icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow19 Apr 2025, 10:30 am

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Rajula, Gujarat:રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गांव में GIDC जमीन सर्वे के विरोध पर पुलिस ने लाठीचार्ज किया

Dahod, Gujarat:દાહોદ જિલ્લામાં ગોવિંદ ગુરુ લિમડી તાલુકાના કચલધરા ગામમાં GIDC માટેની જમીન સર્વેની કામગીરી દરમિયાન મામલો ગરમાયો છેલ્લા ઘણા સમયથી GIDC માટે જમીન संपાદનના મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે કચલધરા ગામ ખાતે તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી શરૂ કરવાની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને સર્વેનો વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતી જોઈ પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ. લાઠીચાર્જ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભારે रोष જોવા મળ્યો હતો.ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો. જમીન સંપાદન અને GIDC મુદ્દે ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો છે. અને GIDCમાં જમીન સંપાદનને લઈને આગળ પણ ઊગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી.
0
0
Report

नवसारी में भारी बारिश से किसानों के खेत नुकसान, सरकार से तुरंत सर्वे की मांग

Navsari, Gujarat:નવીસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી નદી કિનારાના ગામોની ખેતીને મોટાપાયે અસર થઈ છે. જિલ્લામાં ૨૧,૦૦૦ હેક્ટરથી વધુ ખેતીની જમીનમાં પાણી ભરાવાથી १८,૦૦૦થી વધુ ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને શેરડી છે. હાલ ડાંગરની રોપણી ચાલી રહી હતી ત્યારે ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા છે. જેથી ખેડૂતોએ ફરીથી ડાંગર રોપણી માટે મહેનત કરવી પડી રહી છે. બીજી બાજુ, શેરડીના પાકમાં ફેરરોપણી કરવી શક્ય નથી. આ ઉપરાંત, બાગાયતી પાકો જેવા કે આંબાવાડી અને ચીકુવાડીમાં અનેક ઝાડ પડી ભાંગ્યા છે અને વાડીઓમાં પાણી ભરાઈ રહેવાથી વૃક્ષો સડી જવાની પણ પૂરી શક્યતા છે. નિયમ મુજબ ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ સરકારી સહાય કે વળતર મળતું હોવાથી નાના અને સીખીમય ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે. ખેતી પાકોની સાથે શાકભાજીના પાકમાં પણ જીવાત અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક સર્વે કરાવીને નાના ખેડૂતોને પણ યોગ્ય વળતરો આપે તેવી ખેડૂત આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. બીજી તરફ, નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા ખેતી અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરી દેવાયો છે. અત્યાર સુધીમાં ૨૧,૦૦૦ હેક્ટર જમીનમાં નુકસાનીનો અંદાજ મેળવાયો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. છતાં આગામી ૪ થી ૫ દિવસમાં આ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવશે. બાઈટ (૧): પિનાકીન પટેલ, ખેડૂત આગેવાન, નવસારી બાઈટ (૨): ડૉ. અતુલ ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નવસારી
0
0
Report
Advertisement

