Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat394110

Surat - ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઈ વિભાગની આડોડાઈ ને કારણે જાતે નહેરની સાફ સફાઈ કરવાની ફરજ પડી

Apr 20, 2025 14:20:05
Palod, Gujarat
ઓલપાડ તાલુકાના બરબોધન, ભાડુંત સહિતના ગામોમાં જાતે નહેરમાં ઉતરી સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી નહેરમાં લીલનું સામ્રાજ્ય જામી જતા ઓલપાડ ના કાંઠાના ગામડાઓમાં પૂરતું પાણી પહોંચતું ન હોવાથી નહેર ખાતાના અધિકારીઓને વારવાર રજૂઆત કર્યા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી ન કરાતા ખેડૂતો અકળાયાખેડૂતોએ નહેરની સાફ કરી વિડિયો વાયરલ કરતા નહેર વિભાગની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JSJayanti solanki
Feb 14, 2026 08:23:21
Vadodara, Gujarat:વડોદરામાં ફરી એકવાર નબીરાઓની બેફામ ગતિએ એક માસૂમનો જીવ લીધો છે. અક્ષરચોક પાસે મોડી રાતે એક લક્ઝુરિયસ થાર ગાડીએ ફૂડ ડિલિવરી કરવા જઈ રહેલા 19 વર્ષીય યુવકને અડફેટે લ્યો. કરુણતા તો જુઓ, મુતુ અભિષેક મોરેનાનો નોકરીનો આજે પહેલી જ દિવસ હતો અને એ જ દિવસ તેનો અંતિમ દિવસ સાબિત થયો. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી નવરચના યુનિવર્સિટીનાં વિદ્યાર્થિનીએ સ્પીડના નશામાં બ્રેક મારવાની Tassidi પણ ન લીધી. આ વિશેષ અહેવાલ... વોડોદરાનો સન ફાર્મા રોડ... રાત્રિના એક થી બે વાગ્યાનો સમય... અને અચાનક ચીસ પાડી ઉઠે તેવા અકસ્માતના દ્રશ્યો. આ સીસીટીવી ફૂટેજ જુઓ, જેમાં એક એક્ટિવા ચાલક યુ-ટર્ન લઈ રહ્યો છે, ત્યારે જ સામેથી પૂરપાટ ઝડપે આવતી થાર ગાડી તેને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલક રોડ પર લાંბે સુધી ઘસડાયો. આ અકસ્માત સર્જનાર હતી 19 વર્ષીય ઋષિકા સદનાની, જે તેના અન્ય બે મિત્રોને સાથે લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઈ રહી હતી. આ અકસ્માતમાં જેણે જીવ ગુમાવ્યો છે તે અભિષેકે મુંબઈના પરિવાર પર આભ ફાટ્યું છે. અભિષેકે ગરીબ પરિવારને આર્થિક ટેકો આપવા માટે જ ફૂડ ડિલિવરીની નોકરી શરૂ કરી હતી. કમનસીબ જુઓ, નોકરીનો પહેલો જ દિવસ હતો, પહેલો જ ઓર્ડર કદાચ આપવા જઈ રહ્યો હતો. પોલીસ અત્યારે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, પરંતુ શું એક ગરીબના દીકરાને ન્યાય મળશે? શું આ માલેતુજાર નબીરાઓ સામે કડક દાખલો બેસાડવામાં આવશે? સમય સાથે જાણશે જનતા.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 14, 2026 08:15:28
Navsari, Gujarat:નવસારી શહેરમાં છેલ્લા થોડા મહિનાઓમાં રખડતા શ્વાસોની સંખ્યામાં સરળતા થતા શેરી, મોહल्लા અને સોસાયટીઓમાં શ્વાન કરડવાની ઘટનાઓ પણ વધી છે. ત્યારે નવસારી મહાનગરपालिका દ્વારા એનિમલ બર્થ कंट્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં શહેરમાં રખડતા શ્વાનોને પકડીને લાવવામાં આવે છે અને તેમને હડકવાની રસી આપવા સાથે ખસીકરણ પણ કરવામાં આવે છે. જેના કારણે શહેરમાં શ્વાનોની વધતી સંખ્યામાં ઘટાડો આવશે અને શ્વાનની આક્રમકતામાં ઘટાડો થવાથી ડોગ બાઈટ્સની ઘટનાઓમાં પણ ઘટાડો થશે. નવસારી શહેરમાં