Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003
રાજકોટમાં શાકભાજી લારી ધારકોનો RMC સામે વિરોધ, ભાવ વધારાનો વિરોધ!
GDGaurav Dave
Sept 03, 2025 10:33:19
Rajkot, Gujarat
SLUG - 0309ZK_RJT_LARI_VIRODH REP - GAURAV DAVE FEED - WHATSAPP એન્કર - રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ RMC કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં શાકભાજી વેંચતા લારી ધારકોને લારી ઉભી રાખવાના રૂ. 500ની પહોંચ RMC દ્વારા આપવામાં આવતી હતી. જે વધારી ડબલ ભાવ કરી દેવામાં આવ્યો હતો. જે ભાવ વધારા થી હવે શાકભાજીના લારી ધારકે હવે થી રૂ. 1000 ચૂકવવો પડી રહ્યો છે. જેને કારણે નાના વેપારીઓને નફા કરતા ઉભો રહેવાનો ચાર્જ વધુ ચૂકવવો પડી રહ્યો છે. પેટિયું રડતા લારી ધારકો આજે RMC કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શાકભાજીનો ધંધો કરતા લારી ધારકોએ કહ્યું, અમને જાણ કર્યા વગર જ RMC દ્વારા ભાવ વધારી દેવામાં આવ્યો છે. શાકભાજીના ધંધામાં એક તો ધંધા ઓછા છે અને ભાવ વધારી દેતા મુશ્કેલી પડી રહી છે. રૂ. 50 ના 100 કરવામાં આવ્યા છે તેમા રાહત કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. બાઈટ - ભરતભાઇ રાઠોડ, શાકભાજી ધંધાર્થી
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DSDM Seshagiri
Sept 03, 2025 13:35:28
Hyderabad, Telangana:
The incident took place in Essex, when the students were returning after participating in Ganesh Visarjan celebrations. Two students from India were killed in a road accident in the United Kingdom on Monday. The incident took place in Essex, when the students were returning after participating in Ganesh Visarjan celebrations. According to local reports, a vehicle that the students were travelling in collided with another also occupied by students on the A130 Dual Carriageway at the Rayleigh Spur roundabout. Nine students were injured in the accident. Among the victims were Chaitanya Tarre (23) from Nadargul and Rishiteja Rapolu(21) from Boduppal both in Hyderabad. Chaitanya, who moved to London just eight months ago to pursue his Master's degree after completing his BTech, died on the spot. Rishiteja died while undergoing treatment at a hospital. Five students were admitted to the Royal London Hospital following the crash. Among them, Sai Goutham Ravulla (30) is on ventilation, while Nuthan Thatikayala has been left partially paralysed. The other injured students, Yuva Teja Reddy Gurram, Vamshi Golla, and Venkata Sumanth Pentyala, are also undergoing treatment. The two students who were driving the cars involved in the collision, Gopichand Batamekala and Manohar Sabbani, have been taken into custody by UK police. An investigation is underway to determine the circumstances that led to the accident.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 13:35:18
Surat, Gujarat:
સુરત :- બીઆરટીએસ બસનો કહેર સામે આવ્યો સુરત ના અમરોલી ચાર રસ્તા પાસે ઘટના બની પૂરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસે યુવકના પગ કચડ્યા સ્થાનિક લોકોમાં આક્રોશ પ્રશિક્ષિત ડ્રાઈવર લેવા બીઆરટીએસ કોન્ટ્રાક્ટરો ને અપીલ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 03, 2025 12:35:58
