Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315

પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા: શું થશે હવે?

PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 31, 2025 18:16:38
Modasa, Gujarat
અરવલ્લી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા!! જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી અસામાજિક તત્વોએ યુવકને જુતાનો હાર પહેરાવી જાહેરમાં ઢસડી માર માર્યો —— બાઈટ - સ્વજન
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Sept 03, 2025 10:05:11
Sadhara, Gujarat:
कच्छ हिंदू बेटियों को लव जिहाद का शिकार होने से रोकने के लिए काजल हिंदुस्तानी की अनोखी पहल लव जिहाद को पूरी तरह खत्म करने के लिए छात्राओं को शपथ दिलाई गई 29 अगस्त को भुजोडी आहिर कन्या छात्रावास में आयोजित कार्यक्रम में छात्राओं ने शपथ ली स्वयंभू बेटियों को लव जिहादी तत्वों से बचने की शपथ दिलाई गई बेटियों को धर्म और संस्कृति के प्रति वफादार रहने की सीख दी गई अंतिम सांस तक सनातन हिंदू धर्म का पालन करने के लिए बेटियों को समझाया गया किसी वस्तु या व्यक्ति के प्रलोभन में न आने की हिदायत दी गई बेटियों को लव जिहाद से बचने और अन्य बेटियों को बचाने के लिए समझ दी गई।
0
comment0
Report
GDGaurav Dave
Sept 03, 2025 10:01:34
Rajkot, Gujarat:
राजकोट राजकोट का यह वीडियो किसी फिल्म शूटिंग का नहीं, बल्कि वास्तविक है राजकोट में फिल्मी दृश्य देखने को मिले शहर के रैया चौराहे पर एक महिला और अन्य पुरुषों के बीच सार्वजनिक रूप से मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल वीडियो में एक महिला और चार अन्य पुरुष एक-दूसरे को मारते हुए दिखाई दे रहे हैं महिला भी अन्य पुरुषों को मारते हुए वीडियो में नजर आ रही है इस महिला और पुरुषों के बीच का हाई वोल्टेज ड्रामा देखने के लिए लोगों की भीड़ उमड़ पड़ी थी और सड़क पर ट्रैफिक जाम भी हो गया था वायरल वीडियो के बाद राजकोट पुलिस ने जांच शुरू की।
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 09:45:35
Surat, Gujarat:
એકર શહેરના મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બે અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસીને પૂજાના સાધનો અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ દારૂખાના રોડ પર એક પંડાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ખંડિત કરતા સવારે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. કોઈ અઘટિત ઘટના ન અને તે માટે બનાવની જાણ થતાંની સાથે જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની અલગ અલગ ટિમો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. વિઓ.1 મહિધરપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશજીની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી છે. મોડીરાત્રે બે વાગ્યા સુધી શહેરીજનો આ તમામ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ જોવા અને દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. જોકે રાત્રે બેથી ત્રણ વાગ્યા બાદ લોકોની ભીડ ઓછી થતી હોય છે. શહેરમાં કોઈપણ અણબનાવ ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન ગતરોજ મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા ગણેશ પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બેગમપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 8 ગણેશ પંડાલોને બંને ઈસમોએ નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં તેઓ પંડાલમાં પ્રવેશ્યા બાદ ચાંદીની મૂર્તિ, દીવા, રોકડ અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ચોરીની આ ઘટના દરમિયાન દારૂખાના રોડ પર એક જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખંડિત પણ થઇ હતી. જેથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહિધરપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટિમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા નજરે પડ્યા છે. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરુ કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આસપાસના તમામ વિસ્તારોમાં સઘન ચેકીંગ સાથે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તમામ પંડાલોમાં ચોરી કરનાર અને ગણેશજીની મૂર્તિ ખંડિત કરનાર આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણી નામના બંને ઈસમોને ચોરીના તમામ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાચોરીની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કાંતિભાઈ બલર અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી અને પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ''''આવી પવિત્ર જગ્યાએ ચોરી થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પોલીસને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા આપે. જોકે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ બંને ઈસમોને પકડી પાડ્યા છે. લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી મોડીરાત્રે ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને વિધિવત રીતે દૂર કરી પૂજા અર્ચના સાથે નવી મૂર્તિની સ્થાપના કરી હતી. ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા. ત્યાર બાદ બંને ઈસમોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હતો. માત્ર 50 મીટર નજીક આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે. આ ઘટના ચોરીની છે, ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી : ડીસીપી રાઘવ જૈન લોકોનો રોષ પારખી સમયસર ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી. આન મામલે ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. તેમણે જણાવ્યું હતું કે “અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકો બાદ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી. જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બાઇટ..રાઘવ જૈન..ડીસીપી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 09:45:30
Surat, Gujarat:
નકલી વિઝા અપડેટ સુરત :- નકલી વિઝા કૌભાંડ મામલો આરોપી પ્રતીક શાહ ૪ દિવસના રિમાન્ડ પર Sog પોલીસ ૪ દિવસમાં પાસપોર્ટ વિભાગ ઇન્ક્વાયરી કરશે કબ્જ કરેલા વિઝા ની ખરાઈ કરશે અલીબાબા ની માહિતી મેળવવામાં આવશે કાર્ગો પેકીંગ કરવાનું કારણ જાણવામાં આવશે વિઝા કુરિયર કરતા હતા તે કઈ રીતે અને કયા કરતા તેના પુરાવા લેવામાં આવશે CDR ચેકીંગ કરવામાં આવશે આરોપી પ્રતીક શાહ ની બેન્ક ખાતાની તપાસ કરવામાં આવશે મોબાઈલ લેપટોપ તપાસવામાં આવશે જુના ગુનાની વિગત લેવામાં આવશે ભોગ બનનાર ની તપાસ કરવામાં આવશે પાસપોર્ટ સરકારી અધિકારી તપાસ કરવામાં આવશે નકલી વિઝા સ્ટીકર કઈ રીતે બનાવતો તેના પુરાવા લેવામાં આવશે બાઈટ રાજદીપસિંહ નકુમ - ડીસીપી સુરત
