Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરના સજાપુર પાસે ડુંગરોમાં ઝરણું જીવંત થયું

Aug 31, 2024 05:33:10
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢ પાસે આવેલ સજાપુર પાસેના બળદ પગલાંનો ધોધ શરૂ થયો છે.જિલ્લામાં સાત દિવસથી વરસી રહેલ વરસાદને લાઈને જળાશયો માં આવક ચાલી રહી છે ત્યારે ઝરણાં પણ જીવંત થયા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Nov 20, 2025 13:52:11
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 20, 2025 13:19:34
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી. જેમાં શહેરના વિવિધ વિકાસકીય કાર્યોને મંજૂરી આપવામાં આવી. રોડ અને ડ્રેનેજના રૂ 233 કરોડથી વધારેના કામ મંજૂર થયાં. આ ઉપરાંત શહેરમાં આવેલી 20 લક્ઝુરિયસ હોટેલોમાં થતા પાણીના વપરાશ અને તે બાદ નિકાલ થતા ડ્રેનેજના પાણી પર વધારાનો ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્લ્ડ બેન્ક તરફથી 140 કરોડની વધારાની શરતો આધારિત ગ્રાન્ટ મળશે. આ સાથે કમિટીમાં શહેરના વાયુ પ્રદૂષણની સમસ્યાને નાથવા શહેરમાં એર સન્સર લગાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો. નોંધનીય છે કે ભૂતકાળમાં AMC અને GPCB દ્વારા વિવિધ સ્થળે વાયુ પ્રદૂષણના આંકડા દર્શાવતી LED લગાવવામાં આવી હતી, જે મહત્તમ બંધ છે. તો શહેરના રોડ રીપેરીંગ મામલે તાજેતરમાં મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણય બાદ હાલ પુરજોશમાં કામ ચાલતું હોવાનું જણાવવામાં આવું.
137
comment0
Report
PTPremal Trivedi
Nov 20, 2025 12:16:03
Patan, Gujarat:પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણી ને લઈlocals લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદી પાણી ના નિકાલ માટે વાર્ડ ના સદસ્યો સહીત પાલિકાના તમામ સભ્યો અને પ્રમુખ ને અનેક રજૂઆતો કરી છે પણ તમામ લોકોએ માત્ર હૈયા ધરણા આપી અને આજ દિન સુધી પ્રશ્ન નો કોઈ નિકાલ થવા પામ્યો નથી જેને લઇ વોર્ડ નંબર 11 મા આવેલApolo નગર, સોપાન એલિગન્સ, દીયા નો પ્રાઈમ, માહી સોપાન હોમ, મુનિજી સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં હાય રે પાલિકા હાય હાય ના સુત્રોચાર સાથે પાલિકા ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર બાદ પાલિકા ના કારોબારી ચેરમેન ની ઓફિસ મા સુત્રોચાર કરી ને તેમના વિસ્તાર ના પ્રશ્ન ની રજુઆત કરી હતી જે બાબતે..... પાટણ નગર પાલિકા ના કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપ લાઈન નાખવા નું ટેન્ડર પ્રક્રિયા ઝડપથી કરી કામગીરી શરુ કરવામાં આવશે સાથેજ વરસાદી પાણી ના નિકાલ સાથે નો નવીન રોડ બનાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી..
