Back
સુરતના સ્માર્ટ સિટીમાં 2 વર્ષથી અટકેલ રોડનો ભ્રષ્ટાચાર!
CPCHETAN PATEL
Aug 11, 2025 04:17:21
Surat, Gujarat
સુરત બ્રેક
આ તે કેવું સ્માર્ટ સિટી ? પાસોદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મિશનનો રોડ 2 વર્ષથી ટલ્લે ચડ્યો
રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની બૂમ વચ્ચે રાજ્યના મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલો રોડ બે વર્ષે પણ પૂરો બન્યો નથી
આખેઆખો વિસ્તાર રેસીડેન્સીયલ ઝોનમાં આવી ગયો છે
પાસોદરા વિસ્તારના સ્વામિનારાયણ મિશન રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવતું પાણી આગળ જતું નથી અને રસ્તા પર જ ફેલાય છે
અહીં આવતા જતા રાહદારીઓને ખુબ જ હેરાનગતિ થઈ રહી છે
સિંચાઈનું પાણી રસ્તા પરથી ફેલાતા મનપાના પ્લોટમાં પણ ઘૂસી જાય છે
રોડનું પ્રફુલ્લ પાનશેરીયા દ્વારા ખાયમુહૂર્ત કરાયું હતું
અડધો રોડ બનાવવામાં બાકી રાખ્યો
બાઈટ..મહેશ અણધન..વિપક્ષી સભય આપ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HShakimuddin shabbirbhai
FollowAug 11, 2025 08:32:51Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના વિજોલ ગામે મુખ્ય રસ્તા થી ફળિયાને જોડતો રસ્તો બિસમાર અને કાદવ કીચડ વાળો થી જતા લોકો પરેશાન રસ્તામાં બે કોઝવે આવે છે બંને કોઝવે ધોવાય ગયેલ હાલતમાં હોવાથી 108 જેવી સુવિદ્યા પણ લોકોને નથી મળતી બાળકોને શાળાએ જવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
વી.ઓ
છોટાઉદેપુર જીલ્લોએ અંતરયાર્ડ અને આદિવાસી જિલ્લો છે અહીંયા લોકો ખેત મજૂરી અને ખેતી કામ કરે છે ત્યારે અહિયાના લોકોને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી છોટાઉદેપુરના ભીલપુર ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ વિજોલ ગામ કે મુખ્ય રસ્તા થી મેંડિયા ફળિયાને જોડતો રસ્તો 7 વર્ષ અગાઉ બનેલ ત્યાર બાદ રસ્તાનું સ્માર કામ કે નવીનીકરણ કરવામાં નથી આવ્યું રસ્તા પર બે કોઝવે આવેલા છે બંને કોઝવે કોટરના પાણીમાં હાલ ધોવાય ગયેલ હાલતમાં છે મુખ્ય રસ્તા થી મેંડિયા ફૈયાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે રસ્તા પર ઠેર ઠેર કાદવ કીચડ કાયક તો જૂનો રસ્તો જોવાતો પણ નથી જેનલાઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ગામા કોય બીમાર હોય ત્યારે ઝોળી માં નાખી લય જવું પડે છે કારણકે મુખ્ય રસ્તા થી મેંડિયા ફળિયાનો રસ્તો ખખડધજ હાલતમાં છે કોઝવે પણ ધોવાયેલ છે જેના કારણે 108 ફળિયામાં આવી શક્તિ નથી જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
બાઈટ : કનુભાઈ રાઠવા.આગેવાન
બાઈટ : પ્રવીણભાઈ રાઠવા. ગ્રામજન
વી.ઓ
વિજોલ ગામના ગ્રામજનોએ અનેક વખત આ બાબતે તંત્ર ને રજુઆત કરી છે પરંતુ પરિણામ તેનું શૂન્ય આવ્યું છે ના છૂટકે લોકોએ ઝી 24 કલાકની ટીમનો સંપર્ક કરતા ઝી 24 કલાકની ટિમ ગામા પોહચી ગામ સુધીના ડામર રોડ પર તો પહોંચી પરંતુ મેંડીયા ફળિયામાં જતા રસ્તામાં કાદવ કીચડ ખારા ટેકરા અને તૂટેલા કોઝવે જોવા મળ્યા જેમ તેમ કરીને તૂટેલા સુધી તો પહોંચ્યા પરંતુ કોઝવે તૂટેલો હોવાથી આગળ જઈ શક્યા નહીં ચાલતા આગળ જતા રસ્તા ની અંદર ખૂબ જ કાદવ કીચડ માંથી પસાર થવું પડ્યું ગ્રામજનોની વેદના જાણતા ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને અને સરપંચને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ રસ્તાની કે બનાવવા માટેની કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા તંત્ર સામે ગ્રામજનો રોષે ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ ગામમાં રહેતા જે બાળકો છે તેઓને શાળાએ જવા માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે વધુ વરસાદ હોય અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છે ત્યારે બાળકો શાળાએ જઈ શકતા નથી અને શાળાએ ગયેલા બાળક પાછા ઘરે આવતા સમયે જ વરસાદ વધારે હોય તો વાલીઓ દ્વારા બાળકોને શાળાએ લેવા જવું પડે છે અને મહા મુશ્કેલીયે કોઝવે પસાર કરવો પડે છે હાલ તો ગ્રામજનો વહેલી તકે 7 વર્ષ અગાઉ બનેલા રસ્તા નું નવીનીકરણ કરવામાં આવે અને કોઝવે ની જગ્યાએ નાળા બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે
બાઈટ : ગોપાલભાઈ રાઠવા.ગ્રામજન
WKT.હકીમ ઘડિયાલી, કોઝવે વિજોલ
વી.ઓ.
આ બાબતે ગામના સરપંચ રમણભાઈ રાઠવા સાથે વાત કરતા વિજોલ ગામન લોકોએ રજુઆત કરી હોવાનું જણાવ્યું સાથે વિજોલ ગામના લોકોનો ભારે મુશ્કેલીઓ પડે છે પરંતુ હાલ વરસાદ પડતો હોવાથી રીપેરીંગ કામ થતું નથી વરસાદ બંધ થતાં તત્કાલિ કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું
બાઈટ :રમણભાઈ રાઠવા, સરપંચ ભીલપુર જૂથ ગ્રામપંચાયત
4
Report
HBHimanshu Bhatt
FollowAug 11, 2025 08:31:39Morbi, Gujarat:
Slug 1008ZK_MRB_DEM_HONARAT
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1008ZK_MRB_DEM_HONARAT
Date 10/08/2025
Location MORBI
APPROVAL DAY PALN
એન્કર
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 46 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને 46 વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે
વીઓ
11 મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 46 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11 મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા
બાઇટ ૧: એસ.જી.તેરૈયા, નિવૃત મામલતદાર, મોરબી
વીઓ
મોરબી હોનારતમાં માત્ર માણસો જ નહીં ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી અને હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવ લાગ્યા હતા તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા જેથી મચ્છુની હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે.
બાઇટ ૨: હરેશભાઈ તેરૈયા, હોનારત નજરે જોનાર, મોરબી
વીઓ
મોરબીમાં મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સામન બની ગયેલ હતું અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા તો બીજી બાજુ તે સમયે ચોરી લુંટફાટ કરવા માટે જુદાજુદા વિસ્તારોમાંથી ગેંગો આવવા લાગી હતી જેની ફરિયાદો અધિકારીને મળવા લગતા ત્યારે બહારથી શહેરની અંદર આવતા અને શહેરમાંથી બહાર જતા લોકોને ચેક કરવામાં આવતા હતા
બાઇટ ૩: વલ્લભભાઈ પ્રજાપતિ, પરિવારજન ગુમાનાર, મોરબી
વીઓ
દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 46 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી કેમ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે જેમા રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેતા હોય છે
4
Report
RTRAJENDRA THACKER
FollowAug 11, 2025 08:20:38Sadhara, Gujarat:
કચ્છ :
રાપર ના ઉમૈયા ગામમાં બોરવેલ માં પડેલ બાળકને બચાવી લેવાયો
રમતાં રમતાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલ પડ્યો
રમત રમતા સાથી બાળકોએ ગામલોકો ને જાણ કરી
ગામલોકોની સૂઝબૂઝ થકી દોરડા વડે બાળકનો સફળ રેસ્ક્યુ કરાયો
100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલા બાળકને રસ્સા વડે બહાર કઢાયો
રેસ્ક્યુ નો લાઈવ વિડિઓ આવ્યો સામે
100 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યું, મજબૂત દોરડા નાખી સૂઝબૂઝથી ઉપર લાવ્યા
રાપર તાલુકાના ઉમૈયા ગામે 'રામ રાખે તેને કોણ ચાખે' કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો.
