Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ટ્રાફીક સિગ્નલ પોલ ધરાસાઈ થઈને રીક્ષા પર પડ્યો

Aug 21, 2024 07:45:46
Anand, Gujarat

આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે મંગળપુરા રોડ પર આજે સાંજના સુમારે ટ્રાફિક સિગ્નલનો પોલ ધસાઈને રીક્ષાના પર પડી ગયો હતો, જેના કારણે રીક્ષાનો ખુદડો બોલી ગયો હતો. સદભાગ્યે, રીક્ષા ચાલક અરવિંદભાઈ ગોહીલને કોઈ ગંભીર ઇજા નથી થઈ. આ ઘટના અંગે ગણેશ ચોકડી પર તૈનાત પોલીસ અને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની મદદથી પોલ દૂર કરાયો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Dec 22, 2025 04:20:11
Palanpur, Gujarat:બનાસकાંઠાના પાલનપુર પંથકમાં પાણીના તળ ઊંડા જતા બાલારામ નજીક ચેકડેમ બનાવવાની માંગ સાથે ખેડૂતોએ મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો સાથે આંદોલન કર્યું હતું.જોકે ખેડૂતોની માંગને લઈને સરકાર દ્વારા બાલારામ પાસે ચેકડેમ બનાવવામાં આવ્યો છે અને આ વર્ષે ચોમાસાના વરસાદ માં જ ચેકડેમ છલકાઈ ગયા કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે અને ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થઈ છે જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશી છવાઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે દરિયાઇ પાણીની ઊંડી તંગી રાહત આપતા ચેકડેમ બનાવવાની વાત આંદોલન દ્વારા જાણ કરી હતી. છેલ્લાં કેટલાય વર્ષથી પાલનપુરના બાલારામ નજીક આવેલા 25થી વધુ ગામોના ખેડૂતો બિલકુલ પાણીની કમીને કારણે ચોમાસુ યુદ્ધ ચલાવતા હતા અને આ કારણે ઉનાળુ કે શિયાળુ સિઝનમાં ખેતી કરવી મુશ્કેલ બનતી હતી. સરકાર દ્વારા 2.35 કરોડની ખર્ચે બાલારામ નદી ઉપર ચેકડેમ બનાવાયો હતો અને આ વખતોમાં ચેકડેમ ભરાઈ જતા આજુબાજુના 25 ગામોમાં પાણીનું સ્તર ઊંચી ગયું છે. ચેકડેમ બનતા તરત જ ચોમાસે વરસાદમાં પાણીની સમસ્યા હલ થઈ હતી અને હવે મામલો સ્થાયી રહેવા નીતરી મળે છે. બાઈટ-1-માવજીભાઈ લોહ -ખેડૂત આગેવાન ( ચેકડેમ બને તે માટે અમે ત્રણ આંદોલન કર્યા હતા હવે પ ચોમાસામાં જ ચેકડેમ છલકાયો છે જેથી પાણીના તળ ઊંચા આવ્યા છે અને ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે ) બાઈટ-2-જીતુભાઈ પટેલ -ખેડૂત ( અમારા વિસ્તારમાં પાણીના તળ ઊંડા જતા ખેતી કરવી મુશ્કેલ હતી પણ હવે ચેકડેમ બનીને ભરાઈ જતા પાણીની સમસ્યા હલ થઈ છે હવે અમે તમામ સિઝન ખેતી કરી શકીશું ) વોક થ્રુ-અલકેશ રાવ ( બાલારામ નજીક સરકાર દ્વારા 2.35 કરોડના ખર્ચે ચેકડેમ બનાવ્યું છે જે ભરાઈ ગયે ત્યારે આસપાસના પાંરણા ગામોમાં પાણીના તળ ઊંચા આવ્યા છે આપ જોઈ રહ્યા છો..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 22, 2025 04:19:56
