Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
વોટચોરી અંગે ભાજપના મહામંત્રીનો અમિત ચાવડાનો ચોંકાવનારો જવાબ!
GPGaurav Patel
Aug 15, 2025 08:18:30
Ahmedabad, Gujarat
વોટચોરી અંગે ભાજપના મહામંત્રી રજની પટેલને અમિત ચાવડાનો જવાબ રાજ્ય અને દેશમાં તમારી સરકાર છે, ચૂંટણીપંચ સ્વાયત્ત થઈ કામ કરે એ જરૂરી રાહુલ ગાંધીએ તથ્યો સાથે દાવો કર્યો હોય ત્યારે ચૂંટણી પંચ જવાબ આપે ભાજપ નેતાઓને ચોરી પકડાઈ ગઈ હોય એવો ભય છે આગામી દિવસોમાં પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે ગુજરાતમાં પણ અમે મતદાર યાદી ચકાસણી કરી છે કોંગ્રેસની તપાસમાં લાખો મતદાતાઓ ભૂતિયા અને ખોટા સામે આવ્યા છે આગામી સમયે અમે ગુજરાતના ભૂતિયા મતદાતાઓનો રિપોર્ટ જારી કરીશું સામાન્ય મતદાતાઓના મતની ચોરી ના થાય એ માટે અમે અભિયાન ચલાવીશું:ચાવડા બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
8
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Aug 15, 2025 09:32:27
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૫/૦૮/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગરમા શીતળા સાતમે ભરાયેલા ભાતિગળ મેળામાં ભાવિકોની ભીડ. એંકર: ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલા શીતળા માતાજીના સાનિધ્યમાં ભવ્ય ભાતિગળ લોકમેળો યોજાયો હતો, સાતમ નિમિતે ભરાતા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, શીતળા સાતમના આ મેળામાં શહેર અને ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય જેના કારણે પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. વિઓ ૧: શ્રાવણ માસના તહેવાર હોય અને મેળોના ભરાય તો જ નવાઈ લાગે, સૌરાષ્ટ્રને મેળાનો મલક કહેવામાં આવે છે, અહીં અલગ અલગ તહેવારોમાં વિવિધ પ્રકારના ભાતીગળ, લોકમેળા ભરાતા હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ આજે ઘોઘા રોડ ઉપર આવેલા મોટા શીતળા માતાજીના સાનિધ્યમાં શીતળા સાતમ નિમિત્તે શીતળામાતા મંદિર મહોત્સવ સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગરના રાજવી પરિવાર દ્વારા 150 વર્ષ પૂર્વે શીતળા માતાજીનું મંદિર બંધાવી સ્થાપના કરવામાં આવી હતી, વર્ષોની પરંપરા મુજબ શીતળા માતાના મંદિરે ભાતિગળ મેળો ભરાય છે, એ મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે, લોકો સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે દર્શને આવતા લોકો રાંધણ છઠ્ઠ ના રોજ બનાવેલું ટાઢું ભોજન આરોગે છે, શીતળા માતાજીને કુલેર ની પ્રસાદી ધરી ભક્તો એ પ્રસાદી ભોજન સાથે આરોગતા હોય છે, અહીંયા પરંપરાગત લોકમેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે, માતાજીની માનતા રાખ્યા બાદ પોતાના ઘરે બાળકનો જન્મ થતા માતાજીને શ્રદ્ધાપૂર્વક પારણું ધરવામાં આવે છે, લોકમેળામાં બાળકોના મનોરંજન માટે અલગ અલગ પ્રકારની રાઇડ પણ મુકવામાં આવી છે, તેમજ વિવિધ પ્રકારના રમકડાંના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, આજે શીતળા સાતમે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બાઈટ: મયુર પરમાર, શ્રદ્ધાળુ, ભાવનગર. બાઈટ: ભરત મોણપરા, ઉપપ્રમુખ, શીતળામાતા મંદિર મહોત્સવ સમિતિ. વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
3
comment0
Report
UPUMESH PATEL
Aug 15, 2025 09:32:04
Valsad, Gujarat:
Approved By Vishal 1508ZK_VLS_MUTTU_GANG એન્કર : જો તમને કોઈ સસ્તા ભાવે વિદેશી ચલણી નોટ આપવાનું કહે તો તમને વાત માં આવી વિદેશી ચલણી નોટ લેશો નહિ જો તમે સસ્તા ભાવે ચલણી નોટ લેવા જોશો તો તમને એ ક્યાંક પડી શકે છે ભારી..શુ છે આ વિદેશી ચલણી નોટનું રહસ્ય અને કેમ 5 લોકોએ આ ચલણી નોટના કારણે જાવું પડ્યું જેલ જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વિઓ 01 : વલસાડ શહેરમાં 10 ઓગસ્ટના દિવસે આફતાબ અસ્ફાકભાઈ ઘાસવાલા નામના વ્યકિ્તને 100 દિરહામની ચલણી નોટ સસ્તા ભાવે આપવાની વાત કરી 1436 દિરહામની નોટ 5 લાખમાં આપવાની લાલચ આપી હતી..જે બાદ આફતાબ ઘાસવાલા પરથી 1 લાખ રૂપિયા આ ગેંગ લઈ લેવામાં આવ્યા હતા જે દિરહામનું બદલ એક રૂમાલમાં બાંધી આફતાબને આપી આરોપીઓ બાઈક ઉપર ત્યાં થી જતા રહ્યા હતા જે બાદ આફતાબ દ્રારા દિરહામ નોટ નું બંદલ ખોલતાં ઉપર નીચે ની નોટ ઓરિઝન હતી બાકી બંદલ માંથી કાગળ મળી આવતા તેમના સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસની ટિમ દ્રારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરતા સીટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાપી ખાતે આ ગેંગ ફરી છેતરપીંડી કરવા આવવાની હોવાની માહિતી મળતા પોલિસ દ્રારા તાત્કાલિક પોલીસની ટિમ વાપી ખાતે પોહચી 5 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વિઓ 02 : વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે જિલ્લા પોલીસ દ્રારા મુથ્થુ ગેંગના 5 જેટલા સભ્યો ને ઝડપી પાડવામાં આવ્યા છે મુથ્થુ ગેંગ દ્રારા વિદેશી ચલણી નોટ નું બંદલ બતાવી લોકો સાથે છેતરપીંડી કરતા હતા કાગળના બંદલ ઉપર 2 કે 3 નોટ ઓરિઝન મૂકી વચ્ચે કાગળ મૂકી લોકોને બતાવતા હતા અને ત્યાર બાદ લોકોને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરતા હતા પોલીસ દ્રારા પકડાયેલા આરોપીની વાત કરી એ તો 1 મહંમદહ ફીરદોષ શેખ 2 બબલુ અબુખાન 3 આશીક ખાન 4 ફારૂક મહંમદ મલીક શેખ 5 જહાના બીબી શહાબુદ્દીન માફેલ સૈયદ આ પાંચ આરોપી ઓ દ્રારા એક બીજાની મદદ કરી અલગ અલગ લોકોને વિદેશી ચલણી નોટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે સાથે પોલીસને આરોપીઓ પાસે થી પોલીસને 17 જેટલા અલગ અલગ કંપની ઓના સિમ કાર્ડ અને 12 જેટલા ફોન મળ્યા છે આરોપીઓ પકકડાય ન જાય એ માટે gps વગરના મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હતા બાઈટ : ડો કરનરાજ વાઘેલા જિલ્લા પોલીસ વડા વિઓ 03 : વલસાડ જિલ્લામાં વિદેશી ચલણ બતાવી છેતરપિંડી કરતી મુથ્થુ ગેંગના 5 જેટલા સભ્યો ને વલસાડ જિલ્લા પોલીસ દ્રારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે તો જિલ્લા પોલીસ દ્રારા આ ગેંગ દ્રારા અન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
4
comment0
Report
NJNILESH JOSHI
Aug 15, 2025 09:30:33
Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ પઠાણ એન્કર - આજે પારશીઓ નું નવું વર્ષ એટલે નવરોઝ..દેશ અને દુનિયા ભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ ના પ્રથમ દિવસ ની નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે.. આજે પારશીઓ ના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડ ના ઉદવાડા માં પારશીઓ એ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામ ની પૂજા અર્ચના કરી હતી ,ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓ એ એકબીજા ને નવા વર્ષ ની સુભેચ્છા પાઠવી હતી.