મિત્રો સાથે રમતાં રમતાં બાળક બોરવેલમાં પડ્યો ઘટના મુજબ, બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો. પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.
ગ્રામજનોની સૂઝબૂઝથી જીવ બચ્યો
આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે રસ્સાને પકડી લે.
બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી.
4
Report
UPUMESH PATEL
FollowAug 11, 2025 08:15:17Valsad, Gujarat:
વલસાડ જિલ્લાની એક શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતાં જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં ખડભડાટ મચી ગયો છે.. કપરાડાના ઓઝર ગામ માં ચાલતી સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નામની શાળાના સંચાલકો વિરુદ્ધ કપરાડાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા જ ચકચાર મચી ગઈ છે ..વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતાં હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.. ઓઝર ગામમાં સિયોન સિવારતિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 ની અંગ્રેજી માધ્યમની શાળા ચલાવવામાં આવી રહી હતી ..સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટને સરકાર દ્વારા માત્ર ધોરણ 1 થી 8 ના વર્ગો ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગની કોઈપણ જાતની પરવાનગી વિના શાળામાં ધોરણ 9 અને 10 ના પણ વર્ગો ચાલુ કરી દીધા હતા ..જેમાં પ્રત્યેક વિદ્યાર્થી પાસે થી 40 હજાર થી વધુ ની ફી વસૂલી અને 20 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો .જોકે ધોરણ 9 ની એક વિદ્યાર્થીનીના પિતાએ તેની પુત્રીને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા માટે શાળા પાસેથી સર્ટિફિકેટની માંગ કરતાજ સમગ્ર મામલો બહાર આવ્યો હતો ..આથી વિદ્યાર્થીઓ ના વાલીઓ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી ..આથી વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સામે તપાસ કરતા આક્ષેપો સાચા ઠર્યા હતા. અને સરકારની કોઈપણ જાતની પરવાનગી વિના ધોરણ 9 અને 10 ના વર્ગો ચલાવવામાં આવતા હોવાનું બહાર આવતા જ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ગંભીરતાથી લઈ અને શાળાના સંચાલકો વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.. આ શાળાના ફુલજીભાઈ બાબુભાઈ ભસરા સહિત ના સંચાલકો ને આરોપીઓ બનાવતા . હવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.. તો સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં ધોરણ 9 અને 10 માં પ્રવેશ આપવામાં આવેલો હતો તેવા વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે...