0
comment0
Report
DPDhaval Parekh
Dec 22, 2025 04:18:01
Navsari, Gujarat:નવસારીના બીલીમોરા નગર પાલિકા દ્વારા વર્ષ 2023 માં પાલિકા નજીકના બાગને રિનોવેશન કરીને, ત્યાં 35 લાખ રૂપિયાના ખર્ચે દેશી અને વિદેશી પક્ષીઓને સાથે વિશાળ પક્ષીઘર બનાવ્યું હતું. પક્ષીઘર બનતા શહેરીજનોને ફરવાનું એક સ્થળ મળ્યું, જ્યારે શ્રધ્ધાળુઓ પણ પક્ષીઘરની મુલાકાત લેતા હતા. બે વર્ષ સુધી ચુણ્ટણી નહીં થઈ અને ચુંટણી બાદ પાલિકા શાસકોએ પક્ષીઘર બાજુ દુર્લક્ષ્ય સેવા ચાલુ રાખી, નાના પક્ષીઓupper ની જાળીઓમાં કાણાં પડતા ઉડી જઈ રહ્યા હતા. અત્યાર સુધીમાં પક્ષીઘરમાંથી અંદાજે 30 થી 40 પક્ષી બહાર ઉડી ગયા છે. પક્ષીઘરમાં અંદાજે અઢી-વિસ થી વધુ પક્ષી રાખવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાની બેદરકારીને કારણે લાખોના ખર્ચે બનેલ અને દક્ષિણ ગુજરાતની પાલિકાઓમાં એકમાત્ર બીલીમોરા પાલિકા હસ્તકનું પક્ષીઘર ધીરે ધીરે વેરાન બનવામાં ગયું છે. વિપક્ષે વારંવાર સમારકામ કરવામાં આવતી માંગ કરી છે. બીજી તરફ પાલિકા પ્રમુખે પક્ષી ઉડી જવાના પ્રસંગને સ્વીકાર્યો છે અને જાળવણી અને સમારકામ થાય તે જોવાઈ રહ્યું છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Dec 22, 2025 04:05:21
Sadhara, Gujarat:એંકર : કચ્છ જિલ્લાના દુર્ગમ બન્ની વિસ્તારમાં જોવા મળતા આકર્ષક દેશી ભુંગાઓ તેની વિશેષતાઓને લઈ દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. કચ્છની ભાતિગળ સંસ્કૃતિ દર્શાવતા ઈકો ફ્રેન્ડલી ભુંગાઓ તેની ગોળાકાર બનાવટથી ઠંડી અને ગરમીની ઋતુમાં વાતાનુકૂલિતની ગરજ સારે છે. ભૂકંપપ્રૂફ ભુંંગા બનાવવા સ્થાનિક કારીગરોને સમગ્ર દેશમાંથી ઓર્ડર મળે છે. આ હંગામી આવાસો હવે કચ્છીમાડુઓ માટે કાયમી રોજગાર બન્યા છે. વી ઓ : કચ્છના રણોત્સવના કારણે ધોરડો અને આસપાસના ગામોમાં ઘરોની બાજુમાં ઠેર ઠેર કલાત્મક હોમ स्टે અને રિસોર્ટ જોવા મળે છે. આજે પણ અહીં લોકો જૂનવાણી ભુંગામાં રહેવાનું પસંદ કરે છે. હોડકો ગામમાં 100 વર્ષથી પણ જુના ભુંગા આવેલા છે. અહીં મુખ્યત્વે દેશી અને માંગરોઇ નળિયાવાળાં ઘરો આવેલાં છે. જો કે તેમ છતાં સ્થાનિક લોકો આજે પણ ભુુંગામાં રહેવાનું વધુ પસંદ કરે છે. લાકડાં, છાણ અને દેશી ઘાસની મદદથી તૈયાર થતા દેશી ગોળાકાર મકાનને ભૂંગો કહીએ છીએ. જેમાં વર્તુળાકારે ઊભી કરાયેલી દીવાલમાં માટી અને છાણ મિશ્રિત લીંપણથી ભીંત સજાવવામાં આવે છે. આ ભીંતો પરનાં ચિત્રોમાં નાના-મોટા આરીસા જડવામાં આવે છે અને ઉપર શંકુ આકારે ગોઠવેલાં લાકડાં પર ઘાસની મદદથી છાજ સજાવવામાં આવે છે. છાજને જકડી રાખવા માટે હરબંધ ઝીણી દોરી બાંધવામાં આવે છે. આ ભુંગો દેખાવે અતિઆકર્ષક અને વિશિષ્ટ પ્રકારના હોય છે જે દરેક ઋતુ મુજબ આપમેળે સમતોલન જાળવી