Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

कल्याणपुर के हरिपर में PGVCL की लापरवाही से पोल पर स्पार्क, आग लग गई

LJLakhani Jaydeep
Sept 20, 2025 19:04:52
Dwarka, Gujarat
વીઓ :- કલ્યાણપુરના હરિપર ગામમાં પીજીવીસીએલ (PGVCL) ની બેદરકારીના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં વીજળીના થાંભલા પર શોર્ટ સર્કિટ થવાથી સ્પાર્ક અને આગની ચિંગારીઓ નીકળી રહી છે. જેના કારણે જમીન પર પણ કરંટ ફેલાયો છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીજળીના થાંભલામાંથી આગ અને સ્પાર્ક નીકળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ગ્રામજનોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પીજીવીસીએલની બેદરકારીને કારણે આ જોખમી સ્થિતિ સર્જાઈ છે.
12
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Sept 20, 2025 19:04:35
Dwarka, Gujarat:વીઓ 01:- ઓખામાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિનઅપ ડેના ભાગરૂપે, ભારતીય કોસ્ટગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર દ્વારા ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ઓખાના દરિયાકિનારા પર એક મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇતિહાસના સૌથી મોટા સફાઈ અભિયાનમાં ઓખા, વાડીનાર, મુંદ્રા અને જખ્ખૌ સહિતના અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. વીઓ 02 :-ક્લીન સી, સેફ સી ની પ્રતિજ્ઞા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ૧૩૦૦થી વધુ કોસ્ટગાર્ડ જવાનો અને ૩૦૦ મરીન પોલીસ, બીએસએફ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેગા અભિયાન દરમિયાન, બીચ પરથી આશરે ૨૫૦૦ કિલોગ્રામ કચરો એકઠો કરી નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. આ નક્કર પગલું દરિયાઈ પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહ્યું છે.
9
comment0
Report
BPBurhan pathan
Sept 20, 2025 18:15:08
Anand, Gujarat:FEED SEND BY FTP એન્કરઃ કહેવાય છે કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના થાય... પરંતુ આણંદમાં ઉલ્ટી ગંગા વહી છે,જેમાં આણંદ શહેરમાં વંઠી ગયેલા પુત્રથી કંટાળીને માતા પિતાએ સગા દિકરા પર લાકડાનાં દસ્તાનાં ધા ઝિંકી તેમજ ગળે ટુંપો દઈ કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે,આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે માતા પિતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વીઓઃ સંતાનને કાંટો વાગે પણ માવતરને અસહ્ય પીડા થતી હોય છે,ત્યારે વૃદ્ધ માતા પિતાએ શા માટે પોતાનાં સગા દિકરાની હત્યા કરવી પડી..કેવુ કાળજુ કઠળ કરીને માતા પિતાએ ભેગા મળીને પુત્રનું ઢીમ ઢાળી દીધુ...આવો જોઈએ એક અહેવાલમાં.....