Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gir Somnath362710
ખેડૂતોએ ટેકા ભાવમાં મગફળી ખરીદીમાં રોષ વ્યક્ત કર્યો!
KJKaushal Joshi
Sept 02, 2025 14:32:01
Jagatiya, Gujarat
ગીર સોમનાથ: ટેકા ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોનો રોષ ગીર સોમનાથ જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં સરવર વારંવાર ડાઉન થવાને કારણે ખરીદીની પ્રક્રિયા અટકી જતાં ખેડૂતો રોષે ભરાયા છે. સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અહીં છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો લાંબી કતારમાં ઊભા રહી રહ્યા છે, છતાં સરવર ડાઉન થવાને કારણે મગફળી ખરીદી થઈ શકી નથી. પરિણામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ખેડૂત હરિભાઈ જાદવ એ જણાવ્યું કે, "અમે રોજ સવારે થી સાંજ સુધી કતારમાં ઊભા રહીએ છીએ, પણ સિસ્ટમ ન ચાલે તો આખો દિવસ બગડે છે. અમારી મહેનત વ્યર્થ જઈ રહી છે." ખેડૂત અમરસિંહ જાદવ એ પણ અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "સરકારી વ્યવસ્થામાં ખામીઓના કારણે અમારે અનેક દિવસોથી ભટકાવું પડે છે. જો આવું જ ચાલશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે." ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક અસરથી સરવર સમસ્યા દૂર કરીને ખરીદી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે.
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Sept 04, 2025 09:01:54
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેર પોલીસ અંતર્ગત આવતા ગુજરાત યુનિવર્સીટી અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના નવા બનેલા ભવનના ઉદ્ઘાટન બાદ આજે શહેર પોલીસ કમિશનર દ્વારા બંને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં આગામી ગણેશ વિસર્જન દરમ્યાન શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે એમ પોલીસ કમિશનરે જણાવ્યું. જે દરમ્યાન srp ની 15 કંપની અને 1 કંપની crpf ની પણ રાખવામાં આવશે. Cp જીએસ મલિકે હાલમાં ચાલી રહેલી નમ્બર પ્લેટ અને બ્લેકફિલ્મ અંગેની કાર્યવાહીમાં 190 લોકો સામે કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું. શહેર પોલીસ વડાએ ઝી 24 કલાકે પૂછેલા પ્રશ્નના જવાબમાં એ વાત પર પણ ભાર મુક્યો કે આ કર્યવાહીમાં કોઈજ ભેદભાવ નથી રખાઈ રહ્યો, પોલીસ સ્ટાફ હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાઈ રહી છે. જે આગામી દિવસમાં પણ યથાવત રહેશે. બાઈટ : જી એસ મલિક , પોલીસ કમિશનર - અમદાવાદ
9
comment0
Report
GPGaurav Patel
Sept 04, 2025 09:01:49
Ahmedabad, Gujarat:
જીસીસીઆઇ પ્રમુખ સંદિપ એન્જીનીયર લાઇવ જીએસટીના ફેરફારો ને લઇ જીસીસીઆઇ સરકારની આભારી જીએસટીના સીમ્લીફાંઇને આવકારે છે અમે જે રજુઆતો કરી હતી તે પૈકી ૯૯ ટકા રજુઆતોને સરકારે ગ્રાહ્ય રાખી એક લાખ કરોડ રૂપિયા ફ્રી લીક્વીડીટીમાં આવશે જે લીક્વીડીટી ક્રન્ચ જોવા મળતો હતો તેમાંથી રાહત મળશે જે ફુડ પ્રોડક્ટ હેલ્થને અસર કરે છે તે ૪૦ ટકામાં લેવાઇ સામાન્ય માણસ માટેના વાહનો સસ્તા થશે જ્યાં નાના વેપારી એમએસએમઇ ને જે જીએસટી રીલેટેડ તકલીફો હતી તે દુર થશે જીએસટી ૨.૦ પ્રધાનમંત્રી મંત્રીના વિકસિત ભારતના સપનાને વધારે સ્રુ દઢ્ઢ બનાવશે લક્ઝુરીયસ કારમાં સેસ ઘટતાં સરકારની આવક ઘટશે જોકે નાની ગાડીમાં રાહત મળતાં ગ્રાહકોને ફાયદો થશે ગુજરાત એગ્રો કેમીકલની હબ છે તેને ફાયદો થશે ઇનપુટ ક્રેડીટ માં ૯૦ ટકા આપવામાં આવ્યા તેનાથી એક્સપોર્ટસને ફાયદો થશે લક્ઝુરીયસ કારમાં સેસ ઘટતાં સરકારની આવક ઘટશે જોકે નાની ગાડીમાં રાહત મળતાં ગ્રાહકોને ફાયદો થશે ગુજરાત એગ્રો કેમીકલની હબ છે તેને ફાયદો થશે ઇનપુટ ક્રેડીટ માં 90 ટકા આપવામાં આવ્યા તેનાથી એક્સપોર્ટસને ફાયદો થશે મોંઘવારીમાં 6 થી 7 ટકાનો ઘટાડો થયાની શક્યતા જોવાઇ રહી છે અમલીકરણને હજીપણ કેટલાક દિવસો બાકી છે, ઓવરનાઇટ અમલીકરણ આટલા મોટા અર્થતંત્રમાં શક્ય નથી અમલીકરણ થયાની સાથે જ ખૂબ મોટા ઓર્ડર શરૂ થશે બાઇટ સંદિપ એન્જીનીયર પ્રમુખ જીસીસીઆઇ
