Back
શહેરમાં ગેરકાયદે દબાણનો રાફડો: AMC એ 366 લારી ગલ્લા દૂર કર્યા
GPGaurav Patel
Aug 13, 2025 08:32:08
Ahmedabad, Gujarat
તંત્રની સતત કામગીરી બાદ પણ શહેરમાં સતત ગેરકાયદે દબાણનો રાફડો
6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી AMC એ ગેરકાયદે દબાણ સામે કરી કાર્યવાહી
વિવિધ 7 ઝોન માંથી 366 લારી ગલ્લા, 173 ગેર કાયદે શેડ, 753 બામ્બુથી બનાવેલા બાંધકામ, 2789 અન્ય દબાણ દૂર કરવામાં આવ્યા
1025 ગેર કાયદે હોર્ડિંગ, 442 ગેરકાયદે વાહનો સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો
પાછલા કેટલાય સમયથી તંત્રના પ્રયાસો બાદ પણ ગેરકાયદે બાંધકામોમાં વધારો
8 દિવસ કરેલી કામગીરીમાં AMC એ વહીવટી ચાર્જ પેટે 2,93,100 વસૂલ્યા
બોપલમાં ગેરકાયદે પાર્કિંગ સહિતની સમસ્યાઓ મામલે કોર્ટની ટકોર બાદ કાર્યવાહી
બોપલ માં કરાયેલી કાર્યવાહીનો અલાયદો રિપોર્ટ AMC તરફથી કોર્ટમાં મુકાયો
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowAug 13, 2025 10:46:12Rajkot, Gujarat:
SLUG - 1308ZK_LIVE_RJT_COLLECTOR_VISIT
FEED SEND TVU 75
એન્કર - રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવાનો છે. ૧૪ થી ૧૮ ઓગસ્ટ સુધી લોકમેળો ચાલશે. લાખોની સંખ્યામાં લોકો લેશે મેળાનો લાભ લેશે. જેમાં મેળામાં
રમકડાંના ૧૧૦ સ્ટોલ
નાની ચકરડી ૧૮
મધ્યમ ચકરડી ૩
ખાણીપીણી અને આઇસ્ક્રિમ ૬૮ સ્ટોલ
યાંત્રિક રાઇડ્સ ૩૪
કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા
રેસકોર્ષ રિંગરોડને જોડતા ૮ રસ્તાઓ પર વાહનચાલકો માટે પ્રતિબંધ
૧૪ સ્થળોએ ફ્રિ પાર્કિંગ
વાહનચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી રખાશે.
૨ ડીસીપી,૩ એસીપી,૧૫ પીઆઇ સહિત ૧૭૦૦થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે,
મેળામાં ૧૪ વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરા સજ્જ રહેશે.
NDRF અને SDRFની ટીમો મેળામાં તૈનાત રહેશે.
ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટૂ રહેશે.
ભીડને કન્ટ્રોલ કરવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
લોકમેળામાં આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ખડેપગે રહ્યું હતું. ચકડોળમાં યુવક ફસાતા તેને હાઇડ્રોલિક સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યો હતો. આગ લાગતા ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ દ્વારા કામગીરી કરાઈ હતી.
* *બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ*
4
Report
GDGaurav Dave
FollowAug 13, 2025 10:45:22Rajkot, Gujarat:
SLUG - 1308ZK_LIVE_RJT_CRIME_CONFARANCE
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED SEND TVU 75
એન્કર - જન્માષ્ટમી પર્વને લઇને રાજકોટ રેન્જ દ્રારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી અંગે પોલીસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર ખાતે ૬ ઝોનમાં પોલીસ તૈનાત રહેશે. ૨ ડીવાયએસપી,૧૯ પીઆઇ-પીએસઆઇ,૧૬૧ પોલીસ જવાનો મળીને કુલ ૩૫૬ જેટલો પોલીસનો બંદોબસ્ત રહેશે. બેટ દ્વારકા ખાતે પણ વિશેષ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનના માધ્યથી જગત મંદિરની સુરક્ષા કરાશે. મંદિર પરિસરને પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે.
બાઇટ-અશોકકુમાર યાદવ,રેન્જ આઇજી,રાજકોટ રેન્જ
જન્માષ્ટમી પર્વ પર લોકમેળા અને શોભાયાત્રાને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય,સુરેન્દ્રનગર,મોરબી,જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૯૦થી વધારે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે. રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત ૪૪ નાના મોટા લોકમેળાનું આયોજન
લોકમેળાને લઇને વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે. દરેક સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. CCTV કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે.
AI ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. રેન્જ આઇજી અશોકકુમાર યાદવે લોકોને કરી અપીલ
ધાર્મિક કાર્યક્રમો લોકો શાંતિ અને સુરક્ષા સાથે ઉજવે
સોશિયલ મિડીયામાં આપતિજનક પોસ્ટ ન મૂકે
જો કોઇ વ્યક્તિ સોશિયલ મિડીયામાં આપત્તિજનક પોસ્ટ મૂકશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
બાઇટ-અશોકકુમાર યાદવ,રેન્જ આઇજી,રાજકોટ રેન્જ
રાજકોટ જેતપૂર સિક્સ લેન હાઇવેમાં ટ્રાફિકની વ્યવસ્થાને લઇને રેન્જ આઇજી અશોક કુમાર યાદવે નિવેદન આપતા કહ્યું હતું કે, તહેવારોના સમયમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા થાય છે. ટ્રાફિકને લઇને વિશેષ વ્યવસ્થા હાથ ધરાશે.ડાયવર્ઝનને લઇને પણ ટ્રાફિક વ્યવસ્થા કરાશે. લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાશે.
બાઇટ- અશોકકુમાર યાદવ,રેન્જ આઇજી,રાજકોટ.
6
Report
GDGaurav Dave
FollowAug 13, 2025 10:36:58Rajkot, Gujarat:
SLUG - 1308ZK_LIVE_RJT_MELO_TAIYARI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવતીકાલથી ખુલ્લો મુકવામાં આવશે. રાજ્યના કૃષિ તેમજ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. આગામી પાંચ દિવસ સુધી લાખો લોકો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાની મુલાકાત લેવાના છે. ત્યારે લોકમેળાને લઈ તમામ તૈયારીઓ લોકમેળા સમિતિ દ્વારા જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ લોકમેળો શરૂ થાય તે પૂર્વે ફાયર વિભાગ તેમજ 108ની ટીમ દ્વારા મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે લોકમેળા ક્યાં ક્યાં આકર્ષણો હશે તે અંગે જુઓ અમારો આ રિપોર્ટ
વિઓ - 1
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 14 મી ઓગસ્ટ થી 18 મી ઓગસ્ટ સુધી લોકમેળો યોજવાનો છે. ત્યારે લોકમેળાને લઈ લોકમેળા સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ સાથે મળીને લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. લોકમેળામાં બે ડીસીપી સહિત 1941 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. તો સાથો સાથ 14 જેટલા વોચ ટાવર ઉપરથી બાજ નજર પણ રાખવામાં આવશે. લોક મેળાને લઈ રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી 14 જેટલી જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ વાહનોને અવરજવરને લઈ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ રીંગરોડને જોડતા આઠ જેટલા રસ્તાઓ ઉપર ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા સિવાયના વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ વાહન ચોરી અટકાવવા માટે પાર્કિંગમાં સીસીટીવી દ્વારા નજર પણ રાખવામાં આવશે.
બાઈટ : વિનાયક પટેલ, એસીપી ટ્રાફિક વિભાગ, રાજકોટ શહેર
ચાલુ વર્ષે લોકમેળામાં 110 જેટલા રમકડાના સ્ટોલ, 8 જેટલી નાની ચકરડી, 3 જેટલી મધ્યમ ચકરડી, તેમજ 68 જેટલા ખાણીપીણી તેમજ આઈસ્ક્રીમના સ્ટોલ તો સાથો સાથ 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મજા લોકો માણી શકશે. મેળામાં સુરક્ષાની દ્રષ્ટિએ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. ફાયરની ટીમ તેમજ 108ની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે. ભીડને કંટ્રોલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
બાઈટ : ડો.ઓમ પ્રકાશ, જીલ્લા કલેક્ટર, રાજકોટ
વિઓ - 2
આવતીકાલે રાંધણ છઠ થી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ મોકડ્રીલ લોકમેળા સ્થળે યોજવામાં આવી હતી. મોકડ્રીલ સમયે ખુદ જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશ હાજર રહ્યા હતા. લોકમેળામાં કોઈ કારણોસર ફજત ફાળકામાં આગજનીનો બનાવ સામે આવે ત્યારે કઈ રીતે કેટલા સમયમાં આગ બુજાવી શકાય? તેમજ કઈ રીતે ફજત ફાળકામાં બેઠેલા લોકોનું રેસ્ક્યુ કરી શકાય તેમજ કેટલા સમયમાં કરી શકાય તે સહિતની બાબતો અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી.
બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જીલ્લા કલેક્ટર, રાજકોટ
વિઓ - 3
ગત વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં વરસાદ વેરી બન્યો હતો. શરૂઆતમાં તંત્રના કડક વલણના કારણે યાંત્રિક રાઇડને મંજૂરી મોડી મળી હતી. તો સાથો સાથ મંજૂરી મળ્યા બાદ પણ સતત વરસાદી માહોલ રહેતા કલેક્ટર તંત્ર દ્વારા પ્લોટ તેમજ સ્ટોલની ખરીદી કરનારા લોકોને પૈસા પરત આપવાની ફરજ પણ પડી હતી. ત્યારે ચાલુ વર્ષે વરસાદ વેરી બને છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
વોકથ્રુ - ગૌરવ દવે
6
Report
CPCHETAN PATEL
FollowAug 13, 2025 10:36:40Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
આંગણીયા પેઢીમાં RTGS થી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાય
સરથાણા પોલીસ દ્વારા 12,50,000 ના મુદ્દા માલ સાથે આ ટોળકીને ઝડપી પાડવામાં આવી
સરથાણા પોલીસ દ્વારા કિશોર ઘોડાદરા, કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરવામાં
ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે જોડાયેલા છે
આ ત્રણેય આરોપીઓએ આંગણીયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો પાસેથી RTGS પૈસા લીધા હતા
આરોપીઓએ પૈસા RTGS કરવાના બહાને ફરિયાદી પાસેથી 1લાખ રૂપિયા કમિશન અને 50 લાખ રૂપિયા RTGS કરવાના લીધા હતા
ત્યારબાદ ફરિયાદીને પૈસા RTGS કર્યા ન હતા
આમ 51 લાખ રૂપિયાની છેતરપિંડી આરોપીઓએ સાથે મળી ફરિયાદી સાથે કરી
આ મામલે સરથાણા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે 12,50,000 રોકડા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
બાઈટ - આલોક કુમાર , DCP સુરત પોલીસ
10
Report
DPDhaval Parekh
FollowAug 13, 2025 10:33:37Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : હમીમ સર...
