icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

बिहार के तीन दोस्तों के सदमे ने गुजरात में दो युवकों की आत्महत्या कर डाली

Vadodara, Gujarat:वडोदरा: बिहार के दो युवकों ने की आत्महत्या, तीसरे मित्र की मौत का सदमा बना वजह पहली घटना (बिहार): दो दिन पहले बिहार में तीनों मित्रों में से एक युवक (तीसरा मित्र) ने आत्महत्या कर ली। इस खबर से गहरा सदमा खाने के बाद वडोदरा में रह रहे उसके दो करीबी मित्रों ने भी आत्महत्या कर ली रविशंकर प्रसाद: मकरपुरी रेलवे स्टेशन पर ट्रे्रन के सामने कूदकर आत्महत्या कर ली। आत्महत्या से पहले फेसबुक पर पोस्ट लिखा – “मैं तेरे पास जल्दी आऊंगा, यह प्रॉमिस करता हूं।” विकास प्रसाद: रविशंकर के आत्महत्या करने के बाद उसी किराए के कमरे में रहने वाले विकास प्रसाद ने घर में गले में फांसी लगाकर आत्महत्या कर ली। दोनों युवक मूल रूप से बिहार के रहने वाले थे और वडोदरा के मकरपुरा GIDC इलाके में नौकरी करते थे। वे एक ही कमरे में रहते थे। तीनों युवकों के बीच गहरी दोस्ती थी। पुलिस की प्रारंभिक जांच में पता चला है कि तीसरे मित्र की मौत के सदमे में दोनों ने यह कदम उठाया। पूरे मामले की विस्तृत जांच की जा रही है.
0
0
Report

राजकोट के त्रंबा गांव से गांजे की खेती: 26 किलोग्राम पकड़—किसान गिरफ्तार

Rajkot, Gujarat:राजकोट शहर की भावनगर रोड पर त्रंबा गांव के खेतर से 26 किलो गांजा सहित 37 गांजा के पौधे मिलने की सूचना पर आजीडेम पुलिस ने कार्रवाई की. पुलिस के अनुसार पिउष शंकरभाई रैयाँाणी नाम के किसान ने अपने क्षेत्रीय खेत में गांजे की खेती कर रखी थी. NDPS अधिनियम के तहत मामला दर्ज कर आगे की जांच जारी है. गिरफ्तार किसान के अलावा खेत में अन्य गतिविधियों के बारे में भी पूछताछ चल रही है. पुलिस ने त्वरित जाँच के लिए आसपास के खेतों के निरीक्षण की योजना बनाई है. फिलहाल घटनास्थल से गांजा के पौधे और गांजे के गांठे बरामद किए गए हैं.
0
0
Report

अधिक मास के चलते द्वारका मंदिर ने दर्शन के समय बदले, भक्तों के लिए व्यवस्था

Dwarka, Gujarat:यात्राधाम द्वारकामा अधिक मास નિમિત્તે ઉમટી પડતી ભક્તોનિ ભરી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટદાર અને પૂજારી દ્વારા एक મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. अधिक मास દરમિયાન श्रद्धાળુઓને સરળતાથી દર્શનનો લાભ મળી રહે અને ભીડ પર નિયંત્રણ રાખી શકાય તે હેતુથી મંદિરના સમયના ફેરફાર કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારની સંભવિત ભીડને ધ્યાને રાખીને, આગામી ત્રણ દિવસ સુધી મંદિર સાંજે 5 વાગ્યેને બદલે વહેલો એટલે કે 4 વાગ્યે ખોલવામાં આવશે. આ વ્યવસ્થાથી મોટી સંખ્યામાં આવ્યા યાત્રિકો કોઈપણ અગવડતા વિના શાંતિપૂર્ણ રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકશે.
0
0
Report
Advertisement

