Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ ટાઉન પોલીસે વિદેશી દારૂનું કટિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા

Aug 29, 2024 05:13:36
Anand, Gujarat
આણંદ શહેરમાં રોયલસીટી રોડ પર હિના પાર્ક સોસાયટીમાં આણંદ ટાઉન પોલીસે છાપો મારી વિદેશી દારૂ અને બિયરનું કટીંગ કરતા પ્રવિણસિંહ ચૌહાણ,સાજીદ ઉર્ફે ટીકટીક અને રોહીત દરબારને ઝડપી પાડી તેઓની પાસેથી 2.95 લાખનો વિદેશી દારૂ અને બિયર તેમજ બે કાર અને રીક્ષા સહીત 12.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આઠ આરોપીઓ વિરૂદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 23, 2026 08:51:29
Surat, Gujarat:સુરતમાં બનેશે રાજ્યની પ્રથમ ફાયર સેફટી એકેડેમી..જેથી નાગપુર પરની નિર્ભરતા ઘટશે. સુરત સહિત રાજ્યભરમાં કોઇ ફાયર એકેડેમી નહીં હોવાથી સુરતના લોકોને ફાયર સેફટીના કોર્સ માટે નાગપુર અથવા અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડતી હતી, પરંતુ સુરતમાં એકેડેમી બની ગયા બાદ સુરતના લોકોને અન્ય જગ્યાએ જવાની નોબત નહી આવશે, બલ્કે અન્ય સ્થળો પરથી લોકો સુરતમાં ટ્રેનિંગ અને કોર્સ માટે આવશે. સુરતના ફાયર સેફટી એકેડેમીમાં ક્રમશઃ કોિસ સંખ્યા વધારવામાં આવશે તેવી જાણકારી મળી હતી. આ આયોજને ગાંધીનગરની જેમ સુરત શહેર આજે ઝડપી વિકાસનું નવું માપદંડો સર કરી રહ્યું છે. અંદાજે ૮૦ લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો રોજગારની શોધમાં આવીને વસવાટ કરે છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ, હીરાઉદ્યોગ અને અન્ય મેન્યુફેક્ચરિંગ વિસ્તરણને કારણે શહેરનો વ્યવાપ સપાટી વધી રહ્યો છે. વિકાસની આ ગતિ વચ્ચે ફાયર વિભાગની જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની 5 પ્રથમ ફાયર એકેડેમી સ્થાપવાના નિર્ણયને ગતિ પકડી રહી છે. સુરત ફાયર વિભાગે આ એકેડેમી માટે ૮૦૦૦થી ૧૦૦૦০ ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવાના સમાચાર મળ્યા છે.
982
comment0
Report
AKArpan Kaydawala
Mar 23, 2026 08:51:13
Ahmedabad, Gujarat: Ahmedabad આગીમી દિવસોમાં કોઈપણ સમય માટે જાહેર થઈ શકે म્યુनિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચૂંટણીના માહોલમાં લાગ્યા amc તંત્ર વિરુદ્ધના પોસ્ટર સાબરમતી વોર્ડના મોટેરા ગામમાં લાગ્યા પોસ્ટર મેટ્રો રૂટની આસપાસની સોસાયટીઓમાં લાગ્યા કામ નહીં તો મતદાન પહેલાંના પોસ્ટર રોડ, પબ્લિક ગાર્ડન, ટ્રાફિક વ્યવસ્થા, પાણીની લાઇન, સુરક્ષા, વરસાદી પાણી, ડ્રેનેજ અને સફાઈ समेतના પ્રાથમિક સુવિધાના મુદ્દે સ્થાનિકોમાં રોષ સ્થાનિકોનો પોસ્ટર રૂપી રોષ જોતા ભાજપના નેતાઓ દોડતા થયા localsને સમજી આ ટૂંક સમયમાં કામ કરવાનું આશ્વાસન આપ્યું 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનીlocalsની ચીમકી બાઈટ: અમિત પટેલ,locals બાઈટ: નવીન ભાઈ રાણા,locals