વર્ષોોથી રખડતાં શ્વાનની સમસ્યા લોકોને વણઉકેલાયેલી રહી હતી. નવસારી પાલિકા અને ત્યારબાદ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા રખડતા શ્વાણને પકડી તેમનું ખસીકરણ કરવા માટે ટેન્ડરો બહાર પાડી રહ્યા હતા, પરંતુ કોઈ એજન્સી ન મળતા સ્થિતિમાં કોઈ સુધારો આવી રહ્યો હતો. શહેરની ગલી, મોહલ્લા અને સોસાયટીઓમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો જોવા મળતો અને રખડતા શ્વાન દ્વારા આવતા લોકો કરડવાના ઘટનાઓ સામાન્ય બની હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ્સના સેંકડો કેસો નોંધાયા છે. ત્યારે શહેરમાંથી રખડતા શ્વાનને પકડવામાં આવે અને તેમનું ખસીકરણ થાય એવી માંગ ઉઠી હતી. જેને ધ્યાનમાં લઇને નવસારી મહાનગર પાલિકા દ્વારા અમદાવાદની સૌમ્યા એજન્સીને શહેરમાંથી શ્વાન પકડી તેને હડકવાના ઈંજેક્શનલ આપી ખસીકરણ કરવાની કામગીરી સોંપણી થઈ છે. ગત જાન્યુઆરી महिनાથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં મહાનગર પાલિકા દ્વારા પણ શ્વાન પકડવામાં આવ્યા હતા. હાલ ABC સેન્ટર માટે મહાનગર પાલિકા દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાં એજન્સીને પ્રતિ શ્વાન દીઠ ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 500 થી વધુ રખડતા શ્વાન પકડવામાં આવ્યા છે. ડો. રાજ ગોધાણી, વેટરનરી ડોક્ટર, નવસારી. સૌમ્યા એજન્સીમાં શ્વાન પકડવા અને પકડીને લાવીને ABC સેન્ટર પર દેખરેખ રાખવા માટે કુલ 8 કર્મચારીઓ કાર્યરત છે. તેમનો આ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પકડેલા શ્વાણને પકડીને ABC સેન્ટર પર લાવવામાં આવે છે. અહીં કાર્યરત 2 વેટરનરી ડોક્ટર દ્વારા શ્વાનને હડકવાના ઈન્જેક્શન આપવા સાથે જ ખસીકરણના ઓપરેશન પણ કરવામાં આવે છે. જેમાં નર શ્વાનની નસબੰધી થાય છે. જ્યારે દરિયો શ્વાનનું ગર્ભાશય કાદી નાખી દેવામાં આવે છે. ઓપરેશન બાદ શ્વાનને પાંચ દિવસ સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેમને જે તે સ્થળે ફરી છોડી મૂકવામાં આવે છે. મહાનગર પાલિકા દ્વારા શરૂ કરેલી શ્વાનના ખસીકરણની પ્રક્રિયાથી રખડતા શ્વાનોની આક્રમકતા ઘટશે અને વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેના કારણે શ્વાન કરડવાની ઘટનાઓ નિયંત્રણમાં આવશે. ડો. राज ગોધાણી, વેટરનરી ડૉક્ટર, નવસારી. નવસારી શહેરમાં રખડતા ઢોર બાદની સૌથી મોટી સમસ્યા રખડતા શ્વાનની છે. ત્યારે નવસારી મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલા ABC સેન્ટર થકી રખડતા શ્વાન તેમજ તેમની કરડવાની સમસ્યાથી શહેરીજનોને રાહત મળશે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 14, 2026 08:00:24
Sadhara, Gujarat:રાપર શહેર ના પ્રશ્ર્નો અંગે કલેક્ટરે મુલાકાત લીધી રાપર ને નર્મદાના પાણી પૂરતા મળી રહે એ માટે પાણી પુરવઠા ને અપાઈ સૂચના કચ્છ ના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુલાકાત લેવા મા આવી હતી જેમાં સૌ પ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરી ની મુલાકાત લીધી હતી તથા અધિકારીઓ અને કર્મચારીઓ ને સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારબાદ હરિયાણા સંકુલ માં આવેલ સરકારી વાણિજય કોલેજ ની મુલાકાત લઈ જમીન તથા મકાન ના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી ત્યારબાદ પશુ દવાખાના નું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તથા અન્ય મહત્વ ના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી તેમજ અન્ય પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી આજે યોજાયેલ મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી જે આર ગોહિલ મામલતદાર એચ.બી.વાઘેલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા બાંધકામ વિભાગ ના નાયબ ઈજનેર এস.પી.રામજીયાણી કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતો કે રાપર શહેર ના સરકારી કોલેજ ના મકાન બાબતે પશુ દવાખાના ને સ્થળાંતર કરવા અંગે ની કાર્યવાહી કરવા માટે રજુઆત ને ધ્યાનમાં રાખી ને આજે રુબરુ મુલાકાત લેવામા આવી હતી અને આગમી માર્ચ મહિના ની પંદર તારીખ થી નર્મદા ની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ બે મહિના સુધી રિપેરીંગ માટે બંધ રહેશે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને આગોતરા આયોજન અંગે સુચનાઓ આપવા મા આવી હતી આમ આજે કલેક્ટર દ્વારા રાપર ની મુલાકાત લઈ પડતર પ્રશ્નો ના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિ વિધિ કરવા મા આવી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 07:52:12
Surat, Gujarat:સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ ગોલવાડ અને રાણાવાડ વિસ્તારમાં અશાંત ધારાનો ઊલ્લંઘન બદલ આક્રો રોષ વ્યક્ત કર્યો છે. અશાંત ધારો અમલી હોવા છતાં આ વિસ્તારોમાં વિધર્મીઓને મકાનોનું વેચાણ થઈ રહેવાના ગંભીર આક્ષેપો કરાયા છે. ધારાસભ્યએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હોવા છતાં મકાનોના વેચાણની પ્રક્રિયા ચાલુ રહેતા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. અરવિંદ નાણાએ સર્કારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપ કરી જણાવ્યું કે લાખો રૂપિયા લઈને ખોટા રિપોર્ટ બનાવાય છે. અધિકારીઓએ રિપોર્ટમાં મંદિરની જગ્યાએ મઝાર બતાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો ધારાસભ્ય દ્વારા થયો છે. విధર્મીઓની વસાહત વધવાને કારણે સ્થાનિક મૂળ નિવાસી વિસ્તાર છોડી પલાયન કરી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરાઈ. ધારાસભ્યએ ચીમકી આપી છે કે ભ્રષ્ટ અધિકારીઓને છોડવામાં આવશે નહીં અને જવાબદારો સામે કડક કાર્યવાહી થઇ મેહાશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 07:52:02
Surat, Gujarat:સુરતના કાપડ બજારમાં ઈદ અને લગ્નસરાની સીઝન એકસાથે આવતા વેપારમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક જ મહિનામાં કાપડના ડિસ્પેચિંગમાં 150% થી વધુનો જંગી ઉછાળો આવતા વેપારીઓમાં ભારે ઉત્સાહ છે. દેશભરમાંથી મળેલી ઓર્ડરના પૂર્તિ કરવા માટે રોજના સરેરાશ 400 જેટલા ટ્રકો સુરતથી કાપડ ભરીને રવાના થઈ રહ્યા ہیں. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી સાડી અને ડ્રેસ મટીરિયલ્સની ભારે માંગ નીકળી છે. માલના વધુ પડતા ભરાવાને કારણે ટ્રાન્સપોર્ટરો પર દબાણ વધ્યું છે, પરિણામે કેટલીક એજન્સીઓએ કામચલાઉ નવા બુકિંગ બંધ કર્યા છે. વેપારીઓ સમયસર ડિલિવરી પહોંચાડવા માટે હવે ખાનગી વાહનો અને લોકઝરી બસના પાર્સલ સેવાનો પણ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમના જણાવ્યા અનુસાર, લાંબા સમયની મંદી બાદ ટેક્સટાઇલ સેક્ટરમાં ફરી રોનક પરત ફરી રહી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 14, 2026 07:48:49
Ahmedabad, Gujarat:અમદાવાદ ઘાંધીનગર જિલ્લ્યે પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ મહુડી ટ્રસ્ટનો વિવાદ વધુ ઉત્તેજક થયેલ છે. મહુડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદમાં પુર્વ સભ્યોએ વર્તમાન ટ્રસ્ટીઓ પર વહીવટ અને ટ્રસ્ટ સંચાલનમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિના આરોપ લગાવ્યા હતા. પૂર્વ સભ્ય અંકિત મહેતા અને જયેશ મહેતાના આરોપો સામે વર્તમાન ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા આપી. આરોપ કરનાર અંકિત મહેતા ૧૯ મહિના માટે પાસાની સજા ભોગવી ચૂક્યા આવ્યા છે; મહુડી ટ્રસ્ટે તેમના ગુનાહિત ઈતિહાસના કારણે તેમને ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. પદ પરથી દૂર થયા છતાં તેઓ ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી રહ્યા છે એવું ટ્રસ્ટે જણાવ્યું. ૨૦૧૨ માં ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેતા પકડાયા હતા અને ત્યારબાદ તેમની રાજીનામું લેવાયું હતું. ત્યારબાદ તેમણે અન્ય ટ્રસ્ટીઓ પર ૬૫ કિલો સોનાની ચોરીના આરોપ લાવી કાયદેસરસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી; બાદમાં આરોપના તમામ તથ્યો સ્પષ્ટ થયા ન હતાં. વર્ષ ૨૦૨૩ માં મહુડી તીર્થ ભંડારમાંથી નિલેશ મહેતા અને સુનિલ મહેતા CCTVમાં કેદ થયા હતા જે અંકિત મહેતા અને જયેશ મહેતાના કુટુંબી હતા. વર્તમાન ટ્રસ્ટીઓના ખરાબ સોનાના હેરાફેરાના આરોપો સામે તમામ પુરાવા હજુ ખરીદીના કાયદાકીય પ્રક્રિયા હેઠળ ભંડોળ સામે દેખાઈ રહ્યા છે. ૨૦૧૪ થી ૨૦૧૨ સુધીના ઓડિટ રિપોર્ટોમાં ટ્રસ્ટના સોનાના રેકોર્ડ સઘન રીતે સંગ્રહિત છે. લોકરમાંથી સોનાના દાગીના ચોરીના આરોપો પણ રહેલા હતા; કોઈ એક વ્યક્તિના બદલે ત્રણ લોકોના અલગ અલગ ચાવીથી લોકરમાં ખોલી શકાય તે રીતે ચોરી થઈ હતી. વર્તમાન ટ્રસ્ટીઓની નિમણૂક പാര്્ટી–વાઇલનને કારણે ગેરકાયદે થવાનો આરોપ હતો, પરંતુ તમામની નિયુક્તિ સામે આરોપ લગાવનારની પોતાની સહી હતી. બંને વ્યક્તિઓ સત્તાની લાલચમાં આદર તરીકે ખૂબ નીચે પહોંચ્યા છે— ટ્રસ્ટ દ્વારા આક્ષેપ. અત્યારે ઘણાં દોષિત ઇતિહાસ સાથેના આ افرادને ટ્રસ્ટમાં હોદ્દો નહી મળ્યો. ૨૦૨૩માં ટ્રસ્ટના કેટલાક ખોટા રિપોર્ટ બનાવી તેમની નિમણૂક અંગે ચેરિટી કમિશનર ઓફિસમાં દાખલો રજૂ કરવામાં આવ્યો હતો, જે ફગાવી દેવામાં આવ્યો. અંકિત મહેતા અને તેમની ધર્મપત્ની પણ બધા કૌભાંડમાં જોડાયેલા છે, તેમની સામે fir થઈ છે; સરકાર સામે આશરે દસ કરતા વધુ કેસ ચાલ્યા છે. જાતી-પ્રચારના બદલવાના કારણે કૌભાંડ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળી શકી. વર્તમાન ટ્રસ્ટીઓને બદનામ કરવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે – મહુડી ટ્રસ્ટ. આરોપ કરનારા બંને વ્યક્તિઓને ટ્રસ્ટમાં હોદ્દો જોઈએ નહિં, તેમના ગુનાહિત ઇતિહાસના કારણે કાઢી ફરમાવવામાં આવ્યા છે. વધી રહેલા આ અનિશ્ચિતતાઓ વચ્ચે ટ્રસ્ટના કાર્યદક્ષતાની ચેતવણી રહેશે.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 14, 2026 07:48:20
