Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર તાલુકા કિસાન સંઘનો ત્રિવાર્ષિક સભા યોજાઈ,નવીન કારોબારીની રચના અને દાતાઓનું સન્માન કરાયું

Sept 01, 2024 15:19:04
Himatnagar, Gujarat

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી તો દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે રવિવારે હિંમતનગર તાલુકા કિસાન સંઘની ત્રિવાર્ષિક સભા યોજાઈ હતી.જેમાં 20 સભ્યોની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Mar 20, 2026 02:15:24
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૦૩/૨૦૨૬. સ્ટોરી: ઍવીબી. એપ્રુવલ: અસાઈમેન્ટ. ભાવનગરના ઇતિહાસમાં અશાંતધારા ભંગનો પ્રથમ ગુન્હો નોંધાયો. એન્કર : અશાંતધારા ને લઈને ગુજરાતમાં અમદાવાદ બાદ ભાવનગર શહેરમાં બીજો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. શહેરના ક્રેસંટ વિસ્તારમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર સાટાખત કરી મિલ્કતનુ વેચાણ કરાયું છે. જયારે ખરીદનાર પણ રૂપિયા ચૂકવી કબ્જો મેળવવા આવી જતા બંને સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. હિન્દૂ વ્યક્તિએ રહેણાંકી મકાનના સાટાખત કરી રૂપિયા 93 લાખમાં વિધર્મી ને મિલ્કત વેચી અશાંતધારાનો ભંગ કર્યો હતો. જે બાબતે સીટી મામલતદારાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પંચનામું કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વિઓ ૧: અશાંતધારા ના અમલ બાદ ભાવનગર શહેરમાં કોઈને કોઈ રીતે અશાંત મિલ્કતોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર અશાંતધારો લાગુ હોવા છતાં શહેરના 크ેસંટ વિસ્તારમાં મિલ્કતના સોદામાં થયેલી ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે. અશાંતધારાના નિયમોની એસીતેસી કરી એક મિલ્કતનું વેચાણ કરાયું અને સંપૂર્ણ ચુકવણી બાદ ખરીદદારે કબ્જો પણ મેળવી લીધો હતો, સમગ્ર મામલે એક્ષિક્યુટીવ મેજીસ્ટ્રેટેર દ્વારા ફરિયાદાર નોંધાવવામાં આવતા ઘોઘારોડ પોલીસે વેચનાર તેમજ ખરીદનાર બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જે બાબતેની તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા એલસીબી પોલીસના તપાસનો ધણઘમાટ શરુ થયો છે. વિઓ ૨: ભાવનગર શહેરના 크ેસંટ વિસ્તારમા રહેતા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલે પોતાની માલિકીના પ્લોટ નં. 567-A નો અશांतધારો લાગુ હોવા છતાં ગેરકાયદેસર રીતે તંત્રની પૂર્વ મંજૂરી લીધા વગર અલારખભાઈ કાદરભાઈ ગીગાણી નામના વિધર્મી વ્યક્તિને સાટાખત કરી 93 લાખ રૂપિયામાં મિલ્કતનું વેચાણ કર્યું હતું, એટલું જ નહિ અશાંતધારા અમલી હોયા છતાં અલારખભાઈ ગીગાણી તેમના પરિવાર સાથે અહીં રહેવા આવી ગયા છે. તેમણે આ મકાન તા. 26/08/2025 ના રોજ ખરીદ્યું હતું અને સાટાખત પણ કરાવ્યા હતા, જોકે આ વિસ્તારમાં અશાંતધારા લાગુ હોવાનું છતાં મકાનના દસ્તાવેજો નથી બનાવાયા, પરંતુ પ્રાપ્ત કુલ કિંમત 93 લાખ મળ્યા બાદ મકાનનો કબ્જો અલારખભાઈ ગીગાણીને સોપી દેવામાં આવ્યો હતો. જે બાબતે અરજી મળતા પોલીસાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કરતા આ બાબતની વિધિવત મંજૂરી લેવામાં નહીં આવી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મો દ્વારા ખરીદનાર અને વેચનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રક્રિયામાં ગાંધીનગરના પબ્લિક ઓફિસર દ્વારા દસ્તાવેજોની તપાસ થતા અશાંતધારા ભંગના બે ગુન્હા નોંધાયા હોવાનું જાહેર થયું છે. આ બધાની તપાસ ચાલી રહી છે. બાઈટ : આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
1087
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 19, 2026 18:31:52
Surat, Gujarat:સુરત જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ અને બારડોલી સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે. અનેક જગ્યાએ વીજપોલ, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. વિઓ... સુરત જિલ્લામાં અચાનક આવેલા પવન સાથેના વાવાઝોડાએ જનજીવનને અસરગ્રસ્ત બનાવી દીધું છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ અને બારડોલી વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો મૂળથી ઉખડી ગયા હતા અને રોડ પર ધરાશાયી થયા હતા. કેટલાક વિસ્તારોમાં મોટા હોર્ડિંગ્સ તૂટી ને વાહનો પર પડતા નુકસાનની ઘટનાઓ પણ سامنے આવી છે. સાથે જ ઘણા સ્થળોએ વીજપોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે અચાનક આવેલા પવનથી લોકો અચંબિત થઈ ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે જાનહાનિના કોઈ મોટી સમાચાર સામે આવ્યા નથી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ શરૂઆત કરવાની તૈયારી છે.
915
comment0
Report
LJLakhani Jaydeep
Mar 19, 2026 18:31:35
Dwarka, Gujarat:એંકર :- દ્વારકાના વાતાવરણમાં જોરદાર પલટો..ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો..વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત..દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોર બાદ યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં ઓચિંતાનો પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડતા ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો અહેસાસ થઈ રહ્યો છે.iklા કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથકો જેવા કે રાવલ, કલ્યાણપુર અને ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને કડાકા-ભડાકા સાથે હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અચાનક આવેલા કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વાદળછાયા વાતાવરણ અને પવનના સુસવાટા વચ્ચે હજુ પણ વરસાદની શક્યતા વર્તાઈ રહી હતી.
999
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 19, 2026 17:00:15
Surat, Gujarat:વરાછા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી માત્ર બે વર્ષની માસૂમ દીકરી પર ઉશ્કેરાયેલી માતાએ વેલણ અને સાવરણી વડે એવો અમાનુષી હુમલો કર્યો કે બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માથામાં ગંભીર ઈજાને કારણે બાળકીને બ્રેઈન હેમરેજ થયું હતું. போலீઝે હત્યારી માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા વરાછા પોલીસ ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માતા છેલ્લા એક અઠવાડિયાથી બાળકીને પટ્ટા અને લાકડીથી ટોર્ચર કરતી હતી. પાડોશીઓના નિવેદન મુજબ પણ મહિલા સતત બાળકી પર અત્યાચાર ગુજારતી હતી. વરાછા પોલીસ આ મામલે આરોપી મહિલા અને તેણીની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. tecla આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. ભારતમાં બાળકોના રક્ષણ માટે કડક કાયદાઓ હોય છે. જુવનાઇલ જસ્ટિસ (JJ) એક્ટ મુજબ જો કોઈ sગીર બાળક પર શારીરિક કે માનસિક ત્રાસ કરે તો જવાબદારી તો ત્રણ વર્ષ સુધી ની ജയ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો બાળકને ગંભીર ઈજા પહોંચાડવામાં આવે તો IPC હેઠળ હત્યા અથવા હત્યાના પ્રયાસ જેવી કલમો લાગુ પડી શકે છે. બાળકના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે તેની જાણ આ જીવંત પુરાવા વડે થાય છે. برخی કેસમાં માતા-પિતા શિસ્તના નામે બાળકોને મારતા હોય છે પરંતુ કાયદાના ધારે તે ગુનાનો મામલો બની શકે છે. વરાછા પોલીસ આ મામલે આરોપી મહિલાની સાથે તેની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. પ્રસાશાંત ઢિવરે - સુરત
1038
comment0
Report
PTPremal Trivedi
Mar 19, 2026 14:15:26
Patan, Gujarat:ઝીલીયા નજીક ફાર્મ હાઉસ એટલેથી પોલીસ વાન ઉપર હિંસક હુમલો કરનાર 18 આરોપીઓને પોલીસે ઝડપી લઈ તેમનું જાહેરreiben કન્સ્ટ્રક્શન કરી કાયદાના પાઠ ભણાવી કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ ઘટના ના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી છે અને આ આરોપીઓને આશ્રય આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વ્યૂ: પાટણ જિલ્લા ચાણસ્મા તાલુકાના ઝીલિયા વિસ્તારમાં રવિવારે સવારના 15 થી 20 શખ્સોના ટોળાએ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. ঘটনায় ડીવાયએસપી પરેશ રેણુકાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આરોપી બાઇસ-વક્તા સાથે ઝીલિયા ખાતે આવ્યા હતા. 18 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. આ ગુનામાં દલપુજી અને જીતુભા હાલ પકડમાં નથી. અગાઉના ગુનાઓના ખુલાસાની માહિતી મળી આવી છે."
