Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

ઇડરમાં બે ઇંચ વરસાદ ખાબકતા ડેભોલ નદી બે કાંઠે વહી

Sept 06, 2024 00:58:30
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસવાને લઈને ઈડરના ગઢ વિસ્તારમાંથી પસાર થાત ડેભોલ નદી બે કાંઠે વહી હતી.તો અત્યાર સુધીમાં ઇડરમાં ચોમાસાની સિઝનમાં 38 ઇંચ વરસાદ નોધાયો છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Feb 06, 2026 06:36:22
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૦૫/૦૨/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. ભવનગર શહેરના વિકાસ માટે અતિ મહત્વનો ગણાતો રિંગરોડ વર્ષો બાદ પણ અધૂરો રહ્યો છે. વર્ષો અગાઉ શહેર ફરતી સડક તરીકે ઓળખાતો રિંગરોડ પણ હજુ અધૂરો છે. ત્યાં મહાનગરપાલિકાના વિસ્તૃત્તીકરણ સમયે 5 થી વધુ ગામોને જોડતા રિંગરોડનું નિર્માણકાર્ય શરુ કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી બે વિભાગોની લડાઈના કારણે સાત સાત વર્ષ વીતવા છતાં આજે પણ આ રિંગરોડ પૂરો નહિ આવતા મોટા વાહનો શહેર મધ્યેથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે અવાર નવાર અકસ્માત સર્જાવાનો ભય લોકોને સતાવી રહ્યો રહ્યો છે. જો રિંગરોડ બની જાય તો અહીંથી ભારે વાહનો પસાર થઇ શકે અને અકસ્માતનો પણ ભય ના રહે, ત્યારે રિંગરોડ બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વિઓ ૧: ભાવનગર શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. અને જે ગ્રાન્ટ નો મોટાભાગનો ખર્ચ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રોડના વિકાસ પાછળ જ કરવામાં આવે છે. જે પણ નરવી વાસ્તવિકતા છે. વર્ષ 2024-25 માં મહાનગરપાલિકાની હદમાં કુલ 473 કામ સૂચવવામાં આવ્યા હતા, તે પૈકી હજુ 316 કામ જ પૂર્ણ થયા છે. વર્ષ 2024 -25 દરમિયાન સૂચવેલા કુલ 473 કામ પૈકી 37 કામો તો વિવિધ પ્રકારની સર્વિસ લાઈન નાખવાના કારણે થઈ શક્યા જ નથી. જયારે 55 જેટલાં કામો હજુ કાર્યરત છે. જયારે મહાનગરપાલિકા દ્વારા વર્ષો પાજેલા જે રિંગરોડ બનાવવાની કામગીરી હાથ ધરવાની జరిగింది, એ રિંગરોડ આજે પણ પૂરી થઈ શકતા શહેર બહારથી આવતા માલવાહક ટ્રકો શહેર મધ્યેથી પસાર થઈ રહ્યા ہیں. બેફામ રીતે ચાલતા આવા ટ્રકોના કારણે અનેકવાર અકસ્માત સર્જાય રહ્યા છે. ત્યારે રિંગરોડની કામગીરી સત્વરે હાથ ધરી તેને પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. બાઈટ: હિમાશુ શુક્લા, વકીલ, ભાવનગર. વિઓ ૨: ભાવનગર શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં અનેક રોડ એવા છે. જે રોડને તૂટ્યા પહેલા જ નવા બનાવવામાં આવી રહ્યા છે. જયારે અંતરિયાળ શહેરી વિસ્તાર અને શહેર ફરેલા રહ્યા રહ્યો છે, રિંગરોડ પણ છેલ્લા ઘણા વર્ષોથી વિવાદમાં સપડાયેલો છે. મહાનગરપાલિકાના વિસ્તરણ સમયે અહીંના અનેક રોડ હજુ મનપા હસ્તક તબદીલ કરવામાં નથી આવ્યા, જેના કારણે અમુક વિસ્તારોમાં રિંગરોડનું કામ આર એન્ડ બી હસ્તક કરવામાં આવી રહ્યું છે. જે પૈકી મહાનગરપાલિકા હસ્તકના રીંગરોડમાં રુવા ગામ ચોકડીથી ગોકુળનગર તરફ બ્રિજ બનાવવાની કામગીરી શરુ છે. જયારે રવેચી તળાવથી મંત્રેશ ચોકડી સુધીનું કામ ઘણા સમયથી અટકી પડ્યું છે. જયારે મંત્રેશ ચોકડીથી ટોપ થ્રી સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ટેન્ડર હજુ તો અપલોડ કરવામાં જ આવ્યું છે. અને ટોપ थ્રી સર્કલ થી આગળનું કામપણ હજુ મંજૂરીની પ્રોસેસમાં બાકી છે. ત્યારે હવે આ રિંગરોડ બનાવવાની ક્યારે મંજૂરી મળશે અને ક્યારે કામ થશે તે બાબતે તંત્ર પણ માથું ખંજવાળે છે. જયારે હિલપાર્ક ચોકડી થી ઢબુડી તળાવ તરફ 400 મીટર બાકી રહેલ રસ્તો કે જે આર એન્ડ બી સ્ટેટ દ્વારા બનાવવામાં આવનાર છે. આમ ભાવનગરના વિકાસ માટે અતિ મહત્વનો ગણાતો રીંગરોડ વર્ષોથી અધુરો રહ્યો છે. વિઓ ૩: કોઈપણ શહેરનો વિકાસ તેના રિંગરોડને આભારી હોય છે ત્યારે કોંગ્રેસના જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શાસકો નગરજનો સાથે અન્યાય કરી રહ્યા રહ્યા છે, ભાવનગરનું વિકાસ કરવો હોય તો ર링રોડ જરૂરી છે, પરંતુ 20-25 વર્ષે એક રિંગરોડ પણ પૂર્ણ નથી થયું, વિકાસ આગળ નહિ વધતા લોકો માયગ્રેટ થઈ રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આ બાબતે મનપા સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રリングરોડના નિર્માણ માટે 280 કરોડ મંજુર કરવામાં આવ્યા છે, જેમાં નિર્મા ચોકડીથી આ રિંગરોડને બનાવવામાં આવી રહ્યું છે, આર. એન્ડ બી. દ્વારા જમીન સંપાદન થયે આગળનું કામ શરુ કરવામાં આવશે, જયારે મનપા હસ્તકના રોડ માટે ટેન્ડરિંગ કરી કામ આગળ ધપે એ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. બાઈટ: જયદીપસિંહ ગોહિલ, કોર્પોરેટર, ભાવનગર મનપા. બાઈટ: રાજુભાઈ રાબડીયા, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મનપા.
0
comment0
Report
DRDarshal Raval
Feb 06, 2026 04:31:18
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 05, 2026 13:22:28
:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રા ડાંગ જિલ્લામાં પ્રવેશી હતી અને નાશીક ઢોલ દ્વારા ઉમળકાભેર.swagata કરવામાં આવ્યું હતું. Amin Chavda અને Tushar Chaudharyએ વરતમાન સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની જન આક્રોધ યાત્રા તેના ત્રિજા તબક્કામાં છે, યાત્રા તેના ચોથા દિવસે ડાંગ જિલ્લામાં પ્રવેશે ત્યારે વઘઇ ખાતે કાર્યકરો અને સ્થાનિક નેતાઓ દ્વારા ફુલહાર અને નાશીક ઢોલના તાલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ਵઘਈ ગાંધી બાગ ખાતે સભાનું આયોજન થયું હતું. સભામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ ભાજપ ઉપર પ્રહાર કરતા મોંઘવારી, બેરોજગીારી અને ખેડૂતો તેમજ આમ જનતાના પ્રશ્નો પર વાતો કરી ભાજપ આદિવાસી વિરોધી હોવાનું જણાવ્યું હતું. તુષાર ચૌધરીએ આદિવાસીઓને અનામત આપવાનું કામ કોંગ્રેસે કર્યું હોવાનું જણાવ્યું હતું. સભાને સંબોધતા અમિત ચાવડાએ સરકારની વિવિધ યોજનાઓ વિશે આકરા પ્રહારો કર્યા હતા. ડાંગ જિલ્લામાં મનરેગામાં સરપંચ પાસેથી 8 ટકા કમિશન લેવાની સાબિતીoq છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 3 દાયકાથી ભાજપની સરકાર છે, આજે કોઈ આપણની વાત સાંભળતું નથી, પાંચ વર્ષે તક આવે તો જે આપણું કામ ન કરે તેને ઘર ભેગા કરવાનું અમારું કાર્ય છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 05, 2026 12:31:33