765 केवी लाइन के मुद्दे पर किसानों का उग्र प्रदर्शन, सुरेंद्रनगर में महा-रैली

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોની વિશાળ મહારેલી યોજાઈ હતી. મേളના મેદાનથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જેમાં જેતપર સહિત જિલ્લાના ઘણા ગામોના મહિલા અને પુરુષ ખેડૂત મોટી સંખ્યામાં જોડાયા હતા. વી.ઓ. – 1 સુરેડ્રનગર શહેરમાં યોજાયેલી ખેડૂતોની મહારેલીમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાન, મહિલા ખેડૂત બહેનો અને યુવાનો જોડાયા હતા. ખેડૂતોના હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીજ પોલ અને 765 કે.વી. વીજ લાઇન માટે જમીન અને પાકને થનારા નુકસાન અંગે ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વી.ઓ. – 2 ખેડૂતોએ સરકારના તાજેતરના પરિપત્રને ખેડૂતોના હિત વિરુદ્ધ ગણાવી તેનો કડક વિરોધ કર્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે, ખેતીની જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને ખેડૂતોની સંમતિ વગર કામગીરી ન કરવામાં આવે તેવી માંગ સાથે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. વી.ઓ. – 3 રેલી બાદ ખેડૂતો પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે સંવેદનશીલતા દાખવે અને 765 કે.વી. વાય લાઇન મામલે ખેડૂતોને ન્યાય મળે તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. 765 કે.વી. વીજ લાઇન મુદ્દે સુરേന്ദ്രનગરમાં ખેડૂતોનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતખેડૂતની ભાગીદારી સાથે યોજાયેલી આ મહારેલી બાદ હવે જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર રહેશે. બાઈટ 1. શક્તિસિંહ ઝાલા (ગામ કોઢ) 2. અર્જુનસિંહ ઝાલા (ગામ કોઢ) 3. મેહુલભાઈ પટેલ (ગામ જેતપર) 4. નિર્મળાબેન પટેલ (ગામ જેતપર) 5. ચંદ્રિકાબેન (ગામ જેતપર) 6. વર્ષાબેન (ગામ જેતપર)
0
0
Report

आनंद में घरफोड़ चोर गिरफ्तार: चांदी-गोल्ड समेत भारी माल बरामद

Anand, Gujarat:આણંદ શહેરની વિદ્યાનગર રોડ પર આવેલી શીતલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આણંદ ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઉકેલી કાઢ્યો અને બે ધરફોડ ચોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી ચાંદીની કિંમતની ચીજવસ્તુઓ, કોચ અને રાડો કંપનીની ઘડિયાળો, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂ. 2,45,620ના મુદ્દામાલ કબજે કર્યો છે. આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર આવેલી શીતલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને છેલ્લાં દસ વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા રાકેશભાઈ ઉર્ફે લાલાભાઈ પટેલના બંધ મકાનમાં ગત તા. 8 જુલાઈ, 2026ના રોજ મધરાત્રીના આશરે 12 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યાની વચ્ચે તસ્કરોએ પાછળના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરીમાંથી ચાંદીની વિવિધ ચીજવસ્તુઓ, પૂજામાં ઉપયોગી સામગ્રી તેમજ બે કિંમતી ઘડિયાળા મળી કુલ રૂ. 1.40 લાખની માલમત્તીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ રાકેશભાઈ પટેલના ભાગીદાર તથા મકાનની દેખરેખ રાખતા હેમલકુમાર પ્રવીણભાઈ પટેલને થતાં તેમણે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. કંડોરિયા તથા સર્વેલન્સ પીએસઆઈ એસ. বি. ઝાલાએ ખાસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ હઠુભા, પોલીસ કોન્સ્ટેબલ રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વલુભાઈ ગંધુભાઈએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તૈયાર તપાસ કરી હતી. ઉપરાંત હ્યુમન સોર્સના આધારે બે શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવામાં મળી હતી. આણંદ ટાઉن પોલીસના તપાસમાં મનસુખભાઈ ઉર્ફે મનિષ વિષ્ણુભાઈ મનજીભાઈ ગોદારીયા દંતાણી (મૂળ રહે. ઉમરેઠ, હાલ માંજલપુર, વડોદરા) તથા દીલીપભાઈ ઉર્ફે પાપો ભગવતભાઈ ચીમનભાઈ દંતાણી (રૂહે. ઉમરેઠ)ને ઝડપી પાડી પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉથી સત્યાપિત માલમાં ચાંદીની ગણપતિ-લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીની ઘંટડી, શ્રી યંત્ર, વાટકી, ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, કંદોરી, ઝુમખું, ચમચી, કંકાવટી, પેન્ડલ, કડલી તથા 12 ચાંદીના સિક્કા મળી કુલ 479.400 રૂપિયાની ચાંદીની ચીજવસ્તુઓ, કોચ કંપનીની રોઝ ગોલ્ડ કલરની ડાયમંડ જડિત લેડીઝ ઘડિયાળ, રાડો કંપનીની કાળા અને ગોલ્ડન કલરની ઘડિયાળ, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ કબજે કરી હતી. કબજે કરાયેલ મામલા મુજબ ચાંદીની ચીજવસ્તુઓની કિંમત રૂ. 75,620, બે ઘડિયાળોની કિંમત રૂ. 65,000, મોબાઇલ ફોનની કિંમત રૂ. 5,000 અને મોટરસાયકલની કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 2,45,620ના મુદ્દામાલ તરીકે લઇ જવામાં આવ્યો. પોલીસના તપાસથી պարզ થયું કે મુખ્ય આરોપી મનસુખભાઈ ઉર્ફે મનિષ વિરુદ્ધ કપડવંજ અને વડોદરા શહેર પોલીસ મથકોમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલો છે. જ્યારે દીલીપભાઈ ઉર્ફે પાપો વિરુદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુન નોંધાયેલો છે.
0
0
Report

