Back
વલસાડમાં ધોધમાર વરસાદ: રસ્તાઓ પર પાણી ભરાયા!
NJNILESH JOSHI
Aug 19, 2025 09:02:39
Vapi, Gujarat
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ
જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
ઉમરગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી
ઉમરગામના સ્ટેશન રોડ પર કલ્પતરું સોસાયટી ના રસ્તા પર પાણી ભરાયા
રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન
એમ.એમ હાઇસ્કુલ રોડ અને મામલતદાર કચેરી સામેના રોડ પણ પાણીમાં ગરકાવ
વહેલી સવારથી જ ભારે વરસાદ થી જનજીવન પ્રભાવિત
કેટલાક નીચાણવાળા વિસ્તારમાં બજારમાં પાણી ભરાયુ
દુકાન સુધી પાણી પહોંચતા દુકાનદારોએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowAug 19, 2025 10:49:20Anand, Gujarat:
એન્કરઃ આણંદનાં બાકરોલમાં તળાવનાં વોકવે પર વોકીંગ માટે ગયેલા આણંદ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજીક કાર્યકર પર તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કરવાની ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીઓઃ આણંદનાં બાકરોલ ખાતે રહેતા અને નગરપાલિકાનાં પૂર્વ નગરસેવક અને સામાજીક અગ્રણી ઈકબાલ મલેક ઉર્ફે બાલો આજે સવારે નિત્યક્રમ મુજબ બાકરોલનાં ગોયા તળાવ ખાતેનાં વોકવે પર વોકીંગ કરવા માટે ગયા હતા અને તેઓએ વોકવેનાં બે રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ત્રીજા રાઉન્ડનો પ્રારંભ કર્યો હતો ત્યારે અજાણ્યા હત્યારાઓએ ઈકબાલ ઉર્ફે બાલો પર હુમલો કરી તેઓને્ પેટ અને ગળાનાં ભાગે તિક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ નજીકનાં ગેટ પાસેની દિવાલ કુદી ભાગી છુટયા હતા.
બાઈટઃ જે.એન પંચાલ (ડીવાયએસપી)
વીઓઃ હત્યારાઓએ એટલી ક્રુરતા પૂર્વક છરા જેવા તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકયા હતા કે ગળાનો ભાગ કપાઈ ગયો હતો તેમજ પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા તેમજ આંતરડાનાં ટુકડા કપાઈને બાજુમાં પડયા હતા,ઈકબાલ ઉર્ફે બાલોએ પણ હત્યારાઓનો સામનો કરતા તિક્ષ્ણ હથીયાર પકડી લેવાનાં કારણે તેઓની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી,લગભગ સાત થી સાડા સાત વાગ્યાનાં સુમારે બનેલી હત્યાની ધટના અંગે સવારે આઠ વાગ્યાનાં સુમારે લોકોને જાણ થતા લોકોનાં ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા,ધટનાની જાણ થતા વલ્લભવિદ્યાનગર પોલીસ તેમજ ડીવાયએસપી એલસીબી સહીતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકનાં મૃતદેહને પેનલ ડોકટર પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડયો હતો.વલ્લભવિદ્યાનગર પોલીસે આ બનાવ અંગે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીઓઃ આ ધટનાને લઈને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ,નગરપાલિકાનાં વિપક્ષનાં પૂર્વ નેતા સહીત અગ્રણીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોની ભારે ભીડ પણ એકત્ર થઈ જવા પામી હતી,જો કે હત્યા પાછળ અંગત અદાવત,પૈસાની લેતીદેતી જમીન કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેને લઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હાલમાં જુદી જુદી થીયરી પર તપાસ હાથ ધરી છે, તેમજ ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી,હત્યાનો ભોગ બનનાર ઈકબાલ ઉર્ફે બાલો બાકરોલ પંથકમાં પ્રભુત્વ ધરાવતો હતો અને આગામી મહાનગરપાલિકાની ચુંટણીમાં તે કોંગ્રેસનો મજબુત ઉમેદવાર હતો ,ત્યારે ઈકબાલ ઉર્ફે બાલોની હત્યાએ ચકચાર મચાવી છે,અને હત્યાની ઘટના પાછળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
1
Report
SBShilu Bhagvanji
FollowAug 19, 2025 10:35:02Porbandar, Gujarat:
1908 ZK PBR RAMESHBHAI
FORMAT-AB
DATE-19-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
ઝી 24 કલાક આઠ વર્ષ પૂર્ણ કરીને નવમાં વર્ષેમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ઝી 24 કલાકને શુભેચ્છા પાઠવી હતી.