Vapi, Gujarat:
દાદરા નગર હવેલી ના દાદરા વિસ્તાર ની ઘટના જાહેર રસ્તા પર થી નવજાત શિશુ નો મૃતદેહ મલી આવ્યો રાહદારીઓ અને વાહન ચાલકો એ પોલીસ ને કરી જાણ શિશુ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરાવવા સહિત ની હાથ ધરી તપાસ નવજાત શિશુના મૃતદેહ ને અહીં કોણ ફેંકી ગયું એ અંગે હાથ ધરી તપાસ બાઈટ - કમલેશ દેસાઈ ઉપસરપંચ દાદરા
1
comment0
Report
PAParakh Agarawal
Sept 03, 2025 11:37:20
Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે ને હમણાં સુધી 10 લાખ શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શન કરી ચુક્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરએ પહોંચતા હોય છે ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થતા હોય છે તેને પહોંચી વાળવા બનાસકાંઠા પોલીસતંત્ર સજ્જ બન્યું છે ત્યારે આજે અચાનક અંબાજી મંદિર પરિષરમાં બૉમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ (BDDS) તેમજ ડોગ સ્કોર્ડ દ્વારા અંબાજી મંદિર પરિષરના વિવિધ વિસ્તારોમાં સધન તપાસ હાથ ધરી હતી અને ફૂલછોડ હોય શ્રીફળ હોય કે અન્ય સામગ્રી હોય તે વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે આ તપાસ કામગરી દરમિયાન કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ કે અન્ય ગેરકાયદેસર ચીજ વસ્તુ મળી આવેલ નથી તેમ મંદિર ઇન્ચાર્જ પોલીસ અધિકારી એ જણાવ્યું હતું બાઈટ -1 કુણાલસિંહ પરમાર (DYSP,મંદિર સંકુલ ઇન્ચાર્જ)અંબાજી
4
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 11:37:14
Surat, Gujarat:
નેશનલ માર્કેટિંગ છે ઉપયોગમાં ન લેશો સુરત ના હજીરા અને મગદલા ખાતે પોર્ટ શરૂ કરવાને લઈ સુરતના ધંધા રોજગારને ખૂબ જ વેગ મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ, કેમિકલ,રસાયણો સહિતના અન્ય વસ્તુઓ દ્વારા ઈમ્પોર્ટન્ટ તથા એક્સપોર્ટ કરવામાં આવતો હોય છે જેને કારણે પૈસા અને સમય પણ બચત થાય છે બાઈટ..નિખિલ મદ્રાસી..ચેમ્બર પ્રમુખ
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 11:30:38
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ સુરત શહેરમાં અલગ અલગ જોવા મળ્યા ગણેશ પદાળ મોરાભાગળ વિસ્તારમાં આવેલ KK ગ્રુપ હોરર થીમ પર ભગવાન ગણેશને વીરાજ માન કરવામાં આવ્યા આ થીમ જોવા દરરોજ 1500 કરતાં વધુ લોકોની ગણેશ પદાળ મુલાકાત લેછે
0
comment0
Report
PAParakh Agarawal
Sept 03, 2025 11:19:28
Ambaji, Gujarat:
ભારત સરકારના સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ વિકસિત ભારતના 11 વર્ષ પૂર્ણ થતા સેન્ટર બ્યુરો ઓફ કોમ્યુનિકેશન પ્રાદેશિક કાર્યાલય પાલનપુર તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં 5 દિવસીય મલ્ટી મીડિયા ફોટો પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યું છે આ મલ્ટી મીડિયા ફોટો પ્રદર્શનને જિલ્લા કલેકટર દ્વારા રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ સાથે ભારત સરકારના 11 વર્ષની સેવા અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સ્વચ્છ ભારત અભિયાન,પોષણ અભિયાન,એક ભારત શ્રેષ્ઠ ભારત,ફિટ ઇન્ડિયા અભિયાન જેવી સરકારની વીવીધ જનકલ્યાણકારી યોજનાઓ રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે તે જુમ્બેશના ભાગરૂપે અંબાજીમાં આ પાંચ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન ને લઈ નાટિકા ભજવવા માં આવી હતી બાઈટ-1 મિહિર પટેલ (જિલ્લા કલેકટર)બનાસકાંઠા --