11
comment0
Report
DRDarshal Raval
Sept 04, 2025 09:01:38
Ahmedabad, Gujarat:
અમદાવાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પોલીસ કમિશનર ઓફિસે વિરોધ સેવનથ ડે સ્કૂલની ઘટના સહિત શાળાઓમાં બનતી ઘટનાને લઈને વિરોધ Abvpના કાર્યકરો પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા સુત્રોચાર કરી abvp એ નોંધાવ્યો વિરોધ શાળાઓમાં બાળકો સુરક્ષિત નથી તેવી એબીવીપીના કાર્યકરોએ કરી રજૂઆત અમદાવાદ ની સેવનથ ડે સ્કૂલ અને ભુજની એક કોલેજ ની ઘટના સામે abvp નો વિરોધ આ સાથે કેટલીક બાબતે શાળામાં વ્યવસ્થા થાય તેવી પણ માંગ ઊંચી ફે લેતી શાળાઓમાં સિક્યોરિટી વધારાયા. Cctv સર્વેલન્સ થાય. શાળા શરૂ થાય અને છૂટે ત્યાં પોલીસ પેટ્રોલિંગ થાય અને શાળા ના 300 ફૂટ અંતરમાં પાન મસાલા ની દુકાનો ન હોય તેવી કરી માંગ શાળાઓ પાસે થતા ન્યુસન્સ અટકે તેવા પગલાં ભરવા abvo ની માંગ Abvp એ રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજી દરેક શહેરમાં પ્રસાશન ને આપતા આવેદનપત્ર આગામી દિવસમાં જરૂર પડશે ત્યાં abvp કાર્યક્રમ કરી વિદ્યાર્થી પડખે ઉભા રહેશે તેવી abvp ની રજુઆત વિઝ્યુલ અને 121 સલગ. Abvp વિરોધ ફીડ. લાઈવ કીટ
11
comment0
Report
CPCHETAN PATEL
Sept 04, 2025 09:01:08
Surat, Gujarat:
સુરત:ABVP દ્રારા વિરોધ પ્રદર્શન શહેરના અણુવ્રત દ્વાર ખાતે ABVPનો હલ્લાબોલ અમદાવાદ વિદ્યાર્થી સાથેની ધટના ગંભીર બાદ વિદ્યાથીઓ માં રોષ ભારત ભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટના રોકવા ABVP મેદાનમાં ગુજરાત ભરમાં વિદ્યાર્થી તો માટે ઉગ્ર દેખાવ શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદન પત્ર આપી માંગ કરાઈ વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટના રોકવામાં આવે ભારે સુત્રોચાર સાથે કરાયો વિરોધ બાઈટ..યોગેસ લક્ષ્મણ..ABVP
11
comment0
Report
NDNavneet Dalwadi
Sept 04, 2025 07:47:16
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૩/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ.. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: સર્વર ડાઉન થતા અતિવૃષ્ટિ સહાય અને ઇ-સમૃદ્ધિ પોર્ટલનુ રજિસ્ટ્રેશન અટકી પડ્યું. એન્કર: ભાવનગર જિલ્લામાં પાક નુકશાન અને ટેકાનાં ભાવે વેચાણના રજીસ્ટ્રેશન પોર્ટલ થયું ક્રેશ, સરકાર દ્વારા પાક નુકશાન સહાય ચૂકવવા કરાયેલ જાહેરાત બાદ એકપણ ખેડૂતનુ ફોર્મ નથી ભરાયું, ઓક્ટોબર 2024 માં ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ થયો હતો, જેના કારણે મહુવા, સિહોર, ઉમરાળા અને ઘોઘા પંથકમાં ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકશાન થયું હતું, નુકશાન સામે વળતર અને ટેકાનાં ભાવે ખરીદી માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 15 ઓક્ટોબર સુધીનો જ સમય હોય સાઈટ નહિ ખુલતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જાહેરાતને બે દિવસ થયા છતાં હજુ સુધી પોર્ટલ નહીં ખુલતા ખેડૂતો ફોર્મ ભરી શકતા નથી, સમયગાળો ઓછો હોય ખેડૂતો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોના ફોર્મ ના ભરાય અને ટેકાનાં ભાવનું રજીસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી સાઈટ ખુલ્લી રાખવા અને સમય વધારવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. વિઓ ૧: ભાવનગર જિલ્લામાં વર્ષ 2024 ના ઓક્ટોબર માસમાં અતિભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકમાં ભારે નુકશાન થયું હતું. જેના કારણે ખેડૂતો