તાપમાનને નિયંત્રિત રાખે છે. નોંધનીય છે કે આ ભુંગાઓ ઉનાળામાં એર કન્ડિશનરની જેવી ઠંડક આપે છે. કચ્છી લોકોની આ એક વિશિષ્ટ લોક ઈજનેરી કલા કહી શકાય. હોડકાના સ્થાનિક લોકો ભુંગા બનાવી रोजગારી પણ મેળવે છે. આ ગામના સ્થાનિક લોકો જુદાં જુદાં ગામ, शहरો તથા વિદેશોમાં આ પ્રકારના ભુંગા બનાવવા માટે પણ જાય છે. ઉપરાંત હોટેલ, રિસોર્ટમાં પણ આકર્ષણ માટે ભુંંગા બનાવવા અહીંના કારીગરોને બોલાવવામાં આવે છે. રણોત્સવના સંચાલન સાથે હસ્તકળાની અવનવી વસ્તુઓનું નિર્માણકાર્ય સંભાળતા સ્થાનિકના ભીમજી ખોયલાએ કહ્યું હતું કે ભાતીગળ ભુંગાને બહારના વિસ્તારોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. અહીંના સ્થાનિક કારીગરો ગુજરાત, મુંબઈ, દિલ્હી વગેરે સ્થળોએ હોટલો, રેસ્ટોરાં અને ફાર્મ હાઉસમાં ભુંગા તૈયાર કરવા જતા હોય છે. સ્થાનિકને એક ભુંગો બનાવવામાં રૂપિયા 5 લાખનો ખર્ચ થાય છે જે બહાર તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા 17 લાખ જેટલો થાય છે. સ્થાનિક યુવાઓને અને મહિલાઓને પણ રોજગારી મળી રહે છે આસપાસના પચાસેક જેટલા લોકો ભીમજીભાઈ સાથે જોડાયેલા છે. રણોત્સવના સમયમાં આ વિસ્તારમાં પર્યટકોની હાજરી વિશેષ રહી છે. શિયાળા દરમિયાન અહીં હજારો પ્રવાસી આવતા હોય છે. આજ પ્રકારે સફેદરણ માણવા આવેલા એક વ્યક્તિ ભૂંગો પસંદ થતા હોડકો ગામના સુમારભાઈનેGermany ના લાઈપઝીગ સિટીમાં આભારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે 2005માં જર્મનીના ગ્રાસી મ્યુઝિયમમાં ભૂંગો મોકલવામાં આવ્યું. બાઈટ : ભીમજી ખોયલા ભૂંગો બનાવનાર કારીગર 1: અહીં શિક્ષણનું સ્તર ઓછું હતાં પરંતુ ભીમજી કોયલા આઈટીઆઈ કર્યા અને આ કળાને વિકસાવી છે. ભૂંગો બનાવવું આ એક વિશેષ કળા છે જેના અંદર લી Lib aન- ગુપણ સાથે અન્ય અદ્ભુત શોગીસવા કામ કરવામાં આવે છે જેમ કે માઢ વર્ક, માટી કામ, આભલા કામ અને મહિલાઓ પણ કરે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે કચ્છના ટુરીઝમનો વિકાસ કર્યો છે.Germany માં દાદા એ ભૂંગો બનાવવા માટે અહીંથી ઘાસપુસ, માટી લઈ ગયા હતા. ભૂંગા ઓ ઠંડી, ગરમી, વરસાદમાં સુરક્ષા અને ભૂકંપ પ્રૂફ રહે છે. 70 થી 80 પરિવારને રોજગારી મળી રહી છે. સરકારના વિકાસ પ્રયોગો આ વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપીને રોજગારી પૂરું પાડવાનું કામ કરે છે. બાઈટ : ભીમજી ખોયલા ભુંગો બનાવનાર કારીગર 2: આ બનાવવામાં આવતા ભૂંગોની વિશેષતા અંગે વાત કરી હતી કે કઈ રીતે બનાવવામાં આવે છે અને કેટલા કારીગરો કાર્ય કરે છે. ઘાસ 5-7 વર્ષ સુધી ચાલે છે, હવામાન કંટ્રોલ કરે છે. ગામડાંના લોકો કાચા-ઝૂંપડા બનાવીને રહેતા હોય છે. હું બન્ની વિસ્તારના ગુજરાત સરકાર દ્વારા ટૂરીઝમ વિકાસ બાદ હેન્ડીક્રાફ્ટ પછીનો બીજો વ્યવસાય તરીકે કચ્છી ભૂંગો ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે અને જેમાં કારીગરોGermany સુધી સુધી ભંગો તૈયાર કરવા ગયેલા છે.