सूरत में भारी बारिश से खेती को बड़ा नुकसान, किसानों ने मुआवजे की मांग तेज

Surat, Gujarat:સુરત બ્રેકિંગ અતિવૃષિટે ખેડૂતોની કમર તોડી સુરત શહેર-જિલ્લામાં એક જ પખવાડિયામાં બે વખત થયેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત્યું. ખાડી પૂરથી શહેરના વેપારીઓ અને સેંકડો પરિવારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. જિલ્લાના ખેડૂતો પર પણ અતિવૃષ્ટિનો મોટો માર પડ્યો છે. ભારે વરસાદથી કેળાના પાકને અંદાજે 80 ટકા સુધી નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે. કપાસ, ડાંગર અને શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાતા ઉભા પાક નાશ પામ્યા છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને આર્થિક સંકટ ઊભો થયું છે. ખેડેતોએ તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરવાની માંગ કરી છે. સરકાર તરફથી વહેલી તકે સહાય જાહેર કરવાની માંગ ઉઠી છે. જુલાઈ महिनામાં દક્ષિણ ગુજરાતમાં અસામાન્ય વરસાદ નોંધાયો છે. એક પખવાડિયામાં બે વખત આવેલા ભારે વરસાદે ખેતીને ભારે ફટકો આપ્યો છે. ખેડૂતોને હવે આગામી સિઝનની પણ ચિંતા સતાવી રહી છે. કૃષિ વિભાગ નુકસાનનું મૂલ્યાંકન કરે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. વહેલી તકે સહાય નહીં મળે તો ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.
0
0
Report
Advertisement

आनंद जिले बोर्सद में बारिश से धान की फसल डूब गई, किसानों को नुकसान

Anand, Gujarat:એંકર:આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં ભારે વરસાદ ખેડૂતો માટે આફત બની રહ્યો છે. રાસ ગામની સીમમાં આવેલી એક હજારથી વધુ વિઘા જમીનમાં ભરાયેલા વરસાદી પાણી પાંચ દિવસ બાદ પણ નહીં ઓસરતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીઓ-બોરસદ પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રાસ નજીકનો કાંસ ઓવરફ୍લો થયું હતો. જેના પગલે રાસ ગામની સીમમાં ડાલી રોડ વિસ્તારની એક હજારથી વધુ વિઘા જમીનમાં વરસાદી અને કાંસના પાણી ફરી વળ્યાં હતાં. ખેતરો જળબંબાકાર બનતાં ડાંગરનો પાક બોરાણમાં ગયો છે. છેલ્લા પાંચ દિવસથી પાણી નહીં ઓસરતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને હજારો વિઘામાં કરેલો પાક નિષ્ફળ ગયો છે. વીઆ-પાણી હજુ સુધી નહીં ઓસરતાં ડાંગરના ધરુ પણ કહોવાઈ ગયા છે. પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ફરી રોપણી પણ કરી શકશે નહીં. નવી રોપણી માટે ધરુ ક્યાંથી લાવવું અને મોડી રોપણીથી ઉત્પાદન કેટલું મળશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પરિણામે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. સ્થાનિક ખેડુતોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન રાસ ગામની સીમમાં એક હજારથી વધુ વિઘા જમીનમાં પાણી ભરાઈ જવાનો સમસ્યા સર્જાય છે. જો પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારના ખેડુતોને દર વર્ષે પડતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
0
0
Report