नासिरनगर डिमोलशन: 14 दिनों बाद भी कार्रवाई नहीं, अधिकारी चुप

Surat, Gujarat:સુરત બ્રેક નાસીરનગર ડેમ્યુલેશન માં ચાર ચડાડ ચોકડી સામે કાર્યવાહી ક્યારે? ડિમોલેશન મામલે 14 દિવસ બાદ પણ કાર્યવાહી નહિ જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી તપાસ માટે રચાયેલી કમિટીને પણ 70 કલાકથી વધુ સમય વીતી ગયો કાર્યપાલક ઇજનેર જયાંક રામજીવાલા, રોડ વિભાગના સુજલ પ્રજાપતિ, એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારા પર સવાલો ઊભા થયા મનપાડા 30 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો સ્થાનિક ડીસીપી પોતે હાજર ન હતા તો એસઓજીના ડીસીપી નકુમ અને પી.આઈ સોનારા કઈ રીતે ત્યાં पहुंचे ડિમોલેશન બાદ લગભગ 100 પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા જયાંક રામજીવાલા ઘટનાસ્થળે હાજર હોવા છતાં મનપાએ ડિમોશન ન કર્યું હોવાનું નિવેદન આપ્યું હતુ વિવાદ બાદ તેઓ લાંબી રજા પર ઉતરી ગયા હોવાનુ કહેવાય છે સુજલ પ્રજાપતિ પણ ઘટના સ્થળે જોવા મળ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી અન્ડરગ્રાઉન્ડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે સ્થાનિક પોલીસ પહેલાં એસઓજીના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હોવાથી પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં જમીનના દસ્તાવેજોમાં જગ્યા ખુલ્લી હોવાનું દર્શાવાયું હોવા છતાં કાર્યવાહી કેમ થઈ તે મોટો સવાલ પાલિકાના અધિકારીઓના વિરોધાભાસી નિવેદનોથી વિવાદ વધુ ઘેરો બન્યો ઝોનલ ચીફે ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી હોવાનું કહ્યું જ્યારે કમિશનરે સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત બહાર આવશે એવું જણાવ્યું ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઉચ્ચ સ્તਰੀય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી મામલામાં ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાના હિતોની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં મોટું જનઆંદોલન ઊભું થવાની ભીતિ
0
0
Report

भावनगर मार्केटयार्ड के जर्जर शेड्स किसानों की जान जोखिम में; नए शेड बनाने की मांग तेज

Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૧૦/૦૬/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રૂવલ: અસાઈમેન્ટ ડેસ્ક. સ્લગ: ભાવનગર માર્કેટ યાર્ડના જર્જરીત શેડના કારણે ખેડૂતોના માથે જીવનું જોખમ. એન્કર: ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણசி રાખવા માટે બનાવ slammed શેડ અતિ જર્જરીત બન્યા છે. માર્કેટિંગ યાર્ડમાં ઘણા લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા શેડ નું રીપેરીંગ કરવામાં આવતું નથી, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પોતાની જણસી અને પાક લઈને આવતા હોય છે. પરંતુ વર્ષોથી પૂરતી સંગ્રહ વ્યવસ્થાના અભાવે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સેડમાંથી પાણી ટપકવાની સાથે તેની સલામતી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. યાર્ડમાં આવેલા ત્રણ શેડ જર્જરિત હાલતમાં હોવાના કારણે અહીં આવતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. વિઓ ૧: રાજ્યમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચોમાસા ને લઈને ચિત્રા APMCમાં ખેડૂતોની જણસી અને જીવ બન્ને જોખમમાં મુકાય એવી શક્યતા ઉભી થઈ છે. માર્કેટયાર્ડની સ્થાપના સમયે બાગાયતી પાક અને અનાજની હરાજપી માટે બે શેડ બનાવવાની માહિતી હતી. જે શેડ ઓછા પડતા હોય વધુ બે શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે બાદ બીમ, કોલમ અને સ્લેબ સાથેના વધુ એક શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પૈકી બે પતરા વાળા અને એક સ્લેબવાળો સહિત ત્રણ શેડ અતિ જર્જરીત બનતા પતરા વાળા એક શેડના બીમ, કોલમ ને રિપેરિંગ કરી મજબૂત બનાવી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. જ્યારે પછી બાકી બે શેડ બાકી રાખવામાં આવ્યા હતા. વર્ષો બાદ પણ બે પૈકી એકપણ શેડનું રિપેરિંગ કરવામાં નહીં આવતા આ બંને શેડ અતિ જર્જરીત બની જતા અહીં માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. વિઓ ૨: ભાવનગર માર્કેટયાર્ડમાં અનાજ, કઠોળ, લીંબુ, ડુંગળી, મગફળી અને કપાસની હરરાજી કરવામાં આવે છે. જે જણસીઓ ને સુરક્ષિત રાખવા માટે માર્કેટયાર્ડમાં ચાર પતારોવાળા અને એક સ્લેબ વાળો મળી પાંચ શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષો જતા સમયાંતરે પાંચ પૈકી ત્રણ શેડ જર્જરિત બન્યા હોય જે પૈકી પહેલાં એક શેડનું રીપેરિંગ કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો, પાંચ પૈકી ચાર શેડમાં બીમ, કોલમ ભરી પતરા નાખવાંમાં આવ્યા છે. જ્યારે એક શેડમાં બીમ, કોલમ સાથે સ્લેબ નાખવામાં આવ્યો છે. વર્ષો જતા એક પતારા વાળા અને એક સ્લેબવાળો શેડ અતિ જર્જરીત બન્યા છે. જેમાં પતારા વાળા એક શેડના બીમ અને કોલમ જર્જરીત બનતા તેમાંથી લોખંડના સલિયા pan બહાર ડોકાય રહ્યા છે. ક્યાંક આખા બીમ તુટી ગયા છે. તો ક્યાંક સિમેન્ટ કોન્ક્રિટના બનાવવામાં આવેલ કોલમ ખવાઈ ગયા છે. અને તેમાં મોટી મોટી તીરાડો પડી ગઈ હોય ભારે પવન કે વાવાઝોડા સમયે મોટી દુર્ઘટના સર્જાય એવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અહીં તમામ प्रकारની જણસી તેમજ ખેડૂતો, વેપારીઓ અને મજૂરોના માથે જોખમ તોળાઈ રહ્યું હોય વહેલી તકે નવા શેડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. સાથે વર્ષો પહેલા બનાવવામાં આવેલા રોડ ની હાલત પણ અતિ ખરાબ થઈ ગઈ હોય ચોમાસા પહેલા રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાઈટ: ભૂપેન્દ્રસિંહ ગોહીલ, ખેડૂત, કુકડ ગામ. બાઈટ: નરેન્દ્રસિંહ ગોહીલ, પ્રમુખ, વેપારી એશો, ભાવનગર માર્કેટયાર્ડ. વિઓ ૩: ભાવનગર માર્કેટયાર્ડના જર્જરીત શેડ અંગે યાર્ડના સત્તાધીશો સાથે વાત કરતા તેમણે પણ શેડ જર્જરિત હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતુ કે, અમે એન્જિનિયર પાસે સર્વે કરાવી, જે શેડ જર્જરિત હાલતમાં છે. એ શેડના સ્થાને નવા શેડ બનાવવા માટે મંજૂરી મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જેની મંજૂરી આવી જતા કામગીરી પણ શરૂ કરવામાં આવશે, છતાં થોડા દિવસોમાં ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. ત્યારે ચોમાસુ શરૂ થાય એ પહેલા કામગીરી शुरू થશે કે કેમ તેવો સવાલ ઉદભવી રહ્યો છે. બાઈટ: અરવિંદ ચૌહાણ, ઇન્ચાર્જ સેક્રેટરી, ભાવનગર માર્કેટયાર્ડ.
0
0
Report

दिलचस्प चोर गैंग पर नकेल: पारडी डूंगरी से 9 लाख चोरी, 7 आरोपी गिरफ्तार

Valsad, Gujarat:પારડી તાલુકાના ડુંગરી ગામમાં થયેલી ૯ લાખની ઘરફોડ ચોરિ નો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ભાવનગરની કુખ્યાત 'તપેલી' ગેંગના ૭ સભ્યોની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગેંગના સભ્યો માત્ર એક મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યા હતા અને બહાર આવતાની સાથે જ ફરીથી ચોરીના રવાડે ચડી ગયા હતા. પોલીસે તેમની પાસેથી ૧૬.૪૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પારડી તાલુકાના ડુંગરી ગામના ભેરવાડ ფળિયામાં રહેતા પન્નાબેન પટેલના ઘરે ગત ૨૩ મેની સાંજે એક મોટી ઘટના બની હતી. પન્નાબેન અને તેમના પરિવાર તેમના ભાઈના દીકરાની બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા, ત્યારે બંધ મકાનનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું. ઘરમાં ઘૂસીને ચોરોએ કબાટ અને સેટી પલંગના ડ્રોવરમાંથી ૮,૨૨,૦૦૦ રૂપિયાની કિંમતના ૨૦૫.૫ ગ્રામ સોનાના દાગીના અને ૮૦,૦૦૦ રૂપિયા રોકડાની ચોરી કરી હતી. કુલ ૯,૦૨,૦૦૦ રૂપિયાની આ માતબર ચોરી અંગે પારડી પોલીસ સ્ટેશનમાં IPC 2023 ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પારડી પોલીસ અને LCB ની ટીમે ઘટનાસ્થળની આજુબાજુના સિસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસનો ઝીણવTAILअ અભ્યાસ કર્યો. જેના આધારે શંકાસ્પદ ઈસમો અને ગુનામાં વપરાયેલી બાઈક શોધી કાઢી. બાતમીના આધારે પોલીસે ભાવનગર ખાતેથી મુખ્ય બે આરોપીઓ અને અન્ય પાંચ સાગરીતોને દબોચી લીધા. આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે: લ ૧૪,૩૭,૫૦૦ રૂપિયાની કિંમતની ૨ સોનાની રણી, ૧,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૫ મોબાઈલ ફોન, ૨૦,૦૦૦ રૂપિયા કિંમતની બાઈક અને રોકડા ૪,૩૦૦ રૂપિયા. કુલ ૧૯,૪૧,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં મુખ્ય આરોપી સમીર ડેરૈયાએ કબૂલાત કરી કે તેણે દીપક ઉર્ફે કાળો મારફતે ચોરીના દાગીના ૧૨.૫૦ લાખમાં વેચ્યા હતા, અને તેમાંથી ૧.૬૨ लाख રૂપિયાનો નવો આઇફોન 17 pro ખરીદ્યો હતો. ગુનેગારોનો ગુનાહિત ઇતિહાસ પણ જાહેર થયો છે. આ તમામ અગાઉ દમણ અને સેલવાસ પોલીસના હાથે પકડાઈને જેલ ભેગા થયા હતા અને માત્ર એક મહિના અગાઉ જ જેલમાંથી મુક્ત થયા હતા. આ કેસમાં બે સોનાના વ્યાપારીઓની ચોરીના માલ ખરીદવા બદલ ધરપકડ કરવામાં આવી છે અને આગળની સઘન تاکہ ચલાઈ રહી છે.
0
0
Report
Advertisement

गिरफ्तार नहीं हो पाया मास्टरमाइंड के साथ 74 किलो गांजा पटका गया: वलसाड में बड़ा रेड

Valsad, Gujarat:વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના સરોધી ગામેpoltરી ફાર્મની આડમાં ગાંજાનું મોટા પાયે કરોબાર ચાલી રહ્યો હોવાનું પુરવાર થયું છે. વલસાડ SOG ની ટીમે એક મોટી રેડ કરી 74 કિલો ગાંજો પકડ્યો, જેનુ બજાર મૂલ્ય تقریباً 37 લાખ 15 હજાર 500 રૂપિયા ગણવામાં આવે છે. ગાંજાના લિલાચમ છોડ 18 જેટલા અને ઊંચાઈ 10 થી 12 ફૂટના આધારે વૃદ્ધિ થઈ રહી હતી. ઘટના દરમિયાન આરોપીઓમાં આવી રહેલ મજૂર જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમરતભાઈ વારલીને રંગેહાથ ઝડપી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ મજૂર છેલ્લા 6 મહિના થી આ ખેતીની સંભાળ કરી રહ્યો હતો. FSL ની મદદથી તપાસના નતિજાઓમાં 74.310 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત થયું હોવાનો ખુલાસો થયો છે. આ સાથે પોલીસ દ્વારા એક મોબાઈલ ફોન પણ કબજર કરવામાં આવ્યો છે. માતૃતત્વ પૂર્વાર્થી મુખ્ય સૂત્રધાર અને જમીન માલિકનો પુત્ર હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલ પોલીસ પકડમાં ન હોવાથી ફરાર છે; તેમના પાસેથી gંણમાં ગાંજનુ બિયારણ લાવી ગયા હતા. સરકારના રેકોર્ડ મુજબ આ જમીનના બ્લોક નંબર 875 આ વાર્તા પ્રમાણમાં પૃથ્વી નોધાઈ છે. આhegિયન આવેલ કેસ NDPS એક્ટ મુજબ ગુનાઓ નોંધાઈ આગળની તપાસ ચાલી રહી છે.
0
0
Report