દ્વારા નુકશાન સામે વળતર આપવા માંગ કરવામાં આવી હતી, જેના પગલે સર્વે કરાયા બાદ અંતે બે દિવસ પૂર્વે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ કૃષિ રાહત પેકેજમાં ભાવનગર જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત મહુવા, સિહોર, ઉમરાળા અને ઘોઘા તાલુકા પંથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ જાહેરાત થયા ને આજે બે દિવસ વીતવા છતાં સર્વર ક્રેશ થવાના કારણે ફોર્મ નહિ ભરાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેમાં જિલ્લાના ચાર તાલુકા પૈકી સિહોર તાલુકાના ટાણા ગ્રામ્ય પંથકના 1600 જેટલા ખેડૂતો માંથી એકપણ ખેડૂતનું ફોર્મ સર્વર ક્રેશ હોવાના કારણે આજે જાહેરાતના ત્રીજા દિવસે પણ ભરાયું નથી, જેથી આ પંથકના ખેડૂતો વળતર સહાયથી વંચિત રહી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવી જ સ્થિતિ ઇ-સમૃદ્ધિ પોર્ટલની થઈ છે. જેમાં પણ સાઇટ ખુલતી જ ના હોય ખેડૂતો પોતાના કપાસ, મગફળી સહીતની જણસ ને ટેકાનાં ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી, રજિસ્ટ્રેશન માટે 15 દિવસનો જ સમય આપવામાં આવ્યો હોય તેમજ 3 દિવસ વીતી ગયા હોય વળતર માટેનું ફોર્મ ભરવા તેમજ ટેકાનાં ભાવે વેચાણ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતો મોટી સંખ્યામાં લાઇનો લગાવી ગ્રામપંચાયત કચેરી ખાતે ભેગા થઈ ગયા હતા, ત્યારે વહેલી તકે સર્વરની કે અન્ય કોઈ ટેક્નિકલ ક્ષતિ હોય તેને વહેલી તકે દૂર કરવા તેમજ જરૂર પડે ફોર્મ ભરવા અને રજીસ્ટ્રેશન માટેનો સમય વધારવા તેમજ શક્ય બને તો ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. બાઈટ: અણહિલ ઉલવા, ખેડૂત, ટાણા, સિહોર. બાઈટ: કિરીટભાઈ પટેલ, ખેડૂત, ટાણા, સિહોર. બાઈટ: જીણાભાઈ બેલડીયા, ખેડૂત, ટાણા, સિહોર. બાઈટ: રઘુવીરસિંહ ગોહીલ, ટાણા, સિહોર. વિઓ ૨: રાજ્યસરકાર દ્વારા ઓક્ટોબર 2024 માં અતિવૃષ્ટિ દરમ્યાન થયેલા પાક નુકશાન સામે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ખેડૂતોને પોતાની જણસ વેચવા ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 1 સપ્ટેબરથી 15 સપ્ટેબર સુધીનો જ સમય નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ સર્વર ક્રેશ થયું હોય ભાવનગર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સર્વર ડાઉન ની સમસ્યા કે અન્ય કોઈ ટેક્નિકલ કારણોસર પોર્ટલની એક પણ સાઇટો નહી ખુલતા સેંકડો ખેડૂતો નુકશાન સહાય અને ટેકાનાં ભાવે વેચાણ કરવાથી વંચિત રહી જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેમાં સિહોર તાલુકાના ટાણા ગામના 1600 ખેડૂતો સહીત અન્ય ગામોના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય લેવલે ખેડૂતોના વળતર સહાયના ફોર્મ ભરવાની અને ટેકાનાં ભાવે રજીસ્ટ્રેશન માટેની કામગીરી કરતા વીસી ઓપરેટરે પણ સર્વર ડાઉન હોવાના કારણે એકપણ કામો થઈ શક્યા નહીં હોવાનો તેમજ ત્રણ દિવસ વીતવા છતાં એકપણ ફોર્મ નહિ ભરાયું હોવાનો સ્વીકાર કર્યો હતો. જયારે જિલ્લા ખેતીવાડી અધિકારી એ પણ આ બાબત ને સ્વીકારતા કહ્યું કે સાઇટ પર રજિસ્ટ્રેશન માટે ધસારો વધતા સાઇટ ક્રેશ થઈ હોય વહેલી તકે તેનું નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાઈટ: દ્વારકેશ પંડ્યા, વીસી, ટાણા ગ્રામ પંચાયત. બાઈટ: રિઝવાનભાઈ કુરેશી, જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર. ટિકર: ભાવનગરના સિહોરના ટાણા ગામે ખેડૂત પોર્ટલ સેવા થઈ ઠપ્પ. સર્વર ડાઉન થતા ખેડૂતો અતિવૃષ્ટિ સહાયના ફોર્મ ના ભરી શક્યા. ઈ સમૃદ્ધિ સર્વર પણ ઠપ્પ થયું હોય ટેકાનાં ભાવનું રજીસ્ટ્રેશન બંધ. સતત ત્રીજા દિવસે પણ પોર્ટલ બંધ રહેતા ખેડૂતોની વધી મુશ્કેલી. જરૂર પડે રજીસ્ટ્રેશન સમયગાળો વધારવા ખેડૂતોની માંગ. વધારે પડતા ઘસારા ના કારણે સાઇટ ક્રેશ થઈ છે: જિલ્લા કૃષિ અધિકારી.
