Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
गुजरात में पोस्टर विवाद: BJP के दो गुट क्यों सक्रिय?
GPGaurav Patel
Sept 27, 2025 09:45:42
Ahmedabad, Gujarat
\B\Iભાજપમાંથી પ્રતિક્રિયાની સંપૂર્ણ ના પાડી છે યજ્ઞેશ દવે સાથે વાત થઈ છે\I\B ગુજરાતમાં લાગેલાં આવ લવ મોહમ્મદ ના પોસ્ટર અને વિવાદ પર ઇશુદાન ગઢવીનું નિવેદન જ્યારે જ્યારે ભાજપની લોકપ્રિયતા ઘટે નિષ્ફળતા ઉજાગર થાય ત્યારે ભાજપ બે જુથને સક્રિય કરે ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે ગુજરાતમાં ગણેશ મહોત્સવ કે રામનવમી યોગ્ય રીતે ઉજવવાતી નથી વિવાદાસ્પદ પોસ્ટર લગાડવાના કામ ભાજપાના જુથ દ્વારાજ થાય છે રાજ્યમાં ગણેશ મહોત્સવ દરમ્યાન પથ્થર મારો થયો જે ભાજપાના સાંસદ સાથે મળેલા હતા ભાજપ આ પ્રકારના હથકંડા અપનાવે છે જેથી પ્રજા મુળ મુદ્દા ભુલી જાય ભાજપ બંને જુથને ઝઘડાવી મુદ્દા ઉભા કરે છે ભાજપમાં તાકાત નથી કે તે ગુજરાતમાં આવા વિવાદાસ્પદ પોસ્ટર અટકાવે ભાજપનો શાસન ચલાવતા નથી આવડતું રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજીનામું આપે ઇસુદાન ગઢવીને ૨૪ કલાક આપો ગણેશ મહોત્સવ કે અન્ય તહેવારમાં પથ્થરમારો નહીં થાય આજે સ્થિતિ એ છે કે ગુજરાતમાં તહેવાર ઉજવી શકાતો નથી આજે ૩૦ વર્ષે પણ ભાજપ ગુજરાતને સુરક્ષીત નથી કરી શક્યું કા તો ભાજપ જાતે પોસ્ટર લગાડે છે અથવા તો તેને અટકાવવાની ભાજપની તાકાત નથી બાઇટ ઇશુદાન ગઢવી પ્રમુખ આપ ગુજરાત
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 27, 2025 11:15:10
0
comment0
Report
DPDhaval Parekh
Sept 27, 2025 10:50:05
Navsari, Gujarat:એપ્રુવડ બાય : તપનભાઈ સ્લગ : NVS RAPE CHARGESHIT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 27 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના બીલીમોરામાં ઈન્સ્ટાગ્રામ થકી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી એની સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમની ધરપકડ બાદ તેની સામે 10 દિવસમાં જ તમામ પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી, પીડિતાને વહેલો ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે. વી/ઓ : નવસારીના બીલીમોરા શહેર નજીકના એક ગામડાની 15 વર્ષીય સગીરાને મૂળ ઉત્તરપ્રદેશના અને બીલીમોરા ચીખલી માર્ગના એક ગામડામાં સંબંધીના હેર સેલૂનમાં કામ કરતા સદ્દામ હુસૈન રમજાન સલમાનીએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી હતી. સગીરા તેની નજીકમાં જ રહેતી હોવાથી તેની સાથે મુલાકાતો શરૂ કરી અને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં નરાધમ સદ્દામ હુસૈને પીડિતાને લગ્નની લાલચ આપી, તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના થકી પીડિતાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ એ મુદ્દે સગીરાએ પોતાના પરિવારથી વાત છુપાવી હતી. બીજી તરફ ગર્ભ રહ્યા બાદ પણ સગીરાના શરીરમાં કોઈ બદલાવ જણાયો ન હતો. જેમાં ગર્ભ અંદાજે 7 મહિનાનો થઈ ગયો હતો. દરમિયાન ગત 15 સપ્ટેમ્બર પૂર્વે સગીરાને રાત્રિના સમયે પેટમાં અચાનક દર્દ ઉપડતા, પોતાના ઘરના બાથરૂમમાં ગઈ હતી. જ્યાં અચાનક તેને પ્રસૂતિ જેવી જ પીડા ઉપડી અને ગર્ભપાત થઈ ગયો હતો. દીકરીની સ્થિતિ જોતા પરિવાર હેબતાઈ ગયો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી હતી. સાથે જ મૃત ગર્ભ બાબતે તેની પૂછપરછ કરતા સદ્દામ હુસૈન સલમાનીનું નામ સામે આવ્યું હતું. સમગ્ર મુદ્દે પરિવારે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર સદ્દામ હુસૈનની ધરપકડ કરી, તેનો જાહેરમાં વરઘોડો કાઢી સબક શીખવ્યો હતો. જ્યારે ગુનાની ગંભીરતા સમજી બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં મૃતક ભૃણ અને આરોપીના DNA નું સુરત FSL માં પરીક્ષણ કરાવતા બંને DNA મળ્યા હતા. જેની સાથે જ પોલીસે વૈજ્ઞાનિક, સાંયોગિક, ટેકનિકલ અને મેન્યુઅલ પુરાવાઓ સાથે સંબંધિતોના નિવેદનો નોંધી 250 પાનાંની ચાર્જશીટ 10 જ દિવસમાં નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. જેની સાથે જ પીડિતાને વહેલો ન્યાય મળે એ દિશામાં ગુજરાત સરકારના 0 ટોલરન્સના સંકલ્પને પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Sept 27, 2025 10:48:52
Dahod, Gujarat:સ્લગ- લૂંટના આરોપી ઝડપાયા એન્કર- બંદૂક બતાવી લૂંટને અંજામ આપતા આમલી ખજુરીયા ગેંગના સગા બે ભાઈઓ ઝડપાયા વીઓ 1- દાહોદના નવાગામ નજીક થયેલી મહિલા જોડેની લૂંટના ખજુરિયા ગેંગના 2 આરોપીઓને લૂંટેલા સોનાના દાગીના સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા.દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ, ધાડ, બાઈક ચોરી અને ઘરફોડ ચોરીઓની ઘટનાઓ બનતી રહી છે. જેમાં કેટલાક બનાવોમાં આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળતી હોય છે. તેવી જ રીતે દાહોદ જિલ્લાના નવાગામ અને જુનાપાણી ગામ નજીક બંદૂકની અણીએ બનેલી લૂંટની ઘટનાએ દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી. વીઓ 2- તેને લઈને પોલીસ દ્વારા LCB, SOG સહિતની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.જેમાં બંદૂક બતાવી અવાવરું જગ્યાના એકલદોકલ રસ્તાઓ ઉપર નકાબપોષ બનીને ખાસ કરીને મહિલાઓને લૂંટતી ગેંગના સભ્યોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. વીઓ 3- 18 દિવસ અગાઉ દાહોદ જિલ્લાના નવાગામના ઉગમણા ફળીયા નજીક રાજન સળિયા પલાસ અને તેના અન્ય 4 સાગરીતો સાથે બે મોટરસાઇકલ પર આવ્યા હતા. એક યુવક તેની પત્નીને લઈને બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેની બાઈક રોકી તમંચો બતાવ્યો હતો. ત્યારબાદ બાઈક ચાલકની પત્નીના ગળામાં પહેરેલો સોનાનો દોરો અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ તેમજ બાઈક ચાલક પાસેથી રોકડા રૂપિયા પડાવી ભાગી ગયા હતા. વીઓ 4- તેના બાદ,6 દિવસ પહેલાં રાજન સળિયા પલાસ અને દીવાન સળિયા પલાસ – આ બંને ભાઈઓ અને તેમનો એક સાગરિત મળી GJ20 AN 5931 નંબરની બાઈક પર સવાર થઈ, અને તેમના બીજા સાગરિતની બાઈક લઈને લૂંટના ઇરાદે નીકળ્યા હતા. કતવારા પોલીસ સ્ટેશન હદમાં આવેલા જુનાપાણી ગામ નજીક, રંભાપૂર ગામેથી બાઈક પર સવાર થઈ દાહોદ હોસ્પિટલના કામે માતા અને પુત્ર જઈ રહ્યા હતા.