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 09:45:25
Surat, Gujarat:
સુરત :- શાહ દંપત્તિના કારસ્તાનનો ભંડાફોડ થયો છે. સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફૂલેકું ફેરવ્યું. ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વીડિયો બનાવી પબ્લિલિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે. શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના 1.33 કરોડ સલવાતા સીઆઈડી ક્રાઈમમાં ઠગાઇનો ગુનો દાખલ થયો છે. હાલ શાહ દંપતી જેલમાં બંધ છે. રોકાણ પર 100 દિવસમાં 12થી 15 ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી. બધુ મળીને આ યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા. શાહ દંપત્તિ સામે બે દિવસમાં જ સીઆઈડી ક્રાઈમમાં બીજો ગુનો દાખલ થયો છે. યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા-જુદા સોશિયલ ઈન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી વિગેરેના વીડિયો બનાવી તે વીડિયોથી શાહ ઈન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 09:45:20
Surat, Gujarat:
સુરત શહેરના પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં યુવકનો આપઘાત પાંડેસરા નાગસેન નગરમાં રહેતો દીપક સૈન્દાને નામના યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત યુવકના ઘર નજીકમાં યુવતી સાથે પ્રેમ સંબંધવાનો પરિવારનો આરોપ પ્રેમિકાના પરિવારના લોકોએ યુવકને માર માર્યો હોવાના આરોપ કરાયા પ્રેમિકાના પરિવાર ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
0
comment0
Report
MDMustak Dal
Sept 03, 2025 09:20:59
Jamnagar, Gujarat:
તા.03-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : મંદિર ચોરી Slug : 0309 ZK JMR MANDIR CHORI ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામા મંદિરમાં ચોરી કરતી ગેંગને દબોચી લેવામાં જામનગર એલસીબી પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે. પોલીસે ચોરીના મુદામાલ સાથે લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપરથી 4 આરોપીઓને પકડી પાડ્યા છે. જેની પ્રાથમિક તપાસમાં ૬ મંદિરમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. આરોપીઓ ચોરાઉ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમા હતા. આ અગાઉ જ પોલીસે રેડ પાડી ૩,૬૬,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ રાત્રે ચોરી કરવા માટે ગામથી દુર સીમ વિસ્તારમા આવેલ મંદિરને ટારગેટ કરી ધાતુના છતરની ચોરી કરતા હોવાનો ભાંડાફોડ થયો છે. વિઓ : 01 તાજેતરમાં જામનગર જિલ્લામાં મંદિરોમાં જુદા જુદા સ્થળોએ ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ બાદ આ પ્રકરણનો ભેદ ઉકેલી નાખવા પોલીસ જહેમતશિલ હતી. તેવામાં જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામા રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપતા શખ્સો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપર ઊભા છે. જે ચાર શખ્સો સ્વીફટ કાર તથા બે સ્પ્લેન્ડરમા બાઇક લઇ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ સહિતનો મુદ્દામાલ સગેવગે કરવાની પેરવી છે. વિઓ : 02 તેવી પોલીસના કાને વાત પડતા પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન આરોપી નાથા વીરાભાઇ ખરા (ઉ.