ઉમરેઠનાં ભાલેજ ગામનાં મૂળ રહીસ અને હાલમાં આણંદનાં ભાલેજ રોડ પર ઉમરી નગરમાં રહેતા અબ્દુલશા રહેમાનશા દિવાનનાં ત્રણ સંતાનો છે,જેમાં બન્ને દિકરા અને એક દિકરી ત્રણેયનાં લગ્ન કરી દીધા હતા,પરંતુ મોટો દિકરો 37 વર્ષનો યાસીનશા ઉર્ફે ગબલો આડા રવાડે ચઢી ગયો હતો,અને વર્ષ 2017માં આણંદમાં થયેલી 48 લાખની લુંટ કેસમાં પણ તે પકડાયો હતો અને જામીન પર છુટયા બાદ તે કોઈ કામધંધો કરતો ન હતો અને ધરમાં અવારનવાર ઝધડાઓ કરતો હતો જેથી યાસીનશાની પત્ની જેની સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા તે પણ પોતાની નાની દિકરીને મુકીને પીયેરમાં ચાલી ગઈ હતી જયારે નાનો ભાઈ મોહસીન પણ પોતાનાં પરિવાર સાથે અલગ રહેવા ચાલ્યો ગયો હતો અને યાસીનની દિકરીને મોહીસન પોતાની સાથે રાખીને પાળતો હતો.પરંતુ યાસીન ઉર્ફે ગબલો સુધરવાનું નામ લેતો ન હતો અને અવારનવાર પોતાનાં પિતા પાસે પૈસાની માંગણી કરી ઝધડાઓ કરતો હતો. વીઓઃભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અબ્દુલશા દિવાન પોતાનાં દિકરા યાસીન દ્વારા કરાતા રોજેરોજનાં ઝધડાથી કંટાળી ગયા હતા અને તેઓ યાસીનને કામધંધો કરવા અને લડાઈ ઝધડા નહી કરવા સમજાવતા હતા,ગત ગુરૂવારે રાત્રે પણ યાસીનએ પોતાનાં પિતા અબ્દુલશા પાસે બે હજારની માંગણી કરી ઝધડો કર્યો હતો અને પોતાની માતા બિસ્મિલ્લાને છરી લઈ મારવા ફરી વળ્યો હતો ત્યારે બુમાબુમ થતા આસપાસનાં લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. વીઓઃ શુક્રવારે સવારનાં સુમારે યાસીન ઉર્ફે ગબલોએ ફરીવાર પોતાનાં પિતા અબ્દુલશા પાસે બે હજારની માંગણી કરી ઝધડો કર્યો હતો ત્યારે માતા બિસ્મિલ્લાબીબીએ ઉસ્કેરાઈ જઈને યાસીન ઉર્ફે ગબલાનાં માથામાં લાકડાનાં દસ્તાનો ફટકો મારતા યાસીન ઉર્ફે ગબલો ઉભો થઈ ભાગવા જતો હતો ત્યારે જ ફરીવાર બિસ્મિલ્લાબીબી અને અબ્દુલશાએ લાકડીનાં દંડા અને લાકડાનાં દસ્તાનાં ફટકા મારતા યાસીન લોહીલુહાણ થઈને ફસડાઈ પડતા અબ્દુલશાએ યાસીન ઉર્ફે ગબલોને દોરીવડે ટુંપો દઈ હત્યા કરી હતી, હત્યા કર્યા બાદ અબ્દુલશાએ પોતાનાં નાના પુત્ર મોહસીનશાને પોતે યાસીન ઉર્ફે ગબલાની હત્યા કરી નાખી હોવાની વાત કહેતા મોહસીન ધરે દોડી ગયો હતો અને જોતા ધરમાં વચ્ચો વચ યાસીન ઉર્ફે ગબલોની લાસ પડી હતી અને માતા પિતા બાજુમાં બેઠા હતા.જેથી મોહસીનએ આ અંગે આણંદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી ગયા હતા અને લાસને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં મોકલી આપી હતી અને હત્યાનો ગુનો નોંધી 67 વર્ષનાં અબ્દુલશા રહેમાનશા દિવાન અને બિસ્મિલ્લાબીબી અબ્દુલશા દિવાનની ધરપકડ કરી હતી. વીઓઃ કોઈ પણ કામધંધો નહી કરી રોજેરોજ ઝધડાઓ કરી પૈસાની માંગણી કરી તેમજ જો પૈસા ના મળે તો મારવા ફરી વળતા યાસીન ઉર્ફે ગબલાનાં અસહ્ય ત્રાસથી બિસ્મિલ્લાબીબી અને અબ્દુલશા કંટાળી ગયા હતા અને અસહ્ય ત્રાસ અને રોજેરોજનાં ઝધડાઓથી કંટાળેલા દંપતીએ આખરે પોતાનાં સગા દિકરાની હત્યા કરી નાખી હતી.આ ધટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાઈટઃજે.એન પંચાલ (ડીવાયએસપી) નોંધઃ મૃતકનો ફાઈલ ફોટો પણ ફોલ્ડરમાં છે. બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
6
comment0
Report
NDNavneet Dalwadi
Sept 20, 2025 16:45:06