તે સમયે બે બાઈકો પર આવેલા ત્રણ લોકોએ બંદૂક બતાવી તેમને લૂંટી લીધા હતા. બાઈક ચાલક પુત્ર મહેશ રૂપસિંગ સાબલીયાને બંદૂક બતાવી રોકાવી તેની પાસેથી રોકડા રૂપિયા લઈ લીધા હતા.ત્યારબાદ બાઈક પાછળ બેઠેલી તેની 65 વર્ષીય માતા સનુબેન રૂપસિંગ સાબલીયાને બંદૂક બતાવી તેના ગળામાં પહેરેલો સોનાનો મંગળસૂત્ર અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ ધોળા દિવસે લૂંટી લીધા હતા. વીઓ 5- આ બનાવને લઈને કતવારા પોલીસ, LCB, SOG તેમજ ડિવિઝનના DYSP પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ લૂંટની ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો. પોલીસએ અલગ અલગ ટીમો બનાવીને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ ચલાવતી ખજુરિયા ગેંગના સભ્યોને ખાનગી બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. વીઓ 6- આમાં રાજન પલાસનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. તેણે અગાઉ દાહોદ જિલ્લાના જેસાવાડા, ગરબાડા, ફતેપુરા, દાહોદ ટાઉન બી ડિવિઝન, લીમખેડા જેવા પોલીસ મથકોની હદમાં હત્યા, લૂંટ, ઘરફોડ, ચોરી અને મારામારી જેવા ગુનાઓને અંજામ આપ્યો છે. તેનો બીજો પકડાયેલો ભાઈ દીવાન પલાસનો પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે. તેણે પણ દાહોદ જિલ્લાના જેસાવાડા, રણધીકપુર, ફતેપુરા, દાહોદ રૂરલ, લીમડી, પીપલોદ અને દાહોદ ટાઉન બી ડિવિઝન જેવા પોલીસ મથકોની હદમાં હત્યા, લૂંટ, ઘરફોડ, ચોરી અને મારામારી જેવા ગુનાઓને અંજામ આપ્યો છે. વીઓ 7- પકડાયેલા ખજુરિયા ગેંગના સભ્યોની મોડસ ઓપરંડી એવી છે કે તેઓ પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમ્યાન બંધ મકાનોની રેકી કરે છે. નક્કી કરેલા ટાર્ગેટ મુજબ રાત્રે બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી ઘરફોડ ચોરી કરે છે. તેમજ એકાંત રસ્તાઓ પર અવરજવર કરતા રાહદારીઓને રોકી, બંદૂકની અણીએ સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી નાસી જવાની ટેવ ધરાવે છે. બાઈટ- રવિરાજસિંહ જાડેજા (દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક)
0
comment0
Report
PTPremal Trivedi
Sept 27, 2025 10:48:09
Patan, Gujarat:એન્કર.. પાટણ જિલ્લા ખરીદ અને વેચાણ સંઘ ની આજ રોજ 25 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મંત્રી બળવંત સિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મુકવામા આવ્યો હતો તો સાથે સહકારી ક્ષેત્રમા છેલ્લા વર્ષો મા ઘણી પ્રગતિ કરવામાં આવી છે અને આગળ પણ શું કરી શકાય તે અંગે માર્ગ દર્શન પૂરું પાડવામા આવ્યું હતું વીઓ.. પાટણ ખાતે આજે પાટણ જિલ્લા ખરીદ અને વેચાણ સંઘ લી. ની 25 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને 25 મી સાધારણ સભા મળી હતી જેમાં ઝેર મુક્ત અનાજ માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવામાં આવ્યો હતો રાજ્ય પાલ જ્યારે ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે ખેડૂતોએ પણ તે તરફ આગળ વધી સારુ અનાજ મળી રહે તે માટે ના પ્રયત્નો કરવા આહવાન કરવામાં આવ્યું હતું સાથેજ સહકારી ક્ષેત્ર મા અનેક ઘણી પ્રગતિ થઇ છે