138
comment0
Report
TDTEJAS DAVE
Nov 20, 2025 11:19:19
Mehsana, Gujarat:પોલીસે લૂંટેરી દુલ્હનની આંતરજિલ્લા ટોળકીનો પર્દाफાશ મુખ્ય આરોપી ચાંદનીએ રાજ્યભરમાં 15થી વધુ યુવકો સાથે કર્યા લગ્ન. લગ્નના ચાર દિવસ બાદ પિતાની બીમારીનું બહાનું કાઢી દુલ્હન ફરાર થઈ જતી દાગીના અને રોકડ લઈ ફરાર થઈ જતી. અમદાવાદના શુભમેરેજ બ્યુરો અને જયમાડી મેર્ઝ બ્યુરોની મદદથી ચાલતું હતું લગ્નનું કૌભાંડ છૂટાછેડા માંગતા પીડિતોને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તોડ કરવામાં આવતો તોલકીએ ખોટા આધારકાર્ડ અને એલ.સી. બનાવી લગ્નના નામે 52 લાખથી વધુની રકમ ખંખેરી દુલ્હન ચાંદની, તેની માતા, દલાલ રાજેશ અને અન્ય મહિલા સહિત 4 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં.Enkar - ગુજરાતમાં પવિત્ર લગ્નસંબંધને લૂંટનું સાધન બનાવતી વધુ એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના છેડા રાજ્યભરના ઘણા જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતી હતી. તેમણે આંડે દુલ્હન ચાંદની, उसकी માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે. તેઓએ અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને શિકાર બનાવી 52 લાખથી વધુની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આ ગુનાહિત ટોળકી પકડાઈ ન જાય તે માટે પીડિતોને પક્ષપાત કરવા જેવા કૌભાંડમાં ચાંદનીએ માત્ર સચિન જ નહીં, પરંતુ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 15થી વધુ લગ્નો કર્યા છે. ચાંદની ઉપરાંત રશ્મિકા નામની બીજી મહિલા પણ દુલ્હન બની છેતરપિંડી કરતી હતી. આ ટોળકી લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયા વસૂલતી અને થોડા દિવસોમાં જ ફરાર થઈ જતી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કૌભાંડમાં અમદાવાદના શુભમેરેજ બ્યુરો અને જયમાડી મેરીજ બ્યુરોની ભૂમિકા હતી. હાલ પોલીસે દુલ્હન ચાંદ나ા, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકાની ધરપકડ કરી છે.
164
comment0
Report
DPDhaval Parekh
Nov 20, 2025 11:16:13
Navsari, Gujarat:નવસારી સિવિલ હôsપિટલ ફરી વિવાદમાં આવી છે. ગત રાતે DAMA હેઠળ રજા લેવા માટે ગયેલા દર્દીના સગાએ જુનિયર ડૉક્ટરને બોલાચાલી કરી. સગાએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો և DAMA ફોર્મ ઉપર ડૉક્ટરની સહી દબાણ કરવાનું કહ્યું. ડૉક્ટરે કહ્યું, હું તમારી નોકર નથી... વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સિવિલ તંત્રે ડોક્ટરને વર્તન સુધારવા આદેશ કર્યું. નવસારી શહેરના જલાલપોરમાં રહેતા 63 વર્ષીય ગોવર્ધન સાવલિયાને સુગર અને પ્રેશરના કારણે ચાલવામાં મુશ્કેલી થઈ હતી. પુત્ર વિપુલ તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. હોસ્પિટલમાં સિટી સ્કેન, બ્લડ રિપોર્ટ, એક્સ‑રે, ECG જેવા વૃતાં રિપોર્ટ નિઃશુલ્ક કરી સારવાર શરૂ કરી હતી. છતાં સSagને દુમારા દબાણ કરી DAMA હેઠળ ડિસ્ચાર્જ આપવા પ્રયત્ન કર્યો. ડૉક્ટર પ્રિયંકા ગુપ્તાએ સમયાંતરે નિર્ણય કર્યો અને સગાએ કહ્યું કે હું તમારી નોકર નથી. વિડિયો બનાવ્યા બાદ ઘટનાનો વીડિયો વાયરલ થયો. વિભિન્ન સંચાલન દ્વારા ડૉક્ટર‑દર્દી સંબંધોને લઈને સવાલો ઉઠયા, ક્યારેક દુવિધિત સ્થિતિ સર્જાઈ કે વાજબી અને સમયસર સારવાર પૂરી પાડી શકાય હતી કે નહિ.
89
comment0
Report
HShakimuddin shabbirbhai
Nov 20, 2025 10:53:48
Vadodara, Gujarat:આજના મોડલ યુગમાં આદિવાસી વિસ્તરમાં અંધશ્રદ્ધા પર વિશ્વાસ ચાલે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ખોડિવલી ગામે ત્રણ દિવસ પહેલા બીમારીથી મૃત્યુ પામેલા વ્યક્તિના આત્મા લેવા માટે પરિવારજનો બેળવાને સાથે રાખીને વિધિ કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારના લોકો કહે છે કે તેઓ વર્ષોથી આ પરંપરા ચાલાવે છે. મૃત્યુ પામનાર પિતાભાઈ ધનજીભાઈ રાઠવા લાંબી બીમારી બાદ મૃત્યુ પામી હતા અને ત્રણ દિવસ પછી તેઓના આત્મા લેવામાં માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. બળવાને આ કાર્ય કર્યું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો. છોટાઉદેપુર હોસ્પિટલના ઇંજનાર્જ સુપ્રીટેન્ડર કેવલ મોદીએ જણાવ્યું કે અંધશ્રદ્ધા મુદ્દે અમે વિરોધ કરીએ છીએ અને સ્ટાફના ભાવના અને સુરક્ષાનો ધ્યાન રાખીને આ પ્રવૃત્તિ રોકવાનો પ્રયાસ કરીએ છીએ. વિજ્ઞાનજ્ઞ જયંત પંડ્યા દ્વારા પણ આ ઘટનાની નિતિ સોશિયલ ન્યૂઝમાં આંચકરીથી નિંદા કરવામાં આવી છે.