વ.૨૭ ધંધો ભંગારનો વેપાર રહે. ખોડિયારનગર ઘઉંના ગોડાઉન ની પાછળ દરેડ ગામ તા.જામનગર), રવિ વીરાભાઇ ખરા (ઉ.વ. ધંધો મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર), ખોડા ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા (ઉ.વ.૩૩ ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર), ખીમા પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા ગામ તા.જામજોધપુર) પોલીસ ઝપટે ચડ્યા હતા. જેની તપાસમાં આરોપી નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા (રહે.બાધલા ગામ તા.લાલપુર) ની સંડોવણી સામે આવતા તને ફરારી જાહેર કરાયો છે. વિઓ : 03 જામનગર LCB પોલીસે 1.59 લાખની કિંમતના 14 ચાંદીના છતર તથા મુગટ, 1.50 લાખની કિંમતની સ્વીફટ કાર, 2 સ્પ્લેન્ડર બાઇક, મોબાઇલ, લોખંડનુ કટર, લોખંડનો સળીયો સહિત કિ.રૂ. કિ.રૂ.૩,૬૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગેંગના સભ્યો રાત્રીના સમયગાળા દરમિયાન ચોરી કરવા માટે નીકળતા હતા અને ગામથી દુર સીમ વિસ્તારમા આવેલ મંદિરને ટારગેટ કરી મંદિરના તાળા નકુચા, લોખંડના કટર,સળીયા થી તોડી મૂતિ ઉપરથી તથા મંદિર માંથી ચાંદી તથા અન્ય ધાતુના છતરની ચોરીને અંજામ આપતા હતા. આ દરમિયાન ગલ્લા ગામમા આવેલ ’’ખોડીયાર માતાજીના મંદિર, ખટીયા ગામમા આવેલ ’’કોટેશ્વર મહાદેવના મંદિર, જગા ગામમા આવેલ ’’રામાપીર ના મંદિર, ભાયાવદર પંથકમાં ખોડીયાર માતાજીનુ મંદીરમા અને પડવલા રોડ(ભાયાવદર) હિંગળાજ માતાજીના મંદીર તેમજ ભાણવડ તાલુકાના ઘુમલી આશાપુરા માતાજીના મંદીરમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. બાઈટ : રાજેન્દ્ર દેવધા ( DYSP જામનગર )
1
comment0
Report
NJNILESH JOSHI
Sept 03, 2025 09:18:31
Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસીપ્રોકલ ટેરીફ લગાવ્યો છે. જોકે ભારત પર 50% ટેરીફ લગાવ્યો હોવાથી ભારતના ઉદ્યોગો માટે ટ્રમ્પ નો ટેરીફ બોમ્બ મુશ્કેલી નું કારણ બની રહ્યો છે. સમગ્ર દુનિયામાં હીરા ની ચમક માટે જાણીતા સુરતની હીરા ઉદ્યોગ બાદ હવે ઔદ્યોગિક નગરી વાપીમાં અમેરિકા સાથે વેપાર કરતાં અનેક ઉદ્યોગોને પણ તેની અસર થઈ છે.. વાપીની કેમિકલ કંપનીઓ ના અમેરિકા સાથેના ઓર્ડરોને હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યા છે. જેની સીધી અસર ઉત્પાદન પર પડી રહે છે જેના કારણે આગામી સમયમાં સ્થાનિક રોજગારી ને પણ અસર થઈ શકે છે..ત્યારે વાપીના ઉધોગો બંને દેશો વચ્ચે માહોલ માં સુધારો થવાની રાહ જોઇ રહયા છે. વી ઓ:1 ઔદ્યોગિક નગરી વાપીમાં નાના-મોટા 5,000 થી વધુ ઉદ્યોગ ધંધા ધમધમે છે..વાપી ના અનેક ઉદ્યોગો દેશ અને અમેરિકા સહિત દુનિયાભર ના અનેક દેશો સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે ...ત્યારે વાપીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો મોટાપાયે અમેરિકા સાથે પણ વેપાર કરે છે . અગાઉ અમેરિકા એ ભારત પર ઓછો ટેરીફ લગાવ્યો હોવાથી વાપીના કેમિકલ ઉદ્યોગને તેની નોંધપાત્ર અસર થતી ન હતી. અગાઉ અમેરિકા એ ભારતથી વધુ ટેરીફ ચીન પર લગાવેલ હોવાથી ભારતના ઉદ્યોગોને તેનો ફાયદો થઈ રહ્યો હતો.. પરંતુ ટ્રમ્પે હવે ભારત પર ના ટેરીફમાં વધારો કરી 50% ટેરીફ લગાવ્યો હોવાથી વાપીના કેમિકલ ઉદ્યોગ પર હવે તેની અસર વર્તાઈ રહી છે . ટ્રમ્પના ટેરીફ બોમ્બને કારણે વાપીના ઉદ્યોગો ના અમેરિકા સાથે કરેલા ત્રિમાસિક અને છ માસિક ઓર્ડરને હોલ્ડ પર રાખી દીધા છે ..અને આગામી સમયમાં વાતાવરણ સુધરે તેની રાહ જોવાઇ રહી છે...