બાઈટ-1
રમેશભાઈ ઓઝા
ભાગવતાચાર્ય
4
Report
DRDarshal Raval
FollowAug 19, 2025 10:34:38Ahmedabad, Gujarat:
એન્કર.
સરખેજમાં એક મસ્જીદ સંભાળનાર મોજીને એક સગીર સાથે દુષ્કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં બાળકના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોજીન ને ઝડપી કાર્યવાહી કરી છે. ત્યારે જોઈએ કોણ છે તે શખ્સ જેણે સગીર સાથે દુષ્કૃત્ય આચર્યું...
વિઓ.
દ્રશ્યોમાં દેખાતા આ શખ્સને જુઓ. આ શખ્સ સામાન્ય નાગરિક સાથે બાળકોને શિક્ષિત બનાવતા અને મસ્જિદ સંભાળનાર મોજીન છે. જેણે એક સગીર સાથે દુષ્કૃત્ય આચર્યું. જે ગુનામાં સરખેજ પોલીસે તેની ધરપકડ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં એક સગીરના પિતાએ ફરિયાદ કરી હતી કે નૂરહશન હઝરત કે જે સરખેજમાં આવેલ ફૈજાને હલીમાં મસ્જિદ ખાતે રહે છે મસ્જિદ સંભાળે છે અને બાળકોને કુરાન ભણાવે છે. જેણે તેના સગીર વિદ્યાર્થી ઉપર નજર બગાડી અને અને બધા વિદ્યાર્થીઓ જતા રહેતા બાદમાં ફરિયાદીના પુત્રને રોકી તેની સાથે દુષ્કર્મ આચરતો. અને તે પણ એક બે વાર નહિ પણ દોઢ વર્ષમાં 20 કરતા વધુ વાર દુષ્કૃત્ય આચર્યનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. અને જો કોઈને કહીશ તો કલાસમાં સજા અને માર મારવાની ધમકી આપતો. જોકે થોડા દિવસ પહેલા 11 વર્ષીય સગીરને પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેના પિતાએ તેને દબાણ પૂર્વ પૂછતાં સગીરે મૌલાનાની કરતુર કહી દીધી. જે બાદ સગીરના પિતાએ ફરિયાદ કરતા સરખેજ પોલીસે તેને ઝડપી કાર્યવાહી કરી..
બાઈટ. એ બી વાળંદ. એસીપી. M ડિવિઝન
વિઓ.
સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નૂરહશન ની ધરપકડ કરીને પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે નૂરહસન મૂળ ઉત્તર પ્રદેશનો છે. જે અઢી વર્ષ પહેલા જ સરખેજમાં આવેલ ફૈજાને હલીમાં મસ્જિદમાં આવ્યો અને ત્યાં રહીને બાળકોને કુરાન ભણાવતો. જ્યાં અંદાજે 10 થી વધારે બાળકો ને તે અભ્યાસ આપતો. પરંતુ તેમાંથી આ એક બાળક સાથે તેને હાલ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે. આ સિવાય નૂરહશને અન્ય કોઈ બાળક સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ. તેમજ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને આ જ બાળકની કેમ પસંદગી કરી તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
બાઈટ. એ બી વાળંદ. એસીપી. M ડિવિઝન
વિઓ.
હાલ તો પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે. પણ આ ઘટના પરથી અન્ય બાળકોએ અને તેમના પરિવારે પણ ધ્યાન આપવાની જરૂર છે. જેથી કોઈ સાથે આવી ઘટના ન બને અને શિક્ષક અને વિદ્યાર્થીના સબંધ પર ફરી કલંક પણ ના લાગે...
દર્શલ રાવલ.
Z મીડિયા. અમદાવાદ....
