાયરની 6 ટીમ આગ પર કાબુ મેળવવાના હાથ ધર્યા હતા પ્રયાસ
લાંબી જહેમત બાદ અંતે આગ પર મેળવાયો કાબુ
14
Report
CPCHETAN PATEL
FollowAug 12, 2025 04:00:34Surat, Gujarat:
એકર
સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યારાઓને સુરત છોડીને ભાગી જાય તે પહેલા જ લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, મૃતક અને આરોપીઓ સગાં સબધી હતા અને નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી.
વિઓ.1
આ બનાવ લીંબાયત આસ્તીક નગર વિસ્તારમાં આવેલ નિરંકારી કિરાણા જનરલ સ્ટોર પાસે બન્યો હતો. 21વર્ષીય રવીન્દ્ર પાટીલ નામના યુવકનો તેના બે સાથીઓ દેવીદાસ ઉર્ફે દાદુ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ હલવાઇ સાથે ઝઘડો થયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો. આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીઓએ રવીન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. આરોપીઓએ રવીન્દ્રની પીઠના ભાગે, ડાબી બાજુ બગલના ભાગે અને ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે રવીન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હત્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ દેવીદાસ ઉર્ફે દાદુ ઉર્ફે ડેવીડ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ મોદનવાલનો ગુનાહિત ઇતિહાસ પણ છે. દેવીદાસ પાટીલ વિરુદ્ધ અગાઉ લિંબાયતમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. જ્યારે સન્ની હલવાઇ વિરુદ્ધ હત્યાની કોશિશ, પાંડેસરામાં પ્રોહિબિશન અને લિંબાયતમાં જુગારનો ગુનો નોંધાયેલો છે. આ ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કે આરોપીઓ અગાઉ પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા.તપાસ દરમિયાન આ ઘટનામાં મૃતક અને આરોપીઓ સગા સબધી હોવા અંગે પણ જાણકારી મળી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય વચ્ચે બે દિવસ પહેલા પણ બોલાચાલી થઈ હતી.
બાઈટ..ભગીરથ ગઢવી..ડીસીપી
14
Report