Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
नवरात्रि के बाद GST घटा: अहमदाबाद में वाहनों की खरीद रिकॉर्ड तोड़
DRDarshal Raval
Sept 30, 2025 07:50:35
Ahmedabad, Gujarat
(આ પાથમાં લાઈવ યુથી ફીડ ઉતરશે)\B અમદાવાદ વાહનોની ખરીદીમાં gst નો લોકોએ લીધો લાભ નવરાત્રી શરૂ થતાં જ ઘટેલા gst બાદ વાહનોની પણ ખરીદી નોંધાઇ નવરાત્રીમાં વાહનોની મનાતી શુભ ખરીદીમાં લોકોએ gst નો પણ લીધો લાભ નવરાત્રીમાં અમદાવાદમાં 10 હજાર ઉપર વાહનોની ખરીદી નોંધાઇ સુભાષબ્રિજ rto ખાતે હાલ સુધી 7500 વાહનો રજીસ્ટર થયા 7500 માંથી 2500 ફોર વ્હીલ રજીસ્ટર થઈ હજુ દશેરાના દિવસે વાહનોની ખરીદી શુભ હોવાથી આંકડો વધી શકે છે બાઈટ. નીરવ બક્ષી. ઇન્ચાર્જ rto અધિકારી સલગ. વાહન રજિસ્ટ્રેશન ફીડ. લાઈવ કીટ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Sept 30, 2025 09:30:23
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS HIGHWAY KHADA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 30 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નેશનલ હાઈવે વાહન વ્યવહારને સુચારૂ કરવા અને સમયની બચત કરવા માટે મહત્વનો માનવામાં આવે છે. પરંતુ નવસારીના વાંસદામાંથી પસાર થતો વાપી - શામળાજી નેશનલ હાઈવે નં. 56 સમયની બચત નહીં, પરંતુ તેનો વેડફાટ કરાવી નાખે એવો ખાડાઓથી ભરપૂર છે. સ્થાનિકો સહિત લોક પ્રતિનિધિઓની રજૂઆતો બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા NH 56 ના ખાડા પુરી પેચવર્કની કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળે છે. વી/ઓ : વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે નં. 56 ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર રહે છે. વર્ષોથી ચોમાસામાં વરસતા ભારે વરસાદમાં નવસારીના વાંસદા તાલુકામાંથી પસાર થતા આ NH 56 ની સ્થિતિ બદ્તર થઈ જાય છે. મોટા મોટા ખાડાઓ પડવાને કારણે અહીંથી પસાર થતા વાંસદાવાસીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ લઈને પસાર થતા વાહનોને પણ નવનેજા પાણી આવી જાય છે. ખાડાઓને કારણે જ્યાંઅડધો કલાક થાય છે. ત્યાં રસ્તો પસાર કરવામાં 2 કલાકનો સમય થાય એવી સ્થિતિ છે. વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા વાપી શામળાજી હાઈવેની વાંસદાની સ્થિતિ જોતા જ તેમણે હાઈવે ઓથોરિટીના મુખ્ય અધિકારીને વાંસદા બોલાવી તેમને હાઈવેના ખાડા બતાવી તેને પુરી વાહનચાલકોની મુશ્કેલી નિવારવા સૂચનો કર્યા હતા. પરંતુ હાઈવે ઓથોરીટીના અધિકારીઓની આળસ દૂર થતી નથી. વાંસદામાં હાઈવે સુધારવામાં ખાનાપૂર્તિ કરીને સંતોષ માની લેતા પાછોતરા વરસાદમાં વાંસદાથી પસાર થતા નેશનલ હાઈવે નં. 56 માં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. ત્યારે હાઈવેના ખાડા પુરીને પેચવર્ક થાય એવી વાહનચાલકો આશા સેવી રહ્યા છે. બાઈટ : નસીબ ખાન, ટેમ્પો ચાલક બાઈટ : યાસીન, સ્થાનિક, વાંસદા હાઈવે પરથી વોક થ્રુ કર્યુ છે... વી/ઓ : વાંસદામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવે નં. 56 ની ખરાબ સ્થિતિને જોતા વલસાડ સાંસદ ધવલ પટેલે સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાઈવે બે લેનનો જ છે. પરંતુ વાહનોના ટ્રાફિકને જોતા હાઈવેને 4 લેનમાં તબદીલ કરવાની જરૂર જણાતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને NH 56 ને પહોળો કરવા માટેની રજૂઆત કરતા તેમણે 467 કરોડ રૂપિયાના નવા હાઈવેની મંજૂરી આપી હોવાની માહિતી મળી છે. ચોમાસુ પૂર્ણ થતા તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે અને આગામી ચોમાસા પૂર્વે વાંસદામાંથી પસાર થતો NH 56 વાહન વ્યવહાર માટે સુચારૂ થઈ જશે. બાઈટ : ધવલ પટેલ, સાંસદ, વલસાડ વી/ઓ : વાંસદામાંથી પસાર થતો વાપી શામળાજી હાઈવે વર્ષોથી ચોમાસામાં ખાડામાં તબદીલ થાય છે. ત્યારે સાંસદ ધવલ પટેલના પ્રયસોથી NH 56 નવનિર્મિત થાય તો વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવશે એવી આશા વાહન ચાલકો અને સ્થાનિકોને બંધાઈ છે.
0
comment0
Report
KBKETAN BAGDA
Sept 30, 2025 09:30:12
Amreli, Gujarat:સ્લગ - ફૂલોની ખેતી - ખેડૂતો પરેશાન લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ - 30/9/25 એન્કર...... હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ આવ્યો હતો ત્યારે બે દિવસ પહેલા પવન સાથે ભારે વરસાદ આવતા ફુલોની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ધોધમાર વરસાદ અને ભારે પવનને લઈને ફૂલોના ઝાડ ઢળી પડ્યા છે જેને લઇને ખેડૂતોની છ મહિનાની મહેનત પાણીમાં ગઈ છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ હતો. બે દિવસ પહેલા સમગ્ર અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ આવતા કપાસ મગફળીના પાકને તો નુકસાન થયું છે પરંતુ ફૂલોની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે સાવરકુંડલાના ધજડી ગામે ફૂલોની ખેતી કરતા એક ખેડૂતની છ મહિનાની મહેનત પાણીમાં ગઈ છે પવન સાથે વરસાદ આવતા ફૂલોની ખેતી કરતા રસુલભાઇ રાઠોડ ની વાડીમાં પાંચ વીઘા માં ગલગોટા ના ફૂલ ની ખેતી કરી હતી. પરંતુ ભારે પવન એ રસુલભાઈ ની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું ગલગોટા ના તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા હાલ ફૂલોની સિઝન ચાલી રહી છે બજારમાં ફૂલોના ભાવ પણ સારા મળી રહ્યા છે ત્યારે રસુલ ભાઈને આશા હતી કે આ વર્ષે ગલગોટોની ખેતી સારી થઈ છે અને તેમને સારા ભાવ મળશે પરંતુ વરસાદે અને ભારે પવનને કારણે ગલગોટાના તમામ છોડ નો સોથ વાળી દીધો છે. બાઈટ - 1 - રસુલભાઈ રાઠોડ - ફૂલની ખેતી કરતા ખેડૂત - ધજડી ગામ વિઓ - 2 ગલગોટા ના છોડ ખેડૂતો કલકત્તા થી લાવે છે ફૂલોની ખેતીમાં ખૂબ ખર્ચો પણ થાય છે ફૂલોની ખેતીમાં ફૂલોની અને છોડની ખૂબ માવજત રાખવી પડતી હોય છે મજૂરી પણ ખર્ચાળ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ધજડી ગામના ફૂલોની ખેતી કરતા ખેડૂત ભરતભાઇ જણાવ્યું હતું....... બાઈટ - 2 - ભરતભાઇ હરિયાણી - ફૂલોની ખેતી કરતા ખેડૂત - ધજડી ગામ ફાઇનલ વિઓ........ હાલ ફૂલોની બજારમાં મોટી તેજી જોવા મળી રહી છે નવરાત્રી નો તહેવાર શરૂ છે જેમાં ફૂલોની ખૂબ જ મોટી ડિમાન્ડ હોય છે માતાજીની આરાધનામાં લોકો ફૂલોના હાર અને ફૂલ માતાજીને અર્પણ ( ચડાવતા) કરતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા ફૂલોની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ભારે પવનને લઈને ફૂલોના તમામ ઝાડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોની માટી દશા બેઠી છે ફૂલોની ખેતી કરતા ખેડૂતોની છ મહિનાની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દીધું છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
PAParakh Agarawal
Sept 30, 2025 09:18:19