5
Report
AKArpan Kaydawala
FollowAug 19, 2025 10:34:34Ahmedabad, Gujarat:
અમદાવાદ
ચોવીસ કલાકમાં બીજી વાર ખાદ્યપદાર્થ માંથી જીવાત નીકળવાની ઘટના
મણિનગરની પ્રિન્સ ભાજીપાઉં માંથી ગ્રાહકે લીધી હતી ભાજીપાઉં
પાઉં માં જીવાત જોવા મળી રહી હતી
ગ્રાહકે આ મામલે મેનેજર ને કરી હતી ફરિયાદ
ઘટનાના વિડિઓ થયા વાઇરલ
નિકોલ માં ગઈકાલે સાંભાર માં વંદો નીકળ્યો હતો
amc ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠી રહયા છે સવાલ
wkt
4
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:17:29Surat, Gujarat:
એકર
સુરત રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત આરોપીઓ, સાહિલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે. એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું, પરંતુ હવે છ દિવસના ટૂંકા ગાળામાં તેમની સામે ચાર જેટલી નવી ફરિયાદો નોંધાઈ છે.
વિઓ.1
આ બંને આરોપીઓ પર ખંડણી, બોગસ GST બિલિંગ, મકાન-જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા. પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા. આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નહોતા.પોલીસે આરોપીઓને પકડ્યા બાદ, લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો. સાહિલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોકબજાર, લાલગેટ, મહિધરપુરા, અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ GST બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ અમે લોકો ને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા સામે આવે.
બાઇટ..રાજદીપસિંહ નકુમ..ડીસીપી
વિઓ.2
કાપડના વેપારી મોહમ્મદ રજાક ફકીરાએ તેમના કડવા અનુભવ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, "પહેલા આ લોકોએ મારી સાથે મિત્રતા કરી અને પછી ધીરે ધીરે પૈસાની માંગણી શરૂ કરી. મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. રમઝાનના છેલ્લા દિવસે અને ઈદના દિવસે પણ તેમણે મારી પાસેથી ખંડણી માંગી હતી." મોહમ્મદ રજાકે જણાવ્યું કે તેમના જેવા અનેક લોકો આ લોકોથી હેરાન થયા છે. પરંતુ તેમના ભયથી કોઈ સામે આવી શકતું નહોતું. તેમણે ઉમેર્યું કે પોલીસની સક્રિયતાને કારણે હવે લોકોમાં હિંમત આવી છે.
બાઇટ..મોહમદ રજાક ફકીરા..ફરિયાદી
5
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:17:06Surat, Gujarat:
સુરત બ્રેકીંગ
સુરતઃ સર્વ સમાજ સુરત દ્વારા કલેકટર વતી પીએમને પત્ર લખ્યો
હરિયાણાની દિકરીની ક્રુરતાપૂર્વક હત્યા કરવા મામલે પત્ર લખ્યો
૧૧ ઓગષ્ટના રોજ હરિયાણાના લુહાર થાનામાં મનિષા નામની યુવતીની હત્યા કરાઈ હતી
હત્યાના પડઘા ગુજરાતમાં પડયા
ન્યાયની માંગ સાથે આરોપીઓને કડક સજાની માંગ કરાઈ
સુરત કલેક્ટર વતી પીએમ ને પત્ર લખ્યો
6
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:16:02Surat, Gujarat:
એન્કર : સુરતના પીપલોદ ખાતે આવેલી પ્રગતિનગર સોસાયટીમાં સ્ટ્રીટ ડોગને જમવાનું આપતી ફેશન ડિઝાઇનર પર હુમલાની ઘટના બની છે.સોસાયટીમાં અન્ય વિભાગમાં આવેલી બિલ્ડિંગમાં રહેતો પરિવાર બળજબરીપૂર્વક ફેશન ડિઝાઇન મહિલામાં ઘરમાં ઘસી આવ્યા હતા અને અંદરનો લોક મારી માર માર્યો હતો.જે અંગેના આક્ષેપ સાથેની ફરિયાદ ફેશન ડિઝાઈનરે ઉમરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
વી ઓ :સુરત શહેરના રસ્તાઓ પર રખડતા શ્વાન ને શહેરની કેટલીક સામાજિક સંસ્થાઓ અને NGO દ્વારા બે ટાણું ભોજન આપવામાં આવે છે.ડોગ ફીડર દ્વારા માનવતાના ધોરણે આવા શ્વાન ને ભોજન પૂરું પાડવામાં આવે છે.જો કે શહેરમાં શ્વાન દ્વારા બાળકો સહિત અન્ય લોકો પર બનતી હુમલાની ઘટનાને લઇ લોકોમાં ક્યારેક રોષ પણ જોવા મળતો હોય છે.જેને લઇ સ્ટ્રીટ ડોગ ને ભોજન આપતી સંસ્થાઓ હોય કે પછી ડોગ ફીડર જેવા લોકોએ લોકરોષનો પણ સામનો કરવો પડતો હોય છે.આવો જ લોકરોષ નો ભોગ બનેલી ફેશન ડિઝાઈનરે પોલીસ નો સહારો લેવાની ફરજ પડી છે.