जेतपुर में देशी शराब तस्करी के दौरान पुलिसकर्मी पर चाकू से जानलेवा हमला; आरोपी गिरफ्तार

Jetpur, Gujarat:જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બુટલેગર દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવા સ્વિફ્ટ કારમાં જુનાગઢ તરફથી દેશમાં દારૂનો જથ્થો લઈને નવાગઢ તરફ આવી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે નવાગઢ નજીક ઇમ્પિરિયલ એપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી, બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે વાહન ન rokઈ થોડે દૂર જઈ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણે પીછો કરીને આરોપીને પકડી પાડતાં દિલીપ શેખવાએ પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. બચાવ દરમિયાન છરી નિલેશભાઈના જમણા હાથમાં વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, બોલટ દૌર માં ભાગી શકાય તેવી કોશિષ્ટમાં આરોપી રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તે પણ ઇજાગ્રસ્ત થઇ હતો ત્યારબાદ ઇજાગૃસ્ત પોલીસ કર્મચારી અને આરોપી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમણે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લઈને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ બુટલેગર સામે બહાદુરીપૂર્વક બાથ ભીડવા બદલ આઈજીએ હેડ કોન્સ્ટેબલને 11 હજારોનું રોકડ ઈનામ પણ આપ્યું હતું, પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, સ્વિફ્ટ કાર, હુમલામાં વપરાયેલી છરી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર કાનો રબારી તેમજ દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગદા સામે પણ ગુનો નોંધવામાં આવ્યું છે. રેખાબેન સામે અગાઉથી 41 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી દિલીપ શેખવા સામે ભારતીય ન્યાય સંહિતાના સંબંધિત કલમો, ગુજરાત પોલીસ આક્સ્ટ, પ્રોહિબિશન એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહીતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દિલીપ શેખવાને સામે પણ આશરે આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. હાલ બંને આરોપીની અટકાયત કરીને સમગ્ર દારૂના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા/shખ્સો અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
0
0
Report
Advertisement

