icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

अहमदाबाद के शारदा बेन अस्पताल की पुरानी इमारत जर्जर, सुविधाएं नई बिल्डिंग में शिफ्ट होंगी

Ahmedabad, Gujarat:અમદાવાદ શારદા બેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત જૂની બિલ્ડિંગ બંધ કરી વિવિધ સુવિધાઓ અન્ય બિલ્ડિંગમાં ખસેડાશે હાલમાં શારદાબેન હોસ્પિટલે ब्लડ બેંક, સિટી સ્કેન, xray મશીન સેવા બંધ કરાશે 12 જેટલા ઓપરેશન થિયેટર સામે હવે ચાલશે 7 ઓપરેશન થિયેટર સાથે જ હોસ્પિટલ 500 ના બદલે 307 બેડ થશે બોયઝ હોસ્ટેલ પણ જર્જરિત, જ્યાં સુધી અન્ય બિલ્ડિંગ ના મળે ત્યાં સુધી વ્યવસ્થા અહીં જ રહેશે બ 바이ટ ડો. હેતલ વોરા, સુપ્રિટેન્ડેન્ટ શારદાબેન હોસ્પિટલ Ahmedabad એલ જી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ સેવા શરૂ કરાઈ પહેલ આઠ કોલ્ડ સ્ટોરેજ હતા હવે 18 કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવામાં આવશે અતિયાર સુધી પૂર્વ ના લોકોને vs, સોલા અને અસર્ક સિવિલ સુધી જવું પડતું હતું બાઇટ : ચાંદની પટેલ, ચેરમેન - હોસ્પિટલ કમિટી AMC
0
0
Report
Advertisement

पटण-मेहसाणा- बनासकांઠा मंदिर चोरी गैंग गिरफ्तार, 6.70 लाख का माल जब्त

Patan, Gujarat:પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાજીમાં મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો પાટણ LCB અને સ્થાનિક પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસેએ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹6.70 લાખથી વધુનો મૂદામ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે 22 જેટલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લા માં ઘર ફોડ ચોરી ની ઘટનાઓ અનેક સામે આવી છે પણ હવે ચોર ટોળકીએ ભગવાન ને પણ છોડ્યા નથી. ચોર ટોળકીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા મંદિરોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના ની ચોરી ને અંજામ આપવા સફળ રહ્યા છે પણ પોલીસે આ ચોર ટોળકી ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાડાયેલા આરોપીઓમાં કલ્યાણા ગામના આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પાત્રણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાંમાં આવેલા આશરે 22 મંદિરોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹6,70,584નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાળ પોલીસ 22 જેટલા મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બાઈટ. પરેશ રેણુકા. ડીવાય એસપી પાટણ
0
0
Report

बनासकांठा में FRC ने पलनपुर की श्रीराम विद्यालय पर 15 लाख का जुर्माना लगाया

Palanpur, Gujarat:બનાસકાંઠા... પાલનપુરની શ્રીરામ વિદ્યાલય સામે FRCની મોટી કાર્યવાહી.. ગેરકાયદે તેમજ રોકડમાં ફી ઉઘરાવવાના મામલે શ્રીરામ વિદ્યાલયને ₹15 લાખનો દંડ ફટકારાયો.. વાલીઓની લેખિત ફરિયાદને આધારે અમદાવાદ ફી રેગ્યુલેટરી કમિટીએ હાથ ધરેલી તપાસ બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી.. નક્કી કરાયેલી ફી કરતાં વધુ રકમ વસૂલવાના અને રોકડમાં ફી લેવાના મામલે FRCનો સૌથી મોટો દંડ.. વાલીઓની રજૂઆત બાદ શાળાની ફી વસૂલાત અંગે થયેલી તપાસમાં નિયમભંગ સામે આવતા કાર્યવાહી.. બાઈટ-વિનુભાઈ પટેલ-જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા
0
0
Report