બાઇટ: રાજેશ્રી ટંડેલ શિક્ષણ અધિકાર
5
Report
DRDarshal Raval
FollowAug 11, 2025 08:02:55Ahmedabad, Gujarat:
નિકોલ વિસ્તારમાં કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો વીડિયો વાઇરલ
ધારાસભ્ય અને ચારેય કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા નો વિડિયો
ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય અને કોર્પોરેટરો ગયા હતા લોકોની સમસ્યા જાણવા
નિકોલ વિસ્તારની જનતા એ કોર્પોરેટર પાસે કામગીરીનો માંગ્યો હિસાબ
છેલ્લા પાંચ વર્ષની નિકોલમાં કેટલા કરોડના કયા કામો થયા તેનો માંગ્યો હિસાબ
નિકોલ વિસ્તારમાં વરસાદી પાણીના ભરવાની મુખ્ય સમસ્યા
પાણી ભરાય ત્યારે એક પણ કોર્પોરેટર ફોન નથી ઉપાડતા નો આક્ષેપ
વોટ માંગવા આવતા પ્રતિનિધિઓ સમસ્યા સમયે થાય છે ગાયબ
સ્થાનિકોના સવાલોથી કોર્પોરેટર બળદેવ પટેલ થયા ઉગ
AMC ના બજેટ માંથી નિકોલમાં કેટલા કરોડ વપરાયાનો સવાલ પૂછતા કોર્પોરેટર થયા ઉગ્ર
કોર્પોરેટ દ્વારા જવાબ આપવાના બદલે સ્થાનિકોને RTI કરી જવાબ માંગવા જણાવાયું
નિકોલ વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા,ગટરો ઉભરાવી,પીવાનું ચોખ્ખું પાણી ન મળવું અને વરસાદી પાણીનો ભરવો થવો છે મુખ્ય સમસ્યા
અમદાવાદ
કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નીકળેલા નિકોલ ના કોર્પોરેટર અને ધારાસભ્યને થયો કડવો અનુભવ
ચોમાસાની સિઝન દરમિયાન નિકોલ ના રહીશોને પડેલી હાલાકી ને લઈને સ્થાનિકોની નારાજગી કોર્પોરેટર અને ધારાસભ્ય ઉપર જોવા મળી
રવિવારે નિકોલ વોર્ડમાં નીકળેલા ચાર કોર્પોરેટર અને ધારાસભ્ય બાબુ જેમના પટેલ ને કેટલાક સ્થાનિકોએ ઘેર્યા
નિકોલ વોર્ડમાં સર્જાયેલ પાણી ભરાવાની હાલાકી, ખરાબ રસ્તા, ગટરો બેક મારવી, ટ્રાફિક સમસ્યા જેવી બાબતોને લઈને સ્થાનિકોએ કોર્પોરેટર અને ધારાસભ્યને ઘેર્યા
કોર્પોરેટર અને ધારાસભ્યને ઘેરવાના મામલે અને ઉગ્ર રજૂઆતનો વિડીયો પણ થયો વાયરલ
નિકોલમાં અમર જવાન સર્કલ પાસે સત્યાગ્રહ લાઈફ સ્ટાઈલ સ્કીમ ના ગેટ પાસે કોર્પોરેટર અને ધારાસભ્યને સ્થાનિકોએ ઘેરી ઉગ્ર રજૂઆત કરી હતી
સત્યાગ્રહ લાઈફ સ્ટાઈલ સાથે આસપાસની સ્કીમો ખાતે કોર્પોરેટર અને ધારાસભ્ય રાઉન્ડ પર નીકળ્યા હતા
સમગ્ર મામલે z મીડિયાએ સ્થાનિકો સાથે કરેલી વાતમાં સ્થાનિકોએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
તંત્ર દ્વારા નિકોલ વોર્ડ પર ધ્યાન નહીં અપાયું હોવાના તેમજ આ વખતની ચોમાસાની સિઝનમાં સૌથી વધુ હાલાકી પડ્યા હોવાના પણ કર્યા આક્ષેપ
ચૂંટણી હોય ત્યારે વોટ માંગવા આવો અને પછી દેખાવો નહિ તેવા પણ લોકોના આક્ષેપ
તો બીજી તરફ નિકોલ વોર્ડના કોર્પોરેટર દિપક પંચાલે વાયરલ વીડિયો મામલે કર્યો ખુલાસો
વીડિયોમાં સ્થાનિકોની નારાજગી નહીં પણ વધુ અપેક્ષા હોવાનો કર્યો ખુલાસો
નિકોલ વોર્ડ અમદાવાદનો સૌથી મોટો વોર્ડ હોવાનું આપ્યું નિવેદન
નિકોલ વોર્ડમાં ભરાતા વરસાદી પાણી અને ઉભરાતા ડ્રેનેજના પાણી દૂર કરવા આ વર્ષે 20 કિલોમીટરના પટ્ટામાં સ્ટ્રોમ વોટર લાઈનનું કામ હાથ ધરાયાનો કર્યો ખુલાસો