0
comment0
Report
DPDhaval Parekh
Dec 22, 2025 04:04:21
Navsari, Gujarat:સ-slug નોબંધ : NVS NIRO નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTPમાં 12 ડિસેમ્બરના ફોલ્ડરમાં આજનાં 16 ડિસેમ્બરના ફોલ્ડરમાં અપલોડ થયેલાં. એકંકર : શિયાળો એટલે આરોગ્યવર્ધક પીણા અને વાનગીઓ આરોગવાની મોસમ. જેમાં તાડના ઝાડ પરથી કુદરતી રીતે મેળવાતો નીરો નીરોગી રહેવાની જડીબુટ્ટી સમાન છે. આયુર્વેદમાં નીરાના ગુણો કહેવાય છે. જોકે શિયાળામાં નીરાની ડિમાન્ડ પણ રહે છે. પરંતુ ડિમાન્ડ સામે 6 મહિનાના જૂન-ઝણને કારણે નીરાના ઉત્પાદનને 35 ટકા સુધી ઘટાડો થયો હતો. વી/ઓ : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓ દ્વારા તાડની ખેતી કરી, શિયાળામાં મોટા પ્રમાણમાં નીરા મેળવવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નીરા તાડગોળ સંઘ દ્વારા મોટા પ્રમાણમાં નીરા ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિકરણ વધતા સ્થાનિક મજૂરો મળતા બંધ થયા છે. જૂના મજૂરો ઘરડા થયા અને નવા મજૂરો નોકરીમાં જોડાતા તાડ ઉપરથી નીરા પાડવાની સ્કીલ નથી હોતી. જેના કારણે તાડ વધુ હોવા છતાં એના ઉપરથી નીરા માટે ઉંચા તાડ પર માટલા બાંધવા અને એને ઉતારવાની મુશ્કેલી વધી છે. હજુ યા કે નીરા ઉતારવા માટે મંડળીઓ પશ્ચિમ બંગાળથી કારિગરોને બોલાવવામાં આવે છે. અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 120 મજૂરો જ શિયાળામાં આવતા હશે. બીજી તરફ આ વર્ષે ચોમાસુ બે મહિના વધુ રહ્યું, જેના કારણે તાડ ઉપર માટલા બાંધવાની મુશ્કેલી રહી છે. પ્રવાસી કાળે ગયા વર્ષોમાં જ્યાં રોજના 1200 લીટરથી વધુ નીરાનું ઉત્પાદનમાં હતો, આ વર્ષે માત્ર 35 ટકાએ જશે. આ વર્ષે નીરા વેચાણના લાયસન્સ પણ વિલંબ કરી રહ્યા છે અને આ કારણે વેચાણ કરતી માળળીઓને આર્થિક નુકશાનનો ભોગ પડી રહ્યો છે. બાઇટ : ગિરીશ દેસાઈ, ચેરમેન, ગુજરાત નીરા ફેડરેશન વી/ઓ : કુદરતી પીણું નીરો ભલે ઉત્પાદનમાં ઓછો ઉતરતો હોય, પરંતુ વહેલી સવારથી નીરો પીવા માટે નવસારીમાં દૂર-દૂરથી લોકો પરિવાર સાથે આવે છે. નવસારીમાં મળતો નીરો કેમિકલ વગરનો શુદ્ધ હોય છે અને તેથી તેની ગુણવત્તા ઉત્તમ માનવામાં આવે છે. આહાર નિષ્ણાંતનો દાવો છે કે નીરાનું પોષણદાયક ગુણ நல்லા હોય છે. નીરામાં ફેટ ઓછી અને કેલોરી વધારે હોવાથી વહેલી સવારમાં એક ગ્લાસ જ પીવો જોઈએ. બપોર પછી આમાં 4 ટકા આલ્કોહોલ પરમેશન થતું હોવાથી પીવું ન જોઈએ. બાઇટ : અમીષા ગાંધી, નીરા પ્રેમી, સુરત બાઇટ : કિન્નરી શેઠના, આહારશાસ્ત્રી, નવસારી (બ્લેક ટીશર્ટ) વી/ઓ : શિયાળામાં ઉત્તમ અને આયુર્વેદિક રીતે ગુણકારી એવા કુદરતી પીણું નીરો પીવા માટે લોકો ઉત્સાહી હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની માર અને સ્કિલ્ડ મજૂરોની અછતને કારણે થયેલું ઓછું ઉત્પાદન નીરા પ્રેમીઓને નિરાશ પણ કરી શકે છે.