મહત્વપૂર્ણ છે કે..પોતાના ધર્મ ની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરા ની શોધ માં નીકળેલા પારસીઓ ને આખરે ભારતમાં આશરો મળ્યો હતો.ભારત માં વર્ષો પહેલા ગુજરાત ના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓ નો દિવસ છે ,ઈરાન થી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણ ના જાદિ રાણા ને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારત માં .. દૂધ માં સાકળ ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે ,આજે પારસીઓ ના કેલેન્ડર ના નવા વર્ષ ની સરુઆત થઇ છે , .પારશીઓ નું કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારશી માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે, ,આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓ એ ઇષ્ટ દેવ આતસ બહેરામ ની પૂજા અર્ચના કરી હતી. બાઈટ- 1 વડા દસ્તુર ખુરશશેદ કેકોબાદ પારસીઓ ના ધર્મગુરુ, ઉદવાડા બાઈટ: ફિનાશ બેન દર્શનાથી બાઈટ ઝીણાઝ ચીપિયા દર્શનાથી બાઈટ યુનુસ ચિનાઈ ftp/vapi/August 25/15.8.25/zk1508_parshi_fastival/1visual/4bite.
1
comment0
Report
TDTEJAS DAVE
Aug 15, 2025 09:30:28
Mehsana, Gujarat:
એન્કર;- કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ ખાનગી કંપની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા કડી અને બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. વિઓ;-1 કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં રહેતા હિમાચલ પ્રદેશના સિક્યુરિટી ગાર્ડની તેના જ બનેવી અને અન્ય એક વ્યક્તિએ ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાવલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી બનેવી ની અટકાયત કરી લીધી હતી.તેમજ ફરાર થયેલ અન્ય એક વ્યક્તિને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં હિમાચલ પ્રદેશના રાજપુત ઓમકારસિંહ સોનમલ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ મગજીભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ઓરડીઓ તેમજ કમ્પાઉન્ડમાં પડેલ સર સામાન અને મશીનરી ની સાચવવા સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા અને તે જ ઓરડીમાં રહેતા હતા. ઓમકારસિંહ સોનમલ છેલ્લા 30 વર્ષથી ઓરડીમાં રહેતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી તેમના બનેવી મહેન્દરસિંહ મગજીરામ તેમની સાથે નોકરી કરવા આવ્યા હતા બંને જણા કંપનીની ઓરડીમાં રહેતા હતા. ઉત્તર પ્રદેશનો દિવાનસિંહ ભીમસિંહ મૃતક ઓમકારસિંહ નો મિત્ર હતો. તે ક્યાં રહેતો અને ક્યાં નોકરી કરતો તેની પોલીસ તપાસ કરી રહી છે બાઈટ;-હાર્દિક પ્રજાપતિ----------ડીવાયએસપી કડી વિઓ;-2 તારીખ 12- 8-2025 રાત્રિના સમયે ઓમકારસિંહ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ તેમજ તેમનો મિત્ર દિવાનસિંહ ત્રણે વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધારીયા થી હુમલો કરતા ઓમકાર સિંહનું ઘટના સ્થળે મોત થયું હતુ. તારીખ 13-08-2025 ના રોજ ઘટનાની જાણ થતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે બનાવ સ્થળ બાવલુ પોલીસ સ્ટેશનની હદનો હોય બાવલુ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે હત્યારો બનેવી મહેન્દ્રસિંહ બનાવ સ્થળે હાજર હતો પોલીસે તેની પુછપરછ કરતા પોલીસ ના ઘણા પ્રશ્નો ના