સ્લગ : NVS DARU MEHFIL
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : જલાલપોરના આસણા ગામની પ્રાથમિક શાળામાં વિદેશી દારૂની મહેફિલ માણતા યુવાનોનો વીડિયો ઉતારી નજીકમાં રહેતા યુવાને વાયરલ કરતા, ગત રોજ અંદાજે 50 લોકોનું ટોળુ યુવાનના ઘરે પહોંચી ઝઘડો કરીને માર મારવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે શિક્ષાના ધામમાં દારૂની મહેફિલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
વી/ઓ : નવસારીના જલાલપોર તાલુકાના આસણા ગામના માહ્યાવંશી ફળિયા નજીક આવેલી વર્ગ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા શાળાને નજીકની શાળામાં બંધ કરવામાં આવી હતી. જેથી શાળાનું મકાન થોડા મહિનાઓથી બંધ પડ્યું છે. આસણા વર્ગ શાળાના આ બંધ મકાનને અસમાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી રહ્યા છે. ત્યારે ગત રક્ષાબંધનના દિવસે કેટલાક યુવાનો આ બંધ વર્ગ શાળાના ઓટલે વિદેશી દારૂની મેહફીલ માણતા નજીકમાં જ રહેતા રાહુલ રાઠોડે જોયા હતા. જેથી રાહુલે તેમને શાળા પરિસરમાં દારૂ ન પીવા સમજાવ્યા, પણ તેઓ માન્યા નહીં. જેથી રાહુલે વિદેશી દારૂ પી રહેલા યુવાનોનો વીડિયો બનાવી, ગામના સરપંચને મોકલ્યો હતો અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે સરપંચે શાળાની નજીકમાં રહેતા ડેપ્યુટી સરપંચને જાણ કરી આવી ઘટના ફરી ન બને એનું ધ્યાન રાખવા સૂચના આપી હતી. સાથે જ યુવાનાઓ ગામના છે કે કેમ એની તપાસ પણ કરી હતી. પણ દારૂ મહેફિલ માણતા યુવાનો બહારના હોવાનું જણાયું હતું.
બાઈટ : ફુઝૈલ પટેલ, સરપંચ, આસણા ગામ, નવસારી
વી/ઓ : રાહુલ રાઠોડે બંધ પડેલી શાળામાં દારૂ મહેફિલ માણતા યુવાનોનો વીડિયો વાયરલ કરતા ગત રોજ સાંજે ગામના કેટલાક લોકો રાહુલના ઘરે પહોંચ્યા હતા અને તેને વીડિયો કેમ વાયરલ કર્યો, એ મુદ્દે ધમકાવ્યો હતો. સાથે જ રાહુલને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે રાહુલના પિતા ખંડુ રાઠોડે મરોલી પોલીસ મથકે અરજી કરી હતી.
બાઈટ : ખંડુ રાઠોડ, રાહુલના પિતા, આસણા ગામ, નવસારી
જ્યાં યુવાનો દારૂ મહેફિલ માણી રહ્યા હતા, એ બંધ શાળામાંથી વોક થ્રૂ કર્યુ છે...
6
Report
TDTEJAS DAVE
FollowAug 13, 2025 10:04:03Mehsana, Gujarat:
વિજાપુર નકલી પનીર બનાવતી ફેક્ટરી નો મામલો
પનીર માફિયા ના ત્યાં ફૂડ વિભાગે દારોડો પાડ્યો હતો
મોટી માત્રા માં પામોલિન માંથી પનીર બનાવવા નો જથ્થો ઝડપાયો હતો
રેડ બાદ ઝી 24 કલાક ની ટિમ પર હુમલા કેસ માં પનીર માફિયા પોલીસ કસ્ટડી માં છે
પનીર માફિયા દિનેશ પટેલ ની ફેક્ટરી નું ફૂડ લાયસન્સ રદ્દ થયું
મહેસાણા ફૂડ વિભાગે ડીવાઇન ફૂડ ફેક્ટરી નું લાયસન્સ રદ્દ કર્યું
એન્કર; - મહેસાણા જિલ્લા વિજાપુર માં ડીવાઇન ફૂડ નામ ની ફેક્ટરી માં નકલી પનીર બનાવવા નો કાળો કારોબાર ઝડપાયા બાદ એક પછી એક કાનૂની કાર્યવાહી નકલી પનીર માફિયા દિનેશ પટેલ સામે થઈ રહી છે.નકલી પનીર માફિયા ના ત્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ના દરોડા બાદ પામોલિન તેલ માંથી પનીર બનાવવા નું સામે આવ્યું હતું અને ત્યાં કવરેજ કરવા ગયેલા ઝી 24 કલાક ની ટિમ ઉપર પનીર માફિયા દિનેશ પટેલે હુમલો કર્યો હતો.પનીર માફિયા ના હુમલા બાદ દિનેશ પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ માં નકલી પનીર માફિયા દિનેશ પટેલ ની ધરપકડ મહેસાણા એલસીબી એ કરી છે અને હાલ માં પોલીસ કસ્ટડી માં દિનેશ પટેલ ત્રણ દિવસ ના રિમાન્ડ ઉપર છે.જોકે પોલીસ વિભાગ ની કડક કાર્યવાહી બાદ હવે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે પણ નકલી પનીર માફિયા ની ફેક્ટરી નું ફૂડ લાયસન્સ રદ્દ કરતા અખાદ્ય એવી પનીર, બટર,ચીઝ અને માવા જેવી નકલી ખાદ્ય વસ્તુઓ બનાવતી ફેક્ટરી માલિકો માં ફફડાટ વ્યાપી ગયો છે.
