Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ

Aug 24, 2024 02:19:32
Anand, Gujarat

મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Feb 12, 2026 10:00:15
Ahmedabad, Gujarat:અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે મહત્વપૂર્ણ પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, એટીએસ, સીઆઇડી ક્રાઈમ, સાઇબર એક્સેલન્સ સહિતની વિવિધ એજન્સીઓના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યત્વે ટ્રાફિક, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ ક્ષેત્ર અંગે ચર્ચા કરવામાં આવી અને આ મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યાં. આ ઉપરાંત કોન્ફરન્સમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને Gandhinagar રેન્જમાં થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ 2025ના ક્રાઈમ પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવ્યો. સિનિયર સિટીઝન સાયબર ક્રાઈમના ભોગ બને છે તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિવારણ માટેના ઉપાયો પર વિચારણા કરવામાં આવી હતી. SG હાઈવે પર ટ્રાફિક નિવારણ અંગે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ નોંધ્યું કે મોટાભાગે ક્રાઈમ નિયંત્રણમાં છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં વધુ સક્રિયતાની જરૂર છે. પોલીસ દળમાં ભરતી અને પ્રમોશન અંગે પણ મહત્વની જાણકારી રાજ્ય પોલીસ વડા એ આપી. ભરતી કેલેન્ડર પ્રમાણે 9 હજારથી વધુ ભરતી થઈ છે, અને તેમાંથી શહેરને પણ પોલીસ ફાળવવામાં આવશે. ટૂંક સમયમાં PSI થી PI પ્રમોશન પામેલા અધિકારીઓના ઓર્ડર પણ કરવામાં આવશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 12, 2026 08:02:46
Surat, Gujarat:એકર ઓઇલના ધંધામાં ભાગીદારી છૂટીતાં ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ગુનામાં ગયા સોમવારે કોર્ટમાં hadir થયેલા ચિરાગ ગોટીના એસીપી ઝેડ.આર.દેસાઈએ ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરئی હતી. ચિરાગ ગોટી તથા તેના ભાઈ નિરાંત, પિતાના સાથે મળે વેડરોડના જમીનદલાલ પાસેથી જમીનનો ધંધો કરવાની દિશામાં દર મહિને રૂ. 2 લાખની માંગણી કરી ચપ્પુ બતાવી રૂ.10 લાખ પડાવ્યા હતા. પાંચ વર્ષ પૂર્વની ઘટનામાં પૈસા પડાવ્યાના ત્રણ દિવસ બાદ પોલીસને કાર્યવાહી કરતાં ઘૃણિત નુકસાન થઈને આજ સુધી કાર્યવાહી ચાલી_Placement. ગુજરાતમાં જેમની ઓળખના આધારે ઘટનાની પુનરાવૃત્તિ બાદ, જીજ્ઞેશ મગનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે વખતે તારા બાપ સાથે તો અમે ખોટુ કર્યુ છે હવે તારો વારો છે. જાગૃતતા પામ્યા બાદ જીગ્નેશભાઈએ સાબિત કરવા માટે 8 લાખ રોકડા ચૂકવ્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસમાં ગુના થાયના કેટલાક આરોપીઓએ પુનઃ ધમકી આપી લાલચ આપવી કે અપહરણનો પ્રયાસ કરી કારમાં બેસાડી ઘરે લઈ ગયા. 2018માં ચિરાગ ગોટી પાસે 3 લાખ લીધા હતા, ત્યારબાદ ચારેયના ઘર પર રાત્રે હાજરી આપી ધમકી કરીને 4 ફ્લેટ તેમના નામે કરાવી લીધા હતા.
0
comment0
Report
URUday Ranjan
Feb 12, 2026 07:35:02
Ahmedabad, Gujarat:અમદાવાદ : 108 દિવસની જેલ અમે સાથે કાપી હતી રાજીનામા પાછળ એક જ માત્ર કારણ છે રાજુઃ કપરાડા તેમના બે જુના કેસો માં ચિતા માં છે 307 જેવા ગંભીર ગુનાઓ તેમના પર લાગેલા હતા,ભાજપે તેમના પર આ માટે પ્રેશર બનાવ્યું હતું.. રાજુ કપરાડા ક્યારે કઈ પાર્ટીમાં જશે પરંતુ ભાજપ જોડાશે તો મતલબ કે ભાજપે પ્રેશર કર્યું.. ભાજપ વતી અમુક લોકો તેને મળવા આવતા હતા ભાવનગર અને રાજકોટ જેલના સીસીટીવી વાયરલ કરવામાં આવે.. રાજુ કપરાડા સતત ચિતામાં હતા અને કેસમાં ફસાવી દેશે તેવી ચિતા હતી.. પક્ષમાં આંતરિક ખેંચતાણ વાળી વાત બંધ બેસતી નથી.. જિલ્લા પચાયત અને તાલુકા પચાયત ની ચૂંટણીઆવી રહી છે.. ગોપાલ ઈટાલીયા ને પો પણ વકીલ તરીકે મળવા દીધા નથી.. અરવિંદ કેજરીવાલ ને પણ અમને બને ને મળવાidakે નથી.. બાઈટ : પ્રવીણ રામ નેતા aap
0
comment0
Report
NBNARESH BHALIYA
Feb 12, 2026 06:37:50
Jetpur, Gujarat:જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં બાપાની જન્મભૂમી અને કર્મભૂમી છે ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવૃત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરત પાછળ ચાલુ છે. પૂજ્ય જલારામ બાપા सेवકો સાથે ભજન કરતા હતા, વિક્રમ સવંત 1937 મહા વદ દશમીને બુધવારે વૈકુંઠવાસ થયા હતા ત્યારે ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. આજે બાપાની 145મી પુણ્યતિથિએ પરીવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થાને પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જ્યારે ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તથા દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા, આજે જલારામબાપાની 145મી પુણ્યતિથિ હોવાથી વહેલી સવારથી જલારામબાપાના દર્શને ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, સાથે જ જલારામબાપા દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી
0
comment0
Report
Advertisement
Back to top