14
comment0
Report
DRDarshal Raval
Sept 04, 2025 07:20:11
Ahmedabad, Gujarat:
અમદાવાદ સાબરકાંઠામાં આર્મી જવાન ને પોલીસ કર્મચારી દ્વાર માર મારવાનો વિડિઓ વાયરલ વાયરલ વિડિઓ મામલે ગુજરાત માજી સૈનિક સંગઠને આપી પ્રતિક્રિયા આર્મી મૅન ઝાલા યશપાલ સિંહ ને માર મારતો વિડિઓ વાયરલ બ્લેક ફિલ્મ ની ડ્રાઇવ દરમિયાન બે વચ્ચે ની બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું સમગ્ર ઘટનાને લઈને માજી સૈનિક સંગઠને ઉઠાવ્યા સવાલ આર્મી જવાન સામે આ રીતે કાર્યવાહી ન થઈ શકે આર્મી નિયમ પ્રમાણે જવાન ને હેડક્વાર્ટર રજૂ કરવાનો હોય તેમજ આર્મી જવાન સામે fir ક્યાં ન આધારે થઈ તે પણ ઉઠાવ્યા સવાલ જો આર્મી જવાન સામે fir થઈ તો માર મારનાર પોલીસ કર્મચારી સામે fir દાખલ કરવા સંગઠન ની માંગ 24 કલાકમાં ફરિયાદ કરી કાર્યવાહી નહિ થાય તો માજી સૈનિકો સાબરકાંઠા પહોંચી આંદોલન કરવા માજી સૈનિક સંગઠને ચીમકી ઉચારી અન્ય માજી સૈનિકોને સાબરકાંઠા બોલાવવા પ્રમુખે આહવાહન કર્યું યશપાલસિંહ ઝાલા તલોદના કોયડા ગામના રહેવાસી વિડીઓમાં psi અને પોલીસ કર્મચારી જવાનને મારતા દેખાય છે બાઈટ. જીતેન્દ્ર નિમાવત. પ્રમુખ. માજી સૈનિક સલગ. આર્મી વિડિઓ ફીડ. લાઈવ કીટ
14
comment0
Report
PTPremal Trivedi
Sept 04, 2025 07:03:07
Patan, Gujarat:
એન્કર.. પાટણ જિલ્લા માં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી પાક વાવેતર કર્યું છે પણ પૂરતા પ્રમાણ માં ખાતર ન મળતા ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડે છે પાટણ તાલુકા સહકારી સંઘ ખાતે સવાર થી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો ની લાબી લાબી કતારો જોવા મળી રહી છે વધુ માં એક ખેડૂત ને માત્ર પાંચ થેલી યુરિયા ખાતર ની આપવામાં આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીઓ.. પાટણ જિલ્લા ના ખેડૂતો એ ચોમાસુ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવ ની ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર તો કર્યું પણ હાલ પાક ને તાતી જરૂરિયાત ખાતર ની ઉભી થવા પામી છે ત્યારે પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મા યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો ની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે છતાં પણ પૂરતા પ્રમાણ મા ખાતર ન મળતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છે હાલમાં ખેડૂતોએ મગફળી, કપાસ, જુવાર તેમજ શાકભાજીનો મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે કર્યું છે પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે પાટણ શહેરના ખુલ્લા બજારોમાં યુરિયા ખાતરના વેપારીઓએ ખાતર વેચાણ બંધ કરી દીધું છે કારણ કે યુરિયા ખાતર સાથે નેનો યુરિયા ખાતર ની બોટલો ખેડૂતોને આપતા ખેડૂતો ભારે હોબાળો કરે છે તેને લઈને વેપારીઓએ યુરિયા ખાતર નું વેચાણ હાલ બંધ કરતા માત્ર પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર મળતું હોય ખેડૂતોની ભારે પડ્યા પડી યુરીયા ખાતર લેવા માટે જોવા મળી રહી છે ત્યારે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાના કારણે ખેડૂતોમાં રોજ તેમજ કચવાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ યુરિયા ખાતર લેવા માટે ઓનલાઈન પ્રક્રિયામાં પણ ઘણી તકલીફો પડતા ખેડૂતોને ધર્મના ધક્કા પણ ખાવા પડી રહ્યા છે.. ખરીદવેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર લેવા માટે ઓનલાઇન પ્રક્રિયાને લઈને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો કેટલીક વાર ઉપાડો પણ મચવા પામે છે ત્યારે આ સમગ્ર મામલે ખરીદ વેચાણ સંઘના ચેરમેન દ્વારા લેખિતમાં પાટણ જિલ્લા ખેતી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સાથે જ નાયબ કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે તેમ પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેને જણાવ્યું હતું બાઈટ. Wkt.. પ્રેમલ ત્રિવેદી. પાટણ બાઈટ. 1.પ્રફુલ ભાઈ પટેલ. ખેડૂત બાઈટ.2.દિનેશ ભાઈ પટેલ. ખેડૂત બાઈટ. 3.ધ્રુવિન પટેલ. ખેડૂત બાઈટ. 4.દશરથ ભાઈ પટેલ.ચેરમેન. પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ બાઈટ. 5.દશરથ ભાઈ પટેલ.ચેરમેન. પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ
13
comment0
Report
SDShankar Dan
Sept 04, 2025 07:01:57
Jaisalmer, Rajasthan:
जिला-जैसलमेर विधानसभा-जैसलमेर खबर की लोकेशन-जैसलमेर रिपोर्टर-शंकर दान मोबाइल-9799069952 जैसलमेर हिरण शिकार विवाद में युवक की हत्या के बाद डांगरी गांव में तनाव, कल रात्रि मे दुकानो को लगाई थी आग, गांव मे कर्फ्यू जैसे हालात,वारदात के बाद गांव में भारी पुलिस बल तैनात, गांव में तनाव को देखते हुए पुलिस लगातार कर रही गश्त, पुलिस और प्रशासन के तमाम बड़े अधिकारी डांगरी गांव मे रात्रि से मौजूद,फिलहाल स्थिति नियंत्रण मे, अभी तक नहीं हुआ मृतक खेत सिंह के शव का पोस्टमार्टम, शव बाड़मेर हॉस्पिटल की मोर्चारी मे, पुलिस ने मामले में तुरंत कार्रवाई करते हुए तीन आरोपियों लाडू खान,आलम खान और खेते खान को लिया हिरासत,पुलिस ने उनकी एक कार को भी किया जब्त, जैसलमेर जैसलमेर से करीब 70 किलोमीटर दूर फतेहगढ़ उपखण्ड के डांगरी गांव में किसान की हत्या के बाद तनाव है। गांव में बाहरियों के प्रवेश पर रोक है। हर ओर कर्फ्यू जैसामाहौल बना है l वही हालात को देखते हुए 400 से ज्यादा पुलिसकर्मियों को तैनात किया गया है। पूरा इलाका छावनी में तब्दील है। बॉडी अभी गांव नहीं पहुंची है। इस मामले में पुलिस ने तीन आरोपियों को डिटेन किया है। पुलिस इनसे पूछताछ कर रही है। वही घटना के बाद कल शाम को कुछ लोगों ने बाजार में टायर-ट्यूब की दुकान में आग लगा दी। इसकी आग ने पास की तीन अन्य दुकानों को भी चपेट में ले लिया। देर रात करीब 11 बजे गांव में खड़े आरोपी के डंपर को भी लोगों ने आग के हवाले कर दिया था। सांगड़ थाना इलाके में माहौल बिगड़ता देख जिला कलेक्टर प्रताप सिंह और एसपी अभिषेक शिवहरे रात्रि मे मौके पर पहुंचे थे। उधर, लोगों ने ''डांगरी चलो'' का आह्वान किया है। ताकि अधिक से अधिक भीड़ जुट सके। इसको देखते हुए पुलिस भी अलर्ट है। एसपी अभिषेक शिवहरे ने बताया- हमने सबको घरों में ही रहने की अपील की है। हालात काबू में हैं। फिलहाल गांव में शांति है। जानकारी के अनुसार 2 सितंबर की रात खेत में सो रहे डांगरी गांव के किसान खेत सिंह (50) के सिर पर धारदार हथियार से बदमाशों ने वार कर दिए थे। घायल किसान पूरी रात डांगरी गांव के खेत में पड़ा रहा था। 3 सितंबर की सुबह आसपास के किसानों ने उसे देखा तो फतेहगढ़ के सरकारी हॉस्पिटल ले गए।यहां डॉक्टर ने प्राथमिक इलाज के बाद गंभीर हालत में बाड़मेर रेफर कर दिया, जहां इलाज के दौरान उसने दम तोड़ दिया था। बताया जाता है कि खेतसिंह ने हिरण का पीछा कर रहे लोगों को रोककर शिकार नहीं करने की हिदायत दी थी। इस पर उन लोगों ने रंजिश रखते हुए खेत सिंह को पीट-पीटकर मार डाला। मर्डर के बाद ग्रामीणों ने बुधवार शाम करीब 6 बजे दूसरे पक्ष के लोगों की टायर ट्यूब की दुकान में आग लगा दी थी। तनाव को देखते हुए मौके पर पुलिस फोर्स तैनात की गई। गांव में बैरिकेडिंग की गई है और ग्रामीणों को घर में रहने की सलाह दी गई है।घटना के बाद बुधवार को पूरे गांव में शोक की लहर छा गई। इसके साथ ही डांगरी के बाजार भी पूरे दिन बंद रहे। गुरुवार को कुछ लोगों ने सांगड़ थाने के आगे भी विरोध की तैयारी शुरू कर दी है। पुलिस ने अतिरिक्त फोर्स बुलाकर मौके पर शांति व्यवस्था कायम की गई। बाइट - कैलाश दान,पुलिस अधीक्षक जैसलमेर
14
comment0
Report
DRDarshal Raval
Sept 04, 2025 07:01:34
Ahmedabad, Gujarat:
માજી સૈનિકો ફરી એકવાર લડી લેવાના મૂળમાં આ વખતે માજી સૈનિકો યાત્રા કાઢી જનસભા કરી નોંધાવશે વિરોધ માજી સૈનિકો ફરી એકવાર આંદોલન કરશે સરકાર દ્વારા જે સહાય નાં નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન થતું નથી આવતીકાલ થી માજી સૈનિકોની સૈનિક સ્વાભિમાન યાત્રા શરૂ થશે આવતી કાલથી ખેડા થી યાત્રા ની શરૂઆત થશે 16 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં યોજાશે યાત્રા 12 જેટલા પ્રશ્નો ને લઈ કરવામાં આવશે યાત્રા અનામત, હથિયાર નાં લાયસન્સ જેવા મુખ્ય મુદ્દા 70 હજાર જેટલા માજી સૈનિકો આ યાત્રા માં જોડાશે ગાંધીનગર અને અમદાવાદ માં વિશાળ જન સભા યોજવામાં આવી શકે છે 2022 થી રજુઆત અને આંદોલન અને વિધાનસભા ઘેરાવ કરાઈ રહ્યા છે અનેક કાર્યક્રમ છતાં કઈ નહિ થતા અને છેલ્લા કાર્યક્રમમાં શહિદના પત્નીની ધરપકડ કરતા સ્વભિમાન ને દ્ધાને રાખી યાત્રા નું આયોજન કરાયું બાઈટ: જીતેન્દ્ર નિમાવત, પ્રમુખ. માજી સૈનિક સંગઠન સલગ. સૈનિક યાત્રા ફીડ. લાઈવ કીટ
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 04, 2025 07:01:29
Surat, Gujarat:
ભારત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી 56મી GST કાઉન્સિલ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, બેઝિક MMF ટેક્સટાઇલની મુખ્ય ઈનપુટ્સ જેમ કે MEG અને PTA ઉપર GST E2 18% જ રહેશે, ચીપ્સ પર પણ 18% રહેશે, જ્યારે યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટસ હવે માત્ર 5% દરે ટેક્સથાશે. અગાઉ યાન પર GST 12% હતો જે હવે 5% થયો છે. આથી સરકારે MMF ફેબ્રિક ઉપરનો ઇનવર્ટેડ ડયુટી સ્ટ્રક્ચર દૂર કર્યો છે. જોકે સરકારનો આ નિર્ણય મુખ્યત્વે GST વિભાગના "ટેક્સ્ટબુક વ્યાયામ" જેવો લાગી રહ્યો છે, જેનું અનુસરણ વડાપ્રધાન શ્રીનું નિવેદન છે કે જેમાં 12% GST દરને 5% સુધી લાવવા અને 28% GSTના આઇટમ્સને 18% સ્લેબમાં લાવવાની વાત કરવામાં આવી હતી. વિવિધ સુધારાઓમાંથી એવું જણાય છે કે મોટાભાગના દરોમાં ફેરફાર આ જ દૃષ્ટિકોણથી કરવામાં આવ્યા છે, જે પુરાવા વગરના નિર્ણયો જેવા લાગે છે અને તર્કની કસોટી પર ખરા નથી ઉતરતા. સરકારના આ પગલાથી યાન ઉત્પાદકો માટે ઇનવર્ટેડ ડયુટી સ્ટ્રક્ચર વધુ વધી ગયું છે - કારણ કે તેમના ઇનપુટ્સ પર 18% GST છે અને આઉટપુટ પર હવે ફક્ત 5%. યાર્ન ઉત્પાદકો અગાઉથી જ રોકાયેલા મૂડી અને ITC પર ફરિયાદ કરતા હતા, હવે આ સ્થિતિ વધુ ગંભીર બનશે. હાલની અપેક્ષા હતી કે ચાર્ન ઉપરનો ટેક્સ દર 18% થાશે, પરંતુ તેનું ઉલટું 5% કરવામાં આવ્યું છે, જેના પરિણામે કેપિટલ ગુડ્સ પરના