બાઈટ; -મિલાપ પટેલ-- -- -- -- ડીવાયએસપી
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
Report
TDTEJAS DAVE
FollowAug 13, 2025 10:03:49Mehsana, Gujarat:
એન્કર; - ઊંઝાના વણાગલા-હાજીપુર રોડ પરથી મળી આવેલી એક યુવકની લાશે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલાનો ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ લાવી દીધો છે. અને આ કેસમાં ખુદ મૃતકનો સગો મોટો ભાઈ જ હત્યારો નીકળતા સૌ કોઈ ચોંકી ગયા છે. આ કેસનો ઊંઝા પોલીસે કઈ રીતે પર્દાફાશ કર્યો અને હત્યારાનો પર્દાફાશ કેવી રીતે થયો, જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં.
વિઓ; -1 ઊંઝાના હાજીપુર-વણાગલા રોડ પર એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રોડની બાજુમાં આવેલા એક ખેતરમાંથી 26 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. પોલીસને જાણ થતાં જ ઊંઝા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં, મૃતકની ઓળખ થઈ ન હતી. પરંતુ તપાસ દરમિયાન યુવક વણાગલા ગામનો મહેશ ઉર્ફે લતીફ ભગવાનભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. આ યુવકની ગંભીર ઇજાઓ જોતા, પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી.ઊંઝા પોલીસની અલગ-અલગ ટીમો આ કેસનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધી હતી. મૃતકનો પરિવાર અને નજીકના સંબંધીઓની પૂછપરછ દરમિયાન પોલીસને કેટલીક શંકાસ્પદ વિગતો મળી હતી. પોલીસે મૃતકના મોટા ભાઈ સુહાગ ભગવાનભાઈ ચૌધરી અને તેના મામાના દીકરા ભરત કચરાભાઈ ચૌધરી પર શંકાની સોય તાણી હતી. આ દરમિયાન, પોલીસને જાણ થઈ કે ઘટનાવાળા દિવસે સુહાગ તેના શરીર પર થયેલી ઈજાઓની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો અને તેણે આ ઇજાઓ ગાયે માર મારતા થઈ હોવાનું ખોટું બહાનું પણ આપ્યું હતું.
બાઈટ; -મિલાપ પટેલ-- -- -- -ડીવાયએસપી
વિઓ; -2 પોલીસની સઘન પૂછપરછમાં, સુહાગે આખરે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે જણાવ્યું કે રવિવારની રાત્રે મહેશ ઉર્ફે લતીફ તેની માતા પાસે પૈસા માગી રહ્યો હતો અને બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો વકર્યો કે સુહાગે ઉશ્કેરાઈને ધારદાર હથિયારથી મહેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે મહેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.હત્યા બાદ, સુહાગે આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા માટે તેના મામાના દીકરા ભરતની મદદ લીધી હતી. બંનેએ મહેશની લાશને એક કોથળામાં ભરીને વણાગલા-હાજીપુર રોડ પર આવેલા ખેતરમાં ફેંકી દીધી હતી.
બાઈટ; -મિલાપ પટેલ-- -- -- -- -ડીવાયએસપી
આ સમગ્ર ઘટના બાદ, પોલીસે બંને આરોપીઓ સુહાગ ભગવાનભાઈ ચૌધરી અને ભરત કચરાભાઈ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના કાકાની ફરિયાદના આધારે, પોલીસે બંને હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
13
Report
URUday Ranjan
FollowAug 13, 2025 10:03:24Ahmedabad, Gujarat:
Slug : 1308ZK_LIVE_AHD_AROPI_HUMLO
Reporter : UDAY RANJAN
Injgst Feed : 1308ZK_LIVE_AHD_AROPI_HUMLO
Date : 13 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા મોબાઇલ વીડિયો ઉપયોગ માં લેવા જૂના આપ્યા છે તે
એન્કર :
રવિવાર ની મધરાત્રે અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તાર માં એક કાર ચાલકે બે એકટીવા ચાલકને હડફેટે લેતા બે યુવાન ના મોત થયા હતા ત્યારે કારચાલક ને કોર્ટ માં રજૂ કરવા સમયે મૃતક ના સગાએ આરોપી પર હુમલો કર્યો હતો , હુમલો કરનાર મૃતક ના સગા અને મિત્રો ની કારંજ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
વીઓ: 01