Ambaji, Gujarat:આજે દુર્ગાષ્ટમી છે અને દુર્ગાષ્ટમીમાં ક્ષત્રિય સમાજ વિશેષ પૂજા અર્ચના કરતુ હોય છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચરચોકના યજ્ઞ શાળામાં દુર્ગાષ્ટમી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મહાપુજા અને હોમહવન દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે જોકે આ દુર્ગાષ્ટમીના દિવસે દાંતાના રાજવી પરિવારને નિજ મંદિરના ગર્ભગૃહમાં દર્શન પૂજા માટે અબાધિત હક્ક મળેલો છે જેને લઇ દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે ગર્ભગૃહમાં માતાજીની પૂજા અર્ચના સાથે નૈવેધ ધરાવી માતાજીની આરતી કરી હતી એટલુંજ નહિ દુર્ગાષ્ટમીના દિવસે હોમ હવનનું મહત્વ હોઈ મંદિરની યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચાર અને વિદ્વાન પંડિતો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે હવનની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મહત્વની બાબત તો એ છે કે અંબાજી મંદિરના નિજ દ્ધારની ચાવી ની પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને એક ફૂટ જેટલી લાંબી ચાંદીની અતિ પૌરાણિક ચાવી પૂજા અર્ચના કર્યા બાદ મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજને સોંપવામાં આવી હતી માનવામાં આવે છે કે મંદિરના મુખ્ય સેવક રાજવી પરિવાર હોય છે અને રોજિંદી નિયમિત પૂજા અર્ચના માટે મંદિરની આ પૌરાણિક ચાવીને મંદિરના પૂજારીને સોંપવામાં આવે છે ત્યાર બાદ ભટ્ટજી મહારાજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય છે આ પરંપરા વિક્રમ સવંત 1160 થી ચાલી આવી છે અને હમણાં આ પરંપરા રાજવી પરિવારની 40મી પેઢી નિભાવી રહી છે. બાઈટ-1 રિદ્ધિરાજસિંહજી પરમાર (રાજવી વંશજ)રાજવી પરિવાર દાંતા સ્ટેટ )
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 30, 2025 08:23:42
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_WHATSAPP APPROVED_VISHALBHAI BYTE_3_WKT_VISUAL એંકર રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ થઈ હતી .એક શખ્સ કે જે VIP પાસ સાથે નોર્થ ઝોન ખોડલધામ ડાંડીયામાં એન્ટ્રી લીધી તે બાદ તે VIP બેઠકમાં બેઠો હતો ત્યારે અન્ય મેહમાન આવતા તેને ઊભું થવાનું કહેતા આખી બબાલ થઈ હતી. વિઓ 1 નોર્થ ઝોન ખોડલધામ ગરબામાં બબાલ થતા એક શખ્સે છરી ઉગ્મતા 3 જેટલા લોકોને ઈઝા પોહચી હતી . ઉધોગપતિ મૌલિક પરસાણા,અશોક ફળદુ,હરિ સોરઠીયા ને છરી લાગી હતી જ્યારે છરી મારનાર મહેશ ગિરી નામનો વ્યક્તિ હતો સમગ્ર ઘટનાની જાણ થતા એ.સી.પી, ડી.સી.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા વિઓ 2 નોર્થ ઝોન ખોડલધામ ગરબામાં અગ્રેણી નરેન્દ્ર પટેલે અને વિજય કોરાટે નિવેદન આપ્યું હતું કે આ છરી ઉગામનાર વ્યક્તિને ગરબામાં સ્વયંસેવકે જગ્યા ઉપરથી ઊભું થઈ જવાનું કહેતા તે ગુસ્સે ભરાયો હતો અને તેના દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 3 થી 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇઝાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ અમારા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહી છે .. વિઓ 3 જ્યારે સમગ્ર બબાલ મામલે એ સી.પી બી.જે ચૌધરી એ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે નોર્થ ઝોન ખોડલધામ ડાંડિયામાં મારામારીની ઘટના બની હતી જેમાં પોલીસે આરોપી મહેશ ગીરની ઘટના સ્થળે થીજ ધરપકડ કરી લીધી છે. આ ઘટના 3 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની હાલ અમારી પાસે વિગતો આવી છે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે વિઓ 4 પોલીસ આટલી સતર્કતા રાખવા છતાં પણ આવા બનાવો બને છે જ્યારે ડાંડીયા આયોજકો એ રાખેલ સિક્યુરિટી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે સિક્યુરિટી હોવા છતાં છરી ઉગામનાર શખ્સ છરી લઈને કઈ રીતે અંદર જય શકે .. બાઈટ: એ.સી.પી બી.જે ચૌધરી બાઈટ: વિજય કોરાટ બાઈટ: નરેન્દ્ર પટેલ વોક થ્રુ સાહિલ સપ્પા