169
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 20, 2025 10:47:18
Idar, Gujarat:සාબરකાંઠા તા.૨૧-૧૧-૨૫ સ્લૉગ પદયાત્રા ફીડ એફટીપી સ્ક્રીપ્ટ 2C એપ્રુવ આઈડિયા શૈલેષ ચૌહાણ એન્કર સردار પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે એકતા પદયાત્રા હિંમતનગર ટાવર ચોક ખાતેથી प्रસ્થાન થઇ હતી.જેમાં પ્રધાન ડૉ પ્રધ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધીકારીઓ જોડાયા હતા.યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વીઓ-૦૧ અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ નિમિટ્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી એકતા પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસ થી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર વિધાનસભામાં એકતા પદયાત્રા આજે યોજાઈ હતી જે એકતા પદયાત્રા હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજીક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડો પ્રધ્યુમન વાઝા, જીલ્લા સાંસદ શોભના બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,આઇડર અને પ્રાંતિજના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધીકારીઓ,સ્થાનિકો અને શહેરીજનો આ એકતા પદયાત્રામાં પદયાત્રા જોડાયા હતા આ યાત્રામાં બસસ્ટેન્ડ,મોતીપુરા,GIDC,બોરિયા,પીપલોદી સહીત વિવિધ જગ્યાએ એકતા પદયાત્રાનુ ફૂલડાઓ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.ટાવર થી પ્રસ્થાન થયેલી એકતા પદયાત્રા છ કી મી થી વધુ પદયાત્રા કરી સાબરડેરી ખાતે પહોચી પુર્ણ થઈ હતી.સાબરડેરીના ઓડીટોરીયમ ખાતે સભા યોજાઈ હતી જ્યા વિવિધ લોકોને સન્માનિત કરાયા હતા.સમગ્ર ગુજરાતમાં યોજાયેલા આ યુનિટી માર્ચ પદયાત્રાની પુર્ણાહુતી 26 નવેમ્બર થી 6 ડીસેમ્બર કરમસદ થી કેવડીયા સુધી એકતા પદયાત્રાથી થશે. બાઈટ-ડૉ પ્રધ્યુમન વાજા, સામાજીક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
174
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 09:20:32
Surat, Gujarat:સુરત महानगरપાલિકાના પૂર્વ અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 46 લાખની માંગણી કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન સાઇબર ક્રાઈમPolice લાઈવ ડિજિટલ એરેસ્ટ દરમિયાન પૂર્વ અધિકારીના રેસ્ક્યુ કરી તેમને છોડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગમાં તેમનું નામ ખુલ્યું હતું અને સીબিআઈનો ફ્રોડ લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને ડિજિટલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સીબીઆઈને સહયોગ આપવા માટે જણાવાયું હતું. હાલમાં જે રીતે ઠગબાજો ડિજિટલ ઍરેસ્ટના નામે લાખો રૂપિયાની પડાવી લેતા આવ્યા હતા, આવી સ્થિતિમાં સુરતમાં પણ તેવો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં 62 વર્ષનો વૃદ્ધ અનિલ દેસાઈ ડિજિટલ ઍરેસ્ટનો શિકાર બનતાં પહેલાં સાઇબર ક્રાઇમપોલીસે લાઈવ રેસ્ક્યુ કરી તેમણે છોડાવ્યા હતા. સુરતમાં રહેતા અનિલ દેસાઈ પૂર્વ મનપા અધિકારી હતા. તેમનો દીકરો અને દીકરી વિદેશ અભ્યાસ અર્થે ગયા છે. 17મી નવેમ્બરના રોજ તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમબ્રાંચ તરીકે આપી હતી. બાદમાં મની લોન્ડરિંગમાં તેમનું નામ ખુલ્યું હતું અને બોગસ લેટરપેડ બનાવીને મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈનો પણ બોગસ લેટરપેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો અને ડિજિટલ ઍરેસ્ટના પહેલા દિવસે રાત્રે 9:00 વાગ્યે તેને નકલ કરેલો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે અનિલ દેસાઈને ડિજિટલ કોર્ટમાં રજૂ કરાયું હતું. કોર્ટમાં તેમના જવાબોમાં સવાલો પૂછવામાં આવ્યા અને સીબીઆઇને મદદરૂપ થવા માટે આદેશ આપાયો હતો. સીબીઆઈ દ્વારા તેમની પ્રોપર્ટી અંગે વિગત લેવામાં આવી અને 46 લાખની રકમ આરબીઆઈના એકાઉન્ટમાં જમા કરાવવા જણાવાયું હતું. ભાઈને આ વાત જાણ થતાં સીબીઆઇને જાણ કરવામાં આવી અને ત્યારબાદ સાયબર ક્રાઈમની ટીમે લાઈવ ડિજિટલ ઍરેસ્ટ દરમિયાન વૃદ્ધને બચાવી લીધો હતો. હાલ સમગ્ર બનાવની તપાસ સીબીઆઈ ટીમ દ્વારા ચાલી રહી છે.