શ્વાન ને ભોજન પૂરું પાડવો તે કોઈ ગુન્હો નથી.છતાં શ્વાન ને મદદરૂપ.બનતા લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે.જે ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપલોદ વિસ્તારમાં બની છે.
પીપલોદ સ્થિત પ્રગતિનગર સોસાયટીમાં રહેતી દામિની દાસ નામની ફેશન ડિઝાઇનર એક્લવયુ જીવન વ્યતિત કરે છે.છેલ્લા ઘણા વર્ષોથી આ ફેશન ડિઝાઇનર માનવતાના ધોરણે સ્ટ્રીટ ડોગને ભોજન પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરતી આવી છે.પરંતુ સોસાયટીમાં જ આવેલ અન્ય બિલ્ડિંગમાં રહેતા એક પરિવારને આ બાબત રસ નહીં આવતા ફેશન ડિઝાઇનર જોડે ઝઘડો કરી મારામારી કરવામાં આવી છે.
બાઈટ :દામિની દાસ (ડોગ ફીડર અને ફેશન ડિઝાઇનર)
વી ઓ 2 :ફેશન ડિઝાઇનર દામિની દાસ દ્વારા ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર,નવ ઓગસ્ટ ના રોજ રાત્રિના સાડા બાર વાગ્યે કૌશિક પટેલ અને તેની પત્ની સહિત દીકરી તેણીના ઘરમાં ઘસી આવ્યા હતા.જ્યાં ફેશન ડિઝાઇનર ના ઘરનો લોક અંદરથી મારી તેણી પર ત્રણેય તૂટી પાડ્યા હતા.જ્યાં ફેશન ડિઝાઇનર ને માર મારવામાં આવ્યો હતો.સોસાયટીમાં આવેલ G બિલ્ડિંગમાં રહેતા કૌશિક પટેલ,તેની પત્ની દર્શના પટેલ સહિત તેની દીકરી નવ ઓગસ્ટના રોજ રાત્રિના સાડા બાર વાગ્યે ઘસી આવ્યા હતા અને કહ્યું હતું કે,“તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” કહી હુમલો કર્યો હતો.ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો હતો.મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું હતું.દીકરી નિકતીએ ગળા પર દબાવ્યું
જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
ફેશન ડિઝાઇનરના આક્ષેપ મુજબ,હુમલાખોર કૌશિકભાઈએ કહ્યું હતું કે“કોઈ બચાવવા નહીં આવવું”.છતાં પડોશીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને પણ રોકી દીધા હતા.નેપાળી દંપતીએ કહ્યું હતું કે લડકી મર જાયેગી” પછી હુમલો અટક્યો હતો.હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી હતી.જ્યાં જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
બાઈટ :વિજયસિંહ ગુર્જર (ડીસીપી સુરત પોલીસ)
વી ઓ 3 :આ ઘટના બાદ ઉમરા પોલીસે ઇજાગ્રસ્ત ફેશન ડિઝાઇનરની ફરિયાદના આધારે એક જ પરિવારના ત્રણેય સભ્યો વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં ઉમરા પોલીસે ત્રણેય ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.
.....