राजकोट में दोस्त की बहन से पहचान के शक पर युवक की हत्या, तीन गिरफ्तार

Rajkot, Gujarat:એન્કર : રાજકોટ શહેરમાં મિત્રના મિત્રની બહેન સાથેની ઓળખ અને સંબંધની શંકાને आखરે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શેહરના રૂખડીયા ફાટક વિસ્તારોમાં રહેતા 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા કેસમાં પોલીસે ત્રણ आरोपીઓની ધરપકડ કરી છે. જ્યારે એક સગીર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, Mingeshેમૃત ઉમંગ મુખ્ય આરોપી નાઝીરની બહેનના સોશ્યિલ મીડિયાના મારફતે સંબંઘમાં હતો. આ મુદ્દે મનદુઃખ અને શંકા રાખી નાઝીરે પોતાના સાથીદારો સાથે મળીને ઉમંગને ચા પીવાના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે. વિઓ _ 01 27 જુલાઈના બપોરના સમયમાં મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી પોતાના સાગરિતો સાથે રૂખડીયા ફાટક વિસ્તારમાં આવેલા ઉમંગ જાખેલિયાના નિવાસસ્થાને પહોંચી જઈ રહ્યો હતો. પરિવારજનને ચા પીવા જવાનું કહીને ઉમંગને એક્ટિવા પર પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં આરોપીઓ ઉમંગને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં તેના રહેણાંક વિસ્તાર નજીક મૂકી નાસી છૂટ્યા હતા. ઘટના જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનના દાવા મુજબ ಮೃತ્યના શરીર પર મારપીટના નિશાન જોવા મળયા હતા. જે અંગે પોલીસ ફરિયાદમાં પણ ઉલ્લેખ થયો છે. બાઈટ : રણજીત જાખેલિયા, મૃતકના પિતા બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 02 મૃતક ઉમંગના પિતા રણજીત જાખેલિયાની જણાવ્યા અનુસાર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી, ગુલામ હુસૈન ઉર્ફે આસિફ અને સુજલ રામાવતની અટકાયત કરી છે. ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલા એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે મૃતક ઉમંગ પેઇન્ટિંગ કામ કરતો હતો. જ્યારે મુખ્ય આરોપી նાઝીર માછલીના વેપાર સાથે સંકળેલો હતો. અન્ય આરોપી આસિફ ધોસાનો ધંધો કરતો હતો અને સુજલ મજૂરીકામ કરીને જીવનનિર્વાહ કરતો હતો. તપાસ દરમ્યાન એવી વિગતો સામે આવી છે કે મૃતક અને મુખ્ય આરોપીની પરિવારની યુવતી વચ્ચે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક હતો. આ બાબતને લઈને મનદુઃખ ઊભું થતાં હુમલો થયું હોવાનો પોલીસને પુરાવો મળ્યો છે. હાલ તપાસ ચાલુ છે અને આગળ વધી રહેશે. બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 03 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ઉમંગ અને આરોપીઓ વચ્ચે અગાઉથી મિત્રોતા હતી. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ આસિફ સાથે ઉમંગના ગાઢ સંબંધો હોવાના કારણે તે આરોપીના ઘરે પણ નિયમિત આવતો-જતો હતો. તપાસ દરમિયાન આવી વિગતો બહાર આવી કે સોશિયલ મીડિયાથી નાઝીરની બહેન સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. પોલીસની પ્રાથમિક માન્યતા મુજબ આ જ બાબત હત્યા પાછળનું શક્ય કારણ હોઈ શકે છે. સ્થિતિ મુજબ આગળChi તપાસ ચાલી રહી છે. બાઈટ : રાજેશ બારીઓ, ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિઓ _ 04 પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ, વ્યક્તિગત સંબંધો અને સોશિયલ મીડિયા પર થયેલા સંપર્ક પછી આ ઘટનાએ ગંભીર વળાંક લીધો હોવાનું પોલીસ માનશે. આતંકજનક પ્રદર્શનથી રાજકોટ શહેરમાં ચર્ચા ફેલાય છે. કેસની દરેક દિશામાં તપાસ ચાલુ રહેશે. આરોપીઓની પુછપરછ સાથે મોબાઇલ ડેટા, ટેકનિકલ પુરાવા અને સાક્ષીઓના આધારે થયેલી તપાસ આગળ વધારાશે. એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report
Advertisement

Valsad के ओरंगा नदी के उफान से कांजनहारी गांव डूबा, पानी निकाले जाने के लिए नहर तोड़ी गई

Valsad, Gujarat:એન્કર : ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરના પાણી વલસાડના કાંજણહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામમાં ૮ થી ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આખું ગામ જળમગ્ન થઈ ગયું હતું. આ ભયાનક સ્થિતિમાં, ગામમાં ભરાયેલા નદીના પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો ન હતો જેને લઈ ગામને ડૂબતા બચાવવા કાકરાપાર વિભાગની નહેરને તોડીવાનો વારો રહ્યો હતો. આખરે કેવી રીતે તંત્ર અને ગ્રામજનોએ ભેગા મળી ને નહેર તોડીને ગામને મોટી હોનારતથી બચાવ્યું? જુઓ અમારો વિશેષ અહેવાલ વિઓ 01: વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના ધસમસતા પૂરના پانی સીધા કાંજણહરી ગામમાં ઘૂસી ગયા હતા. ગામના મહાદેવ ફળિયા, પૂર્વ કોળીવાડ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર જોતજોતામાં ૮ થી ૧૦ ફૂટ જેટલા નદીના પાણી ભરાઈ ગયા હતા. સવારે ૬ વાગ્યાની આસપાસ ઘર માં માત્ર ૧ ફૂટ પાણી હતું, જે गणતરીની મિનિટોમાં જ એટલું વધી ગયું કે લોકોના ઘરોનો સામાન ડૂબી ગયો અને લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ. બાઈટ : મિલન પટેલ ગામજ બાઈટ : નિર્મલ પટેલ ગામજ વિઓ 02: કાંજણહરી ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પૂરના પાણીનો નિકાલ માટે એક માત્ર રસ્તો હતો ગામમાંથી પસાર થતી નહેર.. સ્થિતિ વણસતી જોઈને ગામજનોએ તાત્કાલિક સરપંચ, તલાટી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણી કાઢવા માટે કાકરાપાર નહેરને તોડી પાડવાનો મોટો નિર્ણય લીધો હતો. જે બાદ અધિકારીઓ અને ગ્રામજનોની સહમતિ બાદ તાત્કાલિક JCB મશીન બોલાવીને કાકરાપાર નહેરનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવ્યો. નહેર તોડતાની સાથે જ ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણીને બહાર નીકળવા માટે રસ્તો મળી ગયો અને પાણી નહેરમાં થઈને આગળ ડાયવર્ટ થઈ ગયું. બાઈટ : કેવલ પટેલ ઉપસરપંચ બાઈટ : ડી.એસ.પટેલ કાર્યપાલક ઈજનેર કાકરાપાર નહેર વિભાગ બાઈટ : વોક થ્રુ વિઓ 03 : ઔરંગા નદીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા અને તેમાં સતત વધારો થતો હતો. જેથી ગામને વધુ નુકસાન અને જાનમાલની હાનિ ન થાય તે માટે નહેર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના સમયસર લેવાયેલા આ નિર્ણયથી કાંજણહરી ગામ এক મોટા વિનાશમાંથી ઉગરી ગયું.
0
0
Report