અમદાવાદ ના સેટેલાઇટ ના શિવરંજની વિસ્તાર માં રવિવારની મધરાત્રી એ એક કાર ચાલક રોહન સોની દ્વારા અસ્ક્માત સર્જતા એકટીવા ચાલક બે યુવક અકરમ અલ્તાફ કુરેશી તથા અશફાક ઝાફર હુશેન નું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ત્યારે એન ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલક રોહન સોની ની ધરપકડ કરી ને કોર્ટ માં રજૂ કરવા માં આવ્યો હતો ત્યારે કોર્ટ નીચે મૃતક અકરમ અલ્તાફ કુરેશી તથા અશફાક ઝાફર હુશેન ના સગા અને મિત્રો એ અક્સ્માત કેસના આરોપી રોહન સોની પર એન ટ્રાફિક પોલીસ ની કસ્ટડી માં જ હુમલો કરી માર મારવા માં આવ્યો હતો ત્યારે એન ટ્રાફિક પોલીસ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બાબતે ફરિયાદ નોંધાવી હતી
બાઈટ : પી ટી ચૌધરી, પીઆઈ , કારંજ પોલીસ સ્ટેશન
વીઓ : 02
ત્યારે કરંજે પોલીસે માર મારવા ના અને હુમલો કરવા ના કેસ માં વિડીયો માં દેખતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવા માં આવી હતી અને વીડિયો ના આધારે ઓળખ કરવા ની શરૂવાત કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે મૃતક અકરમ અલ્તાફ કુરેશી મિત્રો આદિલ યુસુફ શેખ , સાહીદ મિર્ઝા તથા અશફાક ઝાફર હુશેન ના સાળા ઉજેફ લિયાકતભાઇ અજમેરી આયમન અને આરીફ હુસૈન થાય છે જેમણે મૃતક નો બદલો લેવા અને રોષ માં આવી ને આરોપી રોહન સોની પર હુમલો કર્યો હતો
બાઈટ : પી ટી ચૌધરી, પીઆઈ , કારંજ પોલીસ સ્ટેશન
વીઓ : 03
ત્યારે કારંજ પોલીસ ની પ્રાથમીક તપાસ માં સામે આવ્યું છે કે બે સાળા અને બે મિત્રો ની ધરપકડ કરી છે અને પૂર્વ આયોજિત કાવતરૂ કર્યું હતું કે શું તે દિશા માં તપાસ શરૂ કરી છે ત્યારે પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે હુમલો કરવા સમયે હુમલો કરનાર આરોપીઓ બોલી રહ્યા હતા કે ઇસને અપને આદમી કો મારા હે, ઇસ કો ભી માર ડાલો ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ ની હાજરી અને પોલીસ ના કબજા માં આ પ્રકારે હુમલો કરવો કેટલોક યોગ્ય છે ?
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
13
Report
AKAshok Kumar
FollowAug 13, 2025 09:46:29Junagadh, Gujarat:
આજે નાગ પાંચમના પવિત્ર દિવસે કેશોદ નજીક આવેલા માલબાપાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા લઈ આવે છે અને માલ બાપાને શીશ નમાવે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડે છે. આવો જાણીએ માણેકવાડાનો ઇતિહાસ.
જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર જૂનાગઢથી આશરે 30 કિલોમીટર અને કેશોદથી 15 કિલોમીટર દૂર સાબરી નદીના કિનારે વસેલું નાનકડું પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતું માણેકવાડા ગામ, કાઠિયાવાડમાં નાગદેવતાના પાવન સ્થાન માલબાપાના મંદિર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. આ મંદિરનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. પરંતુ તેના પાછળની લોકકથા અને ચમત્કારિક ઘટનાઓ તેને અનોખું સ્થાન આપે છે.
માણેકવાડા ગામ સાથે લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીનું નામ પણ જોડાયેલું છે. કારણ કે તેમનું મૂળ વતન પણ માણેકવાડા જ છે. લોકકથા મુજબ, માલબાપાના બે ભાઈઓ અને એક બહેન હતા—ભાઈ રગતીયાબાપા વંથલી નજીક ઓઝત નદીના કાંઠે બિરાજે છે. જ્યારે ખુંભીયાબાપા ખુંબડી ગામે સ્થિત છે અને બહેન કાળીનાગનું મંદિર કણજામાં આવેલું છે. આ ચારેય સ્થાન સૌરાષ્ટ્રના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
ગામના વરિષ્ઠ શ્રદ્ધાળુ જગમાલભાઈ ડાંગરે જણાવ્યા મુજબ, જૂના સમયમાં માણેકવાડા, મઘરવાડા અને સેંદરડા ગામ વચ્ચે જમીનના સીમાડાને લઈને લાંબો સમય વિવાદ ચાલતો હતો. અનેકવાર જરીફો માપણી કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો. એક દિવસ ત્રણે ગામના લોકો સીમ વિસ્તારમાં ભેગા થયા અને વાતચીત કરતાં કરતાં તણાવ એટલો વધી ગયો અનેક વખત ગામના સીમાડાઓ મુદ્દે વિવાદ સર્જાતો. એ સમયે અચાનક એક વિશાળ અને ભવ્ય નાગ સામેથી આવતા દેખાયો. કોઈએ મશ્કરીમાં કહ્યું—“આ નાગદેવતા જ અમારો સીમાડો નક્કી કરે તો?”
ત્રણેય પક્ષોએ હાથ જોડીને નાગને પ્રાર્થના કરી કે તેઓ દેવપ્રાણી તરીકે સત્ય અને ન્યાયથી સીમાડો નક્કી કરે. નાગે ફણ સીધી કરી અને આગળ વધ્યો—જે રસ્તે ફણની લીટ પડી, ત્યાં સરહદની દોરી બાંધી દેવામાં આવી. લોકો નાગની પાછળ-પાછળ ચાલતા રહ્યા અને આનંદિત થઈ બોલતા રહ્યા—વાહ બાપા! વાહ મારા દેવતા.