1. સુરતના પીપલોદમાં ફેશન ડિઝાઇનર પર હુમલો
2. સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી બિલ્ડિંગમાં ઝઘડો
3. પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની
4. 37 વર્ષની દામીનીદાસ કિર્તનદાસ પર હુમલો
5. કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકતીનો હુમલો
6. “તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો
7. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો
8. મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું
9. દીકરી નિકતીએ ગળા પર દબાવ્યું, શ્વાસ લેવામાં તકલીફ
10. કૌશિકભાઈએ કહ્યું – “કોઈ બચાવવા નહીં આવવું”
11. પડોશીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રોકી દીધા
12. નેપાળી દંપતી બોલ્યું – “લડકી મર જાયેગી” પછી હુમલો અટક્યો
13. હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી
14. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી
15. 17 ઓગસ્ટે દામીનીદાસે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી
બાઈટ..દામિની દાસે..ભોગ બનનાર
4
Report
DRDarshal Raval
FollowAug 19, 2025 10:15:53Ahmedabad, Gujarat:
ફીડ. લાઈવ કીટ
એન્કર
આંતરરાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ સાથે સંડોવાયેલી ઠકરાર ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો.. દેશમાં પ્રથમ વખત સાયબર ક્રાઇમ કરતી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી.. જ્યાં પોલીસે આ ગેંગના 2 આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી... આ ગેંગ ચાઈનીઝ ગેંગને ફ્રોડના નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને મોકલતી હતી... આ ગેંગએ 300 કરોડથી વધુ નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઈનીઝ ગેંગને મોકલ્યા હોવાનો ખુલાસો થયો.. ત્યારે જોઈએ કોણ છે સાયબરની ઠકરાર ગેંગ અમારા આ અહેવાલમા....
વિઓ
કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ચાઈનીઝ ગેંગને મોકલનાર ઠકરાર ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો.. આ ઠકરાર ગેંગના 7 આરોપીઓ સાવન ઠકરાર તેનો ભાઈ ધવલ ઠકરાર, ગોવિંદ રાવલ, બ્રીજરાજસિંહ ગઢવી, કેવલ ગઢવી, હસમુખ ઉર્ફે હિતેશ નસીત અને દુબઈના મિલન ચાવડા વિરુદ્ધ
સાયબર ક્રાઈમમાં પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.. જેમાં સાવન ઠકરાર અને ગોવિંદ રાવલની સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે.. અને ધવલ ઠકરાર અને બ્રિજરાજસિંહ ગઢવી સાયબર ક્રાઇમના ગુના હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે.. જયારે કેવલ ગઢવી અને હસમુખ ઉર્ફે હિતેષ નસીત સાયબર ના ગુનામાં જામીન પર હોવાથી ફરાર થઇ ગયા છે.. આ આરોપીઓ ચાઈનીઝ ગેંગના સંપર્કમાં હતા.. ભારતમાં કમ્બોડિયા અને મ્યાનમારથી ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ અને જોબ ફ્રોડના નામે ઠગાઈના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઈનીઝ ગેંગને મોકલતા હતા.. આ સાયબર ક્રાઇમમાં દુબઇ અને ચાઈનીઝ ગેંગના કનેક્શનનો ખુલાસો થયો છે. આ ગેંગએ અત્યાર સુધી 300 કરોડથી વધુનો ક્રિપટોમાં વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે.. આ સાયબરની ઓર્ગેનાઇઝે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે..
બાઈટ - શરદ સિંઘલ, JCP, ક્રાઇમ બ્રાન્ચ..