931
comment0
Report
DPDhaval Parekh
Mar 23, 2026 08:39:13
Navsari, Gujarat:મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે માત્ર સરહદો પૂરે સુધી મર્યાદિત નથી રહ્યું. તેની વૈશ્વિક અસરો દક્ષિણ ગુજરાતના નવસારી સુધી પહોંચી છે. નવસારીનો વિશ્વવિખ્યાત પૌવા ઉદ્યોગ અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. ખાડી દેશોમાં થતા એક્સોર્ટમાં 15 થી 25 ટકાનો મોટો ઘટાડો નોંધાતા મિલ માલિકોની ચિંતામાં વધારો થયો છે. વી/ઓ : નવસારી, દક્ષિણ ગુજરાતનું કૃષિ અને વેપારનું હૃદય. ત્યાંના પૌવા ઉદ્યોગ પર યુદ્ધના વાદળો છવાયા છે. વાર્ષિક અંદાજે 1000 કરોડનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ અત્યારે આંતરરાષ્ટ્રીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઈઝરાઈલ-ઈરાન યુદ્ધને કારણે પરિવહન અને એરપોર્ટના રીતોપવાદો પ્રભાવિત થતા, દુબઈ, મસ્કત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં થતી પૌવાની નિકાસમાં 15 થી 25 ટકાનો ગાબડુ પડી ગયું છે. નવસારીમાં અંદાજે 70 પૌવા મિલો આવેલી છે, જ્યાં વર્ષે 1,50,000 ટન પૌવાનો ઉત્પાદન થાય છે. નિકાસ અટકી પડતા હવે લાખો ટનનો સ્ટોક મિલોમાં અટકી પડ્યો છે. બીજી તરફ વિદેશોમાં મોકલેલો પૌવાનો જથ્થો મધ દરિયે અટક્યો છે, જે વિદેશોના વેપારીઓ સુધી ન પહોંચે ત્યાં સુધી પેમેન્ટ થશે નહીં. જ્યારે સ્થાનિક સ્તરે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેતા મજૂરોની અછત રહે છે. યુદ્ધને કારણે પૌવા ઉધ્યોગ સાથે તેની સાથે સંકળાયેલા અન્ય રોજગાર પણ પ્રભાવિત થવાની સંભાવના જોવાઈ રહી છે. બીટ : પ્રેમચંદ લાલવાણી, સંચાલક, પૌવા મીલ, નવસારી વી/ઓ : આ ઉદ્યોગ માત્ર વેપારીઓ પૂરતો નથી, પણ સ્થાનિક ખેડૂતાને સીધો જોડાયેલો છે. દર વર્ષે અંદાજે 2.75 લાખ ટન ડાંગરની ખરીદી સ્થાનિક ખેડૂત પાસેથી કરવામાં આવે છે. ત્યારે નિકાસ ઘટતા અને મધ દરિયે અટવાયેલા પૌવાના કારણે નાણાકીય તરલતા ઓછી થઈ છે, જેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડી રહી છે. યુદ્ધને કારણે અનેક ઉદ્યોગો ઉપર मंदી આવી રહી છે, જેમાં પૌવા ઉદ્યોગ પણ લાગુ પડેલુ છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે સરકાર સામે આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીટ : હરીશ મંગલાણી, પ્રમુખ, નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ વી/ઓ : આમ, હજારો લોકોની રોજીરોટી પૂરી પાડતો નવસારીનો પૌવા ઉદ્યોગ અત્યારે હાળજોનાની નીતિ અપનાવી રહ્યો છે. જો યુદ્ધ જલદી શાંત નહીં થાય, તો આગામી દિવસોમાં આર્થિક મુશ્કેલીઓ વધી શકે તેમ છે.