1
comment0
Report
NJNILESH JOSHI
Sept 03, 2025 11:19:23
Vapi, Gujarat:
વલસાડ ડાંગના સાંસદે વાપીમાં લીધી ઓચિંતી મુલાકાત સાંસદ ધવલ પટેલે વાપીની ESI હોસ્પિટલ લીધી મુલાકાત ESI હોસ્પિટલ માં અમુક દર્દી ને પ્રાઈવેટ હોસ્પિટલ માં રેફર કરતા હોવાની મળી હતી ફરિયાદ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત દર્દીઓને મળી રહેલ સુવિધા નું કર્યું નિરીક્ષણ મળેલ રજૂઆતો ના આધારે અધિકારીઓ અને તબીબોને કર્યા જરૂરી સૂચન હોસ્પિટલ ના ડેટાનો દર મહિને કરશે મોનિટર કામદારોની આ વિશેષ હોસ્પિટલ માં વધુ ડોક્ટર મળવા જોઈએ:ધવલ પટેલ હોસ્પિટલમાં વધુ સવલતો મળે તે માટે કેન્દ્રમાં કરશે રજૂઆત બાઈટ - ધવલ પટેલ સાંસદ વલસાડ ડાંગ
4
comment0
Report
ARAlkesh Rao
Sept 03, 2025 11:19:05
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-0309 ZK BNK PATNI HATYA PKG સ્લગ-પત્ની હત્યા ક્યારેક સમાજમાં એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ઘટનાઓ આપનું હૃદય કંપાવી દેતી હોય છે. કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે..પરિવાર ના મોભીએજ પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો છે...બનાસકાંઠા જિલ્લામાં ઘર કંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે.અને ગરીબ પરિવારનો માળો વિખેરાતા ચાર બાળકો નોંધારા બન્યા છે...કેમ પતિ જ પત્નીનો હત્યારો બન્યો જોઈએ અમારા આ અહેવાલમાં વાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર ગામની જ્યાં ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં રોજના ઘર કંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો છે. પતિ પોતે મજૂરી ન કરી પતિના પૈસા ઉપર જ મોજ શોખ કરતો હતો.ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના મોજ શોખમાં જીવન ગુજારતો હતો. એટલું જ નહીં રોજ રોજ પત્ની પાસે પૈસા ની માગણી કરતો હતો.અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો.પરંતુ ત્રણ દીકરીઓ અને એક નાના પુત્રના ભવિષ્યની ચિંતા કરી પત્ની ચકુબેન આટલો ત્રાસ સહન કરીને પણ ઘર સંસાર મજૂરી કરી ચલાવતા હતા. પરંતુ રોજેરોજ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાનો ત્રાસ વધતો જતો હતો અને છેવટે પોતાના મોજશોખ માટે પત્નીએ પૈસા ન આપતા પતિએ પત્નીના માથામાં હથિયારના ઘા મારતા ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ચકુબેનના પરિજનોએ ગઢ પોલીસ મથકે હત્યા ની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની અટકાયત કરી લીધી છે. પૈસા માટે પત્નીનું ઢીમ ઢાળી દેનારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિજનોએ માંગ કરી છે. મહત્વનું છે કે માતાનું મોત અને પિતા માતાની હત્યાના આરોપમાં જેલમાં જતા હવે ત્રણ દીકરીઓ અને એક દીકરો એટલે કે ચાર બાળકો સાવ નોધારા બની ગયા છે. બાઈટ-1-રાહુલ ભાકોદરા પરિવારજન રોજનો ઘરકંકાસ ક્યારેક પરિવારનો માળો વિખેરી નાખે છે કંઈક આવી જ ઘટના ચંડીસરના ગાલવાડીયા પરિવારમાં બની છે જે બાળકોના ભવિષ્ય માટે માતા રાત દિવસ મજૂરી કરી બાળકોને મોટા કરતી હતી તે પત્ની ની ખુદ તેના પતિએ જ હત્યા કરી નાખી.. એટલે તો કહેવાય છે કે ક્યારેક ગુસ્સામાં ભરેલું પગલું જીવન નો રસ્તો બદલી નાખતો હોય છે અને ઉશ્કેરાટમાં ભરેલું પગલું જિંદગી બરબાદ કરી નાખે છે.