ITCના લોસના કેસો વધી શકે છે. ફેબ્રિક અંગે, અગાઉ ઇનપુટ ટેક્સ 12% અને આઉટપુટ 5% હતો. પણ ફેબ્રિક સ્ટેજે લગભગ 120%નું વેલ્યુ એડિશન થતું હોવાથી ઇનપુટ ટેક્સનો અસર નકારાત્મક ન પડતો અને માત્ર 2% થી 2.5% જેટલો રિફંડ થતો. હવે જ્યારે ઇનપુટ અને આઉટપુટ બન્ને પર 5% જ છે, ત્યારે આવું રિફંડ મળવાનું બંધ થઈ શકે છે. આ સ્થિતિ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં નાણાં પ્રવાહની તંગી ઉભી કરશે. સુરત ભારતમાં MMF પાવરલૂમ હબ છે. વણકામ ઉદ્યોગમાં સામાન્ય રીતે 90 થી 120 દિવસનું પેમેન્ટ સાયકલ હોય છે. હવે મોટાભાગના પ્લેયર્સ GST રજિસ્ટર્ડ છે, એટલે તેમને દર મહિને વેચાણ પર GST ચૂકવવો પડશે, જેના માટે પોતાના ગ્રોસ સેલ્સના આશરે 15% જેટલા વધારાના વર્કિંગ કેપિટલની જરૂર પડશે. આ સ્થિતિ MMF ટેક્સટાઇલ ઉદ્યોગના વિસ્તરણના ગતિશીલતાને ધીમી બનાવી શકે છે. અમે સરકાર સમક્ષ વિનંતી કરી છે કે યાર્ન ઉપર GST દર 18% અને ફેબ્રિક ઉપર 5% રાખવામાં આવે, પણ એવો લાગે છે કે હાલના નિર્ણય ટેક્સ્ટબુક વ્યાયામ મુજબ લીધા ગયા છે. અમે સરકાર સમક્ષ આમનું વાસ્તવિક દૃષ્ટિકોણ રજૂ કરતા રહીશું કે જે યાર્ન અને ફેબ્રિક ઉત્પાદકોની પ્રાયોગિક મુશ્કેલીઓ સમજી શકે. આશા રાખીએ છીએ કે સરકાર જલ્દી જ આ બાબતને સમજશે અને MMF વેલ્યુ ચેઇન પર યોગ્ય રીતે કર દરોમાં સુધારો કરશે - જે ઉદ્યોગના સભ્યોની અપેક્ષાઓ અનુસાર હશે. વન ટુ વન..નિખિલ મદ્રાસી..એક્સપર્ટ કાપડ
14
comment0
Report
URUday Ranjan
Sept 03, 2025 18:15:16
Ahmedabad, Gujarat:
અમદાવાદ : શહેર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ " અને "સાયબર સાથી “ ચેટબોટ કાર્યક્રમનું લોકાર્પણ પાલડી ખાતે ટાગોર હોલમાં ગૃહરાજ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ સાયબર સાથી ચેટબોટ માટે નંબર ૬૩૫૭૪૪૬૩૫૭ જાહેર કરાયો શહેર પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ'''' કાર્યક્રમ અંતર્ગત શહેરના ૭ ઝોન, ક્રાઇમ, સાયબર, EOW, SOG એમ મળી કુલ- ૮૪૮ ગુના/અરજી/જાણવા જોગનો નિકાલ રિકવર કરેલ ૭૭૧ મોબાઇલ, ૨૧ વાહન તથા અન્ય ૭૦ મુદ્દામાલ નાગરિકોને સુપરત કરાશે રિકવર કરાયેલ કુલ 26.25 કરોડ થી વધુનો મુદ્દામાલ અરજદારોને પરત સોંપવામાં આવ્યો સાયબર ક્રાઇમનો ભોગ બનનાર ૩ અરજદારોને આશરે ૮૨ લાખ જેટલી રકમના ચેક માનનીય ગૃહરાજ્યમંત્રી દ્વાર એનાયત વર્ષ 2025 દરમ્યાન સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ફરીયાદી નાઓને 19.15 કરોડ પરત અપાવવામાં આવ્યા છે આ ઉપરાંત ચંડોળા ખાતે ડીમોલિશનની કામગિરી અને પ્લેન ફેશની દુઃખદ ઘટના બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રશંશનીય કામગિરી કરવા પોલીસના અધિકારી અને કર્મચારીને પ્રસંશાપત્ર આપી સન્માનીત કરાયા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા વિકસાવવામાં આવેલ "સાયબર સાથી ચેટબોટ નું લોકાર્પણ સાયબર સાથી ચેટબોટ અંગ્રેજી તેમજ ગુજરાતીમાં સંવાદ 24 કલાક માર્ગદર્શન આપશે નાગરિકોને સાઇબરચેટ બોટ થકી સાયબર ક્રોડ પ્રિવેન્શન ટીપ્સ, સ્પામ કૉલ્સ/મેસેજ ને રીપોર્ટ કરવા અંગેની સમજ આપશે સાયબર ક્રાઈમની ફરીયાદ કયા અને કેવી રીતે કરવી તેની પણ માહિતી મળશે અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા ગૂગલ મેપ લોકેશન સહિતની માહિતી ચેટબોટ દ્વારા ઉપલબ્ધ થશે. સાયબર ક્રાઈમના ભોગ બનેલા લોકોને મની રીફંડ તથા બેંક એકાઉંટ અનફ્રીજ કરવા અંગે ચેટબોટ થકી માહિતગાર કરશે.