જવાબ ના આપી શક્યો, પોલીસે તપાસ કરતા અને મૃતકના પરિચિતના નિવેદનના આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહ ની અટકાયત કરી હતી. હત્યાનું કારણ હજુ અકબંધ છે બાઈટ;-હાર્દિક પ્રજાપતિ----------ડીવાયએસપી કડી મૃતક ઓમકારસિંહ ના મૃતદેહનું કડી સરકારી હોસ્પિટલ પીએમ કરાવી બાવલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિચિત ના નિવેદન આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહની અટકાયત કરી હતી. તેમજ ફરાર આરોપી દીવાનસિંહ ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
1
comment0
Report
DPDhaval Parekh
Aug 15, 2025 08:48:24
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન સ્લગ : NVS SWATANTRATA PARVA એન્કર : ભારત આજે આઝાદીનો 79 મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે. નવસારીમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. વી/ઓ : નવસારી જિલ્લા કક્ષાની 79 માં સ્વતંત્રતા પર્વની બીલીમોરાની વી. એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના મેદાનમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ ઉપર ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના હસ્તે તિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય દિનની સૌ નાગરિકોને શુભકામનાઓ આપી હતી. સાથે જ તેમણે ગુજરાત સાથે નવસારીની વિકાસ ગાથાને વર્ણવી, લોકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કર્યુ હતું. આ પ્રસંગે નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનિય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ જવાનોએ શૌર્ય કરતબો તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉપસ્થિતોમાં દેશ્બદાઝ જગાવી હતી. બાઈટ : કનુ દેસાઈ, નાણાં અને ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર
5
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 08:35:30
Surat, Gujarat:
સુરત બ્રેક ગેર કાયદેસરના માદક પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ પોસ ડોડા (પોપીસ્ટ્રો) ૦.૬૮૮ કિ.ગ્રામ,પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કાનુ ૦.૩૫૫ કિ.ગ્રામ ,મોબાઈલ ફોન નંગ-૦૧ , રોકડા રૂ.૨૬,૭૧૦/- ઇલેકટ્રીક મીક્ષર સ્ટીલના જાર સાથે નંગ-૦૧ કબ્જે કર્યો મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇની ધરપકડ કરાય બાઈટ..રાજેશ પરમાર..ડીસીપી
6
comment0
Report
SCSHAILESH CHAUHAN
Aug 15, 2025 08:33:39
Idar, Gujarat:
એપ્રુવલ આઈડિયા સાબરકાંઠા-શૈલેષ ચૌહાણ 15.08.25 ફીડ ftp સ્ક્રીપ્ટ-2c એન્કર પ્રાંતિજમાં આજે જીલ્લા કક્ષાના 79 સ્વાતંત્ર પર્વે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજ વંદન કરાવ્યું હતું.જીલ્લાના અલગ અલગ વિભાગના 57 કર્મચારીઓનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. વીઓ-૦૧ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં અવર ઓન હાઇસ્કુલના મેદાનમાં આજે જીલ્લા કક્ષાનો 79 સ્વાતંત્ર પર્વેની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજ વંદન કરાવ્યું હતું.ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ સંબોધન કર્યું હતું.અલગ અલગ ત્રણ સ્કુલના વિધાર્થીઓએ દેશભક્તિના ગીતો રજુ કર્યા હતા.તો જીલ્લામાં અલગ અલગ વિભાગના 57 કમર્ચારીઓએ કરેલ વિશિષ્ટ કામગીરીની બિરદાવીને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. બાઈટ-આયુસી જૈન,પ્રાંત અધિકારી પ્રાંતિજ