ત્યારે પત્ની ની હત્યાને લઇ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી બીએમ પરમારે કહ્યું કે પૈસાની માંગણી અને બાળકોનું કેમ ધ્યાન નથી રાખતી તે બાબતે પત્નીના માથામાં હથિયાર મારી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે એટલું જ નહીં પત્નીના ખૂનના ડાઘાને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ હત્યારા પતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મામલે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે હાલમાં સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બાઈટ -2-બી.એમ. પરમાર, DYSP અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
5
comment0
Report
GDGaurav Dave
Sept 03, 2025 10:33:46
Rajkot, Gujarat:
SLUG - 0309ZK_RJT_SMART_METER REP - GAURAV DAVE FEED - WHATSAPP એન્કર - રાજકોટમાં ફરી એક વખત સ્માર્ટ મીટરને લઈને PGVCL સામે આરોપો લાગ્યા છે. PGVCL દ્વારા સ્માર્ટ મીટર ફરજીયાત નખાવા માટે લોકોને દબાણ કરતા હોવાનો આરોપ લાગ્યો છે. શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ નકુમને ઘરે ગઇકલે રાત્રીના લાઈટ ડુલ થઈ ગઈ હતી. જેથી તેને PGVCLમાં ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ PGVCLના કર્મચારીઓ ઘરે આવ્યા અને મિટરમાં ફોલ્ટ આવ્યો હોવાથી નવું સ્માર્ટ મીટર લગાવવા જણાવ્યું હતું. જોકે કુલદીપસિંહને સ્માર્ટ મીટર લગાવવું ન હોવા થી તેને ના કહી હતી. જોકે PGVCLના કર્મચારીઓ તેનો પ્રશ્ન હલ કરવાને બદલે સાહેબે સ્માર્ટ મીટર નાખવા જ કહ્યું છે તેમ કહી જતા રહ્યા હતા. કુલદીપસિંહ નકુમે કહ્યું હતું કે, લક્ષ્મીવાડી વિસ્તારમાં એક પણ ઘરમાં સ્માર્ટ મીટર ન હોઈ જેથી માટે સ્માર્ટ મીટરનો વિરોધ છે. અધિકારીઓ પાસે લેખિતમાં માગ્યું કે સ્માર્ટ મીટર ફરજીયાત છે તેવું લખાણ આપો પણ કોઈ આપવા તૈયાર નથી. 24 કલાક થી લાઈટ ન મળતા પરિવાર હેરાન પરેશાન છે. બાઈટ - કુલદીપસિંહ નકુમ, ફરિયાદી
8
comment0
Report
GDGaurav Dave
Sept 03, 2025 10:33:39
Rajkot, Gujarat:
SLUG - 0309ZK_RJT_VIRAL_STORY REP - GAURAV DAVE FEED - WHATSAPP એન્કર - રાજકોટના લોધીકા તાલુકાનું પાળ ગામમાં ખેડૂતે ડ્રાઇવર લેશ ટ્રેકટર બનાવ્યું છે. જે ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. માત્ર ધોરણ 10 ભણેલા આ ખેડૂતની ટેકનોલોજી પ્રત્યેની સૂઝ ભલ ભલાને વિચારતા કરો દે છે. કેવી રીતે ચાલે છે ડ્રાઇવર લેશ ટ્રેકટર અને કેમ આવ્યો વિચાર જૂઓ આ રિપોર્ટમા... વિઓ - 1 રાજકોટના ખેડૂતની કમાલ.... ઘરે જ બનાવ્યું ડ્રાઇવર લેશ ટ્રેકટર.... ધોરણ 10 ભણેલા ખેડૂતે GPSનો કર્યો સદઉપયોગ... ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર....શું વાત કરો છો...ડ્રાઇવર વગર ચાલતું ટ્રેકટર અને તે પણ ખેતરમાં કામ કરે છે. જીહા, રાજકોટના લોધિકાના પાળ ગામના ખેડૂત જગદીશભાઈ ટીલાળાએ ડ્રાઇવર વગર કામ કરતું ટ્રેકટર પોતાની સૂઝબૂઝ થી તૈયાર કર્યું છે. જે આપમેળે ખેતીના કામો જેમ કે વાવણી, ખેડાણ અને અન્ય કૃષિ કાર્યો કરી શકે છે. આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જગદીશભાઈએ ખેતીને ન માત્ર સરળ બનાવી છે, પરંતુ તેની ચોકસાઈ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. આપમેળે ખેતી કરતું આ ટ્રેક્ટર GPS સિસ્ટમ ડિવાઇસની મદદથી કામ કરે છે. આ આધુનિક સિસ્ટમનો ઉપયોગ જે ખેતરમાં કરવાનો હોય છે તે, વિસ્તારમાં પહેલા બેઝ સ્ટેશન