Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકામાં આખલાઓનો આતંક: લોકોમાં ભય અને દહેશત!

PINEWZ
Jun 25, 2025 15:25:21
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકામાં રખડતા આખલાઓનો આતંક યથાવત રહ્યો છે. સાઈબાબા મંદિર નજીક આવેલા એક મકાનમાં બે આખલા અચાનક ઘૂસી જતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આખલાઓએ મકાનનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જેના પગલે ઘરના સભ્યો અને આસપાસના લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. આ વિસ્તારમાં આખલાઓના કારણે અગાઉ પણ અનેક વખત આવા બનાવો બન્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓના યોગ્ય નિકાલની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા જોખમી બનાવો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રહી શકે.
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement