icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अरवल्ली में चेन स्नैचिंग: दो गिरफ्तार, 97 हजार माल जब्त, 43 केस

Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે સાગરીતોઆખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અરવલ્લી એલસીબીએ મોડાસાના કોલેજ રોડ વિસ્તારેથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરા અને દાગીના ઝૂંટવી ફરાર થઈ જતા હતા. પોલીસ તપાસમાં મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા બે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સલમાનખાન પઠાણ અને વિક્રમ દાંતાણી નામના બંને આરોપીઓ પાસેથી રૂ. 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બંને સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 43 ગુનાઓ નોંધાયેલા છે અને અમદાવાદ તેમનું મુખ્ય ઓપરેશન સેન્ટર હતું. હવે સમગ્ર મામલે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ શું જણાવ્યું, સાંભળીએ.
0
0
Report

राजकोट के सिविल अस्पताल में दान दी गई ई-रिक्शा बेकार, व्यवस्था पर सवाल

Rajkot, Gujarat:રાજકોટની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાને લઈને વધુ એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દાતાઓ દ્વારા હોસ્પિટલને ભેટ સ્વરૂપે આપવામાં આવેલી આધુનિક ઈ-રિક્ષા આજે ઉપયોગના અભાવે હોસ્પિટલ પરિસરમાં ધૂળ ખાઈ રહી છે. આ ઈ-રિક્ષા ખાસ કરીને અશક્ત, વૃદ્ધ અને ગંભીર દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે હેતુથી આપવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ તંત્રની ઉદાસીનતાના કારણે દર્દીઓ માટેની આ મહત્વપૂર્ણ સુવિધા બિનઉપયોગી બની ગઈ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વખત એવા દ્રશ્યો સામે આવે છે જેમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને સ્ટ્રેચર માટે લાંબી રાહ જોવી પડે છે અથવા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ દર્દીઓની અવરજવરને સરળ બનાવી શકાય તેવી ઈ-રિક્ષા ખૂણામાં ઊભી રહી ધૂળ ખાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં કરવામાં આવ્યા નથી. દર્દીઓના હિત માટે દાતાઓએ આપેલી સુવિધાનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના કારણે હવે હોસ્પિટલતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. દર્દીઓને રાહત આપવા માટે મળેલી ઈ-રિક્ષા આખરે ક્યારે રસ્તા પર દોડશે અને દર્દીઓના ઉપયોગમાં આવશે તે જોવું રહ્યું.
0
0
Report
Advertisement

राजकोट नगरपालिका के डिमोलिशन खर्च विवाद पर कांग्रेस का घेराव: उच्चस्तरीय जांच की मांग

Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલેશન અભિયાનને લઈને હવે એક પછી એક નવા ખુલાસાઓ અને આક્ષેપો સામે આવી રહ્યા છે. ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે તેના ખર્ચના બિલોને લઈને શહેરમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવા જોવા મળી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડિમોલેશન દરમિયાન વિવિધ વ્યવસ્થાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આંકડા સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. સૌથી વધુ ચર્ચા માત્ર મિનરલ વોટર પાછળ દર્શાવવામાં આવેલા અંદાજે 23 લાખ રૂપિયાના ખર્ચને લઈને થઈ રહી છે. આ ઉપરાંત ભોજન, નાસ્તા અને લીંબુ પાણી પાછળ 27 લાખ 20 હજાર રૂપિયા, વિડીયોગ્રાફી પાછળ 24 લાખ રૂપિયા, મંડપ સર્વિસ પાછળ 8 લાખ 50 હજાર રૂપિયા અને લાઇટિંગ પાછળ અંદાજે અઢી લાખ રૂપિયાાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વિવિધ ખર્ચને ઉમેરતા કુલ ખર્ચાનો આંકડો દોઢ કરોડ રૂપિયાની આસપાસ પહોંચતો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર મામલો સામે આવતા હવે વિરોધ પક્ષ કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. જંગલેશ્વર વિસ્તાર આવતો વોર્ડ નંબર 16ના કોંગ્રેસ કોર્પોરેટરોએ રાજકોટ મહાનગરપાલિકા સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કહેવું છે કે ડિમોલેશન જેવી સંવેદનશીલ કામગીરીના નામે જનતાના પૈસાના બેફામ વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે એક તરફ લોકો વર્ષો જૂના પોતાના આશિયાના ગુમાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ লাখો રૂપિયાના ભોજન, પાણી અને અન્ય ખર્ચના બિલો કેવી રીતે તૈયાર થયા તે મોટો પ્રશ્ન છે. કોંગ્રેસના કોર્પોરેટરોના જણાવ્યા મુજબ ડિમોલેશન દરમિયાન અનેક સેવાભાવી અને સામાજિક સંસ્થાઓએ સ્વૈચ્છિક રીતે પાણી, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. ત્યારે મનપાના ખર્ચમાં આટલા મોટા આંકડા કેવી રીતે ઉમેરાયા તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વિઓ 2 કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે જો ખરેખર આટલો ખર્ચ કરવામાં આવ્યો હોય તો તેની સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ. કેટલા લોકોને ભોજન આપવામાં આવ્યું, કેટલા પાણીના બોટલનો વપરાશ થયો, વિડીયોગ્રાફી માટે કેટલા કેમેરા અને કેટલો સ્ટાફ કાર્યરત હતો, મંડપ અને લાઇટિંગની વ્યવસ્થા ક્યાં અને કેટલા દિવસ માટે કરવામાં આવી હતી, તેની તમામ માહિતી જનતા સમક્ષ મુકવી જોઈએ. જનતાના ટેક્સના પૈસાથી થતી દરેક કામગીરીમાં પારદર્શિતા હોવી જરૂરી છે અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ. વોર્ડ નંબર 16ના કોંગ્રેસ કોર્પોરેટર ઈબ્રાહિમ સોરા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા અને સુરેશભાઈ ગરૈયા એકસ્વરે જણાવ્યું છે કે તેઓ આ સમગ્ર બિલનો સખ્ત વિરોધ કરશે. કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું છે કે જ્યાં સુધી સમગ્ર ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ નહીં થાય અને હકીકતો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવતા રહેશે. સાથે જ તેમણે માંગ કરી છે કે વિવાદાસ્પદ બિલોને તાત્કાલિક મંજૂરી ન આપવામાં આવે અને સમગ્ર બાબતની સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
0
0
Report

राजकोट के मेगा डिमोलिशन बिल पर भारी विवाद, 24 लाख के वीडियो बिल पर सवाल

Rajkot, Gujarat:એંકર: રાજકોટના જંગલેશ્વર علاقےમાં થયેલા મેગા ડિમોલેશન બાદ હવે 24 લાખ રૂપિયાના વિડિઓગ્રાફીના બિલને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વિડિઓ શૂટિંગ માટે મૂકવામાં આવેલા કેમેરાની સંખ્યા અને તેના ખર્ચને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે Zee 24 કલાકની צוות કોન્ટ્રાક્ટ મેળવનાર હિતેષ ભાયાણીની ઓફિસે પહોંચી હતી. પરંતુ ઓફિસ બંધ હોવાથી તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. હિતેષ ભાયાણીએ દાવો કર્યો કે ડિમોલેશન દરમ્યાન અલગ-અલગ દિવસોમાં કુલ 150થી વધુ કેમેરા તૈનાત કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ 21 અને 22 તારીખે 45 કેમેરા, 23 અને 24 તારીખે 93 કેમેરા, 25 અને 26 તારીખે 13 કેમેરા તેમજ 27 તારીખે 3 કેમેરાuvo મૂકવામાં આવ્યા હતા. ઉપરાંતો સામાન્ય કેમેરાનો પ્રતિ કલાક 658 રૂપિયા અને DSLR કેમેરાનો પ્રતિ કલાક 900 રૂપિયાનો દર વસૂલવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું. જોકે આટલી મોટી સંખ્યામાં કેમેરા વાસ્તવમાં સ્થળ પર કાર્યરત હતા કે નહીં, તેમજ બિલમાં દર્શાવાયેલો ખર્ચ યોગ્ય છે કે નહીં તે અંગે હવે ચર્ચા તેજ બની છે. સમગ્ર મામલાની હકીકત સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે, પરંતુ હાલ 24 લાખના આ બિલે ડિમોલેશન કરતાં વધુ ચર્ચા جگાવી છે. વોકથ્રુ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report

राजकोट जंगलेश्वर डिमोलेशन पर पानी की बोतल खर्च को लेकर नया विवाद: 24 लाख रुपये के वीडियो बिल के बाद बहस

Rajkot, Gujarat:રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે 24 લાખ રૂપિયાના વીડિયોગ્રાફીના બિલ બાદ હવે પાણીની બોટલના ખર્ચને લઈને પણ વિવાદ ઉભો આવ્યો છે. સામાજિક આગેને પરસોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખર્ચના હિસાબ પર સવાલો ઊઠાવયા છે. તેમણે હરિસિંગ સુચરીયાની સાથેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો પણ જાહેર કરી છે. ઓડિયોમાં હરિસિંગ સચુરીયાએ ડિમોલેશન દરમિયાન 5 હજાર જેટલી પાણીની બોટલ વિતરણ કરવામાં આવી હોવાનું કહેવાયું છે. સાથે જ 200 એમએલની પાણીની બોટલ બે રૂપિયાથી પણ ઓછા ભાવે મળતી હોવાનો અને સારી ગુણવત્તાની બોટલ પણ ત્રણ રૂપિયામાં મળી જતી હોવાનો દાવો કર્યો છે. પીપળીયાએ મનપાના રેટ કોન્ટ્રેક્ટર અને શ્રી ઉમિયા મંડપના માલિક શૈલેષdesાઈ પર પણ આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ બોટલ દીઠ વધુ રકમ વસુલવામાં આવી હોવાની શક્યતા છે. સમગ્ર મામલે પરસોત્તમ પીપળીયાએ તટસ્થ તપાસની માંગ કરી છે.
0
0
Report
Advertisement

दिल्ली-मुंबई एक्सप्रेसवे हादसा: सास-ससुर पर बेटी ने लगाए गंभीर आरोप, बीमा क्लेम के चक्कर में विवाद

Vadodara, Gujarat:વડોદારા ... દિલ્હી માંબઇ એક્સપ્રેસ વે પર કાર અકસ્માત મામલો... હાલોલના કોન્ટ્રાક્ટરનું કારમાં આગ લાગીતા મોત થયું હતું... કોન્ટ્રાક્ટર સમીર પંચાલના મોત બાદ સસરિયાઓ પર સમીરની પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ... વીમાના પૈસા પાછળ ભાગતા સાસરિયાઓ સામે વહુનો આક્રોશ... પતિના બળેલા અંગો લઈને પહોંચી નદી કિનારે... મહિલાએ તેના સાસરિયા પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓ માત્ર વીમા ક્લેમના પૈસા મેળવવા માટે દોડી રહ્યા છે... મૃતુકના અવશેષોની અંતિમ વિધિ માટે પણ આગળ આવ્યા નથી... સમીરની આ અસ્થિઓ કે તેની આત્મા ક્યાં ભટકે છે તેની તેમને કોઈ ચિંતા નથી." — પીડિત વહુ વિડીયો સોસીયલ મીડિયા માં વાઇરલ...
0
0
Report

कपडवंज की फैक्ट्री में विस्फोट; अवैध बिजली कनेक्शन पर जांच शुरू

Kheda, Gujarat:ખેડા અપડેટ... કપડવંજની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ નો મામલો.... ફેક્ટરીમાં કપડવંજ એમજીવીસીએલની ટીમ મીટર કનેક્શન દૂર કરવા પહોંચવી હતી.... મીટર કનેક્શન કાપવા પહોંચેલા મીડિયા ને જોઈને પરત ભાગી... ઇલેક્ટ્રીસિટીનો પુરાવો નષ્ટ કરવા માટે પહોંચી હતી એમજીવીસીએલની ટીમ.... મંજૂરી વગર ચાલતી ફેક્ટરી પર એમજીવીસીએલએ કેવી રીતે આપ્યું હતું વીજ કનેક્શન તેના પર સવાલો ઉઠ્યા.... સ્થાનિકોના મતે નાયબ કાર્યપાલક શૈલેષ કડિયાએ ગેરકાયદેસર રીતે આપ્યું હતું વીજ કનેક્શન.... કેમિકલ ભરેલા પીપ ની બાજુમાં જ વીજ મીટર હતું કાર્યરત.... ગેરગાયદેસર રીતે ચાલતી ફેક્ટરી પહેલા તો(local) પોલીસ, સ્થાનિક તંત્ર, નગરપાલિકા અને હવે વીજ વિભાગ શંકાના દાયરામાં.... તમામ વિભાગોના અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતું હતું ફેક્ટરીમાં કામ.... ઉચ્ચકક્ષાએથી આ ફેક્ટરી મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો પૂર્ણ મામલો બહાર આવી શકે છે...
0
0
Report
Advertisement

भेसाण स्कूल में 9वीं छात्रों से नायब सचिव ने सवाल पूछे—शिक्षा गुणवत्ता जोर

Junagad, Gujarat:જુ nen? આ જ પંક્તીનો યોગ્ય શબ્દગત ફેરફાર કરીને બનાવી શકાય છે. મંથન: શુબી. જુનાગઢ ભેસાણ કયાંથી ભણશે ગુજરાત... ભેસાણના વિશાળ હડમતિયા શાળામાં ધોરણ-9ના વિદ્યાર્થીઓને ABCD અને 17ના પાળા ન આવડતાં નાયબ સચિવ પણ ચોકી ગયા પ્રગતિ શાળા મહોત્સવ દરમિયાન શૈક્ષણિક નિરીક્ષણ કરાયું શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા હતા ABCD અને 17ના પાળા ન આવડતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું શિક્ષણની ખામી સામે આવતા ડો. રાજેશ બલદાણીયા નાયબ સચિવે શિક્ષকদেরને પણ ઠપકો આપ્યો શિક્ષણોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અંગે અપાઈ સૂચના વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખાસ ધ્યાન આપવા જણાવાયું
0
0
Report
Advertisement

नवसारी के रमला गाँव में कुएं से मगरमच्छ का रेस्क्यू, जंगल में छोड़ा गया

Navsari, Gujarat:નવસારીચીખલી તાલુકાના રૂમલા ગામે કૂવા પડેલા દીપડાનું કરાયું રેસ્ક્યુ. રૂમલા ગામના મોપાડા ફળિયાના એક કુવામાં દીપડો પડ્યો હતો દીપડો. રાત્રી સમયે પાણીની શોધમાં આવેલો દીપડો કુવામાં પડ્યો હોવાનું પ્રાથમિક કારણ.ઘટનાની જાણ થતાધર્મેશભાઈએ તાત્કાલિક વન વિભાગને કરતા અધિકારીઓ અને NGO ના સ્વયંસેવકો ઘટના સ્થળે પહોંચ્યા. વન કર્મીઓને NGO ના સ્વયં સેવકોની મદદથી ભારે જહેમત બાદ દીપદાને કૂવામાંથી રેસ્ક્યુ કર્યો. વન વિભાગે કૂવામાં પાંજરૂ ઉતારી પાઇપના સહારે બેઠેલા દીપડાનું કર્યું રેસ્ક્યુ. દીપડાને કૂવામાં જ પાંજરામાં પુરી બહાર કાઢ્યો. દીપડાનો કબ્જો લઈને વન વિભાગ આરોગ્ય ચકાસણીની તજવીજ હાથ ધરી.વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે જંગલમાં છોડવાની તજવીજ ધરાશે.
0
0
Report

सूरत में केंद्रीय जलशक्ति मंत्री के हाथों ऑक्सीजन पार्क में पौधारोपण, प्रजातियों का रोपण

Surat, Gujarat:એંકર:સુરત: પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશે્ય સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન-ડિંડોલી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ''''ડો.શ્યામા પ્રસાદ મુખરજી ઓક્સિજન પાર્ક''''માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ મહાઅભોનાનીષ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરીને આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો. વીઓ:1 આ અવસરે મંત્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિનું સંવર્ધન એ માત્ર આજની જરૂરિયાત નથી, પરંતુ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરિત થઈ મહાઅભિયાનને સફળ બનાવવા માટે યોગદાન આપનારા સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.આ પાર્કમાં જાપાનીઝ મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં ગીચ વન તૈયાર કરવા ૪૦થી વધુ સ્થાનિક પ્રજાતિના ૨૫ હજારથી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) વીઓ:2 આ ઓક્સિજન પાર્કમાં વાતાવરણમાં વધુ ઓક્સિજન મુક્ત કરતી ૪૦થી વધુ સ્થાનિક પ્રજાતિઓ જેવી કે લીમડો, પીપળો, બોરસલ્લી, શેતુર, જામફળ, આમળા, સેવન, સીતાફળ અને સરગવો વગેરેનું રોપણ કરવામાં આવ્યું છે. મિયાવાંકી જંગલની સાથે-સાથે પર્યાવરણ પ્રેમી નાગરિકો માટે ઘરઆંગણે વાવવા માટે વધારાના ૫,૦૦૦ નંગ વિવિધ જાતના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top