Modasa, Gujarat:આંકલન આરંભથી પોસ્ટમાં બહુ જ ગંભીર ઘટના ભિલોડા શહેરમાં બની છે. ભિલોડા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવરે સ્કૂলে જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ સામે આવી રહ્યો છે. ભોગ બનનાર સગીરા લગભગ 16 વર્ષની હોવાની મહિલાની પોલિસ ફરિયાદમાં નોંધવામાં આવી છે. આરોપી વિજય ગમેતીએ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી પોતાની પસંદગીની મરજી મુજબ અવાર-નવાર શારીરિક પ્રસંગો આચર્યા હોવાનું કહેવાયું છે. સગીરાની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (POCSO) અને સંબંધિત કલમો હેઠળ ગુનાનો નોંધી કાયદેસરી કાર્યવાહી શરૂ કરી છે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Feb 05, 2026 12:31:09
Botad, Gujarat:ગઢડા તાલુકાના જલાલપુર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી ગામના તળાવ પાસે રમતી બે માસૂમ સગી બહેને અકસ્માતે પાણીના ખાડામાં ખાબકતા બંનેના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે માલધારી પરિવાર سمیت સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામના માલધારી પરિવાર પશુઓ ચરાવવા માટે ગઢડાના જલાલપુર ગામે આવ્યા હતા. આ પરિવારની બે નાની દીકરીઓ રિદ્ધિબેન પોપટભાઈ સોરીયા (ઉંમર 7 વર્ષ) અને ગોપીબેન પોપટભાઈ સોરીયા (ઉંમર 5 વર્ષ) બંને બહેને તળાવના કાંઠે રમી રહી تھیں. તે દરમિયાન અચાનક પગ લપસી જતાં અથવા અજાણતા પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકીઓના કરુણ મોત થઈ હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. Tackal 108 ની ટીમને જાણ કરી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 ની टीम દ્વારા બંને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. "પશુઓ ચરાવવા આવેલા શ્રમિક પરિવારની બે ફુલ જેવી દીકરીઓ છીનવાઈ જતાં પરિવાર પર આભ ફાટી ગઈ છે. આ બનાવથી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે."
0
comment0
Report
DPDhaval Parekh
Feb 05, 2026 11:49:38
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/વિશાલભાઈ स्लग : NVS CONTROL RUM નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 02 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં આજના 05 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એનકર : જળ એજ જીવન... પરંતુ નવસારીામાં જળને કારણે જીવન મુશ્કેલીમાં મુકાયા છે. વાત છે નવસારી શહેરના શ્રમિક વિસ્તાર દશેરા ટેકરીની. અહીં છેલ્લા એક મહિનાથી ઓછા દબાણે અને ડહોલોં પાણી આવતા શ્રમિકોને વેચાતું પાણી લેવાની નોબત છે. મહાપાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા લોકોનું રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે Zee 24 કલાક ને પાણી સમસ્યાનો ફોન આવ્યું, તો અમે શ્રમિક વર્ગની સમસ્યાના સમાધાન માટેના પ્રયાસોમાં મંડી પડ્યા... P2C 01 : ધવલ પારેખ, નવસારી વી/ઓ : નસાણી શહેર દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પાણી કાપ સહન કરે છે. જેના પાછળનું કારણ eky કાકરાપાર ડાબા કાંઠા નેહરમાં 45 થી 50 દિવસનું સમારકામ હોય છે. જેમાં ઘણીવાર 10 થી 15 દિવસોનો વધારો પણ થાય છે. પરંતુ નેહરના સમારકામને કારણે નવસારીવાસીઓને દિવસમાં એક જ સમય પાણી મળે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં વર્ષોથી ઓછા દબાણે અને ડહોળું પાણી આવે છે, પરંતુ પાલિકા કે મહાપાલિકામાં વર્ષોથી એક જ ખાતામાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ તેનું સમાધાન લાવવામાં આળસુ સાબિત થયા છે. હાલ પણ નહેરના બંધ રોટેશનને કારણે દુધિયા તળાવમાં પાણી ખૂટ્યું છે, જેને કારણે શહેરમાં ભેંસતખાડા, જલાલપોર, દશેરા ટેકરી જેવા અનેક વિસ્તારોમાં પાણી નહીં મળતા લાખો લોકો પાણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરના શ્રમિક વિસ્તાર દશેરા ટેકરીના તલાવડી, કંસારા સામે, રામજી ખત્રી સહિતના વિસ્તારોમા પાણી ઓછા દબાણે અને ડહોળું આવવાથી મહિલાઓ કામ ઉપર પણ જઈ શકતી નથી. રોડથી एक ફૂટ ઉંચી પાણીની લાઇન કે નળ પણ નથી, તેમ છતાં લોકોના ઘરે પાણી આવતું નથી, અન્ય લોકોને ત્યાંથી અથવા ઘરથી થોડો દૂર કોઈના ખાનગી બોરમાંથી પાણી લાવવા પડે છે. P2C 02 : ધવલ પારેખ, નવસારી (ઉર્મિલા રાઠડોના ઘર બહાર) બાઈટ : વિનુ રાઠોડ, સ્થાનિક, તલાવડી, દશેરા ટેકરી, નસાણી બાઈટ : હરિશ રાઠોડ, સ્થાનિક, કંસારાની સામે, દશેરા ટેkari, નવસારી વી/ઓ : પાણી સમસ્યાથી ઉર્મિલાબેન તેમજ તેમના વિસ્તારની મહિલાઓને કપડાં ધોવાની મુશ્કેલી પડે છે. дни સુધી કપડાં ધોવાતા નથી, પરંતુ શાળાએ ભણતા બાળકોના યુનિફોર્મ ન ધોવાતા આ મહિલાઓની સ્થિતિ કફોડી બને છે. بچے શાળામાં સાંભળવું પડે અને તેઓ ઘરે આવીને અકળાય છે. ત્યારે પાણી સમસ્યાથી કંટાળેલા ઉર્મિલાબેન તેમની સહેલી સાથે કપડાં થેલીમાં ભરી, વોર્ડ 13 ના પૂર્વ નગરસેવક વિજય રાઠોડની દુકાને પહોંચી તેમને સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ કપડાં કેવી રીતે ધોવા, પાણી આપો, મહાપાલિકામાંથી પાણીના ટેન્કર પણ નથી આવતા, રસ્તો ખોદી નાખ્યો છે, તો દૂર સુધી લઈ જવા પડે છે, જેવી વ્યથા ઠાલવી હતી. Zee 24 કલાકની ટીમે પણ પૂર્વ નગર સેવક સાથે પાણી સમસ્યાના સમાધાન માટે વાત કરી, તો તેમણે પણ અમારી સાથે ઉર્મિલાબેનના问题ના સમાધાન માટે મહાપાલિકા કચેરીએ આવવાની તૈયારી જણાવડી જેને તેઓ ઘટના નોંધાવી હતી. P2C 03 : ધવલ પારેખ, નવસારી (પાલિકા કચેરી) વી/ઓ : ઉર્મિલાબેન તથા તેમના વિસ્તારની મહિલાઓની પાણીની સમસ્યા જાણ્યા બાદ અમે તેમની સાથે મહાનગર પાલિકાની કચેરીએ જવા નીકળ્યા. રસ્તામાં ઉર્મિલાબેને જણાવ્યું કે તેમના લગ્નને 20 વર્ષો થયા, અગાઉ પાલિકાનું જ પાણી પિતા અને યોગ્ય દબાણથી પાણી આવતું હતું. પંચતુન્જ મહાપાલિકા બન્યા બાદ પાણી માટે અમારે તરસ્યા રહેવું પડે છે. પાણી વેરો ભરીએ છીએ, તો પણ પીવા અને રસોઈ માટે વેચાતું પાણી લેવા પડે છે. મહાપ્રિલિકાના કચરી મયુરભાઈને ફોન کنیم તો યોગ્ય જવાબ નહીં આપી, ઉડાઉ જવાબ આપે છે. পানিના ટેન્કર પણ મોકલતા નથી. પાણી જ નથી તો કેવી રીતે મોકલીએ એવા જવાબ આપે છે. જોકે આ વાતો સાથે અમે નવસارى મહાનગર પાલિકાએ પહોંચ્યા, અહીં ડેપ્યુટી કમિશ્નર ગૌરવ વાસાણી સામે ઉર્મિલાબેન અને તેમની સહેલી આશાબેન પટેલે પોતાની મુશ્કેલી સાથે પાણીની વ્યથા વર્ણવી હતી. ડેપ્યુટી કમિશ્નરે બંને મહિલાઓની વાતો સાંભળી અને તેમને નહેરના રોટેશનને કારણે સમસ્યા હોવાનું જણાવી તરત વૈકલ્પિક વ્યવસ્થા કરીને તલાવડીમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. साथ જ મહિલાઓ તેમજ પૂર્વ નગર સેવકે ડેપ્યુટી કમિશનરની વાત મુજબ ત્વરિત બોર માટેની પ્રક્રિયાની તૈયારી શરૂ કરી છે. P2C 04 : ધવલ પારેખ, નવસારી
0
comment0
Report
Advertisement
Back to top