Back
ધનસુરા: એક કલાકમાં ૪ ઇંચ વરસાદ, બજારોમાં પાણી ભરાયા!
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 05, 2025 13:07:30
Modasa, Gujarat
અરવલ્લી
ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ
એક કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ
ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા
માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા
ભારે વરસાદથી પશુઓને મોટી હાલાકી
મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા
શ્રમિક ધંધાર્થીઓને વરસાદી પાણીથી મોટું નુકશાન
12
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 05, 2025 18:04:46Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાગધ્રા તાલુકાના થરા ગામે વિકાસના કામો ન થતા હોઇ સરપંચ ગુમ થયા છે તેવા પોસ્ટરો ગામમાં લાગ્યા
થરા ગામના સરપંચ કચેરીમાં હાજર રહેતા હોઇ અને લોકોને યોગ્ય જવાબ ન આપતા હોઇ લોકોએ થરા ગામના પ્રથમ નાગરીક ગુમ થયા છે તેવા પોસ્ટરો માર્યા તેમજ સોસ્યલ મીડીયામાં કર્યા વાયરલ
લોકોએ ગામમાં કોઈ વિકાસના કામ ન કર્યા હોવાનો કર્યો આક્ષેપ
નાના એવા ગામમાં ગામના પ્રથમ નાગરીક સરપંચ હાજર ન રહેતા હોવાના પોસ્ટરો લાગતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે
1
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 05, 2025 18:04:03Modasa, Gujarat:
અરવલ્લી
ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા
૪.૫ ઇંચ બાદ શાળા અને મકાનોમાં અઢી ફૂટ પાણી
જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓમાં પાણીમાં ગરકાવ
શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકશાન
———
બાઈટ - મિલિનભાઈ પટેલ - મુખ્ય શિક્ષક
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 05, 2025 17:48:28Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
થાનગઢ ના સોનગઢમા પતીએ કરી પત્નીની હત્યા
લોખંડની કુડલીવાળી લાકડીઓ મારીને પત્નીની હત્યા કરી
ધરકંકાસ મા થતી હતી રોજ બોલાચાલી
આરોપી પતીની દીમાગી હાલત ઠીક ન હતી પ્રાથમિક તપાસમા આવ્યુ સામે
આરોપીને પોલીસે ઝડપી પાડયો
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 05, 2025 17:48:11Modasa, Gujarat:
અરવલ્લી
ધનસુરામાં આવેલું મોટું તળાવ થયું ઓવર ફલો
નગરમાં આવેલું તળાવ થયું ઓવરફ્લો
જનતા નગર,પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘૂસ્યા
વરસાદી પાણી મકાનોમાં ઘૂસ્યા
જનતા નગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 05, 2025 17:48:03Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
થાનગઢ મા ડુપ્લિકેટ 500 ની નોટો સાથે એક ઝડપાયો
થાનગઢ પોલીસને ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ વ્યક્તિની તલાસી લેતા 97 ચલણી નોટો મળી આવી
48500 રુપીયાની રકમ સાથે ઝડપાયો
બેંકના કર્મીઓ પાસે નોટો ચેક કરાવતા તમામ ડુપ્લિકેટ હોવાનુ આવ્યુ સામે
આશિષ મોરી નામના વ્યકિત ને ઝડપી વધુ તપાસ હાથ ધરાઇ
0
Report
CPCHETAN PATEL
FollowSept 05, 2025 17:47:51Surat, Gujarat:
સુરત...
આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા
શહેર પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે
તમામ સુરક્ષા વ્યવસ્થાઓને આખરી ઓપ
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ની ઉપસ્થિતિમાં રિહર્સલ
ભાગળ રાજમાર્ગ પર ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નું કરાયું નિરીક્ષણ
સેન્ટ્રલ રેપિડ પેરામિલિટ્રી ફોર્સ અને રેપિડ એકશન ફોર્સ સુરક્ષામાં રહેશે તૈનાત
Srp ની 12 કંપનીઓ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ,sog ,pcb ની ટીમો નાની મોટી ગતિવિધિઓ પર રાખશે નજર,
અફવાઓ પર સતત નજર રાખવા સાયબર ક્રાઈમ શેલ ની ટીમ રહેશે કાર્યશીલ
900 જેટલા બોડીવોર્ન કેમેરા,2000 હજાર સીસીટીવી કેમેરાથી પણ વિસર્જન યાત્રા પર રખાશે બાઝ નજર
શહેરમાં 14 હજાર પોલીસ,હોમગાર્ડ અને trb ના જવાનો રહેશે સુરક્ષા બંદોબસ્ત
શહેરના 21 કુત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારાઓ પરથી ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે
3 કુદરતી ઓવારા અને 21 કુત્રિમ તળાવ પર 16 જેટલી વિશાળકાય ક્રેનથી વિસર્જન પ્રક્રિયા કરાશે
શહેરના પોલીસ ન 20 જેટલા અત્યાધુનિક ડ્રોન કેમેરાથી પણ વિસર્જન પ્રક્રિયા રહેશે સત્તત નજર
આવતીકાલ ની ગણેશ વિસર્જન યાત્રાના રૂટ gps સિસ્ટમ આધારિત રહેશે
80 હજાર ગણેશ ની પ્રતિમાઓનું થશે વિસર્જન
હમણાં સુધી 8500 પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું
રાજમાર્ગ પરથી મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નિકળશે
જે યાત્રાના રૂટ પર સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા રિહર્સલ
બાઈટ :અનુપમસિંહ ગેહલોત (સુરત પો.કમી.)
0
Report
SVSANDEEP VASAVA
FollowSept 05, 2025 17:35:41Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કુડસદ GIDC (ઓલપાડ)
સ્લગ :-0509ZK_SHOPING_PANI_PKG
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા માં ધોધમાર વરસાદ ને પગલે માંગરોળ ઓલપાડ તાલુકા વરસાદી પાણી ભરાયા, શોપિંગ સેન્ટર ની દુકાનો, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી માં ગરકાવ, દુકાનો અને મીલો બંધ રાખવાની ફરજ પડી. વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા.
વિઓ..
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે ઓલપાડ અને માંગરોળ વિસ્તારમાં પાણી વરસાદી પાણી ભરાયા, કીમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ ને અડીને આવેલી કુડસદ જઈ આઈ ડી સી માં ભરાયા પાણી ભરાયા હતા. અંકુર શોપિંગ સેન્ટર ગલીમાં જવાના રોડ પર ભરાયા પાણી હતા. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે થોડા વરસાદ માં રસ્તા પર દુકાનો માં પાણી ભરાય જાય છે. પાણી ભરાતા મિલમાં કામ કરવા જતા કામદારોને ભારે હાલાકી વેઠી રહ્યાં છે. તો મિલ માલિકો, દુકાનદારો ને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવી રહયો છે. ૫૦ થી વધુ દુકાનોમાં ભરાયા પાણી, દુકાનો બંધ રાખવાની ફરજ પડતા લોકોએ કહ્યું અમારું સાંભરનાર તંત્ર નથી. વર્ષો થી આર્થિક અને શારીરિક નુકસાન વેઠી રહ્યાં છે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (કુડસદ GIDC)
બાઈટ :- જતીન મોદી ( સ્થાનિક - કામદાર )
બાઈટ :- નરેન્દ્ર યાદવ (સ્થાનિક - કામદાર )
0
Report
DPDhaval Parekh
FollowSept 05, 2025 17:21:52Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/ વિશાલભાઈ
સ્લગ : NVS ROAD CLOSED
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 05 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે જિલ્લામાં 7 રસ્તાઓ ઓવર ટોપીંગનેને કારણે બંધ થયા છે. નવસારીના ગુરુકુળ સુપાથી કુરેલને જોડતો પૂર્ણા નદી ઉપર બનેલ લો લેવલ બ્રિજ ઉપરથી પણ પૂર્ણાના પાણી ફરી વળતા સૂપા કુરેલ માર્ગ બંધ થતા કુરેલ, વચ્છરવાડ સહિતના ગામડાઓને 10 કિમી લાંબો ચકરાવો મારવા પડશે. સીઝનમાં છઠ્ઠીવાર સૂપા કુરેલ માર્ગ બંધ થતા સેંકડો ગ્રામજનોને અગવડતા વેઠવાનો વારો આવ્યો છે. જોકે નવસારી સહિત ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ગ્રામીણો તેમજ તંત્રને રાહત રહી છે.