AMC Monsoon-2026 के लिए नियंत्रण कक्ष सक्रिय, पूरे शहर में 24x7 मॉनिटरिंग

Ahmedabad, Gujarat:અમદાવાદ મોનસૂન-2026 માટે AMC સજ્જ શહેરભરમાં amc ના ઝોનલ કંટ્રોલ રૂમ કાર્યરત એક કોલ પર મળશે તાત્કાલિક સહાય વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા AMCએ જાહેર કર્યા ઝોનવાઈઝ કCNT્રોલ રૂમ અને ઇમરજન્સી સંપર્ક નંબરો શહેરના ૪૨ અંડરપાસમાં cctv થી સતત લાઇવ મોનિટરિંગ કુલ ૧૦૦૦ કરતા વધારે કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારો કવર કરવામાં આવ્યા વોટર લોગીંગ સ્પોટ પર ખાસ નજર રહેશે ભારે વરસાદના સમયે amc ઉચ્ચ અધિકારીઓ અને સાશકો કંટ્રોલ રૂમથી પરિસ્થિતિની સમીક્ષા કરશે amc દ્વારા ૨૪ વિવિધ શિફ્ટમાં અધિકારી કર્મચારીઓને ફરજ સોંપાઈ અમદાવાદ ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, ડ્રેનેજ સમસ્યા, ફાયર ઇમરજન્સી અથવા અન્ય નાગરિક સમસ્યાઓ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળી રહ્યું છે તે માટે મોનસૂન-2026 માટે વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. શહેરના તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત રહે તેવી કંટ્રોલ રૂમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને નાગરિકોને જરૂરી સહાય ઝડપથી મળી રહે તે માટે વિવિધ ટેલિફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. AMCનો મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યરત છે. નાગરિકો 9099010718, 9099035920 તેમજ 079-26582520 અને 079-26582530 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ નોંધાવી શકાશે અથવા માહિતી મેળવી શકાશે. મધ્ય ઝોન માટે સરદાર પટેલ ભવન, દાણાપીઠ ખાતે ઝોનલ કંટ્રોલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં 079-25353858 અને 079-25353717 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર દરવાજા બહાર આવેલ જે.પી. કંટ્રોલ રૂમ માટે 079-25397637 નંબર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે દૂધેશ્વર વોટર ਵਰક્સ નજીકના દૂધેશ્વર કંટ્રોલ રૂમ માટે 9726415846 નંબર ઉપલબ્ધ રહેશે. તેમજ વોટ્સએપ નંબર 9099064167 પર પણ સંપર્ક કરી શકાય છે. પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા સ્થિત ડૉ. રમણભાઈ પટેલ ભવન ખાતે ઝોનલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જ્યાં 079-27550910 અને વોટ્સએપ નંબર 6359980916 પર સંપર્ક કરી શકાશે. ચાંદખેડા Vરોડ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 9726419140 અને 9726415830 અને વોટ્સએપ નંબર 6359980916 જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ સ્થિત રાજમાતા સિંધિયા ભવન ખાતેના ઝોનલ કંટ્રોલ રૂમ માટે 079-26841206, 9099073458 અને 6357519306 નંબર ઉપલબ્ધ રહેશે, જ્યારે વોટ્સએપ માટે 9726419112 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગોતા (સાયન્સ સિટી) વોર્ડ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 079-27711533 અને 9726416115 નંબર પર સંપર્ક કરી શકાશે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઇવે પર કર્ણાવતી ક્લબ નજીક સ્વ. શ્રી તુશાર દેશમુખ ભાવન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે. અહીં 079-29910161 અને 