1049
comment0
Report
SBShilu Bhagvanji
Mar 19, 2026 14:15:17
Porbandar, Gujarat:પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરચ્યુલી અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ.૪૧૩.૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા ૪૬ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી.આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂ.૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ.૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડિઓ માધ્યમથી શુભકામના પાઠવી, વિરાસત ભી, વિકાસ ભીના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોના ભેટ આપી હતી. પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શહેરની સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિ સાથે მიმდინરિત થશે અને પોરબંદર નગરપાલიკાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવશે. ખાસ કરીને પોરબંદર માટે આશરે રૂ.૨૯૧ કરોડ મુજબ વિકાસની ફંડ ફાળવવામાં આવશે. સમગ્ર જીલા માટે કુલ રૂ.૪૧૪ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરાયું છે, જેમાં મહાત્મા ગાંધીના જન્મભૂમિ પોરબંદરમાં ભવ્ય સાંસ્કૃતિક વિરાસતનું મહત્વ રાજ્ય સરકાર દ્વારા ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ કામો હાથ ધર્યા જશે. રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં ગયા પાંચ વર્ષમાં 2100 કરોડના કામો કર્યાં છે.
1039
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 19, 2026 13:01:23
Surat, Gujarat:સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ સાથે જોડાયેલો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં દરોડા દરમિયાન એક ફોર્ચ્યુનર કારમાંથી કરોડો રૂપિયાની નકલી નોટોનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કેસના તાર હવે કામરેજના એક આશ્રમ સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ સાથે જ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમના સંચાલક પ્રદીપજીનો આપઘાત પ્રયાસનો વિડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ લેવડદેવડના વિવાદમાં લેણદારો પૈસા માંગતા પ્રદીપજીએ આત્મહત્યાનું નાટક કરીને દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ amene તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચાંબીન ચાલી રહી છે. નકલી નોટ રેકેટ સાથે જોડાયેલા આ ચોંકાવનારા ખુલાસાઓ આગળ શું વળાંક લે છે તે જોવું હવે મહત્વપૂર્ણ રહેશે.
935
comment0
Report
VPVasu Parmar
Mar 19, 2026 12:17:38
Bharuch, Gujarat:ભરૂચના અંકલેશ્વર ઉદ્યોગોને મોટા રાહત આપતી મહત્વપૂર્ણ ખબરોકે CETPની ક્ષમતા વધારવા માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે ઉદ્યોગોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે એક મોટી સિદ્ધિરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર CETPની હાલની 40 MLD ક્ષમતાને વધારીને 70 MLD કરવાની CTE મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઈફલૂઅન્ટ ટ્રીટમેન્ટ ક્ષમતા વધતા ઉદ્યોગોને નિકાલ વ્યવસ્થામાં સરળતા મળશે. હવે આ પ્રોજેક્ટ માટે EC મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. EC મળ્યા બાદ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં વધુ ગતિ મળશે. આ મહત્વપૂર્ણ મંજૂરી માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનએ GPCBનો આભાર વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ લાયઝનિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને NCTના પદાધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જણાવાયું છે. ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે.
1059
comment0
Report
GPGaurav Patel
Mar 19, 2026 11:32:12
Ahmedabad, Gujarat:ઊન ગામે આજે અજંપા ભરિ શાંતિ જોવા મળી . આંતરજાતિય લગ્નના પગલે સર્જાયેલા વિવાદમાં બુધવારે ઊન ગામ પર ચોક્કસ સમાજના લોકોએ હુમલો કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસતાં પોલીસે બળ દાખવી ફરજ પડી હતી. આ ઘટનામાં પોલીસને ૧૬ લોકો સામે નામાંજોગ અને ૧૦૦૦ લોકોના ટોળા સામે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનું ગુન્હો નોધી તપાસ આદરી છે. આ દૃશ્યો બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઊન ગામના છે. ગામના ચોકને રસ્તાઓ પર પડેલા પથ્થરોથી ટોળાએ કરેલો હુમલો કેટલો ભયાનક હતો તેનો સાક્ષી નાગરિકોની આંખો અને ચહેરા પરથી સ્પષ્ટ સમજી શકાય છે. મુદ્દો આંતરજાતીય લગ્નનો હતો. માર્ચ ૨૦૨૪માં આંકારોની પુત્રીએ પ્યાર કરેલા યુવક સાથે લગ્ન કર્યા, જેમને પરત લેવાના કારણે ગામમાં તણાવ ઉભો થયો અને આને કારણે હુમલો થયો. પ્રશ્ને આ સમયમાં યુવકના માતા-પિતાને અને સ્થાનિક આગેવાનોના નિવેદન આ ભવિષ્યના પગલે તાલુકો પોલીસ છાવણીમાં છે. પોલીસ આંચકરમાં ૧૦૦૦ના ટોળા સામે ગુફા-ફરજીની કલમોથી કાર્યવાહી કરી છે. આગામી કોર્ટમાં આરોપીઓнэ રજૂ કરવામાં આવશે.