વિઓ
પકડાયેલા આરોપી સાવન ઠકરાર અને તેનો ભાઈ ધવલ ઠકરાર ચાઈનીઝ ગેંગને બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરવાની સાથે ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાંમાં કન્વર્ટ કરતા હતા.. સાવન ઠકરાર સ્પા ચલાવતો હતો.. 2023માં ધવલ ઠકરાર દુબઈ ગયો હતો.. ત્યારે દુબઈના મિલન ચાવડાના સંપર્કમાં આવ્યો હતો. અને ત્યાર બાદ ઠકરાર બંધુએ સાયબર ક્રાઇમનું નેટવર્ક શરૂ કર્યું અને ગેંગ બનાવી. ચાઈનીઝ ગેંગએ દુબઈના મિલન મારફતે ફ્રોડના નાણાં સાવન ઠકરાર બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ નાણાંને જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ATM દ્વારા વિડ્રો કરીને આંગડિયા પેઢી દ્વારા નાણાં દુબઈ મોકલવામાં આવતા હતા. અને નાણાં ક્રિપ્ટો કરન્સીના વોલેટમાં કન્વર્ટ કરીને ચાઈનીઝ ગેંગને મોકવામાં આવ્યા છે. મહત્વનું છે કે 2024 માં દેશમાં 22 હજાર કરોડનું સાયબર ક્રાઇમ થયું છે જેમાં 60 ટકા નાણાં ચાઈનીઝ ગેંગ મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ચાઈનીઝ ગેંગ સાથે મિલન, ધવલ અને કેવલ સંપર્કમાં હતા. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી સાવન બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરતો હતો. જ્યારે ગોવિંદ રાવલ બેન્ક એકાઉન્ટ માંથી નાણા વિડ્રો કરીને આંગડિયા પેઢી મારફતે દુબઈ મોકલતો હતો. જ્યારે કેવલ અને બ્રિજરાજ સિંહ ગઢવી પણ વોલેટમાં ક્રિપટો કરન્સીનું ટ્રેડિગ કરતા હતા. સાયબર ક્રાઇમે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મા તપાસ કરતા કુલ 16 કરોડ ઉપર ની 404 ઓનલાઈન કમ્પ્લેન થયેલ હોવાનું સામે આવ્યું છે..
બાઈટ - શરદ સિંઘલ, JCP, ક્રાઇમ બ્રાન્ચ..
વિઓ
સાયબર ક્રાઇમ ની તપાસમાં સામે આવ્યું કે ડિજિટલ અરેસ્ટ, શેર બજાર ઠગાઈ અને જોબ ઠગાઈના સાયબર ક્રાઇમ માટે દેશના જુદા જુદા રાજ્યોમાં એજન્ટ સક્રિય કરવામાં આવ્યા છે. આ એજન્ટને બેન્ક એકાઉન્ટ પ્રોવાઇડ કરવાનું સોંપવામાં આવે છે. જેથી ચાઈનીઝ ગેંગ કરેલા ઠગાઈના નાણાં ભારતીય બેન્ક ખાતામાં મેળવી શકે.. આ એકાઉન્ટમાં દરેક ટ્રાન્જેક્શ ને લઈને એજન્ટોને 5 થી 10 ટકા કમિશન મળતું હોય છે. જ્યારે બીજા એજન્ટને આ નાણાંને ક્રિપટો કરન્સી જેમ કે યુ એસ ડિટીમાં કન્વર્ટ કરીને નાણાં ચાઈનીઝ ગેંગના સભ્યો સુધી પહોંચાડવા આવે છે. જ્યારે ત્રીજા એજન્ટને ફ્રોડ કરવા સિમકાર્ડ ઉપલબ્ધ કરવાનું હોય છે.. આ એજન્ટોને કમિશન દ્વારા ચાઈનીઝ ગેંગ ઉપયોગ કરતી હોય છે. દેશમાં અસંખ્ય એજન્ટો સક્રિય છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં 54 લાખ, ગાંધીધામમાં 1 કરોડ, અને અમદાવાદમાં 21 લાખ રૂપિયાની ઠગાઈના નાણાં ઠકરાર ગેંગએ ચાઈનીઝ ગેંગને ક્રિપટો દ્વારા મોકલ્યા હોવાનું ખુલ્યું છે..
બાઈટ - શરદ સિંઘલ, JCP, ક્રાઇમ બ્રાન્ચ..
વિઓ
અગાઉ સાયબર ક્રાઇમે ધવલની ઓફિસમાં રેડ કરીને બેન્કની 65 પાસબુક, 158 ચેકબુક, 45 ડેબિટ કાર્ડ, 12 મોબાઇલ, 49 સીમકાર્ડ, 89 જેટલા વિવિધ સર્ટિફિકેટ, એક કેસ કાઉન્ટર મશીન અને 37 લાખ રોકડ રકમ કબજે કરી હતી. આ ગેંગ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ વખત ગુજસિટોક હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓની પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરી છે..