30 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન અને 10 થી વધુ કરોડના ખર્ચે સ્ટ્રોંમ વોટર લાઈનનું કામ હાથ લીધું હોવાનું જણાવ્યું
80% કામ પૂર્ણ થયા અને 20 ટકા કામગીરી ચાલુ હોવાનો પણ કોર્પોરેટરનો ખુલાસો
આ સાથે જ નિકોલ વોર્ડમાં સમસ્યા સર્જાઇ હોવાની કબુલાત કરીને દિવાળી સુધી નિકોલ વોર્ડમાં સૌથી સારી સુવિધા મળશે તેવી પણ કોર્પોરેટરે ખાતરી આપી
તો રસ્તા પર પડેલી સ્ટ્રોંમ વોટરની મોટી પાઇપો ના કારણે પણ સર્જાઈ હાલાકી
બે મહિનાથી રસ્તા ઉપર પાઇપો પડી રહેતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા
ટ્રાફિક સમસ્યા સાથે લોકોના વેપાર ધંધા ઉપર પણ પડી અસર
અમર જવાન સર્કલ પાસે દેવકૃપા 4 પાસે પાઈપો ના કારણે વાહન પાર્ક નહીં થઈ શકવા હોવાના કારણે લોકોના વેપાર ધંધા થયા ઓછા
બે મહિનાથી 50% જેટલા વેપાર ધંધા ભાંગી પડ્યા હોવાના વેપારીઓના આક્ષેપ
વેપારીઓએ કાં તો પાઇપો હટાવો કાં તો કામગીરી ઝડપી પૂર્ણ કર્યા હોવાની કરી રજૂઆત
કામગીરી કરે તેનો કોઈ વાંધો નહીં પણ અગવડતા પડે તેને લઈને વેપારીઓમાં જોવા મળી નારાજગી
દસ દિવસ અગવડતા પડે એ ચાલે પણ બે ત્રણ મહિનાથી અગવડતા પડી રહી છે તે બાબતે વ્યાપારીઓમાં જોવા મળી નારાજગી
વિઝ્યુલ અને કોર્પોરેટરને ઘેર્ય તેના પર પબ્લિક ટિકટેક
નિકોલ કોર્પોરેટર દિપક પંચાલ સાથે 121 અને હિન્દી બાઈટ પણ છે
વેપારીઓ સાથે ટિકટેક
સલગ. નિકોલ સમસ્યા
પેકેજ ફીડ અને વિગત આપી
ફીડ. લાઈવ કીટ
સારું પેકેજ બનશે...
વોટ્સપ વિડિઓ એડ કરવો...
8
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 06:46:06Surat, Gujarat:
સુરત :: શહેરમાં ગુનાખોરી વધી.
અડાજણ વિસ્તારમાં જૈન મંદિર માં ચોરી ની ઘટના.
બે ઈસમો જૈન મંદરી માં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થયા.
મંદિરમાં મૂર્તિ પર લગાવેલ આભૂષણ ની ચોરી.
અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 06:45:53Surat, Gujarat:
1. સુરતના ડીંડોલી વિસ્તારમાં પોલીસ કાર્યવાહી સામે કોર્પોરેટરના પુત્રની નારાજગી
2. બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલે પોલીસ મથકમાં અરજી કરી
3. રાહુલનો આક્ષેપ – કોલર પકડી ગેરકાયદેસર વર્ક ટુન અને અભદ્ર ભાષાનો ઉપયોગ
4. પોલીસ પર ગાળો આપવાનો પણ આક્ષેપ
5. ડીંડોલી પોલીસ – કાયદો અને વ્યવસ્થા જાળવવા મોડી રાત સુધી દુકાનો બંધ કરાવી રહ્યા છીએ
6. અસામાજિક તત્વો ભેગા ન થાય તે માટે રાત્રે 10થી 10:30 સુધી કાર્યવાહી
7. રાહુલ ચૌધરી – અમારી રેસ્ટોરન્ટ સમયસર બંધ, છતાં આસપાસની દુકાનો ચાલુ હતી
8. અમે BJPમાં છીએ, કદી સત્તાનો પ્રયોગ કે અશબ્દનો ઉપયોગ કર્યો નથી – રાહુલ
9. અમારી લાગણી દુભાઈ, પોલીસનું વર્તન ગલત – રાહુલનો આક્ષેપ
10. ડીસીપી ભગીરથ ગઢવી – ફરિયાદની સત્યતા તપાસી આગળની કાર્યવાહી થશે
બાઈટ..રાહુલ ચૌધરી..કોર્પોરેટર પુત્ર
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 04:17:26Surat, Gujarat:
સુરત બ્રેક
23 વર્ષ પહેલાં ઘોડદોડ રોડ ઉપર થયેલી લૂંટનો આરોપી મથુરાથી ઝડપાયો
2002માં સુરતમાં લૂંટ ચલાવનાર ટોળકીનો એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે
છરી અને પિસ્તોલની અણીએ રોકડ લૂંટી હતી
2003માં અજયનું એન્કાઉન્ટ કરાયું હતું
રબલવીર 23 વર્ષ સુધી ફરાર હતો
PCBએ 23 વર્ષથી ફરાર રહેલા ઉત્તર પ્રદેશના લૂંટારાને ઝડપી પાડયો
ઘોડદોડ રોડ પર તેના ત્રણ સાથીઓ સાથે મળીને લૂંટ ચલાવી હતી
છેલ્લા બે દાયકા સુધી પોતાનું નિવાસસ્થાન વારંવાર બદલી ગુપ્ત જીવન જીવી રહ્યો હતો
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 04:17:16Surat, Gujarat:
હત્યાના સિલસિલા વચ્ચે લિંબાયતના સંજયનગરમાં ધોળે દિવસે એક યુવાનને રહેંસી નાંખવામાં આવતાં પોલીસ દોડતી થઇ હતી. હત્યામાં સંડોવાયેલા યુવક સહિત બેને લિબાયત પોલીસે ડિટેઇન કરાયા હતા.
વિઓ.1
લિબાયત આસ્તિકનગરમાં રહેતા અરુણ રવીન્દ્ર પાટિલને હત્યાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યાની વિગતોને પગલે પોલીસની ટીમ દોડતી થઈ હતી. ઘાયલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તે પહેલાં જ તેનું મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં મૃતકનો મહોલ્લામાં જ રહેતા દાદુ નામના શખ્સ સાથે ગતરોજ ઝઘડો થયો હતો. તેની અદાવતમાં દાદુએ તેની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. દરમિયાન પોલીસે દાદુ અને તેના સાગરીત સન્નીને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને મૃતક વચ્ચે ગતરોજ અપશબ્દો બોલવાને લઈ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી અરુણ પાટિલને આરોપીઓએ આસ્તિક નગર અને રત્નપ્રભા સોસાયટી તરફ જતાં રોડ પર આવેલી નિરંકારી કિરાણા સ્ટોર્સ પાસે આંતરી ચપ્પુના ઘા ઝીંકયા હતા. મૃતક અને આરોપી બંને ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે અહીંથી સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા. હત્યાનું ચોક્કસ કારણનો તાગ મેળવવા પોલીસે મૃતકનાં પરિવાર અને અટકાયતમાં લેવાયેલા આરોપીઓ વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ડુંભાલમાં આલોક અગ્રવાલની ઘાતકી હત્યા થઈ હતી. બીજા અઠવાડિયે વધુ એકની હત્યાને પગલે પોલીસ ધંધે લાગી છે
બાઈટ.ભગીરથ ગઢવી..ડીસીપી
14
Report
KSKartar Singh Rajput
FollowAug 11, 2025 03:18:13Morena, Madhya Pradesh:
ग्वालियर ब्रेकिंग
दो कार सवार युवकों ने बाइक सवार तीन युवकों को कुचल कर मारने का किया प्रयास
दो युवक जान बचाकर भागे तो तीसरा युवक जमीन पर गिरा
कार सवार युवको ने डंडे से जमीन पर गिरे युवक को पीटा
सूचना मिलते ही पुलिस मौके पर पहुचीं
पुलिस ने दो युवकों को इलाज के लिए अस्पताल पहुंचाया
सीसीटीवी कैमरे में वारदात हुई कैद
पुलिस ने किया तीन आरोपी युवको के खिलाफ मामला दर्ज।
पुरानी छावनी थाना क्षेत्र के पुरानी छावनी स्थित सैनिक होटल की घटना
14
Report
Rajula, Gujarat:
*ખરા અર્થમાં ગ્રાઉન્ડ ઉપર રહી રક્ષાબંધની ઉજવણી કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી*
*રક્ષાબંધન ના આગલા દિવસે એક મહિલાને તાત્કાલિક આરોગ્ય સુવિધા ઉભી કરાવી ઉમદા જનપ્રતિનિધિ નુ મોડલ બનતા ધારાસભ્ય*
જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાને પ્રસૂતિ આવતા ખાનગી હોસ્પિટલ માં લાવવામાં આવતા ત્યાં સીઝર માટે ઘણો ખર્ચ હતો આયુષ્યમાન કાર્ડ પણ હતું પણ આખરે તેનું રેશનકાર્ડમાં નામ ના હતું શુક્રવારે સાંજે પાંચ વાગ્યે હોસ્પિટલ થી જણાવવામાં આવ્યું કે રેશનકાર્ડમાં નામ દાખલ હશે તો લાભ મળશે શનિ રવિ ની રજા તેમાંય નામ નાખવા માટે જાફરાબાદ જવાનું ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કાર્યાલય સમક્ષ આ વાત આવતા તાત્કાલિક ઓનલાઈન પ્રક્રિયા કરી એક જ કલાકમાં નામ નાખી દેતા આ આયુષ્યમાન કાર્ડ ઉપયોગી બન્યું હતું
14
Report
DSDM Seshagiri
FollowAug 11, 2025 02:45:17Hyderabad, Telangana:
भारत के तेज गेंदबाज मोहम्मद सिराज ने रविवार को 1983 विश्व कप विजेता टीम के विकेटकीपर सईद किरमानी की आत्मकथा “स्टंप्ड: लाइफ बिहाइंड एंड बियॉन्ड द ट्वेंटी-टू यार्ड्स” का विमोचन किया।हैदराबाद में आयोजित इस विमोचन समारोह में किरमानी, 1983 विश्व कप के नायक मोहिंदर अमरनाथ, पूर्व भारतीय कप्तान मोहम्मद अजहरुद्दीन, तेलंगाना के श्रम मंत्री विवेक वेंकटस्वामी और कई गणमान्य व्यक्ति उपस्थित थे।इस अवसर पर बोलते हुए सिराज ने किरमानी को युवा क्रिकेटरों के लिए एक आदर्श बताया। उन्होंने कहा, “सर, जब आपने 1983 में विश्व कप जीता था, तब हम पैदा भी नहीं हुए थे। आपकी कहानी प्रेरणादायक और उत्साहवर्धक रही है। मैंने कई खिलाड़ियों से सुना है कि विकेट के पीछे आपकी रिफ्लेक्स असाधारण थीं। भारतीय क्रिकेट टीम के लिए आपके योगदान के लिए बहुत-बहुत धन्यवाद।”किरमानी ने बदले में सिराज की हाल की उपलब्धियों, विशेष रूप से इंग्लैंड के खिलाफ टेस्ट सीरीज में उनके प्रदर्शन की प्रशंसा की। उन्होंने कहा, “तुमने बहुत शानदार प्रदर्शन किया। मेरी बधाई स्वीकार करो। तुमने अपनी जोश और आक्रामकता से देश का गौरव बढ़ाया है... वह आक्रामकता दिल से थी। मैं तुम्हें हर सफलता की कामना करता हूँ।”अजहरुद्दीन ने किरमानी के हंसमुख स्वभाव और टीम के साथ उनके अच्छे तालमेल को याद करते हुए, महत्वाकांक्षी विकेटकीपरों के लिए उनकी उपयोगिता पर जोर दिया। उन्होंने कहा, “यह किताब पहले ही बेंगलुरु में रिलीज हो चुकी है। यह महत्वपूर्ण है कि इसे हैदराबाद में भी रिलीज किया गया। वह (किरमानी) भविष्य में कई विकेटकीपरों और क्रिकेटरों का मार्गदर्शन करेंगे। मैं सभी युवा विकेटकीपरों से आग्रह करूंगा कि वे ‘किरि भाई’ के पास जरूर जाएं। मेरे विचार से वे विश्व के सर्वश्रेष्ठ विकेटकीपरों में से एक हैं।”मंत्री विवेक वेंकटस्वामी ने उल्लेख किया कि तेलंगाना के मुख्यमंत्री ए. रेवंत रेड्डी राज्य में खेलों को प्रोत्साहित करने के इच्छुक हैं। हालांकि रेड्डी को मूल रूप से किताब का विमोचन करना था, लेकिन आधिकारिक व्यस्तताओं के कारण वे उपस्थित नहीं हो सके।
14
Report
DPDhaval Parekh
FollowAug 11, 2025 02:00:34Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ/ હમીમ સર
નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા...