0
comment0
Report
BPBurhan pathan
Dec 22, 2025 04:03:12
Anand, Gujarat:આણંદ શહેરમાં સલાટીયા ભાથીજી મંદીરથી પરિવાર પાર્ટી પ્લોટ પાછળ થઈને સમરખા ચોકડીને જોડતો માર્ગ બીસ્માર થયો છે, અને ઠેરઠેર ખાડાઓ પડી જતા স্থানীয় રહીઓસો અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આણંદ શહેરમાં સલાટીયા ભાથીજી મંદીરથી પરિવાર પાર્ટી પ્લોટ પાછળ થઈને સમરખા ચોકડીને જોડતો એક કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણાં સમયથી બીસ્માર થયો છે, માર્ગ પર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં વધી રહ્યા છે, સ્કૂલ વર્ધીનાં વાહનો પણ આ માર્ગમાંથી પસાર થાય છે જે કારણે હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ માર્ગને નવો બનાવવાનો યોજનાનો સુંદર માંગ જોવા મળી રહી છે. મેહાનગરપાલિકા દ્વારા માર્ગ પર પડેલા ખાડાઓ પેચવર્કથી પૂરવામાં આવતા નથી, જેને કારણે સ્થાનિક રહીસોમાં રોષ પ્રસરે છે. મનપાનાં ડેપ્યુટી કમિશ્નર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે માર્ગ નવો બનાવવા માટે યોજનામાં લેવામાં આવેલ છે, પરંતુ ભુગર્ભ ગટર અને પાણીની નવી પાઈપ‑લાઈનના કામ બાકી હોવાથી આ કામ પૂર્ણ થયા બાદ નવો રોડ બનાવવામાં આવશે. ડ્રેનેજ અને પાણીની લાઈને póંકાઈ ગયા બાદ તરત જ નવો રસ્તો બનાવવાનો પ્રારંભ કરવામાં આવશે. આ રસ્તાની અસલ સમસ્યા અને સમસ્યાઓ અંગે લોકોના સૂત્રો દ્વારાાય છે કે બિસ્માર હાલતમાં રોડ હતો, હવે નગરપાલિકા દ્વારા ડબલ્યુ‑BM પદ્ધતિથી ખાડા પુરીને રોડ મોટરેબલ બનાવવામાં આવ્યો હતો, જો કે નગરપાલિકા આ પ્રકારના સમયમાં આ રોડને નવો બનાવવાનો આયોજન કરી લીધા છે અને ડ્રેનેજ-પાણીને રાખીને ચાલવાનું કામ આગળ વધશે. આ રિક્ષાચાલકો, વાહનચાલકો અને ડિલિવરીકારો આ માર્ગને ઝડપી લીંકોમાં ઠાલવવાની માંગ કરે છે. આ અંગે રાજકોટ, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું સિદ્ધાંત સત્તાધિકારીઓને જાણ કરવામાં આવ્યું છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:18:17
Gandhinagar, Gujarat:ગાંધીનગર પોલીસનું ઓપરેશન વિરાંગના ઝી 24 કલાક આરોપી જ્યાં રહેતો હતો‌ ત્યાં પહોંચ્યું ગાંધીનગર સેક્ટર 24 ઇન્દિરા નગર વિસ્તારમાં છાપરા વિસ્તારમાં 14 ડિસેમ્બરના રાત્રીના સમયે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.