માર્ગમાં નાગ એક વિકટ જગ્યાએ પહોંચ્યો—કેરડાના ઝાડનું સુકાયેલું, અણીદાર થડ બરાબર સીમાડા ઉપર હતું. નાગે પળભર વિચાર કર્યો, કારણ કે કઈ બાજુ વળે તો એક બાજુના લોકોની એક તસુ જમીન કપાઈ જશે. અંતે તેણે સીધો માર્ગ અપનાવ્યો—કેરડાના થડ ઉપર ચડ્યો, અણીમાં તેની ફણ અટવાઈ ગઈ અને બીજી બાજુ ઉતરતાં પૂંછડી સુધી ચિરાઈ ગયો. ત્યારથી આ સ્થળ “સીમાડે સર્પ ચિરાણો” તરીકે ઓળખાય છે.
આજ પણ નદીના સામેના કાંઠે તેની ડેરી છે. જેને “માલ” કહેવામાં આવે છે. માલબાપા અનેક કાઠિયાવાડી કુટુંબોના કુળદેવતા છે. અહીં વર-કન્યાના વિવાદો, છેડાછેડી જેવી માનતાઓ પૂરી થાય છે. કથા મુજબ, એક બહેને માલબાપાની માનતા ઉતારતી વખતે આંખમાં દોરખું આંજતા ઝોકો લાગતાં, તા. 6 જૂન 1976ના રોજ માલબાપાએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને દૂધ પણ લીધું હતું. ત્યારથી આજદિન સુધી હજારો શ્રદ્ધાળુઓ અહીં આવી પોતાની માનતાઓ પૂરી કરે છે અને પરચા મેળવે છે.
હિંદુ સંસ્કૃતિમાં નાગદેવતાનું મહત્વ અતિ વિશાળ છે—શિવજીના ગળામાં વળાયેલો નાગ, વિષ્ણુ શયન કરતી શેષનાગ, તથા પુરાણોમાં વર્ણવાયેલા અનંત, વાસુકી, તક્ષક, કાર્કોટક જેવા પ્રખ્યાત નાગોની કથાઓ ભક્તિ અને આસ્થા જગાવે છે. માણેકવાડાના માલબાપા એ પરંપરાનો જીવંત પ્રતીક છે. જ્યાં ઈતિહાસ, લોકકથા અને શ્રદ્ધા એકસાથે મળે છે.
દર વર્ષે નાગપંચમીના પાવન દિવસે અહીં વિશેષ પૂજા, અર્ઘ્ય અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. કાઠિયાવાડ સહિત દૂર-દૂરથી ભક્તો અહીં આવી પોતાના જીવનના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. નાગદેવતા અને શ્રદ્ધાળુઓ વચ્ચેની આ અનોખી સંબંધ ગાથા, કાળક્રમે આજ સુધી એટલી જ જીવંત અને પ્રેરણાદાયક છે.
જ્યાં આજે હજારો ભાવિકો માલબાપાના દર્શને આવે છે અને શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે.અને આજના પાંચમના દિવસે ખાસ માલબાપાની પૂજા અર્ચના કરવા બહોળી સંખ્યામાં બહેનો આવે છે.
બાઈટ. નિશા બેકથરિયા
બાઈટ નરેન્દ્ર વ્રજલાલ જોષી
બાઈટ લક્ષ્મણ જગા ડાંગર
અશોક બારોટ
જુનાગઢ
12
Report
TDTEJAS DAVE
FollowAug 13, 2025 09:16:46Mehsana, Gujarat:
મહેસાણા માં તહેવારો ટાણે જ ગેસ ના બાટલા ની અછત
ગેસ ની ઓફિસ બહાર સ્ટોક નથી ના બોર્ડ લાગ્યા
ગેસ ના બાટલા લેવા ગ્રાહકો ની લાંબી લાઈનો લાગી
બે દિવસ થી ગેસ ના બાટલા ની અછત હાલાકી
ગેસ નો બાટલો લેવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે
એન્કર; -હાલ માં શ્રાવણ માસ માં તહેવારો આવ્યા છે તો બીજી તરફ મહેસાણા શહેર માં ગેસ ના બાટલા માટે લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.એક તરફ આવતીકાલે રાંધણ છઠ છે અને લોકો એ ગેસ ના બાટલા લેવા લાઈનો માં ઉભા રહેવા નો વારો આવ્યો છે.છેલ્લા બે દિવસ થી મહેસાણા શહેર માં ભારત ગેસ કંપની ની ઓફિસ બહાર ગેસ ના બાટલા લેવા વાળાઓની લાંબી લાઈનો લાગી છે. રાંધણ છઠ,શીતળા સાતમ અને જન્માષ્ટમી ના તહેવારો છે ત્યારે ગેસ ના બાટલા ની અછત ના કારણે તહેવારો ઉજવવા લોકો માટે મુશ્કેલ બન્યા છે.ગેસ ની ઓફિસ બહાર સ્ટોક નથી ના બોર્ડ લાગ્યા છે એ સંજોગો માં તહેવારો ઉજવવા અને ઘર નો ચુલો જલાવવા મહેસાણા વાસીઓને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