4
comment0
Report
GPGaurav Patel
Sept 30, 2025 08:23:33
Ahmedabad, Gujarat:અમદાવાદના શાહપુર સ્થિત સદુમાતાની પોળમાં અનોખા ગરબા આસો મુદ આઠમની રાત્રીએ પુરૂષો મહિલાઓનું રૂપ કરે છે ધારણ મહિલાઓની જેમ સાડી પહેરી શૃંગાર કરી ગરબે રમે છે ૧૮૭૨ ના વર્ષથી પુરૂષો મહિલા બની ગરબે રમે છે આજે ૨૦૦ વર્ષ કરતાં વધારે સમય બાદ પણ આ પરંપરા યથાવત પુરૂષો દ્વારા મહિલાનો વેશ ધારણ કરી ગરબે રમવા પાછળ ઇતિહાસ સદું બા મુળ પાટણ નજીક રહેલા સિધ્દપુરના રહેવાસી હતા હરીસીંગ બારોટ સાથે તેમના લગ્ન થયા હતા તે સમયે ગાયકવાડી રાજમાં આત્મ ચાડિયો બાતમીદાર હતો દંત કથા પ્રમાણે આત્મ ચાડીયાએ રાજાને સદુબા ના રૂપ વિશે જણાવેલું જેનાથી રાજાએ સદુબા ને મહેલમાં હાજર થયા ફરનાર કર્યુ સદુ બા એ ઇન્કાર કરતાં બારોટે અને રાજા વચ્ચે યુધ્ધ થયુ અનેક બારોટને શહિદ થતાં જોઇ સદુ બા ને સત ઉપડ્યું તેમને પાતાની દિકરી અજુબાને છુટ્ટી ફેંકી અજુબાના પ્રાણ ગયા પણ તેમનુ શરીર જ્યાં પડ્યું ત્યાં ફુલનો ઢગલો થયો સંજુ બા એ હરીસીંગને પોતાનું શિરચ્છેદ કરવા આદેશ આપ્યો હરીસીંગે ખડગ થી ઘા કર્યો પણ માથું ધડથી અલગ ન થયુ તે સમયે સદું બા એ બારોટ સમાજમાં નખ્ખોદ જવાનો શ્રાપ આપ્યો હરીસીંગના ભાણાએ ફરી તલવારનો ઘા કરતાં ધડ થી માથું અલગ થયુ ત્યાર થી બારોટ સમાજ માતાજીની ભવાઈ કતો હતો આજે પણ દુર્ગાષ્ટમી ના દિવસે અહી પુરૂષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે રમે છે @@@@@@@@@@@@@@ મહિલાનો વેશ ધારણ કરતી વેલાનુ વોક થ્રુ નિંખિલ બારોટ સાથે મહિલા વેશે ગરબે રમતાં સમયનું વોક થ્રુ વિરેન બારોટ સાથે સુરેશ બારોટ સાથે ઇતિહાસ અંગે વન ટુ વન
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 30, 2025 07:15:57
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR APPROVED_TAPANBHAI FEED_VIA_TVU BYTE_WKT_VISUAL એંકર ગઈકાલ રાત્રિ દરમ્યાન પડેલ વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે..ગઈકાલે રાત્રિના પડેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે..શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ DH ગ્રાઉન્ડમાં જ્યાં ખેલૈયાઓ ગરબે રમે છે ત્યાં પાણી ભરાયા છે ..ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે ..છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે રાજકોટમાં ધીમીધારે છૂટો છવાયો વરસાદ ગઈકાલ રાત્રે જોવા મળ્યો હતો ... ગ્રાઉન્ડમાં કાદવ પણ થયો છે ..ત્યારે હવે આ ગ્રાઉન્ડમાં રાત્રે ગરબા રમાય છે કે કેમ તે જોવું અતિમહત્વનું..રવિવારે એક થી દોઢ ઇંચ જેવો વરસાદ નોંધાતા ગરબાના તમામ આયોજનો થયા હતા કેન્સલ... વોક થ્રુ સાહિલ સપ્પા
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 30, 2025 06:40:41