આ ઘટનામાં પોલીસે રામગણિત યાદવને ધરપકડ કરી હતી. આરોપીને ગાંધીનગર સેક્ટર 24 ખાતે જ્યાં આગળ દુષ્કર્મ આચર્યું હતું તે જગ્યા પર લઈ જાનીને રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન આરોપી ભાગવા જતા સેક્ટર 21 મહિલા પીઆઈ લતા દેસાઈ દ્વારા આરોપી પર પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 3 રાઉન્ડ ફાયરિંગમાં આરોપીને પગના ભાગમાં ગોળી વાગી હતી. આ આરોપીને ગોળી વાગતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આરોપીની સારવાર ચાલુ છે. દુષ્કર્મનો આરોપી રામગણિત યાદવ Gandીનગરના સેક્ટર 25 જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાણીતા ડેરી પ્લાન્ટમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે આગળ લેબર તરીકે કામ કરતો હતો. પ્લાન્ટના પાછળના ભાગે આવેલા લેબર કોલોનીમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. આરોપી રામગણિત યાદવ લેબર કોલોનીમાં આવેલ E-3 પતરા ના ઝુપડામાં રહેતો હતો અને rspનાર્થે ગાંધીનગરના સેક્ટર 24 ખાતે અવારનવાર જતો હતો." પોલીસે આ ધટનામાં આરોપી પકડવા માટે 300થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા, 200 થી વધુ પોલીસ કર્મચારીઓને આરોપી પકડવા ટીમો બનાવવામાં આવી હતી. 300 જેટલા મજૂરોના ડેટા એનાલિસસ કરવામાં આવ્યા હતા.
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:17:55
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશન દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જેમાં યોગ બોર્ડના ચેરમેન શીશપાળ રાજપુત સહિત મોટી સંખ્યામાં યોગ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સ્પીચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ શારીરિક શક્તિ વધારે છે ધ્યાન માનસિક શક્તિ વધારે છે યોગ એ એક એવું સાધન છે જે તમને સવારથી સાંજ સુધી થાક્યા વિના કાર્યો પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. આજના સમયમાં યોગ અને ધ્યાન બંને જરૂરી છે. આજે, 21 ડિસેમ્બર, સૌથી ટૂંકો દિવસ છે. આ દિવસનો સંદેશ ધ્યાન છે. જેને ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે માત્ર એક આધ્યાત્મિક અભ્યાસ નથી પરંતુ શક્તિ માટેનું સૌથી મોટું માધ્યમ છે. संયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરે આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. વિશ્વ નેતા, વડા પ્રધાને વિશ્વને ભव्य યોગ રજૂ કર્યો છે. યોગ વિશ્વને સ્વાસ્થ્યનો સરળ માર્ગ બતાવે છે. યોગ, પ્રાણાયામ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ घटકો છે. વડા પ્રધાનનું સ્વપ્ન છે કે યોગ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બને. આ યોગ બોર્ડ લોકો યોગ માટે જાગૃત કરે છે. હું બધા યોગ પ્રશિક્ષકોને અભિનંદન આપું છું. પૂજ્ય શિવ કૃપાનंदન સ્વામી જેવા હિમાલય સમર્પણ ધ્યાન લોકોને યોગ માટે પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. ૨૦૪৭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ભારત અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:17:23