7
comment0
Report
RMRaghuvir Makwana
Aug 15, 2025 08:33:30
Botad, Gujarat:
DATE-15-08-2025 SLUG-1508 ZK BTD INDEPENDENCE DAY FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-STORY IDEA બોટાદ. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું અનોખું મિલન જોવા મળ્યું. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વતંત્રતા પર્વની ઉજવણી. હનુમાનજી દાદાને ખાસ રાષ્ટ્રધ્વજ તિરંગાના રંગોથી શોભતા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. હનુમાનજી દાદાના સિંહાસનની આસપાસ અને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. મંદિર પરિસરમાં પણ દરેક જગ્યાએ તિરંગાનો કરાયો શણગાર. કિંગ ઓફ સારંગપુર હનુમાનજી ની મૂર્તિ ની આસપાસ પણ તિરંગાનો કરાયો શણગાર. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગાર ના કરી રહ્યાં છે દર્શન. બાઈટ-વિવેકસાગર સ્વામી કોઠારી
6
comment0
Report
RMRaghuvir Makwana
Aug 15, 2025 08:33:18
Botad, Gujarat:
DATE-15-08-2025 SLUG-1508 ZK BTD CYBER CRIME FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI એન્કર. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર મંદીરના નામે ફેક વેબસાઇટ બનાવી રૂમ બુકીંગના નામે ભક્તો સાથે છેતરપિંડી કરતો આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી લીધો, આરોપીએ ૪૨ જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી. વીઓ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર સાથે સંબંધિત નકલી વેબસાઈટ બનાવીને ભક્તો પાસેથી રૂમ બુકિંગના બહાને પૈસા ઉઘરાવનાર સાયબર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીને ઉત્તરપ્રદેશ થી ધરપકડ કરવામાં આવી. આરોપી અમરજીત કુમાર સન/ઓફ અમરસિંહ મોતીલાલ ઉ.વ.આ-૨૮ ધંધો-ડીજીટલ માર્કેટીંગ, રહે-નાગલા ભાગવંત તા.પટીયાલી જી.કાસગંજ, ઉત્તરપ્રદેશ જે ઓનલાઈન પ્લેટફોર્મ પર સારંગપુર ટ્રસ્ટ ધર્મશાળાના નામે ફેક વેબસાઈટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી હરિભક્તોને બુકિંગ માટે લલચાવતો હતો. ભક્તો દ્વારા પસંદ કરાયેલ રૂમ માટે પેમેન્ટ કર્યા બાદ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા મળતી ન હતી, જેથી હરિભક્તોએ મંદિર ટ્રસ્ટ મા ફરિયાદ કરેલ જેથી મંદિર ટ્રસ્ટે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસને ફરીયાદ કરતા સાયબર ક્રાઈમ પોલીસેઆરોપી સામે કલમ ૩૩૬(૨)(૩)(૪), ૩૩૮, ૩૧૮(૪), ૩૧૬(૨), તથા આઇ.ટી. એક્ટ. કલમ ૬૬(સી), (ડી) મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. વીઓ. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ઓળખ કરીને ફોર્ડ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અમરજીત કુમાર સન/ઓફ અમરસિંહ મોતીલાલ ને ઉત્તરપ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની તપાસ કરતા આરોપી Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને -૧૬ ફેક વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી ૨૬ વેબસાઇટો બનાવેલ કુલ ૪૨ ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડ ની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો. બાઈટ - 1- કે. એફ. બળોલીયા - એસ. પી. બોટાદ.