અને આગળ પણ શું કરી શકાય તેમાટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી તો સાથે ખેડૂતો ના વિવિધ પ્રશ્નો અંગે પણ વાર્તા લાપ કરવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી બાળવંત સિંહ રાજપુતે જણાવ્યું હતું કે આજે જિલ્લાસંઘ ની 25 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમા જિલ્લા ના તમામ ખેડૂત આગેવાનો, સભ્યો મોટી સંખ્યા મા હાજર રહ્યાં આજે આ સંસ્થા ને 25 વર્ષ પૂર્ણ થયાં તમામ લોકો નો સારો સહકાર મળ્યો તેમનો દિલ થી આભાર વ્યક્ત કરું છું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ સમગ્ર ભારત મા સહકાર 2021 મા આખું ખાતું આપડું ડેવલોપમેન્ટ કર્યું છે જેમાં ગૃહ મંત્રી અમિત શાહ ને સહકાર મંત્રી તરીકે ની જવાબદારી આપી છે ત્યારે છેલ્લા ચાર વર્ષ મા આ ક્ષેત્ર મા અનેક ઘણો જોશ નો વધારો થયો છે સહકાર મા અનેક ઘણી શું પ્રવૃત્તિ કરી શકાય જેના થકી ખેડૂતો ને લાભ થઇ શકે ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ મળી રહે છે તેમાં કેવી રીતે વધારો થાય એને કેવા પ્રકાર નું માર્ગ દર્શન આપી શકાય તે માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે કરી રહી છે આગામી સમય મા ઉત્તર ગુજરાત મા અનેક એગ્રો પાર્ક બનશે જેને લઇ ગુજરાત અને ઉત્તર ગુજરાત ના ખેડૂતો ને મોટો ફાયદો થવા નો છે તેમ જણાવ્યું હતું બાઈટ. 1.બળવંત સિંહ રાજપૂત. મંત્રી બાઈટ 2.કરશનસિંહ જાડેજા . ખેડૂત બાઈટ 3.મનીષ ભાઈ પ્રજાપતિ. ખેડૂત
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 27, 2025 10:06:07
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_GAURAVBHAI BYTE_1_AND_VISUAL એંકર... રાજકોટના નીલ સિટી ક્લબમાં હિન્દુ સંગઠનો સાથે ઇન્દ્રનીલ રાજયગુરૂની બબાલનો મામલો... નીલ સિટી ક્લબમાં વિધર્મી મામલે ચેકીંગ જેવા ગયેલ પરેશભાઈ રૂપારેલિયાનું નિવેદન..અમે બધાજ ડાંડીયા આયોજનમાં વિધર્મીને એન્ટ્રી આપવામાં આવે છે કે નહીં તેને લઈ ચેકીંગ કરવા જતા હોઈએ છીએ જેના ભાગ રૂપે અમે ગઈકાલ નીલ સિટી ક્લબમાં પણ ગયા હતા... નીલ સિટી કલબ વિધર્મી એન્ટ્રી ને લઈ ચેકીંગ કરવા જતા ત્યાંના આયોજક ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ સાથે બબાલ થઈ હતી તેમણે ઘર્ષણ કરવા જેવું વર્તન કર્યું હતું.. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ કહ્યું કે તમે ભાજપના હાથા બનીને આવ્યા છો તો મારું કહેવું છે અમે કોઈના હાથા નથી vhp સ્વતંત્ર હિંદુવાદી સંગઠન છે અને રહેશે... ડાંડીયામાં વિધર્મીના આવવાથી લવજીહાદના બનાવો વધે છે..ઇન્દ્રનીલ ભાઈ એ એવું કહ્યું હતું કે અંદર ૧૫૦ વિધર્મી છે તમે સામનો કરી શકશો તો મારું કહેવું એવું હતું કે ૧૫૦ નહીં વધુ હશે તો પણ vhp તેની સાથે ઘર્ષણ કરવા તૈયાર છે ... બાઈટ: પરેશભાઈ રૂપારેલિયા
0
comment0
Report
MDMustak Dal
Sept 27, 2025 10:04:44