Sundar Nagar, Himachal Pradesh:આમ આદામી પાર્ટીમાંથી ખેડૂત આગેવાન રાજુ કરપડાએ રાજીનામું આપતા જિલ્લા‌ના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજુ કરપડાને પોતાની પાર્ટીમાં ખેંચવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા સામેથી આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસના જાણીતા ખેડૂત આગેવાન પાલ આંબલીયા અચાનક રાજુ કરપડાની ઓફિસે મુલાકાતે પહોંચ્યા હતા. પાલ આંબલીયાએ આ મુલાકાતને રાજકીય નહીં પરંતુ પારિવારિક સંબંધોના ભાગરૂપે હોવાનું જણાવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવા પ્રયાસ કર્યો. રાજુ કરપડા અગાઉ લાંબો સમય કોંગ્રેસમાં ખેડૂત આગેવાન તરીકે સક્રિય રહી ચૂક્યા હોવાથી કોંગ્રેસમાં પરત ફરે તેવી પ્રબળ શક્યતા છે. કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે રાજીનામું આપતા તેમની આગામી વ્યૂહરચના પર સૌની નજર છે. પાલ આંબલીયાની મુલાકાત બાદ રાજુ કરપડા કયા પક્ષનો ખેસ ધારણ કરશે તે અંગે સુરેન્દ્રનગરમાં તર્ક-વિતર્ક તેજ બન્યા છે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 14, 2026 06:32:17
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૪/૦૨/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: રાજ્યમાં ઠંડી ગાયબ થઈ જતા ઘઉંના પાકને થઈ શકે છે નુકશાન, ઉત્પાદન સામે વજન ઘટવાની સંભાવના. એન્કર: ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ 45 હજાર હેક્ટરથી વધુમાં ઘઉંનું વાવેતર કરવું દર્શાવે છે કે શિયાળાની ઠંડું વાતાવરણ ઘઉંની ગુણવત્તા અને જાળવણી માટે મહત્વપૂર્ણ છે. ઠંડીના અભાવમાં દાણો કમજોરી મળતી થાય અને લોટના પ્રમાણમાં ફેરફાર દૂર ઓછી અવસ્થામાં થાય છે. વિઓ ૧: ઘઉં એ શિયાળાનો મુખ્ય રવી પાક છે. જેને વાવણી ಸಮಯ કંડું અને પાકતી વખતે ગરમ-સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે. ભારતમાં નવેમ્બર-ડિસેમ્બર સમયમાં વાવેતર થાય છે. આ પાક માટે આશરે ૧૮ થી ૧૯ સેન્ટિગ્રેડ તાપમાન આદર્શ છે. ઠંડી માટે વિવિધ જાતો GW 513, GW 451, GJW 463, GW 547 આવી લોકવન પ્રકાર વધારે ઉત્પાદન આપે છે. શિયાળુ ઘઉઁના વાવેતર સામાન્ય રીતે વસંત ઘઉઁના વાવેતર કરતા વધુ ઉપજાવે છે. વિઓ ૨: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શિયાળામાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉંની વાવણી થાય છે. ગણાયેલી વાવેતર ૪૫ હજાર હેક્ટરથી વધુમાં થઇ છે. શિયાળુ પાકની શરૂઆત ધીમી હતી, પરંતુ હાલમાં ઠંડી ગાયબ હોવાથી દાણા વિકાસ અટકી ગયાનો સંકેત છે. જીવાતોના ઉપદ્રવનું જોખમ વધી રહ્યું છે પણ યોગ્ય કાળજી લેતા ખેતીવાડી સુખદ થયા શકે છે. વિઓ ૩: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘઉં ષિયાળાનો અગિયાર રીતે મહત્વનું વાવેતર ચાલી રહ્યો છે. ભાવનગરમાં વાવેતર ૨૭૦૭૮ હેક્ટરે વધ્યું છે. આ વર્ષે ઠંડી ન હોવાથી દાણાની ગુણવત્તા અને ઉપજ પ્રસ્તિ જોખમમાં છે. ખેડૂતોએ કાળજી લેવા માટે સત્તાવાર સૂચનાઓ સમજી રાખવી. બાઈટ: લાલજીભાઈ બેલડીયા, ખેડૂત, સીદસર. બાઈટ: વિરજીભાઈ જસાણી, ખેત નિષ્ણાત, ભાવનગર. બાઈટ: રિઝવાન ઘાંચી, જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 05:31:20
Surat, Gujarat:સુરતમાં કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયાની ધરપકડથી મચેલા ખળભળાટના મુખ્ય 7 મુદ્દા નીચે મુજબ છે: સુરતના કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયાની કરોડોની જમીન હડપવાના કેસમાં સ્પેશિયલ ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. વેસુ વિસ્તારની અતિ કિંમતી જમીન પચાવી પાડવા માટે એક જ સ્ટેમ્પ નંબર પર બે અલગ તારીખના સાટાખત બનાવ્યાના ખુલાસો થયો છે. વિનુ માલવિયા પર બોગસ સહીઓ અને બનાવટી લખાણ દ્વારા સરકારી રેકોર્ડ તેમજ ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આરોપ છે. નવી શરતની અને કલમ 43 હેઠળની પ્રતિબંધિત જમીન હોવા છતાં કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરાયા હતા. માત્ર ₹6 લાખના શંકાસ્પદ સાટાખતના આધારે ₹33.66 કરોડની મિલકત પર હક જમાવવાના વિવાદમાં પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીએ અગાઉ કોરા કાગળ પર સહીઓ મેળવી પાછળથી લખાણ પ્રિન્ટ કરી સિવિલ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હોવાનું ખુલ્યું છે. વિનુ માલવિયા વિરુદ્ધ પહેલા પણ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે હવે પોલીસ રિમાન્ડ મેળવી વધુ સંડોવણીઓને તપાસ હાથ ધરશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 04:52:25
Surat, Gujarat:સુરત :- સરકારે 25 લાખ ટન ઘઉં, પાંચ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી સરકાર ના આ નિર્ણય ને ખેડૂત આગેવાનોએ આવકાર્યા સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવાાત્મા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે 25 लाख ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. આ furthermore સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી નિર્ણય સરકારે, ઘઉંના ઉત્પાદનોની પાંચ લાખ ટનની નિકાસ કરવાની છૂટ આપી છે. પૂરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. વર્ષ 2025-26માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે 75 લાખ ટન પુરવઠો હતું, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે 32 લાખ ટન વધુ હતો. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસે 1 એપ્રિલ, 2026 સુધીમાં ઘઉંનો 182 લાખ ટન જથ્થો છે. આમ, નિકાસથી સ્થાનિક ખાદ્યાન્ન સુરક્ષાની જરૂરિયાતો પર કોઈ અસર નહીં થાય 2026માં રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર પર ગત વર્ષના 328,04 લાખ હેક્ટરની તુલનાએ વધીને આશરે 334.14 લાખ હેક્ટર થયું હતું. આ ઊંચુ વાવેતર ઘઉંના પાકમાં ખેડૂતોનો વિશ્વાસ દર્શાવે છે, જે એમએસપીની ખાતરી તથા ખરીદીની વ્યવસ્થા દ્વારા સમર્થિત છે. પુરવઠાની ઊંચી ઉપલબ્ધતા, કિંમતોમાં ઘટાડો, અપેક્ષા મુજબનું વધુ ઉત્પાદન તથા પાકના બજારમાં આગમન સમયે ઉતાવળે થતું વેચાણ નિવારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે સાથે સાથે જ બજારમાં પ્રવાહિતતા તથા સ્ટોકનું રોટેશન વધશે જેનાથી ખેડૂતોની આવક વધશે ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષાનું પણ જતન થશે. ખાંડની નિકાસ માટે સરકારે, વર્તમાન ખાંડ સીઝન 2025-26 દરમિયાન વધુ પાંચ લાખ ટન નિકાસની મંજૂરી આપી છે. આગાઉ વર્તમાન ખાંડ સીઝન દરમિયાન सरकारले 14 નવેમ્બર, 2025ના રોજ 15 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 14, 2026 03:50:41
Navsari, Gujarat:એન્કર : શિવ मય થવાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી. પુરાણો અનુસાર સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ વિષને بھોળાનાથે ગ્રહણ કરી પોતાના કંઠમાં રાખતા નીલકંઠ કહેવાયા. મહાદેવને વિષની અગનથી ઠંડક આપવા મહાશિવરાત્રીના દિવસે શિવભક્તો ઘીના કમળ અર્પણ કરે છે. ત્યારે નવસारीના શિવભક્ત હેમંત પટેલે 1 ટન ઘીમાંથી શિવજીની પ્રતિમાઓ અને ઘીના કમળ બનાવી મહાદેવની અનોખી આરಾಧના કરી છે. વી/ઓ : મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં અનેક કથાઓ છે. પ્રથમ તો શિવજીનું પ્રાગટ્ય મહાશિવરાત્રીના દિવસે થયું એટલે ભક્તો એની શ્રદ્ધા ભાવ સાથે ઉજવણી કરે છે. જ્યારે બીજી કથા મુજબ, અમૃત મેળવવા થયેલા સમુદ્રમંથનમાં પ્રથમ હળાહળ વિષ નીકળ્યું હતું. જે ત્રણેય લોકનો સંહાર કરી શકે એટલું સામર્થ્ય ધરાવતું હતું. આ હળાહળ વિષ કોણ ગ્રહણ કરે એની ચિંતા હતી. ત્યારે ભગવાન ભોલેનાથ સામે આવ્યા અને તેમણે અત્યંત ઝેરી હળાહળ વિષને ગ્રહણ કરીને પોતાના કંઠમાં ધારણ કર્યુ હતું. પરંતુ એની અગન ખૂબ teીવ્ર હોવાથી તેમને ઠંડકની જરૂર પડે છે, જેથી શિવજીને મહાશિવરાત્રીના દિને ઘીના કમળ ચઢાવવાની પરંપરા વર્ષોથી चली આવી છે. ત્યારે નવસારીના સદલાવ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અને શિવ ભક્ત હેમંત પટેલ છેલ્લાં 41 વર્ષોથી એક ટન ઘી માંથી મહાદેવ પ્રતિમાઓ અને ઘીના કમળ, શિવલિંગ, શિવ મુખ બનાવી ભગવાન ભોળેનાથની આરાધના કરે છે. આ વર્ષે પણ હેમંત પટેલે 1 ટન વનસ્પતિ ઘીને બરાબર મસળ્યા બાદ તેમાંથી અલગ અલગ આકારની અને મન મોહક 27 શિવ પ્રતિમાઓ બનાવી છે, જેની સાથે જ 25 ઘીના કમળ, 17 નાના શિવલિંગ અને 17 શિવ મુખ બનાવ્યા છે. હેમંત પટેલે ઘીમાંથી બનાવેલી શિવ પ્રતિમાઓ અને કમળ દક્ષિણ ગુજરાતના વિવિધ મંદિરો સાથે જ ગુજરાતના અને મહારાષ્ટ્રના શિવ મંદિરોએ મહાશિવરાત્રીના દિવસે મહાદેવને અર્પણ કરાશે. ખેડૂત હેમંત પટેલ ઘીના કમળ અને શિવ પ્રતિમાઓ બનાવવાનું કોઈcharg લેતો નથી, ફક્ત જેટલું ઘી વપરાયું હોય એના જ રૂપિયા લે છે. જયારે સદલાવ ગામના ચંદ્રકેશ્વર મહાદેવ માટે પણ વિશેષ પ્રતિમા બનાવી છે. વર્ષોથી ઘીની શિવ પ્રતિમાઓ અને કમળ બનાવતા હેમંત પટેલની નામના ગુજરાતના વિખ્યાત મંદિરોમાં પણ પહોંચી છે.
0
comment0
Report
Advertisement
Back to top