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૦/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગરમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમ યોજાયો. એન્કર/વિઓ: ભાવનગર ખાતે આજે સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન એરપોર્ટ પર થયું હતું. જ્યાંથી મહિલા કોલેજ સર્કલ પહોચી રોડ શો યોજ્યા બાદ જવાહર મેદાન ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા. આ તકે વડાપ્રધાનના ભવ્ય સ્વાગત બાદ રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટસ દેશને અર્પણ કર્યા હતા. ”ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનું દ્વાર ખોલવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કહ્યું કે ''સો દુ:ખોની એક જ દવા'' અને તે છે આત્મનિર્ભર ભારત, સાથે એમ પણ કહ્યું કે બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સૌથી મોટો અને સાચો શત્રુ છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારતનું કોઇ દૂશ્મન નથી. દૂશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી “આત્મનિર્ભર ભારત” ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે. વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી પસાર થાય છે. ભારતની સામુદ્રિક વિરાસત-ધરોહર ને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે. સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે. જેથી ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે. આ તકે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્પીચ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી. (1/2) વિશેષ: આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોહિલવાડની ધરતી પર પધાર્યા હતા અને તે દેશ માટે 33600 કરોડ ના વિકાસના કામોની ભેટ અર્પણ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમને આપવા ભેટ લઈને બાળકો સભા સ્થળે પહોંચ્યા હતા. જેમાં ભાવનગર કલેકટરની દીકરી જસ્મિકા બંસલ દ્વારા વડાપ્રધાનના નાનપણની તેની માતા સાથેની તસવીરો થી લઈ ને મોટા થયા તેના અલગ અલગ ફોટાની એક ફ્રેમ બનાવી વડાપ્રધાનને દર્શાવતા તેણે તેનો સ્વીકાર કરવા જણાવ્યું હતું, જ્યારે આ તકે નાગધણીબા ગામનો વિદ્યાર્થી રવિ પરમાર કે જે પણ વડાપ્રધાનનું ચિત્ર દોરી તેને ભેટ કરવાની આશ સાથે પહોંચ્યો હતો. ત્યારબાદ તેની તસ્વીર નો પણ પ્રધાનમંત્રીએ સ્વીકાર કરતા વિદ્યાર્થી રવિ પરમાર ભાવુક બન્યો હતો. બાળકોએ બનાવેલી બર્થ ડે ગિફ્ટ પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી સ્વીકારતા બાળકો ભાવુક થયા હતા. બાઈટ: જસ્મિકા બંસલ, ભાવનગર કલેકટરની પુત્રી. બાઈટ: રવિ પરમાર, વિદ્યાર્થી, નાગધણીબા.
2
comment0
Report
TDTEJAS DAVE
Sept 20, 2025 16:16:10
Mehsana, Gujarat:મહેસાણા જિલ્લા ના વિજાપુર ની ક્રાંતિ સભા માં રણસિંગુ ફૂંકાયું માતાપિતા ની સંમતિ વિના ના ભાગેડુ પ્રેમલગ્ન ના વિરોધ માં રણસિંગુ ફૂંકાયું દીકરીઓને ફસાવી લુખ્ખા તત્ત્વો જે પ્રેમલગ્ન કરે છે એ મુદ્દે વિરોધ દર્શાવ્યો પ્રેમલગ્ન માં માતાપિતા ની સંમતિ ફરજિયાત કરવા લડી લેવાની તૈયારી બતાવી વરુણ પટેલે બનાસકાંઠા માં પ્રેમલગ્ન નોંધણી ના રેકેટ નો ઘટસ્ફોટ કર્યો એન્કર :- મહેસાણા જિલ્લા ના વિજાપુર મુકામે વિજાપુર તાલુકા પાટીદાર સમાજ એ ક્રાંતિ સભા નું આયોજન કરવા માં આવ્યું હતું..પાટીદાર અનામત આંદોલન ના વરુણ પટેલ અને દિનેશ બાંભણીયા સહિત સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ માં ક્રાંતિ સભા નું આયોજન કરવા માં આવ્યું હતું.લગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજીયાત કરવા ના મુદ્દે ક્રાંતિ સર્જવા ક્રાંતિ સભા આયોજિત કરાઈ હતી.ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા લગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજિયાત ક્રાંતિ સભા ના માધ્યમ થી ઝુંબેશ શરૂ કરાઇ છે.આ ભાગેડુ પ્રેમલગ્ન અટકાવવા ની ઝુંબેશ અને પ્રેમલગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજીયાત બનાવવા કરવા ની માંગ માં તમામ સમાજ ના આગેવાનો એ માંગ ને વ્યાજબી ઠેરવી સમર્થન જાહેર કર્યું હતું..તો બીજી તરફ પ્રેમલગ્ન નોંધણી માં અનેક જગ્યા એ ચાલતા રેકેટ મુદ્દે વરુણ પટેલે ઘટસ્ફોટ કર્યો હતો...જેમાં બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા આવેલા સમૌના ગ્રામ પંચાયત તલાટી દ્વારા લગ્ન નોંધણી રેકેટ ચલાવવા માં આવતું હોવાનો પાટીદાર આગેવાન વરુણ પટેલે આક્ષેપ સાથે વિગતો રજુ કરી હતી.નાનકડી સમૌના ગ્રામ પંચાયત માં વર્ષ 2020 અને 21 માં 159 જેટલા લગ્નો ની નોંધણી થઈ હતી અને તેમાં પણ નોંધણી કરનાર તલાટી,સાક્ષીઓ કોમન જ હતા..અને જ્યારે તલાટી ની બદલી થઈ તો લગ્ન નોંધણી ઘટી ને વર્ષ 2022 માં 3 અને 2023 માં ફક્ત 2 થઇ ગઇ હતી.આમ,ક્રાંતિ સભા માં આજે લગ્ન નોંધણી માં માતા-પિતા ની સંમતિ ફરજિયાત કરવા રણસિંગુ વિજાપુર ક્રાંતિ સભા માં ફૂંકાયું છે. બાઈટ;-વરુણ પટેલ------પાટીદાર આગેવાન બાઈટ;-દિનેશ બાંભણીયા------ પાટીદાર આગેવાન તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
3
comment0
Report
GPGaurav Patel
Sept 20, 2025 15:46:34
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 15:46:19
Surat, Gujarat:સુરત... સુરત રેલ્વે ની હદમાં ચાલતા મસમોટા જુગારધામ પર smc ની રેડ ઉધના રેલ્વે સ્ટેશન યાર્ડ માં ચાલતા જુગારધામ પર છાપો કુખ્યાત અને લિસ્ટેડ સન્ની ભાસ્કર પાટીલ ના જુગારધામ પર છાપો રેલવે પોલીસની નાક નીચે મસમોટો જુગારધામ,છતાં પોલીસ અજાણ Smc ની રેડ દરમ્યાન સુરત રેલ્વે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ સ્ટેટ મોનીટરીંગ શેલ દ્વારા સ્થળ પરથી 25 જુગારીઓ ની ઝડપી પાડ્યા રોકડા રૂપિયા 2.98 લાખ,22 મોબાઈલ,5 વાહનો મળી 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત મુખ્ય ગેમ્બલર સન્ની ભાસ્કર પાટીલ , અજ્જુઅલી હકીમ અલી સૈયદ,સદ્દામ, ડિકા,સહિત પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા રેલ્વે ની હદમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી હોવા છતાં સ્થાનિક પોલીસની ઊંઘતી ઝડપાઈ
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Sept 20, 2025 13:46:54