દર્શલ રાવલ.
Z મીડિયા. અમદાવાદ...
5
Report
AKArpan Kaydawala
FollowAug 19, 2025 10:02:39Ahmedabad, Gujarat:
અમદાવાદ
ચોવીસ કલાકમાં બીજી વાર ખાદ્યપદાર્થ માંથી જીવાત નીકળવાની ઘટના
મણિનગરની પ્રિન્સ ભાજીપાઉં માંથી ગ્રાહકે લીધી હતી ભાજીપાઉં
પાઉં માં જીવાત જોવા મળી રહી હતી
ગ્રાહકે આ મામલે મેનેજર ને કરી હતી ફરિયાદ
ઘટનાના વિડિઓ થયા વાઇરલ
નિકોલ માં ગઈકાલે સાંભાર માં વંદો નીકળ્યો હતો
amc ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠી રહયા છે સવાલ
7
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:02:35Surat, Gujarat:
સુરત બ્રેકિંગ..
સલાબતપુરા માંથી ઝડપાયેલ ડ્રગ્સ કેસ મામલો
વધુ એક આરોપીની શહેર sog એ ધરપકડ કરી
28 એપ્રિલ એ એલસીબી ઝોન 2 દ્વારા છાપો માર્યો હતો
જ્યાંથી ખલીલ લુકમાન શેખ ની ધરપકડ કરી હતી
આરોપી પાસેથી 7.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો
ડ્રગ્સ કેસમાં આરોપીના પુત્ર તોસિફ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો
જે બાદ તોસીફ ની ધરપકડમાં આરોપી અરબાઝ શેખ નું નામ ખૂલ્યું હતું
જે ડ્રગ્સ કેસમાં ત્રણ માસથી ફરાર આરોપી અરબાઝ શેખની ધરપકડ કરી
વધુ તપાસ શહેર sog એ હાથ ધરી છે
7
Report
UPUMESH PATEL
FollowAug 19, 2025 10:02:30Valsad, Gujarat:
Approved By Tapan
એન્કર -
વલસાડના છેવાડે આવેલા અબ્રામા વિસ્તારમાં એક મહિલાની સાથે રહેતા તેના પુરુષ મિત્રએ હત્યા નીપજાવી હતી. જાહેર રસ્તા પર જીવલેણ માર મારી મહિલા મિત્રની હત્યા કરનાર આરોપીને ગણતરીના સમયમાં જ વલસાડ સીટી પોલીસે ઝડપી પાડયો છે. ત્યારે કોણ છે આ હત્યારો જોઈએ આ ક્રાઈમ રિપોર્ટ ....
વી.ઓ-1
વલસાડ શહેરમાં જન્માષ્ટમીની રાત્રે સન્સની વ્યાપી ગઈ હતી અબ્રામા વિસ્તારમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી .નવીનગરીમાં રહેતા મનીષાબેન કલ્પેશભાઈ કુકણા ની હત્યા નિપજાવવામાં આવી હતી .મનીષાબેન ફૂંકનાની તેમની જ સાથે તેમના ઘરમાં રહેતા તેમના પુરુષ મિત્રએ જ હત્યા કરી હતી... મનીષાબેન પરણિત હતા . પરંતુ વર્ષ 2023માં તેમના પતિ કલ્પેશ કુમાર કુકનાનું અવસાન થયું હતું. અને મૃતક મહિલાને બે સંતાનો પણ હતા. જો કે તેઓ માતા થી અલગ રહેતા હોવાથી મનીષા બેન કુકના .... ભાવેશ રાઠોડ નામના તેના સાથી પુરુષ મિત્ર સાથે રહેતા હતા.. જોકે બંને વચ્ચે થયેલી બબાલમાં આવેશમાં આવી ભાવેશ રાઠોડ એ મનીષા બેન ને બેરહેમી પૂર્વક ઘરમાં જ માર માર્યો હતો.. અને ત્યારબાદ માર મારતા મનીષા બેન દોડીને બહાર આવી જતા બહાર પણ ભાવેશ રાઠોડ એ જાહેર રસ્તા પર તેમને જીવલેણ માર માર્યો હતો. આથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલી મનીષા બેન નું મોત્ત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ભાવેશ રાઠોડ ની ધરપકડ કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
બાઈટ:એ.કે.વર્મા
વી.ઓ-2
