Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

રાયગઢના વૈજનાથ દાદાને રંગોળીથી અનોખો અલોકિક શણગાર કરાયો

Aug 25, 2024 15:09:23
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના રાયગઢના વૈજનાથ દાદાને આજે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને રંગોળી વડે અનોખો અલોકિક શણગાર કરવામાં આવ્યો છે.જેના ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હિંમતનગરના રાયગઢમાં શ્રાવણ માસની સાતમને રવિવારે વૈજનાથ દાદાને સુંદર અલગ અલગ કલરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની રંગોળીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા ધૂપ આરતી બાદ દીપ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.રંગોળીના શણગાર સજેલા દાદાના ગ્રામજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Mar 18, 2026 10:18:22
Surat, Gujarat:એંકર:સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના ઓથોપેડિક વિભાગનું મુખ્ય ઓપરેશન થિયેટર (OT) છેલ્લે એક સપ્તાહથી બંધ હાલતમાં હોવાથી ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. વિકલ્પ:1 ઓપરેશન થિયેટરમાં એસી સિસ્ટમ ખોરવાઈ જવા અને છતમાંથી પાણી ગળવાની (લીકેજ) ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઇન્ફેક્શનના ડર અને ટેકનિકલ ખામીને પગલે તંત્ર દ્વારા ઓટીને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, એક સપ્તાહ વીતી જવા છતાં હજુ સુધી સમારકામ પૂર્ણ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વિકલ્પ:2 ઓપરેશન થિયેટર બંધ હોવાને કારણે હાડકાની બીમારી ધરાવતા અને ઓપરેશનની રાહ જોતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. सामान्य રીતે અહીં દરરોજ સરેરાશ 20 જેટલા ઓપરેશન કરવામાં આવતા હોય છે. જેની સામે અત્યારે માત્ર 7 થી 8 ઓપરેશન જ થાય છે. વેઇટિંગ લિસ્ટ: લાંબા સમયથી તારીખ મેળવનાર દર્દીઓના ઓપરેશન પાછા ઠેલાયા છે. આ મામલે સિવિલ હોસ્પિટલના RMO ડૉ કેતન નાયકે કહ્યું હતું કે AC કોમ્પ્રેસરમાં સમસ્યા આવી હતી. સમસ્યા સર્જાતા સિવિલમાં PIU (પ્રોજેક્ટ ઈમ્પ્લેમેન્ટેશન યુનિટ) ડિપાર્ટમેન્ટે તંત્રને જાણકારી આપી હતી. નવું કોમ્પ્રેસર બદલાવી નાખવામાં આવ્યું છે આવતીકાલથી ફરી OT શરૂ થઈ જશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સર્જરીનું ઓપરેશન થિયેટર ઉપયોગ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સીના દર્દીઓને કોઈ હાલાકી ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું હતું.
911
comment0
Report
CPCHETAN PATEL
Mar 18, 2026 10:18:08
1071
comment0
Report
CPCHETAN PATEL
Mar 18, 2026 10:03:49
1049
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 18, 2026 08:51:13
Gujarat:નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મંકોડી ઘાટ થી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થશે. આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો એટલે કે તા.17મી એપ્રિલ સુધી ચાલશે. આ ૧૪ કિ.મી.ની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બોટ માટે જેટી, ડોમ, બેરીકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જયારે બોટમાંથી ઉતરી ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ એક સાથે 400-500ની સંખ્યામાં હોય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય, કોઈ vivementp અથવા મહાનુભાવેાં પરિક્રમાઆર્થે આવે તેવા સંજોગોમાં ફરજ પરના અધિકારી-કર્મીઓ પુરતી કાળજી રાખે, પરિક્રમાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, યાત્રા સુચારૂં રીતે પ્રારંભ થશે અને એક મહિના સુધી ચાલનારી આ યાત્રામાં અધિકારી-કર્મીઓ સૌએ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા પણ સૂચના આપી હતી.