Idar, Gujarat:એપૃવલ તપનભાઈ સાબરકાંઠા સ્લગ સભા ફીડ ftp સ્ક્રિપ્ટ 2c 20.09.25 એન્કર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને રાજ્ય સરકારે શહેરી વિકાસ સત્તામંડળ લાગુ કરવાની બે દિવાળી અગાઉ ભેટ આપી હતી. પરંતુ હવે હુડાને લઈ 11 ગામમાંથી કેટલાક લોકોએ ખેડૂતોને આગળ કરીને વિરોધના સૂર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વિઓ01 હિંમતનગર શહેરને હુડાની ભેટ રાજ્ય સરકારે આપી હતી. પરંતુ હવે નક્શો જાહેર થતાં જ 11 ગામોના ખેડૂતો હુડાનો વિરોધ કરી રહ્યા છે.પરબડા, ભોલેશ્વર, સવગઢ, કાટવાડ સહિત ૧૧ ગામોના ખેડૂતોએ હિંમતનગરમાં હુડાનો વિરોધ કરવા આજે હિંમતનગર ના માર્કેટયાર્ડમાં સભા યોજી હતી. સભામાં હુડાનો વિરોધ કરવામાં આવ્યો હતો. હુડાને લઈ હિંમતનગરનો વિકાસ કરવા માટે સરકારે ૨૦ વર્ષના ડેવલપમેન્ટ પ્લાનને રજૂ કરવામાં આવ્યો છે. જેને લઈ ખેડૂતોમાં ખેતીની જમીન કપાઈ જવાની વાત ફેલાવવામાં આવી છે. જેથી ખેડૂતો દ્વારા જમીનના કપાતને લઈ વિરોધનો સૂર સર્જાયો છે. જોકે બીજી તરફ સાબરકાંઠાના અધિક કલેક્ટરે આ ગેરસમજને દૂર કરવા માટેની સ્પષ્ટતા કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતોની કપાત નહીં પણ ઉપયોગમાં લેવાયેલ જમીન સામે જમીનનો ફાઇનલ પ્લોટ આપવામાં આવનાર હોવાની સ્પષ્ટતા કરી હતી. જોકે આમ છતાં કેટલાક લોકો એ ખેડૂતો આગેવાનના રુપે હુડાનો વિરોધ એકઠા થઈને કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યમાં ખેડૂતોએ એકઠા થઈને આગામી સમયમાં આંદોલન કરવાની વાત કરીને હુડાનું શક્તિ પ્રદર્શન હુડા વિરોધી સંકલન સમિતિના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આગામી દિવસમાં વાંધા રજૂ કરશે. બાઈટ-ઉત્સવ પટેલ, આયોજક, હુડા સંકલન સમિતિ બાઈટ-ધીરુભાઈ પટેલ, આયોજક, હુડા વિરોધ સભા શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
7
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 20, 2025 12:31:07
Vadodara, Gujarat:છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકાના હોદેદારોને બચાવવા મેદાને પડ્યા જયારે છોટાઉદેપુર ખાતે નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલના શિસકોઓએ ભાજપ શાસિત નગરપાલિકાના હોદેદારો સામે નાણાં મંગાવનાઓ આરોપ કર્યો હતો જેની લેખિતમાં રજુઆત કરી હતી ત્યારે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે જેમાં એસએફ હાઈસ્કૂલના શિસકો અંગત કારણો તમેજ બીમારના ખોટા રજા રિપોર્ટ મૂકી આપના નેતાઓને મળી ન.પા બદનામ કરવા માટે કરશો રચ્યો છે અને આવા શિસકો ન.પા હોદેદારો પર ખોટા આરોપ કરે છે ત્યારે નગરપાલિકાના હોદેદારો કોઈ પણ પૈસા માંગેલ નથી તેવો પત્ર લખીને શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકાના હોદેદારોને બચવા મેદાને આવ્યા છે ત્યારે સામા પક્ષે યુવરાજસિંહએ જણાવ્યું કે જે શિસકો નગરપાલિકાના હોદેદારોએ પૈસા મંગાવનો આરોપ કર્યો છે તેવા શિસકો સામે જિલ્લા ભાજપ પ્રમુખ પત્ર લખી દબાવવનાઓ પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે રેકોર્ડિંગના પુરાવા હોવા છતાં ભાજપ પ્રમુખ આવા પત્ર લખી ભ્રષ્ટાચાર ને વેગ આપી રહ્યા છે બાઈટ : યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા બાઈટ : અંકુર પંચોલી,શહેર ભાજપ પ્રમુખ છોટાઉદેપુર
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 20, 2025 12:19:21