હત્યારો આરોપી ભાવેશ રાઠોડ નશા નો આદી હતો .આથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. આજુબાજુના લોકો પણ ભાવેશ રાઠોડના ત્રાસથી પરેશાન હતા.. વાતવાતમાં આવેશમાં આવી અને ભાવેશ રાઠોડ આજુબાજુ રહેતા લોકોને પણ પરેશાન કરતો હતો. જો કે પોલીસે આ મામલામાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ હજુ સુધી હત્યારનું કારણ જણાવ્યું નથી. પરંતું ચાલતી ચર્ચા મુજબ જન્માષ્ટમીની રાત્રે જમવાનું બનાવવા બાબતે મનીષા કુકણા અને તેના પુરુષ મિત્ર ભાવેશ રાઠોડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી .અને સામાન્ય બાબતે મનીષા પર ભાવેશ એ જીવલેણ હુમલો કર્યો હતો.. અને તેની હત્યા નીપજાવી હતી.
બાઇટ:એ.કે.વર્મા ,
વી.ઓ-3
વર્તમાન સમયમાં ઘરેલુ કંકાસ અને આડા સબંધો ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આ કિસ્સામાં પણ એક વિધવા મહિલાની તેની જ સાથે રહેતા તેના પુરુષ મિત્રએ બેરહેમી પૂર્વક હત્યા કરી હતી આરોપી અત્યારે પોલીસ પકડમાં છે. જેની પૂછપરછ કરી પોલીસે તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
6
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 09:02:44Surat, Gujarat:
સુરત બ્રેક
સગીરા પર બળાત્કાર કરનાર બિલ્ડર કિશોર ડાયાણી પકડાયો
અમરોલી પોલીસે બિલ્ડર વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો
બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરકડ કરવામા આવી હતી
ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે
પરિવારની સંગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી
સગીરાને પટાવી ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મહાઉસમાં લઈ ગઈ હતી
બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું
આ ચકચારી બનાવમાં અમરોલી પોલીસે ભાવના બાબરીયાની ધરપકડ કરી હતી
10
Report
NJNILESH JOSHI
FollowAug 19, 2025 09:02:03Vapi, Gujarat:
એન્કર -
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરશયો હતો.મોડી સવાર થી જ વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ વરશયો હતો... વરસેલા વરસાદ ને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.. વાપી વલસાડ સહિત જિલ્લાના ધરમપુર પારડી અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.. વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે...
Wt - નિલેશ જોશી
લોકેશન: વાપી વલસાડ
12
Report
AKArpan Kaydawala
FollowAug 19, 2025 09:01:14Ahmedabad, Gujarat:
અમદાવાદ
કથિત પ્લોટ ચોરી મુદે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ ના સરકાર પર આકરા પ્રહારો
રાહુલ ગાંધી વોટ ચોરીની વાત કરી રહ્યા છે
ગુજરાતમાં પ્લોટ ચોરી થઈ રહી છે - હેમાંગ રાવલ
ભાજપ સરકારે 50 લાખ લોકો માટે ઘર નું ઘર આપવાની જાહેરાત કરી હતી
આર્થિક નબળા લોકો માટે શહેરોમાં TP સ્કીમ બનાવવાની વાત હતી
અમદાવાદ ખાતે ઓડા ના મકાનો માટે પ્લોટ આરક્ષિત કરવામાં આવતી હોય છે
ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ ઝોનમાં માફીયાઓ લઈ લેતા હતા
આખા કૌભાંડમાં ઔડા નો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને રાજકારણીઓ નું આ કૌભાંડ
સિંગરવા અને દસક્રોઇ ખાતે જમીનમાં કૌભાંડ થયું
195 OS (ઓપન સ્પેસ) અને 196 (S
11
Report