170
comment0
Report
MDMustak Dal
Nov 20, 2025 09:08:43
Jamnagar, Gujarat:જામનગરમાં કમૌસમી માવઠાના કારણે બદલાયેલા વાતાવરણથી જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વкерતો જાય છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વકરતા રોગચાળાને કારણે દર્દીઓનેનો અનેકગણો ધસારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. આ વકરતા રોગચાળામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવના રોગના દર્દીઓનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જી. જી. હોસ્પિટલમાં સર્જાઇ છે. આ વકરતા રોગચાળામાં નવેમ્બર મહિનાના દસ દિવસમાં ડેન્ગ્યૂના 30 કેસ માત્ર જી. જી. હોસ્પિટલમાં નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા અનેકગણી વધારે હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેંબ્યૂએ તેનો પંજો ફેલાવી દીધો છે. ડેન્ઘ્યૂ ઉપરાંત શરદી, ઉધરસ, તાવના વાયરલ દર્દીઓ અનેકગણા વધારે છે. આ રોગચાળાના કારણે સરકારની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીની ધસારો જોવા મળે છે.
156
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 09:08:01
Surat, Gujarat:લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બોગસ પાવર ઓફ એટર્ની ઊભી કરી બજાજ ફાઈનાન્સ બેંક માંથી રૂપિયા 2.92 કરોડની લોન લીધી હતી જે બાબતોને લઈને તેમના ભાઈના પત્ની અને દીકરી દ્વારા Eco સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી કોર્ટના આદેશ બાદ આ રકમ તો ચૂકવી દેવામાં આવી હતી પરંતુ જે દસ્તાવેજો બેંકમાં રજૂ કર્યા ગયા હતા તે દસ્તાવેજો પરિવારને સોંપવામાં આવતા Eco સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 24 ઓક્ટોબર 2024ના રોજ Eco સેલમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદ સૂરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાર્ટર વિરુદ્ધ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાકટર એ તેના મળતીયા માણસો સાથે મળી તેમના ભાઈ સ્વ: હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને તેમની પત્ની ભારત દેશમાં હાજર નહીં હોવાનું જાણવા છતાંbogus પાવર ઓફ એટર્ની બનાવીને બજાજ ફાઇનાન્સ બેંકમાં રજૂ કરી იქથી 469 ચો. મી. વાળી RDS હાઉસ વાળી મિલકત ઉપર 2.92 કરોડની લોન લેવામાં ahi. કનૈયાલાલ કોન્ટ્રાકટર એ પાવર ઓફ એટર્ની ખોટો હોવાનું જાણતા હોતા પણ બજાજ ફાઇનાન્સ પ્રા.લી.માં સાચા તરીકે રજુ કરી લોન લીધી હોવાની જાણ હેમંતભાઈના પત્નીને થઈ ગઈ હતી જેથી આ બનાવ અંગે હેમંતભાઈના પત્નીએ Eco સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કનૈયાલાલ સેસન્સ કોર્ટ, હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાંથી તેઓને જામીન મળ્યા ન હતા. લોન ભરપાઈ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જે આદેશ બાદ લોન ભરપાઈ કરવામાં આવી થઈ પરંતુ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની બેંકમાં જમા કરવામાં આવ્યા હતા તે વિવાદીની સમર્પમાં સોંપેલા ન હતા. તેથી Eco સેલ દ્વારા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
153
comment0
Report
Advertisement
Back to top