વોક થ્રુ કર્યુ છે...
0
Report
HShakimuddin shabbirbhai
FollowSept 05, 2025 17:12:20Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરમાં પડેલ ધોધમાર વરસાદ લોકોના ઘરમાં પાણી ઘુસિયા બોડેલીના રજાનગર,દીવાન ફળિયા સહિતના વિતારોમા પાણી ભરાયા છે દર વર્ષની જેમ આ વર્ષે પાણી લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે હરખલી કોતરમાં પાણીનો પ્રવાહ વધતા રાજાનાગર, દીવાન ફળિયાના લોકોના ઘરમાં પાણી ઘુસિયાની ઘટના સામે આવી છે રાત્રિ દરમિયાન બોડેલીમાં 6.5 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘુસિયા છે.
બાઈટ : સંગીતાબેન,સ્થાનિક
બાઈટ : કવિતાબેન, સ્થાનિક
WKT . હકીમ ઘડિયાલી, રજાનગર
0
Report
Rajula, Gujarat:
રાજુલા શહેરમાં ભવ્ય ઈદ-એ-મિલાદ જુલૂસ યાત્રા યોજાઈ
રાજુલા શહેરમાં દર વર્ષની આ વર્ષે જેમ પણ ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્લામ ધર્મના પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના પાવન અવસર પર મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
આ જુલૂસ રાજુલા શહેરની ઐતિહાસિક ગેબનશા પીરની દરગાહથી પ્રારંભ થયો અને તબક્કલનગર સુધી લઈ જવામાં આવેલ આ જુલુસ યાત્રા દરમિયાન ડીજે, ઘોડા, બગી, ફોરવ્હીલ તથા આકર્ષક ફ્લોટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સમાજના નાના-મોટા, વૃદ્ધ-યુવાનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ન્યાઝ (પ્રસાદી) વિતરણ માટે ખાસ સ્ટોલ્સ વિવિધ જગ્યા એ જુલુસ ના માર્ગ પર રાખવામાં આવ્યા હતા, જેથી લોકો ભાઈચારા સાથે પ્રસાદીનો લાભ લઈ શકે.
14
Report
ARAlkesh Rao
FollowSept 05, 2025 12:30:32Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ -સેવા કેમ્પો
ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજી ના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવામાં આવ્યા છે જયાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સેવાઓ પુરી પાડવામાં આવી રહીછે તો સેવા કેમ્પોમાં સેવાર્થીઓ પદયાત્રીઓની ભગવાનની જેમ સેવા કરતા નજરે પડે છે
યાત્રાધામ અંબાજીમા ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને જવા પગપાળા યાત્રા કરી રહ્યાં છે. લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે રાહત કેમ્પોમાં કામ કરી રહ્યાં છે. ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર જાણે ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ,માલિશ તો નાહવા માટે ગરમ પાણી સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે.તો રસ્તામાં અનેક સેવા કેમ્પોમાં પગપાળા ભક્તોને પ્રેમથી તેમને હોટલ કરતા પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે જોકે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.તો છેલ્લા 18 વર્ષથી અવિરત ભક્તોની સેવા કરતા જય જલિયણ સેવા કેમ્પમાં 300 જેટલા સેવભાવી સ્વયંસેવકો રોજના હજારો લોકોને પ્રેમથી ભોજન.ચા નાસ્તો જમવાનું તેમજ રોજની 10 હજાર જેટલી દાબેલી પગપાળા ભક્તોને ખવડાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.
બાઈટ -1-હિતેશભાઈ ઠક્કર -આયોજક જય જલિયાણ સેવા કેમ્પ-ચશ્માંવાળા
( અમેં ભક્તો માટે છેલ્લા 18 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરીયે છીએ, તમામ ભક્તોને પ્રેમથી આવકારીએ છીએ તેમજ અમારા કેમ્પમાં પગપાળા જતા ભક્તો માટે ઉત્તમ ચા નાસ્તો ભોજન તેમજ પગની માલિસ કરવાની વ્યવસ્થા તેમજ મેડિકલની વ્યવસ્થા કરી છે અમને ભક્તોની સેવા કરીને આનંદ આવે છે )
પદયાત્રીઓ હાથમાં ધજા, માંડવડી, તો રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પો માટે સેવકો જાણે રાહ જોતાં હોય તેમ ભાવથી શામિયાણામાં લઇ જઇને ભાવપૂર્વક ચા-નાસ્તો અને ચોખ્ખા ઘી ના શીરા,મીઠાઈ ,ગુલાબજાબુ,દાળભાત સાથેનું પાકું ભોજન કરાવે છે. કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે છે. પદયાત્રાએ જતાં માઇભક્તોની સેવા માટે જાણે ‘મા’ જ તેના દૂત મોકલ્યા હોય તેવા સાક્ષાત દર્શન આ સેવાધારીઓ છે. લાખો શ્રધ્ધાળુઓ પૈકી અસંખ્ય ભકતો સેવા કેમ્પો આગળથી પસાર થતી વખતે અહી સમય વ્યતીત કરી આગળ વધતા હોય છે. ત્યારે પગપાળા અંબાજી જતા ભક્તો પણ આવા સેમાં કેમ્પોને આશીર્વાદરૂપ ગણી રહ્યા છે..જોકે દૂર દૂર થી ચાલીને આવતા ભક્તોના પગ માં છાલાઓ પડતા હોય છે તેથી તેમને ચાલવામાં મુશ્કેલી પડતી હોય છે પરંતુ આવા કેમ્પોમાં પગપાળા યાત્રાળુઓની ખાસ કાળજી લઈને તેમને પગની માલીસ કરી આપવામાં આવી રહી છે તો તેમને આ સેવા કેમ્પની અંદર પગમાં પહેરવાના કોટનના મોજા બનાવીને પહેરાવવામાં આવે છે જેથી પદયાત્રીઓને આવા મોજા પહેરીને ચાલવામાં રાહત થાય છે.તી આ કેમ્પની અંદર મેડિકલની તમામ સુવિધાઓ અને દવાઓ પુરી પાડવામાં આવતા ચાલતા જતા પદયાત્રીઓની શારીરિક પીડાઓ દૂર થતાં ભક્તો આવા કેમ્પને આશીર્વાદ સમાન ઘણી રહ્યા છે તો આવા કેમ્પોના સંચાલકો પણ માઇ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે..
બાઈટ-2-હિતેશભાઈ કચ્છવા -મેડિકલ કેમો ડોકટર
( અમે ભક્તોને તમામ પ્રકારની મેડીકલની સુવિધાઓની સાથે કોટનના મોજા બનાવીને આપીએ છીએ જેથી તેમને ચાલવામાં કોઈ તકલીફ ન પડે અને તેમને આરામ મળે)
બાઈટ-3-રમેશભાઈ -પદયાત્રી
( અંબાજી ચાલતા જતા મને પગે સોજા આવ્યા હતા અહીં મને પગે માલિશ કરી આપી છે જેથી બહુ રાહત છે..)
બાઈટ-4-રાહુલભાઈ -પદયાત્રી
(અમે થરાદથી અંબાજી પગપાળા જઈએ છીએ અહીં અમને બહુ સારી ભોજનની સગવડ મળી છે.)
માં અંબાના દર્શનાથે જતા ભાવિ ભક્તોને રસ્તામાં ઠેરઠેર ફાઇવસ્ટાર સેવા કેમ્પોમાં દરેક પ્રકારની સગવડો મળી રહે છે ત્યાં ઘણા એવા પણ સેવા કેમ્પો છે ત્યાં નામાંકિત કલાકારોને બોલાવીને રાત્રી દરમિયાન સાંસ્કૃતિક પોગ્રામો અને ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી રહી છે જેને લઈ ને ભક્તો પણ માં અંબાના ભક્તિના રંગો માં રંગાઈ જાય છે..અને અંબાજીનો માર્ગ ભક્તિમય બની ગયો છે..