જોકે અત્યારે તો વાપી ના ઉદ્યોગો પણ ચિંતિત છે.. બાઇટ: પ્રકાશ ભદ્રા ઉધોગપતિ, વાપી વી ઓ:2 વાપીમાં મોટાભાગે કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ છે. જેનો મોટા પ્રમાણમાં અમેરિકા સાથે વ્યવહાર થાય છે.. અત્યાર સુધી ભારત કરતાં ચીન પર વધારે ટેરીફ લગાવેલા હોવાથી તેનો ફાયદો ભારતના અને વાપીના ઉદ્યોગોને મળી રહ્યો હતો.. જોકે હવે દુનિયાના અન્ય દેશો કરતા ભારત પર ટેરીફ વધારે હોવાથી તેની સીધી વ્યાપક અસર ઉદ્યોગોને થઈ રહી છે . વાપીના ઉદ્યોગો પણ તેની અસરથી બાકાત નથી.. અત્યારના સંજોગો માં તો આ ટેરીફ ના કારણે વાપીના ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે.. આથી અહીંના ઉદ્યોગો બંને દેશો વચ્ચે સંબંધો સુધરે અને ટેરીફમાં સુધારો થાય તેની રાહ જોઈ રહ્યા છે.. ત્યાં સુધી અહીંના ઉદ્યોગો પણ વિશ્વના અન્ય દેશો સાથે વ્યાપારિક સંબંધો શરૂ થાય તેવું પ્લાનિંગ કરી રહ્યા છે...પરંતુ અત્યારના સંજોગોમાં તો વાપીના અને ભારત ના જે ઉધોગોના અમેરિકા સાથે ના વ્યાપાર હતો તે હવે ચાઇના સહિત અન્ય દેશો પાસે જતા રહેવાની ભીતિ સેવાઈ રહી છે.. આથી આવા સમયમાં કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે અને પરિસ્થિતિ સુધરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.. બાઇટ: રાજુલ શાહ ટ્રેઝર્સ , વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન. બાઇટ: શરદ ઠાકર અગ્રણી ઉધોગપતિ, વાપી વી ઓ:3 ટ્રમ્પના આ ટેરીફ બોમ્બ નો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દેશભરમાં સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે.. વોકલ ફોર લોકલ અભિયાનને કારણે હવે લોકોને આપણા દેશ ની પ્રોડક્ટોને જ મહત્વ આપી સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા જ અપીલ કરવામાં આવી રહી છે.. જોકે કેમિકલ ઉદ્યોગ માટે તેનો મોટો આધાર વિશ્વના અન્ય દેશો છે.. અને તેમાં પણ અમેરિકા કેમિકલ ઉદ્યોગો માટે મોટું બજાર છે.. આથી જ્યાં સુધી બંને દેશો વચ્ચે સંબંધો ન સુધરે અને ટેરીફ માં સુધારો ન થાય ત્યાં સુધી વાપીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો અધ્ધર જીવે છે.. અને વહેલી તકે માહોલ સુધરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિલેશ જોશી ઝી મીડીયા વાપી. ftp/vapi/sep25/3.9.25/0309zk_vapi_trump_tarife/3bite/3visual.
0
comment0
Report
DRDarshal Raval
Sept 03, 2025 09:06:18
Ahmedabad, Gujarat:
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે આજે નવસારી. વલસાડ. દમણ. દાદરા નગર હવેલી. તાપી. ડાંગ. નર્મદા. છોડાઉદેપુર. અરવલ્લી. મહીસાગર. સાબરકાંઠા. દાહોદ. સુરત. પંચમહાલ ભારે વરસાદ કાલે ભારેથી અતિભારે વરસાદ નર્મદા. તાપી માં સાથે રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ઓરેનજ એલર્ટ ગુજરાત રિજયન રેડ એલર્ટ અને સૌરાષ્ટ્ર રિજયન ઓરેન્જ એલર્ટ 5 દિવસ ઠંડર સ્ટોર્મ વોર્નિંગ અપાઈ તેમજ ફિશરમેન વોર્નિંગ પણ અપાઈ મોન્સૂન ટ્રફ ના કારણે વરસાદી માહોલ અમદાવાદ અને ગાંધીનગર માટે બે દિવસ મધ્યન અને બાદમાં 3 દિવસ ભારે વરસાદ ની આગાહી બાઈટ. રામાશ્રય યાદવ. વૈજ્ઞાનિક. હવામાન વિભાગ
2
comment0
Report
KHKHALID HUSSAIN
Sept 03, 2025 09:05:40
Badgam, :