1075
comment0
Report
BPBurhan pathan
Mar 23, 2026 08:37:01
Anand, Gujarat:એન્કરઃ આણંદ જિલ્લામાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈને પાકને ભારે નુકશાન થવાની ભીતીને લઈને કેટલાક ખેડુતોએ પાક તૈયાર થયા પહેલાંજ પાક કાપી લેતા ઓછુ ઉત્પાદન મળતા ખેડુતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, વીઓઃસોજીત્રા પંથકનાં પીપળાવ પંથકમાં ખેડુતોએ હજારો એકર જમીનમાં ધઉંનો પાક કર્યો હતો અને પાકને 70થી 80 દિવસ થયા હતા પાકને સંપૂર્ણ પાકવામાં હજુ 20 થી 30 દિવસની વાર હતી ત્યારજ મીની વાવાઝોડા અને કમોસમી માવઠાને લઈને ધઉંનાં પાકને પૂર્ણ નુકશાનીથી બચાવવા માટે ખેડુતોએ કસમયે જ ધંઉનાં પાકની લણણી કરતા ધઉંનાં દાણા હજુ પાકે તે પહેલા જ કાપી લેવામાં આવતા પાકનું ઉત્પાદન ઓછુ મળતા તેમજ દાણાનું વજન તેમજ ગુણવત્તાને પણ અસર થતા ખેડુતોને ભારે આર્થિક માર સહન કરવાનો આવ્યો છે, વીઓઃકમોસમી માવઠા અને વાવાઝોડાનાં કારણે ખેડુતોને વિધા દીઠ માત્ર 12થી 20 મણ ઉતાર મળ્યો છે,અને હાલનાં ભાવ જોતા ખેડુતોને વિધા દીઠ માત્ર દસ હજાર જેવી આવક મળશે જયારે ધઉંનાં પાક પાછળ મોંધા ભાવનાં બિયારણ અને ખાતર સહીત વિધા દીઠ કરેલો 15 હજારનો ખર્ચ પણ વળે તેમ નથી જેથી ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
961
comment0
Report
UPUMESH PATEL
Mar 23, 2026 06:48:29
Valsad, Gujarat:ઈરાન અને ઈઝરાયેલ ,અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે સામાન્ય માનવીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક તણાવને કારણે દેશભરમાં સર્જાયેલી ગેસ સીલિન્ડરની અછતમાં વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ આવી ગઈ છે. ગેસના અભાવે અહીં દર્દીઓને અપાતી સ્ટીલમ/સ્ટીમ અને ઉકાળા જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. જેના પગલે હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે વિઓ : વલસાડની આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં દરરોજ મોટો સંખ્યા દર્દીઓ પોતાની વ્યાધિઓના ઈલાજ માટે આશા સાથે આવે છે. ખાસ કરીને પેરાલિસીસ (લક્ઝા) ના દર્દીઓ માટે અહીંની સ્ટીમ બાથ અને આયુર્વેદિક ઉકાળો રામબાણ ઈલાજ સાબિત થાય છે. પરંતુ, છેલ્લેના કેટલાક દિવસોથી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં થયેલા ઘટાડાના કારણે આ મહત્વપૂર્ણ સારવાર પ્રક્રિયાઓમાં મોટો અવરોધ ઉભો થયો છે. આયુર્વેદિક પદ્ધતીમાં સ્ટીમ આપવા માટે અને જડીબુટ્ટીઓના ઉકાળા બનાવવા માટે ગેસની સતત જરૂરિયાત રહે છે. ગેસ વગર આ પ્રક્રિયાઓ શક્ય નથી. જો વધુ દર્દીઓને લેવામાં આવે તો તેમને ક્વોલિટિ મુજબની સારવાર આપી શકાતી નથી. આ મજબૂરીને કારણે, જે હોસ્પિટલમાં પહેલા દરરોજ ૧૦૦ થી વધુ દર્દીઓની સારવાર થતી હતી, ત્યાં હવે માત્ર ૨૦ થી ૩૦ દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોપસ્પિટલ તંત્ર દ્વારા હવે દર્દીઓને ટોકન અથવા નંબર આપીને વારાફરતી બોલાવવામાં આવી રહ્યા છે. ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ગેસની અછત એટલી ગંભીર છે કે ઈલેક્ટ્રિક સાધનો પણ પૂરતા સાબિત નથી થઈ રહ્યા. દૂર-દૂરથી આવતા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત જવું પડી રહ્યું છે અથવા લાંબી રાહ જોવી પડી રહી છે.સ્થાનિક વહીવટી તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઉપલી કક્ષાએ આ અંગે જાણ કરવામાં આવી છે. જો વહેલી તકે ગેસનો પુરવઠો પૂર્વવત નહિ થાય, તો આગામી દિવસોમાં દર્દીઓની હાલાકીમાં ઓર ઘણા વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ મોંઘી સારવાર અને બીજી તરફ આયુર્વેદમાં પણ આવી મુશ્કેલીઓ, સામાન્ય જનતા માટે હવે "જાયે તો જાયે કહાં" જેવી સ્થિતિ સર્જાઈ છે.