1028
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 19, 2026 11:31:41
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે આવેલા અચાનક વાવાઝોડાએ ખેડૂતોને ભારે نقصان પહોંચાડ્યું છે. ખાસ કરીને ચણાના પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં વહેલી સવારમાં જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા ખેતરોમાં ઉભેલો ચણાનો પાક જમીન પર પડી ગયો હતો. ખેડૂતોએ જે પાકને હલવારમાં નાખવાની તૈયારીમાં હતા, તે જ સમયે આ કુદરતી આફતે કર્યા છે. અંદાજે 30 થી 40 ટકા સુધી ચણાનો પાક ખેતરમાં વેરવિખેર થઈ જતાં ખેડૂતો чિંતામાં મુકાયા છે. વાવાઝોડા પછી વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ખેતરોમાં પહોંચીને બચેલા પાકને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા ખેડૂત માટે આ પાક “મોઢામાં આવેલું કોડિયું” સમાન હતો, પરંતુ અચાનક આવેલા વાવાઝોડાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. “અમારો પાક તૈયાર હતો, હવે મોટું નુકસાન થયું છે. સરકાર મદદ કરે તે જરૂરી છે.” ખેડૂતો-government પાસે માંગ કરી રહ્યા છે કે બચેલા પાકની ખરીદી ઊંચા ભાવે અથવા ટેકાના ભાવે તાત્કાલિક કરવામાં આવે, જેથી તેમને થયેલા نقصانમાંથી થોડું રાહત મળે. હાલ ખેડૂતો સરકાર તરફ આશા રાખીને બેઠા છે કે આ નુકસાનમાં તેમને યોગ્ય સહાય મળશે.
933
comment0
Report
URUday Ranjan
Mar 19, 2026 10:15:25
Ahmedabad, Gujarat:ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૨.૧૦ કરોડની નકલી નોટ જપ્ત કરવાનો મામલો. જપ્ત કરેલી ફોર્ચ્યુનર કાર Pradeep Jotangia ના નામની હોવાનું કહ્યું ગયું. જપ્ત કરેલી ફોર્ટ્યુનર કારમાં લાકડાની ચાકડી મળી આવી. ગાડીમાં કોણ હતું અને કોની ચાકડી છે તે અંગે અનેક સવાલો. નકલી નોટની હેરાફેરી મામલે સૌથી મોટા સમાચાર. ફોર્ચ્યુનર કાર માંથી એક મહિલા સહીત છ લોકોની ધરપકડ થઈ. સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં ફેરફાર થઇ હતી. સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ. સત્યમ યોગ ફાઉન્ડેશનના અન્ય લોકોની પણ ધરપકડ. પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષો થી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો.
1076
comment0
Report
PAParakh Agarawal
Mar 19, 2026 10:15:14
Ambaji, Gujarat:આજ થી આદ્યાશક્તિ ની આરાધના નો પર્વ ચૈત્રીની નવરાત્રિ નો પ્રારંભ થયો છે. અને સાથે સિંધિ સમાજ ના ચેટીચાંદ નો પર્વ છે. આજ થી હિન્દુઓ ના નવા વર્ષ ની સાથે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સવાર થી યાત્રીકો નો ઘોડાપુર ઉમટ્યો હતો. જેમ મંગળા આરતી માં હજારો ની સંખ્યામાં ભક્તો એ આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ મંદિર પરીસાર માં જ નવરાત્રી ના નવ દિવસ માટે ગટસ્થાપન વીધી મંદિર ના ભટ્ટજી મહારાજ અને અધીક કલેકટર ના ઉપસ્થીતી માં કરવામાં આવ્યુ હતુ. આ ગટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત કરી જવેરા વાવી ગટ સ્થાપન કરાયા બાદ વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. ને આ જવેરા 9 માં દિવસે જોતા આવનારા વર્ષ ની વૃદ્ધિ અંગેના અનુમાન લગાવવામાં આવે છે. જોકે યાત્રીકો ના ઘસારા ને પહોંચી વળવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન ની પણ ખાસ સુવિધા સાથે સુરક્ષા ગોઠવવામાં આવી છે. જ્યારે મંદિર નો નૃત્ય મંડપ માં વર્ષો ની પરંપરા મુજબ જય અંબે ની અખંડ ધુન પણ આજ થી શરુ કરવામાં આવી છે જેને લો 24 કલાક અવિરત ચાલુ રહેશે અને 10માં દિવસે પુર્ણાહુતી થશે. બાઇટ-1 કૌશીકમોદી(અધીક કલેકટર અને વહીવટदार,મંદિર)અંબાજી. તેમજ આગામી 21 અને 22 માર્ચે અંબાજી મંદિર ના ચાચરચોક માં અંબાજી ઉત્સવ નો વિશેષ આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન અને ગરબા ની રમઝટ બોલવામાં આવશે.
998
comment0
Report
Advertisement
Back to top