અલ્કેશ રાવ -બનાસકાંઠા
મોં -9687249834
13
Report
JBJayendra Bhoi
FollowSept 05, 2025 12:19:57Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ ::
કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ભક્તિ ના રંગે રંગાયા
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના માદરે વતન ગુંદી ગામ માં ગણેશ વિસર્જન ની અનોખી છે પરંપરા
ગણેશ વિસર્જન પહેલા આસપાસ ના ગામ ની ભજન મંડળીઓ ભેગા થઈ ભજન કીર્તન કરે છે
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ પોતાના નિવાસસ્થાને ભજન મંડળીઓ ને ભેગી કરી મૃદંગ પર હાથ અજમાવ્યો
ભજનિકો વચ્ચે બેઠેલા ફતેસિંહ ના ઢોલ કાંસા વગાડતા વિડિઓ થયો વાયરલ
ફતેસિંહ ચૌહાણ અનેક વખત પોતાના તેજાબી નિવેદનો અને ભક્તિભર્યા સ્વભાવ થી ચર્ચા માં રહેતા હોય છે
14
Report
SBShilu Bhagvanji
FollowSept 05, 2025 12:02:21Porbandar, Gujarat:
0509 ZK PBR GHED
FORMAT-PKG
DATE-05-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
સોરઠી ઘેડ તથા બરડા ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પુરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણ તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પ્રથમ ફેઝની કામગીરી હજુ શરુ છે ત્યારે આ કામગીરીને લઇને કોંગ્રેસના આગેવાન પાલ આંબલીયા દ્વારા કામગીરીને લઇને ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.આ કામગીરીની હાલની સ્થિતિ તથા વિપક્ષના આક્ષેપો સહિતના મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
વીઓ-1
ઘેડમાં વરસાદી પાણી નિકાલ માટે કરવામાં આવેલ હાલની કામગીરી તથા સમગ્ર આયોજન અંગેના તબક્કાઓ મામલે પોરબંદરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે,ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ધોરણે નિવારણ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ઘેડ વિસ્તારનો સર્વે કરાવીને પ્રાથમિક અહેવાલ મળ્યા બાદ તેના અભ્યાસના આધારે ત્રણ તબક્કામાં આશરે 1858 કરોડ રૂપિયાના કામોને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ઘેડ વિસ્તારના કામોમાં ગેરરીતીના આક્ષેપોને પાયા વિહોણા જણાવી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડનું ચુકવણું થયું છે તેવી સ્પષ્ટતા કરી હતી અને આ મુદ્દે વિરોધ પક્ષના કેટલાક મિત્રો પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતુ.હાલની કામગીરી અંગે તેઓએ જણાવ્યું હતુ કે,પ્રથમ તબક્કાના કામોમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તરમાં વરસાદી પાણીના નિકાલ માટે થયેલ આયોજન માટે હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું,પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું જેવા કામોને કુલ 139 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે જેમાંથી ૭ કામોને મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.હાલ આ સાતેય કામો પ્રગતિ હેઠળ છે જે માટે હજુ સુધીમાં 36.67 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.દિવાળી બાદ બીજા તબક્કાની કામગીરી શરુ કરવામાં આવશે.. ત્રણેક વર્ષમાં ત્રણેય તબક્કાનુ કામ પૂર્ણ થાય તેવું આયોજન છે તેમ તેઓએ જણાવ્યું હતુ.મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ઘેડમા મધુવંતી તથા ભાદર ડેમ પર રબર ડેમ બનાવવામાં આવશે તેમજ એઆઇ સિસ્ટમ સહિતનો ઉપયોગ કરવામાં આવશે.