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_VISHALBHAI BYTE_1 AND VISUAL એન્કર પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે રાજકોટ રૂરલ પોલીસે લાલઆંખ કરી છે.જેતપૂરના થોરાળા ગામે વ્યાજની પઠાણી ઉધરાણી કરતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે વ્યાજખોર સામેની કાર્યવાહી કરીને જિલ્લામાં ગુનાખોરી આચરનારને કડક સંદેશો આપી દીધો છે. વિઓ ૧ વ્યાજખોર સામે કાર્યવાહી પાંચ વ્યાજખોર પોલીસના હવાલે પઠાણી ઉધરાણી પડી વ્યાજખોરોને ભારે પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોને જુઓ.. તેઓના નામ છે જયદિપ મેવાડા, યુવરાજ ખુમાણ,કુલદિપ મકવાણા,વિવેક ખાચર અને રવુ બોરીચા. આ શખ્સો પર આરોપ છે રમેશ ભડેલીયા નામના ફરિયાદીના ઘરે જઇને વ્યાજની પઠાણી ઉધરાણી કરવાનો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જેતપૂર તાલુકાના થોરાળી ગામે રહેતા ફરિયાદી રમેશ ભડેલિયાએ જપદિપ મેવાડા પાસેથી ૩ લાખ રૂપિયા ધાર્મિક કાર્ય માટે ઉછીના લીધા હતા અને આ પેટે ૨ લાખ ૮૦ હજાર રૂપિયા પરત પણ આપી દીધાં હતા પરંતુ જયદિપ મેવાડાએ રમેશ ભેડસિયાને આ રૂપિયા ભુલી જવા અને વ્યાજ સહિત સાડા ચાર લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. જયદિપ અને તેના સાગ્રીતોએ રમેશભાઇ અને તેના પરિવાર પર રૂપિયા આપવા દબાણ કર્યું હતું. તેના ઘરે જઇને તોડફોડ કરી હતી અને રમેશભાઇની પત્નિ સાથે પણ અશભ્ય વર્તન કર્યું હતું. એટલું જ નહિ જયદિપ રમેશભાઇની કાર ઝૂંટવીને તેના સાગ્રીતો સાથે ફરાર થઇ ગયો હતો જે અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. રમેશભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ પાંચેય શખ્સોને પકડી પાડ્યા છે. આ કેસમાં હજુ ત્રણ શખ્સો ઋત્વિક મેવાડા,જયરાજ માંજરીયા અને કુલદિપ ધાંધલ ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. બાઇટ-વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ વિઓ ૨ પોલીસના કહેવા પ્રમાણે આરોપી જયદિપ મેવાડા અને વિવેક ખાચર બંન્ને રીઢા ગુનેગાર છે અને અગાઉ જયદિપ વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં અને વિવેક વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર અંગેની ફરિયાદ નોંધાઇ ચૂકી છે. પોલીસે વ્યાજખોરોને કડક સંદેશો આપતા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને વ્યાજખોરોને તાબે ન થવાં અને જો કોઇ વ્યક્તિ આવા ગુંડાતત્વોનો શિકાર બન્યા હોય અને કોઇ વ્યક્તિ હેરાન કરતા હોય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. બાઇટ- વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ રૂરલ વિઓ ૩ હાલ પોલીસે આ પાંચ શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે આ કેસમાં ફરાર ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ એ તપાસમાં લાગી છે કે વ્યાજખોરીને કારણે લોકોને પરેશાન કરતી આ ટોળકીએ અન્ય કોઇ વ્યક્તિને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ ? જોવાનું રહેશે પોલીસ તપાસમાં શું બહાર આવે છે.જો કે રાજકોટ રૂરલ પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં જરૂર ફફડાટ જોવા મળી રહ્યો છે. બાઇટ- વિજયસિંહ ગુર્જર,એસપી,રાજકોટ રૂરલ સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ
5
comment0
Report
Advertisement
Back to top