Jamnagar, Gujarat:તા.27-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : મણિયારો રાસ (પ્રાચીન ગરબી) Slug : 2709 ZK JMR MANIYARO RAAS ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા છેલ્લા 35 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગઢવી સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ જ્યારે પુરુષ દ્વારા વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ રમવામાં આવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. વીઓ 1: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં એવા અનેક શેરી ગરબા છે જેનું છેલ્લા 30 થી 50 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આજે પણ અહીં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આવા જ એક ગરબાનું આયોજન આઇ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ તથા પુરુષો દ્વારા મણિયારા રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. વીઓ 2: જામનગરના દિગ્વિજય પ્લોટ 49 ના છેડે સ્થિત સોનલ માં મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મણિયારો રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે. મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર રસનો રાસ છે. મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાઈ છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે. વીઓ 3: યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે જેને વીરરસ કહેવામાં આવે છે. આ મણિયારો રાસ જોવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. બાઈટ 1: દેવીદાન ગઢવી, પ્રમુખ , આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ બાઈટ 2: મયુરદાન ગઢવી, ખેલૈયા બાઈટ 3: રાહુલ ગઢવી, ખેલૈયા
0
comment0
Report
BPBurhan pathan
Sept 27, 2025 09:47:27
Anand, Gujarat:એન્કરઃ માં આદ્યશક્તિની આરાધના નવરાત્રીમાં હવે ગરબા પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા છે. ત્યારે આણંદ શહેરમાં જીટોડીયા રોડ પર આવેલી વિશ્રુત પાર્ક સોસાયટીમાં વર્ષોથી પરંપરાગત સોસાયટી ગરબાઓ જળવાઈ રહ્યા છે,અને ઝાકઝમોળ શેરી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. વીઓઃ- આણંદ શહેરની વિશ્રુત સોસાયટીમાં ગરબાનુંં આયોજન કરવામાં આવે છે,જેમાં સોસાયટીમાં રહેતી મહિલાઓ,.યુવતી અને યુવકો બાળકો ગરબાની રમઝટ બોલાવે છે,મહિલાઓનું કહેવું છે કે જે મજા પોતાનાં લોકોની વચ્ચે રહીને ગરબા રમવામાં આવે છે,એટલો આનંદ પાર્ટી પ્લોટનાં ગરબામાં આવતો નથી,શેરી અને સોસાયટી ગરબાઓમાં જે મઝા છે,તે કયાંય નથી જેથી અમો અમારી સોસાયટીમાંજ સાથે ભેગા મળીને ગરબા રમવાનો આનંદ માણીયે છીએ.અહીયાં બાળાઓ તેમજ વ્યસ્ક મહિલાાઓ પણ ગરબામાં જોડાય છે,અને માથા પર માંડવી લઈને ગરબાની રમઝટ માણે છે,જયારે પરિવારનાં વડીલો પણ બેસીને ગરબા જુવે છે,જેનાં કારણે પોતીકાઓની વચ્ચે ગરબાની મઝા જ કંઈ ઓર હોય છે,.દર વર્ષે પરંપરા અનુસાર અહીયાં શેરી ગરબાની રમઝટ જામી રહી છે, બાઈટઃ તોરલ પટેલ (સ્થાનિક) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 27, 2025 09:47:10