નામનું ડિવાઇસ લગાવવામાં આવે છે. જે સેટેલાઇટ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. આ ડિવાઇસની રેન્જ 10 કિલોમીટર સુધીની છે, જેના કારણે મિનિ ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર સુધી ઓપરેટ કરી શકાય છે. બાઈટ - જગદીશ ટીલાળા, ખેડૂત વિઓ - 2 જગદીશભાઈ ટીલાળાની વાત કરીએ તો તેવો ધોરણ 10 પાસ છે ખેતી અને ઈલેકટ્રીકલ રીપેરીંગ નું કામ કરે છે જેમાં ખેતી મોટર,પમ્પ નું રીપેરીંગ કામ કરે છે. જગદીશભાઈ જણાવ્યા મુજબ, આ ટેક્નોલોજીથી એક વર્ષ પહેલા મેં લીધી છે વાવણી દરમિયાન ખેતીના પાકને એક જ લાઇનમાં સરળતાથી અને ચોક્કસ રીતે ગોઠવી શકાય છે. સામાન્ય ખેતીમાં બે લાઇનો વચ્ચેની જગ્યા વેડફાઈ જાય છે, પરંતુ આ સિસ્ટમથી જગ્યાની બચત થાય છે અને ખેડૂતો વધુ પાકનું વાવેતર કરી શકે છે. આનાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને ખેતીનો ખર્ચ પણ ઘટે છે. જગદીશભાઈની આ સિસ્ટમ હવે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. ઘણા ખેડૂતો તેમની આ અત્યાધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તેમનો સંપર્ક કરે છે. ખેતીની સિઝન દરમિયાન તેઓ 500 વીઘાથી વધુ જમીનમાં વાવણી કરી ચૂક્યા છે. હાલમાં ખેતી એટલે બળદની જોડી અને શારીરિક શ્રમનું કામ ગણાતું હતું, પરંતુ આજે ટેક્નોલોજીએ ખેતીનો ચહેરો બદલી નાખ્યો છે. ગામડાઓમાં બળદની સંખ્યા ઘટી રહી છે અને તેમનું સ્થાન મિનિ ટ્રેક્ટર અને આધુનિક મશીનોએ લઈ લીધું છે. યુવા ખેડૂતો ઇન્ટરનેટના માધ્યમથી નવી ટેક્નોલોજીની માહિતી મેળવી રહ્યા છે અને ખેતીને વધુ સરળ અને ઉત્પાદક બનાવી રહ્યા છે. બાઈટ - જગદીશભાઈ ટીલાળા, ખેડૂત
3
comment0
Report
GDGaurav Dave
Sept 03, 2025 10:33:34
Rajkot, Gujarat:
SLUG - 0309ZK_LIVE_RJT_HOMEGUARD REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - સુરત ગણેશ મહોત્સવમાં ફરજ પર હાજર ન રહેનારા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના અંદાજીત 500 જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ગત વર્ષે પણ હોમગાર્ડ જવાનોને ગણેશ મહોત્સવમાં બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો તે સમયે પણ હોમગાર્ડ જવાનો નોકરી પર હાજર થયા નહોતા. તેવી જ રીતે આ વખતે પણ સરકારે માંગેલા બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનો ફરજ પર હાજર થયા નહોતા. જેથી હોમગાર્ડ કચેરીના કમાન્ડર દ્વારા ફરજ મોકૂફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હોમગાર્ડ કમાન્ડર કે.બી. કાનાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં હોમગાર્ડ દળમાં 670 જવાનો અને ગ્રામ્યમાં અંદાજીત 570 જવાનો ફરજ બજાવી રહ્યા છે. હોમગાર્ડ જવાનો રોજમદાર તરીકે નોકરી કરતા હોય છે. સરકાર દ્વારા જ્યાં હોમગાર્ડનો બંદોબસ્ત માંગવામાં આવે ત્યાં ફાળવવામાં આવતો હોય છે અને હોમગાર્ડ જવાનોને ઓર્ડર આપવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષ થી સુરત ગણેશ મહોત્સવમાં સરકાર બંદોબસ્તની માંગણી કરે ત્યારે આપણે બંદોબસ્ત ફાળવીએ છીએ. પરંતુ હોમગાર્ડ જવાનો ફરજના સ્થળે જતા નથી અને ગેરહાજરી બોલે છે. જેથી સજાના ભાગ રૂપે હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. કલમ 4(1) મુજબ બંદોબસ્તમાં પૂરતા પ્રમાણમાં સંખ્યા ન થતા નિર્ણય લેવામાં આવ્યો છે. બીજો ઓર્ડર ન આવે એટલે સમય માટે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. કોઈને છુટ્ટા કરવામાં આવ્યા નથી. રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડ જવાનોની જરૂર પડશે તો તાત્કાલિક હાજર થવું પડશે. બાઈટ - કે. બી. કાનાણી, કમાન્ડર, રાજકોટ હોમગાર્ડ દળ