( TVU 9 ) EXCLUSIVE बड़गाम के वथुरा इलाके में घराओं में गुसा पानी , २० मकानों में गूसा पानी। लोगों को SDRF ने रेस्क्यू लोगों घराओं से बाहर निकाल काफ़ी चिंतित दिख रहे है। रेस्क्यू किए गए लोगों को सरकारी समूल में रखा गया है। घटना संथाल से डबल्यूटी लोगों की बाइट काफ़ी आछे विजुअल्स है।
0
comment0
Report
DRDarshal Raval
Sept 03, 2025 08:30:55
Ahmedabad, Gujarat:
અમદાવાદ. વાહનનું પીયૂસી અનિવાર્ય નિયમોનું પાલન ન કરનારા પર આરટીઓની કડક કાર્યવાહી છેલ્લા એક વર્ષમાં 2421 કેસ નોંધાયા પીયૂસી સર્ટિફિકેટ વિનાના વાહનો સામે આરટીઓએ કડક પગલાં લીધાં આરટીઓએ પીયૂસી ન હોય તેવા વાહનચાલકો પાસેથી કુલ 12,10,000 રૂપિયાનો દંડ વસૂલ્યો વાહનનું પીયૂસી સર્ટિફિકેટ ન હોય તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે પીયૂસી કઢાવવાનો ખર્ચ ટુ-વ્હીલર 30, થ્રી-વ્હીલર 60 રૂપિયા પેટ્રોલ ગાડી 80 રૂપિયા ડીઝલ ગાડી 100 રૂપિયા સરેરાશ ખર્ચ લગભગ 100 રૂપિયા જેટલો થાય છે બાઇટ: આશિષ પરમાર,ARTO અધિકારી અમદાવાદ સલગ. Rto સ્ટોરી ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 08:30:50
Surat, Gujarat:
સુરત બ્રેક બે નકલી કિન્નર સહિત ચાર ની ધરપકડ કાર માં દારૂની હેરાફેરી કરતા હતા દારૂની નાની મોટી બોટલો , બિયર ટીન નંગ.૫૮૮ તથા કાર સહિત કુલ્લે 4 લાખનો મુદ્દામાલ કબ્જે દમણ થી દારૂ ભરી ડીંડોલી લઈ જવામાં આવી રહ્યો હતો
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 08:30:44
Surat, Gujarat:
સુરત પોલીસની કાર્યવાહી બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર ના વાહનો વિરૂધ્ધ કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક ના આદેશના પગલે કાર્યવાહી બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કાર ચાલક ને દંડ ફટકારવામાં આવ્યા કાળા કાચની કાર ડિટેન કરવાની કાર્યવાહી કરાઈ બાઈટ એસ એફ ગોસ્વામી - ટ્રાફિક અધિકારી સુરત
0
comment0
Report
DRDarshal Raval
Sept 03, 2025 08:30:39
Ahmedabad, Gujarat:
અમદાવાદ Us દ્વારા વિઝા ફીમાં કરાયેલ વધારાનો મામલો વિઝા ફીમાં 250 ડોલર ફીનો કર્યો વધારો 250 ડોલર 22 હજાર જેટલો થયો વધારો હાલમાં 185 ડોલર એટલે કે 16 હજાર ફી ભરાઈ રહી છે 1 ઓક્ટોબરથી નવી ફી વિઝા એપ્લાય પર લાઘ પડશે નોન ઇમિગ્રન્ટ એપ્લિન્ટ પર નવી ફી લાગુ પડશે નોન ઇમિગ્રન્ટમ વિઝીટર. સ્ટુડન્ટ. H1B વિઝા નો સમાવેશ થાય છે નવા નિયમથી અંદાજે હજારો લોકોને પડી શકે છે અસર નવી ફી સાથે હવે લોકોને 39 હજાર ફી ભરવાનો વારો આવી શકે નવા નિયમથી એપ્લિકન્ટ ની સંખ્યા ઘટી શકે જોકે વિઝા એપ્લાય કરતી વખતે કે વિઝા મળે તેને ભરવાના તેની હજુ ક્લિયારીટી નહિ. વિઝાની તમામ નિયમ નું પાલન થાય તો બાદમાં ફી પરત મળી શકે છે જોકે કઈ રીતે પરત મળશે તેની કોઈ સ્પષ્ટતા નહિ આ નિયમથી અમેરિકામાં વિઝીટર ની સંખ્યા ઘટશે તેવી ચર્ચા. આ નિયમ આવાથી વિઝા કન્સલ્ટન્ટ ના ત્યાં પણ ઇન્કવાયરી વધી વિઝા રીન્યુ કરનાર ને પણ નવો ફી દર લાગુ પડશે બાઈટ. મનીષ ઝવેરી. વિઝા કન્સલ્ટન્ટ સલગ. વિઝા ફી ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 03, 2025 08:30:34
Surat, Gujarat:
પુણા વિસ્તારમાં 25 વર્ષીય રાકેશ મેઘવાડ નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સત્યમ એપાર્ટમેન્ટ રાજુનગર માં રાત્રે 10 વાગે ગળાફાસો ખાધો અંજની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો રાકેશ મેધવાડ ગળાફાંસા નુ કરાણ અકબંધ રાજસ્થાનના વતની રાકેશ મેધવાડ દોઢ વર્ષથી સુરતમાં રહેતા બાઈટ..પરિવારજન
0
comment0
Report
Advertisement
Back to top