Surat, Gujarat:એન્કર... દિવ્યાંગ જેને (પ્રભુજી) તરીકે ઉપનામ સુરતની સામાજિક સેવાકિય સંસ્થા આપ્યું છે. સંસ્થામાં રહેતા શારીરિક તેમક માનસીક દિવ્યાંગો ને ગરબા રમવા માટે આમંત્રિત કરાયા હતાં, સંસ્થા આગેવાનો મોટી સંખ્યામાં દિવ્યાંગો ને લઈ ને ગરબે ઘૂમ્યા, દિવ્યાંગોને પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમતા અનોખી ખુશી જોવા મળી. સુરત ના કીમ ગામે સંસ્થા ની સેવાકિય કાર્યને લોકો સુધી પહોંચવા હિતેચ્છુએ દિવ્યાંગો સાથે ગરબા રમી નવરાત્રીની અનોખી ઉજવણી કરી. વિઓ... નવરાત્રી માં આમ તો આયોજકો ગરબા રસિકો માટે સેલિબ્રિટી સ્ટાર્સ ને બોલાવતા જોવા મળે છે. પરંતુ સુરત ના કીમ ગામે શેરી ગરબા માં દિવ્યાંગ (પ્રભુજી) ઓને બોલાવવામાં આવ્યા હતા. કીમ ગામે આવેલા સ્વાગત રો હાઉસ સોસાયટીમાં માં શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સેવા કાર્ય નો અનોખો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે દિવ્યાંગો ને ગરબા રમવા માટે બોલાવવા માં આવ્યા હતા. કામરેજ ખાતે આવેલ આશીર્વાદ માનવ સેવા મંદિર માં દિવ્યાંગો ની સેવા કરવામાં આવે છે. બિનવારસી માનસીક શારીરિક દિવ્યાંગ લોકો ની સેવા કરવામાં આવે છે. સંસ્થા માં અનેક દિવ્યાંગો ને સેવા આપવામાં આવી રહી છે. આજ સેવાકીય કાર્યથી પ્રભાવિત થયેલ કીમ રહીસે દિવ્યાંગો ને ગરબા રમવા માટે સંસ્થા ના સંચાલક ને રજુઆત કરી હતી. મુખ્યત્વે ભીડભાડ વારી જગ્યાએ આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગો ને લઈ ને જવું તેમના સાચવવા ખુબજ મુશ્કેલી રહેતી હોય છે. પરંતુ સોસાયટીમાં ના સંચાલકોએ આ તમામ દિવ્યાંગો ને સાચવવા જવાબદારી લીધી હતી. અને તેમના સેવાકીય કાર્ય ને તેમજ પરંપરાગત ગરબા સાથે સેવાકીય કાર્ય ને લોકો સુધી પહોંચાડવા નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે બોલાવવામાં આવ્યા હતા. ૮૦ જેટલા દિવ્યાંગ (પ્રભુજી) સાથે શેરી ગરબા ખાતે પહોંચ્યા હતા. પરંપરાગત પરિધાન સાથે દિવ્યાંગો ગરબે ગુમતા જોવા મળ્યા હતા. ગરબે ગુમતા દિવ્યાંગો અને તેમને જોનારા તમામ લોકોના મુખ પાર અનોખી હર્ષ ખુશી ની લાગણીઓ જોવા મળી હતી. બાઈટ :- દિનેશ ભાઈ હીરપરા (શેરી ગરબા આયોજક-કીમ)
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 27, 2025 09:46:53
Surat, Gujarat:સુરત મહિલા સશક્તિકરણ માટે સુરત મનપાનું મોટું પગલું ગુજરાતમાં સૌપ્રથમ ‘વુમન વેજીટેબલ માર્કેટ’ની જાહેરાત મહિલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કરી જાહેરાત માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત શાકભાજી બજાર અલથાણ વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે થશે શરૂઆત 38 લાખના ખર્ચે બનાવાશે આધુનિક સુવિધાવાળું બજાર 50 થી 60 મહિલાઓને એકસાથે વેપાર કરવાની તક સુરક્ષા અને સુવિધાઓ પર ખાસ ધ્યાન અપાશે સીસીટીવી, સિક્યુરિટી ગાર્ડથી બજાર રહેશે સુરક્ષિત મહિલાઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકશે ગ્રાહકો માટે પણ મળશે સુરક્ષિત વાતાવરણ અસુરક્ષા અને દખલગીરીને મળશે વિદાય સફળતા બાદ દરેક ઝોનમાં વિસ્તરણની યોજના સુરત બનશે મહિલા કેન્દ્રિત વિકાસનું મોડેલ બાઈટ..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર
0
comment0
Report
GPGaurav Patel
Sept 27, 2025 09:45:35