1082
comment0
Report
URUday Ranjan
Mar 18, 2026 08:50:57
Ahmedabad, Gujarat:ગુજરાત એટીએસ ની ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી. ઉત્તરપ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં કાર્યવાહી. ૧ માર્ચના અમદવાદના ગોમતીપુરના શફાત આહેમદ ફારૂકીની ધરપકડ કરાઈ હતી. શફાત ફારૂકી પાસેથી ૪.૬ ગ્રામ એમડી પકડાયું હતું. સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની પણ ધરપકડ કરાઈ હતી. ત્રણેય આરોપીની પૂછપરછમાં થયો ખુલાસો. પંકજ અને કપિલે નામના આરોપીએ ૩૦૦ ગ્રામ એમડી આપ્યું હતું. એટીએસ દ્વારા પંકજ અને કપિલની તપાસ શરૂ કરાઈ હતી. પંકજ અને કપિલ અનેક વખત યુપીના આંબેડકર નગર જિલ્લામાં અવરજવર કરતા હોવાનું સામે આવ્યું. રામનગર ગામના એક ખેતરમાં બંને આરોપીઓ અવરજવર કરતા હતા. એટીએસ ને ખેતરમાં શંકાસ્પદ કાર્યવાહી ચાલતી હોવાની શંકા ગઈ હતી. ખેતરમાં ત્રણ નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામા આવતું હતું. મરઘાં ફાર્મની આડમાં ડ્રગ્સ ઉત્પાદન કરવાના આવતું હતું. ખેતરના શેડ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરાઈ. ખેતરના શેડ પરથી ૬ કિલો મેફેડ્રોન, ૫૦ કિલો લિક્વિડ મેફેડ્રોન, ૮૮ કિલો કેમિકલ સહિત ૨૦૦ કિલો રો-મટીરીયલ કબજે કરવાના આવ્યું. બે આરોપી યુપી ના હોવાથી એકબીજાના પરિચયમાં હતા. બે આરોપી ૧૦ અને ૧૨ પાસ હોવાથી કેમિકલની થોડી સમજ હતી. છેલ્લાં ૩ થી ૪ મહિનાથી ખેતરમાં ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલુ હતી. ડ્રગ્સ બનાવવા માટે મશીનરીનો ઉપયોગ કર્યા બાદ તેને છુપાવી દેવામાં આવતી હતી. 16 થી 20 કરોડ સુધી નો મુદામાલ કબ્જે કરવા માં આવ્યો છે. એક ચોકસ ચેનલ થી ડ્રગ્સ બનાવી ને બજાર માં આપતા હતા. ડ્રગ્સ આપવા માટે ની ખાસ એક ચેનલ બનાવી હતી.
1067
comment0
Report
LJLakhani Jaydeep
Mar 18, 2026 08:07:00
1095
comment0
Report
URUday Ranjan
Mar 18, 2026 08:00:18
Ahmedabad, Gujarat:અમદાવાદ ના સરખેજ ગામમાં મોડી રાત્રે ચીસ અને આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ ચોપડે નોંધાયેલ વિગત એવી છે કે, આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતાં સંજય અને તેના પરિવારે આશિષને મેથીપાક ચાખાડ્યો હતો, પરંતુ ત્યારે સામાજિક સમાધાન થઈ ગયું હતું. પરંતુ 17મીની રાત્રે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હਟાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો
1099
comment0
Report
PAParakh Agarawal
Mar 18, 2026 07:31:11
Ambaji, Gujarat:આવતીકાલ 19 માર્ચ થી ચૈત્રી નવરાત્રી નો prારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં તળાવમાં તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે જ્યારે અંબાજી આવતા હજ્જારો દર્શનાર્થીઓ ને દર્શન આરતી નો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશય થી અંબાજી મંદિર માં વક્રમ સંવત ના નવા વર્ષ થી એટલે કે 19 માર્ચ ને ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં કર્યો છે જેમાં સવારે આરતીઃ- 07.30 ના બદલે 07.00 કરવામાં આવશે, જ્યારે સાંજ નાં આરતી 6:30 ના બદલે 7.00 કલાકે કરવામાં આવશે સવારે આરતીઃ- 07.00 થી 07.30 ઘટ સ્થાપન સવારે - 7.30 થી 08.00 સવારે દર્શનઃ- 07.30 થી 11.30 બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી સાંજ ની આરતીઃ- 0700 થી 07.30 જ્યારે સાંજે દર્શનઃ- 07.30 થી રાત્રી નાં 09.00 સુધી ખુલ્લા રહેશે. ચૈત્ર સુદ આઠમ તારીખ 26 માર્ચે સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ તારીખ 02 એપ્રીલ સવારે આરતી 6.00 કલાકે થશે જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રી ની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રી ને લે અંબાજી માં યાત્રીકો ની ભારે ભીડ રહેતી હોય છે. અને નવે દિવન રાત અખંડ ધુન ચાલતીહોય છે ને લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધಾರಿ આરતી નો લ્હાવો લેતા હોય છે.