બાઇટ-1
કુંવરજી બાવળિયા
કેબિનેટ મંત્રી,ગુજરાત
વીઓ-2
કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામા યોજાયેલ આ પત્રકાર પરિષદમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પૂર આવવું પણ જરૂરી છે.દરિયાનું પાણી આગળ ન વધે અને ક્ષાર નિયંત્રણ થાય તે માટે આ જરૂરી છે પરંતુ જથ્થાનું બેલેન્સ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સમયસર પૂરના પાણીનો નિકાલ થાય તે પણ જરૂરી છે. હાલની સમસ્યા છે કે પૂરના પાણીનો સમયસર નિકાલ થતો નથી જે સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે અગાઉ પણ કેટલાક કામો કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે ઘેડની સમસ્યાનું કાયમી નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.મોઢવાડીયાએ પાલ આંબલીયાનુ નામ લીધા વગર એવું જણાવ્યું હતું કે,આ મુદ્દે રાજકારણ તથા લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી સાચી હકીકત જાણે
બાઇટ-2
અર્જુન મોઢવાડીયા
ધારાસભ્ય,પોરબંદર
વીઓ-3
ઘેડમાં જે રીતે દર ચોમાસે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળતી હોય છે તેના કારણે સમગ્ર ઘેડના અનેક ગામો બેટમા ફેરવાઈ જતા હોય છે.આ પરિસ્થિતિ સદીઓથી હતી ત્યારે મુદ્દે આ મામલે ખેડૂતોની જાગૃતતા તથા વિપક્ષ સહિત મિડીયા દ્વારા આ મુદ્દે સતત પરિસ્થિતિ અંગે જે ચિત્તારો અપાયા છે તેના કારણે પણ સરકાર આ મામલે જાગૃત બની આ યોજના અમલમાં મુકી છે તેમ કહીએ તો પણ ખોટું નથી આમ છતાં આ મુદ્દે કોઇ રાજકારણને બદલે ખેડૂતોને પ્રજાને ધ્યાને રાખી ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરવામાં આવે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યા છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
Report
RMRaghuvir Makwana
FollowSept 05, 2025 12:02:15Botad, Gujarat:
DATE-05-09-2025
SLUG-0509 ZK BTD ENGLISH DARU ZADPAYO
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-DESK
એન્કર.
ગઢડા પોલીસે દારૂની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે..
ગઢડામાં બોટાદ રોડ પર આવેલી કેનાલ પાસે દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી લેવામાં આવી છે.
પોલીસે બાતમીના આધારે રાત્રીના દરોડો પાડી અંદાજિત રૂ. ૮૦ લાખના ૧૪,૯૦૪ બોટલ દારૂ કબ્જે કર્યા છે. તો ટ્રક ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ટ્રક મુકીને ફરાર થઇ ગયો છે. ટ્રકની અંદર જનરેટર જેવી મશીનરીમાં છુપાવેલો દારૂ મળી આવ્યો છે.
પોલીસે દારૂનો જથ્થો તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂ. ૧.૩૭ કરોડના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી.
વીઓ.
બોટાદના ગઢડા થી મોટા પાયે દારૂનો જથ્થો ઝડપાયો છે.
ગઢડા પોલીસની ચાંપતી નજર અને બાતમીના આધારે કેનાલ પાસે ઉભેલી આઈસર ટ્રકમાં છુપાવેલ દારૂનો પર્દાફાશ થયો.
ટ્રકની અંદર જનરેટર જેવી મશીનરી બનાવી તેના અંદર છુપાવાઈ હતી દારૂની ૫૪૨ પેટી – કુલ ૧૪,૯૦૪ બોટલ.
દારૂની કિંમત રૂ. ૮૦ લાખથી પણ વધુ, જ્યારે ટ્રક સહિત કુલ મુદ્દામાલ ૧ કરોડ ૩૭ લાખનો પોલીસે કબજે કરેલ જોકે
ટ્રક ડ્રાઈવર અંધારા નો લાભ લઈ ફરાર થયો છે. ત્યારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરેલ.. આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તેમજ કોણ મુખ્ય બુટલેગર છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
બાઈટ-મહર્ષિ રાવલ-ડીવાયએસપી બોટાદ
0
Report