Back
બનાસકાંઠામાં અનુસૂચિત જન જાતિનો આક્રોશ, 9 ઓગસ્ટે બહિષ્કારની ચિમકી!
ARAlkesh Rao
Aug 04, 2025 12:50:08
Vaghrol, Gujarat
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ - આક્રોશ
બનાસકાંઠા જિલ્લામાં અનુસુચિત જન જાતિ સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે વિરોધ પ્રદર્શન કરાયું. જિલ્લાના દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના અનુસૂચિત જન જાતિ સમાજના લોકો જિલ્લા મથક પાલનપુર ખાતે પહોંચ્યા અને રામપુરા ચોકડી થી જિલ્લા કલેકટર સુધી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીમાં વિરોધ પ્રદર્ષિત કરી આવેદન પાઠવી મુશ્કેલીનું નિરાકરણ લાવવા માંગ કરી છે. જો 9 ઓગસ્ટ સુધીમાં નિરાકરણ નહીં લવાય તો બનાસકાંઠામાં સરકારના વિશ્વ અનુસૂચિત જન જાતિ (આદિવાસી) દિન કાર્યક્રમનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે....
બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા સમાજના લોકો દ્વારા આજે જિલ્લા મથક પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું. અનુસૂચિત જન જાતિ સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે અનુસૂચિત જન જાતિ સમાજ દ્વારા વિરોધ પ્રદર્ષિત કરવામાં આવ્યો.અનુસૂચિત જન જાતિ સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા અનુસૂચિત જન જતી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આજે રોષે ભરાયેલા અનુસૂચિત જન જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં પાલનપુર ખાતે પહોંચ્યા અને પાલનપુરના રામપુરા ચોકડી ખાતે થી રેલી યોજી "અનુસૂચિત જન જાતિ એકતા જિંદાબાદ" ના નારા સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં ધામા નાખી અનુસૂચિત જાતિની પરંપરાગત ધૂન કરી વિરોધ પ્રદર્ષિત કર્યો તે બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 1950 વખતના પુરાવાનો નિર્ણય રદ કરવા માંગ કરી છે. અને જો 9 ઓગસ્ટ સુધીમાં આ નિર્ણય રદ નહીં કરાય તો 9 ઓગસ્ટે આદિવાસી (અનુસૂચિત જન જાતિ) દિવસની સરકારને બનાસકાંઠા જિલ્લામાં ઉજવણી ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે...સમાજના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે કે અમારા સમાજના યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દાખલા ને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી... ત્યારે અત્યારે તો અનુસૂચિત જન જાતિ સમાજના લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે પરંતુ હવે સરકાર તેમના સમાજની આ માંગ સ્વીકારે છે કે પછી અનુસૂચિત જન જાતિ સમાજના લોકો આજ વિશ્વ અનુસૂચિત જન જાતિ ( આદિવાસી) દિવસની સરકારી કાર્યક્રમની ઉજવણીનો બહિષ્કાર કરે છે તે જોવું રહેશે...
બાઈટ -1-- કાંતિ ખરાડી -ધારાસભ્ય દાંતા
( અમારા સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે સરકારે 1950 પહેલાના રહેઠાણ પુરાવનો નિર્ણય રદ કરવો જોઈએ નહિતર 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરીશું...)
બાઈટ -2- શંકરભાઈ માણસ-સામાજિક આગેવાન
( જાતિનો દાખલો લેવા 1950 પહેલાનો રહેઠાણ પુરાવો એ સરકારી તંત્ર પાસે પણ નથી તો અમારી પાસે ક્યાંથી હોય...)
બાઈટ -3- સતીશ ધ્રાંગી -પીડિત ઉમેદવાર
( મેં ગ્રામ સેવકની સરકારી પરીક્ષા પાસ કરી છે પરંતુ મને નોકરી નો ઓર્ડર મળતો નથી મારે મરવાનો વારો આવ્યો છે...)
અલકેશ રાવ - બનાસકાંઠા
9687248834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowDec 08, 2025 18:00:49120
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 14:48:22154
Report
HBHemang Barua
FollowDec 08, 2025 14:31:25Noida, Uttar Pradesh:GUJARAT BJP REAX ON KEJRIWAL Shraddha Rajput Spoke Person BJP Gujarat
174
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 13:45:1053
Report
ARAlkesh Rao
FollowDec 08, 2025 13:37:35171
Report
HBHimanshu Bhatt
FollowDec 08, 2025 12:06:09185
Report
DRDarshal Raval
FollowDec 08, 2025 11:31:56117
Report
RKRupesh Kumar
FollowDec 08, 2025 11:29:55179
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 11:22:02105
Report
URUday Ranjan
FollowDec 08, 2025 11:02:1499
Report
GDGaurav Dave
FollowDec 08, 2025 11:00:34129
Report
AKArpan Kaydawala
FollowDec 08, 2025 10:25:56167
Report
AKArpan Kaydawala
FollowDec 08, 2025 10:25:45133
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 10:25:26139
Report
CPCHETAN PATEL
FollowDec 08, 2025 10:22:4989
Report