2
comment0
Report
GDGaurav Dave
Sept 03, 2025 10:33:28
Rajkot, Gujarat:
SLUG - 0309ZK_LIVE_RJT_DEO REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર : રાજકોટ જિલ્લામાં માત્ર રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 5 થી 12 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારી 8 જેટલી શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલી આઠ જેટલી શાળાઓમાં બાળકોની સંખ્યા ન થવાના કારણે તેમના વર્ગો બંધ કરાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત મેટોડા ખાતે કાર્યરત રોટરી મીડટાઉન, ગોંડલ ખાતે આવેલી વિદ્યામંદિર ઈંગ્લીશ સ્કૂલ, ધોરાજીની મોટીમારડ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય, જસદણ ખાતે આવેલ શ્રેયસ સંસ્કાર મંદિર, વસાવડ ખાતે આવેલ અવધ વિદ્યાલય અને રાધે ક્રિષ્ના પ્રાથમિક શાળા તેમજ ગોંડલ ખાતે આવેલ નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા અને શિવરાજપુર ખાતે આવેલી શિવ શક્તિ વિદ્યામંદિરના વર્ગો બંધ કરાવવામાં આવ્યા છે. તેમજ તે શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની તપાસમાં કેટલીક શાળાઓમાં પાંચ કેટલીક શાળાઓમાં સાત તો કેટલીક શાળાઓમાં બહાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તેમજ તમામ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આ પ્રકારની શાળાઓને શોધીને તેમના વર્ગ બંધ કરવાનો હુકમ જૂન, જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ આ પ્રકારની શાળાનું લિસ્ટ બનાવી ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જ્યાંથી તમામ સંચાલકોને બોલાવીને તેમનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો. તેમજ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જે તે શાળાઓ બાબતે તેમની મંજૂરી રદ્દ કરવા બાબતેનો નિર્ણય પણ જાહેર કરવામાં આવશે. બાઈટ - દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાજકોટ
2
comment0
Report
GPGaurav Patel
Sept 03, 2025 10:33:24
Ahmedabad, Gujarat:
એન્કર- 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જીએસટી રીફોર્મ ની જાહેરાત કર્યા બાદ વાહનો પર જીએસટી 28% થી ઘટી 18 ટકા થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જેના કારણે ગ્રાહકો રાહ જોવાની સ્થિતિએ જોવા મળી રહ્યા છે. મોટાભાગની કંપનીઓની વેચવાલી ગણેશ ઉત્સવ હોવા છતાં પણ સરેરાશ કરતા ઓછી જોવા મળી રહી છે. દેશભરના 15000થી વધારે ડીલર્સનું પ્રતિનિધિત્વ કરતું ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશને આ બાબતે સરકારને રજુઆત કરી છે કે તહેવારોની સિઝન પૂર્વે GST રીફોર્મ લાગુ કરી દેવામાં આવે. કારણ કે ગુજરાતમાં તહેવારોની સીઝન ઓટોમોબાઇલ સેક્ટર માટે ખૂબ સારી હોય છે. ચાલુ વર્ષે વરસાદ અને ઇકોનોમિકલ ફેક્ટર સ્ટેબલ હોવાના કારણે કાર ખરીદી માટેની ઇન્કવાયરી 30% જેટલી વધી છે પરંતુ ગ્રાહકો થોભો અને રાહ જોવોની સ્થિતિએ છે. ત્યારે વ્યાપારીઓ ઇચ્છી રહ્યા છે કે તહેવારોની સિઝન પૂર્વે જ GST સરળીકરણ લાગુ કરવામાં આવે. GST ઓછો થયા બાદ કાર 10 ટકા સુધી સસ્તી થવાની શકયતા છે. બાઈટ- બલજીત બગ્ગા, ડિરેક્ટર, પરમ ઓટોમોટીવ
4
comment0
Report
Advertisement
Back to top