गांव की माताओं के लिए आंगनवाड़ी कर्मी ने छह माह तक स्तनपान जरूरी बताया

Godhra, Gujarat:ગામડાઓમાં મહિલાઓ અને બાળકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો પાયાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ખાસ કરીને નવજાત બાળકની સંભાળ, યોગ્ય બાળ ઉછેર અને પૌષ્ટિક આહાર અંગે ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યકરો ઘરે-ઘરે જઈને માર્ગદર્શન આપી રહ્યા છે. બાળકના જન્મથી લઈને પ્રથમ ૬ મહિના સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું કેટલું જરૂરી છે, તે અંગે માતાઓને વિગતવાર સમજણ આપવામાં આવે છે. આંગણવાડી કાર્યકરો ગામમાં ઘરે-ઘરે જઈને સગર્ભા અને ધાત્રી માતાઓને બાળકના યોગ્ય ઉછેર વિશે માહિતી આપે છે અને તેમને સમજાવે છે કે નવજાત બાળક માટે પ્રથમ ૬ મહિના સુધી માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર છે અને તે બાળકને રોગપ્રતિકારક શક્તિ આપે છે, તે અંગે આંગણવાડી કાર્યકરો માતાઓને ખાસ સમજ આપે છે. આ ઉપરાંત ૬ મહિના પછી બાળકને કેવો પોષક આહાર આપવો, આંગણવાડીમાંથી મળતા પૌષ્ટિક આહારનો ઉપયોગ કેવી રીતે કરવો અને બાળકની સ્વચ્છતા કેવી રીતે રાખવી તેની પૂરી જાણકારી આપે છે જેથી માતા અને બાળક નો સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. ગામડાના છેવાડાના ઘર સુધી પહોંચીને મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે આંગણવાડી અને આશા વર્કરો પાયાની ઈંટ સાબિત થઈ રહ્યા છે.
0
0
Report
Advertisement

headline

Vapi, Gujarat:લોકેશન - વાપી વલસાડ ફિડ - એન્કર- દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 17 સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે. ત્યારે દેશભરમાં તેમના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.. ત્યારે ગુજરાતના વાપીમાં રહેતી માત્ર 15 વર્ષની બાળકી દિવ્યા તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને એક અનોખી પહેલ કરી છે.. ધોરણ નવોમાં અભ્યાસ કરતી દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા વ્યક્ત કરતી હોય છે અને વડાપ્રધાન મોદી માટે ભોજપુરી ભાષામાં ખાસ ગીત લખ્યું છે. આ ગીત હcurrently વાપીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગંભીર અહેવાલની વિગતો નીચે આપેલી છે. વી.ઓ-1 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે દિવ્યાએ આ ગીત તૈયાર કર્યું છે.. મોદીજીના જન્મદિવસને ખાસ બનાવવાના હેતુથી લખાયેલા આ ગીતમાં દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી અને દેશ માટેના તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો છે.. મોદીજી માટે ગીત લખવાનો વિચાર કેવી રીતે આવ્યો.. અને આ ગીત પાછળની તેની લાગણી શું છે.. તે સાંભળીએ દિવ્યા પાસેથી.. બાઈટ- દિવ્યા તિવારી, વાપી વી.ઓ- વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા આ ગીતમાં દિવ્યાએ મોદીજીની કામગીરી અને તેમના પ્રત્યેની પોતાની પ્રશંસા વ્યક્ત કરી છે.. નાની ઉંમરમાં જ દેશના વડાપ્રધાન માટે ગીત લખવાની આ પહેલને લઈને દિવ્યાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને તેમની કામગીરીથી પ્રભાવિત થઈને એક હિંદી ગીત પણ લખ્યું છે.. જેમાં તેણે મોદીજીની કામગીરી અને તેમની છબીને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે.. બાઈટ - દિવ્યા તિવારી, નાનીકોટડી ગીતકાર વી.ઓ- વાપીની 15 વર્ષની દિવ્ય નાની ઉંમરમાં જ પોતાની પ્રતિભાથી દેશના વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો આ અનોખો પ્રયાસ છે..ભોજપુરી અને હિન્દી ભાષામાં લખાયેલા આ ગીતો દ્વારા દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરી છે.. દિવ્યાના ગીતોને લઈને તેના પરિવારજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. તો વાપીમાં પણ નાનકડી ગીતકારની આ પહેલની ચર્ચા ચાલી રહી છે.. બાઈટ -પ્રવીણ તિવારી દિવ્યા ના પિતાજી વી.ઓ- આમ, વાપીની 15 વર્ષની દિવ્યા તિવારીએ પોતાની આગવી પ્રતિભા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો છે.. નાનકડી ઉંમરમાં લખાયેલા આ ગીતો દ્વારા દિવ્યાએ મોદીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. નિલેશ જોશી જી મીડિઆ વાપી.
0
0
Report

साबरकांठा में मातृशक्ति-बालशक्ति योजनाओं से गर्भवती व धात्री महिलाओं को पोषण सहायता

Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં આ યોજનાઓનો लाभ મોટી સંખ્યામાં લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. માતૃશક્તિ યોજના અંતર્ગત પોષણયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે. આ યોજનાઓથી માતા અને બાળકના પોષણમાં કેવી રીતે મદદ મળી રહી છે તે અંગે અહેવાલમાં વિગતવાર દર્શાવવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો મારફતે માતા અને બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. જિલ્લાની આશરે 6,175 સગર્ભા અને 4,200 ધાત્રી માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ લાભ મળી રહ્યો છે, જ્યારે 3 થી 6 વર્ષના આશરે 44,400 બાળકોને બાલશક્તિ યોજનાનો લાભ મળ્યો છે. માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધારતી માતાઓને દર મહિને ચાર ટેક હોમ રેશનના પેકેટ આપવામાં આવે છે. આ પેકેટમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવી અને તેમાં રહેલા પોષક તત્વો અંગે આંગણવાડી કાર્યકરો દ્વારા માતાઓને માર્ગદર્શન આપવામાં આવે છે. માતાના પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ બાદના પોષણને ધ્યાનમાં રાખીને આ આહાર આપવામાં આવે છે. બાળકો છ માસના થાય ત્યાં સુધી પોષણયુક્ત આહાર લેવો જોઈએ, ત્યારબાદ છ માસ બાદ પુરક આહાર માટે બાલશક્તિ યોજના મુજબ દર મહિને سات પેકેટ મળે છે. આ પેકેટમાંથી રાબ, શીરો, સુખડી, થેપલા, મુકથિયા જેવા હાઇપોષક વાનગીઓ બનાવીને બાળકની ઉંમર અને પસંદગીને જોતા ખવડાવવામાં આવે છે. બાળકને પોષણયુક્ત આહાર આપવામાં આવે અને યોજનાથી મળતા લાભ અંગેના અનુભવનું વર્ણન પણ અહીં કરવામાં આવે છે. આ યોજનાઓનો અમલ આદિજાતિ વિસ્તારોમાં પણ કરવામાં આવે છે અને બાળકો સાથે યોગ્ય દૂધની સપ્લાય પણ જરૂરીયાત મુજબ પૂરી કરતી નથી.
0
0
Report
Advertisement