12
comment0
Report
GPGaurav Patel
Aug 15, 2025 08:18:38
Ahmedabad, Gujarat:
સ્વતંત્રતાદિનની ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે ઉજવણી કાર્યકરો સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યું ધ્વજવંદન રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી સ્વતંત્રતા દિને અમિત ચાવડાનું નિવેદન પરિણામની ચિંતા વગર બીજી આઝાદીની લડત લડવાનો સંકલ્પ લેવાનો છે બેરોજગારી, ભુખમરી, અધિકારી રાજ સામે આઝાદીની લડત લડીશું કાચા મનના લોકો આ લડત નહીં લડી શકે, સ્વતંત્રસેનાની જેવો જુસ્સો કેળવવો પડશે બોલવાની, લખવાની અને આચાર વિચારની આઝાદી મેળવવાની છે અંગ્રેજો સામે જે રીતે ગુજરાતથી અવાજ ઉઠ્યો હતો એવો જ અવાજ ઉઠશે વોટ ચોરોથી દેશને આઝાદી અપાવવાનો સંકલ્પ કર્યો છે બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
11
comment0
Report
GPGaurav Patel
Aug 15, 2025 08:18:34
Ahmedabad, Gujarat:
વડાપ્રધાનની GST જાહેરાત અંગે અમિત ચાવડાની પ્રતિક્રિયા જાહેરાતો અને વાયદાઓ ખૂબ થયા પરંતુ પૂર્ણ નથી થતા બે કરોડ યુવાઓને રોજગાર, ૧૫ લાખ, વિદેશથી કાળું નાળું ના વાયદાઓ અપાયા જ હતા મોંઘવારી વધી રહી છે, શિક્ષણ મોંઘું થયું અને સરકારી ભરતી નથી થતી મેદસ્વિતા ઘટાડવાનો સંકલ્પ રાજ્ય સરકારે લીધો છે, તેમને ભૂખમરો હટાવવાનો સંકલ્પ લેવો જોઈએ બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
7
comment0
Report
TDTEJAS DAVE
Aug 15, 2025 08:18:20
Mehsana, Gujarat:
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ઘ્વજવંદન જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી મહેસાણાના જોટાણા ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી એન્કર;-ગુજરાતના મહેસાણા જિલ્લામાં જોટાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાષ્ટ્રીય પર્વ રાષ્ટ્રભાવનાને વધુ પ્રજ્વલિત કરે છે. તેમણે સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે,આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય.તેમણે સિંદૂર ઓપરેશન માટે ભારતીય સેનાને પણ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી હતી. તેમણે સમગ્ર દેશના ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, જો ભારતના નાગરિકો દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે તો આપણા કરોડો નાગરિકોને રોજગારી મળી શકે અને દેશ વધુ આર્થિક રીતે પગભર બની શકે.આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી અધિકારીઓ, કાર્યકરો અને નાગરિકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. બાઈટ;-શંકર ચૌધરી------વિધાનસભા અધ્યક્ષ બાઈટ;- નીતિન પટેલ-------પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
12
comment0
Report
DPDhaval Parekh
Aug 15, 2025 08:16:16
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન સ્લગ : NVS PARASI NEW YEAR એન્કર : દક્ષિણ ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ આજે 1395 માં પારસી નવવર્ષના પ્રથમ દિવસે નવસારીના તરોટા બજાર સ્થિત ઐતિહાસિક પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરીને સુખમય જીવન માટે પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી આરંભી હતી. પારસીઓએ એકબીજાને ગળે મળી સાલ મુબારક કર્યુ હતું. વી/ઓ : હજારો વર્ષ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ ભારતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા, અહિં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો, જેથી પારસીઓએ નવુ સારી નામ આપ્યુ અને તે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે. પારસીઓના 