1069
comment0
Report
CPCHETAN PATEL
Mar 23, 2026 06:47:39
971
comment0
Report
AKArpan Kaydawala
Mar 23, 2026 06:47:27
1092
comment0
Report
CPCHETAN PATEL
Mar 23, 2026 05:18:51
1045
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 22, 2026 16:36:09
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની સ્ટોપેજ મળી તેને લીલી ઝંડી બતાવવામાં આવી છે અમદાવાદના આસારાથી ઉદેપુર સુધી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી આ ટ્રેનને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું પણ અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની માંગ ઉઠવી હતી સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા, હવે યાત્રાર્થીઓને દર્શનાર્થીઓને લાભ મળશે... આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્યો, જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1098
comment0
Report
TDTEJAS DAVE
Mar 22, 2026 16:35:57
Mehsana, Gujarat:ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લા ની મુલાકાતે વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી એ જાહેર સભા સંબોધી મહિમાવંત મહેસાણાના નેજા હેઠળ જાહેર સભા 938 કરોડ ના વિવિધ વિકાસકામો ના પ્રકલ્પો ની મહેસાણા જિલ્લા ને ભેટ આપી ગામડાઓને શહેરો જેવી સેવાઓ અને સુવિધાઓ આપવા નો સંકલ્પ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આજે મહેસાણા જિલ્લા ના વિસનગર મુકામે એપીએમસી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. મહિમાવંત મહેસાણા ના નામ થી આયોજિત વિકાસ અને વિરાસત માટે ની જાહેર સભા દરમ્યાન રૂપિયા 938 કરોડ થી આગળના વિકાસલક્ષી પ્રકલ્પો ની ભેટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ મહેસાણા જીલ્લા ને આપી હતી. 630 કરોડ ના વિકાસકામો ના ખાતમુહૂર્ત, 168 કરોડ ના વિકાસકામો નું ભૂમિ પૂજન અને 140 કરોડ ના વિકાસકામો નું લોકાર્પણ મુખ્યમંત્રી એ કર્યા હતા. વિકાસ અને વિરાસત માટે ની મુલાકાત utama
1045
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 16:16:19
Surat, Gujarat:એંકર:સુરત: દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ બની છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના vurદ હસ્તે સચિન વિસ્તારમાં અંદાજે ₹125 કરોડથી વધુ ના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સુરત મહાનગરપાલિકા (SMC) ની કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ₹99.12 કરોડના કામોનું લોકાર્પણ અને ₹80.17 કરોડના ખર્ચે થનારા nuevos કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સુરતથી સચિન થઈ નવસારીને જોડતા સ્ટેટ હાઈવે પરના રેલવે ઓવરબ્રિજનું ₹35.39 કરોડ ના ખર્ચે વાયરડનિંગ (વૈડનિંગ/વિસ્તારણ) કરવામાં આવશે, જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે. ઉધના ત્રણ રસ્તા જંક્શન અને સર્વોત્તમ હોટલ જંક્શન પર નવા ફ્લાયઓવર બનાવવાના કાર્યોને મંજૂરી અપાઈ છે. પાલી વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સચિન ઝોનમાં શાળા નં. 294 અને 372 માટે નવા આધુનિક ભવનોનું લોકાર્પણ કરાયું. પાલી વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટ, કનસાડ વોર્ડ ઓફિસ, અને સતવલ્લા બ્રિજથી રમજી મંદિર સુધીના માર્ગ પર નવી સ્ટ્રીટ લાઈટની સુવિધા ઊભી કરવામાં આવશે. સી.આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) સી.આર પાટીલે સુરતની સિદ્ધિઓ ગણાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે: સુરતને હવે દેશમાં પ્રથમ એવોર્ડ મળવાની ટેવ પડી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડિંગ પણ હવે સુરતમાં બનીશે."સુરતમાં 28 માળનું આધુનિક મીની સચિપાલય બનશે, જેમાં 5,000 વાહનોның પાર્કિંગની સુવિધા ہوگی. સુરતની ઓળખ સમાન BRTS બસોમાં હવે સિનિયર સિટીઝન માટે મુસાફરી સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે. शहरને સ્વચ્છ રાખવા બદલ તેમણે મનપાના સફાઈ કર્મચારીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રોજેક્ટ્સ દ્વારા સચિન અને આસપાસના વિસ્તારોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળશે, જે સ્થાનિકોના જીવનધોરણને ઊંચું લાવશે.
995
comment0
Report
Advertisement
Back to top