1007
comment0
Report
CPCHETAN PATEL
Mar 18, 2026 06:20:40
Surat, Gujarat:ભારતના પાંજરા રાજ્યો - આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો મેદાનમાં ઉતरे ત્યારે સુરતનું ટેક્સ્ટાઇલ માર્કેટ એક्शन મોડમાં આવી ગયું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની હાઈ-વોલ્ટેજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના કાપડ વેપારીઓને કરોડોના ઓર્ડર મળ્યા છે. આ વખતે બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે, પરંતુ પ્રચાર સામગ્રીની ખરીદીમાં ભાજપે અત્યારથી જ લીડ મેળવી લીધી હોય એવું ચિત્ર દેખાય છે. સુરત એ દેશનું ટેક્ષ્ટાઇલ હબ છે અને જ્યારે ત્યારે દેશમાં ચૂંટણી થાય ત્યારે પ્રચાર સામગ્રી માટે સુરત પર નિર્ભર રહેવું પડે છે. હાલ સુરતના અંદાજે 25 થી 30 મોટા વેપારીઓ દિવસ-રાત الانتخاباتલક્ષી સામગ્રી તૈયાર કરી રહ્યા છે. આ વેપારીઓ મુખ્યત્વે કાપડના ઝંડા, ખેસ, દુપટ્ટા અને સાડીઓનું ઉત્પાદન કરી રહ્યા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે સુરતના વેપારીઓને 25 થી 30 કરોડ સુધીનો મોટો વેપાર મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ વાર બંગાળમાં ભાજપની રણનીતિ આક્રમક છે, જે તેમના ઓર્ડર પરથી સ્પષ્ટ દેખાય છે. અગાઉની ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપે પ્રચાર મટીરીયલની ખરીદીમાં ધરખમ વધારો કર્યો છે. બંગાળના ગલી-મહોલ્લાઓમાં કેસરીયો રંગ લહેરાવવા માટે સુરતથી ટ્રકો ભરીને માલ વહેંચાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં PM નરેન્દ્ર મોદીના ચહેરો સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યો છે. સુરતમાં તૈયાર થઈ રહેલી પ્રત્યેક આઇટમમાં PM મોદીના ફોટો-નામ છવાયેલા છે. ભલે તે ટોપી હોય કે ખેસ હોય કે સાડી, બધે “મોદી મેજિક” જોવા મળે છે. ભાજપનાયકોએ ડિઝાઇન કરેલા ખેસ અને ઝંડાઓની ડિમાન્ડ સૌથી વધુ છે. પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારો निर्णાયક ભૂમિકા ભજવે છે, તો તેમને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ સાડીનો સહારો લેવામાં આવ્યો છે. સુરતથી અંદાજે 1.5 થી 2 લાખ સાડીઓ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી રહી છે. વેપારીઓના લેખ અનુસાર આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર માટે આ સાડીઓ વહેંચવામાં આવે છે. એક સાડીની કિંમત 100 થી 125 રૂપિયાની આસપાસ રાખવામાં આવે છે જેથી બલ્ક ઓર્ડરમાં પક્ષોને ફાયદો થઈ શકે. ચુંટણીમાં વહેંચવામાં આવતી સાડી માટે વિશેષ પ્રકારના મટીરીયલનો ઉપયોગ થાય છે. સુરતમાં પ્રસિદ્ધ એવા ‘ધાની’ અને ‘રોટો’ કાપડ પર આ સાડીઓ બનાવવામાં આવે છે. આ મટીરીયલ હલકો અને સસ્તું હોવા છતાં પ્રિન્ટિંગ ખૂબ આકર્ષક હોય છે. પાર્ટીના ચિન્હિત અને નેતાઓના ફોટા આ કાપડ પર સ્પષ્ટ દેખાય છે, જે પ્રચાર માટે ઉત્તમ માધ્યમ બનતા હોય છે. માત્ર ભાજપ જ નહીં, તૃણમૂલ કોંગ્રેસ (TMС) પણ સુરતથી માલ મોકલી રહી છે. મમતા બેનર્જીના ફોટાવાળા દુપટ્ટા અને ખેસની بھی બજારમાં માંગ છે. જોકે વેપારીઓનું માનવું છે કે આ વખતે TMC ની સરખામણીએ ભાજપના ઓર્ડરનું પ્રમાણ વધુ છે. ભાજપના નેતાઓ દ્વારા એડવાન્સ બુકિંગ અને જથ્થાબંધ ખરીદી જોતા બંગાળમાં આ વખતે કાટ સક્કરાવમાં જોવા મળશે. દૃશ્યભૂમિરૂપમાં દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તમિલનાડુ અને કેરળમાં ખેસ અને ધોતીની માંગ વધારે રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વના આસામ અને બંગાળમાં ઝંડા અને સાડીઓનું વર્ચસ્વ રહેશે. સુરતના વેપારીઓ દરેક રાજ્યની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ્ડ મટીરીયલ તૈયાર કરી રહ્યા છે. આ ચૂંટણી સીઝન સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જે લોકડાઉન બાદ ફરી ટફાઈ તેજી લઇ આગળ વધી રહ્યું છે.
981
comment0
Report
Advertisement
Back to top