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ પઠાણ એન્કર- વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે.. સાથે જ બે દિવસ સુધી ભારે વરસાદ અને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો .આથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.. જોકે સૌથી વધુ નુકસાન ફૂલોના પાકને થયું છે. વલસાડના ઉમરગામ વિસ્તારમાં ફૂલોની વાડીઓમાં પાકને વ્યાપક નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે.. સોળસુંબા ની વાડીઓમાં ગલગોટા ની ફૂલોની ખેતીને વ્યાપક નુકસાન થયું છે.. ભારે વરસાદ અને ઝડપી પવનને કારણે ફૂલો તેમજ છોડના નીચે પડી ગયા હતા.. વરસાદને કારણે વાડીમાં કિચડ હોવાથી નીચે પડેલા ફૂલો પણ બગડી ગયા હતા.. આથી સામે તહેવારે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.. મહત્વપૂર્ણ છે. કે નવરાત્રી થી લઈ દિવાળી સુધીના આ તહેવારોના માહોલમાં ફૂલોની માંગ વિશેષ રહે છે . . અને બજારમાં ફૂલોની માંગ વધુ રહેતી હોવાથી ખેડૂતોને ભાવ પણ વધુ મળે છે ..આથી ખેડૂતો માટે આખા વર્ષ માં આ દિવસો જ મહત્વના હોય છે..પરંતુ દશેરના અગાઉના દિવસોમાં જ ફૂલો ની ખેતી ને વ્યાપક નુકસાન થવાને કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે.. બાઈટ- ભાઈલાલભાઈ રાઠોડ ,વાડી માલિક બાઈટ- મનોજ પુરાણી, ખેડૂત ઉમરગામ નિલેશ જોશી ઉમરગામ FTP/VAPI/SEP25/29.9.25/2909ZK_VAVAZODU_FLOWERS_CROP_NUKSHANI/2VISUAL/2BITE.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 30, 2025 06:40:06
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVED_VISHALBHAI BYTE_3_AND_VISUAL રાજકોટ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતી રાજકોટની અનોખી પ્રાચીન ગરબી... હિન્દુ અને મુસ્લિમ સમાજની ૧૬૦ દીકરીઓ માતાજીના ગરબે ઘૂમે છે... છેલ્લા 35 વર્ષથી રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં આ ગરબી યોજાય છે... છેલ્લા દસ વર્ષથી આ ગરબીના આયોજક મુસ્લિમ છે... ચારણ,ભુવા,ડાકલા,તલવાર સહિતના રાસ રમાડવામાં આવે છે... એંકર... હેડિંગ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓ રમે છે માતાજીના ગરબા... એંકર ધર્મના નામે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ કે ભડકાવ ભાષણ આપી બંને સમુદાય વચ્ચે ઝઘડો કરાવી માહોલ બગડતા લોકો માટે રાજકોટમાંથી શીખ લેવા જેવું છે. અહીં દેશથી મોટો કોઈ ધર્મ નથી તે સાબિત કરતું પ્રાચીન ગરબીમાં આયોજન થાય છે છેલ્લા 37 વર્ષથી રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની દીકરીઓ માતાજીના ગરબે ઘૂમે છે અને તેના આયોજક પણ મુસ્લિમ છે.જેનું નામ શબિરભાઈ મલેક છે જેવો તેઓ પણ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે વિઓ 1 રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં છેલ્લા 37 વર્ષથી પ્રાચીન ગરબી નું આયોજન થઈ રહ્યું છે તે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ સ્ટાફ કે અધિકારી નવરાત્રી દરમિયાન નોકરીમાં હોય છે ત્યારે તેમની દીકરીઓ આ નવ દિવસ માતાજીના ગરબા રમી શકે તે માટે હેડક્વાર્ટરની અંદર જ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં નવાઈની વાત એ છે કે અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની 160 દીકરીઓ માતાજીના ગરબે ઘૂમે છે તેમજ તેનું આયોજન કરનાર હિન્દુ અને મુસ્લિમ બંને છે. દીકરીઓને રોજબરોજ અલગ અલગ ગરબીની લાણી પણ પ્રોત્સાન રૂપે આપવામાં આવે છે સાથેજ રોજબરોજ અલગ અલગ વાનગીની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે .. વિઓ 3 ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આયોજકે જણાવ્યું હતું કે દેશથી મોટો કોઈ ધર્મ હોતો નથી અને અહીં એક મહિના અગાઉ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવે છે. ચારણ,ભુવા,ડાકલા,તલવાર સહિતના રાસ રમાડવામાં આવે છે. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ ગરબી છે. અહીં નાત જાતનો ફરક રાખીયા વિના બાળાઓ માતાજીના ગરબા રમે છે બાઈટ....૧ સબિર મલિક (મુસ્લિમ,ગરબી આયોજક) બાઈટ...૨ ગરબી માં ભાગ લેનાર બાળા (બાળા) બાઈટ...૩ જલ્પા (આયોજક,કમિટી)
0
comment0
Report
DRDarshal Raval
Sept 30, 2025 06:38:51
Ahmedabad, Gujarat:અમદાવાદ Gst 2.0 ને અમદાવાદ વેપારી મહા સંગઠને આવકાર્યો Gst માં ઘટાડો થતા સંગઠનના પ્રમુખ સભ્યો સાથે કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા Gst માં ઘટાડો થતા થયેલા ફાયદાથી સંગઠને રિકઇફ રોડ પર લગાવ્યા પોસ્ટર પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કરતા લગાવ્યા પોસ્ટર રિલીફ રોડ સાથે શહેરમાં લગાવ્યા આભાર માનતા પોસ્ટર 28 માંથી 18 ટકા gst કરતા ઇલેક્ટ્રોનિક્સ વેપારીઓમાં ખુશીનો માહોલ જોકે કેટલીક કંપની નવો લાભ હજુ નહિ આપતા હોવાનું જણાવી કંપની ને લાભ આપવા કરી રજુઆત સ્વદેશી વસ્તુ ની લોકો ખરીદી કરે તેવી પણ રજૂઆત તો એક તહેવારમાં લાભ મળ્યો હવે દિવાળીમાં પણ લાભ મળે તેવી માંગ દિવાળીમાં લોકો ઓનલાઈનના બદલે ઓફલાઇન ખરીદી કરે તેવી સંગઠન ની માંગ શોપિંગ ફેસ્ટિવલમાં રાહત અને ડિસ્કાઉન્ટ આપે તેવી પણ માંગ જો આ બે શક્ય બને તો નવરાત્રી સાથે દિવાળી પર્વ પણ સુધરે તેવી વેપારીને આશા વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ. બાઈટ. મેઘરાજ દોડવાની. પ્રમુખ સલગ. Gst પોસ્ટર ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
ASAJEET SINGH
Sept 30, 2025 06:17:15
Jaunpur, Uttar Pradesh:जौनपुर पड़ोसियों ने महिलाओं पर बरसाए लाठी-डंडे, वीडियो वायरल जौनपुर। खुटहन थाना क्षेत्र के अंगुली गांव में महिलाओं पर पड़ोसियों ने लाठी-डंडों से हमला कर दिया। आरोप है कि विवाद के दौरान महिलाओं को लात-घूसों से भी पीटा गया। क्षेत्र के अंगौंठा गांव में मामूली बात को लेकर दो पक्षों में कहासुनी और मारपीट हो गई। पीड़ित पक्ष की ओर से दी गई तहरीर के आधार पर पुलिस ने मुकदमा दर्ज कर जांच शुरू कर दी है। आरोप है कि गांव के ही मुन्ना निषाद, संदीप, मिथुन तथा जयकिशन घर के सामने गाली-गलौज कर रहे थे। विरोध करने पर आरोपियों ने लाठी-डंडे से हमला कर दिया। पीड़ित परिवार की महिलाएं बीच-बचाव करने आईं तो उनके साथ भी मारपीट की गई और गाली-गलौज किया गया। शिकायतकर्ता ने थाने में दी गई तहरीर में न्याय की गुहार लगाई है। पुलिस का कहना है कि मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
3
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top