Gandhinagar, Gujarat:રવિ તેજા વસમશેટ્ટી SP, ગાંધીનગર ગાંધીનગર સેકટર 24 માં દુષ્કર્મ બાબતે આપી માહિતી રિકન્સ્ટ્રક્શન દરમિયાન બની ઘટના આ ઘટના માં ઓપરેશન વીરાંગના નામ આપ્યું હતું નાનકડી 4 વર્ષની દીકરી ને જંગલ માં લઇ જઇ રેપ કર્યો આરિઓએ રેપ બાદ જંગલમાં છોડી દીધી ચાર જિલ્લા ની પોલીસ ની ટીમ તપાસતી હતી રામ યાદવ મજૂરી કામ કરતો હતો બિહાર જતા પહેલા રેપ કરવાનો આરોપી એ નક્કી કર્યો હતો જંગલ માં લઇ જઇ રેપ કર્યો હતો બાળકી સાથે 1 કલાક રેપ કર્યો હતો રાત્રે 2:30 કલાકે બાળકી ની હાલત જોવા આરોપી બનવ સ્થળે ગયો હતો બાળકીના કપડાં નું FSL કર્યુ હતું આજે સાંજે આરોપી કાંડ સામે આવ્યો પોલીસ બનાવ વાળી જગ્યાએ તપાસ કરવા જતાં ભગવાનો પ્રયાસ કર્યો ફાયરિંગ કરતા ડાબા પગે ગોળી વાગી રાહુલ યાદવ નામના આરોપી ને ગોળી મારી છેલ્લા 4 દિવસથી 300 પોલીસ રાતદિવસ મહેનત કરી આરોપી જડપી પડ્યો આરોપી GIDC માં અમૂલ પાર્લર માં નોકરી કરતો હતો આરોપી કોઈંટ્રક્ષા્શણમાં પોલીસ માહિતી મેળવી રહી હતો ત્યારે આરોપી ભાગી ગયો હતો બિહાર માં ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ તપાસ કરશે આરોપી દસ દિવસ પહેલા રેપ નો પ્લાન કર્યો હતો મોબાઈલ માં પોર્ન વીડિયો જોતા હોવાનું પણ સામે આવ્યું છે આ આરોપી વિકૃત માનસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે આજે સવારે આ આરોપી ની ધરપકડ કરી છે છેલ્લા 6 મહિનાથી છાપરા માં રહેતો હતો
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:17:00
Gandhinagar, Gujarat:સગીરાઓ ના સગર્ભા થવા પર બાળ આયોગ ની સૂચના રાજ્યભર કેટલાક જિલ્લાઓમાં સગીરાઓના ગર્ભવતી હોવાના આંકડા રહેલાં છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ ચોંકાવનારા છે. આરોગ્ય વિભાગે સગીરાઓના સગર્ભાવસ્થાના આંકડા વિશે બાળ આયોગના અધ્યક્ષે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગે સગીરાઓના સગર્ભા હોવાના આંકડાઓ ફરીએકવાર સમীক্ষા/સર્વે કરવ vero સૂચના આપી છે. સગીરાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં ભરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. બાળ આયોગ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી રહ્યું છે. પાંચથી સાત જિલ્લા વિસ્તારોમાં બાળ લગ્ન થવાના લખાણ છે. પછાત વિસ્તારોમાં સગીરાઓના લગ્ન થાય છે. આ વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. બાઇટ ધર્મિષ્ઠા ગજ્જર, અધ્યક્ષ, બાળ અધિકાર આયોગ
0
comment0
Report
Advertisement
Back to top