બાઈટ; -સચિન ઠાકોર-- -- -- -- ગ્રાહક
બાઈટ; -રાકેશ શાહ-- -- -- -- મેનેજર પી બી પટેલ ભારત ગેસ એજન્સી
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
Report
DRDarshal Raval
FollowAug 13, 2025 09:05:50Ahmedabad, Gujarat:
અમદાવાદ
ખોખરામાં અનુપમ સિનેમા પાસે nsui નો વિરોધ
પ્રગતિ સ્કૂલ ખાતે nsui ના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ
સ્કૂલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના nsui ના આક્ષેપ
સ્કૂલમાં નવી બિલ્ડીંગમાં ટેરેસ પર મંજૂરી વગર શેડ બનાવ્યા હોવાના nsui ના આક્ષેપ
શેડમાં કલાસ રૂમ ચાલતા હોવાના nsui ના આક્ષેપ
સ્કૂલમાં મંજૂરી વગર કેટલાક બાંધકામ થયા હોવાના પણ આક્ષેપ
Nsui એ ગેરકાયદે બાંધકામ દૂર કરવા કરી માંગ
તો વાલીઓ એ પણ સમગ્ર મામલે તપાસ થાય તેવી કરી માંગ
તો આ તરફ શાળા તરફથી પણ કરવામાં આવ્યો ખુલાસો
57 વર્ષ જૂની શાળામાં 2500 ઉપર વિદ્યાર્થી કરે છે અભ્યાસ
સ્કૂલમાં 5 વર્ષ પહેલા શેડ બનાવાયા નો શાળા નો ખુલાસો
શાળાના ટ્રસ્ટીએ શેડ મામલે ઇમપેક્ટ ફી ની પ્રોસેસ કરી હોવાનો કર્યો ખુલાસો
શાળા અને બાળકોની સુરક્ષા સાથે તેની તમામ જવાબદારીઓ પણ ટ્રસ્ટીએ સ્વીકારી
શેડમાં સ્ટોર રૂમ બનાવ્યો હોવાનો ટ્રસ્ટીએ કર્યો ખુલાસો
વિઝ્યુલ. 121 અને બાઈટ
બાઈટ. કોશાબેન. ટ્રસ્ટી
સલગ. Nsui વિરોધ
ફીડ. લાઈવ કીટ
વોટ્સપ ફીડ પણ લેવી.
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 13, 2025 09:05:00Sadhara, Gujarat:
Rajendra Thacker kutch
Approved: assignment
Location: bhartngr rudramata 40km
FTP KUTCH 1308ZK_ZEEIMPACT_SHADASTART
Zee મીડિયા ઇમ્પેક્ટ
કચ્છમાં શિક્ષણ ની પરિસ્થિતિ અંગે ઘણા બધા અહેવાલો બહાર આવી રહ્યા છે ત્યારે ભુજ તાલુકાની ભારતનગર પ્રાથમિક શાળા માં ઓરડા જ નથી તો ટેમ્પ્રેરી પતરાવાળા મદ્રેસા અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાઈ આ બધું જ અહેવાલ Zee મીડિયા એ પ્રસારિત કર્યો હતો
કચ્છમાં શિક્ષણ ની લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે ભુજ તાલુકાના ભારતનગર શાળામાં શાળાના ઓરડાઓ નહોતા તેમજ શિક્ષકોની ઘટ ને લઈને154 જેટલા વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ કર્યા બાદ
મીડિયામાં સરકારની અવલોકના અંગે સમાચારો પ્રસિદ્ધ થયા હતા ત્યારે
શિક્ષણ તંત્ર અને સરકાર સફારી જાગી હતી મીડિયાના અહેવાલો બાદ તેમજ આગેવાનોએ સાંસદ અને ધારાસભ્ય પાસે રજૂઆત કરતા સરકારે આ વર્ષો જૂની લોકોની માંગણીને સંતોષી અને શાળાને મંજૂરી આપી છે.
ત્યારે આજે ભારત નગરના લોકોએ આનંદવ્યક્ત કર્યો તેમજ ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો આભાર વ્યક્ત કરવાનો એક સન્માનનો કાર્યક્રમ પણ અહીં રાખવામાં આવ્યો હતો.