6359980913 નંબર પર તેમજ 6359980913 નંબરના વોટ્સએપ મારફતે નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે તેમજ જરૂરી માહિતી મેળવી શકશે. પૂર્વ ઝોનમાં વિરાટનગર સ્થિત શ્રી હરૂભાઈ મહેતા ભવન ખાતેના ઝોનલ કંટ્રોલ રૂમ માટે 079-22970422 અને 9726416106 નંબર જાહેર કરાયા છે. ચકુડિયા મહાદેવ રોડ સ્થિત ચકુડિયા કંટ્રોલ રૂમ માટે 6359980914 અને 7573024011 નંબર ઉપલબ્ધ રહેશે. ઓઢવ મસ્ટર સ્ટેશન ખાતેના ઓઢવ કંટ્રોલ રૂમ માટે 6359980915 અને 7573024193 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોટ્સએપ નંબર 9099063856 પર ફરિયાદ નોંધાવી શકાશે. દક્ષિણ ઝોનમાં રામબાગ સ્થિત મણિનગર ઝોનલ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 079-25465399 અને 079-25465255 número પર સંપર્ક કરી શકાશે. વોટ્સએપ નંબર 9099063239 ઉપલબ્ધ રહેશે. જ્યારે વટવા વોર્ડ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 9099063875 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં મેમ્કો સ્થિત શ્રી રાજીવ ગાંધી ભવન ખાતેના ઝોનલ કંટ્રોલ રૂમ માટે 079-22801182 અને 079-22842926 નંબર તથા 9726415552 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન શહેરના બગીચાઓ અને ગાર્ડન વિસ્તારોમાં વૃક્ષો પડવા સહિતની પરિસ્થિતિઓનો ઝડપી નિકાલ લાવવા માટે બગીચા ખાતાના અલગ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે. મધ્ય ઝોન માટે રિવરફ્રન્ટ પૂર્વ ખાતે 6359961826 અને સી.એસ.ઓ. માટે 9712700847, પૂર્વ ઝોનમાં રખિયાલ સ્થિત શ્રમિક ક્રાંતિ (ચકુડીયા) બાગ ખાતે 6359961827 અને સી.એસ.ઓ. માટે 9712700692, પશ્ચિમ ઝોનમાં નારણપુરા સ્થિત વનીકરણ નર્સરી, નવડીપ ഹોલ પાસે, નવરંગ સ્કૂલ સામે, નારણપુરા ખાતે 6359961842 અને સી.એસ.ઓ. માટે 9712700871 номер જાહેર કરાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેક ગાર્ડન ખાતે 6359961831 અને સી.એસ.ઓ માટે 7567878493, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જામોતપુર વોર્ડ ઓફિસ ખાતે 6359961832 અને સી.એસ.ઓ માટે 7567877325, ઉત્તર ઝોનમાં મેમ્કો ચાર રસ્તા સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે 6359961838 અને સી.એસ.ઓ માટે 7567877236 તેમજ દક્ષિણ ઝોનમાં કાંકરિયા ગેટ નં.4 જતા દેડકી નર્સરી ખાતે 6359961836 અને સી.એસ.ઓ માટે 9712700751 નંબર પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત અન્ય અગત્યની ઇમરજेंसी સેવાઓ માટે પણ કંટ્રોલ રૂમ વ્યવસ્થા સક્રિય કરવામાં આવી છે. પાલડી સ્થિત ટાગોર હોલ નજીકના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ માટે 101, 102, 079-22148465, 079-22148466, 079-22148467 અને 079-22148468 નંબર ઉપલબ્ધ રહેશે. રિવરફ્રન્ટ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ખાતેના એસ.ટી.પી. કંટ્રોલ રૂમ માટે 9726415808 નંબર જાહેર કરાયો છે, જ્યારે રિવરફ્રન્ટ હાઉસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 079-26580430 નંબર પર સંપર્ક કરી શકાશે. AMC દ્વારા તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે જેથી વરસાદી પરિસ્થિતિમાં શહેરના જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય અને નાગરિકોને ઝડપી સેવા મળી રહે.
0
0
Report