तीव्र बारिश से केनाल टूटा, किसानों के खेत डूबे; मुआवजे के लिए सर्वे की मांग

Patan, Gujarat: પાટણ રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલના ના પાણી ખેતરો મા ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકશાન અતિભારે વરસાદ થવા ને લઇ માઇનોર કેનાલ મા વરસાદી પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી કેનાલમા છોડેલ વરસાદી પાણી હજારોએકર ખેતીની જમીનમાં ફરી વળતા ખેડૂતોનો ઉત્પ પાંકડા પાડતા ભારે નુકશાન ​ નુકસાન સામે વળતરની માંગ સાથે ખેડૂતો અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો પાણી થી ભરાયેલ ખેતરોમાં ખેડૂતો ઉભા રહી નોંધાવ્યો વિરોધ ​ આડદ,જુવાર,બાજરી સહિતનાપાકો ને ભારે નુકશાન સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનુ સર્વે કરાઈ સહાય ની માંગ કરાઈ ​અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને આર્થિક વળતર ચૂકવવામાં આવે. મોરી પીપળી માઇનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ અને નિયમિત સાફ-સફાઈ ની ખેડૂતોની માંગ
0
0
Report

गुजरात आयुर्वेद विश्वविद्यालय में पेपर लीक: छात्र संगठन जांच की मांग

Jamnagar, Gujarat:જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર-1 વિષયનું પેપર લીક થઈની આશંકા વચ્ચે વિવાદ ગરમાયો છે. આ મામલે પહેલા ABVP અને હવે NSUI, યુવક કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ પણ મેદાને ઉતર્યા છે. બંને સંગઠનોએ કુલપતિને આવેદનપત્ર આપી સમૃઘ ઘટનાની પારદર્શક અને તટસ્થ તપાસની માંગ કરી છે. વિદ્યાર્થી સંગઠનોએ પેપર લીકાની આશંકા વચ્ચે રોષ વ્યક્ત કર્યો છે. ABVP દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી સમર્થન કરી સોપ દરખાસ્ત કરવામાં આવી હતી કે ઘટનાની પારદર્શક તપાસ કરાવવામાં આવે, દોષિતો સામે કડક ballast કાર્યવાહી થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. NSUI, યુવક કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના કાર્યકરોએ પણ યુનિવર્સિટીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કુલપતિને આવેદનપત્ર પાઠવી પેપર લીક મામલે સાત દિવસમાં તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉંચારી હતી. હાલ પેપર લીકની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત દબાણ વધતું જઈ રહ્યું છે. હવે સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર શું કાર્યવાહી કરે છે તે અંગે વિદ્યાર્થીઓ સહિત સૌની નજર મંડાઈ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top