Ahmedabad, Gujarat:આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુ કરપડાનુ નિવેદન ગુજરાત અને કેન્દ્ર સરકાર ની ખેડૂત વિરોધી નિતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનો હતો એ પહેલાં સરકારે આયાત ડ્યુટી રદ કરી વિદેશી કપાસ દેશમાં લાવ્યા જે લોકોને કપાસની જરૂર હતી કે લોકોએ કપાસની આયાત કરી લીધી આજે ખેડૂતને કપાસના ૯૦૦ થી ૧૦૦૦ રૂપિયા મણાના મળે છે ખેડૂતો કપાસના વાવેતર થી મગફળી તરફ વળ્યાં હવે સરકારે ટેકાના ભાવે મગફળીની નોંધણી કરવાની શરૂઆત કરી નવ લાખ કરતા વધારે ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળી વેચવા નોંધણી કરાવી રાજ્ય સરકારે ૨૩ લાખ મેટ્રીક ટન ખરીદીની કેન્દ્ર પાસે મંજુરી માંગી કેન્દ્ર સરકારે માત્ર ૧૨ લાખ ૬૨ હજાર મેટ્રીક ટન ની ખરીદીની મંજુરી આપી જે ગત વર્ષે પ્રતિ ખેડૂત ૨૦૦ મણ ખરીદી થઇ હતી તે આ વર્ષે માત્ર ૭૨ મણ ખરીદી થશે અન્ય દેશોમાં ગુજરાતના મગફળીની ડિમાન્ડ વધારે મગફળીની નિકાસ માટે કડક નિયમો અમલમાં મુક્યા દુનિયાનું માર્કેટ મગફળી માટે ખુલ્લું મુકવા આપ ની માંગ બા્ઇટ રાજુ કરપડા પ્રમુખ કિસાન સેલ આપ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 27, 2025 09:45:10
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 27, 2025 09:40:01
Modasa, Gujarat:સ્લગ - લુંટ ધનસુરાના વડાગામમાં લૂંટારુ ટોળકીનો આતંક ગત મધ્ય રાત્રીએ ફાર્મ હાઉસ પર લૂંટ કમલેશ પટેલના ફાર્મ ફાઉસ પર ૬ લૂંટારુ ત્રાટક્યા માસ્ક સાથે કાળા કપડા પહેરેલી ટોળકીએ બે લોકોને બનાવ્યા બંધક બંધક બનાવી ત્રણ લાખની લૂંટને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ લૂંટની ઘટનાથી પંથકમાં ફફડાટ વ્યાપ્યો એક તરફ નવરાત્રીનો પર્વ બીજી તરફ લૂંટારુ ગેંગ સક્રિય ધનસુરા પોલીસ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી જિલ્લા એલસીબી , એસ ઓ જી સહિત પોલીસ ટીમો તપાસમાં જોડાઈ એન્કર - અરવલી જિલ્લામાં લૂંટારો ટોળકી સક્રિય બની છે જિલ્લાના ધનસુરા નજીક આવેલા વડાગામ માં એક ફાર્મ હાઉસમાં લૂંટારો ત્રાટક્યા હતા અને માલિક અને અન્ય એક વ્યક્તિને બંધક બનાવી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. વિઓ - 01 - ધનસુરાના વડાગામ માં રહેતા કમલેશ પટેલ ના ફાર્મ હાઉસમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા.માસ્ક સાથે કાળા કપડાં પહેરી હાથમાં મોજા પહેરી ને લૂંટારો ઓ એ ફાર્મ હાઉસના માલિક અને એની એક વ્યક્તિ ને હથિયાર બતાવી બંધક બનાવ્યા હતા અને ફાર્મ હાઉસ માંથી રૂપિયા ત્રણ લાખ રોકડા અને એક મોબાઈલ ફોન લઈ ને લૂંટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ ધનસુરા પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.નવરાત્રી પર્વ દરમ્યાન બનેલી લૂંટની ઘટનાને પગલે જિલ્લા એસ ઓ જી , એલ સી બી સહિત ઉચ્ચ પોલીસ કાફલો તેમજ એફ એસ એલ ની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી.ડોગ સ્કોડ ની પણ મદદ લેવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાના જોતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.ત્યારે સમગ્ર મામલે જિલ્લા પોલીસ ધ્વારા જુદી જુદી ટીમો બનાવે ને સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓ ને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. બાઈટ - ડી પી વાઘેલા (ડી વાય એસ પી અરવલ્લી) વોક થ્રુ મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