आनंद के तुलसी गारनाला स्थित रगड़ी दादा मंदिर में अज्ञात तत्वों ने तोड़फोड़, पुलिस जांच

Anand, Gujarat:એંકર: આણંદ શહેરમાં તુલસી ગરનાળા પાસે આવેલા રગડી દાદાના મંદિરમાં ગત રાત્રીના સુમારે અજાણ્યા અસામાજિક તત્વોએ તોડફોડ કરતા સ્થાનિક લોકોમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં આવેલા રગડી દાદાના મંદિરમાં ગત રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ મંદિરમાં લગાવવામાં આવેલા ગ્રેનાઈટ સ્ટોન તેમજ ભગવાનના ફોટાની ફ્રેમને નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરમાં થયેલી તોડફોડને કારણે સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે એકત્ર થયા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠાવી હતી. આ અંગે મંદિરના પૂજારી દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
0
0
Report
Advertisement

अहमदाबाद में रथयात्रा मार्ग का 95% काम पूरा, भक्तों के लिए सुविधाएं जारी

Ahmedabad, Gujarat:અમદાવાદ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ આગામી રથયાત્રા પૂર્વે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો AMCનો લક્ષ્યાંક શ્રી જગન્નાથજી મંદિર આસપાસ વિશાળ પ્લાઝાની કામગીરી કલાત્મક પેવિંગ અને આકર્ષક લાઇટિંગનું નિર્માણકાર્ય આખરી તબક્કામાં આধુનિક સુવિધાઓ અને આકર્ષક સૌંદર્યીકરણ સાથે રથયાત્રા માર્ગને મળશે નવો ઓપ અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલ ઐતીહાસિક શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન કરે છે. આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડે છે. રથયાત્રા મધ્ય ઝોનના અંદાજે 12 કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થાય છે. રથયાત્રા માર્ગને વધુ સુવિધાસભર, આકર્ષક અને આધુનિક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર ચાર રસ્તાથી શ્રી जगन्नાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા ચાલી મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ સુધીના અંદાજે 1,200 મીટર લાંબા માર્ગના નવીનીકરણ અને સૌંદર્યીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર ચાર રસ્તાથી શ્રી जगન્નાથજી મંદિર સુધીના માર્ગ પર પ્લાન્ટેશન સાથે સેન્ટ્રલ મેરિડીયન, સેન્ટર લાઇટિંગ, ગ્રીન પેચ તેમજ કોટા અને.grેનેાઇટ સ્ટોનના પેવમેન્ટ સાથે સુવિધાયુક્ત ફૂટપાથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. בנוסף, મંદિરના પ્રવેશદ્વારથી મંદિરના ગેટ નંબર-2 તથા સમગ્ર પ્લાઝા વિસ્તારમાં કલાત્મક પેવિંગ અને આકર્ષક લાઇટિંગ સાથે વિશાળ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનોનું પુનઃડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેબલ ટોપ, આઇલેન્ડ, શિલ્પકૃતિઓ (સ્કલ્પચર), પ્લેસ મેકિંગ, સેન્ટ્રલ વર્જ, હેંગિંગ લાઇટ્સ સહિતના વિવિધ વિકાસ અને સૌંદર્યીકરણના કાર્યોનો સમાવેશ થાય છે. રૂ.19.59 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ સમગ્ર প্রক્જેક્ટનું હાલમાં અંદાજે 95 ટકા કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. બાકીનું કાર્ય પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આગામી ભગવાન શ્રી जगન્નાથજીની રથયાથ્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા રૂટ પૈકી જમાલપુર વોર્ડમાં 1110 મીટર, ખાડીયા વોર્ડમાં 4620 મીટર, શાહીબાગ વોર્ડમાં 1220 મીટર, દરિયાપુર વોર્ડમાં 3640 મીટર તેમજ શાહપુર વોર્ડમાં 120 મીટર તથા ઉત્તર ઝોન સરસપુર વોર્ડમાં 1150 મીટર મળી કુલ 13.01 કિલોમીટરનો રૂટ આવે છે. જે પૈકી જમાલપુર ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા સુધીના રથયાત્રા રૂટ ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને આકર્ષક બનશે તેમજ લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અનુભવ પ્રાપ્ત થશે. સાથે જ શહેરના આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારમાં આધુનિક શહેરી સુવિધાઓ અને સૌંદર્યીકરણનો પણ ઉમેરો થશે.
0
0
Report