એંકર : નવસારીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે સ્પષ્ટતા બાદ અનંત પટેલની પ્રતિક્રિયા, DPR ન બન્યો હોય કે આ યોજના થવાની ન હોય તો આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાનો નથી. તમારે આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ પ્રોજેક્ટ થવાનો નથી લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કોઈ દિવસ બનશે નહીં અને આ વિસ્તારમાં ડેમ બનશે નહીં, આદિવાસી સમાજ જાગી ગયો છે, ગૂગલ સર્ચ કરો તો DPR બતાવશે. માહિતી બતાવશે. આદિવાસી સમાજ ભોળો છે એને ભોળવવાની કોશિશ ન કરો. મૂરખ બનાવવાની કોશિશ ન કરો. 14 ઓગસ્ટે અમે ધરમપુરમાં વિશાલ રેલી કાઢી આદિવાસી સમાજનો આક્રોશ લોકો સુધી પહોંચાડીશું. કોઈ દિવસ એક ઇંચ જમીન કે પાણી આપવાના નથી
બાઈટ : અનંત પટેલ, ધારાસભ્ય વાંસદા
14
Report
DPDhaval Parekh
FollowAug 11, 2025 02:00:27Navsari, Gujarat:
એપ્રુવડ બાય : હમીમ સર...
નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને 121 વ્હોટ્સ એપથી મોકલ્યા હતા....
એંકર : ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોની નદીઓને જોડવાની યોજના પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ 2022 માં ગાજ્યા બાદ સરકારે પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. પરંતુ હાલમાં લોકસભામાં પૂછાયેલા પ્રશ્ન બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી આક્રમકતા બતાવી 14 ઓગસ્ટથી આંદોલનની તૈયારી કરી છે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસી ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરીને પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરે છે. રિવર લિંક પ્રોજેક્ટ થવાનો જ નથીની સ્પષ્ટતા કરી છે.
વી/ઓ : નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ધૂણ્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા આદિવાસી સંઘર્ષ સમિતિ બનાવી આંદોલનની તૈયારી કરી છે. જેમાં ભાજપી ધારાસભ્યોએ રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગી ધારાસભ્ય અનંત પટેલ લોકોને ભરમાવી રહ્યાની વાત કરતા અનંત પટેલે વલસાડના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પાસે ખુલાસાની માંગ કરી હતી. જેમાં આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નવસારીમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ થયો છે અને મોદી સરકાર આદિવાસીઓના હિતમાં જ છે. ત્યારબાદ વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના આક્ષેપોની હવા કાઢી સત્યતા મુકી છે. જેમાં વર્ષ 2022 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. હાલમાં લોકસભામાં પ્રશ્ન પૂછાયો હતો અને આ પ્રશ્નમાં દેશના તમામ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. જેને આધાર બનાવી કોંગી ધારાસભ્ય આદિવાસીઓને ભરમાવી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલેશન પાડ્યું નથી. તો શ્વેતપત્ર પણ આપવાનો મુદ્દો નથી. કોંગ્રેસ પહેલા લેખિતમાં પ્રોજેકટ, તેની સમાયવધિ અને ફન્ડિંગ વિશેનું ભારત સકરારનું લેખિત નોટિફિકેશન આપે પછી શ્વેતપત્રની માંગ કરે. ભાજપ હંમેશા આદિવાસીઓના વિકાસ માટે હંમેશા તત્પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતના નિર્ણયો લીધા છે. ત્યારે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી.
સાંસદ ધવલ પટેલ સાથે 1 2 1
14
Report