0
comment0
Report
AKAshok Kumar
Sept 27, 2025 09:39:12
Junagadh, Gujarat:એન્કર... માતાજીની આરાધના નો પર્વ શરૂ થયો છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢમાં એક એવી ગરબી છે કે જ્યાં રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહે શ્રીફળ વધારવામાં આવે છે આવું જાણીએ જૂનાગઢની આ પ્રાચીન વર્ષો જૂની ગરબી વિશે... વિઓ..1 માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છે ગરબીની શરૂઆત થાય ત્યારે પ્રથમ માની આરાધના કરતા હોય છે પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા ગરબીમાં પ્રથમ વલીએ સોરઠ દરગાહ અને મિયામામુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી અને બાદમાં માની આરાધના કરીને ગરબીનું છેલ્લા 65 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે.. આ ગરબી મંડળમાં 65 બાળાઓ છે જેમાં 18 બાળાઓ મુસ્લિમ છે.. હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે જુદા જુદા રાસ લઈને નવલા નોરતા નિમિત્તે માની આરાધના કરે છે.... તો બીજી તરફ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ અહીં માની આરતી ઉતારવા આવે છે તો તબલા વાદક પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે... વિઓ..2 એક બાજુ પાર્ટી પ્લોટ માં અનેક નિયમો બનાવવામાં આવે છે માતાજીની આરાધના ના પર્વમાં સૌ કોઈ ભાગીદાર થઈ રહ્યું છે ત્યારે જુનાગઢ એ કોમી એકતા નું શહેર કહેવામાં આવે છે અને તે સાર્થક પણ થઈ રહ્યું છે કારણ કે પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે માતાજીની આરાધના કરે છે જેમાં પ્રચલિત ભુવા રાસ, સળગતી ઈંઢોણી નો રાસ , મઢડા રાસ સહિતના જુદા જુદા રાસ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે...નાની બાળાઓથી લઈ અને મોટી બાળાઓ નવ દિવસ સુધી જુદા જુદા રાસ લઈને ગરબે ઝૂમે છે... અંતર્ગત અહીંનો ભુવા રાશ ખૂબ જ પ્રચલિત છે ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આ પ્રાચીન ગરબી નિહાળવા ઉમટી પડે છે.... જ્યારે મુસ્લિમ બાળાઓ પણ નાત જાતના ભેદભાવ વગર નવ દિવસ ભુવા રાસ સહિતના રાસ રમી માની આરાધના કરી ગરબે ઝૂમે છે... જ્યારે સૌ કોઈએ ભાઈચારા સાથે રહેવાનો પણ સંદેશો આ ગરબે જુમતી બાળાઓ પાઠવે છે. વિઓ..3 આમ દત અને દાતારની ભૂમિ માં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે જ્યારે છેલ્લા 65 વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ જુનાગઢમાં જીવિત છે અને હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમી ધન્યતા અનુભવે છે... બાઈટ.કમલેશભાઈ રાઠોડ ગરબી સભ્ય બાઈટ.ખુશી પરમાર રાસ રમતી બાળા બાઈટ.. હેમાંગી ઝાલા રાસ રમતી બાળા બાઈટ વહાભાઈ કુરેશી મુસ્લિમ આગેવાન બાઈટ મેહુલ કુમાર છોટુભાઈ ચાવડા ગરબી સંચાલક અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top