पोरबंदर में नकली शराब बनाने वाली फैक्ट्री पर छापा, मुख्य आरोपी गिरफ्तार

Porbandar, Gujarat:પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કમલાબાગ વિસ્તારમાં આવેલા સંદીપની રોડ પર કલેક્ટર ઇનસ્પેકશન બંગલાની પાછળ નકલી ઇંગ્લીશ દાારુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ મામલે પોલીસે ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપની રોડ પર અંદરની બાજુએ નકલી ઇન્ડિયન મેડ ફોરેન લિકર બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને પગલે થયેલ મોડી રાત્રે ઓચિંતી રેડ પાડીને આખી નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો છે.
0
0
Report
Advertisement

नर्मदा जिले की फलक वासावा ने हॉन्गकॉन्ग एशियाई ट्रम्पोलिन चैंपियनशिप में पाँचवां स्थान पाया

Karantha, Gujarat:એન્કર નર્મદાના રાજપીપલાની દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગમાં યોજાયેલી બીજી 트્રેમ્પોલીન จีम્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર ગર્લ્સ કેટેગરીમાં સમગ્ર એશીમાં પાંચમું સ્થાન મેળવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત એ છે કે આ સફળતા પાછળ આખા પરિવારનું સમર્પણ છે. પિતા ચંડ્રકાંત વસાવા ભારતીય ટીમના કોચ તરીકે અને માતા મિકેતાબેન વસાવા આંતરરાષ્ટ્રિય જજ તરીકે ચેમ્પિયનશિપમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્રણ мүш્યોના એક જ પરિવારની આ સિદ્ધિ ગાંધી રાજ્ય માટે ગૌરવની બાબત બની છે. ફ્લક હવે ૨૦૩૦માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું સપનું સાકાર કરવા કઠોર મહેનત કરી રહી છે. આદિવાસી વિસ્તારની દીકરીએ મર્યાદિત સાધનો અને અનેક પડકારો વચ્ચે પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેની આ સિદ્ધિ દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસના બળે નર્મદાની ફલક વસાવાએ એશિયન મંચ પર સફળતાની ઉડાન ભરી છે. હવે સૌની નજર તેના આગામી આંતરરાષ્ટ્રીય પડાવ અને કોમનવેલ્થ ગેમ્સના સપના પર છે.
0
0
Report

नवसारी की मणियार ने U19 टीम में चयन, श्रीलंका दौरे की राह आसान

Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા પ્રથમ ભાગમાં NVS CRICKETER તરીકે નવસારીની મૈત્રીના પાકમાં થયેલ ઉત્કર્ષની વાત આવે છે. તેથી આજે ભારતીય વૃદ્ધિ યાત્રામાં મૈત્રીની સફળતા ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાંulada. બાધા નહીં, પરંતુ સમર્પણ અને મહેનત દ્વારા નવસારીની મૈત્રી નવી ઊંચાઈઓ સર કરે છે. માતા-પિતાનું સાથ અને કોચ કાંતિલાલ પટેલની માર્ગદર્શન સાથે તેણે ક્રિકેટમાં આનુષાંગિકતા અને આર્મ કલાક્ષમતા મેળવીને ઓલરાઉન્ડર પાસેથી ભારતની U19 ટીમમાં પસંદગી મેળવી છે. શ્રીલંકા ટૂર માટે ટીમમાં સમાવેશ થતા તેણે ભારતના સમર્થન માટે ઉમંગ ભર્યો છે.abakાતી ભવિષ્ય માટે ASA સન્માન અને શુભેચ્છા એડમીની દ્વારા આપવામાં આવી છે. મૈત્રીના ઊર્જાશીલીઓને ખાતરી મળી રહી છે કે તેણી ભારત માટે શીર્ષ પરિચાર રચી શકે છે. આ સંસારિક સાહસે નવસારીના એસ.એસ. અગ્રવાલ ક્રિકેટ એકેડમીની મહેનતને પણ સલામી આપ્યો છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top