10 દિવસના મુક્તાદ બાદ આજથી એમના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. નવા વર્ષ પૂર્વે ગત રોજ પારસીઓએ પતેતી ઉજવી હતી. પતેત એટલે પ્રાયશ્ચિત કરવાનો દિવસ, જેમાં વર્ષ દરમિયાન કરેલી ભુલોનું પારસીઓ પાક આતસ બહેરામ સામે શીશ ઝુકાવીને પ્રાશ્ચિત કરે છે. પારસીઓએ આજે વહેલી સવારથી વરસાદી માહોલમાં શહેરની 200 વર્ષથી પણ જુની પારસી અગિયારીએ આવી પાક આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતી આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી. બાઈટ : દિનાઝ પટેલ, પારસી ગૃહિણી, નવસારી વી/ઓ : નવસારીમાં મોટી સંખ્યામાં પારસીઓ વસે છે. આજે નવા વર્ષે સૌ પારસીઓએ પાક આતસ બહેરામને પ્રાર્થના કરી, તેમના આશીર્વાદ મેળવ્યા બાદ એક બીજાના ઘરે જઈ સાલ મુબારક કહીને નવવર્ષની શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસે પારસીઓ ખાસ પારસી ફૂડ બનાવે છે. જેમાં મીઠાઈમાં પણ પારસીઓની દાળ પોળી, સેવ, રવો વગેરે સાથે વિશેષ ભોજન બને છે. પારસીઓએ વરસાદી માહોલમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. બાઈટ : બોમી જાગીદાર, પારસી અગ્રણી, નવસારી
11
comment0
Report
SSSapna Sharma
Aug 15, 2025 08:00:15
Ahmedabad, Gujarat:
note-----(બાઈટ્સ 1408zk_live_ahd_nsui_vivad માંથી સાંભળીને લેવી) હંમેશા વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટી નો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી નો કોન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર સફેદ હાથી બની ચૂક્યો છે. આ સેન્ટર નું અત્યારે રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે. જોકે તેના ઇનોવેશન પાછળ નો ખર્ચ એટલો બધો વધી ગયો કે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી રહી છે. વીઓ...... 2350 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા કન્વેશન હોલ નું અત્યારે રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે. કન્વેશન હોલ જે તે સમયે 25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો. સમય જતા યુનિવર્સિટીને તેના રીનોવેશન ની જરૂરત પડી. તેમાં આધુનિકીકરણ લાવવાના વિચાર સાથે રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. જોકે રીનોવેશન નું કામ હજી પૂર્ણ નથી થયું પરંતુ તેનો ખર્ચ 35 કરોડ એ પહોંચ્યો છે. Wkt.... કોંગ્રેસના નેતા અને ગુજરાતી યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના કન્વેશન એન્ડ એક્ઝિબિશન સેન્ટરના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે ગુજરાત યુનિવર્સિટીના વાઈસલર નીરજા ગુપ્તા ને 72 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. 72 કલાકની અંદર તેઓ ઘટનાની તપાસ કરી તેની સામે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. જો તેમના પ્રશ્નોનો યોગ્ય જવાબ નહીં આવે તો આગામી સમયમાં કોલેજો પણ બંધ રાખવામાં આવશે. બાઈટ - ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સિન્ડિકેટ સભ્ય જોકે ગુજરાત યુનિવર્સિટીના વાઈસન્સ ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટી અને એક્ઝિબિશન સેન્ટર પાછળ અત્યાર સુધી કેટલો ખર્ચ થયો તેની કોઈ જ માહિતી મામલે સ્પષ્ટતા કરી ન હતી. તેનું કહેવું છે કે અગાઉ સેન્ટર કેટલા ખર્ચે બનીને તૈયાર થયો તેની વિગત તેમની પાસે નથી આ સાથે જ અત્યારે આ પાછળ કેટલો ખર્ચ થયો તેની માહિતી પણ તેમણે મેળવવી પડશે. જોકે વાઈસ ચાન્સલર ના આવા ગોળ ગોળ જવાબ ઘણી શંકાઓ ઉપજાવે તેમ છે. બાઈટ - નીરજા ગુપ્તા વાઈસ ચાન્સલર ગુજરાત યુનિવર્સિટી
11
comment0
Report
Independence Day
Advertisement
Back to top