Back
नवासारी में डांडी हेरिटेज मार्ग के तहत पारसियों की स्मशान भूमि पर तनाव
DPDhaval Parekh
Dec 19, 2025 10:21:29
Navsari, Gujarat
એંકર : મહાત્મા ગાંધીજીની દાંડીકૂચના દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણમાં નવસારીની પૂર્ણા નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે નવો પુલ બેનેશે, જેની સાથે સર NH 64 પહોળો કરવા શહેરના વિરાવળ પાસે આવેલ પારસીઓની સ્મશાન ભૂમિની એકથી દોઢ ચોરસ મીટરની જગ્યા સંપાદિત થવાની હોય, આજે સંપાદન અધિકારી સહિતની ટીમે સ્થળ મુલાકાત લેતા પારસીઓએ રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
વી/ઓ : ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1930 માં કરેલ દાંડીકૂચના માર્ગેને હેરિટેજ જાહેર કરી, તેને NH 64 જાહેર કર્યો હતો. આ માર્ગને સરકાર દ્વારા અનેક ઠેકાણે પહોળો કરવામાં આવી રહ્યો છે. જેમાં નવસારી શહેરની જીવાદોરી સમાનપૂર્ણા નદી ઉપર આંધળી રીતે કરોડો રૂપિયાના ખર્ચે હયાત પુલની પશ્ચિમે નવો પુલ મંજૂર થયો છે. શહેરના પ્રવેશ દ્વાર ગણાતા વિરાવળ પાસે જ અંદાજે 500 વર્ષથી પણ જૂની પારસીઓની स्मશાનભૂમિ આવી છે. ડુંગરવાડી તરીકે ઓળખતી પારસીઓની स्मશાન ભૂમિમાં પારસી પરંપરા અને ધાર્મિક વિધિ અનુસાર મૃત્યુ બાદના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સ્મશાન ભૂમિમાં બે વર્ષો જૂના કૂવા છે, જેને દખમુ કહે છે. જેની સામે જ આદરિયાન (નાની agiyari) છે. વર્ષોથી પારસીઓ માટે આ સામાજિક તેમજ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણમાં પારસીઓની સ્મશાન ભૂમિની એકથી દોઢ ચોરસ મીટર જગ્યા કપાતમાં જવાની હોય તેમને જમીન સંપાદનની નોટીસ આપવામાં આવી હતી. જેમાં આજે નવસારી પ્રાંત અને સંપાદન અધિકારી ડૉ. જનમ ઠાકોર સાથે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. સ્મશાનભૂમિની જગ્યા સંપાદિત થવાની વાત પારસી સમાજના કાને પડતા જ મોટી સંખ્યામાં પારસીઓ ડુંગરવાડી પહોંચ્યા હતા. જ્યાં પારસી આગેવાનોે અધિકારીને રજૂઆત સાથે જમીન અપાવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
બાઈટ : કેરસી દેબૂ, પારસી આગેવાન, નવસારી
વી/ઓ : પારસી સ્મશાન ભૂમિમાં જમીન સંપાદનની પ્રક્રિયા હેઠળ આવેલા અધિકારીઓને પારસીઓએ તંત્રને વર્ષોથી સહયોગ કરતા આવ્યા હોવાની વાત કરી હતી. વર્ષ 2017/18 માં રસ્તો પહોળો કરવાની વાત થતા પારસી સમાજે સ્મશાન ભૂમિની અંદાજે 28 હજાર ચોરસ ફૂટ જમીન આપzhi હતી. ત્યારબાદ 35 લાખ રૂપિયાના ખર્ચે નવી દિવાલ બનાવી હતી. પરંતુ ફરી જમીન સંપાદનની વાતથી પારસીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં નવસારી પ્રાંત અધિકારીએ આગેવાનોની રજૂઆતો સાંભળી, સંબંધિત વિભાગ અને કન્સલ્ટન્ટનું ધ્યાન દોરવાની ખાત્રી આપી હતી. સાથે જ પારસીઓને આવતી કાલે સાંજે પ્રાંત કચેરીમાં બેઠક માટે પણ બોલાવ્યા છે.
બાઈટ : ડૉ. જનમ ઠાકોર, પ્રાંત અધિકારી, નવસારી
વી/ઓ : દૂધમાં સાકરના જેમ વસેલા પારસીઓ સ્મશાનભૂમિની જગ્યા કોઈપણ ભોગે નહીં આપવા મન બનાવી બેઠા છે, ત્યારે NH 64 એટલે દાંડી હેરિટેજ मार्ग અંતર્ગત બનનારા રસ્તામાં સરકાર શું નિર્ણય લે છે એ જોવું રહ્યું...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowDec 19, 2025 11:54:440
Report
URUday Ranjan
FollowDec 19, 2025 11:06:550
Report
GKGovindbhai Karmur
FollowDec 19, 2025 11:04:190
Report
RMRaghuvir Makwana
FollowDec 19, 2025 10:41:050
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 09:45:440
Report
BPBurhan pathan
FollowDec 19, 2025 09:04:360
Report
URUday Ranjan
FollowDec 19, 2025 08:46:480
Report
PDPRASHANT DHIVRE
FollowDec 19, 2025 08:45:590
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 07:58:370
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:58:290
Report
NBNARESH BHALIYA
FollowDec 19, 2025 07:54:460
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:31:030
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 06:48:250
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:48:110
Report