Back
खोडलधाम ट्रस्ट के नए अध्यक्ष अनार पटेल की राजनीतिक भूमिका पर शुरू हुआ सवाल
GDGaurav Dave
Jan 21, 2026 13:24:19
Rajkot, Gujarat
એન્કર - આજે ખોડલધામાન શિલાન્યાસને ૯ વર્ષ પુર્ણ થયાં છે જે નિમીતે આજે ખોડલધામ ખાતે મળેલી કન્વિનર મીટ-૨૦૨૬માં ખોડલધામના સંગઠન પ્રમુખ તરીકે ચેરમેન નરેશ પટેલ દ્રારા અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જશુમતિબન કોરાટ અને જેનીબેન ઠુમ્મરને પણ ટ્રસ્ટ તરીકેનું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અનાર પટેલ છેલ્લે નવ મહિનાથી ખોડલધામની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે સંસ્થા દ્રારા આજે તેઓને સર્વોચ પદ આપીને મોટી જવાબદારી આપી છે. અનાર પટેલ એક રાજકીય બેક ગ્રાઉન્ડ ધરાવે છે ત્યારે સ્વાભાવિક તેઓ સામાજિક સીડી ચડીને રાજકારણમાં પ્રવેશ કરે તેવું સૌ કોઇ માની રહ્યા છે પરંતુ આ વાતને હાલ પુરતો વિરામ મુકી દીધો છે અને પોતે રાજકારણમાં પ્રવેશ કરવા આ સંસ્થામાં જોડાયા તેવી વાતને નકારી રહ્યા છે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલએ જણાવ્યું હતું કે, ખોડલધામની સંગઠનની જવાબદારી મને મળી છે. અમે નરેશ પટેલના નેજા હેઠળ કામ કરીશું. આ મળી આ હોદ્દાને રાજકારણ સાથે ન જોડવી જોઇએ હું બધાને આ જ વિનંતી કરું છું. હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું જયારે જયારે કોઈ પદ મળ્યું એ સેવા માટે મળ્યું છે અને રાજકારણ અને આ પદને કોઈ લેવા દેવા નથી મારી રાજકીય કારર્કિદી માટે ખોડલધામને માધ્યમ બનાવવાની જરૂર નથી. મારે ટિકિટ જોઈતી હોય તો આમતેમ કોઈ જગ્યાએ જવાની જરૂર જ નથી. મેં મારી રાજકીય પ્રોફાઇલ बनाई નથી મીડિયા મને ટીકીટ આપે છે મેં કોઈ દિવસ માંગી જ નથી. રાજકીય પક્ષમાં રહેલાં લોકો ખોડલધામમાં આવીને સભ્યો બને છે. મારો ઉદ્દેશ ખોડલધામ થકી સેવાનો છે. જો મારે રાજકારણમાં જવું હોય તો મારે ખોડલધામના પ્લેટફોર્મની જરૂર નથી. હું જે બેકગ્રાઉન્ડ પરથી આવુ છું તે બધા જાણે છે. મે ક્યારેય minha મારી રાજકીય પ્રોફાઇલ બનાવી જ નથી. જેથી આ હોદ્દાને અને રાજકારણને સીધી રીતે કોઇ લેવાદેવા નથી. ઉલ્લેખનીય છે કે, ખોડલધામનું સંગઠન રાજકીય પાર્ટી જેવું જ સંગઠન છે અને રાજ્યથી લઇને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય અને મહોલ્લા કક્ષા સુધી ફેલાયેલું છે ત્યારે લેઉવા પાટીદાર સમાજને એક કરવા માટેની નેમ સાથે સંગઠનને મજબૂત કરવાની જવાબદારી હવે અનાર પટેલના શીરે છે. એક સામાજિક સંસ્થાનું વટવૃક્ષ ખોડલધામથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અને રાજ્યથી હવે દેશ અને વિદેશ સુધી ફેલાયેલું છે. જો કે તેના સંગઠનના પ્રમુખનો હોદ્દો એક મોટી બાબત છે. ખોડલધામ હંમેશા સીધી રાજકારણ સાથે જોડાયેલુ નથી પરંતુ રાજકીય ગતિવિધીઓ તેમાં થતી જ રહે છે. હવે અનાર પટેલની લોકોનું ધ્યાન ખેંચાય તેવી ખોડલધામમાં મજબુતી જોવા મળી છે ત્યારે તેની રાજકીય અસર કેટલી થશે તે આગામી સમયમાં જોવા મળશે. બાઈટ - અનાર પટેલ, સંગઠન અધ્યક્ષ, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowJan 21, 2026 14:03:430
Report
PAParakh Agarawal
FollowJan 21, 2026 14:00:190
Report
RTRAJENDRA THACKER
FollowJan 21, 2026 13:24:010
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:23:090
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:18:200
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 12:24:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 21, 2026 11:49:180
Report
HShakimuddin shabbirbhai
FollowJan 21, 2026 11:48:590
Report
AKAshok Kumar
FollowJan 21, 2026 11:08:080
Report
NBNARESH BHALIYA
FollowJan 21, 2026 10:30:580
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:20:300
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:19:540
Report
CPCHETAN PATEL
FollowJan 21, 2026 09:19:230
Report
DPDhaval Parekh
FollowJan 21, 2026 09:18:300
Report