धरमपुर के आदिवासियों के जमीन हक के लिए किसान उबाल, न्याय सभा में भीड़

Valsad, Gujarat:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી ખેડૂતોએ પોતાની હકની જમીન બચાવવા હવે આરપારની લડાઈના મૂડમાં છે. વર્ષોથી જંગલ અને સીરપડતર જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતને અચાનક વહીવટી તંત્ર દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોને ખેતરતી અટથીાવવાની આ કાર્યવાહી વિરોધમાં વાંસડાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાણીમાં સિંદૂમ્બર ખાતે એક વિશાળ 'ન્યાય સભા' યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા સિંદૂમ્બર ગામે આદિવાસી સમાજના ખેડૂતનો આક્રોશ જોવા મળ્યો. અહીંના ખેડૂતોએ પેઢીઓથી, તેમના પાપ-દાદાના સમયથી જંગલની અને સીરપડતર જમીન પર ખેતી કરીને તેમના પરિવારનું પેટ પાળે છે. પરંતુ તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા આ ખેડૂતને નોટિસો આપીને જમીન ખાલી કરવા જણાવતા ખેડૂતોમાં રોષ જોવા મળી હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી તેઓ આ જમીનમાં નિર્ભર છે, ત્યારે અચાનક તેમને બેદાખલ કરવાથી તેમની અર્જિવિકા છીનવાઈ જશે અને તેમના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશે. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્રારા ખેડૂતને તેમનો હક અપાવવા સિન્દૂમ્બર ખાતે ન્યાય સભા યોજી હતી. અનંત પટેલે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે ખેડૂત સીરપડતર જમીનનું દર વર્ષે રીિન્યૂઅલ કરાવતા હતા, તેમને હવે મામલતદાર દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે. સાથે જઈ જંગલની જમીન પર પણ વહીવટી તંત્ર દ્વારા પ્લાન્ટેશન કરવાના બહાને આદિવાસીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો રહ્યો છે. અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે સરકાર આદિવાસીઓની જમીન ઉદ્યોગપતિઓને પધરાવવા માંગે છે, જે કોઈ કાળે ચલાવી લેવાશે નહીં. સાથે આદિવાસી આગેવાનો અને ખેડૂત હવે આરપારની લડાઈના મૂડમાં છે. મામલતદાર કચેરી ખાતે યોજાનારી લોકસુનાવણીમાં અસરગ્રસ્ત તમામ ખેડૂત ભેગા થઈને પહોંચશે અને તંત્ર પાસેથી જવાબ માંગશે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ તેમની એક ઇંચ પણ જમીન ಸರ್ಕಾರને સોંપશે નહીં. જો મામલતદાર કચેરીથી તેમને યોગ્ય ન્યાય ન મળે, તો આગામી દિવસોમાં માત્ર ધરમપુર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત સ્તરે જંગલ જમીન અને સીરપડતર જમીનના પ્રશ્ને એક ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
0
0
Report

जयम नगर में कृत्रिम विसर्जन कुंडों में गणेश मूर्तियों का सुरक्षित विदाई क्रम शुरू

Jamnagar, Gujarat:જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાનગરપાલಿಕಾ દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા બે વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિદાયનો ક્રમ શરૂ થયો છે. ગણેશ ચતુર્થીના પર્વે સ્થાપના કરવામાં આવેલા ગણપતિજીની એક દિવસ બાદ વિસર્જન કરવાની પરંપરા અંતર્ગત આ تائينમાં શહેરના બે વિસર્જન કુંડમાં કુલ ૬૮ ગણેશ મૂર્તિઓનો વિસર્જન કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વિસર્જન વેळાએ બનતી ઘટનાઓ ન બને તે માટે અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે હેતુથી આ કૃત્રિમ વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં મનપા દ્વારા સર્જીત કૃત્રિમ વિસર્જન કુંડમાં ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરા એમ બંને વિસર્જન કુંડ ખાતે મળીને કુલ ૬૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં ૫૧ અને સરદાર રિવેરા કુંડમાં ૧૭ મૂર્તિઓનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કુંડનો ગણેશ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની વિદાયની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે થાય તે માટે નિર્ધૃત વિસર્જન કુંડમાં જ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના આ વિસ્તારમાં રહેતા ગણેશ ભક્તો તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ગણેશજીની મૂર્તિઓ લઈને વિસર્જન માટે પહોંચ્યા હતા. ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર તથા વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધૃત કુંડ ખાતે લાવવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિજીની મૂર્તિઓના સુવ્યવસ્થિત અને સલામત વિસર્જન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત ટેક્નોલોજી આધારિત નવીન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શહેરમાં તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે ગણપતિ મંડળોના સંચાલકો, પંડાલ સંચાલકો તેમજ ઘરમાં ગણપતિજીની સ્થાપના કરનારા આયોજકો માટે સ્થળ પર જ ડિજिटल રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top