વોકથરું સાથે tiktak સિકંદર સુમરા
સ્થાનિક આગેવાન
તો આ વિસ્તારના ધારાસભ્ય એવા ત્રિકમભાઈ છાંગાએ પણ અહીંની શાળા મંજૂર થવાની અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે
બાઈટ : ત્રિકમ છાંગા ધારાસભ્ય અંજાર
તો વિદ્યાર્થીઓની એ પણ આ અંગે જીમિંદિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આ નવી શાળા માં હું અભ્યાસ કરીશ અને શિક્ષક પણ બનીશ હવે એ સારી રીતે અભ્યાસ કરી શકશે એનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો
રાજેન્દ્ર ઠક્કર Zee મીડીયા કચ્છ
14
Report
DRDarshal Raval
FollowAug 13, 2025 09:03:20Ahmedabad, Gujarat:
અમદાવાદ
હવે રખડતા શ્વાનને શહેરની હદ બહાર ખસેડાશે
એએમસી શ્વાનને રાખવા માટે કેટલ પોન્ડની જેમ જગ્યા બનાવશે
શહેરમાં વધતા જતા રખડતા શ્વાનના આતંકને ઘટાડવા માટે એએમસીએ લીધો નિર્ણય
એમ સી ના આ નિર્ણયને શહેરીજનોએ વધાવ્યો
મણીનગરમાં યુગાન્ડા પાર્ક સોસાયટી ના રહીશોએ સ્વાનના આતંકની વેદના જણાવી
સોસાયટી સાથે અમદાવાદના શહેરના રસ્તા ઉપર આતંક હોવાનું લોકોનું નિવેદન
ઘરે જતા કે બહાર નીકળતા બીક લાગતી હોવાનું પણ લોકોનું નિવેદન
એએમસીના આ નિર્ણયથી રખડતા સ્વનનો આતંક ઘટશે તેવી લોકોને આશા
શહેરમાં રોજ સરેરાશ 200 ઉપર લોકોને શ્વાન કરડતા હોવાનો અંદાજ
છેલ્લા 7 મહિનામાં 43 હજાર ઉપર ને કરડ્યા શ્વાન
હડકવા વિરોધી રસી પાછળ 7 મહિનામાં 4 કરોડ ઉપર ખર્ચ થયો
Amc ને 4 મહિનામાં રખડતા શ્વાન ની 5 હજાર ઉપર ફરિયાદ મળી
સૌથી વધુ જાન્યુઆરીમાં 7 હજાર ઉપર અને ફેબ્રુઆરીમાં 6 હજાર ઉપર ને શ્વાન કરડયા
Amc ના આ નિર્ણયથી શ્વાનના આતંક અને ખસિકરણ અને રસીકરણ નો પણ ખર્ચ ઘટશે તેવો અંદાજ
વિઝ્યુલ અને 121
સલગ. રખડતા શ્વાન
ફીડ. લાઈવ કીટ
14
Report
GPGaurav Patel
FollowAug 13, 2025 08:50:35Ahmedabad, Gujarat:
Bz સ્કીમ કેસમાં આરોપી ભુપેન્દ્ર ઝાલાને નિચલી કોર્ટમાં૫ કરોડ જમા કરાવવા હાઇકોર્ટનો આદેશ
રૂપિયા જમા કરવા અંગે બાંહેધરી આપવા કોર્ટે કહ્યુ
મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ની નિયમિત જામીન અરજી પર ગઇ કાલે હાથ ધરાઇ હતી સુનાવણી
બચાવ પક્ષ તરફ એડવોકેટ વિરલ પંચાલએ કોર્ટ સમક્ષ કરાઈ દલીલો
છેલ્લા 8 માસ થી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જેલ માં
સમગ્ર કેસ માં ધરપકડ થઈ ત્યાં સુધી નથી થયા અમે ડિફોલ્ટ - બચાવ પક્ષ
જેલમાંથી આરોપી બહાર આવશે તો તમામ નાણાં ચૂકવશે તેવી કોર્ટ સમક્ષ અપાઈ ખાતરી
બચાવ પક્ષ ના વકીલે GPID કોર્ટ માં ૧૦ દિવસમાં 5 કરોડ રૂપિયા જમા કરવાની આપી બાહેધરી
સરકારે જામીન અરજી નો કર્યો વિરોધ
અગાઉ GPID કોર્ટમાં પણ આરોપી આ પ્રકારની વાત કરી ચૂક્યા છે
બને પક્ષે દલીલો સાંભળી 21 ઓગસ્ટ વધુ સુનાવણી હાથ ધરાશે
NP
14
Report
GPGaurav Patel
FollowAug 13, 2025 08:47:12Ahmedabad, Gujarat:
અમદાવાદ
એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહે લખ્યો પત્ર
સીએમ ભુપેન્દ્ર પટેલને અશાંતધારા મુદે લખ્યો પત્ર
પાલડી વિસ્તારમાં અશાંતધારાના નિયમનું ઉલ્લંઘન ઉલ્લેખ
લઘુમતી સમાજ દ્વારા ગેરકાયદે મકાન બાંધકામ થયુ હોવાન આરોપ
પ્રદેશ કોંગ્રેસ ઓફિસની નજીક થી કોચરબ આશ્રમ સુધી અનેક જગ્યા પર નિયમ વિરૂદ્ધ બાંધકામ
હિન્દુ જગ્યા પર લઘુમતી સમાજ દ્વારા બંગ્લોઝ બનાવાયો
તાત્કાલિક ધોરણે બંગલો તોડવા એએમસી , કલેક્ટરેને માંગણી કરી
નૂતન સર્વોદય સોસાયટીમાં બે બગ્લા ભેગા કરી એક બંગલો બનાવ્યો
અશાંતધારાના નિયમને નેવે મુકી બંગલો તૈયાર કરાયો - અમિત શાહ
પાલડી વિસ્તારની અનેક સ્થળ પર અશાંતધારાના નિયમ વિરૂદ્ધ બાંધકામ
આશ્રમ રોડને જુહાપુરા બનતા રોકવા કરાઇ માંગણી - અમિત શાહ
આગામી સમયમાં સિદ્ધીગીરી ફ્લેટ , કોઠાવાલા ફ્લેટ ટાર્ગેટ
અમિત શાહનું નિવેદન
અશાંત ધારાનો ભંગ કરી મિલ્કત લીધી હોય તેની સામે પગલાં લેવામાં આવે
જો કોઇ બાંધકામ કર્યા હોય તો દુર કરવામાં આવે
પાલડી મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન કહેતુ હતું કે આખું બાંધકામ તોડી પાડીશું
કાયદાની અવધિ પુરી થયા બાદ આ મકાનનું બાનાખત થયું હતું
જો મનપાએ ઇમ્પેક્ટ ફી લીધી હોય તો અધિકારી સામે પગલાં લેવાય
અમારી લાગણીને માંગણી છે કે બાંધકામ દુર કરાય
બાઇટ
અમિત શાહ
ધારાસભ્ય એલીસબ્રીજ
14
Report