14
comment0
Report
GPGaurav Patel
Sept 03, 2025 18:00:41
Ahmedabad, Gujarat:
અમદાવાદ મંગળવારે સરખેજના શકરી તળાવમાં બોટ પલટી ખાતા ત્રણ યુવકોના મોત મામલો 24 કલાકની અંદર સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ચાર યુવાનો શકરી તળાવની વચ્ચે બોટ લઈ મજાક મસ્તી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો મૃતક યુવકો અને વીડિયોમાં દેખાતા યુવકો એક જ છે કે અલગ તેને લઈ પોલીસે શરૂ કરી તપાસ વિડીયો દૂરથી લેવાયો હોવાથી મૃતક યુવકો અને વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ અઘરી
14
comment0
Report
AKArpan Kaydawala
Sept 03, 2025 17:16:09
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરના પશ્ચિમ તરફના વિસ્તારોમાં વરસાદ જુદા જુદા વિસ્તારમાં મધ્યમ વરસાદી ઝાપટા અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ Wkt
14
comment0
Report
AKAshok Kumar
Sept 03, 2025 17:15:19
Junagadh, Gujarat:
એન્કર જુનાગઢની હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓગસ્ટ 2023માં બનેલી એક દુ:ખદ ઘટનાએ ખાનગી હોસ્પિટલોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બે સગર્ભા મહિલાઓના મૃત્યુ અને ત્રણ મહિલાઓની કિડની ફેઈલ થવાના ગંભીર મામલે બે વર્ષ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલના ત્રણ સંચાલકોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચાલો, જાણીએ આ ગંભીર મામલાની વિગતો. વૉઇસઓવર (VO): ઓગસ્ટ 2023માં, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ થયેલી કેટલીક સગર્ભા મહિલાઓનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમાંથી પાંચ મહિલાઓની તબિયત ઓપરેશન બાદ અચાનક બગડી. તેમના લીવરમાં સોજો આવ્યો, સીરમ ક્રિએટિનાઈનનું સ્તર વધ્યું, અને ચેપ લાગવાને કારણે તેમની કિડની ફેઈલ થઈ. આ ઘટનામાં ટીંબાવાડીના હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને માણાવદરના જીંજરી ગામના હર્ષિતાબેન ભરતભાઈ બાલસનું રાજકોટમાં સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું. બાકીની ત્રણ મહિલાઓ—મોનિકાબેન નરેન્દ્રભાઈ વાણીયા, તૃપ્તિબેન અલ્પેશભાઈ કોચા, અને સોમૈયા ઝૈદ કચરા—આજે પણ આ બેદરકારીના પરિણામો ભોગવી રહ્યા છે. મોનિકાબેન અને તૃપ્તિબેન બે વર્ષથી ડાયાલિસિસ પર છે. જ્યારે સોમૈયા દવાઓના સહારે જીવન જીવી રહ્યા છે. વૉઇસઓવર (VO): આ ઘટના બાદ પીડિત પરિવારોની ફરિયાદ પર રાજ્ય સરકારે એક વિશેષ તપાસ સમિતિની રચના કરી. તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી, જેમાં ઈન્ફેક્શન નિવારણ અને સારવારના પ્રોટોકોલનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. 2024માં, ફરિયાદી આકાશ મિયાત્રાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના બે ગાયનેકોલોજિસ્ટ—ડો. હેમાક્ષી કોટડીયા અને ડો. ડાયના અજુડીયા—અને ત્રણ સંચાલકો સામે IPCની કલમ 304, 308, અને 114 હેઠળ ગુનો નોંધ્યો. સ્ટેટ ફોરેન્સિક લેબોરેટરી, ભાવનગર વિભાગીય નિયામક, અને ગાંધીનગર આરોગ્ય વિભાગની તપાસમાં પણ હોસ્પિટલની બેદરકારી સ્પષ્ટ થઈ. આ પુરાવાઓના આધારે, બી ડિવિઝન પીઆઈ એ. બી. ગોહિલે સોમવારે હોસ્પિટલના સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ઝકરિયા પલ્લા, અને સૌહિલ હબીબભાઈ સમાનીની ધરપકડ કરી. મંગળવારે કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. બાઈટ: હિતેશ ધાંધલિયા, ડીવાયએસપી, જુનાગઢ "આ મામલે જુનાગઢ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી દર્શાવાઈ છે. એસએસએલ, ભાવનગર વિભાગીય નિયામક, અને ગાંધીનગર આરોગ્ય વિભાગની કમિટીઓના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલે ઈન્ફેક્શન નિવારણ અને સારવારના પ્રોટોકોલનું પાલન કર્યું નથી. આ પુરાવાઓના આધારે સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે." વૉઇસઓવર (VO): આ ઘટના સમયે ડો. હેમાક્ષી કોટડીયાને હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા, જ્યારે ડો. ડાયના અજુડીયા સામે પૂરતા પુરાવા ન મળ્યા. હેલ્થ પ્લસ હોસ્પિટલ હવે બંધ કરાઈ છે. અને તે જ જગ્યાએ સાંગાણી હોસ્પિટલ શરૂ થઈ છે. આ ઘટનાએ ખાનગી હોસ્પિટલોની સારવારની ગુણવત્તા અને દર્દીઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 03, 2025 16:31:15
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લી માં રાત્રિ દરમ્યાન વરસ્યો વરસાદ બાયડ , ધનસુરા , મોડાસા , માલપુર સહિતના પંથકમાં વરસાદ તેજ પવન સાથે વરસ્યો વરસાદ વરસાદ વરસાદથી વાતાવરણ માં ઠંડક પ્રસરી
14
comment0
Report
Advertisement
Back to top